CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 27 of 41 - CIA Live

June 1, 2019
farming.jpg
1min6780

બીજા કાર્યકાળની પહેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે બધા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળશે, તે ઉપરાંત ખેડૂતો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ કિસાન યોજના પહેલા માત્ર લઘુ અને સીમાંત ખેડૂતો માટે હતી.

મોદી સરકારે વચગાળાના બજેટમાં કરેલી જાહેરાત પ્રમાણેઅત્યાર સુધી હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. ભાજપે તેના ચૂંટણી ઢઢેરામાં આ વાયદો કર્યો હતો. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે હવે આ સ્કીમથી 14.5 કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. કેબિનેટે બીજો નિર્ણય નવા લોકસભા સત્રને લઈને કર્યો છે. આ બજેટ સત્ર હશેજે 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલી શકે છે. આ સત્ર દરમિયાન જૂલાઈ એ બજેટ રજૂ કરવામાં આવશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે.

આ અંગે તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

પરંતુ ભાજપે પોતાના ચૂંટણી સંકલ્પ પત્રમાં આ યોજનામાં બધા ખેડૂતોને સામેલ કરવાનું વચન આપ્યું હતું, જેના પર પહેલી કેબિનેટ મીટિંગમાં મહોર લગાવી દેવાઈ. આ યોજનાનો દેશના 14.5 કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે. તે ઉપરાંત 17 જૂનથી સંસદ સત્ર બોલાવવાનો નિર્ણય કરાયો છે, જે 26 જુલાઈ સુધી ચાલશે. 5 જુલાઈએ બજેટ રજૂ કરાશે.

May 29, 2019
fire_safty.jpg
1min6810

સ્કુલ્સ અને ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી માટે બેદરકારી દાખવાય છે, તેના સેંકડો પુરાવા મળ્યાં છે. હોસ્પિટલ્સ અને તે પણ શહેરની ટોચની હોસ્પિટલ્સ પણ આ દિશામાં સદંતર બેદરકાર જણાઈ છે. મંગળવારે 29 May 2019 પાલિકાએ આવી 40 ટોચની હોસ્પિટલ્સને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ છે. જો સપ્તાહમાં કોઈ દરકાર નહીં લેવાય તો પાણીનું કનેક્શન કાપી નાંખવા માટેની ચિમકી આપવામાં આવી છે.

ફાયર બ્રિગેડે કહ્યું હતું કે, શહેરની જાણીતી હોસ્પિટલ્સ જેમાં યુનિક હોસ્પિટલ, ટ્રાઈસ્ટાર હોસ્પિટલ, ગિરીશ ગ્રુપ હોસ્પિટલ, બી.ડી.મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, બાપ્સ હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ, યુનિક હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, નુપુર નર્સિંગ હોમ જેવી કુલ 40 હોસ્પિટલ્સને ગત એપ્રિલ મહિનામાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ હોસ્પિટલ્સ હજુ તેમાં આળસ દાખવી રહી છે. જોકે, હવે તેમની આળસને નહીં બક્ષવામાં આવે. તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. જો તેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહીં કરે તો આ તમામ 40 હોસ્પિટલ્સના પાણીના જોડાણ કાપી નાંખવામાં આવશે. તેવી આખરી મહેતલ આપવામાં આવી છે.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min5860

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 29, 2019
trafficeineverest.jpg
1min7370

એવરેસ્ટના ‘ટ્રાફિકજામ’માંથી બચી જનાર અમીશા ચૌહાણ હાલમાં ફ્રોસ્ટ બાઇટને કારણે હૉસ્પિટલમાં છે, તેણે જણાવ્યું હતું કે જે લોકો પાસે પર્વત ચઢવા અંગેનું મૂળભૂત કૌશલ્ય ના હોય તેવા લોકોને વિશ્ર્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાની મંજૂરી નહીં આપવી જોઇએ, જેથી આ વર્ષ જેવી ‘ટ્રાફિકજામ’ની સમસ્યા ના સર્જાય.

બે અઠવાડિયાથી ઓછા સમયમાં પર્વત પર ખરાબ હવામાનને કારણે 10 જણનાં મૃત્યુ થયાં છે. પર્વતારોહકોને લાંબા સમય સુધી ઑક્સિજન ખલાસ થઇ જવાના ભય હેઠળ શિખર પર રાહ જોવી પડી હતી અને અથાગ થાકના ભોગ બનવું પડ્યું હતું.

‘આ સિઝનમાં નેપાળે વિક્રમી 381 ઍવરેસ્ટ પરમિટ જારી કરી હતી. કેટલાય પર્વતારોહક એવા હતા કે જેમણે પર્વતારોહણની યોગ્ય તાલીમ જ નહોતી લીધી. તેઓ નબળા નિર્ણય લેતા હતા, જેને કારણે તેમની પોતાની અને તેમના માર્ગદર્શક અને ભોમિયા શેરપાઓની જિંદગી પણ જોખમમાં મુકાઇ ગઇ હતી,’ એમ ચૌહાણે જણાવ્યું હતું.

અમીશા ચૌહાણને 8,848 મીટર (29,029 ફૂટ) ઊંચા શિખર પરથી નીચે આવવા માટે 20 મિનિટ રાહ જોવી પડી હતી, પરંતુ કેટલાક લોકો તો કલાક સુધી અટવાઇ ગયા હતા.

કેટલાક પર્વતારોહકો શેરપા ભોમિયાઓ પર જ આધાર રાખતા હતા. સરકારે પર્વતારોહણ માટે કેટલાક નિયમો બનાવવા જોઇએ અને ફક્ત કુશળ તાલીમ પામેલા પર્વતારોહકોને જ પરમિટ આપવી જોઇએ. આ વર્ષે હિમાલયના અન્ય શિખર પર નવ પર્વતારોહકનાં મૃત્યુ થયાં છે અને એક જણ ગુમ થયો છે.

નેપાળ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઍવરેસ્ટ પર આ વર્ષે જરૂર કરતા વધારે ભીડ હતી.

અત્યાર સુધીમાં 11 પર્વતારોહકના મૃત્યુ થયા છે. મોટા ભાગના લોકો ઊંચાઇને કારણે થતી બીમારીનો ભોગ બન્યા હતા, જેમાં એ લોકોને માથાનો દુખાવો, ઊલટી, શ્ર્વાસ લેવામાં તકલીફ અને માનસિક સંતુલનમાં તકલીફ જેવી સમસ્યા થઇ હતી.

એક સમયે આ શિખર ઇલાઇટ પર્વતારોહકો માટે જ ઍવરેસ્ટ આરોહણના દ્વાર ખુલ્લા હતા. હવે તો પર્વતારોહણ એક મનપસંદ વ્યવસાય બની ગયો છે અને પર્વતારોહણને લગતા ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઍવરેસ્ટ પર 8000 મીટરની ઊંચાઇથી 8,850 મીટરના શિખર સુધીનો રસ્તો ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. ત્યાંનું વાતાવરણ એટલું વિષમ હોય છે કે કોઇ પર્વતારોહકનું અહીં મૃત્યુ થાય તો તેને નીચેના કૅમ્પ સુધી લઇ આવવાના પણ કોઇના હોશ નથી હોતા.

‘અહીં એક એક મિનિટ કીમતી હોય છે,’

એમ ત્રીજી વાર ઍવરેસ્ટનું સફળ આરોહણ કરી ચૂકેલા એક પર્વતારોહકે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સામાન્યપણે જે ચઢાણ માટે બાર કલાક લાગે એમાં આ વખતે 17 કલાક લાગ્યા હતા કારણ કે ઘણાં પર્વતારોહકોને કોઇ અનુભવ જ નહોતો અને તેમને માર્ગદર્શન આપવાવાળું પણ કોઇ નહોતું.

ઍવરેસ્ટ આરોહણની પરમિટ આપવા માટે નેપાળ પાસે કોઇ માર્ગદર્શિકા કે નિયમ જ નથી. કોઇ પણ વ્યક્તિ ડૉક્ટરના સર્ટિફિકેટ પર 11,000 યુએસ ડૉલર ભરી પરમિટ મેળવી શકે છે.

આ વખતે 381 લોકોને પરમિટ આપવામાં આવી અને એટલી જ સંખ્યામાં તેમની સાથે ભોમિયાઓ પણ હતા. તે ઉપરાંત આ વર્ષે ચીને ઍવરેસ્ટ પર સફાઇ અભિયાન આદરી તેમની બાજુના ઍવરેસ્ટ પરથી આરોહણ કરવા માટે લોકોને અપાતી પરમિટમાં ઘટાડો કર્યો હતો.

May 24, 2019
congress_mukt.png
1min6860

લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે પણ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ ગઈ હતી. આ વખતે આ આંકડો 50 સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ માટે આ પરિણામ એટલા માટે ચિંતાજનક છે કારણ કે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમને ધોબી પછડાટ મળી છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યુપીની કમાન સોંપ્યા બાદ અહીં સુરસુરિયું થઈ ગયું હતું. આ પરિણામ બાદ કેટલાય રાજ્યમાં ભાજપની જીતથી કોંગ્રેસમુક્ત જેવી સ્થિતિ થઈ ગઈ છે.

દેશું ઉત્તર ઝોનનું પ્રમુખ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસને કારમી હાર સાંપડી છે. અહીં કુલ 6 બેઠકમાંથી ત્રણ ભાજપ પાસે છે અને બાકીની ત્રણ નેશનલ કોંફ્રેસના ખાતે ગઈ છે. એટલે કે, કોંગ્રેસને કોઈ પણ બેઠક પર એક પણ જીત મળી નથી. આ સિવાય પીડીપીની પણ ખરાબ રીતે હાર થઈ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારની એક માત્ર સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. આ સિવાય દક્ષિણ ભારતના મહત્ત્વના રાજ્ય આંધ્ર પ્રદેશમાં લોકસભાની કુલ 25 બેઠક છે. જ્યાં 24 સીટ પર વાઈએસઆર કોંગ્રેસ આગળ છે. જ્યારે એક બેઠક ટીડીપીના ખાતે ગઈ છે. આમ આંધ્ર પ્રદેશ પણ કોંગ્રેસ મુક્ત છે.

ચીન બોર્ડરથી થોડે દુર આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશમાં બે બેઠક પર ભાજપે વિજય વાવટા ફરકાવ્યા છે. બીજી તરફ બીહારમાં કુલ 16 બેઠક પર ભાજપે ભજવો લહેરાવ્યો છે. જ્યારે બાકીની 16 સીટ પર જેડીયુ આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 બેઠક પર સંતોષ માનવો પડે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળ્યો છે. સાથીપક્ષ આરજેડી પણ એક સીટ પર આગળ છે. અહીં પણ કોંગ્રેસ મુક્તની સ્થિતિ છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની એક માત્ર સીટ ભાજપના નેતા કિરણ ખેર, પવનકુમાર બસંલથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે દાદરાનગર હવેલીની એક સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી ભાજપને જીત મળી છે. આ ઉપરાંત દીવ અને દમણની એક સીટ ઉપર પણ ભાજપે વિજય વાવટો લહેરાવ્યો છે.

પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ પહેલા પણ ગુજરાતમાં કુલ 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. આ ઉપરાંત ઉત્તરના રાજ્ય હરિયાણામાં પણ ભાજપની સત્તા છે. અહીં આ વખતે પણ કોંગ્રેસની કારમી હાર થઈ છે. આ સિવાય હિમાચલ પ્રદેશની ચાર બેઠક પર ભાજપે જીત મેળવી છે. આ પહેલાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ રાજ્યમાં એક પણ સીટ મળી ન હતી.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં પણ ભાજપે કુલ 5 બેઠક પર જીત મેળવી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ ગત ડિસેમ્બરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં કંઈ કરી શકી નથી. અહીં કુલ 29 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક સીટ કોંગ્રેસના ભાગમાં આવી છે. જે છીંદવાળાની સીટ છે. આ સાથે મહારાષ્ટ્રમાં કુલ 48 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી છે. અહીં 23 બેઠક પર ભાજપે વિજયકુચ કરી છે. જ્યારે શિવસેના કુલ 18 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસ એક સમયે સમગ્ર દેશનો પક્ષ માનવામાં આવતો હતો. પણ આ વખતે કારમી હાર થતા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મણિપુરની કુલ 2 બેઠકમાંથી 1 પર ભાજપ અને 1 પર નગાપિપલ્સ ફ્રંટને જીત મળી છે. જ્યારે મિઝોરમમાં એકમાત્ર સીટ મિજો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે. પૂર્વી ભારતમાં પ્રદર્શન કરતા ભાજપે 7 બેઠક પર આગળ ચાલી રહ્યો છે. જ્યારે 14 બેઠક પર સત્તાધારી પક્ષ બીજેડી આગળ છે.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંનેના સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે ભાજપની સાત બેઠક મળવાની શક્યતાઓ છે. ભાજપ આ બેઠક પર એક મોટા અંતરથી આગળ રહી હતી. રાજસ્થાનમાં તમામ બેઠક પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખ્યા છે. અહીં જોધપુર બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને સીએમના પુત્ર વૈભવ ગેહલોત પાછળ ચાલી રહ્યા છે. ભાજપ 24 બેઠકથી આગળ છે.

પૂર્વી રાજ્ય સિક્કીમની એકમાત્ર સીટ પર સિક્કીમ ક્રાંતિકારી મોરચો આગળ છે. જ્યારે ત્રિપુરાની બે લોકસભા સીટ પર ભાજપ આગળ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ લોકસભાની સીટ 80 સીટ પર એક રીતે કોંગ્રેસનું ધોવાણ થયું છે. જ્યાં એક બેઠક રાયબરેલીમાં કોંગ્રેસ આગળ રહી છે. આ બેઠકને નહેરું-ગાંધીની પરંપરાગત સીટ માનવામાં આવે છે. જ્યારે 59 સીટ પર ભાજપ, 6 પર એસપી અને 12 પર બીએસપી આગળ રહી છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 42 સીટમાંથી 19 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે 22 બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ આગળ રહી છે. જ્યારે અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મેળવી શકી છે.

May 24, 2019
saurashtra_bjp.png
1min5060

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

May 23, 2019
sensex-up.jpg
1min12320

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.

BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.

શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.

આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.

May 22, 2019
talaja.gif
1min14060

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.

May 22, 2019
vivek.jpg
1min8480

એક્ઝિટ પૉલના અનુસંધાનમાં અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની વાંધાજનક મીમને શેર કરી વિવાદોમાં સપડાયેલા અભિનેતા વિવેક ઓબેરોયે આખરે માફી માગી હતી અને તે મીમ પણ ડિલીટ કર્યું હતું. વિવેકે ટ્વિટ કરી લખ્યું હતું કે ક્યારેક એક વ્યક્તિને પહેલી નજરે જે મજાકીયુ અને નિરુપદ્રવી લાગતું હોય તે બીજાને ન લાગે તેમ પણ બને. હું દસ વર્ષથી 2000 કરતા પણ વધારે વંચિત બાળકીના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું.

કોઈ મહિલાના અપમાનનો હું વિચાર પણ કરી શકતો નથી. તેણે બીજી પણ એક ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે જો એક મીમ દ્વારા અન્ય મહિલાની ભાવનાને ટેસ પહોંચે છે તો તેમાં સુધારો થવો જોઈએ. હું માફી માગુ છું. ટ્વિટ મે ડિલીટ કર્યું છે. જોકે ઓબેરોયની માફી બાદ પણ એક સામાજિક સંસ્થાએ તેને કાર્યક્રમના અતિથિ તરીકે નકાર્યો હતો. ફોની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરવાના એક કર્યાક્રમમાં તેમને સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ બાદ તેમણે તેમની ઉપસ્થિતિ નકારી હતી.

જોકે અગાઉ વિવેકે માફી માગવાની ના પાડી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ આ મીમ પૉસ્ટ કરી હતી અને હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની કલ્પનાશક્તિના વખાણ કર્યા. તેમાં કઈ ખોટું કર્યું નથી. ઓબેરોયના આ ટ્વિટ બાદ નેટિઝન અને ફિલ્મજગતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.

May 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8470

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડએ આજે જાહેર કરેલા ધો.10ના પરીણામની કેટલીક એવી બાબતો અમે અહીં ઉજાગર કરી રહ્યા છે જે વાંચીને વાચકોને સહજ આશ્ચર્ય થશે.

ધો.10નું ગુજરાતનું ઓવરઓલ પરીણામ 66 ટકા છે. આ એવરેજ પરીણામ છે. પરંતુ, પરીણાની ભીંતરમાં ડોકીયું કરીશું તો નીચે મુજબની વાસ્તવિકતાઓ નજર સામે આવે છે.

ગણિત વિજ્ઞાનમાં સૌથી વધુ નાપાસ થયા

  • સૌથી વધુ વિદ્યાર્થીઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં ફેઇલ થયા છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિષયમાં કુલ 8,22,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,61,299 પાસ થયા છે અને 2,61,521 નાપાસ થયા છે. આ વિષયનું પરીણામ બોર્ડે લીધેલી તમામ વિષયોની પરીક્ષામાં સૌથી ઓછું પરીણામ છે.
  • બીજા નંબરે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થયા છે. ગણિતમાં 8,21,982 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,72,473 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 2,49,509 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

છોકરીઓનું પરીણામ છોકરાઓ કરતા 10 ટકા વધુ

  • બોર્ડના સમગ્ર પરીણામમાં ગર્લ્સ (કન્યાઓ)નું પરીણામ બોયઝ (કુમાર) કરતા વધુ આવ્યું છે. બોયઝનું ટકાવારી પરીણામ 62.83 ટકા છે જ્યારે ગર્લ્સનું પરીણામ 72.64 ટકા છે.

તમામ માધ્યમોમાં ગુજરાતી માધ્યમનું પરીણામ સૌથી ઓછું

  • ગુજરાતી મિડીયમની સ્કુલોનું પરીણામ હિન્દી, ઇંગ્લિશ, ઉર્દૂ સમેત તમામ ભાષાકીય માધ્યમોની સ્કુલોના પરીણામ કરતા ઓછું આવ્યું છે.

100 ટકા પરીણામ ધરાવતી સ્કુલો

  • ગુજરાત બોર્ડનું ધો.10નું 100 ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366 છે જ્યારે ઝીરો ટકા પરીણામ ધરાવતી સ્કુલોની સંખ્યા 63 છે તેમજ 30 ટકા કે તેનાથી ઓછું પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા 955ની છે.

સીસીટીવી કેમેરાએ ચોરી કરતા ઝડપ્યા

  • બોર્ડની પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર કે અન્ય માનવીય સ્ટાફના હાથે ચોરી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 119 છે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી બાદ ચોરી ગેરરીતિના કુલ 2165 કેસો ઝડપી પાડવામાં આવ્યા હતા.