CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 66 of 139 - CIA Live

July 30, 2020
corona-gujarat.jpg
1min5180

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક હવે દૈનિક ૧૨૦૦ કેસની નવી ટોચ તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ વખત ૧૧૦૦થી વધુ કેસની સરેરાશ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૪૪ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૨૪ દર્દીઓના સારવાર દરમિયાન કોવિડ-૧૯ના સંક્રમણને લીધે મૃત્યુ થયા હોવાનું જાહેર કર્યું છે. આ કેસમાં સૌથી વધારે પ્રમાણ હવે ગામો, નગરોમાંથી ૬૦ ટકા કેસનું થઇ ગયું છે. આઠ મહાનગરોમાંથી ૫૩૪ કેસ મળ્યા છે, જ્યારે ગામો, નગરોમાંથી ૬૧૦ કેસ નોંધાયા છે. જોકે, મહાનગરોમાં મૃત્યુનું પ્રમાણ હજુ વધારે છે આઠ મહાગરોમાં કુલ ૧૫ મૃત્યુ અને જિલ્લાઓમાંથી ૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે. જોકે, આ જ સમયગાળામાં ૭૮૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

આઠ મહાગરોમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાં ૨૦૭ અને આઠ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જ્યારે આસપાસના નગરો, ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૮૪ કેસ ઉમેરાયા છે તથા વધુ ૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. અમદાવાદમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોય તેમ હવે કોટ વિસ્તાર સિવાયના શહેરમાંથી નવા ૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે પાંચ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. શહેરને ફરતે આવેલા ધંધુકો, માંડલ, વીરમગામ અને સાણંદમાંથી નવા ૧૧ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગરમાંથી નવા ૭૨ કેસ નોંધાયા છે એમાં જૂના સૌથી વધારે સંક્રમિત વિસ્તારો સિવાયના રહેણાંક, ગીચ અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી કેસ આવી રહ્યા છે. જોકે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આજે એક સાથે ૨૩ કેસ મળી આવ્યા છે એના લીધે હવે કુલ આંક ૯૫ થયો છે. શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી એક મળી કુલ ત્રણ દર્દીના કોરોનાના સંક્રમણથી મૃત્યુ થયા છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા ૧૨ કેસ મળ્યા છે જ્યારે ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલના ગ્રામ્ય અને નગરોમાંથી ફરીથી એક સાથે ૩૮ કેસ ઉમેરાયા છે. અત્યાર સુધી નગરોમાં રહેલો ચેપ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં રાજકોટમાંથી નવા ૪૦ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એટલા કેસ મળી કુલ ૮૦ કેસ એક સાથે નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે કબુલ્યું છે. રાજકોટ સિવાય અન્ય મહાનગરોમાં જોઇએ તો ભાવનગરમાં કુલ ૩૫ નોંધાયા છે એમાં મહાનગરના ૨૩ કેસ છે આ જ રીતે જૂનાગઢ શહેરમાંથી ૨૩ કેસ મળ્યા છે જ્યારે ગ્રામ્યના ૮ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૬ તેમજ ગ્રામ્યના ૩ કેસ મળી કુલ ૧૯ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ગ્રામ્ય સિવાય ક્યાંય ચોવીસ કલાકમાં કોવિડથી મૃત્યુ થયું નથી.

જિલ્લાઓમાં જોઇએ તો સૌથી વધારે કેસ મહેસાણા જિલ્લામાં ૩૬ નોંધાયા છે. મહેસાણા નગર ઉપરાંત કડી, વીસનગર, ઊંઝા, બેચરાજી, ખેરાલુ જેવા ગ્રામ્ય વિસ્તારોમાંથી આ કેસ આવ્યા છે. ભરૂચ અને દાહોદમાંથી ૩૩-૩૩ કેસ મળ્યા છે. દાહોદ જિલ્લામાં હવે વ્યાપક રીતે ટેસ્ટીંગ સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ વધારવું પડશે. છેલ્લા વીસ દિવસથી સતત દાહોદ જિલ્લામાં વ્યાપક રીતે કેસ મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં નગર ઉપરાંત પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, હળવદમાંથી નવા ૩૧ કેસ ઉમેરાયા છે. મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવા સાથે હવે કેસની ગતિ પણ ધીમે ધીમે વધી રહી છે નવા ૨૮ કેસ નોંધાયા છે આ જ સ્થિતિ અમરેલીમાં થઇ છે. નવા ૨૪ કેસ નોંધાયા છે. અમરેલી ઉપરાંત ધારી, લાઠી,લીલીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય સંક્રમિત શહેરોમાંથી આવતા લોકોના લીધે ચેપ પ્રસર્યો છે.

વલસાડમાંથી ૧૯, નર્મદા, પાટણમાંથી ૧૮-૧૮, નવસારાંથી ૧૭, પોરબંદરમાંથી ૧૪, સાબરકાંઠામાંથી પણ ૧૪ કેસ, કચ્છમાં ૧૩, મહીસાગર ૧૨, આમંદ, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, તાપીમાંથી ૧૦-૧૦ કેસ નવા ઉમેરાયા છે. બોટાદ, ગીર સોમનાથમાંથી ૮-૮, છોટુદેપુરમાંથી ૨ તેમજ અરવલ્લી, દ્વારકા ને ડાંગમાંથી એક એક કેસ નવા નોંધાયા છે જ્યારે અન્ય રાજ્યના નવા ૧૦ કેસ ઉમેરાયા છે. પાટણમાં બે અને મહેસાણામાં એક દર્દીના કોવિડના લીધે મૃત્યુ થયા છે.

આમ, ચોવીસ કલાકમાં ૨૨૯૧૪ ટેસ્ટ સાથે કુલ આંક ૭,૧૩,૦૦૬ થયો છે આને પગલે પોઝિટિવ કેસનો આંક ૫૯૧૨૬ થયો છે જ્યારે કુલ મૃત્યુ આંક ૨૩૯૪ સુધી પહોંચ્યો છે. નવા ૭૮૩ ડિસ્ચાર્જ ઉમેરાતા કુલ આંક ૪૩૧૯૫ થયા છે. હાલ ૧૩૫૩૫ એક્વિટ પેશન્ટ છે એમાં ૮૯ વેન્ટીલેટર ઉપર છે અને ૧૩૪૪૬ સ્ટેબલ છે.

July 29, 2020
corona_india.jpg
1min6630

દેશમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને 15 લાખને પાર પહોંચી ગઇ છે. તાજેતરના આંકડાઓ મુજબ કોરોના સંક્રમણથી દેશભરમાં 15,00,988 લોકો પીડિત થઇ ચૂક્યા છે. વર્તમાન સમયમાં દેશમાં 5,06,153 સક્રિય કેસ છે, જ્યારે 9,61,000થી વધુ દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થઇ ચૂક્યા છે. આ પૈકી દેશનો કુલ મૃત્યુઆંક વધીને 33,620 થયો છે. 

કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને તમિલનાડૂ છે, તમિલનાડૂમાં મંગળવાકે સંક્રમણના નવા 6972 કેસ સામે આવ્યા હતા, કુલ દર્દીઓનો આંકડો 2,27,688 છે. જ્યારે રાજ્યભરમાં કુલ 3659 દર્દીઓ કોરોના સંક્રમણના લીધે દમ તોડી ચૂક્યા છે. 

દિલ્હીમાં પણ વિતેલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1056 કેસ સામે આવ્યા છે. અહીં કુલ 1,32,275 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3881 છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર મુજબ કેસો ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહ્યા છે. 

જોકે દેશભરમાં કોરોના મહામારી રુદ્ધ રુપ ધારણ કરી ચૂકી છે, દૈનિક સ્તરે નવા કેસો રેકોર્ડ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં સ્વાસ્થ મંત્રાલય સતત દાવો કરી રહ્યુ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં કેસોની સંખ્યા ઓછી છે અને રિકવરી રેટ વધુ છે. વિશ્વસ્તરે ભારતમાં કોરોનાથી મૃત્યુદર પણ સૌથી ઓછો છે. પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં નવા કેસોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે હવે રાજ્ય સરકારો સ્વ-નિર્ણય લઇને કોરોના સંક્રમણને કાબૂ કરવાના યથાગ પ્રયત્ન કરી રહી છે. 

July 29, 2020
corona-gujarat.jpg
1min4350

ગુજરાત સહિત દેશભરમાં હવે અનલોક-૩ માટે તૈયારીઓ શરૂ થઇ રહી છે બીજી તરફ દેશભરમાં રોજેરોજ વધતાં જતાં સંક્રમણના પ્રભાવથી વધુને વધુ શહેરો, નગરોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જેવી સ્થિતિનો અમલ કરવામાં આવી રહ્યો છે એવા સમયે ગુજરાતમાં પણ અનેક નગરો, ગામોમાં વેપાર, ધંધા વ્યવસાયના કામકાજને નિયંત્રિત કરી દેવાયા છે છતાં રોજેરોજ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૧૦૮ કેસ અને ૨૪ મૃત્યુ નોંધાયા છે આ કેસમાં બીજી વખત મહાનગરો કરતાં વધારે કેસ ગ્રામ્ય તથા નગરોમાંથી આવ્યા છે.

આઠ સંક્રમિત મહાનગરોમાંથી ૫૩૦ કેસ અને ગામોમાંથી ૫૭૮ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મૃત્યુની દ્રષ્ટીએ મહાનગરોમાંથી ૧૫ અને ગ્રામ્યના ૯ દર્દીનો સમાવેશ થાય છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે સતત બીજા દિવસે એક હજારથી વધારે એટલે કે ૧૦૩૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૨૪૧૨ સુધી પહોંચ્યો છે તેના પગલે રિવકરી રેટ ૭૩.૧૫ થયો છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત મહાનગરમાંથી ૧૯૯ તેમજ જિલ્લામાંથી ૯૪ કેસ આવ્યા છે જ્યારે અનુક્રમે ૭ અને ૫ દર્દીઓના મૃત્યુ પણ છેલ્લા ચોવીસ કલાકમાં થયા છે. અમદાવાદ મહાનગરમાંથી બીજા દિવસે પણ દોઢસોથી ઓછા કેસ એટલે કે ૧૪૭ કેસ નોંધાયા છે. દેત્રોજ, માંડલ, વીરમગામમાંથી નવ કેસ નોંધાયા છે. મહાનગરના ચાર દર્દીઓના કોવિડના સંક્રમણથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

વડોદરા શહેરમાંથી નવા ૭૫ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી ૧૫ કેસ આવ્યા છે. શહેરના એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. આ જ રીતે રાજકોટ શહેરમાંથી ૪૯ કેસ અને જિલ્લામાંથી નવા ૩૦ કેસ મળી કુલ ૭૯ કેસ નોંધાયા છે. જિલ્લાના બે દર્દીના મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. સૌરાષ્ટ્રના અન્ય સંક્રમિત મહાનગરમાં જામનગરમાંથી નવા ૨૨ કેસ તેમજ એક દર્દીના મૃત્યુની પુષ્ટી સરકારે કરી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ચાર નવા કેસ આવ્યા છે. ભાવનગર શહેરમાંથી ૧૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ બે દર્દીઓના મૃત્યુ પણ આ સાથે થયા છે. જિલ્લામાંથી ૨૦ કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં કુલ ૧૬ કેસ છે એમાં શહેરમાંથી ૧૧ કેસનો સમાવેશ થાય છે.

પાટનગર ગાંધીનગરમાંથી નવા નવ કેસ મળ્યા છે, પરંતુ ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકામાંથી એક સાથે નવા ૩૫ કેસ મળતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. આ તાલુકાઓમાં હવે ગામડાઓમાં ચેપ પ્રસરી રહ્યો છે અને એના લીધે રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.

દાહોદ નગર અને લીમખેડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ચેપ મોટા પ્રમાણમાં પ્રસરી ગયો હોય તેમ રોજેરોજ નવા મહોલ્લાઓમાંથી કેસ આવી રહ્યા છે. દાહોદમાં એક જ દિવસમાં નવા ૩૮ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં મળ્યા છે. ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના દીયોદર, ધાનેરા, પાલનપુર, વાવ, લાખાણી, કાંકરેજ અને ડીસામાંથી નવા ૩૪ કેસ મળ્યા છે એની સાથે સુરેન્દ્રનગરના પાટડી, મુળી, થાનગઢ, ધ્રાંગધ્રા, વઢવાણમાંથી નવા ૩૨ કેસ નોંધાયા છે. અમરેલીમાં લાઠી લીલાયા, ધારી સહિતના વિસ્તારમાં હવે ચેપ પ્રસર્યો છે નવા ૨૬ કેસ નોંધાયા છે. નવસારીમાંથી ૨૧ કેસ મળ્યા છે.


July 28, 2020
Coronavirus-death.jpg
1min5620

વિશ્વના આંગળીના વેઢે પણ ગણવા ન પડે તેટલા કોરોનાપીડિત દેશોમાં સ્થાન પામી ચૂકેલાં ભારતમાં તા.27મી જુલાઇના ચોવીસ કલાક દરમિયાન અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ મૃત્યુ થયાં હતાં.

તા.27મી જુલાઇને સોમવારના દિવસ દરમિયાન અમેરિકામાં 445 અને બ્રાઝિલમાં 556 સામે ભારતમાં 708 મોત થયાં હતાં. આમ, ભારતમાં કોરોનાથી જીવ ખોનાર સંક્રમિતોની સંખ્યા 32,771 પર પહોંચી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં વિક્રમી 49,931 નવા કેસ સામે આવતાં દર્દીઓનો આંક 14,46,000થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કુલ 4,85,114 સંક્રમિતોનો ઇલાજ ચાલી રહ્યો છે.’

ભારતમાં સોમવારે સતત પાંચમા દિવસે 45 હજારથી વધુ નવા કેસ સામે આવતાં આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. છેલ્લા 24 કલાકમાં 32 હજાર જેટલા દર્દી વાયરસમુક્ત થતાં કુલ 9,17,567 દર્દી સાજા થઇ ચૂક્યા છે એ ધ્યાને લેતાં રિક્વરી રેટ અર્થાત્ દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 63.92 ટકા થઇ ગયો છે.

ભારતીય તબીબ સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના જણાવ્યાનુસાર દેશમાં કુલ 1,68,06,803 દર્દીના નમૂનાના પરીક્ષણ થઇ ચૂક્યાં છે. દરમ્યાન, કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19થી મૃત્યુ થવાના દરમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. અત્યારે મૃત્યુદર માત્ર 2.28 ટકા છે.

દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત’ રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 3,75,799 કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 2,13,723 અને દિલ્હીમાં 1,30,606 કેસ નોંધાઇ ચૂકયા છે, તો આંધ્રપ્રદેશમાં 96,298 અને કર્ણાટકમાં 96,141 સંક્રમિતો સામે આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર પોલીસને પરેશાન કરતા કોરોના વાયરસથી સોમવારે વધુ 101 પોલીસકર્મી સંક્રમિત થયા હતા. આમ, કુલ 8584 પોલીસ જવાન સંક્રમિત થઇ ચૂક્યા છે.

July 27, 2020
corona_india.jpg
1min4370

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 48661 નવા કોરોના મામલા સામે આવ્યા હતા અને 705 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ મામલાનો આંકડો 13,85,522 થયો છે જ્યારે મૃતકોનો આંક પણ વધીને 32,063 થયો છે. જ્યારે કોવિડ19ઈન્ડિયા વેબસાઈટ અનુસાર દેશમાં 24 કલાકમાં નવા કેસનો આંક પહેલી વખત 50,000ને પાર પહોંચી ગયો હતો. જેના પરિણામે રવિવારે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાના કુલ કેસ 1426753એ પહોંચ્યા હતા તેમજ 9.12 લાખ લોકો રિકવર થયા હતા અને 32698 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર 8,85,577 લોકો કોવિડ-19ને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,67,882 રહ્યા છે.
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે ત્યારે સરકાર અનુસાર ભારત સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં કરાયેલા ટેસ્ટિંગની સંખ્યા 4,42,263 હતી.. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિવસ 3.50 લાખ પરીક્ષણ કર્યાં છે.

મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવવાની સલાહ આપી છે. જેનાથી આરંભના દિવસોમાં પોઝિટિવ’ મામલાઓની સંખ્યા વધી શકે છે,’ પરંતુ અંતમાં મામલાઓમાં ઘટાડો જોવા મળશે. કેન્દ્રએ દિલ્હીમાં આ લક્ષ્ય હાસલ કર્યું છે.

વીતેલા 24 કલાકમાં જ 705 લોકોનાં મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 257, તામિલનાડુમાં 89, કર્ણાટકમાં 72, આંધ્રપ્રદેશમાં 52, પશ્ચિમ બંગાળમાં 42, ઉત્તર પ્રદેશમાં 39, દિલ્હીમાં 29, ગુજરાતમાં 22, બિહારમાં 14, ઝારખંડમાં 12, રાજસ્થાનમાં 11 અને ઓરિસ્સામાં 10 મોતનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 9-9, મધ્યપ્રદેશમાં 8, હરિયાણામાં 7, કેરળમાં 5, ગોવામાં 4, છત્તીસગઢ, પોંડીચેરી, ઉત્તરાખંડ અને નાગાલેન્ડમાં 3-3 જ્યારે આસામ અને લદ્દાખમાં 1-1 દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં કોવિડ-19ના 1,142 નવા મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધી 1.29 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલ્હીમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 3806 થયો છે. તામિલનાડુમાં 24 કલાકમાં 6988 નવા મામલા સામે આવ્યા બાદ આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 2,06,737 થયો હતો. મૃત્યુઆંક પણ વધીને 3409 થયો છે.

કોરોના કેસ: શહેરોને પાછળ રાખી દેતાં ગામડાં
અમદાવાદ, તા.26: ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં’ પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1110 કેસ નોંધાવા પામ્યા છે. સાથે ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક’ 56 હજાર નજીક અર્થાત’ 55822 થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 46 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.

આજે પ્રથમ વાર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 1110 કેસમાંથી 533 શહેરોમાં અને 577 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર નોંધાયા છે. હાલ 13031′ એકિટવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકનાં વધુ 21 સાથે કોરોનાથી કુલ મરણાંક 1326 થયો છે.

24 કલાક દરમિયાન નોંધાયેલા 1110 કેસમાંથી સુરત 299 સાથે’ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 11672 થયો છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં 152 અને ગ્રામ્યમાં 11 નવા કેસ’ મળીને કુલ 163 કેસ સામે આવ્યા છે.’ જેને લઇને અમદાવાદમાં કુલ કેસનો આંક 25771 થયો છે. જ્યારે વડોદરામાં 92, રાજકોટમાં 72,’ બનાસકાંઠા 35, દાહોદ 30, ગાંધીનગર 29, નર્મદામાં 26, પાટણ અને છોટાઉદેપુર 22-22, કચ્છમાં 20, ભરૂચમાં 19, મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં 18-18, વલસાડમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 11, ખેડા-9, તાપી-9, ડાંગ-6, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ નોંધાવા પામ્યા છે. નોંધનીય બાબત છે કે આજે ગુજરાતમાં 33 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે.

ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 21 કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જુલાઇ માસમાં આજના નવા 12 મોત સાથે સુરતમાં મોતનો આંક 200 થયો છે. જ્યારે અમદાવાદમાં નવા 3 મોત સાથે જુલાઇ માસમાં 134 થયો છે. વડોદરામાં 3 નવા મોત સાથે જુલાઇ માસમાં 20 મૃત્યુ નોંધાયા છે.

July 27, 2020
corona-gujarat.jpg
1min4400

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણે હવે મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં વ્યાપક રીતે પગપેસારો કર્યો છે. ચાલુ માસના અંતમાં હવે બાકી રહેલા નિયંત્રણોમાં વધુ છુટછાટની તૈયારીઓ ચાલી રહી છે એવા સમયે નગરો, ગામડાઓમાં બેફામપણે વકરી રહેલા ચેપથી રાજ્યમાં આજે પહેલી વખત ૫૫ ટકા કેસ નોંધાયા છે જ્યારે મહાનગરોમાં ૪૫ ટકા કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વિક્રમી ૧૧૧૦ કેસમાંથી ૫૩૩ કેસ આઠ મહાનગરોમાંથી તેમજ ૫૭૭ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી નોંધાયા છે. અલબત્ત ૨૧ મૃત્યુમાંથી ૧૨ મૃત્યુ મહાનગરોમાંથી તેમજ નવ મૃત્યુ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે.

શનિવાર સાંજથી રવિવાર સાંજ સુધીમાં કોરોના સંક્રમિત લોકોને શોધવા માટે ૨૧૭૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આને પગલે ૧૧૧૦ કેસ મળી આવ્યા છે. છેલ્લા ૨૬ દિવસમાં ૨૨મી વખત નવા વિક્રમી કેસ ગુજરાતમાં ઉમેરાયા છે. એમાં સૌથી વધારે સુરત મહાનગરમાંથી ૨૦૧ કેસ ગ્રામ્યના ૯૮ કેસ મળી કુલ ૨૯૯ કેસનો સમાવેશ થાય છે. મહાનગરમાં ૭ અને ગ્રામ્યના ૫ મળી કુલ ૧૨ દર્દીઓના કોવિડ-૧૯ના લીધે મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. આ જ પ્રમાણે અમદાવાદ મહાનગરમાંથી ૧૫૨ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૧૬૩ કેસ જાહેર થયા છે એમાં મહાનગરના ૩ દર્દીના મૃત્યુ થયા છે.

વડોદરામાં છેલ્લા એક મહિનાથી રોજેરોજ કેસ વધી રહ્યા છે. મહાનગરમાંથી નવા ૭૯ કેસ આવ્યા છે જ્યારે જિલ્લાના ૧૩ મળી ૯૨ કેસ તેમજ એક એક દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે. અમદાવાદને અડીને આવેલા મહાનગર ગાંધીનગરમાંથી નવા ૬ કેસ તેમજ ગ્રામ્યમાંથી ૧૩ મળી કુલ ૧૯ કેસ પોઝિટિવ મળ્યા છે જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું છે.

સૌરાષ્ટ્રના મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો સૌથી વધારે સંક્રમિત રાજકોટ મહાનગરમાંથી ૫૨ નવા કેસ ઉમેરાયા છે જ્યારે ગોંડલ, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૦ કેસ આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનું મૃત્યુ થયું છે. જૂનાગઢ મહાનગરમાંથી ૧૮ મળી કુલ વીસ કેસ, ભાવનગર શહેરમાંથી ૧૭ મળી કુલ ૩૧ કેસ, જામનગર મહાનગરમાંથી એક દર્દીનું મૃત્યુ સાથે નવા ૮ કેસ અને ગ્રામ્યના ૬ કેસ નોંધાયા છે.

જિલ્લાઓમાં સૌથી વધારે કેસ સુરતના ગ્રામ્ય વિસ્તાર પછી અમરેલીમાં એક સાથે ૩૯ કેસ નોંધાયા છે. અમરેલી શહેર ઉપરાંત લાઠી, લીલીયા, ધારી જેવા તાલુકાઓમાંથી એક સાથે કેસ મળતાં હાહાકાર મચી ગયો છે. આ જ રીતે બનાસકાંઠા જિલ્લાના દીયોદર, ડીસા, ધાનેરા, લાખેણી, વાવમાંથી કુલ ૩૫ કેસ નોંધાયા છે. નર્મદામાં રાજપીપળા, નાંદોદ, ડેડીયાપાડા, ગરુડેશ્વરમાંથી ૨૬ કેસ આવ્યા છે તો પડોશી દાહોદ જિલ્લાના લીમખેડા, દાહોદ નગરમાંથી ૩૦ કેસ નવા પોઝિટિવ મળ્યા છે.

સુરેન્દ્રનગરના પારડી, વઢવાણ, મુળીમાંથી ૨૪ કેસ, છોટાઉદેપુરમાંથી એક સાથે ૨૨ કેસ નોંધાયા છે. પાટણ નગર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૨૨ કેસ, કચ્છમાંથી ૨૦ કેસ, ભરૂચ ૧૯ કેસ મળ્યા છે. મહેસાણા, ગીર સોમનાથ, નવસારીમાંથી ૧૮-૧૮ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ૧૮ કેસ આવ્યા છે. વલસાડમાં પારડી, વાપી, ધરમપુરમાંથી નવા ૧૫ કેસ, સાબરકાંઠાના ઇતર, હિંમતનગર, પ્રાંતિજમાંથી ૧૪ કેસ, આણંદમાંથી ૧૧, મોરબીમાંથી ૧૦, ખેડા, તાપીમાંથી ૯-૯, ડાંગમાંથી એક સાથે ૬ કેસ, બોટાદમાંથી ૫, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર ૩-૩ કેસ, પોરબંદરમાંથી ૨ કેસ નોંધાયા છે. મોરબીમાં એક દર્દીનું મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.

રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૧૭૦૮ ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં ૬,૪૨,૩૭૦ જેટલા ટેસ્ટ કરાયા છે એમાંથી ૫૫૮૨૨ પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. આ પૈકી ૫૭૩ પાછલા ચોવીસ કલાકમાં ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૪૦,૩૬૫ સુધી પહોંચ્યો છે જે કુલ કેસના ૭૨.૩૧ ટકા જેટલો થાય છે. આની સામે ૨૩૨૬ દર્દીઓના અત્યાર સુધી કોવિડ તથા કોવિડ સાથે અન્ય બિમારીને લીધે મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસ ૧૩૧૩૧ સુધી પહોંચ્યા છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટર ઉપર મુકવા પડ્યા છે એ સિવાયના ૧૩૦૪૬ સ્ટેબલ છે.

ગુજરાતમાં દર 10 હજાર કેસની ગતિ

પહેલા 10 હજાર કેસ – 59 દિવસ

બીજા 10 હજાર કેસ – 22 દિવસ

ત્રીજા 10 હજાર કેસ – 19 દિવસ

ચોથા 10 હજાર કેસ – 14 દિવસ

પાંચમા 10 હજાર કેસ – 11 દિવસ

July 26, 2020
coronatest.png
1min4780

ભારતે ધીમે ધીમે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા વધારી છે અને હવે દેશમાં કોરોનાના રોજના ૪.૨ લાખ પરીક્ષણ કરવામાં આવે છે, એમ કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં દેશમાં કોરોનાના ટેસ્ટિંગ માટે માત્ર એક જ લૅબ હતી, પરંતુ આજે એની સંખ્યા વધીને ૧,૩૦૧ થઇ ગઇ છે, જેમાં ખાનગી લૅબનો પણ સમાવેશ થાય છે. શુક્રવાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ ૧,૫૮,૪૯,૦૬૮ પરીક્ષણ કરવામાં આવ્યા છે. કોરોના પરીક્ષણની ક્ષમતા વધારવાથી દેશમાં કોરોના કેસથી થતા મૃત્યુની ટકાવારી ૨.૩૫ ટકા જેટલી ઓછી છે અને કોરોનાથી સાજા થનારા લોકોની ટકાવારી ૬૩.૫૪ થઇ છે. ભારતમાં કોરોનાનો મૃત્યુદર દુનિયામાં સૌથી નીચો છે.

July 26, 2020
ar-rahman.jpg
1min4810

Oscar વિજેતા બોલીવૂડ મ્યુઝીક કમ્પોઝર એઆર રહેમાને બોલીવૂડના કાળા ચહેરાને લઇને મહત્વનો ખુલાસો કર્યો છે, પ્રતિભાશાળી મ્યુઝિક ડાયરેક્ટરનુ કહેવુ છે કે બોલીવૂડની એક ગેંગ તેમની વિરુદ્ધ અફવાઓ ઉડાવી રહી છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને કામ આપવામા નથી આવતુ. તેઓ હાલમાં રિલીજ થયેલી દિલ બેચારાના મ્યુઝિક ડાયરેક્ટર છે. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ છે જેના રિલીજ થયા પહેલા જ એક્ટરે આત્મહત્યા કરી લીધી હતી. 

ઓછી હિન્દી ફિલ્મોમાં કામે કરવા બદલ એઆર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે હું સારી ફિલ્મોને ના નથી કહેતો, પરંતુ કોઇ ગેંગ છે જે મારા વિરુદ્ધ અફવા ઉડાવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી, જેના લીધે સમગ્ર દેશ ચોંકી ગયો હતો. પોતાના પ્રિય અને પ્રતિભાશાળી એક્ટરના આ પગલાથી બોલીવૂડ સહિત પ્રસશંકો ડઘાઇ ગયા હતા. જોકે સુશાંતની આત્મહત્યા પછી બોલીવૂડમાં નેપોટીઝમનો ચહેરો ખુલ્લો પડ્યો છે. ઘણા દિગ્ગજ કલાકારો સુશાંત સિંહની આત્મહત્યા પાછળ મોટા ડાયરેક્ટર્સ દ્વારા સુશાંતની અવગણના અને તેની વિરુદ્ધ કાવતરા કરી રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે. સુશાંત સિંહે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા જેવુ પગલુ ભરી લીધુ હતું. 

July 26, 2020
corona-gujarat.jpg
1min4350

ગુજરાતમાં કોરોના સંક્રમણથી ચેપગ્રસ્ત થયેલા નવા ૧૦૮૧ દર્દીઓ મળી આવ્યા છે. આની સાથોસાથ સારવાર હેઠળના વધુ ૨૨ દર્દીઓના મૃત્યું થયા છે એમાં સૌથી વધારે ચાર મહાનગરોમાંથી ૧૭ દર્દીઓનો સમાવેશ થાય છે આ સિવાય ચાર દર્દી ગ્રામ્ય વિસ્તારના છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૮૧ કેસ મળી કુલ ૨૭૬ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરના દસ દર્દી તેમજ જિલ્લામાંથી એક દર્દી મળી કુલ ૧૧ના મૃત્યું નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાંથી ૧૬૨ મળી કુલ ૧૮૦ કેસ નવા ઉમેરાયા છે જ્યારે મહાનગરના ૪ દર્દીઓના મૃત્યું થયા છે.

વડોદરા શહેરમાંથી એક સાથે નવા ૭૭ દર્દીઓ ઉમેરાયા છે, સુરત મહાનગરની જેમ અહીં નાગરવાડા સિવાયના તમામ વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ આવી રહ્યા છે. જ્યારે જિલ્લામાં સંક્રમણની સ્થિતિ નિયંત્રિત હોય તેમ ૧૫ કેસ નવા ઉમેરાયા છે. અલબત્ત, મહાનગરના બે દર્દીના કોરોના સંક્રમણથી મૃત્યું થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરો-જિલ્લાની સ્થિતિ જોઇએ તો રાજકોટમાં નવા ૫૦ કેસ નોંધાયા છે તો જિલ્લામાંથી પંદર કેસ આવ્યા છે. જિલ્લામાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે. જૂનાગઢ શહેરમાંથી નવા ૩૦ મળી કુલ ૩૭ કેસ નોંધાયા છે. આ જ રીતે ભાવનગર શહેરમાંથી ૨૪ મળી કુલ ૪૧ કેસ જાહેર થયા છે. આ બન્ને જિલ્લામાંથી એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગર શહેરમાંથી નવા પંદર મળી કુલ ૨૩ કેસ નોંધાયા છે. પાટનગર ગાંધીનગરમાંથી નવા પાંચ કેસ ઉમેરાયા છે અને એક દર્દીનું મૃત્યું થયું છે જ્યારે કલોલ, માણસા, ગાંધીનગર અને દહેગામ તાલુકમાંથી નવા ૨૪ કેસ આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, કાંકરેજ સહિતના તાલુકાઓમાંથી ૩૪ નવા કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, વાગરા, જંબુસરમાંથી નવા ૨૫ કેસ આવ્યા છે. દાહોદ અને એની ફરતેના તમામ તાલુકાઓમાંથી મળી નવા ૨૫ કેસ, મહેસાણા શહેર ઉપરાંત ઊંઝા, વીસનગર, ખેરાલુ, કડીમાંથી પણ નવા ૨૫ કેસ ઉમેરાયા છે.

ગીર સોમનાથમાં વેરાવળ, ગીરગઢડામાંથી ૨૩ પોઝિટિવ કેસ મળ્યા છે. પાટણ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૧ કેસ મળ્યા છે તો કચ્છ જિલ્લામાંથી નવા ૧૯ કેસ સાથે એક દર્દીના મૃત્યુંની પણ જાહેરાત સરકારે કરી છે. વલસાડમાંથી નવા ૧૯ અને પંચમહાલમાંથી ૧૮ કેસ આવ્યા છે. નર્મદા અને નવસારીમાંથી ૧૨-૧૨ કેસ, ખેડામાંથી ૧૧, આણંદ, મહીસાગર, મોરબી, સાબરકાંઠામાંથી ૧૦-૧૦, તાપીમાં ૬, અમરેલી, અરવલ્લી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાંથી ૩-૩ કેસ, છોટાઉદેપુરમાંથી ૨ કેસ નવા ઉમેરાયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૪૯૯ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક વધીને ૬,૨૦,૬૬૨ થયો છે આ સાથે રાજ્યમાં પ્રતિ મિલિયન ટેસ્ટનો આંક ૨૧૪.૫૩ નો થયો છે. આની સામે કુલ પોઝિટિવ કેસનો આંક ૫૪૭૧૨ સુધી પહોંચી ગયો છે. નવા ૭૮૨ સાથે કુલ ૩૯૬૧૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે જેથી રિવકવરી રેટ ૭૨.૪૦ ટકા જેટલો છે એવો દાવો સરકારે કર્યો છે. જોકે, મૃત્યું આંક વધીને ૨૩૦૫ થયો છે. હાલ રાજ્યમાં ૧૨૭૯૫ એક્ટિવ કેસ છે એમાંથી ૮૭ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૨૭૦૮ સ્ટેબલ છે.

રાજ્યમાં એક ડઝનથી વધુ ધારાસભ્યો સંક્રમિત

કોરોના સંક્રમણથી રોજેરોજ નવા નવા લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે એમાં સામાન્ય લોકોથી લઇને જનપ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. લોકો વચ્ચે રહીને કામ કરતાં રાજકીય પક્ષોના કાર્યકરો પણ કોરોનાથી સંક્રમિત થતાં રહ્યા છે. શનિવારે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઇ દેસાઇને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની જાણકારી મળી છે. આ જ રીતે ગઇકાલે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય રમણભાઇ પટેલનો કોરોના થતાં પોતાના ઘરે જ હોમ આઇસોલેશન થયા છે. અગાઉ ગેનીબેન ઠાકોર પણ સારવાર લઇ ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં કેતન ઇનામદાર અને એમના પરિવારના સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. આમ, અત્યાર સુધીમાં એક ડઝનથી વધારે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં દોઢ ડઝનથી વધારે કોર્પોરેટરોને કોરોના થયો હતો.

July 25, 2020
flag.jpg
1min5430

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.

એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.

આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી

એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.

રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.