CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 58 of 139 - CIA Live

September 25, 2020
corona-gujarat.jpg
1min3960

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલાં દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં કરાતા ટેસ્ટનો આંક તા.25મીએ સવારે આઠ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકના ૬૧,૯૦૪ ટેસ્ટને ઉમેરતાં ૪૦.૪૮ લાખ સુધી પહોંચ્યો છે. આ ટેસ્ટથી નવા ૧૪૦૮ સાથે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક વધીને ૧,૨૮,૯૪૯ સુધી પહોંચ્યો છે. એમાંથી ચોવીસ કલાકમાં વધુ ૧૫૧૦ ડિસ્ચાર્જ થતાં સાજા થનારનો આંક પણ વધીને ૧,૦૯,૨૧૧ થયો છે. જોકે, વધુ ૧૪ મળી કુલ ૩૩૮૪ દર્દીઓના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાંથી ૨૭૮ મળ્યા છે એમાં શહેરમાંથી ૧૭૬ અને ગ્રામ્યના ૧૦૨ કેસનો સમાવેશ થાય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારના વધુ ૩ દર્દી અને શહેરના બે મળી કુલ પાંચ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. આ જ રીતે અમદાવાદમાંથી નવા ૧૫૬ કેસ અને ગ્રામ્યમાંથી ૨૭ કેસ ઉમેરાયા છે. શહેરના વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ શહેરમાંથી નવા ૧૦૨ કેસ મળ્યા છે એની સાથે બે દર્દીના મૃત્યુ થયા છે જ્યારે રાજકોટ આસપાસના તાલુકાઓમાંથી વધુ ૪૫ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ગંભીર સ્થિતિનો સામનો કરતાં જામનગરમાંથી નવા ૯૧ કેસ મળ્યા છે અને ગ્રામ્યમાંથી ૭ કેસ આવ્યા છે.

વડોદરા જિલ્લામાં કુલ ૧૩૨ કેસમાં શહેરમાંથી નવા ૯૧ સંક્રમિત મળ્યા છે. જ્યારે એક એક દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. આ સિવાય ગાંધીનગરમાંથી નવા ૫૦ કેસ મળ્યા છે એમાં શહેરમાંથી ૨૭ કેસનો સમાવેશ થાય છે. આ સાથે એક દર્દીનું મૃત્યુ પણ નોંધાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૫ કેસ અને ગ્રામ્યમાંથી ૧૩ કેસ તેમજ જૂનાગઢમાંથી ૧૮-૧૮ કેસ મળી કુલ ૩૬ કેસ નોંધાયા છે.

September 24, 2020
corona_india.jpg
1min4370

એક તરફ કેન્દ્ર્ સરકાર સતત એવા દિલાસા આપી રહી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના મૃત્યુદર સાવ ઓછો છે. પરંતુ, હકીકત એ છે કે સસલાની ગતિએ નહીં પરંતુ, કાચબાની ગતિએ પણ ભારતમાં કોરોના મૃત્યુદર વધી રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 90,000ને પાર થઈ ગઈ છે. જેમાં માત્ર 13 દિવસમાં 15,000 કરતા વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

તા.23મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં વધુ 86,000 કરતા વધારે લોકોનું કોરોના ટેસ્ટીંગ પોઝિટિવ આવ્યું હોવાના અહેવાલોની સાથે જ, સપ્ટેમ્બર માસમાં ભારતમાં 20,00,000 કરતા વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે કોઈ એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે અને હજુ પણ તેમાં 6 દિવસના કેસ ઉમેરાવાના બાકી છે.

ભારતમાં એક દિવસમાં વધુ 86,825 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના 23 દિવસ દરમિયાન 20,44,570 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોઈ પણ મહિનામાં નોંધાયેલા કેસ કરતા વધુ છે. આ આંકડો દુનિયાના બાકી દેશોને પણ પણ પાછળ છોડી રહ્યો છે. બીજી તરફ હજુ 7 દિવસના આંકડા બાકી છે જેથી તેની સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ભારતમાં 86,000 કરતા વધુ નવા કેસ નોંધાવાની સાથે દેશમાં કુલ કેસનો આંકડો બુધવારે 57 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં હવે કોરોનાના કુલ કેસ 57,27,193 થયા છે, જેમાંથી 46,63,623 દર્દીઓ સાજા થઈ ગયા છે. એટલે ભારતનો રિકવરી રેટ 81.4% થયો છે.

કેરળમાં પહેલી વખત 5000 કરતા વધુ કેસ નોંધાયા છે જે ચિંતામાં વધારો કરી રહ્યા છે. અહીં પહેલીવાર એક દિવસમાં 5,376 કેસ નોંધાયા છે. આ સિવાય રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં પણ એક દિવસમાં નોંધાયેલા કેસનો નવો રેકોર્ડ તોડ્યો છે.

September 23, 2020
corona-gujarat.jpg
1min4590

તા.23મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ૧૪૦૪ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧,૨૬,૧૬૯ થયો છે જ્યારે મૃત્યુ આંક વધીને ૩૩૫૫ થયો છે. વધુ ૧૩૨૧ દર્દી સાથે કુલ ડિસ્ચાર્જ થનારની સંખ્યા ૧,૦૬,૪૧૨ થઇ છે જે ૮૪.૩૪ ટકાનો રિવકરી રેટ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૬૪૦૧ છે, આ પૈકી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ દર્દી છે.

કોરોનાથી દેશભરમાં થતા મૃત્યુમાં પંજાબ પછી ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 3355 થઇ ચૂકી છે.

September 22, 2020
deepika_padukone.jpg
1min5820

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

September 22, 2020
corona_india.jpg
3min4280

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 86961 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5487580 સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1130 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 87882 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 80.11 ટકા સુધી પહોંચ્યો છે. https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7025085613496061&output=html&h=280&adk=1086755764&adf=583301947&w=690&fwrn=4&fwrnh=100&lmt=1600743437&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=2748499174&psa=1&guci=2.2.0.0.2.2.0.0&ad_type=text_image&format=690×280&url=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2Fin-the-last-24-hours-86961-new-cases-of-corona-were-reported-with-1130-deaths%2F186366.html&flash=0&fwr=0&pra=3&rh=173&rw=690&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChAI8J6h-wUQ36ncj72k4L5gEkwAzjD7zBFXp3Tx1R7ml1Dv1LQpeAIAvOAwy25n6ubw0afYlsDk3K7wl_92_6_Jc_IK0TXeswEca26l–9IpwRidalk49kVEXTEW8pk&dt=1600743437861&bpp=7&bdt=3909&idt=-M&shv=r20200915&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D663ac7353e48fa24%3AT%3D1562133851%3AS%3DALNI_MZ3X1rNlQ3RVQXUkVBsKl6aTP5ZUw&prev_fmts=0x0&nras=2&correlator=2964390636989&frm=20&pv=1&ga_vid=923950125.1562133831&ga_sid=1600743434&ga_hid=949336953&ga_fc=0&iag=0&icsg=46047232&dssz=20&mdo=0&mso=0&u_tz=330&u_his=3&u_java=0&u_h=768&u_w=1366&u_ah=728&u_aw=1366&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=140&ady=1976&biw=1349&bih=657&scr_x=0&scr_y=0&eid=21067213%2C21067105%2C21067479&oid=3&pvsid=1360846202384628&pem=890&ref=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2F&rx=0&eae=0&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1366%2C0%2C1366%2C728%2C1366%2C657&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&ifi=1&uci=a!1&btvi=1&fsb=1&xpc=REyl1rz8Uv&p=https%3A//www.navgujaratsamay.com&dtd=15

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 93356 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 4396399 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 1003299 સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 31016124 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 960658 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 21252813 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8802653 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 20, 2020
corona_india.jpg
1min4870

ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના રોગચાળાના મામલે હવે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને સૌથી વધારે સફળતા હાંસલ કરી છે. દેશના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસથી વધી ગઇ હતી. શનિવારે કોરોનાથી ૯૫,૮૮૦ લોકો સાજા થયા હતા અને કોરોનાના ૯૩,૩૩૭ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ ૫૩ લાખથી વધી ગયા છે.

અત્યાર સુધી દેશમાં ૪૦,૦૮,૪૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ગયા છે, જે દુનિયામાં સૌથી વધારે છે.

કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં ૮૫,૬૧૯ લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર ૭૯.૨૮ ટકા પર પહોંચી ગયો છે. અને મૃત્યુ દર ઘટીને ૧.૬૧ થઇ ગયો છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ ૧૦,૧૩,૯૬૪ સક્રિય કેસો છે, જે કુલ કેસોના ૧૯.૧૦ ટકા છે.

૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખને પાર થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખને પાર થઇ ગયો હતો અને ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૧,૨૪૭ મૃત્યુમાં ૪૪૦ મહારાષ્ટ્રમાં, ૧૭૯ કર્ણાટકમાં, ૯૮ ઉત્તર પ્રદેશમાં, ૬૭ આંધ્ર પ્રદેશમાં, ૫૯ પ. બંગાળમાં, ૬૭ તમિળનાડુમાં, ૬૨ પંજાબમાં અને ૩૦ દિલ્હીમાં નોંધાયા છે.

અત્યાર સુધીમાં કોરોનાથી નોંધાયેલ કુલ ૮૫,૬૧૯ મૃત્યુમાં ૩૧,૭૯૧ મૃત્યુ મહારાષ્ટ્રમાં, ૮,૬૮૫ તમિળનાડુમાં, ૭,૮૦૮ કર્ણાટકમાં, ૫,૨૪૪ આંધ્ર પ્રદેશમાં, ૪,૯૦૭ દિલ્હીમાં, ૪,૮૬૯ ઉત્તર પ્રદેશમાં અને ૪,૨૪૨ પ. બંગાળમાં નોંધાયા છે.

કોરોના વાઇરસને પછાડવામાં કેન્દ્રની મોદી સરકારની મહેનત રંગ લાવી છે અને ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

September 20, 2020
corona-gujarat.jpg
1min4500

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સુરતમાંથી નવા ૨૮૧ કેસ, અમદાવાદમાંથી ૧૭૮ કેસ, રાજકોટ ૧૫૧, વડોદરા ૧૩૮, જામનગર ૧૨૬ નવા કેસ નોંધાય છે જ્યારે ગાંધીનગરમાંથી ૪૩ કેસ, ભાવનગરમાંથી ૪૧, જૂનાગઢમાંથી ૩૫ કેસ નવા નોંધાયા છે. આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક સાથે ૬૯ કેસ અને બનાસકાંઠમાંથી ૪૪ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાય પંચમહાલમાંથી ૩૦, અમરેલીમાંથી ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાંથી ૨૮ કેસ, કચ્છ ૨૬, ભરૂચમાંથી ૨૪ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાંથી ૨૩, મહીસાગરમાંથી ૧૬, દાહોદ અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૩, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. જ્યારે તાપી અને આણંદ જિલ્લામાંથી ૧૦-૧૦ કેસ આવ્યા છે. બોટાદમાંથી ૯, છોટાઉદેપુર અને નવસારીમાંથી ૮-૮ કેસ, પોરબંદરમાંથી ૫, અરવલ્લી અને વલસાડમાંથી ૨-૨ અને ડાંગમાંથી ૧ નવો કેસ નોંધાયો છે.

કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં સતત બીજા દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં આઠમી વખત નવા ૧૪૩૨ કેસનો વિક્રમ સર્જાયો છે. આ સાથે વધુ ૧૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. અલબત્ત, અગાઉ સુરત અને અમદાવાદમાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓના મૃત્યુને લઇ થતી હોબાળો હવે રાજકોટ પછી ગાંધીનગરમાં પણ સર્જાયો છે. આ મુદ્દે સરકાર મૌન છે, પરંતુ રાજકોટમાં ચોવીસ કલાકમાં વીસથી વધુ અને ગાંધીનગરમાં પંદરથી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે, સત્તાવાર રીતે સરકારે રાજકોટ અને ગાંધીનગરમાં એક એક દર્દીના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આ સિવાય સુરતમાં કુલ પાંચ, અમદાવાદ ૩, વડોદરા અને ભાવનગરમાં ૨-૨, કચ્છ અને અમરેલીમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે.

September 19, 2020
rupani-1280x789.jpg
1min4570

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.

September 19, 2020
airindia-1.jpg
1min4690

એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી દુબઈની ફ્લાઈટમાં એક પેસેન્જર જે 2 સપ્ટેમ્બરના કોવિડ 19 પોઝિટિવ હતો તેણે 4 સપ્ટેમ્બરના મુસાફરી કરી હતી. અગાઉ પણ એક સપ્તાહ અગાઉ આ પ્રકારનો એક બનાવ બન્યો હતો.

કોવિડ 19 પોઝિટિવ દર્દીને ફ્લાઈટમાં દુબઈ લાવવા બદલ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારી બદલ પગલા લેતા તેમની ફ્લાઈટ સેવા 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ એક સપ્તાહના ટૂંકા ગાળામાં એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટમાં કોરોના પોઝિટિવ દર્દીને લાવવાની ઘટના બની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે તે એર ટ્રાવેલર્સની મુશ્કેલી ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે અને શુક્રવારે તે પોતાની ચાર શારજાહની ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

દુબઈ નાગરિક ઉડ્ડયન સત્તાધીશોએ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સેવા 2જી ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુર-દુબઈની ફ્લાઈટમાં 4 સપ્ટેમ્બરે એક કોરોના સંક્રમિત થયેલા મુસાફરે ટ્રાવેલ કરતા દુબઈએ કડક પગલું ભર્યું છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં આ બીજો બનાવ છે જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં કોરોના દર્દીએ મુસાફરી કરી હોય.

યુએઈ સરકારના નિયમો મુજબ ભારતથી દુબઈ આવતા દરેક પેસેન્જરે કોવિડ 19 નેગેટિવનું સર્ટિફિકેટ સાથે લાવવાનું રહે છે. મુસાફરીના 96 કલાક પહેલા પેસેન્જરે પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી આ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.

September 17, 2020
babri.jpg
1min5460

લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.

સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.

ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.

ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.

ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.

રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.

આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.

રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.

લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.

આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.