પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહિંયા તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
ટીએમસીએ 2014ની લોકસભા ચૂંટણીમાં 42 બેઠકોમાંથી 34 બેઠકો પર જીત મેળવી હતી.
ઓડિશામાં ભાજપ આગળ ચાલી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળે 21માંથી 20 બેઠક પર જીત મેળવી હતી.

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહિંયા તૃણમૂલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
ટીએમસીએ 2014ની લોકસભા ચૂંટણીમાં 42 બેઠકોમાંથી 34 બેઠકો પર જીત મેળવી હતી.
ઓડિશામાં ભાજપ આગળ ચાલી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળે 21માંથી 20 બેઠક પર જીત મેળવી હતી.

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી લહેર જોવા મળી છે અને એનડીએ આગળ ચાલી રહી છે. બપોરે 2 વાગ્યે ભાજપાની આગેવાની હેઠળ એન.ડી.એ. ને 320 બેઠકો પર સરસાઇ મળી રહી છે જ્યારે કોંગ્રેસ આગેવાની હેઠળના યુપીએને 90 બેઠકો પર સરસાઇ મળી રહ્યાના અહેવાલો છે. અન્ય 105 બેઠકો પર આગળ હોવાનું ચિત્ર જણાય આવે છે.

એ પૂર્વે પોસ્ટલ બેલેટની અને ઈવીએમની મતગણતરી એકસાથે શરૂ થઈ છે. અગાઉ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાતી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવતી હતી. લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી બપોરે બે વાગ્યે મધ્ય ભાગે પહોંચી અને હજુ પણ પાંચેક કલાક બાદ એટલે કે મોડી સાંજ સુધીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
દિલ્હીમાં ભાજપ કાર્યલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.
ગુજરાતમાં 26એ 26 તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય સરઘસની તમામ તૈયારીઓ સાથે જશ્ન શરૂ કરી દીધો છે. બુધવારે જ કમલમ ખાતે ખૂબ જ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. મોડી સાંજથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવશે.
જીતના નક્કી થતાની સાથે ભાજપે ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ફોડવામાં આવ્યા તેમજ મીઠાઇઓ વહેંચી દેવામાં આવી છે.
ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ભાજપના સીનિયર લીડર્સ કમલમ ખાતે રહેશે જ્યારે ઉમદેવારનો અને કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે. મહત્વનું છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં લગભગ તમામ બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં નિરવ શાંતિ છવાઈ ગઈ છે.
ઉજવણીની તૈયારીઓ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, ‘પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળેલા ફીડબેક પછી અમે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય જીત માટે તૈયાર છીએ. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓ કમલમ ખાતે આ ઐતિહાસિક જીતના સાક્ષી બનાવા માટે ઉપસ્થિત રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવશે જોકે હજુ તેના સ્થળ અને સમય અંગે નક્કી કરવામાં આવ્યું નથી.
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ એનડીએની બીજી ટર્મ સિક્યોર થઈ હોવાના પ્રારંભિક ટ્રેન્ડ સાથે જ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો.
BSE બેન્ચમાર્ક સેન્સેક્સે ગુરુવારે સૌપ્રથમવાર 40,000 પોઈન્ટ્સની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી અને નિફ્ટીએ પણ 12,000ની સપાટી તોડી હતી. કેન્દ્રમાં ફરી એક વાર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતીના સંકેતને પગલે શેરબજારમાં આજે ઓલરાઉન્ડ લેવાલી જોવા મળી હતી.
શેરબજારમાં તેજી વચ્ચે અમેરિકન ડોલર સામે રૂપિયો પણ 14 પૈસાના સુધારા 69.51 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે બપોરે 30 શેર્સનો બનેલો સેન્સેક્સ એક તબક્કે 900 પોઈન્ટ્સ વધીને 40,012.35 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. NSE નિફ્ટી પણ 265 પોઈન્ટ્સના જંગી ઉછાળા સાથે 12,003.50 પોઈન્ટ્સની સપાટી વટાવી ગયો હતો.
આજે બપોરે યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, L&T, SBI, ICICI બેન્ક, કોટક બેન્ક, RIL અને HDFC બેન્કના શેર્સ 8 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે વેદાંતા, ITC અને TCSના શેર્સ 0.45 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
બે કલાકની મતગણતરી બાદ સત્તાધારી NDAને 300થી વધુ બેઠકોમાં સરસાઈ મળતાં બજારમાં લેવાલી વધી હતી. કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએ 100 બેઠકો પર સરસાઈ ધરાવતું હતું.
ક્રિકેટ પંડિતો કઇ ટીમ ચેમ્પિયન બનશે તેના પર વિશ્લેશણ કરી રહયા છે. મોટાભાગનાએ યજમાન ઇંગ્લેન્ડ અને ભારતની ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાવી છે. એનું કારણ એ છે કે પાછલા કેટલાક વર્ષોમાં આ બે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.
ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી વન ડે ક્રમાંકમાં હાલ નંબર વન છે. ઇયાન મોર્ગનના સુકાનીપદ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે પાછલી 10 સિરિઝ જીતી છે. આ દરમિયાન તેણે દ. આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમોને હાર આપી છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ પાછલી 10 વન ડે શ્રેણીમાંથી આઠમાં વિજય હાંસલ કર્યોં છે. આ દરમિયાન ભારતે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા જેવી ટીમોને હાર આપી છે.
જો કે આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે આંચકારૂપ હાર પણ સહન કરવી પડી છે. ભારત વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાને છે અને ત્રીજો વિશ્વ કપ જીતવા મેદાને પડશે.
બીજી તરફ દ. આફ્રિકાએ પણ પાછલી પ વન ડે સિરિઝ સતત જીતી છે. જો કે તેને ભારત અને ઇંગ્લેન્ડ સામે હાર મળી હતી. આ સામે ઓસ્ટ્રેલિયાએ પાછલી 10 સિરિઝમાંથી ફકત 4 સિરિઝ જ જીતી છે, પણ ભારત પ્રવાસના આખરી ત્રણ મેચ જીતીને શ્રેણી કબજે કરી હતી. બાદમાં પાકિસ્તાનને યૂએઇમાં પ-0થી સજ્જડ હાર આપી હતી. આમ તે પાછલા 8 વન ડે મેચથી અપરાજીત છે અને ફોર્મમાં વાપસી કરી ચૂકી છે. આથી ઓસ્ટ્રેલિયા પણ વર્લ્ડ કપમાં ફેવરિટ ટીમ બની ગઇ છે.
એક્ઝિટ પોલ સાથે 1421 પોઇન્ટની જોરદાર છલાંગ લગાવ્યાં બાદ મંગળવારના સત્રમાં સેન્સેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઝડપી પ્રોફિટ બુકિંગ શરૂ થતાં સેન્સેક્સ 383 પોઇન્ટ ગબડ્યો હતો અને નિફ્ટીએ 119 પોઇન્ટ ગુમાવ્યાં હતાં. પ્રારંભિક ઉછાળા બાદ રોકાણકારોને એવું સમજાઇ જતાં કે ચૂંટણીમાં ભાજપની જિતની સંભાવના એક્ઝિટ પોલની જાહેરાત સાથે પૂર્ણપણે ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે, પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. બીએસઇનો સંવેદનશીલ શેરઆંક સેન્સેક્સ 39,352.67 પોઈન્ટ્સના પાછલા બંધ સામે 39,449.45 પોઇન્ટની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન 39,571.73 પોઇન્ટની ઊંચી અને 38,884.85 પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને 382.87 પોઇન્ટ અથવા તો 0.97 ટકાના ઘટાડા સાથે 38,969.80 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ટાટા મોટર્સ, મારુતિ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક: નેશનલ સ્ટોક એક્સચેંજનો 50 શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી 11,828.25 પોઇન્ટના પાછલા બંધ સામે 11,863.65 પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 11,883.55 અને નીચામાં 11,682.80 પોઈન્ટ્સની રેન્જમાં અથડાયા બાદ 119.15 પોઈન્ટ્સ અથવા તો 1.01 ટકા ઘટીને 11,709.10 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. રેવેન્યૂના ધોરણે આઇઓસીને પાછળ મૂકીને રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની બની હતી. 2018-19ના નાણાકીય વર્ષમાં રિલાયન્સે રૂ. 6.23 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જ્યારે આઇઓસીએ રૂ. 6.17 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 49 ટકાનો ટાડો નોંધાવનાર ટાટા મોટર્સનો શેર 7.05 ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. આ ઉપરાંત અન્ય લૂઝર શેરોમાં મારુતિ, ઇન્ડસઇન્ડ બેન્ક, એમએન્ડએમ, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસિસ, યસ બેન્ક અને ટીસીએસમાં 3.25 ટકા સુધીનો કડાકો હતો.
ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક, પાવરગ્રીડ, એચયુએલ: જોકે ખરાબ બજારમાં પણ સંસ્થાકીય લેવાલીનો ટેકો મળવાને કારણે રિલાયન્સ, એચયુએલ અને બજાજ ફાઇનાન્સ જેવા શેરોમાં 1.08 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. પ્રારંભના સત્રને બાકાત કરતાં બાકીના સમયમાં વ્યાપક અને તીવ્ર વેચવાલી જોવા મળી હોવાથી નાના શેરોમાં પણ ધોવાણ જોવા મળ્યું હતું. બીએસઇના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં એકંદર 0.84 ટકા જેવી પીછેહઠ સાથે નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતાં. એસ્ટ્રા પોલિ ટેકનિક, ડીવીઆર, ફિલિપ્સ, કાર્બન બ્લેક અને વોડાફોન, આઇડિઆ પણ ટોપ લૂઝર માં સામેલ હતો. બી ગ્રુપના શેરોમાં રાધા માધવ ટોપ લૂઝર બન્યો હતો. અન્ય લૂઝર શેરોમાં એનઇએલ હોલ્ડિંગ, નાહર પોલિફિલ્મ્સ, શ્રી પુષ્કર કેમિકલ અને પલાશ સિક્યુરિટીઝનો સમાવેશ હતો.
એસ્ટ્રા પોલિ ટેકનિક, એનઇએલ હોલ્ડિંગ, ડીવીઆર, ફિલિપ્સ: થાયરોકેર ટેકનોલોજીમાં એનએસઇ પર 3.66 લાખ શેરનું વોલ્યુમ જોવા મળ્યું હતું. આ ઉપરાંત યુનાઇટેડ બ્રુવરીઝ, સિનજિન ઇન્ટરનેશનલ, ટ્રેન્ટ અને જેકે લક્ષ્મી સિમેન્ટમાં પણ વોલ્યુમમાં ઉછાળા નોંધાયા હતા. ટીવીએસ મોટર્સ, બજાજ ફાઇનાન્સ અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડમાં સતત પાંચમા સત્રમાં આગેકૂચ જોવા મળ્ી હતી. બજારમાં સ્થિરતા રહેતી ન હોવાથી રોકાણકારોનો જીવ ઉચ્ચક રહે છે. એક્ઝિટ પોલથી લઇને ચૂંટણીના પરિણામો અને અમેરિકાના ઇરાન અને ચીન સાથેના ઘર્ષણો, ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાની વધઘટ જેવા પરિબળો માર્કેટમાં અફડાતફડી અને અસ્થિરતાને પોષતા રહેશે.
તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.
23 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી યોજાશે. આ મતણગતરી સવારના 8 વાગ્યે શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં 26 સંસદીય મત વિસ્તાર અને ત્રણ પેટાચૂંટણી માટે 27 મતગણતરી કેન્દ્રો તથા જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની પેટાચૂંટણી માટે 1 મતગણતરી કેન્દ્ર મળીને કુલ 28 મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યા છે. આ મતગણતરી માટે 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર સહિત કુલ 8,662નો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.
આ તૈયારીઓને જોતાં ગુજરાતનું પરિણામ લગભગ બે વાગ્યાની આસપાસ આવી જવાની શક્યતા છે.
દરેક મતગણતરી હોલ ખાતે વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ એક રિટર્નિંગ ઑફિસર આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર)નું ટેબલ રહેશે.
26 સંસદીય મત વિસ્તારના 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ટપાલ મતપત્રો માટે 103 મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટ્ટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમની ચકાસણી-ગણતરી માટે 15 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી માટે 4 મદદનીશ ચૂંટણી અધિકારીઓ મળીને કુલ 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા 26 સંસદીય મતવિસ્તાર તેમજ 4 વિધાનસભા મત વિસ્તાર માટે 41 ઓબ્ઝર્વર રહેશે. 2548 કાઉન્ટિગ સુપરવાઈઝર, 2548 કાઉન્ટિગ આસિસ્ટન્ટ તથા 2912 જેટલા માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવશે. તેમજ ટપાલ મત પત્રોની ગણતરી માટે સુપરવાઈઝર, આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વ્સ મળીને કુલ 309 જેટલા અધિકારીઓ રહેશે. આ સિવાય પણ ચૂંટણી અધિકારીની મદદ માટે રિઝર્વ તથા સપોર્ટિંગ સ્ટાફ રહેશે.
આ ઉપરાંત તમામ ઇવીએમની મતગણતરી થયા બાદ મોકપોલ ડેટા ક્લિયર નહીં કરવાને કારણે ચૂંટણીપંચે નિર્દેશ કરેલાં 16 મતદાન મથકોના વીવીપેટ સ્લીપની ગણતરી ટૅકનિકલ કારણોસર પરિણામ ડિસ્પ્લે નહીં થવાના કારણે ગણવાની થતી વીવીપેટ સ્લીપની ગણતરી ચૂંટણી અધિકારી દ્વારા નિયમ 56(ઘ)ની જોગવાઈ હેઠળ નક્કી થયેલા મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી દરેક વિધાનસભા મત વિસ્તારના ડ્રો દ્વારા પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લીપની ગણતરી કરવામાં આવશે.

એક્ઝિટ પૉલના અનુસંધાનમાં અભિનેત્રી ઐશ્ર્વર્યા રાય બચ્ચનની વાંધાજનક મીમને શેર કરી વિવાદોમાં સપડાયેલા અભિનેતા વિવેક ઓબેરોયે આખરે માફી માગી હતી અને તે મીમ પણ ડિલીટ કર્યું હતું. વિવેકે ટ્વિટ કરી લખ્યું હતું કે ક્યારેક એક વ્યક્તિને પહેલી નજરે જે મજાકીયુ અને નિરુપદ્રવી લાગતું હોય તે બીજાને ન લાગે તેમ પણ બને. હું દસ વર્ષથી 2000 કરતા પણ વધારે વંચિત બાળકીના સશક્તિકરણ માટે કામ કરી રહ્યો છું.
કોઈ મહિલાના અપમાનનો હું વિચાર પણ કરી શકતો નથી. તેણે બીજી પણ એક ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે જો એક મીમ દ્વારા અન્ય મહિલાની ભાવનાને ટેસ પહોંચે છે તો તેમાં સુધારો થવો જોઈએ. હું માફી માગુ છું. ટ્વિટ મે ડિલીટ કર્યું છે. જોકે ઓબેરોયની માફી બાદ પણ એક સામાજિક સંસ્થાએ તેને કાર્યક્રમના અતિથિ તરીકે નકાર્યો હતો. ફોની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરવાના એક કર્યાક્રમમાં તેમને સેલિબ્રિટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ આ વિવાદ બાદ તેમણે તેમની ઉપસ્થિતિ નકારી હતી.
જોકે અગાઉ વિવેકે માફી માગવાની ના પાડી હતી. તેણે જણાવ્યું હતું કે કોઈએ આ મીમ પૉસ્ટ કરી હતી અને હું તેના પર હસ્યો અને તે વ્યક્તિની કલ્પનાશક્તિના વખાણ કર્યા. તેમાં કઈ ખોટું કર્યું નથી. ઓબેરોયના આ ટ્વિટ બાદ નેટિઝન અને ફિલ્મજગતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તેને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.
નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું
કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.
માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.