CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 38 of 59 - CIA Live

July 6, 2020
shweta_jadeja_PSI.jpg
1min5730

અમદાવાદ શહેરના પશ્ર્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ફરજ બજાવતી યુવા પીએસઆઇ શ્ર્વેતા જાડેજા બળાત્કારના આરોપી પાસેથી રૂ. ૨૦ લાખનો તોડ કરવા મામલે પોલીસે રિમાન્ડ પર લીધી છે.

જીએસપી ક્રોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી ૨૦થી ૩૫ લાખનો તોડ કરનાર મહિલા પીએસઆઇ શ્ર્વેતા જાડેજાને એડિ.સેશન્સ જજ એ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કરતા નોંધ્યું હતું કે, આરોપીની હાજરીમાં પોલીસ તપાસ થઇ શકે તેમ છે.

મુખ્ય સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ રેપ કેસની તપાસ પીએસઆઇ શ્ર્વેતા જાડેજા કરતા હતાં. તેમણે કેનલ શાહને પાસાની ધમકી આપી રૂ.૨૦ લાખની માગણી કરી હતી. આ રૂપિયા કેનલ શાહે તેમની ઓફિસની એકાઉન્ટન્ટ જૈનાલી શાહ મારફતે સીજી રોડની આર.સી.આંગડિયા પેઢી મારફતે જાનકી નામથી જામજોધપુરના જયુભાને ફેબ્રુઆરી મહિનામાં મોકલ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરીને જૈનાલી શાહ અને આરોપી પીએસઆઈ શ્ર્વેતા જાડેજા વચ્ચે થયેલા વોટ્સ એપ ચેટિંગના સ્ક્રીન શોટ તેમજ કોલ રેકોર્ડિગ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમ જ પૈસાની લેવડ-દેવડની તપાસ કરવા બેંક સ્ટેટમેન્ટ અને આંગડિયા પેઢીના માલિકે પણ બે વાર આ વ્યવહારો થયા અંગે નિવેદન આપ્યું છે. આ આખા કેસની વિગત એવી છે કે, પીએસઆઇ શ્ર્વેતા હમીરભાઈ જાડેજાના પોરબંદરના નાના એવા ગામમાંથી આવતી ૨૫ વર્ષીય શ્ર્વેતા જાડેજા અમદાવાદમાં આવીને રાતોરાત રૂપિયા કમાઈ લેવા મોટા તોડકાંડમાં ઝડપાઈ ગઈ છે. રૂપિયાના આ ખેલમાં તેની સાથે તેના કથિત જીજાજી સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે. શ્ર્વેતા જાડેજા ૨૦૧૮ના સેટેલાઇટના કથિત ગેંગરેપ પ્રકરણમાં સોશિયલ મીડિયા ચેટ શોધવાની મહત્ત્વની જવાબદારી નિભાવી ચૂકી છે, પરંતુ ઘણા સમયથી રૂપિયાના ખેલમાં તેના પર અલગ અલગ એજન્સી નજર રાખી રહી હતી. શ્ર્વેતા વર્ષ ૨૦૧૭ની બેચમાં પીએસઆઇ બની અને ત્યાર બાદ તેનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું હતું. અમદાવાદમાં ૨૦૧૮માં સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં પણ શ્ર્વેતા જાડેજાને મહત્ત્વની તપાસ સોંપવામાં આવી હતી. તપાસ એજન્સીને શ્ર્વેતા જાડેજા દ્વારા તોડ કરવામાં આવી રહ્યો હોવાની આશંકા હતી. તપાસ એજન્સી તેના પર સતત નજર રાખી રહી હતી. જે માટે અલગ અલગ તપાસ કરી રહ્યાં હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

July 6, 2020
recovery_rate.jpeg
1min4750

તારીખ 5 જુલાઇને રવિવારે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૬.૭૩ લાખ અને મૃતકોની સંખ્યા વધીને ૧૯,૨૬૮ થઇ છે. દેશમાં કોરોનાના સાજા થનાર કુલ દરદીની સંખ્યા વધીને ૪,૦૯,૦૮૨ થઇ છે.

ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ઊંચો હોવાની વાત કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે રવિવારે જાહેર કરી હતી. આ સાથે એમણે જણાવ્યું હતું કે દેશના ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર વધ્યો છે, પણ એમાં મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.

આ સાથે હાલ કોરોનાના સક્રિય દરદીની સંખ્યા રવિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં ૨,૪૪,૮૧૪ હોવાની માહિતી જાણવા મળી હતી.

પાછલા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૪,૮૫૬ દરદી સાજા થયા હતા.

જે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓ સાજા થવાનો દર ઊંચો છે, એમાં

  • ચંડીગઢ (૮૫.૯ ટકા),
  • લદ્દાખ (૮૨.૨ ટકા),
  • ઉત્તરાખંડ (૮૦.૯ ટકા),
  • છત્તીસગઢ (૮૦.૬ ટકા),
  • રાજસ્થાન (૮૦.૧ ટકા),
  • મિઝોરમ (૭૯.૩ ટકા),
  • ત્રિપુરા (૭૭.૭ ટકા),
  • મધ્ય પ્રદેશ (૭૬.૯ ટકા),
  • ઝારખંડ (૭૪.૩ ટકા),
  • બિહાર (૭૪.૨ ટકા),
  • હરીયાણા (૭૪.૧ ટકા),
  • ગુજરાત (૭૧.૯ ટકા),
  • પંજાબ (૭૦.૫ ટકા),
  • દિલ્હી (૭૦.૨ ટકા),
  • મેઘાલય (૬૯.૪ ટકા),
  • ઓડિસા (૬૯ ટકા),
  • ઉત્તર પ્રદેશ (૬૮.૪ ટકા),
  • હિમાચલ પ્રદેશ (૬૭.૩ ટકા),
  • પશ્ર્ચિમ બંગાળ (૬૬.૭ ટકા),
  • આસામ તથા જમ્મુ અને કાશ્મીર(૬૨.૪ ટકા)નો સમાવેશ થાય છે.
July 5, 2020
rain-1280x720.jpg
1min5180
Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુંબઈમાં રવિવારે સવારથી મેઘો મંડાતા શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં 129.5 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ 200.8 એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે 19 જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે વરસાદ: ગીર સોમનાથ અને અમરેલીમાં પૂરબહાર

ગુજરાતમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી જારી રહી હતી તેમજ કોડીનારમાં આજે સવાર પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે બપોર સુધીમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલી અને દ્વારકામાં પણ જોરદાર ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં અમુક જ વિસ્તારોમાં વરસાદ થયો હતો. ગત ૨૩મી જૂન સુધી રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. ૪થી જુલાઇ સુધી સરેરાશ વરસાદની ટકાવારી ૧૬.૮૭ ટકા છે. શુક્રવારે કોડીનારમાં ૬ ઇંચ, અમરેલીના જાફરાબાદમાં ૩.૫ ઇંચ, વાડીયામાં ૨.૫ ઇંચ, બાબરામાં બે ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે ઇંચ વરસાદ થયો હતો. છેલ્લા ૧૦ દિવસમાં માત્ર ૨ ટકા સરેરાશ વરસાદ જ થયો છે. અત્યાર સુધી ૧૦૧ તાલુકાઓમાં બેથી ૫ ઈંચ સુધી, ૧૦૩ તાલુકાઓમાં ૫થી ૧૦ ઈંચ સુધી, ૧૮ તાલુકાઓમાં ૧૦ ઈંચથી વધારે જ્યારે ૨૯ તાલુકાઓમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ ્છે. છેલ્લા ૫ વર્ષમાં આ જૂન ૨૩ તારીખ સુધીનો આ સૌથી વધુ વરસાદ હતો. ગત વર્ષે પણ આ સમય સુધી ૧૬ ટકા જેટલો વરસાદ જ થયો હતો.


July 2, 2020
rofl_jets.jpg
1min4520
File Photo of First Rofl Jet plane delivery time

ચીન સાથે સરહદે ભારે તંગદીલી વચ્ચે ભારતને ફ્રાંસ પાસેથી અવકાશી યોદ્ધા રાફેલ યુદ્ધ વિમાનો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારતને આગામી મહિને જ મળી જશે. પહેલા તબક્કામાં ચારના બદલે કુલ છ રાફેલ ભારતને મળશે અને તે પણ ફૂલ લોડેડ હશે. આ વિમાનો સૌથી પહેલા ગુજરાતના જામનગર એરબેઝ પર આવશે જ્યાં મુહૂર્ત પણ થશે.

ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે. જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે. મી સ્ટિલ્થ ટેકનોલોજીથી સજ્જ અને હવામાંથી હવામાં માર કરતી દુનિયાની સૌથી ખતરનાક અને સૌથી લાંબી રેન્જ ધરાવતી મિટિયોર મિસાઈલ્સ સહિતના શસ્ત્રોથી સજ્જ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાની તાકાત બમણી થશે. પહેલાં ફ્રાન્સ ભારતને ચાર વિમાનોની ડિલિવરી આપવાનું હતું. જેમાંથી ચાર ડબલ સીટ ધરાવતા ટ્રેનર એરક્રાફ્ટ હતા. જોકે હવે ફ્રાન્સ ભારતને ૬ વિમાનો આપશે અને તે પણ લડાઈમાં તરત ઉતારી શકાય તેવી સ્થિતિમાં હશે. ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાઈલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટો હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યુ છે. કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક ૧૦૦૦ કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે. ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. રાફેલ વિમાન બે વખત ફ્યુલ ભરવા ઉતરાણ કરશે.

July 1, 2020
thunder-and-lightning.jpeg
1min5460

ગુજરાતમાં સતત બીજા દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીની ગડગડાટી સાથે જોરદાર ઝાપટાં પડ્યાં હતા જેમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયાં હતા. બોટાદમાં ૫ વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્ર મળીને પાંચના મોત થયાં હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે વીજળીએ પણ કહેર વરસાવ્યો હતો. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક પાંચ વર્ષની બાળકી અને ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા હતા. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન (ઉં.વ. ૩૫) અને તેના પુત્ર વિશાલ (ઉ.વ.૧૨)નું મોત નીપજ્યું હતું. જ્યારે બોટાદમાં ઘનશ્યામભાઈ ચૌહાણ (ઉં.વ.૬૦) અને જાનવી ચૌહાણ (ઉં.વ.૫) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

July 1, 2020
ats_gujarat.png
1min7990

ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી ૫૪ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે.

કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા હતા. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં પથરાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૪ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી. છેલ્લા નવ દિવસથી એટીએસની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ ૫૪ જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં છે.

એટીએસની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. ૪૨, વાંકાનેર)ને લોડેડ રિવોલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. ૩૩, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યો હતો.

June 29, 2020
corona-gujarat.jpg
1min7760

સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. વિશ્વમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો એક કરોડને પાર થયો છે તો ભારતમાં પણ પાંચ લાખ પચાસ હજાર કોરોનાના દર્દીઓ થયાં છે. ગુજરાતમાં પણ કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સતત 3 દિવસમાં રાજ્યમાં 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 626 નવા કેસ નોંધાયા છે અને વધુ 19 દર્દીઓ મોતને ભેટ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 32023 થઈ છે.

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર એ પણ છે કે વધુ 626 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી હવે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે કુલ 23248 વ્યક્તિઓ સ્વસ્થ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,67,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,39,759 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,36,384 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીન હેઠળ છે. જ્યારે 3,375 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.

(28 June) એક દિવસમાં 624 કેસ

રાજ્યમાં રવિવારે 624 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસનો વિક્રમ છે. રાજ્યમાં સતત બીજા દિવસે 600થી વધુ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જોકે છેલ્લા 4 દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતાં મૃત્યુનો આંકડો 20થી ઓછો આવ્યો છે.

અમદાવાદમાં વધુ 211 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે એપ્રિલના અંત પછી સૌથી ઓછા છે. રાજ્યમાં અત્યાર સુધી 31,397 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1,809 દર્દીઓનાં મૃત્યુ થયાં છે અને 22,808 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં હાલમાં 6,૭80 એક્ટિવ કેસ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીનાં મૃત્યુ થયાં છે અને 391 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
અમદાવાદમાં 13 દર્દીનાં મૃત્યુ, સુરતમાં 182 કેસ અને 3 દર્દીનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત વડોદરામાં 44 કેસ, વલસાડમાં 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10, મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં ૭-૭, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર,પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.

June 25, 2020
corona_testing1.jpg
1min4680

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ પ્રાઇવેટ લેબોરેટરીઝમાં હવેથી રુ. 2500માં કોરોનાનો ટેસ્ટ થશે. લેબ ટેકનિશિયનને ઘરે બોલાવવામાં આવે તો ત્રણ હજાર રુપિયા ચાર્જ આપવાનો રહેશે.

શ્રી પટેલે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ ફ્રીમાં કરી આપવાનું ચાલુ જ છે. કોઈપણ એમડી ડોક્ટરને જો દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવાની જરુરિયાત જણાય તો તેઓ ખાનગી લેબમાં પેશન્ટને મોકલી શકે છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટના ચાર્જમાં કરાયેલો આ ઘટાડો આજથી જ લાગુ પડશે. મતલબ કે, આજથી જે પણ દર્દી ટેસ્ટ કરાવવા આવશે તેની પાસેથી આજે કરાયેલી જાહેરાત અનુસાર જ ચાર્જ વસૂલી શકાશે. જો કોઈ લેબોરેટરી તેનાથી વધુ ચાર્જ લેશે તો તેની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી પણ નીતિન પટેલે ઉચ્ચારી હતી.

ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં રોજના સરેરાશ 500 જેટલા કોરોનાના ટેસ્ટ થાય છે. અત્યારસુધી તેના માટે ચારથી સાડા ચાર હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, સરકારે પોતાની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિનો ખાનગી લેબમાં ટેસ્ટ નહીં થઈ શકે તેવું ફરમાન જારી કર્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં અપીલ થતાં અમદાવાદમાં જો એમડી ડોક્ટર જણાવે તો ખાનગી લેબમાં ટેસ્ટ થઈ શકશે તેવી જાહેરાત કરાઈ હતી.

June 25, 2020
corona-gujarat.jpg
1min4050

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૭૨ કેસ ઉમેરાતાં કુલ પોઝિટિવ કેસનો આંક ૨૯૦૦૦ને પાર થઇ ગયો છે જે ૨૫મેના રોજ ૧૪૪૬૮ કેસ થયા હતા. આજે ૩૨મા દિવસે આંક ૨૯૦૦૧ થયો છે. પાછલા ચોવીસ કલાકમાં ૨૫ દર્દીઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુ આંક વધીને ૧૭૩૬ સુધી પહોંચ્યો છે. ૨૧૦૯૬ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે પોઝિટિવ કેસનો આંક ઘટીને મહાનગરમાં ૨૦૫ અને જિલ્લાના ૧૦ મળી કુલ ૨૨૫ થયો છે.

આ જ રીતે એક ગ્રામ્યનું મળી કુલ ૧૬ દર્દીઓના મૃત્યુ થયા છે. એક તરફ અમદાવાદમાં સતત કેસમાં આંચકાજનક રીતે કેસ ઘટી રહ્યા છે તો ડાયમંડ નગરી સુરતમાં ચોથા દિવસે એકસો ઉપર કેસ નોંધાયા છે ચોવીસ કલાકમાં નવા ૧૭૨ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ ઉમેરાયા છે.

રાજ્યના અન્ય મહાનગરોની સ્થિતિ જોઇએ તો વડોદરા મહાનગરમાં નવા ૩૫ અને જિલ્લામાંથી વધુ ૧૦ મળી કુલ ૪૫ કેસ નોંધાયા છે. સુરતની જેમ એકાએક જામનગર મહાનગર અને જિલ્લામાં સ્થિતિ વણસી રહી છે. કોરોના મહામારીમાં મે મધ્ય સુધી નિયંત્રિત સ્થિતિ ધરાવતા મહાનગરમાં સતત ત્રીજા દિવસે ૧૦ કેસ નોંધાયા છે અને વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાંથી પણ એક કેસ મળ્યો છે.

રાજકોટ મહાનગરમાંથી વધુ ૯ અને જિલ્લામાંથી ચાર મળી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી મળી નવા પાંચ કેસ આવ્યા છે. ગાંધીનગર મહાનગરમાંથી બે અને જિલ્લામાંથી પાંચ મળી કુલ સાત કેસ ઉમેરાયા છે. જૂનાગઢ મહાનગર અને જિલ્લામાંથી બે બે કેસ આવ્યા છે.

આ સિવાય જિલ્લાઓમાં ભરૂચ ૧૦, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદા ૯-૯, અરવલ્લી ૭, નવસારી ૬, કચ્છ, ગીર સોમનાથ, વલસાડ ૫-૫ તેમજ મહેસાણા અમરેલી ૪-૪ કેસ મળ્યા છે. આ ઉપરાંત મહીસાગર, પાટણ, ખેડા, છોટાઉદેપુરમાંથી ૩-૩, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ ઉમેરાયો છે. પાટણમાં બે, જામનગર મહાનગર, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.

ભરૂચ જિલ્લામાં સૌથી ગંભીર સ્થિતિ ફરીથી સર્જાઇ છે. ભરૂચ શહેરમાંથી પાંચ અને જંબુસર, અકલેશ્વર, આમોદમાંથી મળી નવા ૧૦ પોઝિટિવ કેસ મળ્યા છે. આ જ રીતે જામનગર મહાનગરમાંથી ૧૨ કેસ એક સાથે મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થતાં કમિશનર અને કલેક્ટરે નવા આદેશો બહાર પાડ્યા છે. અમરેલીના લાઠીમાંથી પિતા-પુત્ર સહિત ચાર નવા કેસ ઉમેરાયા છે.

June 22, 2020
corona-gujarat.jpg
1min3960

રાજયમાં છેલ્લાં 24 કલાકમા કોરોનાના નવા 580 કેસ નોંધાયા હતા. એક દિવસની અંદર આ સૌથી વધારે કેસ છે. સામાન્ય રીતે જ્યાં ઓછા કેસ નોધાય છે તે સુરતમાં કેસનો રાફડો ફાટયો હોય તેમ 176 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં દરરોજ 300થી વધુ કેસ આવતા હોય છે જ્યારે રવિવારે 273 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,000ને પાર થઇને 27,317 પર પહોચ્યો છે.

રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કુલ 580 કેસમાંથી 176 કેસ સુરતમાંથી મળતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું. રાજયમાં રવિવારે 25 દર્દીના મૃત્યું થયા હતા તેમાં અમદાવાદમાં 20 અને સુરતના ત્રણ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક 1664 પહોંચ્યો છે. અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 મૃત્યું નોંધાયા છે. અમદાવાદમાં જૂન મહિનામાં પહેલી વખત 300થી ઓછા કેસ નોંધાયા છે.

જિલ્લાવાર સ્થિતી જોઇએ તો વડોદરામાં 41 નવા કેસ, ગાંધીનગરમાં 15 કેસ, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર અને જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 કેસ, મહેસાણા, જુનાગઢમાં 2-2 કેસ, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 655 ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 19,357 થઇ છે. કુલ 6,296 એક્ટિવ દર્દીમાંથી 59 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,237 સ્ટેબલ છે.