CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 7 of 41 - CIA Live

July 9, 2020
corona-gujarat.jpg
1min5650

ગુજરાતમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝિટિવ કેસનો વિક્રમ ૭૮૩ કેસનો રચાયો છે. એમાંય સુરતના કુલ ૧૭૩ કેસની નવી સપાટી રચી છે એમાં મહાનગરના જ ૨૧૫ કેસ છે જ્યારે વિવિધ તાલુકાના મળી નવા ૫૮ કેસ આવ્યા છે એ પણ એક વિક્રમ છે. બીજી તરફ અમદાવાદ મહાનગરમાં ઓચિંતા ઘટતાં કેસનો સીલસીલો યથાવત રહેતાં ૨૦ એપ્રિલ પછી પહેલી વખત ૧૪૯ કેસ નોંધાયા છે એ જ રીતે જિલ્લાનો આંક બીજા દિવસે પણ સીંગલ ડીજીટ થઇ ગયો છે. સૌથી યોગાનુયોગ એ છે કે સુરત અને અમદાવાદમાં મૃત્યુ આંક ૫-૫ દર્દીનો નોંધાયો છે એની સાથે રાજકોટમાં ૩ દર્દી, જામનગર, મોરબી અને અમરેલીમાં ૧-૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં હવે લગભગ સમગ્ર શહેરમાં સંક્રમણ પ્રસરી રહ્યું હોવાથી અહીં પણ અમદાવાદની જેમ ધનવંતરી રથનો પ્રયોગ સાથે ઘરે ઘરે જઇ રેપિડ ટેસ્ટ, હેલ્થ ચેકઅપની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં નવા ૫૫ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યમાં ૧૨ નવા કેસ આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સંક્રમણ હવે મોટા પાયે પ્રસરી રહ્યું છે. રાજકોટ શહેરમાંથી ૨૬ નવા કેસ અને ૩ દર્દીના મોત નોંધાય છે. ધોરાજી સહિતના અન્ય તાલુકાઓમાં ૧૩ નવા કેસ ઉમેરાયા છે. આ જ રીતે ભાવનગરમાં ૧૨ કેસ, ગ્રામ્યના ૭ મળી ૧૯ કેસ નવા ઉમેરાયા છે.

ગાંધીનગર શહેરમાંથી નવા આઠ દર્દી અને તાલુકાઓમાંથી ૧૧ કેસ નવા મળ્યા છે. જામનગરમાં સંક્રમિત વિસ્તારોમાંથી નવા ૮ કેસ, ગ્રામ્યમાંથી એક કેસ અને એક સારવાર હેઠળના દર્દીનું મૃત્યુ ઉમેરાયું છે. જૂનાગઢ મહાનગરામં નવા ૭ કેસ અને તાલુકાઓમાંથી ચાર કેસ મળ્યા છે.

જિલ્લાઓમાં ફરીથી વલસાડ જિલ્લામાં ૨૭ કેસ નવા નોંધાયા છે. દાહોદમાં ૧૮, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૧૬-૧૬ કેસ ઉમેરાયા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં ૧૫-૧૫ કેસ, સાબરકાંઠા ૮, પાટણ, ૪, અરવલ્લી ૨ કેસ નોંધાયા છે.

July 8, 2020
corona-gujarat.jpg
1min4900

સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે પૈકી અમદાવાદ અને સુરતમાં સતત કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. હવે દરરોજ અમદાવાદ કરતા સુરતમાં કોરોના વાયરસના વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં તા.7મી જુલાઇના દિવસના 24 કલાકમાં કોરોના વાયરસના નવા 249 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 76 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 187 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના 124 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 7 દર્દીઓના જ્યારે સુરતમાં 6 દર્દીઓના મોત થયા છે.

અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22,262 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 17,089 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 1498 દર્દીઓના મોત થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 6458 કેસ નોંધાયા છે જે પૈકી કુલ 4185 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 194 દર્દીઓના મોત થયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જ રહી છે. ગુજરાતમાં સતત ચોથા દિવસે 700 પાર કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં વધુ નવા 778 કેસ નોંધાતા હવે કુલ આંકડો પણ 37,636 પર પહોંચ્યો છે. નવા કેસમાં અમદાવાદમાં 187, સુરતમાં 249 જ્યારે વડોદરામાં વધુ 68 કેસનો પણ સમાવેશ થાય છે. જ્યારે 24 કલાકમાં વધુ 421 દર્દીઓ સ્વસ્થ થતાં રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 26744 થયો છે.

July 8, 2020
covid_cia.jpg
3min4520

India has one of the lowest COVID-19 cases per million in worldPTIIndia has one of the lowest COVID-19 cases per million in the world. Union Health Ministry said, according to World Health Organization Situation Report, India’s cases per million population is around 505 while the global average is at over one thousand 453.Chile has witnessed around 15,459 cases of COVID-19 per million population, while US over 8,500, Brazil over 7,419 and Spain witnessed over 5,358 cases per million population.

The WHO Situation Report also shows that India has one of the lowest deaths per million population. India’s cases of death per million population is around 14 while the global average is more than its four times, at 68.The Ministry said, India has ramped up the hospital infrastructure to adequately and effectively manage the cases. The preparedness included arrangement of oxygen support, ICU and ventilator facilities.

As on today (7 july) , there are over 1200 Dedicated COVID Hospitals, two thousand 611 Dedicated COVID Healthcare Centres and nine thousand 909 COVID Care Centres to look after COVID patients from those with very severe to very mild symptoms. Early detection and timely effective clinical management of COVID-19 cases have resulted in increasing daily recoveries.

During the last 24 hours, a total of 15,515 COVID-19 patients have been cured, taking the cumulative figure of recovered cases to more than 4,39,000. The Ministry said, due to coordinated efforts at all levels of the national and State governments for prevention, containment and management of COVID-19 are showing encouraging results with consistently increasing gap between recoveries and active cases.

As on date, there are over one lakh 80 thousand recovered cases more than the active COVID-19 cases.The recovery rate among COVID-19 patients has increased to 61.13 per cent yesterday. Presently, there are over 3, 59,000 active cases and all are under medical supervision.The Ministry said, more than two lakh tests being conducted per day. During the last 24 hours more than 3, 41,000 samples have been tested. With this, the nationwide samples tested for COVID-19 reached to over one crore two lakh

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે દાવો કર્યો છે કે, ભારતમાં દસ લાખની વસતી પર કોરોના સંક્રમણવા કેસ અને મૃત્યુનું પ્રમાણ દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઓછુ છે. મંત્રાલયે 6 જૂલાઇએ વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટને હવાલે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ દસ લાખ વસતી પર કોરોના સંક્રમણના કેસનો આંકડો 505.37 છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે. ચિલીમાં પ્રતિ દસ લાખની વસકી પરર 15,459.8 કેસ છે જ્યારે પેરુમાં આ પ્રમાણ 9070.8 છે.

વિશ્વ સ્વાસ્થ સંગઠનની રિપોર્ટ અનુસાર પ્રતિ દસ લાખની વસ્તી પર અમેરિકામાં 8,560.5 કેસ, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.4, ઇટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે. આ સાથે પ્રતિ દસ લાખની વસતી પર ભારતમાં મૃત્યુના કેસ 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ કેસ 68.29 છે. રિપોર્ટ મુજબ બ્રિટનમાં પ્રતિ દસ લાખ વસતી પર 651.4 મોતના કેસ છે. જ્યારે સ્પેનમાં 607.1, ઇટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરુમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 મોતના કેસ છે. 

બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસો વધીને સાત લાખને પાર પહોંચી ગયા છે જ્યારે કુલ મૃત્યુઆંક પણ વધીને 20 હજારની ઉપર નીકળી ગયો છે. 

સ્વાસ્થ મંત્રાલયે કહ્યુ કે કોરોના સંક્રમણના કેસોને લઇને ભારતમાં સ્વાસ્થ પ્રણાલીમાં સતત સુધારો થઇ રહ્યો છે. 

July 8, 2020
corona_testing.png
1min5150

કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી ચાર લાખ કરતાં વધુ ટેસ્ટ થયાં છે જે વસતીના પ્રમાણમાં ખૂબ ઓછાં છે. દેશના મોટા રાજ્યોમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ટેસ્ટ થયાં છે પરંતુ ગુજરાતમાં ખૂબ ઓછા જોવા મળ્યાં છે. આ સરેરાશ પ્રમાણે દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ ૩૨૮૬૩ ટેસ્ટ થયાં છે જ્યારે ગુજરાતમાં ૬૨૮૯ ટેસ્ટ થયાં છે.

ગુજરાતની વસતી ૬.૭૯ કરોડ છે જેની સામે ૧૦ લાખની વસતીએ માત્ર ૬૨૮૯ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ૧.૯૮ કરોડની વસતી ધરાવતા દિલ્હીમાં કુલ ૬.૪૩ લાખ ટેસ્ટ થયાં છે. દિલ્હીમાં જુલાઇથી પ્રતિદિન ૨૦૦૦૦ જેટલા ટેસ્ટ થાય છે.

કેસ વધી રહ્યાં છતાં ટેસ્ટ નહીં ઘટાડનારા રાજ્યોમાં તામિલનાડુનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યમાં ૧.૧૧ લાખ કેસ છે પરંતુ ૧૩.૦૬ લાખ લોકોના ટેસ્ટ થયાં છે. એટલે કે ૧૦ લાખની વસતીએ ૧૬૭૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

૧૦ લાખની વસતીએ મહારાષ્ટ્ર્ર ૮૯૦૦ સાથે નવમા ક્રમે છે. આ રીતે આસામમાં ૧૩૫૦૦, રાજસ્થાનમાં ૧૨૩૦૦ પંજાબમાં ૧૧૨૦૦, હરિયાણામાં ૧૦૭૦૦, કર્ણાટકમાં ૧૦૫૦૦ કેરળમાં ૭૨૦૦, ઓરિસ્સામાં ૬૫૦૦ છત્તીસગઢમાં ૬૪૦૦ અને ગુજરાતમાં ૬૨૯૮ ટેસ્ટ થયાં છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા અને બિહારમાં ગુજરાત કરતાં ઓછા ટેસ્ટ થયાં છે .

ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થઈ રહ્યો છે તેમ છતાં રાજ્ય સરકાર કોરોનાને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ ટેસ્ટ વધારવાને બદલે ઘટાડીને કેસની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગુજરાતમાં કોરોના એટલો બધો ફેલાઈ ગયો છે કે, ઓછા ટેસ્ટમાં પણ કેસ તો વધતા જ જાય છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના ટેસ્ટમાં ગુજરાત છેક ૧૩મા સ્થાને છે. એટલે કે સૌથી ઓછા ટેસ્ટ ગુજરાતમાં થાય છે. ખાસ કરીને દિલ્હીની સાથે ગુજરાતના ટેસ્ટ જોવામાં આવે તો ૧૦ લાખની વસતીએ દિલ્હીમાં ૩૩૦૦૦ અને ગુજરાતમાં માત્ર ૬૩૦૦ ટેસ્ટ થયાં હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે.

July 6, 2020
gujarat_rain_map.jpg
1min5710

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર સક્રિય થયું છે. ઉપરાંત અન્ય સિસ્ટમ પહેલેથી જ સાયક્લોનિક સર્ક્યૂલેશન સ્વરૂપમાં સક્રિય છે. આ રીતે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે બધા જીલ્લાઓમાં આવનારા 48 કલાક એટલે કે તા.8 જુલાઇને બુધવારે રાત સુધી ભારે વરસાદની આગાહી હાલ તુરત કરી છે. જેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થશે. 8 જૂલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થશે. પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર અલર્ટ પર છે. દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં  દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં 18.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પોરબંદર અને રાણાવાવમાં 10 ઇંચ વરસાદ પડયો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હતુ અને 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમરેલીના જાફરાબાદમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ થઈ શકે છે. આજે પણ દ્વારકા અને જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને ભરૂચમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે.

Latest on CiA Live web

July 6, 2020
corona_india.jpg
1min5390

ભારત દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી એકવાર 24,000ને પાર કરી ગયો છે. સોમવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 24,248 નવા કેસ નોંધાયા હતા અને 425 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 6,97,413 કેસ નોંધાયા છે. જેમાંથી 2,53,287 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,433 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 19,693 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,555 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. જ્યારે 3,658 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,06,619 થઈ ગયો છે. તેમાંથી 86,057 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 8,822 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,11,740 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 486 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36,123 થઈ ગયો છે. જેમાંથી 8,202 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1,945 લોકોના મોત થયા છે અને 25,902 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 5 જુલાઈ સુધીમાં કોરોનાના 99,69,662 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 1,80,596 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

July 5, 2020
rain-1280x720.jpg
1min5160
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર

ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.


July 1, 2020
corona-gujarat.jpg
1min4840

ગુજરાતમાં કોરોનાની તવારિખમાં પહેલી વખત સૌથી સંક્રમિત અમદાવાદને પાછળ રાખી સુરત ટોપ ઉપર પહોંચ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૬૨૦ પોઝિટિવ કેસ મળ્યા છે અને ૨૦ કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થયા છે એમાં સુરત ૧૯૯ કેસ સાથે ટોપ ઉપર પહોંચ્યું છે અને વધુ ચાર દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૧૫ સહિત કુલ કેસ ૧૯૭ થયા છે. અલબત્ત, ચોવીસ કલાકમાં વધુ ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. સુરત પછી ધીમે ધીમે વડોદરામાં પણ સંક્રમણ બેકાબુ સ્તરે પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બાવન દર્દી પોઝિટિવ મળ્યા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદ મહાનગરમાં સૌથી વધારે ૧૮૨ કેસ મળ્યા છે એમાં પશ્ચિમ, ઉત્તરપશ્ચિમ વિસ્તારના કેસ વધારે છે જ્યારે મધ્ય ઝોનમાંથી સીંગલ ડિજીટમાં કેસ આવ્યા છે. આને પગલે હવે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયામાં દર સપ્તાહે ફેરફાર થઇ રહ્યા છે. આ જ રીતે ગ્રામ્યમાં ૧૫ કેસમાં સૌથી વધારે માંડલમાંથી ૬, સાણંદ ૪, બાવળા ૨, દસક્રોઇ, દેત્રોજ અને વિરમગામમાંથી એક એક કેસ મળ્યા છે. ગાંધીનગરમાં પણ મહાનગરમાંથી કેસ નહીવત થયા છે, પરંતુ તાલુકાઓમાં વાવોલ, સરઢવ, કોબા સહિત ગાંધીનગર તાલુકામાંથી ચાર, દહેગામમાં ૧, માણસામાં ૫ અને કલોલમાંથી ૫ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગરના બે દર્દીના મૃત્યુ થયા છે.

ઉત્તર ગુજરાતમાં જોઇએ તો પાટણમાં એક સાથે વધુ ૧૧ કેસ મળ્યા છે એમાં પાટણ નગર, સિદ્ધપુર, રાધનપુરના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોનું સંક્રમણ મળ્યું છે. મહેસાણામાં નવા ૭ કેસમાં કડી, બેચરાજી અને મહેસાણાના કેસ છે. બનાસકાંઠામાં પાલનપુરનો એક કેસ છે. સાબરકાંઠામાં પ્રાંતિજ, ઇડર અને હિમતનગરમાંથી ચાર કેસ આવ્યા છે. અરવલ્લીના મોડાસામાંથી પાંચ કેસ ઉમેરાયા છે.

વલસાડમાં ફરીથી સંક્રમણ વધ્યું હોય એમ વાપી, પારડી, વલસાડમાંથી એક સાથે વીસ કેસ ઉમેરાયા છે. ભરૂચમાં જંબુસર, ઝગડિયા, વાગરામાંથી આઠ કેસ મળ્યા છે. ખેડા-આણંદમાં બાલાસિનોર, ખંભાત, નડીયાદ, ઉમરેઠ, ડાકોર જેવા વિસ્તારોમાં હવે સંક્રમણ પહોંચી ગયું છે.

અન્ય મહાનગરો, જિલ્લાની સ્થિતિ જોઇએ તો જામનગર કુલ ૧૮ કેસ, ગાંધીનગરમાં ૧૬ નવા કેસ અને ૨ દર્દીના મૃત્યુ, જૂનાગઢમાં કુલ ૭ કેસ અને એક દર્દીનું મૃત્યુ, ભાવનગર અને રાજકોટમાં અનુક્રમે કુલ કેસ આઠ અને છ નોંધાયા છે. જિલ્લાઓમાં ફરીથી વલસાડમાં ૨૦ નવા કેસ સાથે સ્થિતિ વધારે બગડી રહી છે. આ સિવાય આણંદમાં ૧૪, પાટણ ૧૧ અને એક મૃત્યુ, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, ખેડા ૬, અરવલ્લી અને પંચમહાલ ૫-૫, બનાસકાંઠા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ૪-૪,  ગીરસોમનાથ, પોરબંદર, અમરેલીમાં ૩-૩, મહીસાગર, નવસારી, મોરબીમાં ૨-૨ કેસ મળ્યા છે જ્યારે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને અન્ય રાજ્યના એક એક કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર શહેર ઉપરાંત પાટડી અને ધ્રાંગધ્રામાંથી નવા ચાર કેસ, બોટાદમાંથી ચાર, અમરેલીમાં સાવરકુંડલામાંથી મળી ત્રણ કેસ, રાજકોટમાં ધોરાજીમાંથી એક કેસ, મહાનગરમાંથી પાંચ કેસ મળ્યા છે. જામનગર મહાનગરામાંથી પંદર કેસ મળતાં ચકચાર મચી ગઇ છે એની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના ત્રણ કેસ આવ્યા છે. જૂનાગઢમાં એકાએક સંક્રમણે માથુ ઉચક્યું છે મહાનગરમાંથી વધુ પાંચ કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એક નવો કેસ આવ્યો છે. ભાવનગરમાંથી પાંચ અને ગ્રામ્યના ત્રણ કેસ નવા ઉમેરાયા છે.

આમ, રાજ્યમાં કુલ કેસ આ સાથે રાજ્યના કુલ કેસનો આંક વધીને ૩૨૬૪૩ થયો છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૬૧૯ ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૨૩૬૭૦ થઇ છે. ૧૮૪૮ દર્દીના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાયા છે. હાલ એક્ટિવ કેસનો આંક ૬૯૨૮ થયો છે એમાં ૭૧ વેન્ટીલેટર ઉપર છે અને ૬૮૫૭ સ્ટેબલ છે.

July 1, 2020
coronaupdate.jpg
1min4640

કોરોના વાયરસ (COVID-19)નો કહેર દેશમાં દરરોજ વધતો જ જાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે. કોરોનાને લીધે મૃત્યુ પામનારા આંકડાઓએ ચિંતામાં વધારો કર્યો છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 12,656 લોકો સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,85,493 થઈ ગઈ છે. જેમાંથી 2,20,114 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં દેશમાં 17,400 લોકોએ કોરાનાને લીધે જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ, 3,47,979 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 4,878 નવા કેસ નોંધાયા છે અને 245 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,74,761 થઈ ગઈ છે. જેમાંથી 75,995 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી 7,855 લોકોના મોત થયા છે. જ્યારે 90,911 લોકો સારવાર બાદ સાજા થયા છે. જેમાંથી 1,951 લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના સામે વિજય મેળવ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો 17,000ને પાર કરી ગયો છે. તેમાંથી સૌથી વધુ લોકો મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં વધી રહેલા આંકડા ચિંતાનુ કારણ છે.

ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા ચાર દિવસથી કોરોના સંક્રમિતોનો આંકડો 600ને પાર કરી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોનાના 620 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીઓના મોત થયા હતા. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 424 દર્દીઓ સારવાર બાદ સાજા થયા હતા. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 32,446 કેસ નોંધાયા છે અને 1,848 લોકોનું મૃત્યુ થયું છે. તેમજ કુલ 6,928 કેસ એક્ટિવ છે. જ્યારે 23,670 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

June 30, 2020
covaxin.jpg
2min9750

कोरोना वायरस के गंभीर संकट के बीच एक अच्छी खबर है. यह खबर कोरोना के वैक्सीन से जुड़ी है. भारत में कोविड-19 की पहली वैक्सीन कोवैक्सीन तैयार कर ली गई है. इसे भारत बायोटेक ने बनाया है. खुशखबरी यह है कि इस वैक्सीन को इंसानों पर आजमाने (ह्यूमन ट्रायल) की अनुमति मिल गई है. भारत बायोटेक को सोमवार 29 June 2020 को यह अनुमति ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया (डीसीजीआई) ने दी है.

बता दें, भारत बायोटेक हैदराबाद की फार्मा कंपनी है, जिसने कोविड की वैक्सीन बनाने का दावा किया है. कंपनी का कहना है कि ‘कोवैक्सीन’ के फेज-1 और फेज-2 के ह्यूमन ट्रायल के लिए उसे डीसीजीआई से हरी झंडी भी मिल गई है. कंपनी ने यह भी कहा है कि ट्रायल का काम जुलाई के पहले हफ्ते में शुरू किया जाएगा. भारत बायोटेक का वैक्सीन बनाने में पुराना अनुभव है. इससे पहले कंपनी ने पोलियो, रेबीज, रोटावायरस, जापानी इनसेफ्लाइटिस, चिकनगुनिया और जिका वायरस के लिए भी वैक्सीन बनाई है.

Corona से जुड़े SARS-CoV-2 स्ट्रेन को पुणे स्थित नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी (एनआईवी) में अलग किया गया था. इसके बाद स्ट्रेन को भारत बायोटेक को ट्रांसफर कर दिया गया. कोवैक्सीन पहली देसी वैक्सीन है, जिसे भारत बायोटेक ने तैयार की है. हैदराबाद की जिनोम वैली में अति सुरक्षित लैब की बीएसएल-3 (बायोसेफ्टी लेवल 3) में इसे बनाया गया है.

Covaxin

कंपनी ने प्री-क्लिनिकल स्टडीज और इम्यून रेस्पॉन्स की रिपोर्ट सरकार के पास जमा कराई है. इसके बाद डीसीजीआई और Health Department ने ह्यूमन ट्रायल के फेज-1 और फेज-2 की अनुमति दी है. इसके साथ ही पूरे देश में जुलाई महीने में इस वैक्सीन का ट्रायल शुरू होने जा रहा है.

कोवैक्सीन भारत में बनाई गई पहली वैक्सीन है. इसे तैयार करने में आईसीएमआर और एनआईवी ने बड़ी भूमिका निभाई है. डीसीजीआई ने ट्रायल की मंजूरी मिलने में अहम रोल अदा किया है. भारत बायोटेक के अध्यक्ष और प्रबंध निदेशक डॉ. कृष्णा एल्ला के मुताबिक, रिसर्च एंड डेवेलपमेंट (आरएंडडी) टीम के अथक प्रयासों का ही नतीजा है कि यह काम सार्थक हो पाया है.

भारत बायोटेकने ट्वीट करके जानकारी दी

दूरदर्शनने भी ट्वीट कीया