CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 26 of 79 - CIA Live

October 7, 2021
CIA-1280x937.jpg
1min547

આજે તા.7મી ઓક્ટોબર 2021 માતાજીના આરાધ્ય પર્વ નવરાત્રીની પહેલી જ પ્રભાતે એવા સમાચાર આવ્યા કે જે સુરતવાસીઓ માટે જાણવા જરૂરી હતા. સુરત મહાનગરપાલિકાની અધિકૃત જાણકારી મુજબ તા.7મીએ સવારે 6 વાગ્યે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમ ખાતે પાણીનું લેવલ 345 ફૂટ નોંધાયું હતું. ઉકાઇ ડેમની ભયજનક સપાટી પણ 345 ફૂટ છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની શક્યતા નથી પરીણામે ઉકાઇ ડેમ છલોછલ ભરાયો હોવા છતાં તાપી નદીમાં પાણી છોડવું પડે તેવી પણ કોઇ સ્થિતિ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમમાં વોટર લેવલ તેમજ અન્ય પેરામીટર્સ આ પ્રમાણે નોંધાયા હતા.

???????????????? ????????????
Date :07/10/2021
Time : 05:00 hrs
Rule Level : 345.00 ft (7414.29)
Level : 345.00 ft
Gross Storage : 7414.29
MCM (100%)
Live storage :6729.90 MCM ???????????????????????? : 46397 Cusecs
Outflow :
Canal: 1100 cusecs
Hydro: 10374 cusecs
Gate: 0 cusecs
Total ???????????? ????????????????: 11474 Cusec????

ઉકાઇ ડેમમાં હાલ 14 હજાર ક્યુસેક્સ જેટલું પાણી આવી રહ્યું છે અને તેટલું જ પાણી રિલીઝ પણ કરી દેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો હજુ પણ વરસાદની સંભાવના હશે તો હવે એવી સિસ્ટમ વિકસાવી દેવામાં આવી છે કે ડેમમાં કેટલો પાણીનો આવરો થઇ શકે તેની અંદાજિત ગણતરી એડવાન્સમાં થઇ શકે અને પાણી ડેમમાં આવે તેના કરતા પહેલા ડેમમાંથી રિલીઝ કરી દેવામાં આવે છે જેથી નવું પાણી ડેમમાં સમાઇ શકે. આ પ્રકારનું વોટર મેનેજમેન્ટ છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું હોઇ, સુરતમાં કે તાપી નદીમાં પૂરની શક્યતાઓ નહીવત્ બની છે.

October 3, 2021
CIA-1280x937.jpg
1min598

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ચાલુ સપ્તાહે બીજી વખત ઉકાઇ ડેમમાં પાણીનો આવરો વધી જતા આજે તા.3 ઓક્ટોબર 2021ને રવિવારના રોજ ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે.

સાંજે 5 કલાકે સરકારી માહિતી ખાતાએ જારી કરેલા ઉકાઇ ડેમના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું કે તા.3/10/21 @ 5pm ઉકાઇ ડેમમાં પાણીની સપાટી 344.04 ફૂટ છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી એક ફૂટ ઓછું છે. એ સમયે ડેમમાં કુલ 1.44 લાખ ક્યુસેક્સ પાણીનો આવરો થઇ રહ્યો હતો. ડેમમાં હવે વધુ પાણીનો જથ્થો સ્ટોર કરવો હિતાવહ ન હોઇ, તંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું હતું તેટલું જ પાણી તાપી નદીમાં રિલીઝ કરવાનું શરૂ કરાયું છે.

માહિતી ખાતા તરફથી જારી કરવામાં આવેલી માહિતી

Ukai Dam Data :
Dt. 03.10.2021 @ 17:00 Hrs.
Rule Level : 345.00 ft.
Present Level : 344.04 ft.
Inflow : 144737.00 cusecs
Outflow: 144737.00 cusecs
Present Live Storage : 6558.97 MCM
Present Capacity : 7243.36 MCM ( 97.69 %)

Kakrapar Weir Position @ 17:00 Hrs. on Date : 03.10.2021
Kakrapar Weir Level is…………………..166.80 feet
Overflow Discharge in Cusecs is……. 117100.00 Cusecs
Moticher Level is………………………….153.20 feet
Moticher Discharge is…………………….445.00 Cusecs
Total Discharge in River Tapi is……….117545.00 Cusecs

Date : 03.10.2021
Time : 17:00 Hrs.
Singanpor Weir Cum Causeway level: 7.05 Mt

October 2, 2021
cia_edu-1280x925.jpg
1min648

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત શહેરના બાળમંદિરોમાં 2022-23ના વર્ષ માટેના પૂર્વપ્રાથમિકમાં નર્સરી, જુનિયર કેજીમાં પ્રવેશ કામગીરી જુદી જુદી સ્કુલોએ શરૂ કરી દીધી છે.

સુરતના પાલ રોડ પર આવેલી ભૂલકાવિહાર શાળામાં ઇંગ્લીશ મિડીયમ અને ગુજરાતી મિડીયમમાં પ્રવેશ માટેના અરજી ફોર્મ ઓનલાઇન અને ઓફલાઇન તા.7 અને તા.8મી ઓક્ટોબરના રોજ ભરી શકાશે. ભૂલકા વિહારની ડિટેઇલ્સ માટે નીચેની જાહેરાત જુઓ.

ઉમરા સ્થિત સીબીએસઇ એફિલિયેટેડ ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં 7થી 9 ઓક્ટોબર ફોર્મ ભરી શકાશે

શહેરના ઉમરા વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડનું એફિલિયેશન ધરાવતી અધતન શાળા, ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીમાં પ્રી પ્રાઇમરીમાં પ્રવેશ કામગીરી માટે તા.7થી 9 ઓક્ટોબર વચ્ચે ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે નીચેની જાહેરાત જુઓ

આ પ્રકારે આપની શાળાની પ્રવેશ કાર્યવાહીની એડર્વટાઇઝ વ્યાજબી દરે પ્રસિદ્ધ કરાવવા માટે સંપર્ક કરો 9825344944

સુરત શહેરમાં શાળાકીય શિક્ષણની ગતિવિધિ નોર્મલાઇઝેશન મોડમાં આવી ચૂકી છે અને બીજી તરફ ઓક્ટોબર મહિનાના આરંભ સાથે જ બાળમંદિરોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની અનેક શાળાઓએ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23ના વર્ષમાં નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેની જાહેરાતો કરવા માંડતા 3 અને 4 વર્ષના બાળકોના માબાપ એલર્ટ જણાય રહ્યા છે. ગત વર્ષે કોવીડના કારણે પ્રવેશ કાર્યવાહી કોઇ ખાસ ધ્યાન ખેંચી શકી ન હતી પરંતુ, આ વખતે વાલીઓને આકર્ષવા માટે શાળા સંચાલકો નીત નવા ફંડા અપનાવી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં સેન્ટ્રલ બોર્ડ અને ગુજરાત બોર્ડની કેટલીક શાળાઓએ નર્સરી અને જુનિયર કેજીમાં પ્રવેશ માટેના અરજીપત્રકો ઓનલાઇન અને ઓફલાઇન ભરવા અંગેની જાહેરાત કરી છે. અઠવાલાઇન્સની જાણિતી સ્કુલના આચાર્ય કહે છે કે છેલ્લા ત્રણેક વર્ષથી બદલાયેલા ટ્રેન્ડમાં હવે સામાન્યમાં સામાન્ય પરિવાર પણ ક્યાં તો સેન્ટ્રલ બોર્ડ અગર તો તેમાં એડમિશન ન મળે તો ગુજરાત બોર્ડમાં કમસે કમ ઇંગ્લીશ મીડીયમમાં જ તેમના સંતાનોને પ્રવેશ મળે તેવું ઇચ્છી રહ્યા છે.આ વખતથી ગુજરાત બોર્ડે સુરતની શાળાઓએ શરૂ કરેલા દ્વિભાષી માધ્યમ (અગાઉના ગ્લોબલ ગુજરાતી માધ્યમ)ને પણ રાજ્યસ્તરે મંજૂરી આપી હોઇ હવે મોટા ભાગના પ્રવેશ ઇચ્છુક વાલીઓ તેમના પાલ્યો માટે આ પ્રકારની સ્કુલો જ શોધી રહ્યા છે.

કોવીડને કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન

ગત વર્ષથી જ કોવીડ-19ના નિયંત્રણોને કારણે સ્કુલોએ બાળમંદિરમાં પ્રવેશની કામગીરી માટે ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મોટા ભાગની સ્કુલોમાં બાળમંદિરોના પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ બાળકનો જન્મદાખલો તથા ફોટોગ્રાફ અપલોડ કરવાના રહે છે અને બાદમાં તેમનું પ્રવેશ યાદી, મેરીટ લિસ્ટ વગેરે પણ વાલીઓને વ્હોટ્સએપ અને ઇમેલના માધ્યમથી જ વાકેફ કરવામાં આવે છે.

પ્રવેશની ખેંચતાણ મર્યાદિત સ્કુલોમાં, બાકી બારમાસી પ્રવેશ

છેલ્લા ત્રણેક વર્ષથી બાળમંદિરોમાં પ્રવેશની કાર્યવાહી જોતા એવું જણાય આવે છે કે પ્રવેશની ખેંચતાણ શહેરના દરેક વિસ્તારમાં આવેલી 4-5 બ્રાન્ડેડ સ્કુલોમાં જ જોવા મળે છે. શહેરમાં એવી ગણતરીની સ્કુલો છે કે જેમાં પ્રવેશ માટે ધસારો થાય છે. સુરતમાં હવે સ્કુલોની સંખ્યા જરૂરીયાત કરતા વધી ચૂકી હોઇ, મોટા ભાગની સ્કુલોમાં તો ઓનડિમાન્ડ એટલે કે બારેમાસ પ્રવેશ કામગીરી શરૂ રહે છે.

October 2, 2021
CIA-1280x937.jpg
2min597

ચોમાસાના સંભવિત છેલ્લા સ્પેલમાં લગભગ પાંચ દિવસ સુધી દેમાર ઝીકાયેલા વરસાદને કારણે સુરત શહેરમાં લગભગ દરેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા. નાના મોટા ખાડાઓ પડી ગયા હતા. રસ્તાઓ તૂટી જતાની સાથે જ અનેક લોકોએ બિસ્માર રસ્તાઓથી લઇને રોડ ટેન્ડરમાં ખાયકી સુધીની બૂમો શરૂ કરી દીધી હતી. શહેરભરમાંથી ટીકાઓનો વરસાદ જાણે શરૂ થયો હતો. પરંતુ, છેલ્લા બે દિવસ (તા.30મી સપ્ટેમ્બરથી) ઉઘાડ નીકળતા જ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોએ તાબડતોબ શહેરભરમાં તૂટી ગયેલા, બિસ્માર રસ્તાઓનું મરામતનું કામ શરૂ કરાવ્યું છે. છેલ્લા બે દિવસથી લગભગ દરેક વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સના કામો યુદ્ધના ધોરણે થતાં જોવા મળી રહ્યા છે. દરેકે દરેક વોર્ડમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો રોડ મેઇન્ટેનન્સના સ્થળે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા છે.

ઉઘાડ નીકળતા જ તક મળી એટલે રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરાવ્યું

નાનપુરા-અઠવા-ઉમરા-પોપલોદ વોર્ડ નં.21ના કોર્પોરેટર અશોકભાઇ રાંદેરીયાએ કહ્યું કે ટીકા કરનારાઓ તેમનું કામ કરે છે, અમારું કામ અમે કરીએ છીએ. ભાજપાની સરકાર, કામ કરતી સરકાર અને એટલે જ મતદારોની પસંદ છે. બધા જ જાણે છે ભારે વરસાદ પડ્યો અને રસ્તાઓ તૂટ્યા. તૂટેલા રસ્તાઓને મરામત કરાવવા માટે ઉઘાડ નીકળવો જરૂરી હતો. ઉઘાડ નીકળ્યો અને તરત જ અમારા વોર્ડમાં રસ્તા મરામતના કામો શરૂ કરાવવામાં આવ્યા છે.

ગુજરાત ગેસ સર્કલ પર રોડ મેઇન્ટેનન્સ

શહેરભરમાં તૂટેલા રસ્તાઓની યોગ્ય રીતે મરામતના કામો શરૂ કરાયા છે. આજરોજ તા.1લી ઓક્ટોબરે શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર પણ મેઇન્ટેનન્સનું કામ હાથ ધરાયું હતું. સ્થાનિક કોર્પોરેટર કેયુર ચપટવાળા તેમજ અન્ય આગેવાનો આ સમયે સ્થળ પર ઉપસ્થિત હતા.

કોર્પોરેટર દિપેશ પટેલ પોતાના વિસ્તારમાં રોડ મેઇન્ટેનન્સની કામગીરી કરી રહ્યા છે

એસડી જૈન સ્કુલ પાસેના રસ્તા પર મરામતનું કામ પૂરજોશમાં કરી દેવાયું

તસ્વીરો જ બોલે છે, પાલિકાના ભાજપ શાસકોએ પુરવાર કરવાની જરૂર નથી કે તેઓ કામ કરતી સરકાર છે

September 27, 2021
CIA_Live_Logo_New2.jpg
1min2020

ઉકાઇ ડેમના ફ્લડ સેલના શીફ્ટ ઇન્ચાર્જ ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઇજનેર દ્વારા તા.27મી સપ્ટેમ્બર 2021ના રોજ બપોરે 3 કલાકે ઇશ્યુ કરવામાં આવેલા ફ્લડ રિલિઝ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઉકાઇ ડેમમાં પાણીનું લેવલ 342.08 ફૂટ છે. ડેમમાંથી હાલમાં 1,49,867 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી રિલિઝ કરવાનો આ જથ્થો સાંજે 4 કલાકે વધારીને 1,75,000 ક્યુસેક્સ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને જરૂરીયાત મુજબ તેમજ ડેમમાં પાણીના થઇ રહેલા આવરાને ગણતરીમાં લેતા એ વધારીને 1,95,000 ક્યુસેક્સ પણ કરવામાં આવી શકે છે.

ડેમમાં પાણીના થઇ રહેલા આવરાનું મેનેજમેન્ટ કરવા માટે આ પ્રકારે પાણી છોડાઇ રહ્યું છે.

દર વર્ષે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં થતા પાણીના આવરાને કન્ટ્રોલ કરવા માટે આ પ્રકારે વોટર મેનેજમેન્ટ કરવામાં આવે છે.

September 25, 2021
kartik-Jivani.jpg
1min885

UPSC દ્વારા આજે પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સિવિલ સર્વિસમાં 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી સુરતનો કાર્તિક જીવાણી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે અને દેશમાં ટોપ 8માં છે.

તા.24મી સપ્ટેમ્બર 2021ની સંધ્યાએ ભારતમાં યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા-2021નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. UPSCના પરિણામમાં કુલ 761 ઉમેદવારો પાસ થયા છે. જેમાં પ્રથમ ક્રમે શુભમ કુમાર આવ્યા છે.

ગુજરાતમાં પ્રથમ નંબરે કાર્તિક જીવાણી આવ્યા છે. તેઓએ સમગ્ર દેશમાં 8મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે તેઓએ અગાઉ સિવિલ સર્વિસની પરીક્ષામાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આમ અથાગ મહેનત થકી કાર્તિક જીવાણીએ પોતાના લક્ષ્યને હાંસલ કરી દીધો હતો અને હવે તે સુરતના પ્રથમ IAS ઓફિસર બનશે.

કાર્તિક જીવાણીએ 2017માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. જો કે આ પરીક્ષામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. પણ તેઓએ હાર માની ન હતી. બે વર્ષ બાદ એટલે કે 2019માં તેઓએ ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી. અને 94મો ક્રમ હાંસલ કર્યો હતો. જો કે 2020માં તેઓએ 84મો ક્રમ હાંસલ કર્યો હતો આ વખતે તેઓને IPSમાં સ્થાન મળ્યું હતું. પણ કાર્તિકની ઈચ્છા IAS ઓફિસર બનવાની હતી. અન પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે તેઓએ કોરોના કાળમાં પણ અથાગ મહેનત કરી હતી. અને આજે તેમને સિદ્ધી હાંસલ કરતાં ન ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અને હવે તે સુરતથી IAS ઓફિસર બનનાર પ્રથમ ઓફિસર હશે.

કાર્તિકનો જન્મ 1994માં થયો છે. તેના પિતા ડો. નાગજીભાઈ જીવાણી વરાછામાં લેબોરેટરી ચલાવે છે. કાર્તિકે સુરતની પીપી સવાણી અને રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. કાર્તિકે પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં મેળવ્યું હતું. જે બાદ તેઓએ મુંબઈની IITમાંથી બી.ટેક મિકેનિકલની ડિગ્રી હાંસલ કરી હતી. 1994માં કાર્તિકના જન્મ સમયે પ્લેગ ફાટી નીકળ્યો હતો અને તે સમયે પ્રસુતિ કરાવવા માટે કોઈ ડોક્ટર પણ મળ્યા ન હતા. પણ તે સમયે એસ.આર.રાવ નામના સુરત કમિશનરે સમગ્ર સુરતની સૂરત બદલી નાખી હતી. અને તેમના કિસ્સા સાંભળીને કાર્તિકને IAS બનવાની ઈચ્છા જાગી હતી.

September 18, 2021
surat_police.jpg
1min411

મૂળ ભાવનગરના વતની અને હાલમાં કતારેશ્વર મહાદેવ શિવશક્તિ સોસાયટીમાં રહેતો યોગેશ ડાંગર અને જ્યોતી સુંદરલાલ દાસ પીપલોદમાં ઓલ વિમળહબના આઠમાં માળે સ્પા મસાજ સેન્ટર ચલાવતા હોઈ તેમાં થાઈલેન્ડની છ યુવતીઓને રાખી સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવવામાં આવતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસે સ્પા સંચાલક યોગેશ ડાંગર અને ગ્રાહક વેસ્મા કાલાગચ્છા ગામના ઈસ્માઈલ નસીમ નૈનાને ઝડપી લીધા હતા અને ચાર મોબાઈલ, નાની ડાયરી, રોકડ સહિત રૂ. 71,600ની મતા કબજે કરી હતી. જ્યારે સંચાલિકા જ્યોતી સુંદરલાલ દાસ ફરાર થઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પામાં ગ્રાહકો પાસેથી રૂ. 3 હજાર લેવામાં આવતા હતા અને યુવતીઓને રૂ. 1 હજાર આપવામાં આવતા હતા. પોલીસે થાઈલેન્ડની છ યુવતીઓને મુક્ત કરાવી હતી.

September 17, 2021
covid-19-vaccine.jpg
1min685

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનના ઉપલક્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્તમ લોકોને વેક્સીન મળે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થા તંત્રના કારણે રાત્રે 9 વાગ્યા સુધીમાં રેકોર્ડતોડ અંદાજે 2 લાખ 2 હજાર જેટલા લોકોને કોરોના વિરોધી રસી મૂકી આપવામાં આવી હતી. આજે સુરતમાં સેંકડો સ્થળો પર વેક્સીનેશ કેમ્પ યોજવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની આગેવાની હેઠળ ખાનગી, એન.જી.ઓ., શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ મળીને જબરદસ્ત વેક્સીનેશન કાર્યવાહી હાથ ધરી હતી અને તેના કારણે જ વેક્સીનનો સૌથી તોતિંગ રેકોર્ડ સુરત દ્વારા પાર પાડવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કર્યું આ ટ્વીટ

મ્યુનિસિપિલ કમિશનરના આ ટ્વીટ પછી પણ જારી રહેલા વેક્સીનેશન અંગે સાંજે સાડાસાત કલાકે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે આજે સુરતમાં પોણા બે લાખથી વધુ લોકોને વેક્સીન મૂકવામાં આવી છે. આટલું વેક્સીનેશન અગાઉ ક્યારેય ગુજરાતના કોઇ શહેરમાં થઇ શક્યું નથી.

સચિન જીઆઇડીસીમાં ફાયર સ્ટેશન ખાતે 4100નું વેક્સીનેશન

સચિન જીઆઇડીસીના આગેવાન શ્રી મહેન્દ્ર રામોલીયાએ જણાવ્યું હતું કે આજે સુરતમાં જો કોઇ સેન્ટર પર સૌથી વધુ વેક્સીનેસન થયું હોય તો એ સચિન જીઆઇડીસી ફાયર સ્ટેશન ખાતેના વેક્સીનેશન બુથ છે. સચિન જીઆઇડીસીના આ વેક્સીનેસન બુથ પર આજે દિવસ દરમિયાન કુલ 4100 જેટલા લોકોને કોરોના રસી બિલકુલ સરળતાથી મૂકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સચિન અને આસપાસના વિસ્તારોના હજારો લોકો અત્યાર સુધી વેક્સીનેશન કેમ્પનો લાભ લઇ ચૂક્યા છે.

પ્રસ્તુત તસ્વીર સુરતના સચિન વિસ્તારમાં આવેલી રોટરી હોસ્પિટલ ખાતે આયોજિત વેક્સીનેશન કેમ્પની છે. જ્યાં આજે તા.17મી સપ્ટેમ્બરે દિવસ દરમિયાન અંદાજે 1600થી વધુ લોકોને રસી મૂકવામાં આવી હતી.

September 17, 2021
Cia_business_news-1280x936.jpg
1min377

આજે તા.17મી નવેમ્બરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે આયોજિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથેના સંવાદ કાર્યક્રમ જોરદાર રીતે સફળ રહ્યો હતો. ખુદ પિયુષ ગોયેલે કાર્યક્રમના વખાણ કરતા કહ્યું કે ચેમ્બર દ્વારા આયોજિત આવા લાઇવ ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો બધી જગ્યાએ યોજાય તો ઉદ્યોગોને કોઇ પ્રશ્નો જ નહીં રહે.

ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરએક્ટીવ સેશનમાં કુલ 25 જેટલા પ્રશ્નો જુદા જુદા ઉદ્યોગપતિઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના સ્પષ્ટ જવાબો પિયુષ ગોયેલે સમારોહના અંતે આપ્યા હતા.

પિયુષ ગોયેલે સુરતના વિકાસ અંગે દર્શના જરદોષ અને ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પાસેથી વાતો સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા હતા. તેમણે સુરતને ભવિષ્યમાં ટેક્ષટાઇલ ક્રાંતિની આગેવાની લેવાનું આહવાન કર્યું હતું.

સુરતના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટીવ સેશનને સંબોધતા દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વાત વાતમાં એ બાબતનો સંકેત આપી દીધો હતો કે મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરત દાવેદાર છે, સુરતમાં 45 કિ.મી. ત્રિજ્યામાં સમગ્ર ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે, આમ છતાં પણ મિત્રા જેવા મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરતે શહેરથી 40-50 કિ.મી. દૂરનું સ્થળ વિચારવું જોઇએ, જેથી જમીન પણ સસ્તી મળી રહે અને સુરતના ટેક્ષટાઇલ ઉધોગનો દાયરો પણ વધી જાય, રોજગારીનું સર્જન પણ વધુ થાય એકંદરે તમામને ફાયદો મળી રહે.

તેમણે કહ્યું કે સુરત મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે દાવેદાર છે જ એમાં કોઇ બેમત નથી.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આજે બપોરે સુરતના ઉદ્યોગપતિઓ અને કેન્દ્ર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથે યોજવામાં આવેલા ઇન્ટરએક્ટિવ સેશનમાં પહેલા તો પિયુષ ગોયલે બધા જ પ્રશ્નકર્તાઓના પ્રશ્નો એક પછી એક સાંભળ્યા હતા. કુલ 25 જેટલા પ્રશ્નો એક પછી એક દરેક ક્ષેત્રમાંથી લોકોએ કર્યા અને તેને સાંભળ્યા અને નોટિંગ કર્યા બાદ પિયુષ ગોયેલે તેના જવાબો આપવાનું શરૂ કર્યું હતું.

પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્સ સ્કીમમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડકશન ટાર્ગેટના આંકડા ઘણાં ઉંચા હોવા બાબતની રજૂઆતના પ્રતિસાદમાં પિયુષ ગોયેલ કહ્યું કે સુરતના ઉદ્યોગપતિઓએ હવે મોટા મેદાન પર રમવાનો વખત આવી ગયો છે. રૂ.100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એકલા નહીં કરો તો બે ત્રણ જણાં ભેગા થઇ ને કરો, આ બાબત તમારી સાથે ભારતનો પણ વિકાસ કરશે.બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસનો ઉલ્લેખ કરતા પિયુષ ગોયેલે કહ્યું હતું કે હવે આપણે સેકન્ડ ક્વોલિટીનું વિચારવાનું છોડી દેવું જોઇએ.

અવ્વલ દરજ્જાની ક્વોલિટી માટે સરકાર તમારો સાથ આપવા તૈયાર છે, તેમણે કહ્યું કે કોઇપણ ઉત્પાદન માટે બીઆઇએસ સ્ટાન્ડર્ડ લાગૂ કરવા હોય તો તેઓ બેશક અમને મળે અમે એ પ્રોડક્ટ માટે બીઆઇએસ ધોરણો લાગૂ કરવામાં પૂરેપૂરી મદદ કરીશું. બીઆઇએસને કારણે ભારતનો માલ એટલે ક્વોલિટી માલ એવી પ્રતિષ્ઠા ભારતની થઇ જશે.

September 17, 2021
societynews-1280x1040.jpg
1min399

સુરતના વરાછા વિસ્તારમાં ખરા અર્થમાં બહુજન હિતાય, બહુજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરી રહેલી માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા સુરત ડાયમંડ હોસ્પિટલને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી રૂ.50 લાખની માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે.

તાજેતરમાં ગઇ તા.15મી સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કોર્પોરેટ સોશ્યો રિસ્પોન્સિબિલીટી પ્રોગ્રામના ભાગરૂપે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઇ, કર્ણાટક રાજ્યના ઉદ્યોગ-વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી એસ. સુરેશકુમાર, એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ઇ.વી. રમન્ના રેડ્ડી, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલિન શાહ, વાઇસ ચેરમેન શ્રી વિપુલ શાહ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયાએ રૂ.50 લાખના દાનનો ચેક સ્વીકાર્યો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલને આ રકમનું દાન હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ઘણું ઉપયોગી બળ પૂરું પાડશે. આ તકે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયા સમેત સમગ્ર ટ્રસ્ટીમંડળ અને હોસ્પિટલ પરિવાર જીજેઇપીસીનો ખૂબખૂબ આભાર પ્રગટ કરે છે.