ડેવલપમેન્ટ Archives - Page 41 of 139 - CIA Live

April 5, 2021
corona-1.jpg
1min532

ભારતમાં કોરોના વેક્સીનેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે તેને સમાંતર હવે કોરોનાની ટ્રીટમેન્ટમાં પણ રામબાણ ઇલાજ શોધી કાઢવામાં આવ્યો હોવાનો દાવો ગુજરાતની જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ કર્યો છે.

ઝાયડસ કેડિલાના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ કોરોનાની સારવાર માટે તૈયાર કરેલી દવા PegIFN ના વપરાશ માટે ભારત સરકાર પાસે મંજુરી માગી છે. ફેઝ-3ના ઇન્ટરીમ રિઝલ્ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં 91 ટકા જેટલા દર્દીઓને 7 દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્યો છે. 

Zydus Cadila એ સોમવારે જાહેરાત કરી કે, તેણે COVID-19 ની સારવાર માટે Pegylated Interferon Alpha 2b ના ઉપયોગ માટે DCGI પાસેથી મંજૂરી માંગતી અરજી કરી છે. સાથે જ Zydus Cadila એ પણ જાહેરાત કરી કે, Pegylated Interferon Alpha 2b ની સાથે ત્રીજા ફેઝમાં પરીક્ષણમાં COVID -19 ની સારવારમાં અમને આશાજનક પરિણામો મળ્યા છે. સાથે જ કંપનીએ જણાવ્યું કે, આ દવાથી અમે દર્દીને વહેલી તકે સારવાર કરી શકાય તેવા પરિણામો મળ્યા છે. સાથે જ તેની ગંભીર આડઅસરથી પણ બચવામાં સફળતા મળી છે. 

પખવાડીયા અગાઉ જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્ડથી વેચે છે. હવે તેની નવી કિંમત 2800 રૂપિયાથી ઘટીને 899 રૂપિયા પ્રતિ બોટલ (100 એમજી) છે. કંપનીએ ઓગસ્ટ 2019 માં રેમડેકને દેશમાં લોન્ચ કરી હતી. તે સમયે ઈન્જેક્શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની 100 એમજીના બોટલની કિંમત 2800 રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ 19 ની સારવારમાં એક મહત્વની દવા છે. કંપનીના આ નિર્ણયથી અસંખ્ય દર્દીઓને રાહત મળશે. 

April 4, 2021
guj_corona.jpg
1min376

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા છે જ્યારે 2024 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4566 પર પહોંચ્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 664, સુરતમાં 545, વડોદરામાં 309, રાજકોટમાં 233 કેસો નોંધાયા છે.

April 4, 2021
maharashtra.jpg
1min485

કોરોનાના સતત વધતા જતા કેસોને પગલે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં વીકેન્ડ લોકડાઉનનો પણ નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે, એટલે કે, રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે અને આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યમાં 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવાય, પરંતુ પ્રતિબંધો વધુ કડક કરવામાં આવશે. લેવાયેલા નિર્ણય મુજબ, સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન લગાવાશે.

આ ઉપરાંત રાજ્યમાં ધાર્મિક સ્થળોને લઈને પણ કડક નિયમો બનાવાયા છે. મોલ્સ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ રહેશે. સમગ્ર મહારાષ્ટ્રમાં નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. જે મુજબ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે. તે દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરવામાં આવશે તેમ રાજ્યના મંત્રી અસલમ શેખે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ, જરૂરી સેવાઓમાં કામ કરતા લોકોને જ રાત્રે નીકળવાની મંજૂરી રહેશે. તો, હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ રહેશે. જોકે, પેકિંગ સુવિધા ચાલુ રહેશે. તે ઉપરાતં મોટા શૂટિંગ માટે મંજૂરી નહીં અપાય. તો, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરાશે. સરકારી ઓફિસો 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. શાકમાર્કેટ બંધ નહીં કરાવાય, પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત રિક્ષા, ટેક્સી અને ટ્રેન સેવા બંધ નહીં કરવામાં તેવી પણ જાહેરાત કરાઈ છે.

April 3, 2021
guj_corona.jpg
1min355

તા.૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં નોંધાયા હતા એટલા દૈનિક કેસ મળી આવ્યા છે. તા.૨ એપ્રિલ ૨૦૨૧ની રાત્રે ૮ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ગુજરાતમાંથી વધુ 2640 કેસો મળી આવ્યા છે.

આ જ સમયગાળા દરમિયાન કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 12 દિવસમાં 9 વખત દૈનિક વધુ કેસ નોંધાવવાનો રેકોર્ડ સર્જયો છે.

છેલ્લા 8 દિવસમાં રાજ્યમાં કોરોનાના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 2200થી વધુ 4 વખત 2400થી વધુ 1 વખત અને આજે તમામ રેકોર્ડ તોડીને 2600 ઉપર કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 7,12,797એ પહોંચી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4539 વ્યક્તિઓને કોરોના ભરખી ગયો છે. જો કે, આજે 2066 દર્દી કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોનામાંથી ડીસ્ચાજ ઍ દર્દીનો આંક 2,94,650 પર પહોંચ્યો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધીને 13,559 થઇ છે, જેમાં 158 વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં આજે નોંધાયેલા સર્વોચ્ચ 2640 કેસમાં સુરત સૌથી મોખરે છે. સુરતમાં 644, અમદાવાદમાં 629, વડોદરામાં 376, રાજકોટમાં 307 આમ સૌપ્રથમવાર રાજકોટમાં 307 સર્વોચ્ચ કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે ચાર મહાનગરોમાં જ 1956 કેસ નોંધાયા છે. આમ કુલ કેસના 74 ટકા માત્ર ચાર મહાનગરોમાં નોંધાયા છે. જ્યારે જામનગર અને ભાવનગરમાં 60-60, ગાંધીનગરમાં 55, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30 તેમજ અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ નોંધાવા પામ્યા છે. સરકાર દ્વારા અપાયેલા સત્તાવાર મૃત્યુના આંક મુજબ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

April 3, 2021
lock-down.png
1min345

વિજ્ઞાનીઓએ ચોક્કસ ગણતરી કરીને દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે.

અગાઉ, દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.

કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)ના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વિજ્ઞાનીઓએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી કરીને આગાહી કરી હતી કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે.

આમ છતાં, ૧૫થી ૨૦ એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે.

વિજ્ઞાનીઓએ કરેલી ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર પંજાબમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઝડપી બનશે.

April 1, 2021
vaccination.jpg
1min479
India in strong position on Corona Vaccine, Ministry of Health said |  Corona સંક્ટ હજી ટળ્યું નથી, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને આપી છે ચેતવણી

કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને આખો મહિનો એપ્રિલ માસના તમામ ત્રીસે ત્રીસ દિવસ સતત ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ દરમિયાન સરકારી સહિત રજાઓમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે.

આ અંગે કેન્દ્રિય આરોગ્ય વિભાગે કહ્યું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગુરુવારે એક પત્ર લખી રસીકરણ અભિયાનને સતત ચલાવવા માટે જરુરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવુ હતું કે દેશમાં કોરોના રસીકરણની ઝડપ અને કવરેજ વધારવા માટે 31 માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જે હેઠળ દેશભરમાં એપ્રિલમાં આવતી તમામ જાહેર અને શનિવાર-રવિવારની રજાઓને રદ કરીને રસી આપવાની કામગીરી સતત ચાલશે.

April 1, 2021
pradipsing_jadeja-1280x720.jpg
1min507

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં દાખલ થતા પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જીવનનું મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે, તેમણે ગુજરાત વિધાનસભામાં લવ જિહાદ વિરુદ્ધનો કાયદો રજૂ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી પણ પત્રકારોને આપી હતી.

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જિહાદ કાયદા અંગે શું કહ્યું સાંભળો

April 1, 2021
vaccine-1.jpg
1min409

જે જિલ્લાઓમાં કેસ વધ્યા છે અને જ્યાં વેક્સિનનેશન ધીમી ગતિએ થઈ રહ્યું છે ત્યાં વધુ રસીકરણ કરાવવાની વ્યૂહ રચના તૈયાર કરવા કેન્દ્ર સરકારે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે.

પહેલી એપ્રિલથી દેશના ૪૫થી વધુ વયના તમામ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરતા અગાઉ કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી હતી અને કોરોનાના નવા વધુ કેસ ન નોંધાય તે માટે જરૂરી પગલાં લેવાં જણાવ્યું હતું.

નેશનલ હૅલ્થ ઑથોરિટી (એનએચએ)ના સીઈઓ અને ઍમ્પાવર્ડ ગ્રુપ ઑન વૅક્સિનેશનના અધ્યક્ષ ડૉ. આર. એસ. શર્મા અને કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય સચિવ, એનએચએમના મિશન ડિરેક્ટર અને તમામ રાજ્ય તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશના ઈમ્યુનાઈઝેશન ઑફિસરોએ હાજરી આપી હતી.

વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે યોજવામાં આવેલી આ બેઠકમાં વૅક્સિનેશન ઝુંબેશની ઝડપ અને હાલની સ્થિતિ તેમ જ પહેલી એપ્રિલથી શરૂ કરવામાં આવનારી રસીકરણની ઝુંબેશની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

ખાનગી કોવિડ વૅક્સિનેશન સેન્ટરની ક્ષમતાના યોગ્ય ઉપયોગની નિયમિતપણે સમીક્ષા કરવાનું પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવી દેવામાં આવ્યું છે.

વૅક્સિનના જથ્થાની નિયમિત રીતે સમીક્ષા કરવાનું તેમ જ વૅક્સિનની અછતને કારણે વૅક્સિનેશનમાં કાપ મુકવાની ફરજ ન પડે તેની કાળજી રાખવાનું, વૅક્સિનનો વૅસ્ટેજ દર એક ટકાથી ઓછો રહે તેનું ધ્યાન રાખવાનું તેમ જ વૅક્સિનની મુદત પૂરી થઈ જાય તે અગાઉ સમયસર તેનો ઉપયોગ કરવાની કાળજી લેવાનું પણ તેમને જણાવવામાં આવ્યું છે.

March 31, 2021
covid_testing.jpg
1min396

દેશમાં કૂદકેભૂસકે વધી રહેલા કોરોના કેસને પગલે આજે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એકવાર ચેતવણીનાં સૂરમાં કહેવામાં આવ્યું હતું કે, સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. જે ચિંતાનો વિષય છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જ્યાં કેસમાં તીવ્ર ઉછાળો આવી રહ્યો છે તેવા રાજ્યોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાં સૂચના પણ આપવામાં આવી છે.

છેલ્લા એકાદ માસમાં દેશમાં કોરોનાનાં કેસમાં નિરંકુશ વધારો થયો છે. સ્વાસ્થ્ય તજજ્ઞો આને કોરોનાની બીજી લહેર ગણાવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કોરોનાના કેસમાં ઓચિંતા ફરીથી ઉછાળો આવવાનું કારણ જણાવ્યું છે. હર્ષવર્ધને કહ્યું હતું કે, દેશમાં અનેક લોકો એવું માને છે કે કોરોનાની રસી આવી ગઈ છે એટલે હવે બધુ ઠીક થઈ ગયું છે. જેથી લોકો આને ગંભીરતાથી લેતા નથી. લોકો હવે કોરોનાને હળવાશમાં લેવા લાગ્યા છે માટે સુપર સ્પ્રેડર બનીને કોરોનાને વકરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારનાં સચિવે પણ કોરોના સંક્રમણ પર દેશવાસીઓને ચેતવણી ઉચ્ચારી હતી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કોરોનાના વધતા ચેપથી સ્થિતિ બદતર થઇ રહી છે અને ખાસ કરીને કેટલાક રાજ્યો માટે એ ચિંતાનો મોટો વિષય છે. સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં કોઇએ બેદરકારી ન કરવી જોઇએ.

હર્ષવર્ધને કહ્યું હતું કે, રસી લીધા પછી બીજીવાર કોવિડ-19થી સંક્રમિત થવું એ દુર્લભ ઘટના કહી શકાય, તેમ છતાં જો વેક્સિન લીધા પછી કોરોના થાય તો તેમાં ખતરો નથી રહેતો.
ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ જરૂરી છે. એકવાર કેસ ટ્રેક થઈ ગયા બાદ આઈસોલેશનમાં તેની સારવાર અનિવાર્ય છે. કોરોના સામેની લડાઈમાં ભારતની તૈયારીની વાત કરતાં તેમણે ઉમેર્યુ હતું કે, દેશમાં અત્યારે 20 લાખ બેડ બનાવાયા છે. ભારત સરકાર તમામ કેસને ગંભીરતાથી લઈ રહી છે. ગત સપ્તાહે 47 જિલ્લાઓ સાથે બેઠક થઈ હતી. આજે દેશનાં 430 જિલ્લામાં 7થી લઈને 28 દિવસમાં કોઈ કેસ નોંધાયા નથી.

સચિવે કહ્યું હતું કે, કોવિડ-19થી સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લામાંથી આઠ મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાનાં રૂપમાં આ યાદીમાં સામેલ છે. આ સિવાય પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લોર, નાંદેડ અને અહમદનગરનો સમાવેશ થાય છે.

March 30, 2021
corona_india.jpg
1min378

ભારતમાં કોરોના કેસોની સંખ્યા 1.20 કરોડના આંકડાને પાર કરી ગઇ છે એવી જ રીતે ભારતમાં વેક્સીન લેનારા લોકોની સંખ્યા પણ ૬ કરોડના આંકડાને પાર કરી ગઇ છે.

29/3/21 સોમવારે ભારતમાં 68,020 નવા કેસ નોંધાયા છે, આ પાછલા વર્ષે ઓક્ટોબર પછી એક દિવસમાં સૌથી વધુ નોંધાયેલા કેસ છે. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો 1,20,00,000 ને પાર થઈ ગયા છે.

હાલ દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની લહેર પાછલા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવેલી લહેર કરતા વધારે ઝડપી છે, આ વખતે વધુ ઝડપથી નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલી લહેર દરમિયાન 32 દિવસમાં 18,000 કેસથી 50,000 કેસ થયા હતા.

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, કેરળ, તમિળનાડુ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ એમ દેશના આઠ રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને સાથોસાથ ભારતમાં કોરોના કેસોની સંખ્યા પણ કૂદકેને ભૂસકે વધી રહી છે.

Image