CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 5 of 46 - CIA Live

August 4, 2024
israel.png
1min183

લેબનના બૈરુતમાં હિઝબુલ્લાહ (Lebanon Hezbollah)સંગઠનના ટોચના કમાન્ડર હત્યા અને ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ મધ્યપૂર્વમાં યુદ્ધનો દાવાનળ (Tension in middle east)ફાટી નીકળવાની શકયતા છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો છે. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર ડઝનેક કટ્યુષા રોકેટ લોન્ચ કર્યા હતા. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં હુમલાઓની આ હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલમાં બીટ હિલેલ પર તાજેતરનો આ હુમલો, , લેબનોનમાં કેફાર કેલા અને ડીર સિરિયાન પર ઇઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં હતો, જેમાં લેબનનના નાગરિકોને ઇજા પહોંચી હતી.

ઇઝરાયેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે લેબનનથી ફાયર થયેલા રોકેટને હવામાં જ તોડી પાડવા સામે ફાયરિંગ કર્યું હતું.

ઈરાને જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે લેબનોનનું તેહરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ ઈઝરાયલની અંદર અટેક કરે અને ઈઝરાયેલે હિઝબોલ્લા લશ્કરી કમાન્ડરની હત્યા કર્યા પછી હુમલા હવે લશ્કરી લક્ષ્યો સુધી મર્યાદિત રહેશે નહીં.

હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે “ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં અને તેમના બહાદુર અને સન્માનજનક પ્રતિકારના સમર્થનમાં, અને (લેબનનના) દક્ષિણી ગામો અને સલામત ઘરો પર ઇઝરાયેલી દુશ્મનના હુમલાના જવાબમાં, ખાસ કરીને કાફ્ર કિલાના ગામોને નિશાન બનાવનારા હુમલાઓના જવાબમાં, ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઝનેક કટ્યુષા રોકેટ સાથે પ્રથમ વખત રોકેટકર્યો હતો. ”

July 16, 2024
Brown-bear-in-Romania.jpg
1min153

રોમાનિયાની સંસદ દ્વારા ચોંકાવનારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ દેશમાં 400 રિંછને મારી નાખવાનો આદેશ અપાયો છે. વાસ્તવમાં આ દેશમાં રિંછે હુમલા કર્યા બાદ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જેના કારણે દેશના લોકોએ રોષે ભરાઈ સરકાર પર દબાણ કર્યું હતું. છેવટે લોકોના ગુસ્સાને શાંત પાડવા સરકારે રિંછોને મારવાનો આદેશ જાહેર કર્યો છે.

સરકારે કહ્યું કે, દેશમાં રિંછોની સંખ્યા વધુ છે, તેથી તેને મારી જનસંખ્યાને અંકુશમાં લાવી શકાશે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ રોમાનિયા બાદ રશિયામાં સૌથી વધુ 8000 રિંછો છે.

July 10, 2024
ostriya-pm-1280x1189.jpeg
1min155

રશિયાનો પ્રવાસ ખતમ કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપિયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ પ્રધાન એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા હતા. અહીં એનઆરઆઈઓએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટેલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું હતું કે , ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે.

ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!’ વિયેનામાં આપનું સ્વાગત છે, PM @narendramodi ! ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!

Reported on 8 July 2024

ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચેના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રીયાની મુલાકાતે પહોંચ્યા છે. 41 વર્ષ બાદ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં 8/7/24 બે રાષ્ટ્ર મિત્રોની મુલાકાતથી નવો જ ઇતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિયેનામાં ઑસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત કરી હતી. છેલ્લે 1983માં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઑસ્ટ્રિયાની મુલાકાત કરી હતી. 8/7/24 નરેન્દ્ર મોદી વીયેનામાં ભારતીયો સાથે મુલાકાત કરવાના છે.

બંને નેતાઓની વચ્ચે 8/7/24 સત્તાવાર દ્વિપક્ષીય મંત્રણા થવાની છે, જેમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીના વ્યાપક પરિમાણો પર ચર્ચા કરવામાં આવશે. નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઇના રોજ રશિયાની મુલાકાતે પહોંચ્યા બાદ તેઓ ઑસ્ટ્રિયાની મુલાકાતે છે. આ તેમની એક ઐતિહાસિક યાત્રા છે, કારણ કે તેમના 40 વર્ષ બાદ ભારતના કોઈ પ્રધાનમંત્રી ઑસ્ટ્રિયા પહોંચ્યા છે અને તો ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી ઑસ્ટ્રિયાની મુલાકાતે પહોંચ્યા છે.

July 8, 2024
modi-in-russia.jpeg
2min185

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઈ એમ બે દિવસ માટે રશિયાની યાત્રા પર છે. 2014માં મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધીમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 16 વખત મળ્યા છે. પણ એ તમામ મુલાકાત ફેબ્રુઆરી 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ અગાઉ થઈ હતી. મોદી છેલ્લે સપ્ટેમ્બર 2019માં વ્લાદિવોસ્ટોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક માટે રશિયા ગયા હતા, તો પુતિન છેલ્લે ડિસેમ્બર 2021માં વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ પછી બંને નેતાઓ આ પહેલીવાર મળી રહ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદેલા હોવાથી ભારતની આ મુલાકાત પર આખી દુનિયા ડોળા જમાવીને બેઠી છે.

વડાપ્રધાન મોદીએ તોડી પરંપરા

ભારતના વડાપ્રધાનો એવી વણલખી પરંપરા પાળતા આવ્યા છે કે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પડોશી દેશની મુલાકાત લેવી. અગાઉ બે વખત સત્તારૂઢ થયા બાદ મોદીએ પણ એ પરંપરા જાળવી હતી. 2014 માં એમણે ભુતાન અને 2019 માં માલદીવ તથા શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ વર્ષે એમણે એ પરંપરા તોડી છે. વડાપ્રધાન પદની શપથ લીધા પછી પડોશી દેશની યાત્રાએ જવાને બદલે એમણે રશિયા પર પસંદગી ઉતારી છે, જે કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ઘણુંબધું કહી જાય છે. અલબત્ત, ગયા મહિને મોદીએ ઇટાલીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તે G7 નેતાઓની બહુપક્ષીય બેઠક માટે હતો. પહેલી દ્વિપક્ષીય યાત્રા તો આ રશિયાની મુલાકાત જ ગણાય.

પુતિન દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પીએમ મોદી રશિયા ગયા છે. બંને નેતા 22મા ‘ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન’માં સામેલ થશે, જે દરમિયાન બંને દેશોના હિત સંબંધે દ્વિપક્ષીય ચર્ચાઓ કરાશે. છેલ્લા ઘણાં દાયકાઓથી રશિયા ઘણાબધા મોરચે ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં તો બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ કહી શકાય એ હદે વ્યૂહાત્મક ભાગીદારીઓ નોંધાઈ છે. એક નજર નાંખીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર.

1. બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચા વ્યાપારને વધારવા બાબતે થશે. રશિયા તેમજ અન્ય યુરોપિયન અને આરબ દેશો સાથેના વ્યાપારને ઓછો ખર્ચાળ કરવા માટે ભારતે નવો રુટ વિકસાવવો છે. એ રુટ ઈરાન સોંસરવો જતો હોવાથી ભારતે દસ વર્ષ માટે ઈરાનના ચાબહાર બંદરને ભાડાપટ્ટે લીધું છે. સમગ્ર રુટના ઝડપી વિકાસ બાબતે બંને નેતાઓ ચર્ચા કરી શકે છે.

2. ઊર્જા, સંરક્ષણ, વેપાર, રોકાણ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન જેવા ઘણાં બધા ક્ષેત્રે બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન થયું છે. આ તમામ ક્ષેત્રે ફરી એકવાર મોસ્કોમાં દ્વિપક્ષીય સહકાર સધાશે.  

3. એક સંવેદનશીલ મુદ્દો છે યુક્રેન યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરાયેલા ભારતીયોનો. ગેરમાર્ગે દોરાયેલા એ ભારતીયોને મુક્ત કરાવવાનો મુદ્દો પણ મોદી પુતિન સામે છેડશે, એવી આશા છે. 

સરંક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સોદા

1. ભારતે 2018 માં રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો, જે ભારતને 2023માં મળી જવાનો હતો. પણ, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એ હથિયાર મેળવવામાં મોડું થયું છે. મોદી પુતિન સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.

2. રશિયાની ડિફેન્સ કંપની રોસ્ટેક દ્વારા ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરી દેવાયું છે. મેંગો મિસાઇલ એક પ્રકારના તોપગોળા છે જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવે છે. આ ગોળા દુશ્મનની મજબૂતમાં મજબૂત ટેન્ક અને ભલભલાં બખ્તરબંધ સૈન્ય વાહનોના પડખા ચીરી નાંખવા સક્ષમ છે. આ મિસાઇલને લીધે ભારતની લશ્કરી શક્તિમાં ખૂબ વધારો થશે. રોસ્ટેક કંપની દ્વારા ભારતમાં અન્ય પ્રકારના દારૂગોળાના ઉત્પાદનની યોજના પણ છે. મોદી-પુતિન વચ્ચે એ મુદ્દે પણ સહમતી સધાય એવું બની શકે.

ભારત-રશિયા વ્યાપાર- કોનો કેટલો ફાયદો?

રશિયાના વિરોધમાં અમેરિકાએ આડકતરી રીતે જાણે કે કહી દીધું હતું કે, રશિયા સાથે હશે એ અમારા દુશ્મન! પણ એવી ધમકીને ગણકાર્યા વિના ભારતે યુદ્ધ પછી પણ રશિયા સાથેનો વ્યાપાર જારી રાખ્યો છે. રશિયા પાસેથી ભારત મબલખ માત્રામાં ખનીજ તેલ ખરીદે છે અને એ માટેની ચૂકવણી રશિયા રૂપિયામાં સ્વીકારે છે, એ ભારતનો મોટો ફાયદો. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પણ એમાંથી ભારતે રશિયામાં ફક્ત 3.3 લાખ કરોડની નિકાસ કરી છે. એટલે દેખીતું છે કે બંને વચ્ચેના વ્યાપારમાં રશિયાને બહુ મોટો ફાયદો થાય છે. ભારતનો ફાયદો વધે, એ બાબતની ચર્ચા પણ મોદી-પુતિન વચ્ચે થશે. 

ભારતની ચાણક્યનીતિ

યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર જાતભાતના આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હતા. અમેરિકા ઈચ્છતું હતું કે દુનિયાના અન્ય અગ્રણી દેશો પણ એમના પક્ષે રહે અને રશિયાને એકલું પાડી દેવાય. ચીન અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના જાનીદુશ્મન દેશોએ તો ખુલ્લેઆમ રશિયા સાથે દોસ્તી જાળવી રાખી છે. ભારતે અંગત લાભને કેન્દ્રસ્થાને રાખીને આ મુદ્દે ચતુરાઈપૂર્વકનો પ્રતિભાવ દાખવ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાને વખોડવાના બદલે ભારતે ‘બંને દેશોએ વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ’ એવું નિવેદન આપીને ‘માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં’ પ્રકારની મુત્સદ્દીગીરી દર્શાવી છે, જે ભારતના હિતમાં છે. પારકા કંકાસમાં આપણે શું કામ આપણું નુકસાન કરવું?

અમેરિકાના પેટમાં રેડાયું તેલ

‘પહેલો સગો પડોશી’ એ ઉક્તિને ખોટી ઠેરવતા મોદીએ ગાદીધારણ કરતાં જ રશિયાની વાટ પકડી એનાથી સૌથી વધારે તકલીફ અમેરિકાને જ થશે. આમેય રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારતની નીતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાતું જ હતું, એમાં આ મુલાકાત બળતામાં ઘી ઉમેરવાનું કામ કરશે. રશિયાના પ્રતિનિધિએ તો બેધડક કહ્યું છે કે, પીએમ મોદીની મોસ્કો મુલાકાતને પશ્ચિમી દેશો ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે.

ભારતનો દુનિયાને સંદેશ- રશિયા મિત્ર હતું, છે અને રહેશે

ભારત સરકારનો એજેન્ડા દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને પ્રગતિની ગાડી પાંચમા ગિયરમાં દોડાવવાનો છે. આ મુદ્દાને લક્ષ્યમાં લઈને ભારતે રશિયાને મહત્ત્વ આપીને દુનિયાને આડકતરો ઈશારો આપી દીધો છે કે કેન્દ્ર સરકારની નીતિ પારકી પંચાતમાં પડ્યા વિના અંગત લાભ પ્રત્યે વધુ રહેશે. રશિયા જેવો અન્યોને મતે યુદ્ધખોર દેશ પણ જો ભારત સાથે સારાસારી રાખશે તો ભારત એના તરફ ઢળશે. ભૂતકાળમાં અમેરિકાથી લઈને ચીન જેવા દેશો અંગત ફાયદા માટે આવું કરી ચૂક્યા હોવાથી ભારત આવું પગલું ભરે એમાં કશું ખોટું પણ નથી. ખનીજતેલની આયાત માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોવાથી અર્થવ્યવસ્થાને ચાલતી રાખવા માટે રશિયા સાથેની ભાઈબંધી જરૂરી પણ છે. પશ્ચિમના દબાણ સામે ન ઝૂકીને ભારતે ધરાર રશિયાનો હાથ ઝાલી રાખ્યો છે, એ બાબત સૂચક છે કે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધી રહ્યું છે.  

July 7, 2024
obama-care.jpeg
1min217

દુનિયાના સૌથી મોટા સાયબર એટેક થયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં હેકરોએ 995 કરોડ પાસવર્ડની ચોરી કરીને ઈન્ટરનેટની દુનિયામાં જાહેર કર્યા છે. તેવામાં દેશમાં સાયબર સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. ફોબર્સના એક રિપોર્ટ પ્રમાણે, Obama Car હેકર ટીમે 995 કરોડ પાસવર્ડ લીક કર્યા છે. આ ડેટા લીકની જાણકારી Rockyou2024 નામના એક રિપોર્ટમાં સામે આવી હતી. લીક કરવામાં આવેલો ડેટા ઓનલાઈન સેવામાં ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સનું સૌથી મોટું ગ્રુપ છે.

રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે, લીક કરાયેલા ડેટામાં સેલિબ્રિટીઓની અંગત માહિતી પણ સામેલ છે. હેકર દ્વારા ગેરકાયદેસર રીતે અનેક ઓનલાઈન એકાઉન્ટ્સ એક્સેસ કરીને તેના પાસવર્ડ સહિત અન્ય અંગત માહિતીની ચોરી કરી હતી. આ સાથે લીક કરાયેલા ટેડામાં ઘણાં બધાં કર્મચારીઓની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.

હેકરોએ પાસવર્ડ લીક કરવાની સાથે ડેટામાં અનેક લોકોના ઈ-મેઈલ આઈડી અને લોગિનની જાણકારી મેળવી લીધી હતી. હેકર દ્વારા ચોરી કરવામાં આવેલા આ ડેટાનો દુરુપયોગ પણ થઈ શકતો હોવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ડેટા લીકથી વ્યક્તિની પોતાના ઓળખ છતી થવાથી ઈન્ટરનેટની દુનિયામાં વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવો ખુબ મુશ્કેલ બન્યો છે. 

સાયબર એટેકથી બચવા શું કરવું

  • ટૂંકા અને સરળ પાસવર્ડને બદલે લાંબા અને જટિલ પાસવર્ડ બનાવવા જોઈએ.
  • અમુક સમયાંતરે રાખવામાં આવેલા પાસવર્ડમાં બદલવા જરૂરી છે.
  • આ સાથે સાયબર સંબંધિત અનેક જાણકારી રાખવી અને નવી અપડેટથી જાગૃત રહેવું.
July 4, 2024
barred-owl-Cia-Live.jpg
1min166

કેન્યાએ થોડા સમય પહેલા 10  લાખ કાગડાઓને મારી નાખવાના પ્લાનનો ખુલાસો કર્યો હતો. તો હવે અમેરિકાએ પણ આવો જ એક પ્લાન બનાવ્યો છે. પરંતુ તે કાગડાને નહીં પરંતુ ઘુવડને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો છે. હકીકતમાં  ‘સ્પોટેડ ઓલ’ ની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. તેમને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓએ પશ્ચિમ કિનારાના ગાઢ જંગલોમાં પ્રશિક્ષિત શૂટર્સને તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ લગભગ પાંચ લાખ ‘બાર્ડ ઘુવડ’નો ખતમ કરવામાં આવશે. કારણ કે તે ‘સ્પોટેડ ઘુવડ’ માટે ખતરો બની ગયા છે. 

અમેરિકન માછલી અને વન્યજીવ સેવા (ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસ ) વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય ઓરેગોન, વોશિંગ્ટન રાજ્ય અને કેલિફોર્નિયામાં સતત ઘટતી જતી ઘુવડની વસ્તીને વધારવાનો છે. રિપોર્ટ મુજબ આગામી ત્રણ દાયકામાં 4,50,000 બાર્ડ ઘુવડને ગોળી મારીને ઠાર કરવામાં આવશે. મૂળભૂત રીતે આ પક્ષીઓ પૂર્વ અમેરિકામાં રહે છે. પરંતુ તેઓએ પશ્ચિમ કિનારે આક્રમણ કર્યું છે. અને નાના સ્પોટેડ ઘુવડ આ આક્રમણકારો સામે લડવામાં અસમર્થ છે. બાર્ડ ઘુવડના ઈંડા મોટા હોય છે, અને તેમને માળો બાંધવા માટેની જગ્યા પણ બહુ ઓછી જરૂર પડે છે.

સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓને લુપ્ત થવાના આરે છે. તેને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓ ઘુવડની અન્ય આક્રમક પ્રજાતિઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યા છે.  સ્પોટેડ ઘુવડની સંખ્યામાં ઘટાડો થવાનું કારણ ઉત્તર અમેરિકામાં જોવા મળતા ઘુવડની પ્રજાતિ છે. જેને બાયર્ડ ઘુવડ કહેવામાં આવે છે. આ પ્રજાતિ ઘુવડની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક ગણાય છે, અને આ પ્રજાતિ આક્રમક છે, જેની આક્રમકતાથી નાના સ્પોટેડ ઘુવડ લડી શકતા નથી, કારણકે તેમની ક્ષમતા ઘણી ઓછી છે. ત્યારે યુએસ ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે એક નવી વ્યૂહરચના બનાવી છે. આ વ્યૂહરચના ઘુવડની આક્રમક પ્રજાતિઓને મારી નાખવા માટેની છે.

લુપ્ત થતી ઘુવડની પ્રજાતિઓને બચાવવા માટે દાયકાઓથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસોમાં તે જંગલોના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. અને તેના કારણે જંગલોને કાપવા અંગે પણ વિવાદ ઉભા થયા છે. પરંતુ પક્ષીઓની ઘટતી સંખ્યાને લઈને આમ કરવું જરુરી છે. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે, ઘુવડનું કોઈ કાયમી વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો આટલા લાંબા સમયથી તમામ પ્રયાસો કરવા છતાં સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આ વ્યૂહરચના ઘણા લોકો દ્વારા અનિચ્છાએ સ્વીકારવામાં આવી છે.

નિર્ણય પર લોકોનો અભિપ્રાય 

વન્યજીવના સમર્થકો અને સંરક્ષણવાદીઓ એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે બીજાને મારી નાખવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે. કેટલાક લોકોએ અનિચ્છાએ ઘુવડને મારવાના નિર્ણયને સ્વીકાર કર્યો છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું કે, આ આવશ્યક વન સંરક્ષણથી લાપરવાહીપુર્વક ધ્યાન ભટકાવવાનું છે. “જેઓ વન્યજીવોના રક્ષક છે, તેઓ જ હવે  જુલમી બની રહ્યા છે,” તેમણે આગાહી કરી હતી કે, યોજના નિષ્ફળ જશે, કારણ કે  બાર્ડ  ઘુવડોને રોકી ન શકાય. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, આગામી વસંતમાં ઘુવડને મારવાનું શરુ કરી દેવામાં આવશે. 

ઘુવડના રેકોર્ડિંગ અવાજથી ઘુવડોને બોલાવીને મારવામાં આવશે

માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ આયોજન આવતા વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ઘુવડોને મારવાનું શરુ કરી દેશે. તેના માટે મેગાફોન દ્વારા જંગલમાં ઘુવડના રેકોર્ડિંગ અવાજ વગાડીને બાકીના ઘુવડોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમને ગોળી મારીને તેમના મૃતદેહોને તે જ જગ્યાએ તરત જ દફનાવવામાં આવશે.

July 3, 2024
mexico.jpg
1min175

દક્ષિણ મેક્સિકોમાં ગ્વાટેમાલા સરહદ નજીક એક ડમ્પ ટ્રક અને તેની આસપાસના વિસ્તારોમાંથી 19 મૃતદેહો મળી આવ્યા હતા. મેક્સિકોનો આ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓથી પ્રભાવિત વિસ્તાર છે.

11 people die in mass shootings in cartel-plagued part of Mexico amid wave  of mass killings - CBS News

ફેડરલ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દક્ષિણ ચિઆપાસ રાજ્યના લા કોનકોર્ડિયા શહેરની નજીકના ગ્રામીણ રસ્તા પર ત્યજી દેવાયેલી ટ્રકમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. ડમ્પ ટ્રકની પાસેથી 14 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે વધુ બે મૃતદેહ કેબમાંથી મળી આવ્યા હતા. બે ટ્રકની બહાર હતા અને અન્ય એક મૃતદેહ લગભગ 100 મીટર દૂરથી મળી આવ્યો હતો.

વિભાગે જણાવ્યું હતું કે પીડિતોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેમાં ગ્વાટેમાલાના ઓળખ દસ્તાવેજો હોય તેવા ઓછામાં ઓછા છ પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાઓ સિનાલોઆ ડ્રગ કાર્ટેલ અને મેક્સિકો અને ગ્વાટેમાલાના કાર્ટેલ તરીકે ઓળખાતી હરીફ ગેંગ વચ્ચેના ગેંગવોરના કારણે થઇ હોવાનું માનવામા આવી રહ્યું છે.

આ વિસ્તારમાં મોટાપાયે માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે. કાર્ટેલ છેલ્લા વર્ષથી દાણચોરીના બિઝનેસ પર નિયંત્રણ મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. ચિયાપાસ રાજ્યમાં હિંસામાં વધારો થવાથી હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. મે મહિનામાં ગ્વાટેમાલાની સરહદથી લગભગ 125 કિમી દૂર લા કોનકોર્ડિયામાં એક પ્રચાર રેલીમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં મેયર પદના ઉમેદવાર અને અન્ય પાંચ લોકો માર્યા ગયા હતા

July 3, 2024
shutterstock_1844916328-1280x690.jpg
1min188

૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર

Banknotes The Benefits of Holography (Part 2) - Keesing Platform

ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.

૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.

જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે. 

July 3, 2024
image-1.jpeg
1min151

યૂન ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહયા છે. મહાભિયોગ માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ હોવી જરુરી છે

સિઓલ,૧ જૂલાઇ,૨૦૨૪,સોમવાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન વિરુધના મહાભિયોગની ઓનલાઇન અરજીમાં ૮.૧૧ લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. સંસદની વેબસાઇટ પર ૨૦ જૂનથી જે મહાભિયોગની કાર્યવાહી શરુ થઇ છે. વેબસાઇટ પર લોકો ઓનલાઇન અરજી કરે છે તેમાં ખૂબજ વિલંબ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ૪ કલાક સુધી વેબસાઇટ પર એરર મેસેજ આવતો હતો. ૩૦ હજારથી વધુ લોકોને વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી પડી હતી.  આ અંગે દક્ષિણ કોરિયાની સંસદના સ્પીકર વૂ વૂન શિકે વેબસાઇટ પરની ટેકનિકલ સમસ્યા ઝડપથી દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે.

૩૦ જૂનના રોજ એક નિવેદનમાં સ્પીકર વૂએ અવરોધ માટે માફી માંગી અને સંસદ જનતા માટે સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે યોગ્ય પગલા ભરશે.  અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે યૂએન પદ પર લાયક નથી એવો કાયદો બનવો જોઇએ. રાષ્ટ્રપતિ પર ઉત્તર કોરિયા સાથે યુદ્ધ ભડકાવવાનો આરોપ મુકયો છે. જાપાનને નાશ પાંમેલા ફુકુશિમા પરમાણુ ઉર્જા સંયંત્રને રેડિયોએકટિવ પાણી છોડતું અટકાવી શકયા નથી. આથી સ્વાસ્થ્ય સંબધી જોખમ ઉભું થયું છે. 

યૂન ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહયા છે. દક્ષિણ કોરિયામાં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર મહાભિયોગ કોઇ નવાઇની વાત નથી. ૨૦૦૪માં રો હ્ય્યૂન અને ૨૦૧૭માં પાર્ક ગ્યૂવ હાઇ પદ પરથી ઉતરી જવું પડયું હતું.પાર્કને કોર્ટે પદ પરથી હટાવ્યા હતા પરંતુ ત્યાર પછી ફરી પદ સંભાળી લીધું હતું. દક્ષિણ કોરિયાની સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ સાથે રાષ્ટપતિ વિરુધ મહાભિયોગ લાવી શકાય છે. 

July 3, 2024
isriel.png
1min130

હમાસ સામેના જંગમાં ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોઆવ ગેલાંટનો દાવો,

હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ રહી છે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ઇઝરાયેલને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોઆવ ગેલાંટે હમાસની ૨૦ બટાલિયનનો ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો હતો. હવે હમાસની માત્ર ૪ બટાલિયનો જ બાકી રહી છે તેનો પણ નાશ કરવામાં આવશે. હમાસના આતંકીઓ ઇઝરાયેલની સેના સામે ટકી શકયા નથી. શસ્ત્રો તેમજ અન્ય સપ્લાયલાઇન બંધ હોવાથી ધીમે ધીમે સકંજો કસાઇ રહયો છે. 

ટાઇમ્સ ઓફ ઇઝરાયેલમાં પ્રકાશિત માહિતી મુજબ નેતન્યાહુ સરકારના સંરક્ષણમંત્રીનું આ નિવેદન ઇઝરાયેલની હમાસની કાર્યવાહીના ૯ મહિના પછી આવી છે. જે ક્ષેત્રોમાં ઇઝરાયેલી સૈનિકો સંઘર્ષ કરી રહયા હતા ત્યાં હવે આગળ વધી રહયા છે. આઇડીએફ (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) ગાજાપટ્ટીમાં બચેલી હમાસની કેટલીક બટાલિયન સિવાય તમામ સ્થળોએ સરસાઇ મેળવી લીધી છે. હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ બચી છે.

ઇઝરાયેલી સેનાએ ઇજિપ્ત સાથે જોડાયેલી રાફા સરહદ વિસ્તાર પર કબ્જો કર્યો હતો. સરહદ પર કુલ ૨૫ જેટલી સુરંગો પર કબ્જો મેળવવામાં આવ્યો છે. આ સુરંગોનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ સુરંગોનો ઉપયોગ હમાસના આતંકીઓ શસ્ત્ર પુરવઠો રાખવા માટે કરતા હતા. હવે હમાસના આતંકીઓએ ઘુંટણ ટેકવીને શરણે આવવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. હમાસ સંગઠનની ઇઝરાયેલના સૈનિકો સામે લડવાની ઇચ્છાશકિત તુટી રહી છે.