CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 55 of 139 - CIA Live

October 27, 2020
ground_nuts.jpg
1min4970

મગફળીની આવકે ગુજરાતમાં નવો વિક્રમ સર્જ્યો છે. ગુજરાતભરમાં સોમવારે આશરે સાડા સાતથી આઠ લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. એક તરફ સરકારી ખરીદીનો આરંભ થયો અને બીજી તરફ માર્કેટ યાર્ડોમાં ઐતિહાસિક આવક થતા સૌ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ખેડૂતો મગફળી સાચવીને રાખવા ન માગતા હોય તેમ ઘડાધડ વેંચી રહ્યા હોવાથી નાનામાં નાના સેન્ટરમાં પણ ક્યારેય ન થઇ હોય એટલી આવક થઇ છે. જોકે ખેડૂત વેચવાલી આ પ્રકારે રહી તો પાકમાંથી ઘણો માલ બજારમાં તત્કાળ આવી જશે.

મગફળીની તીવ્ર વેચવાલીના એક નહીં અનેક કારણ છે. ઉંચા ભાવ ઉપરાંત અતિવૃષ્ટિ અને પછી પાછોતરા વરસાદથી મગફળીને વ્યાપક નુક્સાન થયું છે. અસરગ્રસ્ત મગફળી સાચવી રાખવાથી બગાડનું જોખમ છે એ કારણે વેચી રહ્યા છે. વળી, આ વખતે કપાસ મોડો છે. તલ, મગ અને અડદ જેવા પાકો નાશ પામ્યા છે એટલે ખેડૂતોની આર્થિક સંકડામણ દૂર કરવા મગફળી વેંચવાનો વિકલ્પ છે.

ગયા મહિને ગોંડલમાં એક લાખ ગુણી પ્રથમ વખત આવી ત્યારે એમ લાગતું હતુ કે હવે આવી આવક ચાલુ સીઝનમાં નહીં થાય. પરંતુ ખેડૂતોએ ગઇકાલે પોણા બે લાખ ગુણી ઠાલવી દીધી. રાજકોટમાં ય સવા ગુણી આવી ગઇ. આમ મોટાં યાર્ડોમાં સામાન્ય કરતા ત્રણ ગણી આવક થઇ ગઇ છે. નાના સેન્ટરોમાં ય ક્ષમતા કરતા વધારે આવક થઇ છે. આવકોનો અતિરેક એ બતાવે છેકે ખેડૂતોને મગફળી રાખવામાં ઓછો રસ છે.

રાજકોટ અને ગોંડલ યાર્ડ મોટાં છે એટલે ત્યાં જંગી આવક થાય છે. પરંતુ સોમવારે નાના સેન્ટરોમાં પણ ઉડીને આંખે વળગે તેવી આવક હતી. જામજોધપુરમાં લગભગ 16 હજાર ગુણી, જેતપુરમાં 3, અમરેલીમાં 5, કાલાવડમાં 7, વાંકાનેરમાં 6, હળવદમાં 12 અને બોટાદમાં 13 હજાર ગુણી આવક થઇ હતી. મહુવામાં 39 હજાર ગુણી અને જામનગરમાં 35 હજાર ગુણીની ચિક્કાર આવક હતી. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો જાણે મગફળીથી’ ઉભરાઇ રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગુજરાતમાં પણ ડિસા ખાતે એક લાખગુણી, પાથાવાડામાં 40 અને હિંમતનગર જેવા સેન્ટરમાં 20 હજાર ગુણી આવી હતી.

જોકે જંગી આવક વચ્ચે માઠી હાલત મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર થઇ છે. ત્યાં સોમવારે કાગડાં ઉડતા હતા. ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોને બોલાવાયા હતા તેના કરતા ફક્ત 20-30 ટકા ખેડૂતો જ આવ્યા હતા. સરકારી કેન્દ્રો ઉપર ખેડૂતો ન જવાનું કારણ ખૂલ્લા બજારમાં રોકડાં નાણાં અને ઉંચો ભાવ મળવાનું છે. આમ જ ચાલ્યું તો સરકારને 13 લાખ ટનના ટારગેટ સામે 6 લાખ ટન જેટલો જથ્થો પણ માંડ માંડ મળશે. એ ખેડૂતો અને વેપારીઓ માટે પણ સારી બાબત છે.
ખેડૂતોને ગયા વર્ષમાં ન હતો મળ્યો એટલો ભાવ અત્યારથી મળવા લાગ્યો છે એમ એક અભ્યાસુ ખેડૂત કહે છે. પાછલા વર્ષે રૂ. 700-800 માં મગફળી વેંચતા હતા તેના અત્યારે રૂ. 900-1150 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. જામનગરમાં તો અમુક જથ્થો રુ. 1465માં વેચાયો હતો. જ્યારે મહુવામાં રુ. 1250 સુધીનો ઉંચો ભાવ થયો હતો.

સરેરાશ ખેડૂતોને રૂ. 1000-1100 સુધીનો ભાવ મળે છે એટલે સરકારી કેન્દ્રો પર વેંચવામા’ કોઇને રસ નથી. સરકારનો રૂ. 1055નો ભાવ છે. વળી એમાં વેંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વેંચ્યા પછી પેમેન્ટ મળવાના વાંધા છે. દિવસો સુધી પૈસા મળતા નથી.
વરસાદથી અસરગ્રસ્ત મગફળી વેંચવા જતા ખેડૂતોને કાઉન્ટમાં સમસ્યા થાય છે એટલે પણ સરકારી ઓટલે જવામાં બહુ ઓછાં ખેડૂતોને રસ છે, સૌને યાર્ડનો ઉંબરો વધારે પસંદ છે.

જામનગર યાર્ડમાં રેકોર્ડબ્રેક 35 હજાર ગુણી આવી

જામનગર,તા. 26 : જામનગરના હાપા મારકેટ યાર્ડમાં ગઇરાત્રે 12 વાગ્યાથી આજે સવારે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ખેડૂતોને પોતાની મગફળીનો જથ્થો લઇ આવવા માટેની જાણકારી અપાઈ હતી. તે દરમિયાન રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 225 વાહનોમાં મગફળીની 35,000 ગુણીની આવક થઇ છે. મગફળીનો ભાવ 850 રૂપિયાથી 1465નો બોલાયો હતો. તે પણ એક રેકોર્ડ છે. હવે પાંચ દિવસ આવક બંધ કરાઈ છે. આજે સવારે 10 વાગ્યાથી હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં હરાજીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 20 કિલો (એક મણ) મગફળીનો ભાવ 850થી રેકોર્ડ કહી શકાય એટલો 1,465નો ભાવ બોલાયો હતો. જેથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. મગફળી સારી હોવાથી 1465 જેટલો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેંચાણ પ્રક્રિયામાં નિરસતા દાખવી છે.

October 24, 2020
income-tax-filing.jpg
3min7550
Income Tax Dept to scrutinise 4 lakh taxpayers under new e-assessment system

કેન્દ્ર સરકારે આજરોજ તા.24મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર કરેલી સૂચના અનુસાર ટેક્સ પેયર્સ હવે ઇન્કમટેક્સ રિટર્ન તા.31મી ડિસેમ્બર 2020 સુધી ફાઇલ કરી શકશે. કોવીડ-19 અને તેના કારણે ઉદભવેલી સમસ્યાઓને જોતા ત્રીજા વખત ઇન્કમટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારી છે.

દેશના નાણા મંત્રાલયે આ મુજબ સૂચનાઓ જારી કરી છે

The government on Saturday extended the deadline to file income tax (I-T) returns by individual taxpayers till December 31 for the financial year 2019-20 (FY20) in the wake of the ongoing Covid-19 crisis.

“The due date for furnishing of ITRs for the other (individual) taxpayers [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Income Tax Act, 1961 was July 31, 2020] has been extended to December 31, 2020 from November 30, 2020,” the ministry of finance said in a notification.
It also stated that the “due date for furnishing of ITRs for the taxpayers (including their partners) who are required to get their accounts audited [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Act is October 31, 2020] has been extended to January 31, 2021.”

The ministry added that the “due date for furnishing of ITRs for the taxpayers who are required to furnish report in respect of international/specified domestic transactions [for whom the due date (i.e. before the extension by the said notification) as per the Act is November 30, 2020] has been extended to January 31, 2021.”

Consequently, the date for furnishing of various audit reports including tax audit report and report in respect of international or specified domestic transaction has also been extended to December 31, 2020, the notification further mentioned.

October 24, 2020
pm_modi.jpg
1min5040

કિસાન સૂર્યોદય યોજના

કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ પણ આજે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. માળખાકીય સુવિધા ઉભું કરવા માટે આગામી 3 વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિરનાર રોપ-વે

એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં CM વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્સુકતા જુનાગઢવાસીઓમાં છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ

યુ.એન.મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ માટે નવી બિલ્ડીંગનવજાત શિશુને જન્મતાની સાથે જ જો હૃદયરોગ હશે તો અત્યાધુનિક સુવિધા પ્રાપ્ય બની શકે એ હૉસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ યુ.એન.મહેતા હૉસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ (U.N. Maheta) જેમાં બાળ હૃદયરોગ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડીંગનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇ લોકાર્પણ કરીને દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકી છે. અતિ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ કરાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલ માં તાજા જન્મેલા બાળકોથી માંડી વૃદ્ધાવસ્થા સુધીની તમામ ઉંમરના હૃદયરોગના દર્દીઓની સંપૂર્ણ સારવાર થશે.

October 22, 2020
bonus.jpg
1min11800

કેન્દ્ર સરકારે બુધવારે તેમના ૩૦.૬૭ લાખ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી. આ બોનસ એક અઠવાડિયાની અંદર આપવામાં આવશે, જેનાથી તહેવારની સિઝનમાં માગમાં વધારો થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ જાહેરાતથી ઓછામાં ઓછા ૩૦.૬૭ લાખ બિન-ગેઝેટેડ કર્મચારીઓને લાભ થશે. કુલ ૩,૭૩૭ કરોડ રૂપિયા બોનસ આપવામાં આવશે.

રેલવે, પોસ્ટઑફિસ, ઇપીએફઓ, ઇએસઆઇસીના તેમ જ સરકારી કર્મચારીઓને આનો લાભ મળશે. દુર્ગા પૂજા પહેલા ઉત્પાદનશીલતા આધારિત બોનસ આપવામાં નહીં આવે તો રેલની અવરજવર બ્લોક કરી દેવામાં આવશે એવી બે મોટા રેલવે વર્કર્સ એસોસિયેશન્સે ધમકી આપી હતી.

October 18, 2020
home.png
1min4550

બાંધકામ ઉદ્યોગ દેશની ઈકોનોમી અર્થતંત્રનો આધાર ઉપરાંત અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ આવાસ મકાન નિર્માણ દ્વારા માનલીના ઘરના ઘરનું સપનું, જીવનનો હાશકારો પણ સાકાર કરે છે એમ રાજ્યના મુખ્યપ્રધાન વિઝય રૂપાણીએ ગાઈડ ક્રેડાઈ આયોજીત 15મા પ્રોપર્ટી શોનું વચ્યુર્અલ ઉદઘાટન ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કરતાં જણાવ્યું હતું.
કોરોના સંક્રમણના આ કપરાકાળમાં દેશભરમાં આવો પ્રથમ વર્ચ્યુએલ પ્રોપર્ટી શો ક્રેડાઈ દ્વારા તા.17 થી 25 ઓકટોબર દરમ્યાન યોજાઈ રહ્યો છે. ‘ઘરે બેઠા ઘર મેળવો’ના ઉદ્દેશ્ય સાથેના આ પ્રોપર્ટી શોમાં લોકો પોતાના અનુકુળ સમયે ઓનલાઈનથી સહભાગી થઈ શકે તેવા આ અભિનવ પ્રયોગને મુખ્યપ્રધાને બિરદાવ્યો હતો.

રૂપાણીએ કહ્યું કે, ગુજરાત રહેવાલાયક, માણવાલાયક બને તેમજ પ્રદૂષણમુકત રહે અને પ્રાથમિક આવશ્યકતાઓ પણ મળતી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. પારદર્શીતા અને ઈમાનદારીથી ઝડપી નિર્ણયો કરવા સાથે જીડીસીઆરના નિયમો સહિતની આંટીઘુંટીઓ દૂર કરી સરળીકરણ અને મોકળાશ આ સરકારે કરી આપી છે. તેમજ તેમણે એફોર્ડેબલ હાઉસીંગ સેકટરને વધુ પ્રોત્સાહન અને મદદ મળે તે માટે આ અવસરે કેટલીક જાહેરાત પણ કરી હતી.
મુખ્યપ્રધાને એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન 80 ચો.મીટરનાં બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચો.મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આના પરિણામે હવે, લાભાર્થી પરિવારોને સુવિધાયુકત અને વધુ જગ્યાવાળા આવાસો મળતાં થશે.

મુખ્યપ્રધાને એવી પણ જાહેરાત કરી કે, એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવાસો બનવાની ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે તે માટે ખેતીની જમીન કાયદા 63 એએએ હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનનોની પરવાનગી સરકાર આપશે. રૂપાણીએ બાંધકામ ક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું કે, હાલ ચાર્જેબલ એફએસઆઈ બાંધકામ મંજુરી વખતે લેવામાં આવે છે. પરંતુ આવી ચાર્જેબલ એફએસઆઈવાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઈ બાંધકામ ઉદ્યોગની રજૂઆતોને આધારે આ એફએસઆઈ સમગ્ર રાજ્યમાં એક સમાન પધ્ધતિએ લેવામાં આવશે તેમજ આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધિન છે તેમ જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને નોન ટી.પી.એરિયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમીયમની માંગણી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી વધુ પ્રિમીયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે એમ જણાવ્યું હતું. ગાઈહેડ, ક્રેડાઈનાં પ્રેસિડેન્ટ અજય પટેલે સ્વાગત પ્રચવનમાં આ પ્રોપર્ટી શોની વિશેષતાઓ આપી હતી.

October 17, 2020
kkr.jpg
1min5190

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ની કેપ્ટનશિપ છોવાનો નિર્ણય કરી લીધો છે. તેણે ટીમ મેનેજમેન્ટને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. કાર્તિકે ઈંગ્લેન્ડની લિમિટેડ ઓવરના કેપ્ટન ઈયોન મોર્ગનને કેપ્ટનશિપ સોંપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે શુક્રવારે રમાયેલી મેચમાં મોર્ગને કેકેઆર ટીમનું નેતૃત્વ કર્યું હતું. અત્યાર સુધી કેકેઆરમાં મોર્ગન ઉપસુકાની તરીકે ફરજ બજાવતો હતો.

કેકેઆરના કથળેલા પ્રદર્શનને કારણે દિનેશ કાર્તિકની કેપ્ટનશિપની ભારે ટીકા થઈ રહી છે. કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જાણ કરી દીધી છે કે તે બેટિંગ પર ધ્યાન આપવા માંગે છે અને ટીમના ઉદ્દેશ માટે વધુ યોગદાન આપવા તે ટીમનું નેતૃત્વ ઈયોન મોર્ગનને સોંપવા માંગે છે.

October 16, 2020
aarti.jpg
1min6390

15 ઓક્ટોબરની સરકારી જાહેરાત સામે ભારે લોકરોષ ઉઠ્યો હતો

આવતીકાલથી નવરાત્રી શરુ થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે માતાજીની પૂજા-આરતીની પરમિશન લેવા અંગે એક મહત્વની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, ફ્લેટ કે સોસાયટીના પ્રિમાઈસિસમાં માતાજીની સ્થાપના કરી પૂજા કે આરતી કરવા માટે પોલીસની પરમિશન લેવાની જરુર નથી. માત્ર જાહેર અને સાર્વજનિક સ્થળો, તેમજ રસ્તા પર આરતી કે પૂજા કરવા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક છે.

સરકારે જાહેર કરેલી SOPને કારણે પોલીસ સ્ટેશનોમાં વિવિધ સોસાયટી અને ફ્લેટોના પ્રતિનિધિઓએ મંજૂરી લેવા માટે લાઈનો લગાવી હતી. સરકારના આ નિર્ણય સામે કચવાટ પણ જોવા મળી રહ્યો હતો. તેવામાં આજે આ નિયમમાંથી સોસાયટી અને ફ્લેટોને બાકાત કરવામાં આવ્યા છે. જોકે, આ છૂટ માત્ર આરતી અને પૂજા પૂરતી જ છે. ગરબા નહીં યોજી શકાય તેવો નિયમ યથાવત છે.

15 ઓક્ટોબરે સરકારે આ જાહેરાત કરી હતી

ગુજરાતમાં નવરાત્રિમાં આરતી-પૂજા માટે પણ પોલીસ પરમિશન લેવી પડશે

આગામી શનિવારથી ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીને લઈ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગરબાને પરમિશન આપવામાં આવી નથી. એક કલાક માટે માત્ર પૂજા અને આરતી કરી શકાશે, જેના માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત કરવામાં આવી છે. એક કલાકની આરતી અને પૂજાના કાર્યક્રમમાં પણ સોસાયટી અને ફ્લેટમાં સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ ફરજિયાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગરબાની પરમિશન આપવામાં આવી નથી.

એક કલાકના કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગા થાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આરતીના સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે ૬ ફૂટના અંતરનું માર્કિંગ ફરજિયાત છે. માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈન્સનું લોકોએ પાલન કરવું પડશે. નવરાત્રિને લઈ આ વર્ષે ગરબાનું આયોજન નથી, પરંતુ દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે, જેના માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે.પોલીસ દ્વારા ગાઈડલાઈન્સ પણ આપવામાં આવશે. આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

October 15, 2020
BSNL-Connecting-india.jpg
1min5160

બધા જ મંત્રાલયો, જાહેર વિભાગો અને જાહેર ક્ષેત્રના યુનિટો(સીપીએસયુ)એ સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ની ટેલિફોન સેવાનો ફરજિયાત ઉપયોગ કરવાનો આદેશ કેન્દ્ર સરકારે આપ્યો છે. આ બાબતનું શ્ર્વેતપત્ર ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ ૧૨મી ઑક્ટોબરે જાહેર કર્યું હતું.

નાણાં મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ આ ઉપરોક્ત શ્ર્વેતપત્ર કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત બધા જ સચિવ અને ડિપાર્ટમેન્ટ્સને મોકલવામાં આવ્યું હતું. શ્ર્વેતપત્રમાં જણાવાયું હતું કે બધા જ મંત્રાલયો/વિભાગોને સીપીએસઇ/સેન્ટ્રલ/સ્વાયત્ત સંસ્થાઓ સહિતના પોતાના વિભાગોને ઇન્ટરનેટ અને બ્રોડબૅન્ડ, લૅન્ડલાઇન અને લિઝડ લાઇનની જરૂરિયાત માટે ફરજિયાત બીએસએનએલ અને એમટીએનએલની સેવાનો ઉપયોગ કરવા જણાવવા વિનંતી કરવામાં આવે છે.

આ આદેશથી નુકસાનીમાં જઇ રહેલી બંને કંપનીને રાહત મળશે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે બીએસએનએલએ રૂ. ૧૫૫૦૦ કરોડ અને એમટીએનએલએ રૂ. ૩૬૯૪ કરોડનું નુકસાન નોંધાવ્યું હતું.

બીએસએનએલના વાયરલાઇન ગ્રાહકોની સંખ્યા નવેમ્બર ૨૦૦૮ના ૨.૯ કરોડથી ઘટીને આ વર્ષના જુલાઇમાં ૮૦ લાખની નીચી સપાટીએ પહોંચી હતી. એમટીએનએલના ફિક્સ્ડ લાઇન ગ્રાહકોની સંખ્યા નવેમ્બર ૨૦૦૮ના

૩૫.૪ લાખથી ઘટીને આ વર્ષના જુલાઇમાં ૩૦.૭ લાખની નીચી સપાટીએ પહોંચી હતી.

પોતાનું નેટવર્ક વધારવા અને ખર્ચને પહોંચી વળવા માટે બીએસએનએલએ સોવેરિયન ગેરન્ટી બોન્ડ મારફત રૂ. ૮૫૦૦ કરોડ ઊભા કર્યા હતા. પોતાનું નેટવર્ક વધારવા અને ખર્ચને પહોંચી વળવા માટે એમટીએનએલએ સોવેરિયન ગેરન્ટી બોન્ડ મારફત હજુ રૂ. ૬૫૦૦ કરોડ ઊભા કરવાના બાકી છે. આ માટે કેબિનેટે ઑક્ટોબર ૨૦૧૯માં મંજૂરી આપી હતી.

October 15, 2020
misile_drdo.jpg
1min5270

ચીન અને પાકિસ્તાન તરફથી ઉભા થયેલા પડકારો વચ્ચે નોંધનીય સિદ્ધિ હાંસલ કરી લેતા ભારત મિસાઈલો મામલે આત્મનિર્ભર બન્યું છે. વિદેશથી મિસાઈલો ખરીદવી નહીં પડે. ડીઆડીઓના ચીફે જણાવ્યું કે સૈન્ય જે પ્રકારની મિસાઈલો માગશે આપણે બનાવવામાં સક્ષમ છીએ.
રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના પ્રમુખ જી. સતીષ રેડ્ડીએ દેશને આશ્વાસન આપ્યું કે હવે સંગઠનની ક્ષમતા એટલી છે કે સૈન્ય જે પ્રકારની મિસાઈલો ઈચ્છશે તેમને બનાવીને આપી દેવાશે.

દેશપાસે કોઈપણ પ્રકારની મિસાઈલ તૈયાર કરવાની ક્ષમતા છે. છેલ્લા 40 દિવસમાં શાર્ય, બ્રહ્મોસ, પૃથ્વી, રૂદ્રમ ઉપરાંત હાઈપરસોનિક ડેવલોપમેન્ટ વીઈકલ્સ, સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ટૉરપિડો સહિત એક પછી એક 10 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસમાં હવે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રેડ્ડીએ વધુમાં કહ્યું કે ભારત છેલ્લા પ-6 વર્ષમાં મિસાઈલ સિસ્ટમ ક્ષેત્રે જેટલું આગળ વધ્યુ છે, તેથી મિસાઈલો મામલે આપણે આત્મનિર્ભર બની ગયા છીએ. સૈન્યની જેવી જરૂરીયાત હશે તે મુજબ મિસાઈલો બનાવી આપવામાં આવશે. આ ક્ષેત્રમાં હવે ખાનગી કંપનીઓ પણ ઉચ્ચસ્તરીય બની છે. તે હવે ભાગીદારી કરવા સક્ષમ બની છે. તે અમારી સાથે મિસાઈલો બનાવી શકે છે અને જરૂરીયાત મુજબ બનાવી શકે છે.

October 14, 2020
epfo_whatsapp14.jpg
23min6750

નિવૃત્તિ ફંડ માટેની સંસ્થા ઇપીએફઓએ પોતાના સબસ્ક્રાઇબર્સની ફરિયાદોના ઝડપી નિવારણ માટે વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા શરૂ કરી હોવાની જાહેરાત શ્રમ મંત્રાલયે મંગળવારે કરી હતી.

વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા ઇપીએફઓની ફરિયાદ નિવારણ માટેની અન્ય ઇપીએફઆઇજીએમસ પોર્ટલ, સીપીગ્રામ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેશબુક અને ટ્વિટર) અને ૨૪ બાય ૭ કૉલ સેન્ટરની સેવા ઉપરાંતની આ સેવા છે.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે સભ્યોના અનુભવમાં સુધારો અને સરળતા લાવવા માટે ઇપીએફઓએ હવે વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન પોતાના સભ્યોને વણથોભી સેવા આપવાના ઉદ્દેશથી આ વધારાની સેવા શરૂ કરવામાં આવી છે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે હવે જ્યારે વૉટ્સઍપ ભારતનું સંદેશ વ્યવહાર માટેનું મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે ત્યારે દરેક સભ્ય સુધી વ્યક્તિગત રીતે સીધો સંપર્ક કરવા માટે ઇપીએફઓએ આ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.

ઇપીએફઓ વિશે કોઇપણ ફરિયાદ, સમસ્યાના સમાધાન અથવા કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે સભ્યએ ઇપીએફઓના જે સ્થાનિક કાર્યાલયમાં પીએફ ખાતું ચાલતું હોય એના વૉટ્સઍપ નંબર પર પોતાની ફરિયાદ અથવા વાત જણાવવાની રહેશે.

બધા જ ૧૩૮ રિજનલ કાર્યાલય માટે ખાસ વૉટ્સઍપ નંબર રાખવામાં આવ્યા છે અને એની માહિતી ઇપીએફઓની સત્તાવાર વૅબસાઇટ પરથી મેળવી શકાશે.

સભ્યોની સમસ્યાનું સમાધાન કરવા માટે દરેક રિજનલ કાર્યાલયમાં નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે અને તેઓ સભ્યને વ્યક્તિગત રીતે જવાબ આપશે.

Here are the dedicated WhatsApp Helpline numbers of all regional EPF offices:

Mumbai

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BandraBandra022-26470030
DadarBandra9321255315
Nariman pointBandra9518588021
PowaiBandra022-264 76044

Thane

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Kandivali (West)Thane7977298051
Kandivali (East)Thane9321482815/ 9321466977
Thane (North)Thane9321666951
Thane (South)Thane8928977985
VashiThane9969036136

Delhi and Jammu

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Delhi (Central)Delhi8178457507
Delhi (East)Delhi7818022890
Delhi (North)Delhi9315075221
Delhi (South)Delhi9717547174
Delhi (West)Delhi7428595582

Bengaluru

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
CentralBengaluru6364264449
MalleswaramBengaluru8022230188
Electronic CityBengaluru7204453662
KoramangalaBengaluru9449961465
K.R. Puram (Whitefield)Bengaluru080-2565 8006/ 080-2565 8005/ 080-2565 8001
PeenyaBengaluru8023571377
Rajarajeshwari NagarBengaluru8792028994
YelahankaBengaluru080-28460872/ 080-29720896

Chennai

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AmbatturChennai6380131921
Chennai (North)Chennai9345750916
Chennai (South)Chennai6380366729
TambaramChennai6380153667

Andaman and Nicobar Islands

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Port BlairKolkata9434269504

Andhra Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
GunturVijaywada0863-2344123
KadapaVijaywada9491138297
RajamundryVijaywada9494633563
VishakhapatnamVijaywada7382396602

Bihar

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BhagalpurPatna8987299190
JamshedpurPatna8986717019
MuzaffarpurPatna6204358536
PatnaPatna7004042219

Chattisgarh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
RaipurBhopal7712583890

Goa

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
GoaHubli (Karnataka)8830110399

Gujarat

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AhmedabadAhmedabad7383146934
BharuchAhmedabad02642-266702
NarodaAhmedabad9428694145
RajkotAhmedabad0281-2576399/ 0281-2576499
SuratAhmedabad9484530500
VadodaraAhmedabad2652606247
VapiAhmedabad9499703166
VatvaAhmedabad8733063428

Haryana

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
FaridabadFaridabad8278378542
Gurugram (East)Faridabad9717748636
Gurugram (West)Faridabad9311354824
KarnalFaridabad9996962805
RohtakFaridabad7082334526

Himachal Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
ShimlaChandigarh7807929882

Jharkhand

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
RanchiPatna8987790956

Karnataka (Other than Bengaluru)

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
ChikamagalurHubli948217742
GulbargaHubli8472273862
HubliHubli8762525754
MangaloreHubli9113938518
MysoreHubli8105645793
RaichurHubli9482390073
ShimogaHubli0818-2275103
TumkurHubli7204055256
UdupiHubli0820-2531172

Kerala & Lakshadweep

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
KannurThiruvananthapuram8590323150
KochiThiruvananthapuram0484-2566509
KollamThiruvananthapuram9497152553
KottayamThiruvananthapuram0481-2303206
KozhikodeThiruvananthapuram7012997744
ThiruvananthapuramThiruvananthapuram8075348085

Madhya Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BhopalBhopal6264800134
GwaliorBhopal9301903862
IndoreBhopal8305411688
JabalpurBhopal6267777416
SagarBhopal8989041007
UjjainBhopal9424441512

Maharashtra (Other than Mumbai and Thane)

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AkolaPune0724-2414050
AurangabadPune9405355287
KolhapurPune9309866697
NagpurPune9555313189
NasikPune0253-236097
Pune (Pune Cantt.)Pune8767108057
Pune (Akurdi)Pune8766467490
SolapurPune9404912406

North-Eastern Region

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AgartalaGuwahati9402180891
GuwahatiGuwahati8822142204
ShillongGuwahati6033243231
TinsukiaGuwahati9864860921

Odisha

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BerhampurBhubaneshwar8249068089
BhubaneshwarBhubaneshwar7656849976
KeonjharBhubaneshwar6370894727
RourkelaBhubaneshwar6372908815

Puducherry

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
PuducherryChennai6380023914

Punjab

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AmritsarChandigarh9530589771
BhatindaChandigarh6284364807
ChandigarhChandigarh9463733422
JalandharChandigarh6280718364
LudhianaChandigarh7719642517

Rajasthan

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
JaipurJaipur1412740742
JodhpurJaipur9414138664
KotaJaipur7442425392
UdaipurJaipur7878817107

Telangana

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Hyderabad (Barkatpura)Hyderabad9100026170
Hyderabad (Madhapur)Hyderabad9100026146
KarimnagarHyderabad9492429685
KukatpallyHyderabad9392369549
NizamabadHyderabad8919090653
PatancheruHyderabad9494182174
SiddipetHyderabad9603262989
WarangalHyderabad8702447772

Tamil Nadu (Other than Chennai)

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
CoimbatoreCoimbatore9994255012
MaduraiCoimbatore9489938487
NagercoilCoimbatore6381122366
SalemCoimbatore9080433650
TirunelveliCoimbatore9489987157
TrichyCoimbatore6380109286
VelloreCoimbatore7397593330

Uttarakhand

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
DehradunDelhi8532889088
HaldwaniDelhi9411530300

Uttar Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AgraKanpur8279696190
AllahabadKanpur9336677186
BareillyKanpur0581-2510628
BellaryKanpur6363778135
GorakhpurKanpur9044977792
KanpurKanpur0512-2215644
LucknowKanpur9044856097
MeerutKanpur8923247687
NoidaKanpur8595668945
VaranasiKanpur0542-2585339

West Bengal & Sikkim

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BarrackporeKolkata033-25010481
DarjeelingKolkata8927703218
DurgapurKolkata9434085134
HowrahKolkata033-26768120
JalpaiguriKolkata9531641924
JangipurKolkata9434111646
KolkataKolkata033-29521852
Park StreetKolkata7439133837
SiliguriKolkata8001196411