CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 39 of 41 - CIA Live

October 4, 2018
meclean.jpg
1min6440

દારુ પીવાના શોખીન લોકોને આંચકો લાગે એટલા ભાવની વ્હીસ્કીની એક બોટલના વેચાણના સમાચારે સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવી છે. એવા સમાચાર એટલા વાઇરલ થયા છે કે 1926માં એડિનબર્ગ (યુરોપ)માં બનેલી અને અત્યાર સુધી વ્યવસ્થિત રીતે સંગ્રહી રાખવામાં આવેલી વ્હીસ્કીની એક બોટલ જેનું નામ મેકલિન છે એની કિંમત ભારતીય ચલણ મુજબ રૂ.8.57 કરોડ થવા જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ લિમીટેડ એડિશનની વિશ્વનમાં સૌથી મોંઘીદાટ બોટલને ખરીદવા માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે.

૧૯૨૬માં એડિનબર્ગની મૅકૅલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બૉટલ એકદમ લિમિટેડ એડિશન હતી

whisky

સ્કૉટલૅન્ડના એડિનબર્ગ શહેરમાં જૂનાં અને અલભ્ય આલ્કોહૉલિક પીણાંના ઑક્શનમાં એક વ્હિસ્કીની બૉટલે કરોડો રૂપિયામાં વેચાઈને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ૧૯૨૬માં એડિનબર્ગની મૅકૅલન ડિસ્ટિલરીમાં બનેલી આ ખાસ વ્હિસ્કીની બૉટલ એકદમ લિમિટેડ એડિશન હતી. આ પ્રકારની વ્હિસ્કીની માત્ર ૧૨ જ બૉટલ બની હતી. એમાંથી એક બૉટલ બોન્હેમ્સ વ્હિસ્કી ઑક્શન કંપની દ્વારા ૮૬,૩૬,૨૫૦ હૉન્ગકૉન્ગ ડૉલર એટલે કે આશરે ૮.૫૭ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.

September 29, 2018
st2.png
1min18670

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ટેક્સટાઇલ બિઝનેસમાં હિન્દીભાષીઓનું વર્ચસ્વ ઘટાડવા માટે નવી ધરી બની, નામ છે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન

કેન્દ્રીય મંત્રી અને સુરતને કર્મભૂમિ બનાવનાર લાખો સૌરાષ્ટ્રવાસીઓના હામી એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે તા.29મી સપ્ટેમ્બર 2018ના રોજ સુરત આવ્યા છે અને સાંજે 4 વાગ્યે એક એવા સંગઠનને લોંચ કરી રહ્યા છે જે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ધરી ઉભી કરશે. હાલમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોટેભાગે હિન્દીભાષી, ઉત્તરભારતીયો, રાજસ્થાની વેપારીઓના હાથમાં છે. સ્થાનિક સુરતીઓ તો પહેલેથી જ આ ઉદ્યોગમાં લઘુમતિમાં છે, સ્થાનિક સુરતીઓ કરતા વધુ સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી વ્યાપારીઓ, વિવર્સ વગેરે છે. આવી સ્થિતિમાં હવે સૌરાષ્ટ્રવાસીઓએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતીઓના નેજા હેઠળ એક અલગ ચોકો બનાવ્યો છે અને તેનું ઉદઘાટન મનસુખ માંડવીયા કરવાના છે.

સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનની રચનાને ભાજપી નેતાઓ તેમજ ભાજપા સંગઠનના છૂપા આશીર્વાદ પણ છે. ભાજપાના કેટલાક હિન્દી ભાષી નેતાઓ ફક્તને ફક્ત ટેક્સટાઇલ ઉદ્યોગના જોરે, ટેક્સટાઇલ વ્યાપારીઓની સંખ્યાના આધારે પોલિટીકલ માઇલેજ મેળવી જતા હોય છે. આ બાબતને કટટુ સાઇઝ કરવા માટે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલમાં ટેક્સટાઇલ વ્યાપારીઓ, વિવર્સના અનેક સંગઠનોમાં વરાછાવાસીઓને પ્રતિનિધિત્વ નહીં મળતું હોવા ઉપરાંત જ્યારે પ્રશ્નો સર્જાય રહ્યા છે ત્યારે હિન્દીભાષીઓ એકત્રિત થઇ જતા હોવાના કિસ્સાઓને પગલે સ્થાનિક સૌરાષ્ટ્રવાસીઓએ ટેક્સટાઇલ ટ્રેડર્સનો અલગ ચોકો ઉભો કરવાની જરૂરીયાત પર અમલ કરીને નવું એસોસીએશન જ બનાવી દીધું છે.

આ રહ્યું ઉદઘાટનનું આમંત્રણ કાર્ડ

 

 

 

 

September 18, 2018
robo1.jpg
1min17490

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ૨૦૨૫ સુધીમાં માણસ કરતા મશીન વધુ માત્રામાં કાર્યરત હશે. ૨૦૨૫ સુધીમાં માણસનું બાવન ટકા કામ રૉબૉ દ્વારા થતું હશે એમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અભ્યાસમાં બહાર આવ્યું છે.માણસે મશીન સાથે કામ કરવા તેના કૌશલ્યની ગતિ પણ તેજ કરવી પડશે. મશીન તથા કમ્પ્યુટર પ્રોગ્રામ અનુસાર ચાલતી સિસ્ટમને સંચાલિત કરવા માણસે શીખવું પડશે. સ્વિટ્ઝર્લેન્ડના બિનનફાકારક સંગઠને જણાવ્યા મુજબ હાલમાં ૨૯ ટકા મશીન માણસનું કાર્યક્ષેત્ર સંભાળી રહ્યું છે જે ૨૦૨૫ સુધીમાં બાવન ટકાએ પહોંચશે. જ્યારે કમ્પ્યુટરની બદલાઈ રહેલી શૈલી, સિસ્ટમ, અલ્ગોરિધમ અને પ્રોસેસ અંગેની ટેકનિક અને સમસ્યાના નિવારણ માટે ૧૩.૩ કરોડ કાર્યકુશળ લોકોની જરૂર ઊભી થશે જે લક્ષ્યાંક ૨૦૨૨ સુધીમાં પૂરો કરવાની જરૂરિયાત હોવાનું પણ સંગઠન તરફથી જણાવવામાં આવ્યું છે. જિનિવા સ્થિત ડબલ્યુઈએફ સંસ્થા સાથે વિશ્ર્વની મહાન હસ્તિઓ સંકળાયેલી છે. ડબલ્યુઈએફના અભ્યાસ મુજબ સેક્રેટરિયલ સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ક્ષેત્રે, ક્લાયન્ટ મેનેજમેન્ટ તથા અકાઉન્ટિંગ ક્ષેત્રે માણસની જગ્યાએ રોબો ગોઠવાશે. જ્યારે વેચાણ, માર્કેટિંગ, કસ્ટમર સર્વિસ તથા ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે માનવીય કૌશલ્યની જરૂરિયાત રહેશે.ક્રિયેટીવિટી, ક્રિટીકલ થિકિંગ અને પર્સ્યુએશન ક્ષેત્રે માણસે સતત અપડેટ રહેવાની જરૂર ઊભી થશે.

 

 

ડબલ્યુઈએફના અભ્યાસ મુજબ અત્યારથી શરૂ કરી ૨૦૨૨ સુધીમાં એવિયેશન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં પ્રવ્ાૃત્ત માનવીય કૌશલ્યએ તેમની શીખવાની અને ગ્રહણ કરવાની આવડતને જાળવી રાખવી પડશે. ઉપરાંત સતત માહિતગાર પણ રહેવું પડશે.

માનવ કૌશલ્ય પર રોબોની તરાપ અંગેની સમસ્યાને પહોંચી વળવા અને માનવ સમુદાયની સલામતી અને આજીવિકા અંગે પગલા ભરવા સરકારને કટિબદ્ધ થવા પણ અનુરોધ કરવામાં આવ્યો હોવાનું ડબલ્યુઈએફના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

September 15, 2018
bamboo.jpg
1min14040

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

ખાણી-પીણીથી લઇને વસવાટમાં ઇનશોર્ટ કહો કે બધેબધ ગ્રીન કન્સેપ્ટની બોલબાલો, વ્યાપ-વિસ્તાર વધી રહ્યો છે તો કાપડ ઉદ્યોગ કેમ આમાથી બાકાત રહે. ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રનું નામ આવે તો સુરતનું નામ કેમ પહેલા ન લેવાય. સાડી ઉત્પાદનમાં સમગ્ર વિશ્વભરમાં નામના ધરાવતા સુરતમાં કાપડ ઉત્પાદનમાં હવે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સની એન્ટ્રી થઇ ચૂકી છે અને હાલ સાડી તેમજ ડ્રેસ મટિરિયલ્સનું ઉત્પાદન થઇ રહ્યું છે, સાથોસાથ શર્ટિંગમાં પણ ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક્સનું ઉત્પાદન તબક્કાવાર વધી રહ્યું છે.

શું છે ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક

ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક એટલે બામ્બુ ફાઇબરમાંથી બનતું યાર્ન અને એ યાર્નમાંથી ઉત્પાદિત કરવામાં આવતા ફેબ્રિકને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહે છે. બામ્બુના ઝાડ જેવા કુદરતિ સ્ત્રોતમાંથી બની રહેલા આ યાર્નમાંથી બનતા કાપડને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેની વ્યાખ્યા આ પ્રકારે કરવામાં આવી રહી છે. બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતા ફેબ્રિક્સને ગ્રીન કન્સેપ્ટ ફેબ્રિક કે ઇકો ફ્રેન્ડલી પણ કહેવામાં આવે છે.

Bamboo fibre is a regenerated cellulosic fibre produced from bamboo. Starchy pulp is produced from bamboo stems and leaves through a process of alkaline hydrolysis and multi-phase bleaching. Further chemical processes produce bamboo fibre.

(ઉપરોક્ત પ્રોસેસથી બને છે બામ્બુના વાંસમાંથી કાપડ)

સુરતના કેટલાક ટેક્સટાઇલ ઉદ્યોગકારો હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફાઇબર ટુ ફેબ્રિક સ્ટેટસ પરથી ફાઇબર ટુ ફેશન તરફ લઇ જઇ રહ્યા છે. સુરતમાં બનતું કાપડ સીધું જ વસ્ત્ર તરીકે પહેરી શકાય તેવું ફક્ત સાડીના કહી શકાય. સુરતમાં બનતી સાડીઓ મોટે ભાગે સુરતમાં ઓછી પહેરાય ભારતના અન્ય ક્ષેત્રોમાં વધુ પહેરાય છે. પણ હવે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ સુરતના મહિલાઓ ખાસ કરીને વર્કિંગ વુમન માટે સાડીની પ્રીમિયમ પ્રોડેક્ટ લોંચ કરવાની તૈયારી કરી છે અને આ પ્રીમિયમ સાડીઓ બની રહી છે બામ્બુ ફાઇબરમાંથી.

બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે

બામ્બુ ફાઇબર આમ તો દાયકાઓ જૂનું છે પણ સુરતના કેટલાક સાડી ઉત્પાદકો આને નવા ફોર્મેટમાં, નવા યાર્ન-ફાઇબર, બામ્બુ ફાઇબરની મદદથી પ્રીમિયમ પ્રોડેક્ટસ સાડીઓ બનાવી રહ્યા છે. બામ્બુ ફાઇબરમાંથી બનાવેલા યાર્નની ક્વોલિટી ઉંચી છે અને પરીણામે તેમાંથી આકાર પામતા ફેબ્રિક પર ને જોતા જ શાઇનિંગ તેમજ દેખાવ તો આકર્ષક લાગે છે, પણ આ ફેબ્રિક્સને ટચ કરતા એ હાઇક્વોલિટી હોવાનો અહેસાસ પણ કરાવે છે આથી ગુજરાત અને આસામમાં બામ્બુ ફાઇબરના યાર્નમાંથી બનતી સાડીઓને પ્રીમિયમ રેન્જમાં મૂકીને ઉંચી કિંમતે વેચાઇ રહી છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો બામ્બુ ફાઇબર યાર્નની હાઇક્વોલિટીને લીધે કોટન, સિલ્ક અને અન્ય યાર્નની સાથે સમગ્ર બિઝનેસને ડાઇવર્સિફીકેશન મળે તે માટે બામ્બુ યાર્ન ઉમેરીને સાડી બનાવી રહ્યા છે. જાણકારો માને છે કે બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ સમગ્ર સાડી રિલેટેડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ પૂરશે.

એવું નથી કે સુરતમાં ફક્ત સાડીઓ બનાવવામાં જ બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડીઓ જ બની રહી છે, કેટલાક ઉદ્યોગકારો ડ્રેસ મટિરિયલ્સમાં પણ બામ્બુ ફિલામેન્ટ-યાર્નનો વપરાશ ઉપયોગ કરી રહ્યા છે. બામ્બુ યાર્ન શાઇનિંગ આપતું યાર્ન હોવાથી ડ્રેસ મટિરિયલ ઉત્પાદકો તેના તરફ વળી રહ્યા છે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી બનતી સાડીઓની કોસ્ટ રૂ.1400થી શરૂ કરીને રૂ.12000 જેટલી થવા જાય છે. બામ્બુ યાર્નમાંથી બનતી સાડીઓ ઉપરાંત બામ્બુ સિલ્કની પણ સાડીઓ બની રહી છે. જાણકારો કહે છે કે બામ્બુ યાર્નમાંથી બનતા ફેબ્રિક્સની ફેશન ઝડપથી વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં એ પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં જોવા મળશે.

બામ્બુ ફાઇબર યાર્નમાંથી સાડી, ડ્રેસ મટિરિયલ્સ કે શર્ટ્સ આગામી દિવસોમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફેશન સિમ્બોલ તરીકે જોવા મળે તેટલો ગ્રોથ આ સેગમેન્ટમાં હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે.

 

રસપ્રદ સમાચારો સતત મેળવવા માટે તમે ગુગલ પ્લે સ્ટોર Google Play Store પરથી પણ અમારી એપ ડાઉનલોડ કરી શકો

 

September 10, 2018
petrolvsdesalcr-1280x720.jpg
1min10920

એક સમયે ભારતમાં વેચાતી લગભગ 50 ટકા કાર ડીઝલ આધારિત હોતી હતી, પરંતુ, હવે સિનારીયો સંપૂર્ણપણે બદલાય જવા પામ્યો છે. ડીઝલ અને પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત સતત ઘટ્યો હોવાથી તેમજ તાજેતરમાં સરકાર અને અદાલતોએ ડીઝલ વાહનો સામે આકરા પગલાં ભરવાના નિર્ણયો લીધા હોવાથી કાર ખરીદદારોમાં ડીઝલ કાર ખરીદવાનું આકર્ષણ ઘટી રહ્યું છે. ઉપરાંત, 2020માં BS-VI એમિશન સ્ટાન્ડર્ડ્ઝ લાગુ થશે એટલે ડીઝલ વાહનોની માંગ પર વધુ અસર પડવાની સંભાવના છે.

એપ્રિલ 2017થી માર્ચ 2018 વચ્ચેના નાણાકીય વર્ષમાં ભારતમાં વેચાયેલી કુલ કારની સંખ્યામાં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો ઘટીને 23 ટકા થયો હતો અને એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં તે વધુ ઘટીને 22.5 ટકા થઈ ગયો હતો.

નાણાકીય વર્ષ 2012-’13માં ડીઝલ સંચાલિત કારનો હિસ્સો 47 ટકા હતો. ઓટોજગતનાં નિષ્ણાતોનું કહેવું છે કે, ડીઝલ કારનો હિસ્સો હજુ ઘટશે અને માર્ચ-2019 સુધીમાં તેનો હિસ્સો કુલ કાર વેચાણમાં 20 ટકાથી પણ નીચો જશે અને એક દાયકાના તળિયે પહોંચશે. યુટિલિટી વ્હિકલ સેગમેન્ટમાં ડીઝલ સૌથી ઈચ્છનીય ફ્યુઅલ ઓપ્શન ગણાય છે અને આ સેગમેન્ટમાં પણ તેનો હિસ્સો હવે 84 ટકા થયો છે, જે 2012-’13માં 97 ટકા હતો. પેસેન્જર વ્હિકલ (કાર, યુટિલિટી વ્હિકલ્સ, વાન) સેગમેન્ટમાં 2017-’18માં વેચાયેલા નવા વાહનોમાં પેટ્રોલ એન્જિનનો હિસ્સો 62 ટકા જેટલો ઊંચો હતો જે પાંચ વર્ષ પહેલાં 42 ટકા નીચો હતો.

જૂન-2012માં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત ₹28 જેટલો ઊંચો હતો પણ આજની તારીખમાં બંને ઈંધણના ભાવ વચ્ચેનો તફાવત માત્ર ₹7.50ની આસપાસ છે. બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં મોટા કદનાં ડીઝલ-સંચાલિત પેસેન્જર વ્હિકલ્સના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આગામી મહિનાઓમાં સેડાન અને હેચબેક સેગમેન્ટમાં પણ પેટ્રોલ વાહનોની માંગ વધશે તેવી શક્યતા છે.”

 

 

Please contact for any news, event coverage 98253 44944

September 9, 2018
callcenter.jpg
1min8090
અમદાવાદના પાંચ કોલ સેન્ટર લાખો ડૉલરના કૌભાંડ સામેલ: 15 જણ પર દોષારોપણ: સેંકડો અમેરિકન સાથે છેતરપિંડી

અમેરિકાના 2,000 જેટલા નાગરિકની સાથે 55 લાખ ડૉલરથી વધુની છેતરપિંડી કરવા બદલ અમદાવાદના પાંચ કૉલ સૅન્ટર અને સાત સહ-આરોપી સહિત 15 જણ પર તહોમત મુકાયું છે.

ભારતના જે પાંચ કૉલ સૅન્ટર પર આરોપ મુકાયો છે તેમાં ઍક્સલન્ટ સૉલ્યુશન્સ બીપીઓ, એડીએન ઇન્ફૉટેક પ્રાઇવૅટ લિમિટૅડ, ઇન્ફૉએસ બીપીઓ સૉલ્યુશન્સ પ્રાઇવૅટ લિમિટૅડ, એડાઇન્ફૉસૉર્સ, આઇએનસી અને ઝુરિક બીપીઓ સર્વિસીસ પ્રાઇવૅટ લિમિટૅડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જે 15 જણ પર દોષારોપણ કરાયું છે તેમાં નીરવ જનકભાઇ પંચાલ, પલકકુમાર પટેલ, શૈલેશકુમાર શર્મા, દિલીપકુમાર કોડવિની, રાધીશરાજ નટરાજન, શુભમ શર્મા, પરવેઝ મનસૂરી, મહંમદ સમીર મેમણ, રોડ્રિગ્સ લિયોન-કાસ્ટિલો, ડેવિન બ્રેડફૉર્ડ પોપ, નિકોલસ એલેક્ઝાન્ડર ડીન, ડ્રુ કેઇલ રિગીન્સ અને જેન્ટ્ઝ પેરિશ મિલરનો સમાવેશ થાય છે.

અમેરિકાના એટર્ની બિંગ જે. પાકે જણાવ્યું હતું કે આ આરોપી પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસના અધિકારી ગણાવતા હતા અથવા વ્યક્તિગત કરજ (પૅડૅ લૉન)ની ઑફર કરતા હતા. બાદમાં, તેઓ અમેરિકી નાગરિકોને ધરપકડ અને સજાની ધમકી આપીને સરકારને દંડની રકમ આપવા કહેતા હતા, પરંતુ તે રકમ પોતાના ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. ટ્રૅઝરી ઇન્સ્પેક્ટર જનરલ ફૉર ટૅક્સ ઍડમિનિસ્ટ્રૅશન જેય રસેલ જ્યોર્જે જણાવ્યું હતું કે હું આ કૌભાંડ પકડનારી મારી તપાસ ટુકડીને અભિનંદન આપું છું. અમદાવાદના કૉલ સૅન્ટરમાંથી અમેરિકા ખાતે ફૉન કરીને પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રૅશન સર્વિસીસના અધિકારી ગણાવતા હતા. અમુક વખત સામી વ્યક્તિને લૉનની ઑફર પણ કરાતી હતી અને બાદમાં ધરપકડ અને જેલની ધમકી આપીને કહેવાતા સરકારી કરવેરા પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. આ રકમ પડાવવા પ્રીપૅડ ડૅબિટ કાર્ડ ખરીદવા કે મનીગ્રામ અને વેસ્ટર્ન યુનિયન સહિતના વિવિધ માધ્યમથી વાયર ટ્રાન્સફર કરવા સૂચના અપાતી હતી.

અમેરિકામાંથી આ કૌભાંડના સંબંધમાં સાત જણની ગુરુવારે ધરપકડ કરાઇ હતી.

 

September 5, 2018
funds.jpg
1min5390

મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.

સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું

સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.

September 5, 2018
HDFCergo-1.jpg
2min8800

Jayesh Brahmbhatt  98253 44944

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે. તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.

આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે. તેના હેઠળ સમ એસ્યોર્ડ ₹50,000થી લઈને એક કરોડ સુધી છે. ₹50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ ₹1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ ₹25,198 છે. સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

એચડીએફસી અર્ગોના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભારત બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે અને જોરદાર વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે સાથે સાયબર રિસ્ક અને ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે. સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

 

E@Secure Insurance Policy

The word INTERNET has turned our existence upside down. It has changed the way we work, socialize, create and share information and organize the flow of people, ideas, and things around the globe. Today, we spend much of our time on the internet surfing, shopping, sharing and even meeting new people. There is no doubt that internet has given us convenience and improved our life enormously, but at the same time it has also proven as a dangerous place which exposes us to the risks that exist in cyber space, such as the risk of damage to your e-reputation, fraudulent transactions with your credit cards, debit cards, theft of your personal information, etc.

HDFC ERGO brings to you E@Secure Insurance, a product designed to provide protection to individual customers in the event of online breach (arising directly from the use of internet) by the third parties resulting due to covered risk.

Key Features

  • Protection against cyber risks and frauds carried out from any device anywhere in the world
  • Coverage for entire family including spouse, 2 dependent children (no age limit)
  • Pays for legal advice and covers legal cost / expenses arising out of any covered risks
  • Covers unauthorized online transactions
  • Covers loss due to phishing and email spoofing
  • Covers online reputation & identity theft
  • Covers cyber bullying, internet trolling & harassment
  • Covers loss due to E-extortion
  • Covers cost for consulting psychologist
  • Various pre-determined limits to choose from

 

September 4, 2018
SS_Logo_Blue-1280x986.png
1min13920

 

અત્યાર સુધી એવું નોંધવામાં આવ્યું છે કે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ સારી રીતે પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દીનો નિર્ણય લેવામાં ભારે મૂંઝવણ અનુભવતા હોય કેમકે તેમની પાસે કોલેજમાં કેવી રીતે, કયા કોર્સમાં અભ્યાસ કરવો તેની કોઇ જ જાણકારી હોતી નથી. પરીણામે છેલ્લી ઘડીએ જ્યાં મળે ત્યાં ઉતાવળે નિર્ણય લઈને સચોટ નિર્ણય લઇ શકાતો નથી.

બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કઇ કઇ મૂંઝવણો અનુભવે છે એના પર નજર કરીએ તો…

તેમની પાસે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની કોઇ જ માહિતી ઉપલબ્ધ હોતી નથી. જે હોય તે પ્રાથમિક અને આઉટ ડેટેડ હોય છે.

તેમની પાસે પ્રવેશ પરીક્ષાઓ અંગેની 90 ટકા માહિતી હોતી જ નથી.

તેમને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષા પહેલા ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તેવી ખબર હોતી નથી.

તેઓ હાઇલી વોકેશનલ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં નોંધણીની મુદતથી વાકેફ હોતા નથી.

તેમને કેવા પ્રકારના દસ્તાવેજો ક્યાંથી મેળવવા તે અંગેની જાણકારી હોતી નથી.

મેરીટ પ્રીપેરેશન કેવી રીતે થાય તે અંગે તેમની પાસે કોઇ જ જાણકારી હોતી નથી.

તેમને ખબર હોતી નથી કે ક્વોલિફાઇંગ માર્કસ અને મેરીટ વચ્ચે શું તફાવત હોય.

તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે પરીણામ પહેલા અને પરીણામ પછી કયા અને કેટલા ફોર્મ ભરવાના હોય.

તેમને જાણકારી હોતી નથી કે સ્કોલરશીપ કેવી રીતે મેળવી શકાય, અગર તો પોતાને મળવાપાત્ર છે કે નહીં.

આવી અસંખ્યા બાબતોથી વાકેફ નહીં હોય તેવા વાલીઓ માટે શિક્ષણ સર્વદાએ મોબાઇલ એલર્ટ સિસ્ટમ લોંચ કરી છે. જેમાં પ્રતિ દિન રૂ.1ની નજીવા દરે બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને મહત્વની જાણકારીઓ પરીણામ આવે એ દિવસ સુધી મળતી રહેશે.

વહેલો તે પહેલાના ધોરણે આ યોજનામાં સમાવેશ કરાશે.

યોજનાનો ચાર્જ પ્રતિ મોબાઇલ નંબર રૂ.200 છે જે બોર્ડના પરીણામની ઘોષણા સુધીની મુદત માટેનો રહેશે.

આ યોજનામાં જોડાવા માટે 98253 44944 પર મેસેજ કરો. અગર તો નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો.

Paytm પેટીએમથી ચૂકવણી માટેનો નંબર 98253 44944

https://chat.whatsapp.com/1m37dIlbbVS1aauncRfaNP

 

 

September 3, 2018
mundan.jpg
1min6810

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.