CIA ALERT

વાયરલ Archives - Page 43 of 80 - CIA Live

April 20, 2021
oxygen_express.jpg
1min450

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દરદીઓને આપવા ઑક્સિજનની કમી વરતાઈ રહી હોવાથી રેલવે દ્વારા વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાંથી લિક્વિડ ઑક્સિજન મહારાષ્ટ્રમાં લાવવા ખાસ ઑક્સિજન એક્સપ્રેસ દોડાવી દોડાવવામાં આવી છે.

ઑક્સિજન એક્સપ્રેસ

લિક્વિડ ઑક્સિજન ભરવાનાં ટૅન્કર ડાયરેક્ટ એ ટ્રેનમાં ચડાવી શકાય એ માટે કળંબોલી યાર્ડમાં માત્ર ચોવીસ જ કલાકમાં જ એના માટે ખાસ રૅમ્પ પણ તૈયાર કરી દેવાયો હતો. આ ટ્રેન ૭ ટૅન્કર સાથે વસઈ, જળગાવ, નાગપુર, રાયપુર જંક્શનથી વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટ પહોચશે અને ત્યાંથી એ ટૅન્કરોમાં લિક્વિડ ઑક્સિજન ભરીને પાછી આવશે. ગઈ કાલે રાતે ૮.૦૫ વાગ્યે એ ટ્રેન ટૅન્કરો સાથે રવાના પણ કરી દેવાઈ હતી. 

April 20, 2021
virus.jpg
1min371
காற்றுவழிப் பரவுகிறதா கரோனா வைரஸ்? | Is the corona virus spread through the  air? - hindutamil.in

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

Coronavirus: WHO rethinking how Covid-19 spreads in air - BBC News

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.

થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.

April 16, 2021
gujarat_highcourt.jpg
1min411

ગુજરાત વડી અદાલતે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ગુરુવારે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો નાથવા કેન્દ્ર અને અદાલત દ્વારા અગાઉ કરાયેલા સૂચન પ્રત્યે રાજ્ય સરકાર ધ્યાન આપતી નહિ હોવાથી રાજ્યમાં કોરોનાવાઇરસના કેસનું ‘સુનામી’ આવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ ભાર્ગવ કારિયાની ડિવિઝન બૅન્ચે રાજ્ય સરકાર દ્વારા બૅડ્સ, ટૅસ્ટિંગ સુવિધા, મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ઉપલબ્ધતા અંગે કરાયેલા દાવા અંગે શંકા વ્યક્ત કરી હતી.

બૅન્ચે જણાવ્યું હતું કે રાજ્યમાં રોગચાળાની સ્થિતિ વધુ વણસવાની શક્યતા છે. અમારી અદાલતે ગયા ફેબ્રુઆરીમાં રોગચાળાને નાથવા કેટલાંક સૂચન કયાર્ં હતાં. અમે કોવિડ-૧૯ના દરદીઓની સારવાર માટે વધુ હૉસ્પિટલ, પૂરતા બૅડ્સ, ટૅસ્ટિંગ અને અન્ય સંબંધિત સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમ જ લોકો બરાબર માસ્ક પહેરે તેનું અને જાહેર સ્થળે (લોકો ટોળે ન વળે તેનું) પૂરતું ધ્યાન રાખવા સૂચન કર્યું હતું. આમ છતાં, રાજ્ય સરકારે અમારા સૂચન પ્રત્યે જરૂરી ધ્યાન નથી આપ્યું અને તેને લીધે હાલમાં કોરોનાનું ‘સુનામી’ આવ્યું છે.

તેણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રોગચાળાના સંબંધમાં બેદરકાર છે.

ગુજરાત વડી અદાલતે રાજ્યમાંની કોરોનાવાઇરસને લગતી સ્થિતિ અંગેની જાહેર હિતની અરજીની જાતે જ સુનાવણી હાથ ધરી હતી.

April 14, 2021
SRH-vs-RCB.jpg
1min474

વિજય સાથે આઇપીએલની 14મી સિઝનનો પ્રારંભ કરનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઇરાદો બુધવારે રમાનાર તેના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ સફળતાનો આ ક્રમ જાળવી રાખવાનો રહેશે. આરસીબીએ પહેલા મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હાર આપીને તેના અભિયાનનો પ્રારંભ કર્યોં હતો. જ્યારે ડેવિડ વોર્નરના સુકાનીપદ હેઠળની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ હાર સહન કરવી પડી હતી. તેનું લક્ષ્ય પ્રથમ જીત હશે. જો કે આરસીબી સામે જીત મેળવવા માટે સનરાઇઝર્સે ચમકદાર દેખાવ કરવો પડશે.

પહેલા મેચના શાનદાર દેખાવ બાદ આરસીબીની ટીમમાં ઇન ફોર્મ ઓપનર દેવદત્ત પડીક્કલની વાપસી થશે. આથી ટીમ વધુ મજબૂત બનશે. પડીક્કલ કોરોનામુકત થયો હતો અને રમવા તૈયાર છે. પહેલા મેચમાં તે રમી શકયો ન હતો. તેણે પાછલી સિઝનમાં આરસીબી તરફથી સૌથી વધુ 473 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટીક સિઝનમાં મુશ્તાક અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં 737 રન ખડકયાં હતા.

આથી કોહલી સાથે સુંદરને ઇનિંગની શરૂઆત કરી હતી. આરસીબી આવનારા મેચોમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર આડમ ઝમ્પા અને મોહમ્મદ અઝહરૂદીનને ઉતારી શકે છે. આરસીબીનો બેટિંગનો દારોમદાર ફરી કપ્તાન કોહલી અને સ્ટાર ડિ’વિલિયર્સ પર હશે. કાંગારૂ ફટકાબાજ મેકસવેલ તેની ઉપયોગિતા સાબિત કરવા માંગશે. મીડિયમ પેસેર હર્ષલ પટેલે પહેલા મેચમાં 27 રનમાં પ વિકેટ લીધી હતી. તે ફરી આવું પ્રદર્શન કરવા માંગશે.

હૈદરાબાદના ઓપનર કપ્તાન ડેવિડ વોર્નર અને વિકેટકીપર રિધ્ધિમાન સાહા કેકેઆર વિરૂધ્ધ નિષ્ફળ રહ્યા હતા. બન્ને ફોર્મમાં વાપસીની કોશિશ કરશે. જોની બેયરસ્ટો લગભગ વોર્નર સાથે દાવનો પ્રારંભ કરશે. તેણે પહેલા મેચમાં અર્ધસદી કરી હતી. જ્યારે મનીષ પાંડે 44 દડામાં 61 રને નોટઆઉટ રહ્યો હતો. કેન વિલિયમ્સનનું આરસીબી સામેના મેચમાં રમવું સંભવ નથી. કારણ કે તે હજુ પૂરી રીતે ફિટ નથી. કેકેઆર સામેના મેચમાં ભુવનેશ્વર સહિતના હૈદરાબાદના મુખ્ય બોલરોએ ઘણા રનનો ખર્ચ કર્યોં હતો. તેઓ આ વખતે વિકેટ લેવા પર અને રન અટકાવવા પર ધ્યાન આપશે.કે દુનિયા ભલે કોરોના 19 વિરોધી રસીના 78 કરોડ ડોઝ આપી ચૂકી હોય પરંતુ આ મહામારીનો અંત હજુ ઘણો દૂર છે. જો કે જનઆરોગ્યલક્ષી પગલાંઓ દ્વારા તેને કાબૂ કરી શકાય છે.

ભારત સહિત દુનિયાભરમાં સંક્રમણમાં ઝડપથી થઈ રહેલા વધારા અંગે કહ્યંy કે જાહેર સ્વાસ્થ્ય ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ

April 14, 2021
remdesivir.jpg
1min554

ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.

નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.

April 14, 2021
maharashtra_lockdown.jpg
1min396
સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની પરવાનગી લોકલ ટ્રેન ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકને પ્રવેશ બંધ પાલિકાના નાળાં સફાઈના કર્મચારીઓ તેમ જ મેટ્રોની સેવાના મજૂરોને પણ પરવાનગી

 સરકાર આપે એવી આવશ્યકતા છે, જેથી અસરગ્રસ્ત વર્ગોને રાહત આપી શકાય, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

શું બંધ?

ખાનગી કચેરીઓ, ફ્ેરિયા, નોન-એસેન્શિયલ સામાનની દુકાનો, આવશ્યકતા વગર બહાર જવાની પરવાનગી નહીં, જીવનાવશ્યક સેવા માટે કામ કરનારા લોકોને બાદ કરતાં અન્ય લોકોને પરવાનગી નહીં, રિક્ષા-ટેક્સી અને બેસ્ટની બસમાં નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે.

શું ચાલુ રહેશે

અત્યંત આવશ્યક સેવા સાથે સંકળાયેલા હૉસ્પિટલ, મેડિકલની દુકાનો, વીમા, ટેલિકોમ, આરબીઆઈ સહિત બધી બૅંકો, સેબીની માન્યતાપ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થા ચાલુ રહેશે. આ બધી સંસ્થાઓના કર્મચારીઓને અવજવર કરવા માટે મુક્તિ આપી હતી. ઉપરાંત, અત્યારની ઈમર્જન્સી પરિસ્થિતિ હોવાથી જાહેર પરિવહન ક્ષેત્રને ચાલુ રાખવામાં આવે છે. અલબત્ત, મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે. રાજ્યમાં (લોકલ ટ્રેન), બેસ્ટની બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, ઓટોરિક્ષા, ટેક્સીની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પત્રકારોને અવરજવર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. અન્ય સરકારી સંસ્થા પૈકી વિદેશી દૂતાવાસ, ચોમાસા સંબંધિત કામકાજ કરનારા કર્મચારીઓ તથા ઈ-કોમર્સ ચાલુ રહેશે. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે, જ્યારે પાર્સલની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારના પરિપત્રમાં જણાવ્યું હતું.

મફતમાં અનાજ – શિવભોજન થાળી

ગરીબોનું જીવન મુશ્કેલ બનશે એવી સંભાવનાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગરીબોને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. આવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે.

નાના-મધ્યમ વેપારીને બાબાજી કા ઠુલ્લુ

ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં વેપારીઓને ત્રણ મહિનાના જીએસટીમાં રાહત આપવામાં આવે એવો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. વેપારીઓને રાજ્ય સરકાર તરફથી કોઈ સીધી રાહત આપવાની વાત ઉદ્ધવ ઠાકરેએ કરી નહોતી.

ઓક્સિજન માટે એરફોર્સની મદદ માગી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડરની પ્રવર્તી રહેલી અછતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઓક્સિજનના સિલિન્ડર જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેની યાદી સરકાર પાસે છે. રાજ્યને રોજ ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે અને આગામી દિવસોમાં કદાચ આમાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં વડા પ્રધાનને એવી વિનંતી કરવામાં આવશે કે ભારતીય હવાઈદળના વિમાનોનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરોના પરિવહન કરવા માટે તાકીદની સ્થિતિમાં પરવાનગી આપવી જેથી રાજ્યમાં તેની અછત ન સર્જાય.

૫,૪૦૦ કરોડનું રાહત પેકેજ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ૧૫ દિવસ માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરીબો અને અન્યોને કોઈ ભારે નુકસાન ન થાય એ માટે ૫,૪૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં ૩૫ લાખ ગરીબોને રૂ. ૧૦૦૦ આપવામાં આવશે. ૧૨ લાખ બાંધકામ મજૂરોને રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. પાંચ લાખ અધિકૃત ફ્ેરિયાને રૂ. ૧,૫૦૦ સ્વનિધિ ખાતામાં આપવામાં આવશે. રાજ્યના ૧૨ લાખ પરમિટ હોલ્ડર રિક્ષાચાલકોને રૂ. ૧,૫૦૦ની રોકડ આર્થિક સહાય કરવામાં આવશે.

April 12, 2021
stock-market-down.jpg
1min391

તા.૧૨ એપ્રિલ ૨૦૨૧ને ઉઘડતા સપ્તાહ, સોમવારની સવારે સવા નવ વાગ્યે જ્યારે ભારતીય શેરબજારોમાં કારોબાર શરૂ થયો ત્યારે પહેલી જ મિનિટે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખૂલતા સપ્તાહનો વર્તારો જોવા મળી ગયો છે. બપોરે બાર વાગ્યા બાદ સેન્સેક્સ અને નીફ્ટી બન્નેમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. સાડા બાર વાગ્યાના અરસામાં સેન્સેક્સમાં ૧૭૦૦થી વધુ પોઇન્ટનું ગાબડું જોવાયું હતું. એવી જ રીતે નીફ્ટી ૫૦૦ જેટલા પોઇન્ટ ડાઉન ટ્રેડ કરતો જોવાયો હતો.

એ પૂર્વે આજે સપ્તાહના આરંભની સવારના પહેલા જ સેશનના ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. બેંકીંગ અને ફાયનાન્સ શેરો જેવા કે RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.

વૈશ્વિક શેરબજારોમાં પણ નોંધાયો ઘટાડો

હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 373 પોઇન્ટ તૂટીને 28,305ની સપાટીએ બંધ રહ્યો છે.
– ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24 પોઇન્ટ ઘટીને 3,425 પર બંધ રહ્યો છે.
– કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 1 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,130 પર બંધ થયો.
– ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 37 પોઇન્ટ ઘટીને 7,214 પર પહોંચી ગયો છે.
– જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 172 અંક નીચે 29,596 પર બંધ રહ્યો છે.

આજે તા.૧૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ શેરમાર્કેટમાં ઘટાડા પાછળ ટોચના નબળા શેર્સમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, બજાજ ઓટો, આઈસીઆસીઆઈ બેંક, કોટક બેંકના નેગેટીવ અહેવાલો જવાબદાર મનાય છે. ઇન્ફોસિસ એક માત્ર શેર એવો છે જે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તેની પાછળનું કારણ આઈટી મેજર રુ. 12000 કરોડના શેર બાયબેક કરવા અંગે વિચારી રહી હોવાના અહેવાલો આવ્યા છે.

April 10, 2021
dhoni_vs_pant.jpg
1min434

એક તરફા રહેલા મુકાબલામાં દિલ્હીના સૌથી યુવા કેપ્ટન રિષભ પંતની ટીમે સૌથી વધુ અનુભવી દિગ્ગજ સ્ટાર ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સને આસાનીથી પરાજય આપ્યો હતો.

Reported Before Match on 10/4/21

10/4/21, IPL 21 : આજે ધોની વિરુદ્ધ પંતની મુંબઇમાં ટક્કર

મુંબઈમાં આજે 10/4/21 IPL2021ની આ ૧૪મી સીઝનમાં બીજી ટક્કરમાં ભારતના સૌથી સફળ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર ભવિષ્યના કૅપ્ટન તરીકે જેને જોવામાં આવી રહ્યો છે એ રિષભ પંતની ટીમ દિલ્હી કૅપિટલ્સની સામે ટક્કર થવાની છે. આજે 10/4/21 ભારતીય ક્રિકેટના ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે રોમાંચક ટક્કર જામવાની છે.

શ્રેયસ ઐયરના નેતૃત્વમાં દિલ્હી કૅપિટલ્સે ગઈ સીઝનમાં શાનદાર પર્ફોર્મન્સના જોરે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઇનલમાં તેઓ મુંબઈના મહારથીઓને રોકી નહોતા શક્યા અને રનર-અપથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ ત્રણ વખતની ચૅમ્પિયન ચેન્નઈ માટે છેલ્લી સીઝન તેમની સૌથી ખરાબ રહી હતી અને પ્રથમ વાર જ તેઓ પ્લે-ઑફમાં નહોતા પહોંચી શક્યા. ચેન્નઈ પૉઇન્ટ ટેબલમાં સેકન્ડ લાસ્ટ સાતમા ક્રમાંકે રહી હતી.

આજે 10/4/21 દિલ્હી ઇન્જરીને લીધે ઐયરની ગેરહાજરી છતાં યુવા અને શાનદાર ફૉર્મમાં રમી રહેલા રિષભ પંતના નેતૃત્વમાં ગઈ સીઝનનું ફૉર્મ જાળવી રાખવા કમર કસી રહી છે, જ્યારે ચેન્નઈ ગઈ સીઝનને ભૂલીને આજે નવી શરૂઆત કરવા તત્પર હશે. 

ધોનીના રિટાયરમેન્ટ બાદ તેના અનુગામી તરીકે રિષભ પંતને ગણવામાં આવ્યો હતો. થોડો સમય નબળા ફૉર્મને લીધે ભારે ટીકા બાદ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં તેના પર્ફોર્મન્સના આધારે આજે એ ભારતનો નંબર-વન વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો છે. ધોની પાસેથી શીખેલી ટ્રિક આજે પંત કૅપ્ટન્સી તરીકેની પહેલી જ મૅચમાં તેની સામે અજમાવશે. પંતે કહ્યું કે ‘કૅપ્ટન તરીકે મારી પહેલી મૅચ માહીભાઈ સામે છે. મારા માટે આ એક સારો અનુભવ બની રહેશે, કેમ કે હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. આ ઉપરાંત એક ખેલાડી તરીકેના મારા પણ કેટલાક અનુભવ છે. આજે માહીભાઈ પાસેથી જે શીખ્યો છું તેમની સાથે મારા અનુભવો વડે આજે કંઈક અલગ કરવાની કોશિશ કરીશ.’

April 8, 2021
modi_2nd_dose-1280x900.jpg
1min380

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.

કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.

April 8, 2021
corona_india.jpg
1min393

ભારતમાં કોરોના કાળ દરમિયાન નોંધાયેલા નવા કેસના તમામ રેકોર્ડ Dt 7/4/21 બુધવારે નોંધાયેલા કેસમાં તૂટી ગયા છે. દેશમાં પાછલા 24 કલાકમાં 1 લાખ 26 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 1,26,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાના લીધે પાછલા 24 કલાકમાં વધુ 685 લોકોના મોત થઈ ગયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 1,66,862 થઈ ગઈ છે. હાલ દેશમાં કોવિડ-19 એક્ટિવ કેસની સંખ્યા 9,10,319 પર પહોંચી ગઈ છે, પાછલા 24 કલાકમાં વધુ 59,258 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા કોરોના મુક્ત થયા છે.

આ પહેલા દેશમાં સૌથી વધુ કોરોના કે 1,15,736 મંગળવારે નોંધાયા હતા. આ ત્રીજો દિવસ છે કે દેશમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર ગયા છે.

ICMR (Indian Council of Medical Research) મુજબ બુધવારે 12,37,781 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલની સંખ્યા 25,26,77,379 થાય છે.

દેશમાં 9,01,98,673 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે. જેમાં 2 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોનાની રસીનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ પછી બીજો તબક્કો 1 માર્ચના રોજ શરુ થયો હતો. આ તબક્કા દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી 59 વર્ષના કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.