CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 9 of 41 - CIA Live

June 13, 2020
rain_forecast.png
1min8330

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

June 11, 2020
coronaindia-1-1280x1044.jpg
1min6820

છેલ્લા 24 કલાક દરમિયાન વધતાં કોરોના પેશન્ટની સંખ્યામાં રેકૉર્ડ વધારા પછી ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા ત્રણ લાખ નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 10,956 નવા કેસ સામે આવ્યા છે, અને એક દિવસમાં સૌથી વધારે 396 મૃત્યુ પામ્યા છે. ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 2,97,535 થઈ ગયો છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા છે, જેને કારણે ભારતમાં રિકવરી રેટ 49.47 ટકા પહોંચી ગયો છે. આ સમયે દેશમાં કુલ 1,41,842 સક્રિય COVID-19 કેસ છે, અને ભારતમાં અત્યાર સુધી 8,498 લોકો COVID-19ને કારણે પોતાની જીવ ગુમાવી ચૂક્યા છે.

આની સાથે જ ભારતમાં કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોની સૂચીમાં બ્રિટેનને પાછળ મૂકીને ભારત ચોથા નંબરે પહોંચી ગયો છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાની પાછળ છે. અમેરિકામાં સૌથી વધારે 20 લાખ કેસ છે, તો તેના પછી બ્રાઝીલમાં સાડાસાત લાખ કેસ છે. જ્યારે ત્રીજા નંબરે રશિયમાં 4 લાખ 93 હજારથી વધારે કેસ છે.

મહારાષ્ટ્રમાં કુલ કેસ
મહારાષ્ટ્રની વાત કરીએ તો માત્ર મહારાષ્ટ્રમાં કુલ 97,648 કેસ પૉઝિટીવ આવ્યા છે જેમાં છેલ્લા 24 કલાકમાં 3607 કેસ નવા છે. હાલ 47980 કેસ સક્રિય છે અને 46078 દર્દીઓ સ્વસ્થ થઈને પાછાં ઘરે ગયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 152 લોકો છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં મરણાંક 3590 પહોંચ્યો છે.

નોંધનીય છે કે ગુરુવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે દેશમાં ચોક્ક્સ રીતે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. ભારતીય કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક બલરામ ભાર્ગવે કહ્યું કે, “અહીં સુધી કે ભારત WHOની કોમ્યુનિટી સ્પ્રેડની વ્યાખ્યા પણ નથી.” તેમણે કહ્યું કે ભારતમાં કૉમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું. શબ્દ ‘કૉમ્યુનિટી સ્પ્રેડ’ને લઈને ઘણા વિવાદની સ્થિતિ છે.

India : 10 June : વધુ 10,911 કેસ : કુલ 2,87,025 કેસ : 8,105નાં મોત

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બુધવારે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા કોરોના કેસનો નવો રેકોર્ડ બન્યો છે.

10 June બુધવારે નોંધાયેલા નવા 10,911 કેસ સાથે દેશમાં કોરોના વાયરસનો કુલ આંકડો 2,87,025 પર પહોંચ્યો છે. આ સાથે કુલ 356 લોકોના મોત નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુનો આંકડો 8,000ને પાર કરીને 8,105 પર પહોંચ્યો છે.

દિલ્હીમાં બુધવારે વધુ 1,501 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 32,810 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 984 થયો છે. દિલ્હીમાં આ બીજીવાર બન્યું છે જ્યારે એક દિવસમાં 1,500 કરતા વધારે કેસ નોંધાયા છે. નવા 191 કેસ સાથે તેંગાણામાં 4000 કરતા વધારે કેસ થઈ ગયા છે, અને વધુ 8ના મોત સાથે કુલ મૃત્યુઆંક 156 થયો છે.

ગુજરાતમાં બુધવારે 510 કેસ નોંધવાના કારણે કુલ કેસનો આંકડો 21,553 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કુલ 1347 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં 15,305 કેસ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં દેશના સૌથી વધારે કોરોના કેસ નોંધાયેલા છે જ્યાં વધુ 3,254 કેસ સાથે કુલ આંકડો 94,041 પર પહોંચી ગયો છે. જ્યારે નવા 149 મોત સાથે કુલ મૃત્યુઆંક 3,438 થયો છે. રાજ્યમાં 44,500 કોરોનાથી પીડાતા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.


June 11, 2020
mumbai-1.jpeg
1min5560

ભારતમાં વધી રહેલા કેસો વચ્ચે સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ રેકોર્ડ કેસ સામે આવ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 3254 નવા કેસ સામે આવ્યા છે. આ વધારા સાથે મહારાષ્ટ્રમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 94,041 થઇ ગઇ છે. બુધવારના રોજ મહારાષ્ટ્રનો કોરોનાથી મૃત્યુદર પણ ઊંચો રહ્યો હતો, અહી વિતેલા 24 કલાક દરમિયાન 149 દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. 

મહારાષ્ટ્રનો કુલ મૃત્યુઆંક પણ વધીને 3438 છે. આ બધા વચ્ચે બુધવારે મહારાષ્ટ્રમાંથી 1879 દર્દીઓ સારવાર મેળવી કોરોનામુક્ત થયા હતા. જે પછી મહારાષ્ટ્રમાં કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 44,517 થઇ છે. 

ભારતના અન્ય રાજ્યો, પ્રદેશો પણ કોરોનાની પકડમાં આવી ચૂક્યા છે, રાજધાની દિલ્હીમાં પણ મહારાષ્ટ્રની જેમ જ કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. બુધવારે દિલ્હીમાંથી એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ 1501 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 48 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 32,810 થયા છે અને મૃત્યુઆંક 984 છે. 

June 11, 2020
life_insurance-1.jpg
1min4880

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 5, 2020
brijesh-a-merja.jpg
1min4830

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાણે રાજીનામાંનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તા.4 જુનમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે તા.5મી જુનને શુક્રવાર મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પક્ષને રામ-રામ કહી દીધા છે.

મેરજાએ સોનિયા ગાંધીને મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટીમાં રહીને જનતાના કામો કરવા સક્ષમ ના હોવાથી તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.

ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 103નું છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 65 ધારાસભ્યો રહ્યા છે. આ સિવાય વિધાનસભામાં બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાં એક ઉમેદવારને જીતાડવા માટે 35 પ્રેફરન્સ વોટ જરુરી છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતા હવે ભાજપ પાસે પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવાની ઉજળી તક છે.


June 5, 2020
checkpost.jpg
1min5800

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્રણેક દિવસથી રાજ્યમાં દરરોજ ૪૦૦થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોના આરોગ્યની ચકાસણી ફરજિયાત બનાવી દેવાઈ છે.

આ અંગેની વ્યવસ્થા કરવા રાજ્યના ગૃહ વિભાગે આરોગ્ય વિભાગને જાણ કરી છે. ગૃહ વિભાગે જારી કરેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે તેથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. જો કોઇ બહારથી આવતી વ્યક્તિમાં કોઇપણ પ્રકારના લક્ષણ દેખાય તો ત્વરિત અસરથી તેનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

June 5, 2020
tabligi-2.jpg
1min4600

કોરોનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના સમયમાં વિઝા નિયમોનો ભંગ કરી ભારતમાં રહેનારા તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને કેન્દ્રના ગૃહ મંત્રાલયે બ્લેક લિસ્ટ કર્યા છે અને જણાવ્યું છે કે તેમને આગામી દસ વર્ષ સુધી ભારતમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. દેશભરમાં જુદા જુદા રાજ્યની મસ્જિદ અને ધાર્મિક સંસ્થામાં ગેરકાયદે રહેતા વિદેશીઓની માહિતી રાજ્ય સરકારે કેન્દ્રને સોંપ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે તબલીઘી જમાતના ૨,૫૫૦ વિદેશી સભ્યને બ્લેક લિસ્ટ કર્યા છે.

૨૫ માર્ચથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. 

June 2, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6460

આધાર કાર્ડ પર ભારત, ડ્રાઇવિંગ લાયસન્સ પર Union of India અને પાસપોર્ટ પર Republic ?

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.2 જુન 2020ના રોજ ટ્વીટર ઇન્ડીયા પર એક જોરદાર ટ્રેન્ડ ચાલ્યો છે અને એ ટ્રેન્ડ છે હેશટેગથી બાયબાય ઇન્ડીયા ઓન્લી ભારત સાથેની પોસ્ટનો. લાખો ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યા છે કે હવે વિશ્વભરમાં ભારત ઇન્ડિયાથી નહીં પણ ભારતથી જ ઓળખાય. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ એક રીટ પીટીશન ફાઇલ થઇ ચૂકી છે અને એ પછી હવે સોશ્યલ મિડીયામાં ખાસ કરીને ટ્વીટર પર ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણા દેશનું નામ દેશ અને દુનિયામાં ભારત જ રહે અને હવે પછી સમગ્ર વિશ્વમાં આપણો દેશ ભારતના નામથી જ ઓળખાય. લાખો લોકો નીચેના હેશટેગથી ટ્વીટ કરી રહ્યા છે.

ટ્વીટર પર ભારતના નામ અંગે બે હેશટેગથી લાખો ટ્વીટ થઇ રહ્યા છે

ByeByeIndiaOnlyBharat

તા.2 જૂન સાંજે પોણા પાચ વાગ્યા સુધીમાં ઉપરોક્ત હેશટેગથી અંદાજે 1.89 લાખ ટ્વીટ થઇ ચૂક્યા છે. ટ્વીટ કરનારા મોટા ભાગના ટ્વીટર હેન્ડલ યુઝર્સની માગણી છે કે આપણા દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત જ હોવું જોઇએ.

इंडियाहीभारत_है

ભારત નામ માટે મુહિમની તવારીખ

આપણા દેશનું નામ ભારત રહે એ માટે દિલ્હીના એક રહેવાસીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને એ અપીલ બંધારણની કલમ 1 કે જેમાં ભારતના નામ અંગેની જોગવાઇ છે એમાં સુધારો કરવા સંદર્ભે છે. આજે તા.2 જુનના રોજ સુપ્રીમ કોર્ટમાં આ પીટીશનનું હિયરીંગ હાથ ધરાવાનું હતું પરંતુ, આજનું હિયરિંગ સંભવી શક્યું નથી.

યાચીકાકર્તાએ એવી દલીલ કરી છે કે અલગ અલગ ડોક્યુમેન્ટસ પર આપણા દેશનું નામ અલગ રીતે નવાજવામાં આવી રહ્યું છે જેમ કે

  • આધાર કાર્ડ પર ભારત સરકાર લખાય છે
  • ડ્રાઇવિંગ લાઇસન્સ પર યુનિયન ઓફ ઇન્ડિયા લખાય છે
  • પાસપોર્ટ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાય છે

ઉપરોક્ત બાબતને કારણે ભારે મૂંઝવણભરી સ્થિતિ ઉદ્ભવે છે.

જે કલમમાં સુધારા માટે રીટ કરવામાં આવી છે એ બંધારણની કલમ 1

બંધારણના પહેલા ભાગમાં દેશના નામ, તેના રાજ્ય સરહદોની વ્યવસ્થા વગેરે વિશે જોગવાઈ કરવામાં આવી છે. તે કલમ 1થી 4 સુધીમા છે. કલમ 1 મુજબ, India કે જે ભારત છે તે રાજ્યો અને ક્ષેત્રોનો ક સંઘ હશે. એટલ અંગ્રેજીમાં દેશનું નામ India અને હિંદીમાં ભારત છે, એવું બંધારણ કહે છે. તો, આંતરાષ્ટ્રીય સ્તર પર અંગ્રેજીમાં Republic of India એટલે કે ભારત ગણરાજ્ય ચાલે છે. એટલે જ પાસપોર્ટ પર એ લખવામાં આવે છે.

June 2, 2020
middleseat-1280x853.jpg
1min5300

વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રહે તે રીતે બેઠકની ફાળવણી કરવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિયેશન (ડીજીસીએ)એ દેશની તમામ એરલાઈન્સને સોમવારે જણાવ્યું હતું.

પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે જો પ્રવાસીને વિમાનમાં વચલી સીટ ફાળવવામાં આવી હોય તો તેવા સંજોગોમાં તેમને ટૅક્સટાઈલ ખાતા દ્વારા મંજૂર કરવામાં આવેલા વ્રૅપ અરાઉન્ડ ગાઉન, ત્રિસ્તરીય ફૅસમાસ્ક સહિતના વધારાના સુરક્ષા ઉપકરણો પૂરા પાડવાનું ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બે મહિનાના સમયગાળા બાદ ભારતમાં પચીસમી મેથી ડૉમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે, આગામી સૂચના ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

June 1, 2020
nisarg11.jpg
2min13400

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડિપ્રેશન આગામી 12 બાદ વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 6 કલાક બાદ ડીપ ડિપ્રેશન સાયક્લોનમાં અને 12 કલાક બાદ ડીપ ડિપ્રેશન સીવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. આવતીકાલે આ વાવાઝોડું દમણ અને મહારાષ્ટ્ર વચ્ચેથી પસાર થશે.આ સમય દરમિયાન પવનની ગતિ 100-110 કિમી પ્રતિકલાકની રહેશે.

હાલ આ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે અને 6 કલાકે 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 200થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતના ડુમસ, સુવાલી, ડભારી બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારીનો ઉભરાટ બીચ પણ ખાલી કરાવવામાં આવ્યો છે.

ગુજરાતના ઉમરગામ દરિયા કિનારે એલર્ટ ઘોષિત

મહારાષ્ટ્રને કેવી રીતે ઘમરોળશે નિસર્ગ વાવાઝોડું

તા.2 જૂન સાંજે 4 કલાકની સ્થિતિ અને એ પછીનું પ્રોજેક્શન

સેટેલાઇટ ઇમેજ તા.2 જૂન બપોરે 2 કલાકે

Reported on 1st JUNE 2020

Symbolic Photo

2/3/4 જૂને ગુજરાતમાં વાવાઝોડું અને અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હાલ પશ્ચિમ ભારતને સ્પર્શતા અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલી સાયક્લોનિક સિસ્ટમ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે તા. 2, 3 અને 4 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચે તેવી શક્યતા છે. જોકે વાવાઝોડાની દિશો બદલાય રહી હોવાથી આમા ફેરફાર થઇ શકે તેમ છે. હાલ જે વાવાઝોડાનું સંકટ તોળાય રહ્યું છે એ વાવાઝોડાને તા.1લી જૂને બપોરે 2 વાગ્યા સુધી કોઇ નામ આપવામાં આવ્યું નથી.

IMDના પ્રાદેશિક સેન્ટર દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા સૂચવાયું છે. આનું કારણ એ છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે.

તા.4 જુન સુધીમાં ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધ્યા બાદ વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેથી 3 અને 4 જૂને પૂર્વી સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પ્રાદેશિક હવામાન કચેરીના ડિરેક્ટર શ્રી જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 4 જૂને આગળ જણાવેલ જિલ્લાઓ સિવાય ડાંગ, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ અને અમદાવાદમાં પણ ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારેથી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. કેમ કે, આ વાવાઝોડાની રચના હજી થઈ નથી, તેથી વાવાઝોડું કોઈ સત્તાવાર નામ નથી.