CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 43 of 139 - CIA Live

March 23, 2021
covishield.jpg
1min520

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટેનો ગાળો અગાઉના ૪-૬ સપ્તાહથી વધારીને હવે ૪-૮ સપ્તાહ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોવિડ-૧૯ના રસી કોવિશિલ્ડના બે ડોઝ લેવાનો ગાળો પહેલો ડોઝ લીધાના ૪-૬ સપ્તાહને બદલે ૪-૮ સપ્તાહમાં લઇ શકાય એવો પ્રસ્તાવ સરકારી સલાહકાર સંસ્થા એનટીએજીઆઇએ કર્યો છે. જોકે, બીજો ડોઝ આઠ સપ્તાહ પહેલા લેવો જરૂરી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકારે એનટીએજીઆઇનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ સાથે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાભકર્તાને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના ૪-૮ સપ્તાહમાં બીજો ડોઝ આપવાની સલાહ આપવામાં આવી છે. જોકે, બીજો ડોઝ આપવાનો સમયગાળો આઠ સપ્તાહથી વધુ ન હોવો જોઇએ.

March 22, 2021
corona-gujarat.jpg
1min474

ગુજરાતમાં 24 કલાકમાં 1585 નવા કેસ સામે આવ્યા છે તો વધુ 989 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રિકવરી રેટ પણ 95.90% થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 1585 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,75,238 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 95.90%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 451, સુરતમાં 510, વડોદરામાં 132 તેમજ રાજકોટમાં 130 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 7321 એક્ટિવ કેસમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7250 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, વડોદરામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4450એ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતાં. જ્યારે આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

March 22, 2021
corona_india.jpg
1min388

24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં આ એક દિવસના રેકોર્ડ કેસ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કુલ કોરોના સંક્રમણના કેસો વધીને 1,15,99,130ને પાર થઈ ગયા છે. સતત 11માં દિવસે કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,09,087 થઈ ગઈ છે જે કુલ કેસ લોડના 2.66 ટકા હોવાનું જણાય છે.

કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓની ટકાવારી ઘટીને 95.96 ટકા રહી છે. રવિવારે સવારના 8 વાગ્યા સુધી પ્રાપ્ત ડેટા મુજબ કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે જે વિતેલા 115 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં 197 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,59,755 થઈ ગયો છે. એક દિવસમાં મોતના આંકડાની દ્રષ્ટિએ આ આંકડો વિતેલા 97 દિવસનો સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.

આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 23,35,65,119 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. 20 માર્ચના રોજ દેશમાં 11,33,602 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. દેશમાં એક દિવસમાં 197 દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 92, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તિસગઢમાં 11 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના મતે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓમાં 70 ટકાનાં મોત કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીથી પણ થયા હોવાનું  જણાયું છે.

March 21, 2021
corona-gujarat.jpg
1min475

૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.

તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.

રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.

March 20, 2021
corona_india.jpg
1min701

ભારતમાં શુક્રવાર Dt. 19/3/21 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં આજે 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે. ભારતમાં આજે પણ સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે.

રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં આજે વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે. સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય દેશોની એસ્ટ્રાજેનેકાને મંજૂરી

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય સંઘના અનેક દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની વાત માની લેતાં આખરે એસ્ટ્રાજેનેકા રસીને પાછી મંજૂરી આપી દીધી છે. યુરોપીય તબીબી નિયામક (ઈએમએ) સંસ્થા દ્વારા પણ કોરોનારોધક એસ્ટ્રાજેનેકા રસીને સુરક્ષિત અને અસરકારક ગણાવી દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ઉપરાંત બ્રિટનના તજજ્ઞોએ પણ આ રસીને સલામત લેખાવતાં કહ્યું હતું કે, રસી ન લેવાથી વધારે ખતરો થઈ શકે છે. આવી ઘોષણા બાદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, લિથુઆનિયા, લાતવિયા, સ્લોવેનિયા, બલ્ગેરિયા સહિતના યુરોપીય દેશોએ આ રસીનો ઉપયોગ પુન: શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.

રસીની ડીએનએ ઉપર કોઈ અસર નહીં : સ્વાસ્થ્ય મંત્રી

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે રસીને લઈને લોકોની આશંકાઓ ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને લોકસભામાં જવાબ આપ્યો છે. તેમણે કોરોના રસીને લઈને ઉઠી રહેલી આશંકાઓને ફગાવતા કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે. તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળમાં કહ્યું હતુ કે, દેશ-દુનિયામાં ઘણા લોકોના મનમાં આશંકા છે કે કોરોના વાયરસની રસી આગામી સમયમાં નુકશાન તો નહી પહોંચાડે ?. ભારતમાં જે બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સુરક્ષા, પ્રભાવશિલતા અને પ્રતિરક્ષા ક્ષમતા પેદા કરવાના માપદંડોમાં યોગ્ય છે.

સ્પૂતનિકના 20 કરોડ ડોઝ બનાવશે બેંગલુરૂની સ્ટેલિસ ફાર્મા
ભારતના બેંગલુરૂ સિથત સ્ટેલિસ બાયોફાર્મા રશિયાની કોરોના રસી સ્પૂતનિક-વીના ઓછામાં ઓછા 20 કરોડ ડોઝ બનાવશે. કંપની આ મામલે રશિયાન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સમજૂતિ કરી છે. ભારતમાં આઈડીઆઈએફની કોર્ડિનેશન પાર્ટનર એન્સો હેલ્થકેર એલએલપી મારફતે આઈડીઆઈએફ અને સ્ટેલિસ વચ્ચે સમજૂતિ થઈ છે. સ્ટેલિસ સ્ટ્રાઈડસ ફાર્મા સાયન્સનો હિસ્સો છે. સમજૂતિ અનુસાર ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપની ડોઝની સપ્લાય શરૂ કરી દેશે. સ્પૂતનિક સાથે સમજૂતિ કરનારી ચોથી ભારતીય કંપની સ્ટેલિસ છે. આ સાથે રસી બનાવવાની ભારતની ક્ષમતા 80 કરોડ ડોઝ થઈ છે.

March 19, 2021
night_curfew.jpg
1min459

સુરત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ અને પોઝિટિવ કેસ વધવા માંડતાં જ સાવચેતીનાં પગલા લેતાં રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને લોકલ ઓથોરિટીઓએ બન્ને મહાનગરોમાં રાત્રિ કરર્ફ્યુની અવધિ રાત્રે ૧૦ વાગ્યાને બદલે ૯ વાગ્યાથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આજરોજ તા.૧૯મી માર્ચથી રાત્રિ કરર્ફ્યુ રાત્રે ૯થી શરૂ થશે તેમજ બન્ને્ શહેરોમાં શનિવાર-રવિવારનાં રોજ તમામ મોલ-થિયેટરો બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના શહેરોમાં કોરોનાને વકરતો રોકવા માટે અને અસરકારક પગલા લેવા માટે રાજય સરકારે વધુ સનદી અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને શહેરોમાં આજે મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને શહેરમાં વ્યાપી રહેલી કોરોના મહામારીને ફરી કઇ રીતે અંકુશમાં લઇ શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.

મ્યુનિ.નાં કમિશનર મુકેશકુમાર તથા ડે.કમિશનરો, હેલ્થ ઓફિસર, સોલીડ વેસ્ટ ખાતાનાં ડાયરેકટર વગેરે સાથે યોજાયેલી બેઠકમાં ડો.રાજીવકુમાર ગુપ્તાએ કોરોના કેસ વધે તેવા સંજોગોમાં નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે સંપાદિત હોસ્પિટલો અને બેડ, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની પૂરતી વ્યવસ્થા, ટેસ્ટીંગ માટેની સુવિધા વધારવા તેમજ દવાની ઉપલબ્ધતા અને કોરોના રસીકરણની કામગીરી વગેરે બાબતોની માહિતી મેળવી હતી અને ચર્ચા કરી હતી.

બેઠકમાં ચર્ચાવિચારણાનાં અંતે જાહેરહિતમાં શહેરમાં આવતીકાલ શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય ૧૦ વાગ્યાને બદલે નવ વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી રાખવાનો અને તેનો કડકાઇથી અમલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તદઉપરાંત શહેરમાં શનિ-રવિવારે જુદા જુદા વિસ્તારોમાં આવેલાં મોલ-મલ્ટીપ્લેકસ તેમજ થિયેટરોમાં ભીડ જામતી હોવાથી કોરોના સંક્રમણ ફેલાવી શક્યતા વધી જવાની બાબતને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારીઓએ શનિવાર-રવિવારે તમામ મોલ અને થિયેટરો સંપૂર્ણપણે બંધ રખાવવાનો નિર્ણય લીધો હતો અને બાકીનાં દિવસોમાં મોલ-થિયેટરોમાં કોરોના ગાઇડલાઇનનો કડકાઇથી પાલન કરાવવાની તાકીદ કરવામાં આવી છે.

March 18, 2021
coronaupdate.jpg
2min372

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસ દરમિયાન કોવિડ-૧૯ના ૩૫,૮૭૧ નવા દરદી નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા ૧૦૨ દિવસની સૌથી વધુ હતી. આ સાથે દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઇ ગઇ હતી.

દેશમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-૧૯ના ઍક્ટિવ દરદીઓની સંખ્યા વધીને ૨,૫૨,૩૬૪ થઇ ગઇ છે. આ સંખ્યા કુલ દરદીઓના ૨.૨ ટકા છે. ગુરુવારે સવારના ૮ વાગ્યા સુધીમાં મળેલા દરદીઓના આંકડા મુજબ કોરોનાના દરદીઓ સાજા થવાની ટકાવારી ઘટીને ૯૬.૪૧ ટકા થઇ હતી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી વધુ ૧૭૨ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૫૯,૨૧૬ થઇ ગયો હતો.

અગાઉ, છઠ્ઠી ડિસેમ્બરે એટલે કે ૧૦૨ દિવસ પહેલાં દેશમાં કોરોનાના ૩૬,૦૧૧ દરદી નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં કોરોના માટે ૨૩,૦૩,૧૩,૧૬૩ સૅમ્પલ તપાસાયા હતા. 

Gujarat on 19/3

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસો નોંધાયા છે. 899 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે 3 દર્દીઓના મોત થયા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,72,332 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Reported on 18/3/21

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૯૦૩ નવા કેસ નોંધાવાની સાથે દૈનિક ધોરણે આ વર્ષનો સૌથી વધુ વધારો નોંધાયો હતો અને કેસની કુલ સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઇ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૧,૫૯,૦૪૪ થઇ છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલાં ૧૮૮ મૃત્યુનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના ૨,૩૪, ૪૦૬ સક્રિય કેસ છે. કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૫૬ ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સાજા થયા છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે કરવામાં આવેલા ૯,૬૯,૦૨૧ સેમ્પલનો સમાવેશ થાય છે.

દેશમાં નવા નોંધાયેલા કુલ કેસમાં પાંચ રાજ્યનો હિસ્સો ૭૦ ટકાથી વધુ

દેશમાં બુધવારે કોરોનાના નવા વધુ ૨૮,૯૦૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ)નો હિસ્સો ૭૧.૧૦ ટકા જેટલો હોવાનું આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સૌથી વધુ દૈનિક નવા કેસને મામલે કેરળ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.

જોકે, કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

કેરળ સહિત દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં છ રાજ્યનો હિસ્સો ૮૩.૯૧ ટકા જેટલો થતો હોવાનું તેમણે કહ્યું હતું.

એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ ૨૮,૯૦૩ કેસમાં મહારાષ્ટ્રના ૧૭,૮૬૪ કેસનો સમાવેશ થાય છે જે કુલ કેસના ૬૧.૮ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેસમાં કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબનો હિસ્સો ૭૬.૪ ટકા અને એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોવાનું તેમણે કહ્યું હતું.

Gujarat

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧૨૨ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૭૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૧,૪૩૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૩, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૧૧૨, ભરૂચમાં ૨૧, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૨૨, ગાંધીનગરમાં ૨૪, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, નર્મદામાં ૧૨, સાબરકાંઠામાં ૧૦, છોટાઉદેપુરમાં ૯, અમરેલીમાં ૮, જૂનાગઢમાં ૧૨, મહીસાગર, મોરબીમાં ૮-૮, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં ૪-૪, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ૨-૨. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧-૧ નોંધાયો હતા.

રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૧૨૨ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૭૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૫૪ ટકા જેટલો છે. ૫,૩૧૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૫,૨૪૯ લોકો સ્ટેબલ છે. ૨,૭૧,૪૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૪,૪૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૭૧,૧૪૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૫૪,૬૬૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ ૫૨,૯૫૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.

March 17, 2021
CIA_Live_Logo_New2.jpg
2min376

ભારતના આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આપેલી જાણકારી મુજબ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (ગર્ભપાત)માં એમેન્ડમેન્ટ (સુધારા) બિલ ૨૦૨૦ને રાજ્યસભાએ મંજૂરી આપી છે. મહિલાઓના વ્યાપક હિત, ગૌરવ અને સલામતિના કારણોસર ગર્ભપાતના કાયદામાં કેટલાક આવશ્યક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેની જાણકારી નીચે મુજબ છે.

ભારતના આરોગ્ય મંત્રીએ મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કાયદામાં સુધારાના બિલને મળેલી મંજૂરી ઐતિહાસિક અને મહિલાઓના વિશાળ હિતમાં ગણાવી હતી.

Image

The bill also ensures that women get access to safe and legal abortion services on therapeutic, eugenic, humanitarian grounds.

Image

The bill was drafted after extensive expert consultation involving all stakeholders such as gynaecologist association, related NGOs, Indian Medical Association etc. Group of ministers chaired by Nitin Gadkari, and ethics committee was also consulted, and only after elaborate discussion the bill took shape. The bill was also discussed in great detail in Lok Sabha before being passed unanimously,” said Harsh Vardhan in Rajya Sabha. Lok Sabha passed the bill last year.

March 17, 2021
ferry.jpg
1min929

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે. 

વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે. 

અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.

March 17, 2021
vaccine-1.jpg
2min419

સોમવાર ૧૫મી માર્ચે દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક ૩૦ લાખ કરતાં પણ વધુ લોકોને કોરોનાની રસી અપાઈ હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું.

આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોની રસીના આપવામાં આવેલા ડૉઝની સંખ્યાનો કુલ આંક ૩,૨૯,૪૭,૪૩૨ પર પહોંચી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

માત્ર પંદર જ દિવસમાં રસીકરણના ૬૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓની સંખ્યાનો આંક એક કરોડને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની રસીકરણની ઝુંબેશના ૫૯મા દિવસે એટલે કે ૧૫મી માર્ચે ૨૪ કલાકના સમયગાળામાં ૩૦,૩૯,૩૯૪ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

૪૨,૯૧૯ સેશનમાં ૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓને કોરોનાની રસીનો પહેલો ડૉઝ તો ૪,૧૨,૨૯૫ લોકોને રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

૨૬,૨૭,૦૯૯ લાભાર્થીઓમાં ૬૦થી વધુ વયના ૧૯,૭૭,૧૭૫ લાભાર્થીઓનો અને ૪૫થી ૬૦ વર્ષની વયજૂથના તેમ જ અન્ય બીમારીઓ ધરાવતા ૪,૨૪,૭૧૩ લાભાર્થીઓનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યા સુધીમાં ૫,૫૫,૯૮૪ સેશન મારફતે કોરોનાની રસીના ૩,૨૯,૪૭,૪૩૨ ડૉઝ આપવામાં આવ્યા હતા.

૭૪,૪૬,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો પ્રથમ ડૉઝ તો ૪૪,૫૮,૬૧૬ હૅલ્થ વર્કર્સને રસીનો બીજો ડૉઝ અપાયો હતો,

આ ઉપરાંત ચોક્કસ બીમારી ધરાવતા ૪૫થી વધુ વયના ૧૮,૮૮,૭૨૭ લાભાર્થી તેમ જ ૬૦થી વધુ વયના ૧,૦૨,૬૯,૩૬૮ લાભાર્થીને કોરોનાની રસીનો પ્રથમ ડૉઝ આપવામાં આવ્યો હતો.

અહેવાલમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુમાં કોરોનાના દૈનિક નવા કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં આ પાંચ રાજ્યના ૭૯.૭૩ ટકા જેટલા કેસ હોવાનું તેમણે કહ્યું હતું.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૪,૪૯૨ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક સર્વાધિક ૧૫,૦૫૧ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્ર, પંજાબ, તમિળનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણા એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં હાલ કોરોનાના ૨,૨૩,૪૩૨ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૯૬ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ એમ ત્રણ રાજ્યનું એકંદરે યોગદાન ૭૬.૫૭ ટકા જેટલું હોવાનું તેમણે કહ્યું હતું.

દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૮૨,૮૦,૭૬૩ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૩૧ જણનાં મૃત્યુ થયાં હોવાનું તેમણે કહ્યું હતું.