
જૂનમાં મહિનામાં ૧૧ દિવસમાં ૫૨૭ કેસ નોંધાયા અને ૩૪૭ મૃત્યુ થયાં છે. આ કેસને દર ૧ કલાક સાથે ડિવાઇડ કરો તો ૧૧ દિવસના ૨૬૪ કલાકમાં પ્રતિ કલાકે રાજ્યમાં ૧૯.૯ એટલે કે વીસ જેટલા કેસ અને ૧.૩ એટલે કે ઍવરેજ એક મોત તો નીપજ્યું છે.
રાજ્ય સરકારે લૉકડાઉન ખોલીને અનલૉક જાહેર કરતાં તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલૉક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલૉક-1ના પ્રથમ ૧૧ દિવસમાં ૫૨૭૩ પૉઝિટિવ કેસ અને ૩૪૭ મોત થયાં છે. આ આંકડાને ૧૧ દિવસના કલાકો સાથે ભાંગીને આંકડો મેળવો તો ચોંકાવનારું તથ્ય જાણવા મળે છે.
આ સ્થિતિ ગંભીર છે અને એની ગંભીર નોંધ લેવાય એ આવશ્યક છે. જોકે વેપારધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઇડલાઇન બનાવી એમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કૅલ્ક્યુલેટેડ જોખમમાં પ્રથમ ૧૧ દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય એવું માલૂમ થઈ રહ્યું છે. કોરોના મહામારીના સંકટ વચ્ચે પણ માનવતા નેવે મૂકી પ્રાઇવેટ હૉસ્પિટલો દરદીઓને લૂંટી રહી છે.











