CIA ALERT

ક્રાઇમ Archives - Page 37 of 37 - CIA Live

July 17, 2018
itraid1.jpg
1min5560

તમિળનાડુના હાઇવેના બાંધકામ અને એની સહયોગી કંપનીઓના વીસ ઠેકાણે આઇટીએ પાડેલા દરોડામાં રૂ. 100 કરોડ રોકડા અને 90 કિલો સોનું તથા ઝવેરાત પકડાયા હતા. આ તમામ જથ્થો બેહિસાબી અને બેનામી હોવાનું માનવામાં આવે છે. તમિળનાડુ ખાતેની આ રેઇડને પગલે સ્થાનિક બિલ્ડર્સ સમેત રાજકારણીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.

રોકડની હેરાફેરીની માહિતીના આધારે આવકવેરા ન ભર્યો હોવાના શકને આધારે આઇટી વિભાગે દરોડા પાડયા હતા. નૉટબંધી અગાઉ અને પછી રોકડની શંકાસ્પદ હેરફેર પર નજર રાખ્યા બાદ પોલીસની સુરક્ષા હેઠળ આઇટી વિભાગે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આઇટી રિટર્નની તપાસમાં ગેરરીતિ જણાઇ હતી.

આ કંપની સિવિલ વર્કની અગ્રણી કોન્ટ્રાક્ટર કંપની છે. કંપનીની રાજકીય નેતાઓ સાથે સાઠગાંઠ હોવાનો શક છે અને એમણે રાજ્ય સરકારના હાઇવે તથા જાહેર વિભાગની અનેક યોજનાઓ પર કામ કર્યું હતું.

July 16, 2018
badroad1.jpg
1min8480

દેશમાં જમ્મુ કાશ્મીર સમેત અન્ય રાજ્યોમાં ત્રાસવાદી હુમલાઓ થતાં રહે છે અને તેમાં જાનહાનિ થતી રહે છે. પણ એવું લાગે છે કે દેશમાંના રસ્તાઓ વધુ જોખમી છે. ખાડાને લીધે થતા અકસ્માતમાં જાનહાનિની સંખ્યાના સંદર્ભમાં સરકારની આંકડાકીય માહિતીમાં જણાવાયા પ્રમાણે સમગ્ર દેશમાં ૨૦૧૭માં ત્રાસવાદી હુમલામાં ૮૦૩ જણ માર્યા ગયા હતાં એની સરખામણીમાં રસ્તા પરના ખાડાને લીધે થયેલા અકસ્માતમાં ૩,૫૯૭ જણનાં મોત નીપજ્યા હતાં.

મોટા ભાગના મેટ્રો શહેર ખરાબ માળખાકીય વ્યવસ્થા અને માર્ગોની મરામત અને જાળવણીમાં બેરદકાર રહેતી હોવાના સમાચાર હોવાથી અધિકારીઓને તેની નોંધ લેવાની ફરજ પડશે. ગયા વર્ષે મોતની સંખ્યા દિવસ દીઠ સરેરાશ ૧૦ હતી જે ૨૦૧૬ની સંખ્યાના ૫૦ ટકા કરતાં વધુ થવા જાય છે. આટલી મોટી સંખ્યા આઘાતજનક છે. પગલાં લેવાની જરૂર છે ખાસ કરીને નકસલવાદી સહિત ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલાની સંખ્યા ૮૦૩ હોય ત્યારે ખાડાને લીધે થતાં મોતની સંખ્યા પર ધ્યાન આપીને પગલાં લેવાની જરૂર છે.

યોગી આદિત્યનાથની આગેવાની વાળા ઉત્તર પ્રદેશ આગળ છે. રાજ્યના રસ્તાઓ પરના ખાડાના સંદર્ભમાં ૯૮૭ જણે જાન ગુમાવ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. બીજો નંબર મહારાષ્ટ્રનો છે મહારાષ્ટ્રમાં મોતની સંખ્યા ૭૨૬ છે. એમાં જો આ વર્ષના પૂરને લીધે થયેલાં મોતની સંખ્યા ફડણવીસ સરકારની આંખ ખોલનારી છે.સરકારી યંત્રણા લોકો માટે સારા રસ્તાની મૂળભૂત સગવડ આપતી વખતે કરદાતાના નાણાંના વપરાશ માટે સરકારે અપનાવેલા અભિગમ છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં હરિયાણા અને ગુજરાતનું નામ ટોચ પર છે. હરિયાણામાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલાં મોતની સંખ્યા ૫૨૨ હતી. દરમિયાન, દિલ્હીમાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલી જાનહાનિની સંખ્યા આઠ હતી. રસ્તાના બાંધકામ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૦૧૬માં ૩,૮૭૮ પરથી વધીને ગયા વર્ષે ૪,૨૫૦ જેટલી હતી.

July 14, 2018
bdb.jpg
1min10760

ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં ચાલતા આશરે 2000 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગના રૅકેટનો ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ પર્દાફાશ કર્યો હતો અને આ સંબંધે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. ડીઆરઆઇને તાજેતરમાં ટિપ મળી હતી , જેના આધારે તેમણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલા બીડીબીમાં છટકું ગોઠવ્યું હતું અને 156 કરોડ રૂપિયાની જાહેર કિંમત ધરાવતા નિમ્ન કક્ષાના રફ ડાયમંડના ક્ધસાઇન્મેન્ટને આંતર્યું હતું. આ હીરાની પુન:આંકણીમાં તેની કિંમત 1.2 કરોડ રૂપિયા જ જાણવા મળી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ હીરા ઊતરતી અને હલકી કક્ષાના હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોંગકોંગ અને દુબઇમાંથી નિકાસકારો સાથે સાંઠગાઠ કરીને રફ ડાયમંડ્સ આયાત કરવામાં આવે છે અને તેને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા તેમ પેપર પર બતાવવામાં આવે છે.

આ સંદર્ભે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દસેક લાખ રૂપિયાની રોકડ, 2.2 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક બુક્સ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ચારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ ડાયમંડ વેલ્યુઅર્સની પેનલના સભ્યોની સાઠગાઠથી આવા કાળાધોળા કરતા હતા.

ડાયમંડ બુર્સના આગેવાનોએ જણાવ્યું કે ઉદ્યોગ ઘણો નાનો છે. લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. ધરપકડ કરાયેલા વેલ્યુઅર્સ વિશે અમે ક્યારેય સાંભળ્યું જ નથી અને તેઓ કેવી રીતે વેલ્યુએશન કરતા હતા તેની પણ અમને જાણ નથી. આ બહુ નવાઇની વાત છે. જોકે એકાદ બે દિવસમાં આ આખી બાબત સ્પષ્ટ થઇ જશે. અમને તપાસકર્તા એજન્સી અને સરકાર પર પૂરો વિશ્ર્વાસ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આવા બનાવો રોકવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સરકારને વેલ્યુઅર્સ માટે એકમાત્ર અપ્રુવિંગ એજન્સી બનવા જણાવી રહી છે.

July 13, 2018
fakfb.jpg
1min14160

ફેસબુક ફેક ન્યુઝ અને ફેક વસ્તુઓ પોસ્ટ કરતી ફેક આઇડી પ્રોફાઇલને ઓળખી શકાય તે માટે નવું ફિચર વિકસાવી રહ્યું છે અને એના આધારે તેઓ ફેસબુક ‘ફેક લીંક્સ’ની ઓળખ કરીને ફેક ન્યૂઝ અને અફવાઓના ફેલાવાને કાબૂમાં લેવા કોશિશ કરશે.

અમેરિકન મિડીયાના અહેવાલો મુજબ આ નવા ફીચરથી અજાણ્યા નંબરથી મેસેન્જર પર આવનાર મેસેજની ઓળખ કરશે અને એ અંગે યુઝર્સને વધુમાં વધુ જાણકારી આપશે. જેમકે એ એકાઉન્ટ ક્યારે બન્યું?, એ એકાઉન્ટનો કયા દેશમાં ઉપયોગ થઈ રહ્યો છે?, શું એ ફેસબુક એકાઉન્ટ ધરાવે છે? કે પછી ફક્ત ફોન નંબર જ છે? જેવા સવાલો તેમાં આવરી લેવાયા છે.

ફેસબુકે પણ વ્હોટ્સ એપની જેમ હવે ફેક ન્યૂઝ અને બોગસ પ્રોફાઈલ ધરાવતા લોકો પર સકંજો મજબૂત બનાવ્યો છે. ફેસબુકે ‘ફેક એકાઉન્ટ’ પર સકંજો કસવા એક નવા ફીચરનો ટેસ્ટ શરુ કરી દીધો છે. જેના દ્વારા એ સરળતાથી ઓળખી શકાશે કે મેસેન્જર પર મોકલાતા મેસેજ ફેક એકાઉન્ટ પરથી મોકલાઈ રહ્યાં છે કે સાચા એકાઉન્ટ માંથી?

આ સિવાય ફેસબુક એ પણ માહિતી આપશે કે જે વ્યક્તિ તમારો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે, એના નામનો તમારા કોઈ ફેસબુકના નામ સાથે મેળ બેસે છે પરંતુ વાસ્તવમાં મેસેજ એ એકાઉન્ટથી આવી રહ્યો નથી. આ ફીચર અંગે મેસેન્જર ટીમ સાથે સંકળાયેલા ડાલ્યા બ્રાઉને જણાવ્યું કે,‘અમે એક એવા ફીચરનો ટેસ્ટ કરી રહ્યાં છીએ જે અમારા યુઝર્સને અજાણ્યા લોકો દ્વારા મળતા મેસેજ અંગે પૂરેપૂરી જાણકારી આપશે.’

July 13, 2018
nalinkotadia1.jpg
1min13520

બીટકોઇનના કરોડોના કૌભાંડમાં પોલીસની ધરપકડથી નાસતા ફરતા આરોપી એવા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને આ કેસમાં કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેનું જાહેરનામું આજે ગુજરાતના વિવિધ અખબારોમાં રાજ્યના માહિતી ખાતા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે સી.આઇ.ડી. ક્રાઇમ તપાસ હેઠળના ગાંધીનગર ઝોન પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 02-2018ના કેસમાં સંડોવાયેલા આરોપી નલીન કોટડીયા વિરુદ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ 82 મુજબ નામદાર સિટી સેસન્સ કોર્ટ, નવરંગપુરા, અમદાવાદ દ્વારા કોર્ટ સમક્ષ હાજર રહેવા માટે જાહેરનામું પ્રગટ કર્યું છે.

July 9, 2018
munna.jpg
1min14690
ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં અંડરવર્લ્ડ ડૉન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની જેલમાં જ ગોળી મારી હત્યા કરાતાં ઉત્તર પ્રદેશ જેલ પ્રશાસનથી લઇને લખનૌના પોલીસ અધિકારીઓમાં સન્નાટો મચી ગયો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આજે તા.9મી જુલાઇને સોમવારે સવારે 5.30 વાગ્યે જેલ ખૂલ્યા બાદ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા કરવામાં આવી હતી. મુન્ના બંજરગીની પત્નીએ 29 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી જેલમાં મુન્ના બંજરગીની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. એ આશંકા સાચી ઠરી છે. સૌથી વધુ સવાલો જેલ પ્રસાશકો સામે જ ઉઠી રહ્યા છે.
આજરોજ તા.9મી જુલાઇએ પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિતથી રંગદારી માંગવાના આરોપમાં બાગપત કોર્ટમાં મુન્ના બજરંગી હાજર થવાનો હતો. મુન્ના બજરંગીને રવિવારે ઝાંસી જેલથી બાગપત લાવવામાં આવ્યો હતો. તેણે તન્હાઈ બેરકમાં કુખ્યાત સુનીલ રાઠી અને વિક્કી સુંહેડાની સાથે રાખવામાં આવ્યો હતો.
સોમવાર તા.9મી જુલાઇએ મુન્ના બજરંગી કોર્ટમાં હાજર થવાનો હતો
મુન્ના બજરંગીનું અસલી નામ પ્રેમ પ્રકાશ સિંહ છે. તેનો જન્મ 1967માં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના પુરેદયાલ ગાંમમાં થયો હતો. તેના પિતા પારસનાથ સિંહ તેણે ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવાના સપના જોયા હતા. પરંતુ પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીએ પિતાના સપનાઓને ચકનાચુર કરી દીધા હતા. મુન્ના બજરંગીએ પાંચમા ધોરણમાં અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું. કિશોર અવસ્થા સુધી પહોંચતા તેણે એવા ઘણા શોખ લાગી ગયા જેના કારણે ગુનાઓની દુનિયામાં આવવા પૂરતા હતા.
July 3, 2018
1min13260

ગુજરાતમાં દારૂબંધી હોવાથી યુવાનો હવે કફ સિરપથી નશો કરવાના વ્યસની બનતા જાય છે. નશાની ચીજવસ્તુઓ ના મળતાં વિવિધ પદ્ધતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. હવે યુવાધને દવાની દુકાને આસાનીથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

એનસીબી (નાકોર્ટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની ટીમે દવાની દુકાનોમાં આસાનીથી વેચાતી કફ સિરપનો જથ્થો અમદાવાદ, સાણંદ અને પાટણથી જપ્ત કર્યો છે. એનસીબીની ટીમે 46 લાખ રૂપિયાની 42 હજાર કફ સિરપની બોટલો જપ્ત કરી છે, જેમાં અફીણનું પ્રમાણ વધારે છે, જેનો યુવાધન નશા માટે ઉપયોગ કરતા હતા.

એનસીબી અને એફડીએને છેલ્લા બે દિવસમાં કફ સિરપનો મોટો જથ્થો અમદાવાદ, પાટણ અને સાણંદ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે બન્ને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને અમદાવાદ અને પાટણથી 46 લાખની 42 હજાર કફ સિરપની બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.