CIA ALERT

Uncategorized Archives - Page 13 of 13 - CIA Live

May 22, 2018
nipah.jpg
1min11930

કેરળના કોઝીકોડ જિલ્લામાં રહસ્યમય અને જીવલેણ નિપાહ વાઇરસને કારણે અત્યાર સુધી ૧૦ લોકોનાં મૃત્યુ થયાં છે અને અન્ય છ પેશન્ટની હાલત એકદમ ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય ૨૫ પેશન્ટોને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક હાઈ લેવલ ટીમને કોઝીકોડ મોકલી છે. છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણે એેક જ પરિવારના હતા. અમુક પેશન્ટોની સારવાર કરનાર એક નર્સ પણ મૃત્યુ પામી છે અને તેને પણ નિપાહ વાઇરસ લાગુ પડી ગયો હતો કે કેમ એની તપાસ ચાલુ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં રાજ્ય સરકારે કોઝીકોડમાં કન્ટ્રોલ રૂમ પણ ઊભો કર્યો છે. આ રોગ જેને થયો હોય તેના સંપર્કમાં આવવાથી જ એ લાગુ પડી શકે છે. આને લીધે રાજ્ય સરકારે જે લોકોને આ રોગ થયો છે તેમની યાદી જાહેર કરી છે અને એ પેશન્ટોને અલગ રાખવામાં આવ્યા છે. હૉસ્પિટલોને આઇસોલેશન વૉર્ડ ઊભા કરવાની પણ સૂચના આપવામાં આાવી છે.

આ રોગના પેશન્ટને ૪૮ કલાકની અંદર સારવાર ન મળે તો એ કદાચ કોમામાં સરી પડી શકે છે. આ વાઇરસ સામે હજી સુધી કોઈ રસી પણ વિકસિત થઈ નથી.

નિપાહ વાઇરસને NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. એનાં લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, ભારે તાવ, માથાનો દુખાવો, શરીરમાં બળતરા, ચક્કર આવવાં અને બેહોશીનો સમાવેશ છે.

આ બીમારી માટે ફ્રૂટ બૅટ એટલે કે ચામાચિડિયા જવાબદાર હોવાનું કહેવાય છે. માત્ર ફળ કે ફળના રસનું સેવન કરતા આ ચામાચિડિયા આ રોગના મુખ્ય વાહક છે. આવાં ફળ કે અન્ય ખાદ્ય પદાર્થના સંપર્કમાં આવનારને આ રોગ થઈ શકે છે. ડુક્કર મારફત પણ એ ફેલાય છે.

ભારતમાં ૨૦૦૧ અને ૨૦૦૭માં પશ્ચિમ બંગાળમાં આ રોગ જોવા મળેલો અને ત્યાં કુલ ૭૧ કેસ સામે આવેલા અને એમાંથી ૫૦ પેશન્ટ મૃત્યુ પામ્યા હતા. બંગલા દેશની સીમા નજીકના વિસ્તારમાં બન્ïને વખત આ રોગ ફેલાયેલો

આ રોગ સૌપ્રથમ ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યાં નિપાહ નામના ગામમાં આ રોગ ફેલાયેલો અને એ ગામના નામ પરથી રોગને નિપાહ નામ મળ્યું છે. ત્યાં ડુક્કરોને કારણે મનુષ્યોમાં આ રોગ ફેલાયેલો

May 22, 2018
restaurant-big.jpg
1min13440

કેઝ્યુઅલ ડાઇનિંગ ઉદ્યોગ માટે છેલ્લા બાર મહિના ઘણા આકરા નીવડ્યા છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો થયો હોવા છતાં કેટલીક મધ્યમ કદની અને સારી રીતે જાણીતી કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ તથા હેમ્બર્ગર જોઇન્ટ્સ છેલ્લા 12 મહિના દરમિયાન બંધ થયા છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળતી બંધ થવી, ખર્ચમાં વધારો, હાઈપર-લોકલ ડિલિવરી સ્ટોર્સના વ્યાપમાં વધારો, વેલ્યૂ પ્રાઇસિંગ પર ધ્યાન અને ઊંચાં ભાડાંના લીધે તેમની નફાકારકતા પર અસર પડી છે.

ભારતમાં ડોમિનોઝ અને ડંકઇન ડુનટ સ્ટોર્સનું સંચાલન કરતી જુબિલન્ટ ફૂડવર્ક્સે ખોટ કરતા 26 સ્ટોર્સ બંધ કર્યા છે. ટીજીઆઇ ફ્રાઇડેઝે છેલ્લા એક મહિનામાં અન્ય ત્રણ સ્ટોર્સ બંધ કર્યા હતા, બે અન્ય યુએસ ચેઇન વેન્ડી અને ક્રિસ્પી ક્રેમે પણ સ્ટોર બંધ કર્યા હતા અને જ્યારે જેએસએમ હોસ્પિટાલિટીના કેલિફોર્નિયા પિત્ઝા કિચન અને દિલ્હી સ્થિત કાફે આઉટ ઓફ ધ બોક્સે પણ કેટલાક સ્ટોર્સ બંધ કર્યા હતા.

પ્રાઇવેટ ઇક્વિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીના અનુભવી તથા ઓનલાઇન પ્લેટફોર્મ ટેગટેસ્ટના સ્થાપક જસપાલ સભરવાલે જણાવ્યું હતું કે, ફુગાવો, સ્પર્ધા અને ઈનપુટ ક્રેડિટ વગર જીએસટીના લીધે ઉદ્યોગ માટે પોષણક્ષમ રહેવું મુશ્કેલ બની ગયું છે. આ વર્ષના અંતે સ્થિતિ એવી હશે કે ઉદ્યોગના આંકડા ૨૦૧૫ કરતાં પણ ઓછા હશે. આમ બહાર જમવા જવામાં આવેલા કાપના લીધે ઉદ્યોગને ખાસ ફાયદો થઈ રહ્યો નથી.

કેઝ્યુઅલ ડાઇનિંગ અને ક્યુએસઆર સેગમેન્ટમાં સ્ટોર ટ્રાફિક 14 પોઇન્ટ ઓછો રહેવાની અને સરેરાશ બિલ વેલ્યૂનો ટ્રેન્ડ 2015થી પણ સાત ટકાથી નીચે રહેવાની સંભાવના છે, જ્યારે ખર્ચ 2015ની તુલનાએ 11 ટકા ઊંચો રહેવાની શક્યતા છે.એમ સભરવાલે જણાવ્યું હતું.

બજાર નિરીક્ષકોનું કહેવું છે કે ભારતમાં હલ્દીરામના જેવા સ્થાનિક નાસ્તાએ મેક્‌ડોનાલ્ડને પાછળ પાડી દીધા હોવાથી હેમ્બર્ગર જોઇન્ટ્સની સંભાવના મર્યાદિત છે. ફાઇન ડાઇનિંગ રેસ્ટોરાં બ્રાન્ડ્સ સ્મોક હાઉસ ડેલી અને સોશિયલ ઇમ્પ્રેસરિઓનું સંચાલન કરતા ચીફ એક્ઝિક્યુટિવ રિયાઝ અમલાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં પાંચ પ્રકારની કેટેગરીના હેમ્બર્ગર જોઇન્ટ્સને જળવાય તેટલી ઊંડાઈ નથી અને બજારમાં આમ પણ મેક્‌ડોનાલ્ડ અને કેએફસી તો છે જ.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લાં ત્રણથી ચાર વર્ષ દરમિયાન પ્રવેશેલી મોટા ભાગની વિદેશી બર્ગર ચેઇન હાલમાં તેમના કારોબારને રિસ્ટ્રક્ચર કરવા અને યોગ્ય મોડલ શોધવા પ્રયત્નશીલ છે.

આનું એક ઉદાહરણ અમેરિકાની ચેઇન ફેટબર્ગર છે, જેણે ગુડગાંવમાં તેનો એકમાત્ર સ્ટોર બંધ કર્યો છે. વિશ્વની સૌથી મોટી બર્ગર ચેઇનમાં એક વેન્ડીએ જણાવ્યું હતું કે તે ભારતમાં 2019 સુધીમાં 40થી 50 સ્ટોર્સ ખોલવા માંગે છે, પરંતુ હાલમાં તે ત્રણ આઉટલેટ બંધ કરીને ફ્કત બે જ આઉટલેટ ચલાવી રહી છે.

 

 

May 9, 2018
2018_5large_satyanarayan_dev.jpg
1min13270

તા.૨૦મી મેના રોજ આ વર્ષનો સૌથી મોટો ઉત્તમ ફળદાયક દિવસ આવી રહ્યો છે. આ દિવસે આ વિક્રમ સંવતનો એકમાત્ર અખંડ રવિપુષ્ય યોગ આવી રહ્યો છે અને આ યોગ અધિક-પુરુષોત્તમ મહિનામાં આવ્યો છે, માટે તેનો પ્રભાવ વધી જાય છે, એવું તજજ્ઞો માની રહ્યા છે. ખાસ કરીને આ દિવસે સત્યનારાયણ દેવની ઉપાસના કરવાથી કાર્યસિદ્ધિ, સફળતા અને પુણ્યોદયમાં અધિક વૃદ્ધિ થાય છે.

May 9, 2018
2018_5large_temp_mumuksh_kishor.jpg
1min12270

વિક્રમ સંવત-૨૦૭૪માં દેશભરમાં ૧૫૦થી વધુ દીક્ષા સંપન્ન થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં બેંગ્લૂરુનો ૧૪ વર્ષીય કિશોર મુમુક્ષુ કૌશિક રાઠૌડ તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તા.૧૨મી મેના રોજ દીક્ષિત થઈ આચાર્ય અરવિંદસાગરસૂરીશ્વરજીના ચરણે જીવન સમર્પણ કરશે. અમદાવાદમાં ગચ્છાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરિજી સમાધિભૂમિ, કૈલાસ તીર્થ, અંકુર જૈન સંઘ, અંકુર રોડ, નારણપુરા ખાતે ત્રિદિવસીય ‘રજોહરણ દાનોત્સવ’નો પ્રારંભ તા.૧૦મી મેથી થશે. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને દેશ-વિદેશથી પણ ગુરુભક્તો આવી રહ્યા છે.