CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 26 of 139 - CIA Live

November 18, 2021
weather-forecast.jpg
1min411

આજે Dated 18/11/21 વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.

માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

November 15, 2021
income-tax-filing.jpg
1min425

આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે. 

આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા 
અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. 
ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે. 

આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.

November 14, 2021
khel_puraskar.jpeg
1min349

રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ખેલાડીઓ, કોચને આજે રમત ગમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં રમત પુરસ્કારોનું વિતરણ કર્યું. દર વર્ષે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારને વિવિધ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં ખેલ, રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક એવોર્ડ, મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડનો સમાવેશ થાય છે.

રમતગમતની દુનિયામાં સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન એવોર્ડ આ વર્ષે 12 ખેલાડીઓને આપવામાં આવ્યો. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હોય. પહેલા 11 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનું નામ પણ તેમાં જોડાયું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)ને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ સિવાય પુરુષ કુસ્તીબાજ રવિ દહિયા, મહિલા બોક્સર લવલિના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, પેરાલિમ્પિક મેડલિસ્ટ શૂટર અવની લેખરા, પેરાથ્લેટ સુમિત એન્ટિલ, પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, કૃષ્ણ નાગર, પેરા શૂટર મનીષ નરવાલે પણ અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યાં છે.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, હોકી ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા.

35 લોકોને અર્જુન એવોર્ડ
આ સાથે જ કુલ 35 લોકોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના ખેલાડીઓ હોકી સાથે સંકળાયેલા હતા. જેમાં પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ વખતે ટીમ બ્રોન્ઝ મેડલ સાથે વાપસી કરી હતી.

પુરુષ ટીમમાંથી દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લાકરા, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, વિવેક સાગર સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, વરુણ કુમાર છે. આ સાથે જ આમાં ક્રિકેટર શિખર ધવનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં તલવારબાજ ભવાની દેવીની સાથે ઘણા પેરા એથ્લેટ્સનો પણ સમાવેશ થાય છે.

આ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો 

એથ્લેટિક્સ કોચ ટીપી ઓસેફ, ક્રિકેટ કોચ સરકાર તલવાર એવા કોચમાં સામેલ છે જેમને લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમાં હોકી કોચ સરપાલ સિંહ, કબડ્ડી કોચ આશાન કુમાર અને સ્વિમિંગ કોચ તપન કુમાર પાણિગ્રહીનું નામ પણ સામેલ છે. બીજી તરફ એથ્લેટિક્સ કોચ રાધાકૃષ્ણન નાયર, બોક્સિંગ કોચ સંધ્યા ગુરુંગ, હોકી કોચ પ્રિતમ સિવાચ, પેરા શૂટિંગ કોચ જય પ્રકાશ નૌટિયાલ, ટેબલ ટેનિસ કોચ સુબ્રમણ્યમ રમણને દ્રોણાચાર્ય એવોર્ડની નિયમિત શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડની યાદીમાં કોચ લેખ કેસી, ચેસ કોચ અભિજિત કુંટે, હોકી કોચ દવિંદર સિંહ ગરચા, કબડ્ડી કોચ વિકાસ કુમાર, કુસ્તી સજ્જન સિંહના નામ સામેલ છે.ખેલ રત્ન એવોર્ડમાં 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ, મેડલ અને સન્માન પત્ર આપવામાં આવે છે. અર્જુન પુરસ્કારમાં 15 લાખ રૂપિયાની ઈનામી રકમ, એક કાંસ્ય પ્રતિમા અને સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રસંગે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમના પુરોગામી કેરેન રિજિજુ અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા.

November 6, 2021
sameer_vankhede.jpg
1min432

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે સમીર વાનખેડે સામે એક બાદ એક મુશ્કેલીઓ સામે આવી રહી છે. અગાઉ એનસીપી નેતા નવાબ મલિક દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવતાં વાનખેડેને પોતાની જાતિ સહિતનાં પુરાવા આપવા પડ્યા હતા. આ ઉપરાંત એનસીબીના સાક્ષી દ્વારા એફિડેવિટ દાખલ કરી વાનખેડે સામે લાંચ માગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે જાણકારી સામે આવી રહી છે કે, સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસ સહિત અન્ય પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. અને હવે આ કેસોની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી ટીમ કરશે.

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન તેઓને અનેક વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. આર્યન ખાન કેસમાં કરોડોની લાંચ માગવાના કેસમાં તેમની સામે દિલ્હી એનસીબીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સમીર વાનખેડેને હવે હટાવી દેવામાં આવ્યા છે. અને નવી ટીમ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન કેસમાં લાંચના આરોપ બાદ એનસીબી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. એનસીબીના વેસ્ટટર્ન ડેપ્યુટી ડીજી મુથા અશોક જૈને કહ્યું કે, અમારા ઝોનના કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની એનસીબી ટીમ દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાન કેસ અને અન્ય 5 કેસ સામેલ છે.

સમીર વાનખેડે આ મામલે જણાવ્યું કે, મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નતી. કોર્ટમાં મારી રિટ અરજી કરી હતી કે કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સી પાસેથી કરાવવામાં આવે. એટલા માટે આર્યન ખાન કેસ અને સમીર ખાન કેસની તપાસ દિલ્હી એનસીબીની એસઆઈટી કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની એનસીબી ટીમ વચ્ચે એક સમન્વય છે.

November 4, 2021
petrol-diesel-1.jpg
1min606

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં ક્રમશઃ 5 અને 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ છ રાજ્યોને કહેવામા આવ્યું કે, તેઓ વેટના દરમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો હતો એના કારણે લોકોનું બજેટ ખોરવાયું હતું. દિવાળીના એક દિવસ પહેલાં કેન્દ્ર સરકારે આ ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.

ભાજપ શાસિત Gujarat, કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

November 4, 2021
covaxin.jpg
1min338

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (હૂ)એ ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ (ઈયુએલ)નો દરજ્જો આપ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનના ટૅક્નિકલ ઍડવાઈઝરી ગ્રૂપ ‘ટૅગ’એ કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવાની ભલામણ કરી હતી. 

કોવેક્સિનને ઈયુએલનો દરજ્જો આપવા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોવેક્સિનના ક્લિનિકલ ટ્રાયલના આંકડાઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા આરંભી છે. કોવેક્સિનને ‘ઈયુએલ’નો દરજ્જો આપવા ‘ટૅગ’એ ૨૬ ઑક્ટોબરે કંપની પાસે વધારાની સ્પષ્ટતા માગી હતી.

‘ઈયુએલ’ પ્રક્રિયા હેઠળની કોરોનાની વૅક્સિનને તાકીદના ઉપયોગ માટે લઈ શકાય કે નહીં તે માટે ભલામણ કરતી ‘ટૅગ’ સ્વતંત્ર સલાહકાર સમિતિ છે. 

કોવેક્સિનની કોરોનાના દરદી પર અસરકારકતા ૭૭.૮ ટકા અને કોરોનાના નવા વૅરિયન્ટ સામે રક્ષણ આપવાની અસરકારકતા ૬૫.૨ ટકા હોવાનું જણાઈ આવ્યું હતું.

November 1, 2021
indian-flag.png
1min434

 ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે OTPની જરુર

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BOB બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે મોટો ફેરફાર

ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

October 30, 2021
cia_multi-1280x1045.jpg
6min919

એક સોલાર તોફાન geomagnetic storm ખૂબ જ ઝડપથી અંતરીક્ષમાંથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં પૃથ્વીના વાતાવરણ સાથે અથડાશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ તોફાન સૂર્યની સપાટી પર વિસ્ફોટ બાદ પેદા થયું છે અને તેની ઝડપ ખૂબ જ તેજ છે. વૈજ્ઞાનિકોના મતે આ તોફાનથી સેટેલાઈટ સિગ્નલ્સમાં અડચણ આવી શકે છે. આ કારણે વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેની અસર જોવા મળી શકે છે. 

What is a solar flare? Warning as geomagnetic storm forecast to hit Earth  today - Daily Star

નિષ્ણાંતોના મતે આ સૌર તોફાનની સ્પીડ 1,260 કિમી પ્રતિ સેકન્ડની છે. વૈજ્ઞાનિકોના મતે આ સૌર તોફાન શનિવારે તા.30 ઓક્ટોબર 2021 કે રવિવારે તા.31મી ઓક્ટોબરે કોઈ પણ સમયે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. તોફાન ધરતી પર પહોંચે તે પહેલા જ અમેરિકાના એક હિસ્સામાં કામચલાઉ રીતે રેડિયો સિગ્નલ બ્લેકઆઉટ થઈ ગયા છે. 

આ સૌર તોફાન તેમની રીતના સૌથી શક્તિશાળી x1-ક્લાસ Solar Flair તરીકે ઓળખાય છે. નાસાના અધિકારીઓેએ તેને મહત્વપૂર્ણ સોલર ફ્લેયર ઠેરવ્યું છે. આ સૌર તોફાનને અંતરિક્ષ એજન્સીના સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીના રિયલ ટાઈમ વીડિયોમાં પણ કેપ્ચર કરવામાં આવ્યું છે. 

સોલાર ફ્લેયરની સૌથી શક્તિશાળી શ્રેણી એક્સ ક્લાસ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તાકાતના ઘટતા ક્રમમાં તે એમ, સી, બી અને એ ક્લાસના નામથી ઓળખાય છે. આ સૌર તોફાનના કારણે 30 ઓક્ટોબરના રોજ અમેરિકામાં ઉજવાતા હેલોવીન તહેવારને અસર પડી શકે છે. 

In English

A geomagnetic storm is set to hit Earth on Saturday after the Sun blasted out millions of tons of ionised gas from one of five sun-spot clusters late on Thursday and may affect GPS signals, satellites and the electricity grid. The solar storm could also touch off geomagnetic activity that could make the Northern Lights visible as far south as the Hudson Valley New York.

The Solar Dynamics Observatory of the National Aeronautics and Space Administration (Nasa) captured a “significant solar flare” erupting from the Sun. The US space agency said on Friday that the Sun on Thursday emitted an X1-class flare. “POW! The sun just served up a powerful flare,” Nasa tweeted.

Nasa says X-class denotes the most intense flares, while the number provides more information about its strength—an X2 is twice as intense as an X1, an X3 is three times as intense, etc.

When the solar flare— powerful bursts of radiation—erupted on Thursday, it caused a strong radio blackout storm, which can disrupt some high-frequency radio broadcasts and low-frequency navigation.

Spaceweather.com reported that the flare originated from a sunspot called AR2887 currently positioned in the centre of the Sun and facing the Earth, based on its location.

The US Space Weather Prediction Center (SWPC) said the X1-class flare caused a temporary, yet strong radio blackout across the sunlit side of Earth-centered on South America.

William Murtagh, SWPC director, said that of the five sunspot clusters, those large magnetic storms that appear darker than the rest of the sun, only two are likely to cause the Earth any trouble. According to Nasa, the X1-flare is also likely to hit Earth’s magnetic field on Saturday.

The harmful radiation from a solar flare cannot pass through Earth’s atmosphere to affect humans but they can disturb the atmosphere in the layer where GPS and communications signals travel.

When these intense flares are aimed directly at Earth, they can also be accompanied by a massive eruption of solar particles, called a coronal mass ejection. The SWPC said that the impulsive X1-class flare on Thursday also “appeared to have coronal mass ejection related signatures”.

The wave of solar energy may also deliver a celestial show for sky-watchers in the Northern Hemisphere when it hits. However, for observers along the Eastern Seaboard the potential for weekend rain may dampen viewing opportunities.

When a wave of solar energy hits Earth’s magnetic field it will often create an aurora at the poles—in the Northern Hemisphere this is often called the Northern Lights and can appear as colourful ribbons in the sky or just flickering.

“We think the initial impact will happen during the daylight hours, so for aurora enthusiasts in the US, we are looking at overnight of the 30th into 31st for the best chance to see the aurora,” Murtagh was quoted as saying by Bloomberg.

The solar storm is rated as G3 on the five-step scale for ranking such events, lower than the level where power grid operators become concerned.

October 29, 2021
crackers-ban.jpg
1min416

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘તેઓ ફટાકડા પર પ્રતિબંધ મૂકીને કોઈ એક સમુદાયના વિરોધમાં નથી. મનોરંજનના નામ હેઠળ કોર્ટ નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન ન કરવા દઈ શકે.’

Nagaland decides to ban firecracker - News Move

ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને એ. એસ. બોપ્પાની બેન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટે આપેલા આદેશનો એ સંપૂર્ણ અમલ જોવા માગે છે. બેન્ચે એવું પણ કહ્યું હતું કે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ નથી. પ્રકૃતિને અનુકૂળ તૈયાર કરવામાં આવેલા ફટાકડા (ગ્રીન ફાયરક્રેકર્સ)ને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે કોઈ સમુદાય માટે ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ તમામ નાગરિકોના હિતમાં આ નિર્ણય લીધો છે. 

હજી પણ બજારોમાં જાહેરમાં ફટાકડાઓ મળી રહ્યા છે એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે આદેશનો અમલ કરાવનારી સંસ્થાઓની પણ મોટી જવાબદારી છે. બધા જાણે છે કે દિલ્હીના લોકો પ્રદૂષણને લીધે કેવા સંઘર્ષમાં જીવી રહ્યા છે. કોર્ટ લોકોના અધિકારોની રક્ષા કરવા માટે છે એવો સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ. 

October 29, 2021
gujarat-police.jpg
1min406

ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.

જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી  હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.

પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.

અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું.