સુરતીઓની દુનિયા Archives - Page 17 of 76 - CIA Live

July 19, 2022
cia_multi-1280x1045.jpg
1min788

સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદીના ઉપરવાસમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયા એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પાણીનો આવરો ઉકાઇ નદીમાં નોંધાઇ રહ્યો છે. ઉકાઇ ડેમમાં આવી રહેલા પાણીના જથ્થાની ગણતરી કરીને વોટર મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે જ ગઇકાલ તા.18મીએ રાત્રે 8 વાગ્યાથી તબક્કાવાર ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. પહેલા 60 હજાર ક્યુસેક્સથી લઇને આજે બપોરથી 1.87 લાખ ક્યુસેક્સ પાણી ઉકાઇ ડેમમાંથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ પાણી જ્યારે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી વહેશે ત્યારે અનેક ઠેકાણે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

સલામતિના ભાગરૂપે તંત્રવાહકોએ ડુમસ બીચ અને સુંવાલી બીચ મુલાકાતીઓની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરત કલેક્ટરે ટ્વીટ કરીને જાણકારી આપી

July 15, 2022
cia_edu-1280x925.jpg
1min609

Jayesh Brahmbhatt 98253 44944

આજે તા.15 જુલાઇ 2022ના રોજ સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું. સુરતમાં રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કરનાર ચાર વિદ્યાર્થીઓ સી.એ. ઇન્ડીયા ટોપ ફીફ્ટીમાં સ્થાન પામ્યા છે. જેમાંથી શ્રૃષ્ટી સંઘવી ઇન્ડીયા થર્ડ અને સુરત ગુજરાત ફર્સ્ટ, ઉપરોક્ત ફોટામાં રવિ છાવછરીયાની બાજુમાં અર્હમ પારખ ઇન્ડીયામાં 40મો અને સુરતમાં ચોથો તેમજ રોહીત સિધ્ધા ઇન્ડીયામાં 42મો અને સુરતમાં પાંચમા ક્રમે પાસ થયા છે. સી.આઇ. લાઇવ

સમગ્ર દેશમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટેનું હબ બની ચૂકેલા સુરત શહેરમાંથી આજે સી.એ. ફાઇનલની પરીક્ષાનું પરીણામ જાહેર થતાં એક જ ઝાટકે 138 ઉમેદવારોને સી.એ.નો દરજ્જો મળી ગયો હતો. સુરતનું પરીણામ સમગ્ર દેશના એવરેજ પરીણામ કરતા ડબલ આવ્યું છે એટલું જ નહીં પણ સુરત બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 5 ઉમેદવારોએ સી.એ. ફાઇનલના પરીણામમાં ઇન્ડીયા ટોપ-50માં સ્થાન પણ હાંસલ કરી લીધું છે.

છેલ્લા ઘણાં વર્ષો પછી આ વખતે આઇ.સી.એ.આઇ.ની સુરત બ્રાન્ચે સી.એ. ફાઇનલ્સના પરીણામો અધિકૃત રીતે ઘોષિત કર્યા હતા. આઇસીએઆઇ સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ નિકેશ કોઠારીએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા સીએ ફાઇનલ્સ પરીક્ષાના પરીણામમાં સુરત બ્રાન્ચમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ગ્રુપ એ અને બી બન્નેની પરીક્ષા આપી હતી. જેમાંથી વિદ્યાર્થીઓ આજે 138 ઉમેદવારો સી.એ.નો દરજ્જો મેળવી ચૂક્યા છે. સુરત બ્રાન્ચમાંથી આ વખતે 1582 ઉમેદવારોએ સી.એ. ફાઇનલ્સ એ ગ્રુપ, બી ગ્રુપ, બન્ને ગ્રુપ એ રીતે પરીક્ષા આપી હતી.  65 ઉમેદવારો ફક્ત એ ગ્રુપ તેમજ 62 ઉમેદવારોએ ફક્ત દ્વિતિય ગ્રુપન પરીક્ષા પાસ કરી છે.

બીજી તરફ સુરત શહેરના પાંચ ઉમેદવારોએ ઇન્ડીયા ટોપ-50 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રૃષ્ટી કેયુર સંઘવી ગુજરાત ફર્સ્ટ, સુરત ફર્સ્ટ અને દેશમાં ત્રીજા ક્રમે, અરુણ કિશનલાલ બોરાણા દેશમાં 32માં ક્રમે અને સુરતમાં સેકન્ડ, અર્હમ સુનિલ પારખ દેશમાં 37માં ક્રમે અને સુરતમાં ત્રીજા ક્રમે, સિદ્ધાર્થ સહારીયા દેશમાં 40માં ક્રમે અને સુરતમાં ચોથા ક્રમે તથા રોહીત સદાનંદ સિદ્ધા દેશમાં 42માં ક્રમે અને સુરતમાં પાંચમા ક્રમે માર્કસ લાવવામાં સફળ નિવડ્યા છે. સુરતના આ ટોપ-ફાઇવ પૈકી દ્વિતિય નંબરને બાદ કરતા બાકીના તમામ વિદ્યાર્થીઓ સી.એ. રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે.

સી.એ. ફાઇનલ્સમાં દેશમાં ઝળકેલા સુરતના ઉમેદવારો

  • ઉમેદવારો      દેશમાં ક્રમ      સુરતમાં ક્રમ
  • શ્રૃષ્ટી કેયુર સંઘવી      03     01
  • અરુણ કિશન બોરાણા   32     02
  • અર્હમ સુનિલ પારખ    37     03
  • સિદ્ધાર્થ સહારીયા        40     04
  • રોહિત સદાનંદ સિદ્ધા    42     05
June 9, 2022
chahumukhi-1.jpeg
1min6686

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

બિહારના પટણામાં જન્મેલી એક બાળકી જન્મથી જ 4 હાથ અને 4 પગ ધરાવતી હતી. સોશ્યલ મિડીયામાં આ બાળકી અંગે જાણીને અભિનેતા સોનુ સુદે સુરતની કિરણ હોસ્પિટલને આ કેસ હાથ પર લઇને બાળકીની સર્જરી કરવા માટે ભલામણ કરી હતી. લગભગ સપ્તાહ પહેલા સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરાયેલી આ બાળકીનું જટીલ ઓપરેશન સુરતની કિરણ હોસ્પિટલના ડો.મિથુન અને તેમની ટીમે સફળતાપૂર્વક કર્યું છે અને હવે એ બાળકી નોર્મલ બાળકોની જેમ જીવન જીવી શકશે.

અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.  ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. સી.આઇ.એ. લાઇવ.

ચાર હાથ અને ચાર પગ ધરાવતી બાળકી જન્મી ત્યારે તેનું શરીર જોઇને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકીનું નામ આપવામાં આવ્યું હતું. ચહુંમુખીને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઈ ત્યારે સોનુ સૂદે તે જોયું અને તેના તરફથી બાળકનું ઓપરેશન કરાવવાની જાહેરાત કરી હતી. જેને પગલે સુરતની કિરણ હોસ્પિટલમાં આ બાળકી પર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. આઠ દિવસ અગાઉ બાળકીને સોનું સૂદના કહેવા પર સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી.

અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.  ચહુંમુખી કુમારીનું સુરતની કિરણ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની કિરણ હોસ્પિટલમાં કલાકોના અથાક પ્રયાસો બાદ ચાહુમુખીનું સફળ ઓપરેશન શક્ય બન્યું હતું. અગાઉ આપેલા વચન મુજબ સોનુ સૂદે ચહુંમુખીનું ઓપરેશન કરીને તેને નવું જીવન આપ્યું છે.  હવે ચહુંમુખી કુમારી સામાન્ય બાળકોની જેમ વાંચન-લેખન સાથે જ રમી શકશે.

ચહુંમુખીનો પરિવાર 30 મેના રોજ મુંબઈ પહોંચીને સોનુ સુદને મળ્યો હતો. સોનુ સુદે ચહુંમુખીની સારવાર માટે પરિવારને  સુરત મોકલ્યો હતો. સુરતમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં ચહુંમુખીની સફળ સર્જરી કરી હતી.

હાલ માસૂમ બાળકને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. સોનુ સૂદે ચહુંમુખીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. તેની માનવતાવાદી કાર્યની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.

May 30, 2022
darshna_jardos.jpg
1min935

Jayesh Brahmbhatt 98253 44944

ટેક્ષટાઇલ ઉધોગમાં મશીનરી અને ટેક્નોલોજીના અપગ્રેડેશન માટેની ટફ (ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ) સ્કીમ અને એ ટફ સ્કીમમાં પેન્ડીંગ રહી ગયેલી એપ્લિકેશનના સેટલમેન્ટ માટે આજથી બે દિવસ માટે રિંગરોડ પર મંત્રા સંકુલ ખાતે વસ્ત્ર મંત્રાલય દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન વસ્ત્ર રાજ્યમંત્રી દર્શના જરદોષે કર્યું હતું.કેમ્પના ઉદઘાટન સમયે કપડામંત્રી દર્શના જરદોષે પોતાના આક્રમક મિજાજનો પરચો આપતા કહ્યું કે કેમ્પનું આયોજન ઓન ધ સ્પોટ અરજીનો નિકાલ થઇ શકે તે માટે થયું છે. જ્યાં સુધી જુની અરજીઓનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી નવી સ્કીમ નહીં આવી શકે. આજના કેમ્પમાં જુદી જુદી બેંકના સ્વતંત્રતાથી નિણર્ય લઇ શકે તેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કે નહીં તે અંગે પોતે જ હાજરી લેતા દર્શના જરદોષે કહ્યું કે તમે ઓન ધ સ્પોટ નિર્ણય લઇ શકો તેટલા પાવર ધરાવતા હોય તો જ મિટીંગમાં બેસજો. તેમણે બેંકોના અધિકારીઓને ખાસ પૂછ્યું કે તમારી પાસે ઓન ધ સ્પોટ લોન મંજૂર કરવાની સત્તા છે કે નહીં, તેમણે કલેક્ટર કચેરીના નોડલ અધિકારીની અનુપસ્થિતિની પણ ગંભીર નોંધ લીધી હતી.કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે કહ્યું કે પેન્ડીંગ રહી ગયેલા કેસોમાં અનેક વખત પ્રોસિડિંગ અને મુદતો આપવામાં આવી છે. હવે સુરતના આંગણે આ છેલ્લો કેમ્પ છે, જે અરજદારો અગાઉ ક્યાંય ઉપસ્થિત રહ્યા નથી તેમને પણ તક આપવામાં આવી છે. હવે પછી તેમની અરજીનો નિકાલ થઇ શકશે નહીં.

બેંકોની આડોડાઇને કારણે અરજદારોને ભોગવવું પડ્યું

ટફ સ્કીમ, એ ટફ સ્કીમના કેમ્પમાં આજે રજૂઆત કરવા માટે આવેલા અરજદારોએ રજૂઆત કરી કે કેટલીક બેંકોના અધિકારીઓની આડોડાઇને કારણે તેમણે કરોડો રૂપિયાની મશીનરી અને ટેક્નોલોજી નવી વસાવી હોવા છતાં મહિનાઓ સુધી તેમને ઇન્વેસ્ટમેન્ટ પર મળતી સબસિડીથી વંચિત રહેવું પડ્યું છે. બેંકો દ્વારા કેટલાક કેસોમાં ખોટી રીતે ફાઇલો દબાવી રાખીને પ્રક્રિયામાં જ વિલંબ કરવામાં આવ્યો હોવાનું પણ જણાય આવ્યું હતું. બેંકોની આવી આડાઇ સામે આજે ખુદ કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ ગુસ્સામાં જણાયા હતા.
હેડિંગ બોક્સનવી સબસિડી યોજનામાં અરજદારે ઓનલાઇન પ્રોસિજર કરવાની રહેશેઃ દર્શના જરદોષકપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે આજે ટફ સ્કીમની પેન્ડીંગ અરજીના નિકાલ માટેના કેમ્પને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીની ટફ યોજનાના અમલી કરણમાં જેટલા પણ છીંડાઓ, મુશ્કેલીઓ, સમસ્યાઓ નડી છે તે ભવિષ્યની સબસિડી યોજનામાં નહીં નડે. હવે કેન્દ્ર સરકારે એવી જ યોજના તૈયાર કરી રહી છે જેમાં અરજદારે જાતે ઓનલાઇન એપ્લિકેશન કરવા ઉપરાંત દરેક સ્તરે અરજદાર સ્વયં પોતાની એપ્લિકેશન આગળ ધપાવી શકશે. બેંકો કે અન્ય કોઇ સરકારી અધિકારી ઇચ્છશે તો પણ કોઇ અરજદારની અરજી છુપાવી શકશે નહીં.

ટફ અન્વયે 1577 એપ્લિકેશનો પેન્ડીંગ, મોટા ભાગની અપૂરતા દસ્તાવેજોવાળી અરજીઓ

શહેરના રિંગરોડ પર આવેલા મંત્રા સંકુલમાં આજથી બે દિવસ માટે વસ્ત્ર મંત્રાલયના ટફ સ્કીમમાં પેન્ડીંગ અરજીઓના નિકાલ માટેના કેમ્પને સંબોધતા મુંબઇ ટેક્ષટાઇલ મંત્રાલય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઉષા પોલે જણાવ્યું હતું કે કુલ 1577 અરજીઓ પેન્ડીંગ છે. તેમાંથી મોટા ભાગની અરજીઓ એવી છેકે જેમણે 6 અલગ અલગ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે તેમાંથી એક પણ દસ્તાવેજ બાકી હોય તો જે તે અરજદારની મશીનરી કે ટેક્નોલોજીનું ફિઝિકલ વેરિફિકેશન નહીં થઇ શકે. આવા અરજદારોને અનેક વખત લેખિતમાં, મેઇલથી જાણ કરીને પૂર્તતા કરવા માટે જણાવાયું છે છતાં તેમના 70 ટકા લોકોએ કોઇ જ પ્રતિસાદ પાઠવ્યો નથી. આથી હવે છેલ્લા પ્રયાસરૂપે સુરતના મંત્રા સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

May 30, 2022
Cia_business_news-1280x936.jpg
1min567

ડાયમંડ ઉદ્યોગને ઉપયોગમાં આવે એવી ટેક્નોલોજી અને મશીનરીની વૈશ્વિક કંપની સરીન દ્વારા તાજેતરમાં સુરતના 200થી વધુ હીરા પેઢીઓ પર જઇને કોર્ટ કમિશનની કાર્યવાહી કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો અને હીરા ઉદ્યોગની આ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક વિદેશી કંપની સામે દેશી ટેક્નોલોજી ઉત્પાદક તથા ઉદ્યોગકારો સાથે મળીને લડત આપશે. સ્થાનિક સ્તરે કોર્ટ કમિશન સામે વાંધો ઉઠાવવાથી લઇને કોર્ટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના નામે લડી લેવાનો મક્કમ નિર્ધાર આજે મળેલી મિટીંગમાં કરવામાં આવ્યો છે.વિશ્વ વિખ્યાત ડાયમંડ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક કંપની સરીનના સત્તાધીશોએ સુરતની હીરા પેઢીઓ પર કોપીરાઇટ સંદર્ભની કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને હીરા ઉધોગને છંછેડવામાં આવ્યા હતા. હવે પરીણામ એ આવ્યું છે કે સમગ્ર હીરા ઉદ્યોગ એક થઇને હવે વિદેશી વિરુદ્ધ દેશીનો જંગ ખેલવા માટે તૈયારી કરી ચૂક્યો છે.આજે બપોરે ત્રણ કલાકે મિનિબજાર ખાતે સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ મળેલી મિટીંગમાં હજારોની સંખ્યામાં ટેક્નોલોજી ઉત્પાદક અને વપરાશકર્તા બન્ને ઉપસ્થિત રહ્યા હતા અને મેક ઇન ઇન્ડિયા અને વિદેશી વિરુદ્ધ દેશીના નારા સાથે સરીન કંપનીની દબાવી દેવાની પ્રવૃતિ સામે ત્રણ તબક્કાએથી લડત શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. વિદેશી વિરુદ્ધ દેશીની આ લડાઈ કેવી હોવી જોઇએ એ બાબતે સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા, ડાયમંડ એસોસીએશનના મંત્રી દામજીભાઇ માવાણી, એડવોકેટ પ્રવીણભાઇ દેવમૂરારી વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએસનની સ્થાપના

સરીન કંપનીની કાર્યવાહીના વિરોધ કરવા માટે સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને તેમના વપરાશકારો અસરકારક રીતે લડત લડી શકે તે માટે એક નવા સંગઠનની રચના અને જાહેરાત આજે કરવામાં આવી હતી. સુરત ડાયમંડ મંશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ હવે કોપીરાઇટની તમામ લડત, રજૂઆતો, કાયદાકીય કેસો વગેરે કરવામાં આવશે. આગામી દિવસોમાં આ સંગઠનનું સ્વરૂપ નક્કી કરવામાં આવશે.

સરીન કંપની સામે આ રીતે લડત લડાશે

  • સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને વપરાશકર્તાઓની એક્ઝિક્યુટિવ કમિટીની રચના
  • સ્થાનિક કોર્ટમાં કેસોના પ્રોસેડિંગ માટે વકીલની પેનલની નિમણૂંક-
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરવા માટે કમિટીની રચના-
  • સ્થાનિક પેઢી પર કોર્ટ કમિશન સામે વાંધા નોંધાવવાનું વ્યક્તિગત અભિયાન

કોર્ટ કમિશન આવે તો ગભરાવ નહીં તેની સામે વાંધો ઉઠાવોઃ વકીલ પ્રવીણ દેવમૂરારી

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલીક પેઢીઓ સામે સરીન નામની ઇઝરાયેલની કંપનીએ કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને કોપીરાઇટ સંદર્ભનું પ્રોસિડિંગ કરતા હચમચી ઉઠેલા હીરા ઉદ્યોગકારોએ આજે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ જાહેરસભામાં ટેક્નોલોજી અને મશીનરીના સ્થાનિક ઉત્પાદકો અને વપરાશકર્તાઓને માર્ગદર્શન આપતા વકીલ પ્રવીણ દેવમૂરારીએ જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીથી ગભરાય જવાની જરૂર નથી. હકીકતમાં આપણી સમસ્યા આપણા કારણે અથવા આપણામાંથી જ કોઇક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને કારણે ઉભી થઇ છે. ઇઝરાયેલની કંપનીએ પોતાની મશીનરીના કોપીરાઇટ અમેરીકામાં રજિસ્ટર્ડ કરાવ્યા છે એટલે ભારતને કોપીરાઇટ લાગૂ પડે છે. કોઇ કંપનીનું સીધેસીધું ડુપ્લિકેટીંગ પકડાય તો એ ગુનો બને પણ તેના જેવી સ્થાનિક ઉત્પાદિત વસ્તુનો વપરાશ કરી શકાય. હાલમાં સરીનની કાર્યવાહી સંભાવનાઓ અને શક્યતાઓ આધારીત છે. હજુ સુધી કંપની તરફથી કોર્ટમાં કશું જ રજૂ કરાયું નથી.વકીલ દેવમૂરારીએ કહ્યું કે કોર્ટ કમિશન આવે તો ગભરાયા વગર તેનો વિરોધ કરો, લેખિતમાં વાંધો નોંધાવો અને જ્યાં સુધી પૂર્તતા ન થાય ત્યાં સુધી તેને કાર્યવાહી ન કરવા દો. કોર્ટ કમિશન એ આધાર પુરાવો નથી પણ સાંયોગિક પુરાવો છે.

May 12, 2022
cia_edu-1280x925.jpg
2min3524

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ    16
  • પીપી સવાણી સ્કુલ ગ્રુપ    09
  • આઇએન ટેકરાવાલા        03
  • કૌશલ વિદ્યાભવન 02
  • તપોવન વિદ્યાલય 02
  • મૌની અંકુર સ્કુલ  02
  • જીવનભારતી વિદ્યાલય     01
  • એલપી સવાણી   01
  • માધવબાગ વિદ્યાભવન     01
  • શ્રી ગાયત્રી વિદ્યાલય       01
  • રિવરડેલ એકેડેમી 01
  • બીએચ કલસરીયા વિદ્યાલય  01
  • ગાયત્રી હિન્દી મિડીયમ     01
  • રેડીએન્ટ ઇંગ્લીશ સ્કુલ       01

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનું સાયન્સ વિભાગનું પરીણામ સમગ્ર રાજ્યમાં અવ્વલ હોય છે. 2022માં જ નહીં છેલ્લા સાત વર્ષમાં આ સ્કુલના જેટલા એ-વન રેન્કર્સ હોય છે તેટલા કદાચ આખા જિલ્લાઓના નથી હોતા.

ચાલુ વર્ષે ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં કુલ 196 એ-વન ગ્રેડ હોલ્ડર્સ વિદ્યાર્થીઓ છે. જેમાંથી 42 એ-વન રેન્કર્સ સુરત શહેર જિલ્લાના છે. જેમાં એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના જ 16 વિદ્યાર્થીઓ છે.

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થિની વૈભવી લલીતકુમાર મકવાણાએ આજે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-ગુજસેટ) 2022ના પરીણામમાં 120માંથી 120 માર્કસ મેળવીને સમગ્ર રાજ્યમાં સર્વપ્રથમ રેન્ક હાંસલ કર્યો છે.

આશાદીપ સાયન્સ ભવનની વૈભવી મકવાણા ગુજકેટ-22માં 120માંથી 120 માર્કર્સ મેળવી ગુજરાત ટોપર બની

ગુજકેટમાં 120માંથી 120 આખા ગુજરાતમાં પ્રથમ આવી વૈભવી મકવાણા

May 12, 2022
sunstroke.jpg
1min490

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.

May 5, 2022
fenil.jpg
1min721

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.

April 22, 2022
fenil.jpg
1min942

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર સુરતમાં બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડમાં તા.21 એપ્રિલે સુરત કોર્ટ દ્વારા આરોપી ફેનિલ ગોયાણીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. તા.22 એપ્રિલ, શુક્રવારે ગ્રીષ્માની સરજાહેર ઘાતકી હત્યા કરનાર ફેનિલને કોર્ટ સજા સંભાળવાશે. કોર્ટ પાસે સરકારી પક્ષના વકીલે ગુનેગાર ફેનિલને ફાંસીની સજા મળે તેવી માગ કરાઇ છે.’

ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે પોલીસ આરોપી ફેનિલને આજે સવારે કોર્ટમાં લઇને પહોંચી હતી. આરોપી સામે હત્યાના તમામ આરોપો પુરવાર થતાં કોર્ટે તેને ગુનેગાર જાહેર કર્યો હતો અને આવતીકાલે તેનો ચૂકાદો જાહેર કરાશે.’

વેકરિયા પરિવારની દીકરી ગ્રીષ્માની ઘાતકી હત્યા કરવાના કેસમાં મુખ્ય ન્યાયધીશ વીમલ વ્યાસે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે આરોપી ફેનીલને તમામ કલમોમાં તકસીરવાર ઠેરવવાનો હુકમ કર્યો હતો. જો કે સજા કેટલી તે અંગેની મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષના વકીલ ઝમીર શેખ અને અજય ગોંડલિયા દલીલો શુક્રવારના રોજ કરશે.’

રાજ્યમાં પ્રથમ વખત હત્યાકાંડના મામલે ઝડપથી ચૂકાદો આવશે. ગ્રીષ્માની હત્યાની ઘટના બાદના 69માં દિવસે ચૂકાદો આવ્યો છે. બીજી તરફ કોર્ટે ફેનિલને દોષિત ઠેરવ્યા બાદ પૂછયું હતું કે તમને મુત્યુદંડ કેમ ન આપવો? કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, આરોપીએ નિ:સહાય હથિયાર વગરની યુવતીનો આરોપીએ મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. કોર્ટે અંતિમ સજા સંભાળવતા પહેલા આરોપીને કંઇ કહેવું હોય તો કહેવા માટે પૂછયું હતું પરંતુ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.

ગત તા. 12મી ફેબ્રુઆરી 2022ના રોજ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરી હતી ત્યાર બાદ પોતાના હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડયો હતો.’

હત્યાકાંડની તપાસ માટે ડીવાયએસપી ભગવતાસિંહ વનારની આગેવાનીમાં એસઆઈટી બનાવવામાં આવી હતી. એસઆઈટીએ સમગ્ર કેસની ઝડપી તપાસ કરી હતી. સાક્ષીઓ અને ટેકનિકલ એવીડન્સ કોર્ટ સમક્ષ રજૂ કરાયા’ હતા. એસઆઈટી દ્વારા 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આરોપી ફેનિલ સામે કોર્ટમાં 28 ફેબ્રુઆરીથી ન્યાયની લડાઈ શરૂ થઈ હતી. 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતી. આ કેસમાં વધુ સુનાવણી 16 એપ્રિલે થઇ હતી. જો કે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતાં કોર્ટે સુનાવણીની તારીખ 21 એપ્રિલે કરવામાં આવી છે. આજે ફેનીલ ગુનેગાર સાબિત થયો છે અને આવતીકાલે તેને સજા સંભાળવવામાં આવશે.’

April 11, 2022
WhatsApp-Image-2022-04-11-at-7.40.56-PM.jpeg
1min701
રમેશ વઘાસીયા 2022-23ના વર્ષ માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે

સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, જનક પચ્ચીગર અને નીતિન ભરૂચાએ વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું પણ સમજાવટથી માની ગયા

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ પદે હિમાંશુ બોડાવાળા જે રીતે બિનહરીફ ચૂંટાયા છે એવી જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી પરત ખેંચવાના આજે તા.11મી એપ્રિલ 2022 સાંજે 6 કલાકની અંતિમ મુદત બાદ સૌરાષ્ટ્રવાસી મેમ્બર્સ સમર્થિત ઉમેદવાર રમેશ વઘાસીયા સિવાયના બાકીના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રમેશ વઘાસીયા પણ બિનહરીફ ચૂંટાયા છે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચવાના આજે અંતિમ દિવસે સી.એ. હાર્દિક શાહ, સી.એ. મિતીશ મોદી, ટેક્સ કન્સલ્ટન્ટ જનક પચ્ચીગર, વર્તમાન સેક્રેટરી દિપક શેઠવાલા અને મનિષ કાપડીયાએ પોતપોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. સોમવારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો સાંજે 6 વાગ્યા સુધીનો સમય હતો એ પછી ફક્ત માત્ર રમેશ વઘાસીયા જ ઉમેદવાર બાકી રહેતા હવે તેમને આગામી વર્ષ માટે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.