CIA ALERT

ક્રાઇમ Archives - Page 7 of 36 - CIA Live

February 8, 2022
blast_verdict.jpg
2min439

2008માં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો આજે Dt.8/2/22 જાહેર થઈ ગયો છે. સ્પેશિયલ કોર્ટના જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જે આરોપીઓને દોષિત જાહેર કરાયા છે તેમને 09 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવવામાં આવી શકે છે.

આ લોકો અમદાવાદના ગુનેગાર

  • ઈમરાન શેખ,
  • ઈકબાલ શેખ,
  • સમશુદ્દીન શેખ,
  • ગ્યાસુદ્દીન અન્સારી,
  • મહોમંદ આરીફ,
  • મહમંદ ઉસ્માન,
  • યુનુસ મન્સુરી,
  • કમરુદ્દીન નાગોરી,
  • આમીલ શેખ,
  • સિબલી અબ્દુલ કરીમ,
  • સફદર હુસૈન નાગોરી,
  • હાબિદ હુસૈન મુલ્લા,
  • મહંમદ સાજિદ,
  • મુક્તિ અબુ બશર,
  • અબ્બાસ સમેજા,
  • જાવેદ શેખ,
  • અતિકુર રહેમાન,
  • મહેંદી હસન,
  • ઈમરાન શેખ,
  • ઉમર કબીરા,
  • સલીમ સિપાહી,
  • અફઝલ ઉસ્માની,
  • મહંમદ સાદિક,
  • મહંમદ આરીફ,
  • આસિફ, રફિયુદ્દીન,
  • મહંમત આરીફ,
  • કયામુદ્દીન કાપડિયા,
  • મહંમત સૈફ,
  • જિશાન અહેમદ,
  • જિયાઉલ રહેમાન,
  • મહંમદ શકીલ,
  • અનિક,
  • મહંમદ અકબર,
  • ફઝલ રહેમાન,
  • મહંમદ નૌશાદ,
  • અહમદ બાવા,
  • સફરુદ્દીન,
  • સૈફુર રહેમાન,
  • મહંમદ અન્સાર,
  • સાદુ અલી,
  • મહંમદ તનવીર પઠાણ,
  • મહંમદ શકીલ,
  • આમીન ઉર્ફે રાજા,
  • મહંમદ મૌમીન,
  • મહંમદ અબરાર,
  • મહંમદ રફી ઉર્ફે જાવીદ

77માંથી 28 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો છે. પોલીસે આ કેસમાં 77 આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આઠ આરોપી હજુય નાસતા ફરે છે. શહેરને હચમચાવી દેનારી આ ઘટનામાં 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 244 ઈજાગ્રસ્ત થયા હતા.

સિરિયલ બ્લાસ્ટમાં ટિફિન, સ્કૂટર તેમજ કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાંય ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્યાં પણ પ્રચંડ વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી તેમજ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ કેસમાં કુલ 1163 લોકોને સાક્ષી તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. કાયદાકીય કાર્યવાહીમાં વધુ વિલંબ ના થાય તે માટે 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ફીટ જુબાની આપી હતી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા બાદ સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોમાંથી બોંબ મળી આવ્યા હતા. અમદાવાદમાં 20 અલગ-અલગ સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદ નોંધાઈ હતી.

January 26, 2022
money_laundering.jpg
1min461

ચીનના રૂ. ૧૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલી કંપનીઃ સી.એ. ફર્મ સામે પણ ફરિયાદઃ સાવરિયા ઇન્ટરનેશનલના ડિરેક્ટર મુકુન્દ કુર્ને, સુમિત રમેશ બોદ્રા,નિલમ સુમિત બોદ્રા તથા જે.પી. હિરપરા એન્ડ કંપનીની સંડોવણી

રૂ. ૧૦૦૦ કરોડની છેતરપિંડી કરીને પરદેશમાં નાણાં મોકલી આપનાર ચાર્લી પેન્ગ ઉર્ફી લૂ સેન્ક સાથે સંકળાયેલા સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ સામે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રૂ. ૧૦૦૦ કરોડના મની લૉન્ડરિંગના કૌભાંડમાં આ કંપનીની પણ સંડોવણી હોવાનો નિર્દેશ મળતા અને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ ન કરવા બદલ કંપની સામે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ચાર્લી પેન્ગ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસ ફાઈલ કરેલો છે. 

સાવરિયા ઇન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના મુકન્દ દત્તાત્રેય કુર્ને, સુમિત કુમાર રમેશભાઈ બોદ્રા, નિલમ સુમિત બોદ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.પી. હિરપરા એન્ડ કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં અભિષેક શોપિંગ સેન્ટરમાં આવેલી જે.પી. હિરપરા એન્ડ કંપની અંગે  ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ ફરિયાદ કરવામાં આવી છે. આ કંપની સાથે સંકળાયેલા તમામ પ્રોફેશનલ્સ સામે ફરિયાદ ફાઈલ કરવામાં આવી છે. જુલાઈ ૨૦૧૨માં કંપનીની સ્થાપના કર્યા પછી આજ સુધીમાં કંપનીએ એક પણ વાર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં વાર્ષિક હિસાબો રજૂ  ન કર્યા હોવાથી પણ તેની સામે ફરિયાદ કરવામાં આવી છે.

બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સી સામે માઈનિંગ મશીનમાં રોકાણ કરવાની લાલચ આપીને લોકોને લલચાવીને એસબીડબ્લ્યુ સાઉથ એશિયન પ્રા.લિ. નામની કંપની છેતરપિંડી કરતી હોવાની એક ફરિયાદ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝે નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. અમેરિકાની બિટકોઈન માઈનિંગ કંપની ૨૧ આઈએનસી સાથે તે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ માઈનિંગ મશીનમાં રોકાણ કરવાને નામે લોકોને લલચાવવાનું કામ કંપની કરતી હતી. તેમના નાણાં માઈનિંગ મશીનમાં રોકવામાં આવતા હતા, તેના માધ્યમથી ક્રિપ્ટો કરન્સીમાં નાણાંનું રોકાણ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવતું હતું. 

કંપની વિરુદ્ધ આર.ઓ.સી.-રજિસ્ટ્રાર ઓફ કંપની દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટો કરન્સીના વેચાણ દ્વારા તેઓ મોટો આર્થિક લાભ મેળવી રહ્યા છે. તદુપરાંત શિંગુ ટેક્નોલોજી અને એસ.બી.ડબ્લ્યુ. સાઉથ એશિયન પ્રાઈવેટ લિમટેડન નામની કંપનીની સ્થાપના રજની કોહલી નામના કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ભારતમાં ડમી ડિરેક્ટર ઊભા કરી આપવાની કામગીરી પણ કરતી હતી. તેમ જ વિઝા ફેસિલિટેટર તથા ચાઈનીઝ ડિરેક્ટર્સ પૂરા પાડવાની કામગીરી પણ કરતી હતી. લોકો પાસેથી ભંડોળ મેળવીને માત્ર પેપર પર ઊભી કરવામાં આવેલી શૅલ કંપનીઓ મારફતે તે નાણાં વિદેશમાં ડાયવર્ટ કરી દેવાતા હતા.નાણાં વિદેશમા ંડાયવર્ટ થઈ ગયા પછી બારતીય વ્યક્તિઓને તે કંપનીના ડિરેક્ટરના હોદ્દા પર ગોઠવી દેવામાં આવતા હતા. આર્થિક રીતે નબળી અને ગરજાઉ વ્યક્તિને ડિરેક્ટર બનાવી દેવામાં આવતા હતા. કંપની રૃા. ૨ કરોડ કે તેનાથી વધુના રોકાણની વાત કરતી હોવા છતાંય તેનો કોઈ જ બિઝનેસ નોહોતો. ખોટા અને મેન્યુપ્યુલેટેડ એકાઉન્ટ બનાવવાની કામગીરી પણ આ કંપની કરતી હતી. 

January 6, 2022
Gas-Leak.jpeg
1min545

તા.6 જાન્યુઆરી 2022ની વહેલી સવારે સુરત નજીક સુરતના સચિન GIDC વિસ્તારમાં નિન્જા મિલની સામે, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં ગેરકાનૂની રીતે ઝેરી કેમિકલ ઠાલવતી વખતે થયેલા ગેસ લિકેજને કારણે થયેલી ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કેમિકલ ખુલ્લામાં ઠાલવવાની તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

6-6 લોકોનો ભોગ લેનારી ઘટનામાં સફાળા જાગેલા તંત્રોએ તાબડતોડ એ વાત શોધી કાઢી હતી કે ઝેરી કેમિકલ ભરીને આવેલું ટેન્કર ક્યાંથી આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે.

December 24, 2021
samajwadi_perfume.jpg
1min666
પિયુષ જૈને સમાજવાદી પાર્ટી નામથી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. અખિલેશ યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જણાવ્યું હતું.

IT ટીમને તિજોરીઓમાં ખચોખચ ભરેલા નોટોના બંડલો મળી આવ્યા, રોકડ ગણવા માટે 4 મશીનો પણ ઓછા પડ્યા

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ સમાજવાદી પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું.

તિજોરીઓમાં આ રીતે ભરેલાં કરોડો રુપીયા મળી આવ્યા હતા.

દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ રકમ એટલી વધારે છે કે મોડી રાત સુધી તેઓ 4 મશીનોમાંથી 40 કરોડ રૂપિયા ગણી શક્યા છે. બાકીની નોટોની ગણતરી આજે થશે. ગણતરી કર્યા પછી, રકમ 150 કરોડથી વધુ નીકળવાની આશંકા છે. SBIના અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમની મદદથી રોકડની ગણતરી કરવામાં આવી રહી છે.

બિઝનેસમેન પીયૂષ જૈન સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના છે. થોડા દિવસો પહેલા પીયૂષ જૈને સમાજવાદી પાર્ટી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પીયૂષ જૈનની લગભગ 40 કંપનીઓ છે. આમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.

December 19, 2021
beirut-lebanon-explosions-1227910278.jpg
1min442

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલાં બિલ્ડર હરસુખ વેકરિયાને હાઇકોર્ટે રૂ.35 લાખનું વળતર વાલીઓને આપવાની શરતે અઢી વર્ષે જામીન પર મુક્ત કર્યો છે. આ સાથે જ સમગ્ર કેસમાં સંડોવાયેલાં કુલ 14 આરોપીઓ પૈકી 12ને કોર્ટે જામીન આપી દીધા છે. હવે જેલમાં ટ્યુશન ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી અને બિલ્ડર દિનેશ વેકરિયા છે.

હાઇકોર્ટે આરોપી હરસુખ વેકરિયાને રૂ.35 લાખ 4 મહિનાના ગાળામાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. આરોપી 26 મે 2019ના રોજથી જેલમાં છે. નોંધનીય છે કે, સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. પોલીસે ગુનો નોંધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી.

તક્ષશિલા કેસની ટ્રાયલ ચાલી રહી છે. આજે બે પંચોની ઉલટ-સરતપાસ લેવામાં આવી હતી. ત્યારબાદ મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ માંગુકિયાએ બંને પંચની ફેર તપાસની માંગ કરી હતી. જેની પર હવે 1લી જાન્યુઆરીના રોજ હુકમ આવશે.

December 17, 2021
gsssb.jpg
1min420

Reported on 17/12/21

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reported on 16/12/21

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Assistant Social Welfare Officer,  Surveyor, Accountant/ Inspector & Junior Inspector All Candidates Marks  (Result - Marugujaratupdates.com

પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.

પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.

December 7, 2021
rapist.jpg
1min535

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.

આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.

દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.

December 6, 2021
hunting.jpg
1min430

લોકસભામાં સોમવારે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી અશ્ર્વિની ચૌબેના જણાવ્યા મુજબ શિકારનો ભોગ બનીને મોતને ભેટતા વાઘની સંખ્યા ઘટી હતી, પરંતુ હાથીઓ વધુ પ્રમાણમાં શિકારનો ભોગ બન્યા હતા. ૨૦૧૮માં ૩૪, ૨૦૧૯માં ૧૭ જ્યારે ૨૦૨૦માં માત્ર ૭ વાઘ શિકારનો ભોગ બન્યા હતા. આથી ઊલટું હાથીની વાત કરીએ તો ૨૦૧૮-૧૯માં ૯, ૨૦૧૯-૨૦માં ૬ તો ૨૦૨૦-૨૧માં ૧૪ હાથીઓ શિકારનો ભોગ બન્યા હતા. જંગલમાં પ્રાણીઓની ગેરકાયદેસર થતી હેરફેર અને તેને કારણે થતી ધરપકડનું પ્રમાણ પણ ઓછું થયું છે. 
છેલ્લી વસતિ ગણતરી મુજબ ભારતમાં હાથીની સંખ્યા લગભગ ૨૭,૦૦૦ અને વાઘની સંખ્યા ૨૯૬૭ જેટલી છે.

    

November 28, 2021
gandhinagar.jpg
1min440

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે.

આ માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.

પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા અને તેની હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

હવે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ગાંધીનગર સહિત ગુજરાત પોલીસ એલર્ટ બની રહી છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઈ છે. ગાંધીનગર પોલીસને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગેના કેસોને શોધી કાઢીને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલી છે.

November 18, 2021
dharm_parivartan-1280x720.jpg
1min391

ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લોકોએ લાલચ આવી ધર્મપરિવર્તન કરાવતા હતા. મળતા અહેવાલો મુજબ આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. આરોપીઓ ગામના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે .પોલીસ ધર્માંતરણ કરાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.મામલાની તપાસ કરતા પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે.

આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.