CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 40 of 59 - CIA Live

June 14, 2020
corona-gujarat.jpg
1min5230

જૂનમાં મહિનામાં ૧૧ દિવસમાં ૫૨૭ કેસ નોંધાયા અને ૩૪૭ મૃત્યુ થયાં છે. આ કેસને દર ૧ કલાક સાથે ડિવાઇડ કરો તો ૧૧ દિવસના ૨૬૪ કલાકમાં પ્રતિ કલાકે રાજ્યમાં ૧૯.૯ એટલે કે વીસ જેટલા કેસ અને ૧.૩ એટલે કે ઍવરેજ એક મોત તો નીપજ્યું છે.

રાજ્ય સરકારે લૉકડાઉન ખોલીને અનલૉક જાહેર કરતાં તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલૉક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલૉક-1ના પ્રથમ ૧૧ દિવસમાં ૫૨૭૩ પૉઝિટિવ કેસ અને ૩૪૭ મોત થયાં છે. આ આંકડાને ૧૧ દિવસના કલાકો સાથે ભાંગીને આંકડો મેળવો તો ચોંકાવનારું તથ્ય જાણવા મળે છે.

આ સ્થિતિ ગંભીર છે અને એની ગંભીર નોંધ લેવાય એ આવશ્યક છે. જોકે વેપારધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી એમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કૅલ્ક્યુલેટેડ જોખમમાં પ્રથમ ૧૧ દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય એવું માલૂમ થઈ રહ્યું છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનવતા નેવે મૂકી પ્રાઇવેટ હૉસ્પિટલો દરદીઓને લૂંટી રહી છે.

June 14, 2020
rainingujarat-1.jpg
1min5260

ગુજરાતમાં પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાર્વત્રિક વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. શનિવારે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં સવા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વડોદરાના કરજણમાં સવા ત્રણ ઇંચ, ખેડાના માતરમાં ત્રણ ઇંચ, બહુચરાજીમાં અને સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યના ૧૩ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૬૪ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢના તરસડા ગામમાં નદીના વહેણમાં બળદગાડું તણાઇ જતા એકનું મોત થયું હતું. બીજી બાજુ શનિવારે સવારથી સાંજ સુધીમાં રાજ્યના છ તાલુકામાં ૫ મીમીથી ૩૬ મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. જેમાં કચ્છના નખત્રાણામાં ૩૬ મીમી વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨૧, કચ્છના માંડવીમાં આઠ, વડાદરાના પાદરા, સુરતના માંગરોળ, અને ડાંગના સુબીરમાં પણ સાંજ સુધીમાં પાંચ થી ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં શુક્રવારે મોડી સાંજથી સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો જ્યારે દાહોદમાં ત્રણ વીજ કર્મીને કરંટ લાગતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી સાત સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. વડોદરા શહેર અને જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં શુક્રવારે રાત્રે એકથી ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વડોદરા જિલ્લાના ડભોઇમાં ૩.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. દરિમયાન ગીરજંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને ભાવનગરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી નદી- નાળા બે કાંઠા વહેતા થયા છે. જેમાં જૂનાગઢના તરસિગડામાં એક બળદગાડું તણાતા એકને બચાવી લેવાયો હતો પરંતુ ગાડામાં બેઠેલી એક મહિલાનું તણાઇને ડૂબી જવાથી મોત થયું હતુ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, ઉંમરાળા, ઘોઘા અને શિહોર પંથકમાં વરસાદ પડ્યો હતો.

June 13, 2020
corona-gujarat.jpg
1min5350

ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ કોરોના વાઈરસના કેસ અને દર્દીઓના મોતમાં ચોંકાવનારો વધારો થઇ રહ્યો છે. 11મી જૂને સાંજે 5.00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 513 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત થયેલા ચોપડે નોંધાયેલા કેસોની સંખ્યા 22ને આંબી ગઈ હતા.

રાજ્ય સરકારે લોકડાઉન ખોલીને અનલોક જાહેર કરતા તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલોક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલોક-1ના પ્રથમ 11 દિવસમાં 5273 પોઝિટિવ કેસ અને 347 મોત થયા છે.

રાજ્યમાં જૂન મહિનામાં 11 દિવસમાં 5273 કેસ નોંધાયા અને 347 મૃત્યુના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો દર કલાકે રાજ્યમાં 20 જેટલા કેસ અને 1.3 એટલે કે સરેરાશ એક મોત તો નીપજ્યું છે. જોકે, વેપાર ધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી તેમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કેલ્ક્યૂલેટેડ જોખમમાં પ્રથમ 11 દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.

કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનાવતાં નેવે મુકી ખાનગી હોસ્પિટલો દર્દીઓની લૂંટી રહી છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં લોકો પાસેથી બેફામ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી માત્ર પાંચ કલાકના 1 લાખ 10 હજાર રૂપિયા વસૂલ્યા હોવાનો કોરોના દર્દીના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

June 13, 2020
rain_forecast.png
1min8340

ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી જૂનાગઢ અને ગીર સોમનાથ પર હેત વરસાવાનું શરૂ કર્યું છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. શુક્રવારની સવાર સુધી બોટાદ અને અમરેલી જિલ્લામાં પણ એક થી બે ઇંચ પાણી વરસ્યું હતું. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. નોંધાઈ રહ્યો છે.

સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળિયામાં અઢી ઇંચ, બોટાદના ગઢડામાં અઢી અને પોરબંદરના કુતિયાણાના બે ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક થી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માળિયા , બોટાદના ગઢડા, પોરબંદરના કુતિયાણા, ગીર-સોમનાથના તલાલા, જૂનાગઢના મેંદરડા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢ ના માણાવદર, ગીર-સોમનાથના ગીર-ગઢડા, અને અમરેલીના વડિયામાં એક થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતના ચોર્યાસીમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. સોરઠ પંથકમાં મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કાર્યનાં શ્રીગણેશ કર્યા છે. એક થી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. માળિયા, મેંદરડા, શાપુર માણાવદર, વિસાવદરમાં ધોધમાર વરસાદ પડયો હતો. સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવી અને મુંદ્રામાં ઝાપટાં પડ્યા છે.

June 12, 2020
weather-forecast.jpg
1min6410

બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાથી આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે, જેના પગલે ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ વરસશે તથા ૧૪મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

ભારે વરસાદની સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રતિ કલાકે ૪૦થી ૪૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. કેરળમાં વરસાદ પછી ૧૦ દિવસ પછી મુંબઈમાં અને એ પછીના સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવો સામાન્ય ટ્રેન્ડ છે. જોકે, હજુ મહારાષ્ટ્રમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું ન હોવાથી ગુજરાતના ચોમાસાની તારીખો જાહેર કરવામાં આવી નથી.

તેમ છતાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪મી જૂને ભારેથી અતિભારે પ્રી-મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હા… મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયા બાદ ગુજરાતમાં વરસાદની આગામી તારીખો જાહેર કરવામાં આવશે, તેવું હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું.

June 11, 2020
corona-gujarat.jpg
1min4830

ગુજરાતમાં ૫ જૂન પછી પાંચ દિવસમાં ફરીથી ૫૧૦ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે જ્યારે ૩૪ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં છે. અમદાવાદમાં વધુ ૩૪૩ નવા કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થઇ ૧૫૩૦૫ થયો છે જ્યારે વધુ ૨૬ દર્દીઓના વિવિધ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૦૯૨ એટલે કે હવે ૧૧૦૦ની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગર, ભાવનગરમાં મૃત્યુ નોંધાતા હતા, એ હવે અન્ય જિલ્લાઓમાં પણ ધીમે ધીમે ચેપ પ્રસરતાં ત્યાં પણ મૃત્યુ વધી રહ્યા છે જે ચિંતાની બાબત છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત અને અરવલ્લીમાં બે બે, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક એક દર્દીના મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા ૭૩ કેસ, વડોદરામાં ૩૫, ભાવનગરમાં ૮, ખેડામાં ૬, રાજકોટમાં ૫,મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગરમાં ૪-૪, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જૂનાગઢ, પોરબંદર, મોરબીમાં ૨-૨ કેસ, પંચમહાલ, પાટણ, છોટા ઉદેપુરમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.

June 11, 2020
life_insurance-1.jpg
1min4880

વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.

નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.

June 9, 2020
corona-gujarat.jpg
1min7240

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર જાણે દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે, કોરોના સામેની જંગ જીતી રહેલા દર્દીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 477 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, 321 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,574 કેસ નોંધાય છે અને મૃત્યુઆંક 1,280 છે. તો, 13,964 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. આ બધામાં ચિંતાનો વિષય અમદાવાદ શહેર છે. કારણકે અહીંની પરિસ્થિતિ બહુબ ખરાબ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 24 લોકોનાં મોત થયા છે અને 346 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ થયેલા 1,280 મૃત્યુમાંથી 1000 કરતા વધુ લોકોના મોત અમદાવાદમાં જ થયા છે.

આરોગ્ય વિભાગના આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 346, સુરતમાં 48, વડોદરામાં 35, જૂનાગઢમાં 6, સાબરકાંઠા અને જામનગરમાં 5-5, ગાંધીનગર, અરવલ્લી અને પંચમહાલમાં 4-4 કેસ, ભાવનગરમાં 3, નવસારી, અરવલ્લી અને ભરૂચમાં 2-2 , મહેસાણા, કચ્છ, ખેડા અને ગીર-સોમનાથમાં 1-1 કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 31 મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 મોત નોંધાયું છે. છેલ્લા 10 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.

ગુજરાત રાજ્યમાં કુલ 5,330 દર્દી હાલમાં પણ કોરોનાના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે. જેમાં 59 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 13,964 દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમાંથી કુલ 5271 દર્દીઓ સ્ટેબલ છે.

June 8, 2020
weather-forecast.jpg
1min7010

આગામી પાંચ દિવસ એટલે કે સોમવારથી શરૂ થયેલા નવા સપ્તાહમાં શુક્રવાર સુધી ગુજરાત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન તોફાની વરસાદી તાંડવ થાય એવી આગાહી કરવામાં આવી છે. આજકાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

રાજ્યના હવામાન ખાતે દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30-40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં થયેલા વરસાદની શરુઆત સાથે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

June 5, 2020
brijesh-a-merja.jpg
1min4860

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જાણે રાજીનામાંનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. તા.4 જુનમાં બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ આજે તા.5મી જુનને શુક્રવાર મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પક્ષને રામ-રામ કહી દીધા છે.

મેરજાએ સોનિયા ગાંધીને મોકલેલા મેસેજનો સ્ક્રીનશોટ પણ બહાર આવ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પાર્ટીમાં રહીને જનતાના કામો કરવા સક્ષમ ના હોવાથી તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે.

ભાજપ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ 103નું છે, જ્યારે કોંગ્રેસ પાસે હવે 65 ધારાસભ્યો રહ્યા છે. આ સિવાય વિધાનસભામાં બીટીપીના બે, એનસીપીના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે ચાર રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાં એક ઉમેદવારને જીતાડવા માટે 35 પ્રેફરન્સ વોટ જરુરી છે. કોંગ્રેસનું સંખ્યાબળ ઘટતા હવે ભાજપ પાસે પોતાના ત્રણ ઉમેદવારોને જીતાડવાની ઉજળી તક છે.