ગુજરાત Archives - Page 60 of 155 - CIA Live

August 21, 2020
weather-forecast.jpg
1min4150

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આાગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગ મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

August 21, 2020
SGCCI.jpg
1min4540

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આગામી દિવસોમાં રેલ્વે સ્ટેશન અને ઔદ્યોગિક વિસ્તારોમાં બે લાખ માસ્ક અને એક લાખ સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે એ વાત નિશ્ચિત છે કે કોરોના વચ્ચે રહીને પણ સુરત સમેત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા રોજગારોની ગાડી ફરી પાટે ચઢાવવાની છે. આ પ્રયાસમાં ચેમ્બર ઓફ કોમર્સ જાન ભી હૈ જહાન ભી હૈ ની નીતની રૂએ ઉદ્યોગ ધંધા ફરી ધમધમતા થાય એ માટે પ્રયાસો કરી રહી છે તેની સાથે જ વતનમાંથી સુરત પરત ફરતા કામદારોને કોરોના પ્રોટેકશન મળે એ માટે પ્રથમ તબક્કામાં તેમને માસ્ક અને સેનિટાઇઝરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. હાલમાં બે લાખથી વધુ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

તા.20મી ઓગસ્ટના રોજ ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં સુરતના માસ્ક અને સેનીટાઇઝરના ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રના ઉત્પાદકોએ પોતાના ધંધાને મહત્વ ન આપીને વધુને વધુ માસ્ક તથા સેનીટાઇઝર બોટલોનું દાન જાહેર કર્યું હતું.

બેઠકમાં સુરેશ ગોંડલીયા તરફથી પ૦ હજાર એન– ૯પ માસ્ક તથા ૧૧૦૦ સેનીટાઈઝર બોટલ, ધી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશન તરફથી ૩૦ હજાર માસ્ક, સચીન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી રપ હજાર સેનીટાઇઝરની બોટલ, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી ૧૦ હજાર માસ્ક, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન તરફથી ૧૦ હજાર માસ્ક, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન તરફથી રપ હજાર માસ્ક અને રિનેશ ભિમાની તરફથી પ હજાર માસ્કના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ તબકકામાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનો મારફત સુરત આવતા શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે. એના માટે ચેમ્બર દ્વારા સુરત સ્ટેશને એક બુથ બનાવવામાં આવશે તથા ચેમ્બરના સભ્યો દ્વારા માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે.બીજા તબકકામાં શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફરી ફરીને જાગૃતિના ભાગરૂપે શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝર બોટલોનું વિતરણ કરવામાં આવશે. હજી પણ આ પ્રોજેકટમાં જેમણે પણ રસ હોય તેમણે મોબાઇલ નંબર ૯૮રપ૪૭ર૯૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

August 21, 2020
corona-gujarat.jpg
1min3500

છેલ્લા 20 દિવસોથી ગુજરાતમાં રોજના 1100 ઉપર કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1175 કોવિડના કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 83 હજારને પાર અર્થાત 83262 થયા છે.

ગુજરાતમાં વધુ 16 દર્દીના મૃત્યુ થતાં કુલ કોરોના દર્દીનો આંક 2855 થયો છે. સારી વાત એ છે કે ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 1123 કોરોના દર્દી’ સાજા થતાં કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક 66 હજારની નજીક અર્થાત 65953 થયો છે. ગુજરાતમાં હાલ 14454 એકિટવ કેસ છે. જેમાંથી 86 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 1175 કેસમાં 10 કેસ અન્ય રાજયનાં છે. જયારે સુરત શહેરમાં 163 અને ગ્રામ્યનાં 74 મળીને 233, અમદાવાદ શહેરમાં 155 અને ગ્રામ્યના 17 મળીને 172, વડોદરા 118, રાજકોટ 98, જામનગર 73, ભાવનગર 55, ગાંધીનગર 25, જૂનાગઢ 27, પંચમહાલ 42, કચ્છ 35, દાહોદ 32, મોરબી 26, અમરેલી 25, મહેસાણા 22, ભરૂચ 20, બનાસકાંઠા 18, પાટણ 15, નવસારી અને પોરબંદર 13-13, ગીર સોમનાથ 11, નર્મદા અને સાબરકાંઠા 10-10, છોટા ઉદેપુર-ખેડા અને વલસાડમાં 9-9, આણંદ અને મહીસાગરમાં 8-8, બોટાદમાં 7, સુરેન્દ્રનગરમાં 6, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 4-4 અને અન્ય રાજ્યના 10 કેસનો સમાવેશ થાય છે. આમ આજે શહેરમાં 594 અને ગ્રામ્યમાં 571 કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે.’

ગુજરાતમાં સુરતમાં 7, અમદાવાદમાં 4, રાજકોટમાં 2 જ્યારે ગાંધીનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.’વિતેલા 24 કલાક દરમિયાન 68,581 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. જેને લઈને રાજ્યમાં કુલ ટેસ્ટનો આંક 15 લાખને પાર કરીને 15,47,210 થયો છે.

August 20, 2020
swachh.jpg
3min5060
POSITIONSTATE NAMEULB NAMESCORE
#1Madhya PradeshIndore5647.56
#2GujaratSurat5519.59
#3MaharashtraNavi Mumbai5467.89
#4ChhattisgarhAmbikapur5428.31
#5KarnatakaMysore5298.61
#6Andhra PradeshVijayawada5270.32
#7GujaratAhmedabad5207.13
#8DelhiNew Delhi (NDMC)5193.27
#9MaharashtraChandrapur_M5178.93
#10Madhya PradeshKhargone5158.36
#11GujaratRajkot5157.36
#12Andhra PradeshTirupati5142.76
#13JharkhandJamshedpur5133.2
#14Madhya PradeshBhopal5066.31
#15GujaratGandhinagar5056.72
#16ChandigarhChandigarh4970.07
#17Andhra PradeshGVMC Visakhapatnam4918.44
#18MaharashtraDhule4896.99
#19ChhattisgarhRajnandgaon4887.5
#20ChhattisgarhBilaspur4875.74
#21GujaratVadodara4870.34
#22Madhya PradeshUjjain4826.53
#23ChhattisgarhRaigarh4808.37
#24Madhya PradeshBurhanpur4791.18
#25MaharashtraNashik4729.46
August 20, 2020
corona-gujarat.jpg
1min4210

૨૪ કલાકમાં ૬૩ હજારથી વધુ ટેસ્ટ, ૧૧૪૫ નવા કેસ, ૧૭ મૃત્યુ, ૧૧૨૦ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોને શોધી કાઢવા માટે અત્યાર સુધીના સૌથી વિક્રમી ટેસ્ટ છેલ્લા ચોવીસ કલાકમાં કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં ૬૩,૦૮૭ ટેસ્ટ રાજ્યભરમાં કરવામાં આવ્યા એમાંથી ૧૧૪૫ નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ૧૧૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જોકે, સારવાર હેઠળના વધુ ૧૭ દર્દીઓના હોસ્પિટલમાં મૃત્યુ થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે ૨૩૮ કેસ સુરતમાં નોંધાયા છે એમાં મહાનગરના ૧૬૬ કેસનો સમાવેશ થાય છે. શહેરના ત્રણ મળી કુલ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદ શહેરમાંથી નવા ૧૪૬ કેસ નોંધાયા છે અને ચાર દર્દીના મૃત્યુ થયા છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૩ કેસ અને જિલ્લામાંથી ૨૨ મળી ૧૧૫ કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૦ અને ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી કુલ ૨૭ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં એક દર્દીનું કોવિડના કારણે મૃત્યુ થયું છે.

રાજકોટ મહાનગરમાંથી નવા ૬૨ કેસ નોંધાયા છે જ્યારે ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. સૌરાષ્ટ્રના અન્ય મહાનગર જામનગરમાંથી સતત રોજેરોજ નવા કેસ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૯ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લાના જામખંભાળીયા, ધ્રોળ, લાલપુર જેવા વિસ્તારમાંથી નવા ૬ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૩૫ કેસ અને એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જિલ્લામાંથી નવા ૨૫ કેસ પણ નોંધાયા છે. જૂનાગઢમાંથી કુલ વીસ કેસ નોંધાયા છે એમાં મહાનગરના ૧૧ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ પંચમહાલ જિલ્લામાંથી નોંધાયા છે. પંચમહાલના હાલોલ, કાલોલ, ગોધરા સહિતના તાલુકા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૪૪ કેસ મળી આવ્યા છે. આ જ રીતે રાજકોટ સાથે નજીકનો નાતો ધરાવતા અને સિરામિક સહિતની ઔદ્યોગિક પ્રવૃત્તિના હબ ગણાતા મોરબીમાંથી નવા ૩૪ કેસ મળ્યા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, ભૂજ, અબડાસા, અંજારમાંથી નવા ૩૦ કેસ આવ્યા છે.

અમરેલીમાં લાઠી, લીલીયા, ધારી સહિતના વિસ્તારોમાંથી નવા ૨૭ કેસ, ભરૂચમાં ભરૂચ શહેર ઉપરાંત વાગરા, અંકેલશ્વર, ઝગડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોના કારણે કેસ સતત વધી રહ્યા છે અહીં વધુ ૨૨ કેસ નોંધાયા છે. મહેસાણામાં કડી, વિજાપુર, બેચરાજી, વીસનગર અને ઊંઝા સંક્રમિત થયા છે એમાંથી નવા ૨૦ કેસ નોંધાયા છે. બનાસકાંઠમાં પાલનપુર, ડીસા, ધાનેરા જેવા વિસ્તારોમાંથી વધુ ૧૯ કેસ અને પાટણમાંથી ૧૮ નવા કેસ નોંધાયા છે. પાટણમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

રાજ્યના આણંદ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાંથી ૧૩-૧૩ કેસ, બોટાદ અને નવસારામંથી ૧૧, પોરબંદરમાંથી ૧૦, નર્મદામાંથી ૯, સાબરકાંઠામાંથી ૭ કેસ નવા નોંધાયા છે. ખેડા, સુરેન્દ્રનગર, તાપીમાંથી ૬-૬ કેસ, મહીસાગરમાંથી ૫, અરવલ્લીમાંથી ૪, દ્વારકા ૩, છોટાઉદેપુર તથા અન્ય રાજ્યના એક એક કેસ નોંધાયા છે.

આમ, રાજ્યમાં ૧૪,૭૮,૬૨૯ ટેસ્ટ સાથે કુલ કેસનો આંક વધીને ૮૨,૦૮૭ સુધી પહોંચ્યો છે જ્યારે નવા ૧૧૨૦ ડિસ્ચાર્જ સાથે કુલ આંક ૬૪૮૩૦ થયો છે આને પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૮.૯૮ ટકા થયો છે. અલબત્ત, કુલ મૃત્યુ આંક પણ ૨૮૩૯ સુધી પહોંચ્યો છે. જે સરેરાશ ચાર ટકા કરતાં નીચો છે. આમ, હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૧૪૪૧૫ થયો છે એમાંથી ૮૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૩૩૭ સ્ટેબલ છે.

August 20, 2020
1597848724371-1280x640.jpg
1min6830

સુરતના પાલ ખાતે ગૌરવપથ રોડ પર આજે એક કોમ્પલેક્ષ માંથી ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ઓનલાઈન ગેમ્બલીંગનો જુગાર રમાડતાં 13 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.83 લાખ અને 13 લેપટોપ સહિત કુલ્લે સાડા આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે અમદાવાદના ભરત સહિત એક વિદેશી નાગરિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના ગૌરવ પથ રોડ પર આવેલ મોનાર્ક આર્કેડમાં ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જે બાતમીના આધારે આજે ક્રાઈમ બ્રાંચની ટીમે મોનાર્ક આર્કેડમાં બીજા માળે આવેલ વિકટ આઈ.ટી. સોલ્યુશન નામનની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે ઘટના સ્થળેથી જીગર, રાહુલ અને કાર્તિક સહિત 13 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી જીગર – રાહુલ અને કાર્તિકે ઓફિસ ભાડે રાખીને ઓનલાઈન જુગાર રમવા તેમજ રમાડવા માટે અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. આ સર્વર યુ.કે. બેઈઝ્ડ હોવાને કારણે આરોપીઓએ તેમાં ફેક આઈ.ડી. બનાવીને અલગ – અલગ 30 ડોમેઈનમાં ઢગલાબંધ વેબસાઈટો બનાવી દીધી હતી. આ વેબસાઈટના માધ્યમથી આરોપીઓ ઓનલાઈન તીન પત્તીનો જુગાર, રૂલેટ, અંદર – બહારનો જુગાર, ડ્રેગન ટાઈગરનો જુગાર અને બકોરેટનો જુગાર સહિત ક્રિકેટ, ટેનિસ અને ફુટબોલની મેચો પર હાર – જીતનો જુગાર રમાડતા હતા. આ માટે આરોપીઓ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પણ ભાડેથી પુરૂં પાડી અલગ – અલગ ગ્રાહકો પાસેથી માસિક એક લાખથી બે લાખ રૂપિયા સુધીનું ભાડું વસુલ કરવામાં આવતું હતું. 

સુરત ક્રાઈમ બ્રાન્ચના દરોડામાં મુખ્ય સૂત્રધાર એવા જીગર દિપક ટોપીવાલા, રાહુલ પ્રહલાદ પ્રજાપતિ અને કાર્તિક રવજી હિસોરીયા સહિત કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાય યુ.કે.નું સર્વર ભાડેથી આપનાર અમદાવાદના ભરત અને વેબસાઈટો પર જુગારની રમતનો લાઈવ વીડિયો મુકનાર અરમેનીયા દેશના નારીક નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી ક્રાઈમ બ્રાંચે 4.15 લાખના 13 લેપટોપ, 1.50 લાખના આઠ મોબાઈલ અને રોકડા રૂપિયા 1.83 મળી કુલ્લે 8.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

ઝડપાયેલા આરોપીઓની વિગત

(૧) જીગર ટોપીવાલા (રહે. પવિત્રા રો-હાઉસ, અડાજણ) (૨) રાહુલ પ્રજાપતિ (રહે. ભૂમિપૂજ્ય રેસીડેન્સી, પાલ) (૩) કાર્તિક હિસોરીયા (રહે. લક્ષ્મીધામ સોસાયટી, કતારગામ) (૪) હુસૈન કોકાવાલા (રહે. કોકાવાલા મેન્સન, ઝાંપા બજાર) (૫) ભાવિક શેઠ (રહે. શુભ રેસીડેન્સી, ઉધના) (૬) ફલક કાબરાવાલા (રહે. વેસ્ટર્ન સિટી, અડાજણ) (૭) જૈમેશ રાઠોડ (રહે. સાકાર પેલેસ, ડિંડોલી) (૮) અર્જુન કંસારા (રહે. દિવાળીબાગ ફ્લેટ, રાંદેર) (૯) કૃષાન કંસારા (શરણમ રેસિડેન્સી, જહાંગીરપુરા) (૧૦) રાજ આનંદ (રહે. શુભમ બંગ્લોઝ, વેસુ) (૧૧) ઈશીતા ગાંધી (એન.એસ.એસ. સ્પલેન્ડેડ, વેસુ) (૧૨) કૃપાબેન પેન્ટર (રહે. દયાળજી પાર્ક, અડાજણ) (૧૩) શશાંગ ટેલર (સુડા આવાસ, પાલ) 

હાઈટેક જુગારનું સર્વર ઈંગ્લેન્ડમાં

મોનાર્ક આર્કેડમાં વિકટર આઈ.ટી. સોલ્યુશનના નામે દુકાન ભાડે રાખીને જીગર, રાહુલ અને કાર્તિક નામના આરોપીઓએ અમદાવાદના ભરત નામના ઈસમ પાસેથી સર્વર ભાડે લીધું હતું. પોલીસ આરોપીઓ સુધી ન પહોચે તે માટે જે સર્વર ભાડે લેવામાં આવ્યું હતું તે ઈંગ્લેન્ડનું રાખવામાં આવ્યું હતું. આ સર્વરમાં પણ આરોપીઓએ ફેક આઈડી બનાવીને અલગ  અલગ વેબસાઈટો દ્વારા ઓનલાઈન જુગારનો ધીકતો ધંધો શરૂ કરવામાં આવ્યો હતો. આરોપીઓ જુગાર શોખિનોને પણ ઓનલાઈન પ્લેટફોર્મ પુરૂં પાડવાના નામે મહિના એકથી બે લાખ રૂપિયાનું ભાડું વસુલ કરી રહ્યા હતા. પોલીસે તમામને ધરપકડ કરી આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્યોને પણ ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.

August 19, 2020
rain_forecast.png
1min5540

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.18મી ઓગસ્ટે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા તા. 21 થી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે, આગામી સપ્તાહમાં તારીખ 18 થી 22 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમો જરૂર જણાયે ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ યથાવત રાખવામાં આવશે. ભારે વરસાદની આગાહીના ૫ગલે તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા પણ તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારેથી અતિભારે જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તારીખ 18થી 22 ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

August 19, 2020
ausi-flood6.jpg
2min6090

રાજકોટ અને ભાવનગર સિંચાઇ વર્તૂળ સુત્રોના જણાવ્યા મુજબ’ સૌરાષ્ટ્રના 140 ડેમમાંથી રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી, ન્યારી સહિત કુલ 89 ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ તથા નદીના પટમાં અવર – જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમની સપાટી 31.90 ફૂટે પહોંચી જતાં ઓવરફલો થવામાં 2.10 ફૂટ દૂર છે.

રાજકોટના ડેમોની સ્થિતિ

રાજકોટ જિલ્લાનો આજી-1, આજી-2, ભાદર-1, વેરી, મોતીસર, છાપરવાડી-1, ફોફળ, છાપરવાડી-2, કરમલ, વાછપરી, ડોંડી, ન્યારી-1, ન્યારી-2, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2, સોડવદર, ઘેલોસોમનાથ અને માલગઢી સહિતના ડેમ ઓવરફલો થયા છે.

જામનગરના ડેમોની સ્થિતિ

જામનગર જિલ્લાનો ઉંડ-2, ડાઇમીણસર, ઉમીયા સાગર, ફુલઝર (કે.બી.), ઉંડ-1, રંગમતી, વાડીસંગ, સપડા, આજી-4, ફુલઝર-1, ફોફળ-2, ઉંડ-3, સસોઇ, પના, ફુલઝર-2, રૂપાવટી, સસોઇ-2 સહિતનાં ડેમ ઓવરફલો થયા છે.

દ્વારકાના ડેમોની સ્થિતિ

દેવભૂમી દ્વારકા : દેવભૂમી જિલ્લાનો સંકરોલી, વર્તુ-1, વર્તુ-2, સોનમતી, વેરાડી-1, કળરણ, વેરાડી-2, મીણસર (વાનાવાડ), સાની, એસ ભાડથરી, સીંઘવી, ઘી અને ગઢકી સહિતના ડેમ ઓવરફલો થયા છે.

મોરબીના ડેમોની સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લાનો ડેમી-3, મચ્છુ-3, ઘોડાધરોઇ, બંગાવડી અને ડેમી-2, સહિતના ડેમ ઓવરફલો થયા છે.

સુરેન્દ્રનગરના ડેમોની સ્થિતિ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાનો મોરસલ, ધારી અને ત્રિવેણીઠાંગા સહિતના ડેમ ઓવરફલો થયા છે.

પોરબંદરના ડેમોની સ્થિતિ

પોરબંદર : પોરબંદર જિલ્લાનો સોરઠી, ફોદારનેસ, ખંભાલા, કાલીન્દ્રી, અડવાણ, સારણ અને રાણાખીરસરા સહિતના ડેમો ઓવરફલો થયા છે.

અમરેલીના ડેમોની સ્થિતિ

અમરેલી : અમરેલી જિલ્લાનો ખોડીયાર, ધાતરવડી-1, રાયડી, વડિયા, સુરજવડી, ઘેલોઇતરીયા, સેલદેદુમલ અને ધાતરવાડી-2 સહિતના ડેમો ઓવરફલો થયા છે.

બોટાદ, જૂનાગઢ, સોમનાથની સ્થિતિ

બોટાદ : બોટાદ જિલ્લાનો ખાંભળા અને કાળુભા ડેમ ઓવરફલો થયા છે.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનો મધુવંતી, હસનાપુર, ઓઝત-2, આંબાજળ, બાંટવાખારો, મોટાગુજરીયા, સાબલી અને વ્રજમી સહિતના ડેમો ઓવરફલો થયા છે.
ગીરસોમનાથ : ગીરસોમનાથ જિલ્લાનો સિંગોડા, હિરણ-2, રાવળ, મચ્છુન્દ્રી અને હિરણ-1 સહિતના ડેમો ઓવરફલો થયા છે.

August 19, 2020
corona-gujarat.jpg
1min4470

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૫૭,૨૩૪ ટેસ્ટ દ્વારા કોરોનાથી સંક્રમિત દર્દીને શોધવાના પ્રયાસમાં નવા ૧૧૨૬ કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક ૮૦,૦૦૦ને પાર થઇ ૮૦,૯૪૨ થયો છે. જોકે, આ સમયમાં વધુ ૨૦ દર્દીનાં કોવિડ-૧૯ સંક્રમણને લીધે મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. આ મૃત્યુમાં સૌથી વધુ સુરતમાં ૭, અમદાવાદમાં ૪, ભાવનગર, કચ્છ, અમરેલીમાં ૨-૨, વડોદરા અને ગીર સોમનાથમાં ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.

રાજ્યના આઠ મહાનગરોને આવરી લેતાં જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસમાં સુરત ૨૫૨ કેસ સાથે ટોપ ઉપર છે. એમાં મહાનગરના ૧૭૫ કેસ તેમજ ગ્રામ્યના ૭૭ કેસનો સમાવેશ થાય છે. આ જ રીતે અમદાવાદમાં પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ વિસ્તારમાંથી સતત નવા કેસ આવી રહ્યાં છે. જેના પગલે વધુ ૧૪૯ કેસ શહેરમાંથી તેમજ ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદ, બાવળા અને દસક્રોઇમાંથી વધુ ૧૪ કેસ ઉમેરાયા છે આમ, અમદાવાદના કુલ કેસ ૧૬૨ નવા કેસ નોંધાયા છે. વડોદરામાં ૧૧૧ કેસમાં ૮૯ મહાનગરમાંથી નોંધાયા છે જ્યારે ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૧ તથા ગ્રામ્યમાંથી ૧૬ કેસ મળી ૨૭ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ રાજકોટમાંથી ૯૮ કેસ છે, એમાં શહેરમાંથી ૬૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૩૩ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૫૩ કેસ તથા ગ્રામ્યમાંથી પાંચ જ નવા કેસ ઉમેરાયા છે તો ભાવનગર શહેરમાંથી નવા ૨૩ કેસ તથા ગ્રામ્યના ૧૬ કેસ મળી ૩૯ કેસ નોંધાયા છે. જુનાગઢ શહેરમાંથી ૧૩ અને જિલ્લામાંથી ૮ કેસ મળી ૨૧ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો વિસ્ફોટ મોરબીમાં થયો છે. કોરોનાથી સંક્રમિત એક સાથે ૪૬ કેસ મળી આવ્યા છે. સિરામીક ફેક્ટરીઓમાં કારીગરોની અવરજવર સાથે કોરોનાના સંક્રમણનો પણ વધારો જોવા મળ્યો છે. જોકે, આ સિવાયના જિલ્લાઓમાં જોઇએ તો અમરેલી અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ, સુરેનદ્રનગરમાંથી ૧૦, પોરબંદરમાંથી ૯, દેવભૂમિ દ્વારકામાંથી ૫, બોટાદમાંથી ૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે કચ્છ જિલ્લામાંથી નવા ૧૭ કેસ ઉમેરાયા છે.

રાજ્યમાં પૂર્વના આદિવાસી પટ્ટામાં દાહોદમાં વધુ ૨૮, ભરૂચમાં ૨૬, મહીસાગરમાં ૧૫, વલસાડ અને નવસારામાં ૧૦-૧૦ કેસ, નર્મદામાં ૭, તાપી અને ડાંગમાં અનુક્રમે ૩ અને એક કેસનો સમાવેશ થાય છે. આણંદ અને ખેડામાંથી અનુક્રમે ૮ અને ૭ કેસ મળ્યા છે. અન્ય રાજ્યમાંથી આવેલા ૮ દર્દીનો પણ ગુજરાતના કેસમાં સમાવેશ કરાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ વધુ ૧૧૩૧ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૩,૭૧૦ થયો છે. સતત વધી રહેલા ડિસ્ચાર્જને પગલે રિકવરી રેટ ૭૮.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. અલબત્ત, મૃત્યુ આંક ૨૮૨૨ થયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪,૪૧૦ છે. એમાં ૭૮ દર્દીને વેન્ટિલેટરી કેર ઉપર રાખવામાં આવ્યા છે જ્યારે ૧૪,૩૩૨ દર્દી સ્ટેબલ છે.

August 18, 2020
corona-gujarat.jpg
1min4570

ગુજરાતમાં કોરોનાના સંક્રમણે પગરવ માંડ્યાને છ મહિનામાં ચેપગ્રસ્તોની સંખ્યા ૮૦૦૦૦ને પાર થવાની તૈયારીમાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૦૩૩ નવા કેસ સાથે કુલ આંક ૭૯,૮૧૬ સુધી પહોંચ્યો છે એની સાથે વધુ ૧૫ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૨૮૦૦ને પાર થઇ ૨૮૦૨ થયો છે. જ્યારે વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૬૨૫૭૯ સુધી પહોંચ્યો છે જે ૭૮.૪૦ ટકા થયો છે.

હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૪૩૫ છે એમાંથી ૬૯ વેન્ટીલેટર ઉપર તેમજ ૧૪૩૬૬ સ્ટેબલ છે. બીજી તરફ ત્રીસ દિવસ પછી પહેલી વખત સુરતમાં મૃત્યુ આંક ઘટીને ૩ થયો છે. ૭ જુલાઇના રોજ સુરતમાં કોવિડથી સંક્રમિત ૩ દર્દીના મૃત્યુ નોંધાયા પછી સતત આંક વધતો રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટકોર કર્યા પછી ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી કાઢવા માટે થતાં ટેસ્ટ વધારવામાં આવ્યા હતા. ૧૨ ઓગસ્ટે પહેલી વખત ૫૦ હજારનો આંક પાર કર્યા પછી પાંચ જ દિવસમાં આ આંક ફરીથી ઘટી ૪૫,૫૪૦ થઇ ગયો છે. આ ટેસ્ટથી નવા ૧૦૩૩ કેસ મળ્યા છે અને ૧૫ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાંથી કુલ ૧૫૮ કેસ અને શહેરના ૩ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે સુરતમાં કુલ ૨૪૪ કેસ સાથે ૩ દર્દીના મૃત્યુ થયા છે.

સુરતમાં ત્રીસ દિવસ પછી કોરોનાના સંક્રમણની સ્થિતિ ક્રમશ: નિયંત્રણમાં આવી રહી હોય એમ સમજાય છે. જોકે, મૃત્યુના કિસ્સામાં ઓડિટ કમિટીના રિપોર્ટ બાદ જ કોવિડ-૧૯ સંક્રમિત દર્દીના મૃત્યુ આંક જાહેર થતાં હોવાથી રાજ્યમાં જૂન મધ્ય પછી મૃત્યુ આંકમાં રીતસર ઘટાડો થઇ રહ્યો છે જોકે, આજેય રાજ્યનો મૃત્યુ આંક ૪ ટકાની નીચે છે, પરંતુ એ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઊંચો છે.

વડોદરા શહેરમાં નવા ૯૪ કેસ અને ગ્રામ્યમાંથી ૧૫ મળી કુલ ૧૦૯ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૧૫ કેસ તથા ગ્રામ્યમાંથી ૧૭ કેસ મળી ૩૨ કેસ નવા નોંધાયા છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગર સહિતના જિલ્લામાં રાજકોટમાં સતત ૯૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને જિલ્લાના ૩૨ મળી ૯૨ કેસ ઉમેરાયા છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી વધુ ૪૧ મળી કુલ ૪૪ કેસ નવા નોંધાયા છે જ્યારે ભાવનગર શહેરમાંથી ૨૦ અને ગ્રામ્યના ૯ મળી ૨૯ કેસ નોંધાયા છે એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢમાંથી કુલ ૨૧ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસ નોંધાયા છે.

સતત ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લામાંથી નવા કેસ મળી રહ્યા છે. ગોધરા, કાલોલ, હાલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા ૨૯ કેસ ઉમેરાયા છે. આ જ રીતે અમરેલી જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા, અબડાસા, ભૂજ, રાપરમાંથી ૨૪ કેસ આવ્યા છે. મોરબામંથી ૨૨, પાટણમાંથી ૨૧ કેસ, ગીર સોમનાથના ૧૯, મહેસાણામાં ૧૭, ભરૂચમાં ૧૬ કેસ નવા નોંધાયા છે.

દાહોદ, નવસારી અને સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાં ૧૧, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નર્મદામાંથી ૯-૯ કેસ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮, સાબરકાંઠા, તાપી, વલસાડમાંથી ૫-૫, અરવલ્લી અને બોટાદમાંથી ૪-૪, છોટાઉદેપુરમાંથી ૩ અને અન્ય રાજ્યના ચાર નવા કેસ નોંધાયા છે.