સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન પ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાક્ટરની વરણી ગુજરાત ક્રિકેટ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કરવામાં આવતા આજે સુરત એસડીસીએ, લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના અગ્રણીઓએ હેંમતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત ક્રિકેટ એસોસીએશનમાં સુરતના હેમંતભાઇને વાઇસ પ્રેસિડેન્ટ પદ સાથે મળેલા પ્રતિનિધિત્વને કારણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ક્રિકેટમાં નવું જોમ, ઉત્સાહ વધ્યો છે.
આજે સવારે હેમંતભાઇ કોન્ટ્રાક્ટરને શુભેચ્છા આપવા માટે શૈલેષભાઈ, નિસર્ગ પટેલ, મંયકભાઇ ત્રિવેદી, વિપુલ ભાઈ, હરીશભાઈ, સંજયભાઈ, મયંક ભાઈ, બિપિન ભાઈ, સાયમન કોરેથ, હનીફ મંજુ, વિજયભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.
ગુજરાતમાં હાલ અમલી બનેલી વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજ્યમાં હીરા ઝવેરાત ક્ષેત્રના જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ પોતાના કિંમતી માલસામાનની હેરફેરમાં ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. કેટલાક ઝવેરીઓનો કરોડો રૂપિયાના દાગીના સીઝ થયાના પણ બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની રિજિયોનલ કચેરી, સુરતના ચેરમેન વિજય માગુકીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે તા.23મી નવેમ્બરે સાંજે સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઑકને મળીને આ મુદ્દા પર ક્લેરિટી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે સ્પષ્ટતા માગી હતી.
હજુ ચૂંટણીની આચારસંહિતા તા.8મી ડિસેમ્બર 2022 સુધી લાગૂ થવાની હોઇ, હવે પછીના દિવસોમાં હીરા ઝવેરાત ક્ષેત્રના વેપારીઓ, સ્ટેક હોલ્ડર્સ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના હીરા ઝવેરાત, દાગીનાની હેરફેર કરશે તો તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
જીજેઇપીસીના ચેરમેન વિજય માંગુકીયા, જીજેઇપીસીના ડે.ડાયરેક્ટર રજતભાઇ, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિ સાવલિયા સહિતના મહાનુભાવોએ મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર આયુષ ઑકને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી.
શ્રી ઓકે GJEPC ના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવવાની ખાતરી આપી હતી. હીરા ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયાલા સ્ટેક હોલ્ડર્સ જો એ એસ.ઓ.પી.ની પ્રક્રિયાનો અમલ કરશે તો તેમને તથા GJEPC સુરત ઑફિસ મેમ્બર્સને કિંમતી માલસામાનની હેરફેર બેરોકટોક પણે કરી શકશે.
તદુપરાંત જિલ્લા કલેક્ટરે હીરા ઝવેરાત ક્ષેત્રના પ્રતિનિધિમંડળને એવી પણ ખાતરી આપી હતી કે અત્યાર સુધી ઝવેરીઓના જે સમાન સીઝ કરાયો છે, એ નિયમાનુસાર પ્રક્રિયા બાદ બે દિવસમાં રિલિઝ પણ કરવામં આવશે.
GJEPC સુરત ઑફિસ SOP પર વેબિનારનું આયોજન કરશે અને SOP ને તમામ GJEPC મેમ્બર અને અગ્રણી એસોસિએશનને સરક્યુલેટ કરશે, જે એકવાર સુરતના કલેક્ટરની ઑફિસમાંથી પ્રાપ્ત થશે.
આગામી તા.16થી 19 ડિસેમ્બરના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ યોજાઇ રહેલા ઝવેરાત વેપારના સ્પાર્કલ એક્ષ્પોમાં સામાન્ય રૂ.10 હજારથી લઇને રૂ.1 કરોડથી વધુ રકમનો દાગીનો ડિસ્પ્લેમાં તો મૂકાશે જ પરંતુ, કોઇ ગ્રાહક ઇચ્છે તો તેને ઓન ધ સ્પોટ ખરીદ પણ કરી શકશે. જે પ્રકારે હાલમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તેની સાથે સ્પાર્કલ એક્ઝિબિશનમાં સંકળાયેલી ઝવેરાતની સંસ્થાઓ દ્વારા સ્પાર્કલ 2022નું પ્રમોશન ચાલી રહ્યું છે એ જોતા આ વખતે સ્પાર્કલ અગાઉના તમામ રેકોર્ડ બ્રેક કરશે પછી એ એક્ઝિબિશનના હોય કે વેચાણના હોય.
સુરત શહેર અને આસપાસના અંદાજે 50 જેટલા જ્વેલર્સ ચાર દિવસ સુધી ઇન્ડોર સ્ટેડીયમમાં પોતાની ડિઝાઇન, પેટર્ન, મટિરિયલ, બ્રાન્ડ, કિંમત, ધાતુ વગેરેના અવનવા દાગીનાઓનું પ્રદર્શન અને વેચાણ કરશે.
સ્પાર્કલ એક્ષ્પોમાં એવા પરિવારોને તેડાવાયા છે જેમના પરિવારમાં આગામી મહિનાઓમાં લગ્ન લેવાના છે.
ચેમ્બર ઓફ કોમર્સના સાનિધ્ય યોજાનારા સ્પાર્કલ અંગે પ્રમુખ હિમાંશુ બોડાવાલા, ઉપપ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી ભાવેશ ટેલર, બિજલ જરીવાલા સહિત અન્યોએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.
સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.
સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને
સુરત જ્વેલર્સ એસોસીએશન,
વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન,
જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ,
વડોદરા જ્વેલર્સ એસોસીએશન,
નવસારી જ્વેલર્સ એસોસીએશન,
સુરત જ્વેલરી શો અને
ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્પાર્કલનું પ્રમોશન કરી રહી છે.
2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સુરત શહેર જિલ્લામાં 40 લાખ જેટલા મતદારો નોંધાયેલા હતા. પાંચ જ વર્ષમાં સુરત શહેર જિલ્લામાં નવા મતદારોની સંખ્યા વધીને 7 લાખ 25 હજાર 840ની થઇ છે. કુલ 18.08 ટકા નવા મતદારો વધ્યા છે. જાણકારો કહે છેકે સુરતમાં ત્રણ નવી મતદાર વિધાનસભા બેઠકો વિકસાવી શકાય તેટલા મતદારો વધી ચૂક્યા છે.
5.65 લાખ મતદારો ધરાવતી ચોયાર્સી બેઠક સુરતની જ નહીં ગુજરાતની મોટામાં મોટી વિધાનસભા બેઠક
ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરતા જ વહીવટીતંત્રનો માહોલ હવે ચૂંટણી લક્ષી બન્યો છે. વિધાનસભા બેઠકોવાર ચૂંટણી તંત્ર ગોઠવાઇ ચૂક્યું છે. રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં મતદારની દ્રષ્ટીએ સુરતની ચોર્યાસી વિધાનસભા સીટ સુરતની જ નહીં પણ સમગ્ર ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર છે. ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 5 લાખ 65 હજાર 111 મતદારો છે. જેમાં 3.20 લાખ પુરુષ મતદારો અને 2.44 લાખ સ્ત્રી મતદારો મતદાન કરી શકે તે માટે કુલ 526 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
સુરત પૂર્વ ઉત્તર વિધાનસભા મત વિસ્તાર સુરત શહેર જિલ્લામાં મતદારની દ્રષ્ટીએ સૌથી નાનો મત વિસ્તાર છે. સુરત ઉત્તરમાં કુલ મતદારોની સંખ્યા 1 લાખ 63 હજાર 124 છે. જેમાં 86059 પુરુષ મતદારો અને 77053 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ
ક્રમ
વિગત
પ્રથમ તબકકો
૧
ચૂંટણી પંચનું જાહેરનામું/નોટીસ બહાર પાડવાની તારીખઃ
તા.૦૫/૧૧/૨૦૨૨ (શનિવાર)
૨
ઉમેદવારી૫ત્રો ભરવાની છેલ્લી તારીખ
તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
૩
ઉમેદવારી૫ત્રો ચકાસણીની તારીખ
તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર)
૪
ઉમેદવારી૫ત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખઃ
તા.૧૭/૧૧/૨૦૨૨ (ગુરૂવાર) બપોરના ૧૫.૦૦ કલાક સુઘી
૫
મતદાનની તારીખ (પ્રથમ તબક્કો)
તા.૦૧/૧૨/૨૦૨૨ (ગુરૂવાર) સવારે ૦૭.૦૦ કલાક થી સાંજે ૧૮.૦૦ કલાક સુઘી
૬
મતગણતરીની તારીખ
તા.૦૮/૧૨/૨૦૨૨ (ગુરૂવાર)
૭
ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ
તા.૧૦/૧૨/૨૦૨૨ (શનિવાર)
સુરત જીલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા બેઠકો પૈકી ૩ (ત્રણ) બેઠકો (૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી તથા ૧૭૦-મહુવા) અનુસુચિત જનજાતિ માટે અનામત છે. જયારે ૧૬૯-બારડોલી બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે.
વિવિઘ વિઘાનસભા મત વિસ્તારના મતદાન મથકો તેમજ મતદારોની વિગતોઃ-
ક્રમ
વિ.સ.મ.વિ.નું.નામ
મતદાન મથકો
પુરુષ
સ્ત્રી
અન્ય
કુલ
૧
૧૫૫-ઓલપાડ
૪૩૯
૨૪૧૦૮૯
૨૧૩૭૪૧
૮
૪૫૪૮૩૮
૨
૧૫૬- માંગરોળ(એસ.ટી)
૨૬૩
૧૧૪૫૦૬
૧૧૦૯૬૧
૩
૨૨૫૪૭૦
૩
૧૫૭-માંડવી (એસ.ટી)
૨૯૭
૧૨૧૦૭૭
૧૨૫૬૫૮
૧
૨૪૬૭૩૬
૪
૧૫૮- કામરેજ
૫૧૮
૨૯૬૭૧૩
૨૪૯૬૪૧
૬
૫૪૬૩૬૦
૫
૧૫૯-સુરત પૂર્વ
૨૧૨
૧૦૮૬૬૭
૧૦૫૯૮૦
૪૧
૨૧૪૬૮૮
૬
૧૬૦- સુરત ઉત્તર
૧૬૩
૮૬૦૫૯
૭૭૦૫૩
૧૨
૧૬૩૧૨૪
૭
૧૬૧- વરાછા રોડ
૧૯૯
૧૨૦૮૯૪
૯૪૮૦૩
૫
૨૧૫૭૦૨
૮
૧૬૨ – કરંજ
૧૭૬
૧૦૧૧૮૨
૭૫૪૪૬
૭
૧૭૬૬૩૫
૯
૧૬૩- લિંબાયત
૨૬૯
૧૬૯૭૮૧
૧૩૪૯૩૦
૧૩
૩૦૪૭૨૪
૧૦
૧૬૪- ઉધના
૨૫૦
૧૫૬૨૧૭
૧૧૪૨૫૪
૧૭
૨૭૦૪૮૮
૧૧
૧૬૫- મજુરા
૨૫૬
૧૫૧૪૯૪
૧૨૭૦૫૩
૯
૨૭૮૫૫૬
૧૨
૧૬૬- કતારગામ
૨૯૨
૧૭૬૭૩૫
૧૪૫૨૭૮
૨
૩૨૨૦૧૫
૧૩
૧૬૭-સુરત પશ્ચિમ
૨૨૨
૧૩૦૪૮૮
૧૨૫૯૮૧
૩
૨૫૬૪૭૨
૧૪
૧૬૮- ચોર્યાસી
૫૨૬
૩૨૦૬૩૦
૨૪૪૪૫૪
૨૭
૫૬૫૧૧૧
૧૫
૧૬૯- બારડોલી (એસ.સી)
૨૭૧
૧૩૯૬૮૩
૧૨૯૭૬૩
૫
૨૬૯૪૫૧
૧૬
૧૭૦- મહુવા (એસ.ટી)
૨૭૦
૧૧૧૭૧૮
૧૧૭૧૧૩
૦
૨૨૮૮૩૧
કુલ
૪૬૨૩
૨૫૪૬૯૩૩
૨૧૯૨૧૦૯
૧૫૯
૪૭૩૯૨૦૧
જીલ્લામાં કુલ ૪૬૩૭ મતદાન મથકો આવેલા છે. જે પૈકી ૧૪ મતદાન મથકો Auxiliary Polling Stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચ દ્રારા નિર્ઘારીત ASSURED MINIMUM FACILITIES (AMF) પુરી પાડવામાં આવશે.
જીલ્લામાં દરેક વિઘાનસભા ક્ષેત્ર દીઠ ૦૭ મહિલા મતદાન મથકો, ૦૧ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, ૦૧ મોડેલ મતદાન મથક તથા ૦૧ ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે. આમ, સુરત જીલ્લામાં કુલ ૧૧૨ મહિલા મતદાન મથકો, ૧૬ દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, ૧૬ મોડેલ મતદાન મથકો તથા ૧૬ ગ્રીન મતદાન મથકો તથા ૦૧ યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ ૨૫ થી ૩૦ વય જુથના હશે) ઉભા કરવામાં આવશે.
જીલ્લામાં કુલ ૫૨૬ પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવેલ છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જીલ્લાના કુલ મતદાન મથકોમાંથી ૨૬૩૨ મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.
૧૬૪-ઉઘના વિઘાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવેલ છે.
સુરત જીલ્લામાં ૧૬ વિઘાનસભા મત વિસ્તારમાં તા.૧૦/૧૦/૨૦૨૨ ની સ્થિતીએ કુલ ૪૭૩૯૨૦૧ મતદારો નોંઘાયેલા છે. જેમાં ૨૫૪૬૯૩૩ પુરૂષ મતદારો, ૨૧૯૨૧૦૯ મહિલા મતદારો, ૧૫૯ થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી ૬૨૦૩૭ મતદારો ૮૦ વર્ષથી ઉપરના, ૨૩૮૫૯ દિવ્યાંગ મતદારો તથા ૪૨૩ સર્વીસ મતદારો છે. ૧૮-૧૯ વય જુથમાં તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત પ્રમાણે કુલ ૩૬૫૫૬ યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
દિવ્યાંગ મતદારો તથા ૮૦ વર્ષથી ઉપરના મતદારો માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિઘા ઉપલબ્ઘ કરાવવામાં આવશે.
વિધાનસભા ૨૦૧૭ની ચુંટણીની સરખામણીમાં વિધાનસભા ૨૦૨૨ની ચુંટણી ૭,૨૫,૮૪૦ મતદારોનો વધારો થયેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ ૧૮.૦૮% થયેલ છે.
જિલ્લામાં ચુંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્યાપ્ત સંખ્યામાં EVM-VVPAT મશીનો ઉપલબ્ઘ છે. જેની વિગત નીચે મુજબ છે.
જિલ્લાનું નામ
BU
CU
VVPAT
સુરત
૮૮૫૯
૭૦૩૧
૮૬૨૫
ચુંટણી આચાર સંહિતાને લગતી જાણકારી/ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર
જિલ્લા સેવા સદન-૨, બી-૧, કંટ્રોલ રૂમ શાખા, કલેકટર કચેરી, સુરત
તાજેતરમાં ગુજરાત સરકારે સી.એન.જી. અને પી.એન.જી. ગેસ પર વસૂલાતા વેટના 15 ટકાના દરમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સી.એન.જી. ગેસ પંપ ધારકોએ વાહનચાલકોને 5 ટકા વેટ સાથે ગેસ ફિલિંગ કરી આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ, હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ગેસ સપ્લાય કરતી કંપનીઓ) દ્વારા સીએનજી પંપ ધારકો પાસેથી 15 ટકાના દરે જ વેટ વસૂલવાનું ચાલુ રાખતા આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકોએ તા.1લી નવેમ્બર 2022થી અચોક્કસ મુદત માટે હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સીએનજી પંપ ધારકોની કમિશન વધારવા અંગેની માગણી ચારથી પાંચ વર્ષથી પેન્ડીંગ છે.
એક પત્રકાર પરિષદમાં સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ દેસાઇ, સીએનજી એસોસીએશનના નિરજ મોદી સહિતના હોદ્દેદારોએ સંયુક્ત પણે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડા અંગેના રાજ્ય સરકારના નિર્ણય અંગે ગૂંચવાડાભરી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના આદેશ અનુસાર સીએનજી પંપ ધારકોએ તાત્કાલિક અસરથી સીએનજી પંપ પરથી વાહનોમાં ફિલિંગ કરી અપાતા ગેસ પર 5 ટકા પ્રમાણે વેટ વસૂલવાનું શરૂ કર્યું છે. પરંતુ, બીજી તરફ, સીએનજી પંપ ધારકોને ગેસ પુરવઠો પૂરો પાડી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 ટકાના હિસાબે વેટ વસૂલવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં સીએનજી પંપ ધારકોને 10 ટકા વેટની રકમની નુકસાની હાલ પ્રતિદિન ભોગવવાનો વખત આવ્યો છે. આ પ્રકારે ધંધો થઇ શકે નહીં આથી તા.1લી નવેમ્બર 2022થી સુરત અને તાપી જિલ્લામાં આવેલા તમામે તમામ સીએનજી ગેસ પંપો પરથી સીએનજી ગેસ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અચોક્કસ મુદત માટે સીએનજી પંપો પરથી ગેસ પુરવઠો નહીં મળે.
સીએનજીનો દર રૂ.43 હતો ત્યારે જે કમિશન મળતું તે આજે રૂ.83એ પણ યથાવત્
સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતમાં સીએનજી ગેસ પ્રતિ કિલોએ રૂ.43ના દરે વેચાતો હતો ત્યારે સીએનજી પંપ ધારકોને જે કમિશન મળતું હતું એ જ કમિશન આજે સીએનજીનો દર રૂ.83નો થયો છે ત્યારે પણ યથાવત છે. પંપ ધારકોના કમિશનમાં વધારાની માગણી છેક 2019થી પેન્ડીંગ છે. ઉલ્ટાનું કેન્દ્ર સરકારે વધારાનું કમિશન ચૂકવવાનો આદેશ આપ્યો છે છતાં કંપનીઓએ કરોડો રૂપિયાનું કમિશન જમા રાખ્યું છે અને પંપ ધારકોને ચૂકવતી નથી.
પંપ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની પાસેથી સીએનજી ગેસ સપ્લાય પર 5 ટકા વેટ વસૂલવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી સીએનજીનું વેચાણ નહીં કરવામાં આવે.
તા.24મી ઓક્ટોબરને મંગળવારની મોડી રાત્રે, જ્યારે સમગ્ર શહેરમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે સુરતની હવામાં પ્રદૂષણનું પ્રમાણમાં અનહેલ્ધી એટલે કે બિમાર પાડી દે તે હદે પહોંચી ચૂક્યું હતું. તા.24મી ઓક્ટોબરની રાત્રે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 296ના લેવલને પાર કરી ગયો હતો. એર ક્વોલિટી ઇન્ડેક્ષ એવું પરીમાણ છે કે જે હવાની ગુણુવત્તા સૂચવે છે. સુરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ અંગે ભારતની ખ્યાતનામ સંસ્થાએ જારી કરેલા ડેટા મુજબ છેલ્લા સાત દિવસથી સતત સુરતનો એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્ષ) ઉંચે જઇ રહ્યો છે. અને તેમાં પણ પીએમ 2.5 એટલે કે હવામાં સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા પ્રમાણ કરતા સુરતની હવામાં રજકણોનું પ્રમાણ 6 ગણું વધી ગયું હતું.
સુરતના વાતાવરણના છેલ્લા એક સપ્તાહના આંકડા, એર ક્વોલિટી ઇન્ડેક્ષ ગયા બુધવારે દૈનિક સરેરાશ ફક્ત 57 હતો જે તા.25મીએ દૈનિક સરેરાશ 145 થઇ ગયો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આદર્શ હવા માટે પી.એમ.2.5નું પ્રમાણ 15 સેટ કર્યું છે જેની સામે તા.24મીએ રાત્રે 9 વાગ્યાથી તા.25મીએ સવારે 10 વાગ્યા સુધીમાં સુરતમાં બે સ્થળોએથી ચકાસાયેલી સુરતની હવામાં પી.એમ.2.5નું પ્રમાણ 90 હતું. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સુરતમાં તા.25મી ઓક્ટોબરે સવારે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં એટલો ખરાબ હતો કે જેમાં શ્વાસ લેવાથી બિમારી થઇ શકે છે. આ એક જોખમી લેવલ છે.
જાણકારો કહે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચે જવા પાછળ ફટાકડાનું પ્રદૂષણ એકલું કારણભૂત નથી પરંતુ, ફટાકડા સાથે શિયાળો બેસી રહ્યો છે એટલે શુષ્ક વાતાવરણ પણ જવાબદાર મનાય છે. હવે સુરતમાં એક્યુઆઇ ઉંચે જતો જોવા મળશે.
સુરતમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી બની છે, જેને ટેકનિકલ ભાષામાં પૂઅર કહેવાય છે. હવામાં અતિસૂક્ષ્મ રજકણોનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા 15ના પ્રમાણ કરતા 6 ગણું વધારે એટલે કે 90 છે.
સુરત સહિત સમગ્ર વિશ્વમાં વિખ્યાત હીરા કંપની, SRK એક્ષ્પોર્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોવીડ કાળમાં આપેલું આત્મનિર્ભર ભારતનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ગઇ તા.20મી ઓક્ટોબર 2022ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસ.આર.કે. સ્પોર્ટસ પાર્કમાં SRK એક્ષ્પોર્ટના કર્મચારીઓ સાથે દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં SRK એક્ષ્પોર્ટ તરફથી તેમના 1000 કર્મચારીઓને રૂફટોપ સોલાર સિસ્ટમ દિવાળી બોનસ તરીકે ભેંટ આપવામાં આવી હતી. SRK એક્ષ્પોર્ટમાં કુલ 6000 કર્મચારીઓ કાર્યરત છે, તેમને તબક્કાવાર સોલાર રૂફટોપની વહેંચણી કરવામાં આવશે.
SRK Exports કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “શ્રી ગોવિંદકાકા” એ જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.”
SRK એક્સપોર્ટ્સના પાર્ટનર શ્રી જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.” SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.
શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) વિશે: “શ્રી ગોવિંદકાકા” દ્વારા સ્થપાયેલ, SRK, વિશ્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સ કરનાર કંપનીઓમાંની એક છે. 1.8 બિલિયન USD કરતાં પણ વધુ મૂલ્યવાન, SRK 6000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પડે છે અને છેલ્લા 6 દાયકામાં વૈશ્વિક ઈકોનોમીમાં ભારતે આપેલ યોગદાનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. એક મુખ્ય હેતુ જેને તે પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને મક્કમતા કહે છે તેના માટે પ્રતિબદ્ધ છે, SRKએ જેમ્સ અને જ્વેલરી ઉધ્યોગોને ESGનું પાલન કરવા પ્રાથમિકતા આપવા અને ભારતમાં ઝીરો એમીશન કેટલું જરૂરી છે અને ઝડપથી ત્યાં પહોંચવા કયાં પગલાં લેવા જોઇએ તેની માહિતી અને સમજ પહોંચાડવા મહત્તમ પ્રયાસ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ISO, સિસ્ટમ અને પ્રોસેસનાં પ્રમાણપત્રો ધરાવતી કંપની SRK છે. વધુમાં તેના નફાના 4.5%થી પણ વધુ હિસ્સો SRK તેની વિવિધ CSR પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે વાપરે છે. ગોવિંદકાકા હંમેશા સૌને સાથે રાખીને માનવ કલ્યાણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. સમાજમાં ટકાઉ વિકાસ થાય એ એમની કાયમી ચિંતા હોય છે.
સુરત સહિત સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગમાં જાણિતું નામ એટલે લક્ષ્મી ડાયમંડ. ૧૯૭૨માં સ્થપાયેલ લક્ષ્મી ડાયમંડ કંપનીને ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભવ્ય સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ ગઇ તા.૧૨થી ૧૬ ઓક્ટોબર દરમિયાન મોટા વરાછા ખાતે આવેલી કેપિટલ લોન્સ ફાર્મ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
સ્વર્ણિમ મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સમેત કર્મચારીઓનું જાહેર બહુમાન કરવામાં આવ્યું હતું. આ પાચ દિવસીય સમાંરભમાં દરમ્યાન લક્ષ્મી ડાયમંડ પરિવારના અદાજીત ૨૫૦૦૦ વ્યકિતનો ભોજન સમાંરભ તેમજ કંપનીમાં ૧૦ વર્ષથી લઈ ૩૦ વર્ષ અને તેના કરતા વધારે સમયથી કંપનીમાં ફરજ બજાવતા ૧૦૧૧ કર્મનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાંચેય દિવસના સમાંરભમાં દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકર દ્વારા જીવન લક્ષીય અને પરિવાર ભાવના જળવાય તેવી જીવન ઉપયોગી માહિતી આપી હતી. જેમાં પ્રથમ દિવસે શૈલેશભાઈ સગપરીયા, બીજા દિવસે ધર્મબંધુજી અને જય વસાવડા, ત્રીજા દિવસે કાજલ ઓઝા વૈદ, ચોથા દિવસે સંજય રાવલ અને પાંચમાં દિવસે નેહલબેન ગઢવી ઉપસ્થિત રહી પરિવારના શું સભ્યોને આંધ્રય જીવન જીવવા માટે ખુબ વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.
આ કાયક્રમ માં અન્ય આમત્રિત મહેમાનો જેવ કે શ્રીમતી દર્શનાબેન ઝરદોષ (રેલ્વે રાજ્ય મંત્રી,ભારત સરકાર), પુર્ણેશ મોદી (પ્રવાસન મંત્રી, ગુજરાત રાજ્ય), તેમજ રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ ઉધોગ અને કાપડ ઉદ્યોગના નામાંકિત મહાનુભાવો દ્વારા લક્ષ્મી ડાયમંડ આ પારિવારિક ભાવને બિરદાવવામાં આવ્યો હતો. સાથે સાથે કંપનીના સ્થાપક વસંતભાઈ ગજેરા અને ચુનીભાઈ ગજેરાએ પણ જીવન ઉપયોગી વાતો કરી પરિવારજનોને કુરીવાજો અને અંધશ્રદ્ધા વિષે સમજ આપી હતી તથા પારિવારિક ભાવનાની જીવન ઉપયોગીતા વિષેની સમજ આપી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.