CIA ALERT

બિઝનેસ Archives - Page 6 of 83 - CIA Live

September 18, 2024
funding-drop.jpg
1min129

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો

સ્ટાર્ટઅપ ફંડિંગ એક વર્ષના નવા તળિયે

કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલ સર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.

સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે.

ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે. ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા.

લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા, જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.

એક્ઝિટની વાત કરીએ તો વેન્ચર કેપિટલો આ વર્ષે જૂન સુધી ૩૦ એક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે, જેનું સંયુક્ત મૂલ્ય ૧.૨ અબજ ડોલર રહ્યું છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૧૦૫ એક્ઝિટ ડીલમાં કુલ ૪.૮ અબજ ડોલર પરત ખેંચાયા હતા તેમ પિચબુકના ડેટા જણાવે છે.

August 27, 2024
gold-silver.jpeg
1min121

સોના-ચાંદીમાં ૨૦૨૪ના આરંભથી તેજીનો ધમધમાટ ચાલુ થયો છે જે હજી ચાલુ છે. ખાસ કરીને સોનાના ભાવ ૨૦૨૪ના આરંભથી અનેક વખત નવી ટોચે પહોંચ્યા છે અને ૨૦૨૪માં જાણે કે સોનાની નવી ટોચની હારમાળા સર્જાઈ હતી. ૨૦૨૩ના છેલ્લા મહિનાઓમાં અનેક ઍનલિસ્ટોએ અને રિસર્ચ એજન્સીઓએ ૨૦૨૪માં મોટી તેજીની આગાહી કરી હતી અને આ તમામ આગાહીઓ સાચી પડી છે. ૨૦૨૪ના આરંભથી સોનું-ચાંદી સતત વધતાં રહ્યાં છે. અમેરિકન રિઝર્વ બૅન્ક ફેડ ૨૦૨૪માં રેટ-કટ લાવશે એવી ધારણાઓને આધારે આ તેજી એકધારી આગળ વધી રહી છે. નવાઈની વાત એ છે કે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩માં ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે જાહેરાત કરી હતી કે ૨૦૨૪માં અમે ત્રણ રેટ-કટ લાવીશું, પણ ૨૦૨૪ના આઠ મહિના પૂરા થઈ ચૂક્યા છે ત્યાં સુધી ફેડ દ્વારા એક પણ રેટ-કટ આવ્યો નથી. હવે ૧૮-૧૯ સપ્ટેમ્બરે ફેડની મીટિંગ મળવાની છે એમાં પહેલો રેટ-કટ આવવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે ૨૦૨૩ના અંતથી રેટ-કટની માત્ર ધારણાને આધારે સતત આગળ વધેલી તેજી વાસ્તવિક રેટ-કટની જાહેરાત બાદ આગળ વધશે કે તેજી પૂરી થશે?

સોનામાં તેજીનાં નવાં કારણોના અભાવે સતત બીજે દિવસે પ્રત્યાઘાતી ઘટાડોસોનામાં તેજીનાં નવાં કારણોના અભાવે સતત બીજે દિવસે પ્રત્યાઘાતી ઘટાડો

નાનપણમાં આપણે બધાએ એ કહેવત સાંભળી છે કે ગામડામાં વાઘ આવ્યો રે વાઘ એવું વારંવાર કહીને ગામડાના લોકોને ડરાવનાર જ્યારે વાસ્તવિક વાઘ આવ્યો ત્યારે ચેતવણી આપવાનું ચૂકી ગયો અને વાઘે તેનું કામ પૂરું કરી નાખ્યું. અમેરિકાના રેટ-કટની કહાની પણ વાઘ આવ્યો રે વાઘ જેવી છે. ૨૦૨૩ના ઑક્ટોબરમાં સૌપ્રથમ રેટ-કટની શક્યતા વિશે બજારમાં ચર્ચા શરૂ થઈ હતી ત્યારે વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૧૮૧૯ ડૉલર હતો. રેટ-કટની ચર્ચા વચ્ચે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩માં ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલે જાહેરાત કરી હતી કે ૨૦૨૪માં ત્રણ રેટ-કટ આવશે. જોકે આવી જાહેરાત થશે એ ધારણાથી નવેમ્બરમાં વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૨૦૦૦ ડૉલરની સપાટી પાર કરી લીધી હતી અને ડિસેમ્બર એન્ડ સુધીમાં સોનાનો ભાવ ૨૦૬૨ ડૉલર સુધી વધ્યો હતો. ૨૦૨૪માં ફેડ ત્રણ રેટ-કટ લાવશે એવી જાહેરાત થઈ ચૂકી હોવાથી માર્ચમાં પહેલો રેટ-કટ આવશે એવી માત્ર ધારણાથી સોનું વધીને ૨૨૧૦ ડૉલરે પહોંચી ગયું હતું. ત્યાર બાદ ફેડ જૂનમાં રેટ-કટ લાવશે એવી વાતો થવા લાગતાં એપ્રિલના બીજા સપ્તાહે સોનાએ ૨૪૦૦ ડૉલરની સપાટી વટાવી દીધી હતી. જૂનની ફેડની મીટિંગમાં રેટ-કટ આવ્યો નહોતો, પણ સપ્ટેમ્બરમાં રેટ-કટ આવશે એવી ધારણાથી ફરી સોનું વધવા લાગ્યું હતું અને સોનું વધીને ૨૫૩૧ ડૉલરની નવી ઊંચી સપાટીએ તાજેતરમાં પહોચ્યું હતું. હવે સપ્ટેમ્બરમાં રેટ-કટ નિશ્ચિત મનાઈ રહ્યો છે, પણ માત્ર રેટ-કટની ધારણાની વાતોથી સોનું ૧૮૧૯ ડૉલરથી ૨૫૩૧ ડૉલર સુધી પહોંચી ગયું છે ત્યારે રેટ-કટની ઑલરેડી અસર થઈ ચૂકી છે. હવે જ્યારે વાસ્તવિક રેટ-કટ આવશે ત્યારે સોનામાં વધુ તેજી થવાની જગ્યા બચી છે ખરી? ઍનલિસ્ટોના મતે સોનામાં રેટ-કટની અસર ઑલરેડી થઈ ચૂકી હોવાથી રેટ-કટની જાહેરાત બાદ સોનું ઘટશે અને એની પાછળ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળશે.

ભારતીય માર્કેટમાં મૂવમેન્ટ

વિશ્વમાં ભારત સોના અને ચાંદીનું બીજા ક્રમનું સૌથી મોટું આયાતકાર હોવાથી વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવની દરેક મૂવમેન્ટની અહીં તરત જ અસર પડે છે. ફેડ દ્વારા રેટ-કટ આવવાની વાતો શરૂ થઈ ત્યાર પહેલાં સોનાનો ભાવ લોકલ માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ ૫૯૮૯૨ રૂપિયા હતો. જેવી રેટ-કટની ચર્ચા શરૂ થઈ કે તરત વિશ્વબજારમાં પણ ભાવ વધતાં એની અસરે સોનું લોકલ માર્કેટમાં વધીને ડિસેમ્બરના અંતે ૬૩,૨૪૬ થઈ ચૂક્યું હતું. માત્ર રેટ-કટની વાતોથી જ ૨૦૨૩ના છેલ્લા બે મહિનામાં સોનાનો ભાવ ૩૪૦૦ રૂપિયા વધી ચૂક્યો હતો. વિશ્વ બજારમાં રેટ-કટ આવશે એવી વાતોને પગલે ૨૦૨૪ના ચાર મહિનામાં લોકલ માર્કેટમાં સોનું ૬૩,૨૪૬ રૂપિયાથી વધીને એપ્રિલ સુધીમાં ૭૩,૧૭૪ રૂપિયા સુધી વધી ગયું. માત્ર ચાર મહિનામાં ભારતીય માર્કેટમાં સોનાના ભાવ ઑલમોસ્ટ ૧૦ હજાર રૂપિયા વધી ગયા હતા. રેટ-કટની શક્યતાઓની ચર્ચા વચ્ચે સોનું આગળના ચાર મહિનામાં વધુ ૮૦૦થી ૯૦૦ વધીને ઑલમોસ્ટ ૭૪,૦૦૦ રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયું હતું. બજેટમાં ભારત સરકારે સોના-ચાંદીની આયાત ડ્યુટી ઘટાડતાં સોનું ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયા ઘટી ગયું હતું, પણ સપ્ટેમ્બરમાં ફેડ રેટ-કટ લાવશે એવી શક્યતાએ બજેટની અસર પૂરી થયા બાદ સોનું ફરી ઉપર જઈ રહ્યું છે. સોનાનો ભાવ માત્ર રેટ-કટની ધારણાથી છેલ્લા દસ મહિનામાં ૧૪ હજાર રૂપિયા વધી ગયું છે. ચાંદીમાં પણ આવી જ ચાલ જોવા મળી હતી. નવેમ્બર ૨૦૨૩માં ચાંદી પ્રતિ કિલો ૬૯,૪૦૦ રૂપિયા હતી એ ૨૦૨૩ના છેલ્લા બે મહિનામાં વધીને ૭૩,૩૯૫ રૂપિયા થયા બાદ ૨૦૨૪માં માત્ર રેટ-કટની વાતોથી જુલાઈ સુધીમાં ૯૨,૨૦૪ રૂપિયા થઈ હતી. માત્ર રેટ-કટની ધારણાથી જ ભારતીય માર્કેટમાં ચાંદીમાં ઑલમોસ્ટ બાવીસ હજાર રૂપિયાની તેજી થઈ ચૂકી છે.

સોના-ચાંદીના ભાવ એક લાખ રૂપિયા થશે ખરા?

૨૦૨૪ના આરંભથી સોના-ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે એની ગતિ અને રેટ-કટ, જિયોપૉલિટિકલ ટેન્શન, અમેરિકાની પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં સત્તાપલટો અને વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદીનો પ્રવાહ જોતાં આખા વર્લ્ડના ઍનલિસ્ટો સોના-ચાંદીમાં વધુ તેજીની આગાહી કરી રહ્યા છે. સોનું વધીને ૨૭૦૦થી ૨૯૦૦ ડૉલર અને ચાંદી વધીને ૩૯ ડૉલર થવાની આગાહીઓ થઈ રહી છે. જો આ આગાહી સાચી પડે તો ભારતમાં સોના અને ચાંદી બન્નેનો ભાવ એક લાખ રૂપિયાથી પણ ઉપર જવાની શક્યતા છે, પણ સોનાનો ભાવ હાલ લોકલ માર્કેટમાં પ્રતિ ૧૦ ગ્રામ ૭૧,૪૨૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૪,૬૧૫ રૂપિયા છે. કેટલાક ઍનલિસ્ટો સોના-ચાંદીમાં તેજી પૂરી થયાનો સંકેત આપે છે અને કેટલાક હજી વધુ તેજીની આગાહી કરી રહ્યા છે ત્યારે કોની આગાહી સાચી માનવી એ મોટો પ્રશ્ન છે, પણ ફેડ સપ્ટેમ્બરમાં રેટ-કટ લાવવાની જાહેરાત કરે ત્યાર બાદના એક મહિનાની સોના-ચાંદીની મૂવમેન્ટ નવી તેજી-મંદીનો સ્પષ્ટ સંકેત આપશે.

August 17, 2024
madhabi-booch.png
1min161

સેબીના ચીફ માધબી પુરી બુચ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે. હાલમાં જ હિંડનબર્ગના અહેવાલ બાદથી માધબી પુરી બુચ પર અતિગંભીર આરોપ લાગી રહ્યા છે. તેમના પર અદાણી સાથે સાંઠગાંઠનો આરોપ છે. વિપક્ષ દ્વારા સેબી ચીફના રાજીનામાંની માંગ કરવામાં આવી છે ત્યાં વધુ એક રિપોર્ટમાં નવા ધડાકાના કારણે માધબી પુરી બુચની મુશ્કેલીઓ વધી છે.

માધબી પુરી બુચ પર આરોપ છે કે સેબીમાં જોડાયા બાદ પણ તેઓ પોતાની કન્સલ્ટન્સી ફર્મથી નફાની કમાણી કરી રહ્યા હતા. રોયટર્સના અહેવાલમાં આ ગંભીર ખુલાસો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2017માં માધબી સેબીમાં જોડાયા હતા અને 2022માં તેમને સેબીના ચીફ બનાવવામાં આવ્યા હતા.

અગોરા એડવાઇઝરી દ્વારા કરી કમાણી

રૉયટર્સના રિપોર્ટ અનુસાર કંપની રજીસ્ટ્રાર પ્રમાણે અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડે છેલ્લા સાત વર્ષમાં 4,42,025 ડોલરની કમાણી કરી છે. આ એ જ કંપની છે જેમાં 99 ટકા ભાગીદારી માધબી પુરી બુચની છે. આમ માધબી જ્યારે સેબીમાં હતા ત્યારે પણ તેઓ પોતાની ફર્મથી કમાણી કરી રહ્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે.

શું કહે છે સેબીનો નિયમ

સેબીના 2008ના નિયમો અનુસાર કોઈ પણ અધિકારી એવી પોસ્ટ હોલ્ડ ન કરી શકે જેનાથી તેમને નફો તહતો હોય, અથવા સેલેરી મળતી હોય. હિંડનબર્ગે જ્યારે માધબીની કંપની તથા અદાણી વચ્ચે લિન્કનો દાવો કર્યો ત્યારે માધબીએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે અમે કન્સલ્ટન્સી ફર્મની જાણકારી સેબીને આપી જ હતી તથા 2019થી તેમના પતિ આ બિઝનેસ સંભાળી રહ્યા છે.

હિંડનબર્ગના રિપોર્ટમાં બે કન્સલ્ટન્સી ફર્મની વાત કરવામાં આવી હતી. સિંગાપોરની આગોરા પાર્ટનર્સ તથા ભારતની અગોરા એડવાઇઝરીનું સંચાલન માધબી પુરી બુચ અને તેમના પતિ કરી રહ્યા હતા. માધબીએ અગોરા પાર્ટનર્સમાંથી પોતાની ભાગીદારી પતિને 2022માં ટ્રાન્સફર કરી હતી.

August 15, 2024
SBI.jpg
1min219

ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ સ્વતંત્રતા દિવસના દિવસે કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. SBIએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ(MCLR)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે. નવા દરો આજે ગુરુવાર, 15 ઓગસ્ટ, 2024થી લાગુ થઇ ગયા છે.

MCLRએ રેટ છે જેની નીચે બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી. MCLR વધારવાના નિર્ણય બાદ ગ્રાહકોની હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી અનેક પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. જેને કારણે પહેલેથી મોંઘવારી વચ્ચે પીસાતા લોકોને ફટકો પડ્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઓવરનાઈટ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને તે 8.10 ટકાથી વધીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. એક મહિનાનો MCLR 8.35 ટકાથી વધીને 8.45 ટકા થયો છે. ત્રણ મહિનાનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા થયો છે. છ મહિનાનો MCLR 8.75 ટકાથી વધીને 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.85 ટકાથી વધીને 8.95 ટકા થયો છે. બે વર્ષનો MCLR 8.95 ટકાથી વધીને 9.05 ટકા અને ત્રણ વર્ષનો MCLR 9.00 ટકાથી વધીને 9.10 ટકા થયો છે.

સસ્તી લોનની અપેક્ષા રાખતા કરોડો ગ્રાહકોને SBI તરફથી સતત ઝટકા મળી રહ્યા છે. જૂન 2024 થી બેંકે તેના વ્યાજ દરોમાં કુલ ત્રણ વખત વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમુક મુદત માટેના વ્યાજ દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે રિઝર્વ બેંકની તાજેતરમાં મળેલી MPC બેઠકમાં સતત 9મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

એસબીઆઈ ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાએ પણ તાજેતરમાં તેમના MCLR માં વધારો કર્યો હતો. કેનેરા બેંકે તેના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકના નવા દરો 12 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે. આ સિવાય યુકો બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને નવા વ્યાજ દરો 10 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ પણ તેના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકના નવા દરો 12મી ઓગસ્ટ 2024 એટલે કે સોમવારથી અમલમાં આવ્યા છે.

August 11, 2024
yarn-expo-2024-1280x853.jpeg
4min153

Reported on 10th August 2024

SGCCIના ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાયર્સનો પ્રતિસાદ મળ્યો : યુરોપ, દુબઇ અને કેન્યાથી વિઝીટર્સ આવ્યા

વિશ્વના ત્રણ દેશો ઉપરાંત ભારતના વિવિધ શહેરોમાંથી બે દિવસ દરમ્યાન ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લઇ વિવિધ યાર્નની જાણકારી પ્રાપ્ત કરી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શન યોજાયું છે. બે દિવસ દરમ્યાન ભારતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય દેશોમાંથી કુલ ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પો– ર૦ર૪માં દેશભરના ૯ર યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવ્યા છે અને યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરી રહયા છે. ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન થઇ રહયું છે. એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પણ પ્રદર્શિત કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ એકઝીબીશનમાં જોવા મળી રહયા છે.

ગઇકાલે પ્રથમ દિવસે જ યુરોપ, દુબઇ અને કેન્યા દેશમાંથી જેન્યુન બાયર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી અને સ્પેશ્યાલિટી ઉપરાંત વિવિધ યાર્નની માહિતી મેળવી યાર્ન ઉત્પાદકો પાસેથી યાર્ન ખરીદવા માટે ઓડર્સ પણ આપ્યા હતા.

આ ઉપરાંત ભારતના ટેક્ષ્ટાઇલ બેલ્ટ ગણાતા તિરૂપુર, વારાણસી, લુધિયાના, પાનીપત, સેલમ, મઉ (ઉત્તર પ્રદેશ) અને નવાપુર ઉપરાંત સોલાપુર, દિલ્હી, વાંકાનેર, ગુડગાડ, જેતપુર, બેંગ્લોર, અજમેર, ઇરોડ, કોલકાતા, કોઇમ્બતુર, ઇચ્છલકરંજી, પંજાબ, ગ્રેટર નોઇડા, હૈદરાબાદ, જયપુર, જુનાગઢ, રાજકોટ, સિલવાસા, વાપી, વ્યારા, પૂણે અને નાશિકથી યાર્નના જેન્યુન બાયર્સ તેમજ વિઝીટર્સ યાર્ન એક્ષ્પોની મુલાકાતે આવ્યા હતા. યાર્ન એક્ષ્પોમાં પ્રથમ દિવસે ૪૬૦૦ અને આજે બીજા દિવસે ૭૯પ૦ વિઝીટર્સ નોંધાયા હતા.

Reported on 9th August 2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

યાર્ન એક્ષ્પો વિશ્વમાં ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ‘આત્મનિર્ભર ભારત’નું સપનું સુરતથી જ સાકાર થશે : રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથ

આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે : કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. યાર્ન પ્રદર્શનનો આજથી ત્રણ દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે.

શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યાર્ન એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્‌ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથજી ઉપસ્થિત રહયા હતા. જ્યારે સાંજુ પ્રિન્ટ્‌સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી સાંવર રાજકુમાર બુધિયા અને કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ મહેમાનોના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ યાર્ન એક્ષ્પોમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી ૯ર યાર્ન ઉત્પાદકોએ ભાગ લીધો છે ત્યારે યાર્ન એક્ષ્પોથી ચોક્કસ નવા પરિમાણો પ્રાપ્ત થશે તેની મને ખાત્રી છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનાવવા સંકલ્પ લીધો છે. વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેના માટે વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપી શકે તેમ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એ વિશ્વમાં તમારી ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે. ભારતના કાપડ ઉદ્યોગનો વિકાસ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી જ સાકાર થશે. તેમણે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ પ્રોડકટ બનાવવા માટે ભારતમાં બેસ્ટ ટેકનોલોજી અને બેસ્ટ ટેલેન્ટ ઉપલબ્ધ છે.

તેમણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્લોબલ સિનારીયો ઉદ્યોગ સાહસિકો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ કાપડની ખપત ૧૦૪ મિલિયન મેટ્રીક ટન છે, જેમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનનો વધારો થવાની સંભાવના છે. મેન મેઇડ ફાયબરનો હિસ્સો ૭૮ મિલિયન મેટ્રીક ટનનો છે, જે ૧૦૬ મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચવાની સંભાવના છે. મેન મેઇડ ફેબ્રિકમાં પોલિએસ્ટરની વાત કરીએ તો એની ખપત અત્યારે પ૮ મિલિયન મેટ્રીક ટન છે, જે ૮૧ મિલિયન મેટ્રીક ટન સુધી જવાની સંભાવના છે. જ્યારે અન્ય મેન મેઇડ ફેબ્રિકમાં વિસ્કોસ અને નાયલોનની ખપતમાં ર૦થી રપ મિલિયન મેટ્રીક ટન સુધીના ગ્રોથની સંભાવના છે.

હાલમાં વૈશ્વિક જનસંખ્યા ૭.૭ બિલિયન છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં અંદાજે ૮.પ બિલિયન થઈ શકે છે. વૈશ્વિક માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૧૪.૩ કિ.ગ્રા. છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં ૧૬.૬ કિ.ગ્રા. થવાની સંભાવના છે. ભારતમાં માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૬ કિ.ગ્રા. છે. તેમણે કહયું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં મેન મેઇડ ફેબ્રિકમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનની જે ગ્રોથ દેખાઇ રહી છે એને પહોંચી વળવા માટે પોલિએસ્ટરમાં ર૩ મિલિયન મેટ્રીક ટનની ગ્રોથ લાવવી પડશે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો માટે આ સોનેરી તક છે, જેને ઉદ્યોગકારોએ ઝડપવી જોઇએ અને એમાં ખૂબ ઝડપથી આગળ વધવું જોઇએ. ઉદ્યોગકારોએ સુરત બ્રાન્ડ બનાવવી પડશે. ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ મેન મેઇડ ફેબ્રિકમાં જ જવું પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યાર્ન એક્ષ્પોની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સને શુભેચ્છા આપી હતી.

યાર્ન એક્ષ્પો– ર૦ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને પોલિએસ્ટર યાર્નની ખપત ૧.પ લાખ મેટ્રીક ટન થાય છે. દર મહિને કોટનની ખપત ૩૦૦૦ મેટ્રીક ટન છે. નાયલોન યાર્નની ખપત વર્ષ ર૦૦૯માં ૩૦૦૦ મેટ્રીક ટન હતી, જે આજે વધીને ૯૦૦૦ મેટ્રીક ટન થઇ ગઇ છે. વિસ્કોસ ફિલામેન્ટની ખપત દર મહિને ૧ર૦૦૦ મેટ્રીક ટન થઇ રહી છે. ગત વર્ષે રૂપિયા ૧૯૦૦ કરોડનું યાર્ન સુરતથી એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ યાર્ન એક્ષ્પોના ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, યાર્ન એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી ઉમેશ ક્રિષ્ણાની, શ્રી કિરણ ઠુમ્મર, શ્રી અશોક રાઠી અને શ્રી પ્રફુલ્લ શાહ તથા ચેમ્બરના પૂર્વ ચેરમેનો શ્રી નિલેશ માંડલેવાલા, શ્રી રૂપીન પચ્ચીગર, શ્રી અમરનાથ ડોરા, શ્રી આશીષ ગુજરાતી અને શ્રી હિમાંશુ બોડાવાલા તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

Reported on 7 August 2024

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૯થી ૧૧ ઓગષ્ટ દરમ્યાન ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે

યાર્ન એક્ષ્પોમાં સિલ્ક રિપ્લેસમેન્ટ કપડું બનાવવા, સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં ઉપયોગમાં લેવાતા સ્પેશ્યલ યાર્નનું પ્રદર્શન કરાશે

દેશભરમાંથી ૯ર એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯ર એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, તમિલનાડુ (નમખલ અને કરૂર શહેર), જયપુર, બેંગ્લોર, પાનીપત (હરિયાણા), ચેન્નાઇ અને અને કર્ણાટકાના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી રોહિત કંસલ (IAS) ઉપસ્થિત રહેશે. ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી પ્રાજક્તા વર્મા (IAS), ડાયરેકટર શ્રી અનિલ કુમાર (IRS) અને એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે. આ ઉપરાંત અમેરિકા અને ટરકી ખાતેથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવવાની સંભાવના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પો– ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડા અને કો–ચેરમેન શ્રી ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

સુરત ઉપરાંત દેશના ૧૦૦થી પણ વધુ શહેરોથી બાયર્સ – વિઝીટર્સ એક્ષ્પોની મુલાકાતે આવશે
યાર્ન એક્ષ્પો– ર૪ના કો–ચેરમેનો શ્રી પ્રફુલ્લ શાહ, શ્રી કિરણ ઠુમ્મર અને શ્રી અશોક રાઠીએ જણાવ્યું હતું કે, સુરત ઉપરાંત અમદાવાદ, માલેગાવ, હૈદરાબાદ, સિલવાસા, મદુરાઇ, ડીસા, મુંબઇ, વાપી, નવસારી, કોઝીકોડ, વારાણસી, દિલ્હી, કોઇમ્બતુર, ઠાણે, દમણ, વાંકાનેર, ભીલવાડા, સોલાપુર, અંકલેશ્વર, બુરહાનપુર, ઇચ્છલકરંજી, પુણે, ભીવંડી, બેંગ્લોર, જયપુર, ભદોઈ – ઉત્તર પ્રદેશ, નૈરોબી, ધુળે, આંધ્રપ્રદેશ, પાનીપત, બાલાસોર, ડોંબિવલી, કોલકાતા, બેંગ્લુરુ, તમિલનાડુ, લુધિયાના, કેરળ, કુમસી, ગુવાહાટી, હિન્દુપુર, નાગપુર, સોલાપુર, નવી દિલ્હી, ઇન્દોર, ગ્રેટર નોઇડા, જોધપુર, અજમેર, જબલપુર, ડિન્ડીગુલ, ઇરોડ, લુધિયાના, કરૂર – તમિલનાડુ, કોલ્હાપુર, કર્ણાટકા, કલ્યાણ, નમકકલ – તમિલનાડુ, અમૃતસર, જુનાગઢ, કાંબા, ઉલ્હાસનગર, વડનગર, નવાપુર, ઉદયપુર, શોલિંગુર – તમિલનાડુ, કોડા કંડલા – તેલંગાણા, રાજકોટ, કીમ, સાલેમ, ગુંટુર, જેતપુર, મહેસાણા, બોટાદ, સરીગામ, હિંમતનગર, મથુરા, માઉનાથ ભંજન – ઉત્તર પ્રદેશ અને યવતમાળથી બાયર્સ તેમજ વિઝીટર્સ દ્વારા યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે
યાર્નનું રો મટિરિયલ્સ પ્લાન્ટ, પ્રાણી અને મેન મેઇડ ફાયબરમાંથી મળે છે. પ્લાન્ટમાં કોટન, બામ્બુ, ફલેકસ, બનાના અને પાણીમાં રહેલી જળકુંભીમાંથી કુદરતી યાર્ન મળે છે. ઘેટા, ઊંટ, સસલા, લામા જેવા પ્રાણીઓના વાળમાંથી કુદરતી યાર્ન બને છે જેવા કે ઉન, અંગોરા, હેર, કકુનમાંથી સિલ્ક બનાવી શકાય છે. યાર્નના રો મટિરિયલ્સ મેળવવાના આ સ્ત્રોતોને એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે મુકવામાં આવશે. મેન મેડ યાર્ન બનાવવાની પ્રોસેસ જેમ કે મેલ્ટ સ્પિનિંગ, વેટ સ્પિનિંગ અને ડ્રાય સ્પિનિંગનો ડેમો પણ થીમ પેવેલિયનમાં મુકવામાં આવશે.

યાર્ન એક્ષ્પો દરમ્યાન ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) દ્વારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪ દરમ્યાન શનિવાર, તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે.

આ સેમિનારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી અસિમ પાન ‘Emerging Trends in Polyester by 2030’ વિષે, સેન્ચુરી એન્કા લિમિટેડના શ્રી સંજય મલ્હોત્રા ‘Emerging Trends in Nylon’ વિષે, મુંબઇના નિમ્બાર્ક ફેશન્સ લિમિટેડના શ્રી મહેશ માહેશ્વરી ‘Emerging Trends of Fancy Yarns’ વિષે, અદલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના શ્રી મહેન્દ્ર ઝડફીયા ‘Emerging Trends of Zari in Textile Industries – Shimmering into Textile Segment’ વિષે ટેક્ષટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપશે.

August 2, 2024
cia_gst.jpg
1min135

જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. જુલાઈનું જીએસટી કલેકશન ૧૦.૩ ટકા વધીને રુ. ૧.૮૨ લાખ કરોડ થયું છે, આ કલેકશન અત્યાર સુધીનું ત્રીજા નંબરનું સૌથી ઊંચુ કલેકશન છે. આમ એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં કુલ રુ. ૭.૩૯ લાખ કરોડનું જીએસટી કલેકશન થયું છે. આ કલેકશન એપ્રિલ ૨૦૨૪માં રુ. ૨.૧૦ લાખ કરોડ, એપ્રિલ ૨૦૨૩ના રુ. ૧.૮૭ લાખ કરોડ પછીનું ત્રીજા નંબરનું કલેકશન છે.

જુલાઈમાં કુલ રુ. ૧૬,૨૮૩ કરોડના રિફંડ પછી જોઈએ તો નેટ જીએસટી કલેકશન રુ. ૧.૬૬ લાખ કરોડ થયું છે. આમ તેમાં વાર્ષિક ધોરણે ૧૪.૪ ટકાનો વધારો થયો છે. જીએસટીની કુલ આવક રુ. ૧.૮૨ લાખ કરોડ થઈ તેમા આઇજીએસટી (ઇન્ટિગ્રેટેડ જીએસટી) પેટે રુ. ૯૬,૪૪૭ કરોડની આવક થઈ છે. તેનું કારણ કમ્પેન્સેશન સેસ પેટે રુ. ૧૨,૯૫૩ કરોડની થયેલી જંગી આવક છે. આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટી પેટે રુ. ૩૨,૩૮૬ કરોડ અને સ્ટેટ જીએસટી પેટે રુ. ૪૦,૨૮૯ કરોડની આવક થઈ છે.

સ્થાનિક પ્રવૃત્તિઓમાં વધારો થવાથી કર ટેક્સ પેટે આવક ૮.૯ ટકા વધી રુ. ૧.૩૪ લાખ કરોડ થઈ હતી. જ્યારે આયાતવેરા પેટે આવક ૧૪.૨ ટકા વધી રુ. ૪૮,૦૩૯ કરોડ થઈ હતી. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ મણિએ જણાવ્યું હતું કે કુલ જીએસટી આવકમાં ૧૦.૩ ટકા વધારો થયો છે, પરંતુ તે બાબત રસપ્રદ છે કે જીએસટી આવકમાં સ્થાનિક પુરવઠા કરતાં આયાત પેટે વધુ આવક થઈ છે. જૈને જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં તહેવારો આવવાના હોવાથી જીએસટી કલેકશનની આવકમાં ઉછાળો આવી શકે છે.

July 27, 2024
Cia_business_news-1280x936.jpg
1min164

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ઉદ્ઘાટન પ્રસંગ

આજરોજ તારીખ: 27 જુલાઈ, 2024 ના રોજ સુમુલ ડેરીના કેમ્પસમાં માસ્ટર શેફ પાસે આવેલ પાર્લર ખાતે અમુલ – સુમુલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વેન્ડીંગ મશીનું લોકાર્પણ સુમુલના ચેરમેન માનસિંહભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ , વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યો, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત તેમજ સુમુલ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરના માનવંતા ગ્રાહકોને અમુલ – સુમુલ દૂધ અને દૂધની બનાવટો 24 કલાક (24×7) મળી રહે તે હેતુથી ઓટોમેટીક મિલ્ક વેન્ડિંગ મશીન અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન એમ 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં અમુલ – સુમુલ બ્રાન્ડના દૂધ, છાસ, દહીં, લસ્સી, મીઠાઈ જેવી અમુલ અને સુમુલ પ્રોડક્ટ્સ મળી રહેશે.

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ફુલ્લિ ઓટોમેટીક છે, તેમજ જેમાં પેમેન્ટ પણ ડિજિટલ/ UPI થી થતું હોય, જે ગ્રાહકોને Any Time Milk ઉપલબ્ધ કરાવશે.

સ્થળ : સુમુલ ડેરી પાર્લર, માસ્ટર શેફ ની સામે

July 24, 2024
kbc-16.png
1min185
Kaun Banega Crorepati S 16' will be out soon! Here's where you can watch  Amitabh Bachchan's iconic quiz show -

અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 15’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટૅગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’

આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂ થયા બાદ જ ખબર પડશે.

July 23, 2024
budget-24.png
2min134

ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો, રૂ. 28,600 સુધીની બચત થઈ શકશે

નાણા મંત્રીનિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં મધ્યમવર્ગને રાહત આપી છે. સીતારમણે નવા ટેક્સ રેજિમને પ્રોત્સાહન આપતાં તેના ટેક્સ સ્લેબમાં ફેરફારો કર્યા છે. તેમજ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ રૂ. 25 હજાર સુધીનો વધારો કર્યો છે.

આ વખતના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 75000 કરાઈ છે. તે અંતર્ગત નવા કર માળખામાં રૂ. ત્રણ લાખ સુધીની આવક પર અગાઉની જેમ શૂન્ય ટેક્સ છે. જો કે, 5 ટકાના સ્લેબની આવકમાં ફેરફાર કર્યો છે. હવે 3થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ પહેલા રૂ. 6 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ભરવાનો આવતો હતો.

આ સિવાય રૂ. 10 લાખ સુધીની આવક 10 ટકા ટેક્સ લાગુ કરાયો છે. અગાઉ રૂ. 10 લાખની આવક ધરાવતા લોકો 15 ટકા ટેક્સ ચૂકવતા હતા. જો કે, હાઈ નેટવર્થ ધરાવતા વર્ગ અર્થાત 15 ટકા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ તેમને ડિડક્શનનો લાભ મળશે.

75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે

નવા કર માળખા પ્રમાણે, રૂ. ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવાતો હતો. જો કે, આટલી રકમ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લેતાં કરદાતાઓએ 7.75 લાખ સુધીની આવક પર 5 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે ટેક્સનું ભારણ ઘટાડવા સરકાર દ્વારા અપાતી છૂટછાટ. તેમાં વિવિધ ખર્ચ ઉપરાંત કરદાતા સીધો રૂ. 75 હજાર સુધીની કપાતનો લાભ લઈ શકે છે.

નવા ટેક્સ રેજિમમાં મધ્યમવર્ગને થશે બચત

નવા ટેક્સ રેજિમમાં કરાયેલા ફેરફારોના પગલે 5 ટકા ટેક્સ ચૂકવતાં કરદાતાને રૂ. 28600, 10 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 14300, 15 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 15600 તેમજ 20થી 30 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 18200નો લાભ થશે.

10.75 લાખની આવક પર થશે આટલો ફાયદો

જે કરદાતાની આવક રૂ. 10.75 લાખ હશે, તે અગાઉ રૂ. 66300 ટેક્સ ચૂકવતા. જો કે નવા કર માળખા હેઠળ 10 ટકા ટેક્સ રેટ સાથે રૂ. 52000 ચૂકવવા પડશે. એટલે કે તેમને રૂ. 14300નો લાભ થશે.

12.75 લાખની આવક પર મળશે 15600નો લાભ

રૂ. 10થી 12 લાખની આવક ધરાવતા કરદાતા માટે 15 ટકા ટેક્સ લાગુ કરાયો છે. જે કરદાતાની આવક રૂ. 12.75 લાખ હશે, તેમણે આ સ્લેબ હેઠળ ટેક્સ ચૂકવવાનો રહેશે, જે અગાઉના માળખા પ્રમાણે રૂ. 98,800 ચૂકવવાનો થતો હતો. એટલે કે આ આંકડો ઘટીને હવે રૂ. 83200 થશે, જેમાં કરદાતાઓને રૂ. 15600ની બચતન લાભ મળશે.

રૂ. 15.75 લાખ આવક પર રૂ. 18200નો લાભ

નવા ફેરફાર પ્રમાણે ચોથા સ્લેબ હેઠળ રૂ. 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈને રૂ. 15.75 લાખ સુધીની આવક પર ચૂકવવા પાત્ર ટેક્સ રૂ. 1,63,800 થાય છે. હવે આ આંકડો ઘટીને રૂ. 1,45,600 થશે. એટલે કે તેમાં રૂ. 18,200નો લાભ મળશે.

રૂ. 18.75 લાખની આવક પર પણ ટેક્સનો લાભ

આ રૂ. 18 લાખથી વધુ આવક પર ટેક્સેબલ આવક રૂ. 2,57,400 હતી. જે ઘટી 2,39,200 થશે. આમ આટલી આવક ધરાવનારાને રૂ. 18,200ની બચત થશે.

July 23, 2024
gjepc-logo.png
2min228
Budget 2024: GJEPC Hails Modi Government's Budget As Game Changer For Gems  and Jewellery Industry

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), જેમ્સ એન્ડ જ્વેલરી માટે ભારતની સર્વોચ્ચ વેપાર સંસ્થા GJEPC એ નાણા પ્રધાન શ્રીમતી Nirmala Sitaraman દ્વારા રજૂ કરાયેલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 3.0 સરકારના પ્રથમ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું. નિર્મલા સીતારમણ સાતમી ઐતિહાસિક વખત રજૂ કરેલું બજેટ સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટે ગેમ ચેન્જર તરીકે પુરવાર થશે.

જીજેઇપીસીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભારત હીરા કટીંગ અને પોલિશિંગ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે, જે દસ લાખથી વધુ કુશળ કામદારોને રોજગારી આપે છે. GJEPCએ જણાવ્યું હતું કે રફ ડાયમંડ ટ્રેડિંગ પર ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સલામત હાર્બર ટેક્સની જાહેરાતથી ભારતનો વિકાસ સૌથી મોટા રફ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર તરીકે જોવા મળશે કારણ કે તમામ વિદેશી માઇનિંગ કંપનીઓ હવે ભારતમાં ડાયમંડ કટિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સીધા રફ ડાયમંડનું વેચાણ વેપાર કરશે. આમ નાના ઉત્પાદકોને હીરાની હરાજીમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસની જરૂર વગર ડાયમંડ ખાણ કંપનીઓ પાસેથી સીધા ભારતમાં કાચા હીરાના જથ્થાની ખરીદીનો ઍક્સેસ મળશે.

GJEPC રફ હીરાના વેચાણ પર 2% ઇક્વલાઇઝેશન લેવી (EL)માંથી ડાયમંડ સેક્ટરને બાકાત રાખવાના નાણાંમત્રીના નિર્ણયને આવકારે છે. આ હીરા ઉદ્યોગમાં ભારતનું નેતૃત્વ જાળવી રાખવામાં અને ઓપરેશનલ ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. સામાન અથવા સેવાઓના ઈ-કોમર્સ સપ્લાય માટે વિચારણાના 2 ટકાના દરે ઇક્વલાઇઝેશન લેવી હવે 1લી ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી લાગુ થશે નહીં.

વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZs)માં હીરાના વેચાણ પરના કર વેરા નિયમોને સરળ બનાવવાની GJEPCની લાંબા સમયથી ચાલતી ભલામણને નાણાં મંત્રી દ્વારા સ્વીકારવામાં આવી છે અને અમારા હીરા ઉત્પાદકો દ્વારા રફ હીરાની ઓનલાઈન બિડિંગ માટે સમાનતા વસૂલાત નાબૂદ કરવામાં આવે છે તે ગેમ ચેન્જર છે.

GJEPC દેશમાં રફ હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓ માટે સલામત હાર્બર રેટ પ્રદાન કરવા અને સમાનીકરણ વસૂલાત નાબૂદ કરવાના સરકારના પ્રસ્તાવને આવકારે છે. આનાથી ભારત બેલ્જિયમ અને દુબઈ જેવા વૈશ્વિક વ્યાપારી કેન્દ્રો સાથે સમાન સ્તર પર આવશે. આ રત્ન અને ઝવેરાત ક્ષેત્રના વિકાસને વધુ પ્રોત્સાહન આપશે. સર્વોચ્ચ વેપાર સંસ્થા તરીકે, GJEPC તે જ માંગે છે અને આ બાબતે બજેટ પૂર્વે ઘણી ભલામણો કરી છે.

નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે SEZs દ્વારા સંચાલન કરવા માટે હકદાર એન્ટિટીઝના વિસ્તારને વિસ્તૃત કરશે. SEZ ની સ્થાપના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી કે રફ હીરાની પ્રાપ્તિમાં કાર્યક્ષમતા ઊભી કરીને વિદેશી હીરાની ખાણકામ કરતી કંપનીઓને આવા SEZs દ્વારા ભારતીય ઉત્પાદકોને તેમની પેદાશો સીધા વેચવાની મંજૂરી આપીને રફ હીરાની સરળ ઉપલબ્ધતા મળી શકે. બેલ્જિયમ અને દુબઈ જેવા દેશોમાં વેચાણની મંજૂરી છે, જ્યારે દુબઈમાં પ્રદર્શિત રફ હીરાના વેચાણ પર કોઈ સીધો કર નથી અને બેલ્જિયમમાં વેચાણ પર 0.187% ટર્નઓવર ટેક્સ છે. GJPEC એ જયપુરમાં રફ રત્ન માટે SEZ ની સ્થાપનાની દરખાસ્ત કરી છે. મુંબઈ અને સુરતમાં આ SEZ સાથે, કાચા માલની ઉપલબ્ધતાના નિર્ણાયક મુદ્દામાં ઘણી રાહત થશે.

GJEPC એ દેશમાં સોના અને કિંમતી ધાતુના દાગીનામાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિ વધારવા માટે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવાની નાણાં મંત્રીની દરખાસ્તને બિરદાવી છે. ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ સોના, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિત તેના કાચા માલ માટે આયાત પર ભારે આધાર રાખે છે. આ સામગ્રીને દેશમાં લાવવામાં આવે છે અને વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે તે પહેલાં તેને કટીંગ અને પોલિશ કરવામાં આવે છે અથવા ફિનિશ્ડ જ્વેલરીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સર્વોચ્ચ સંસ્થા તરીકે, GJEPC નિકાસને વધારવા માટે તેની પ્રી-બજેટ ભલામણોમાં આ ઘટાડાની માંગ કરી રહી હતી. સોના, ચાંદી અને પ્લેટિનમની ડ્યુટીમાં ઘટાડો સુનિશ્ચિત કરશે કે લગભગ રૂ. 982.16 કરોડ રિલીઝ થઈ શકે છે જેના પરિણામે નિકાસકારોના હાથમાં વધુ કાર્યકારી મૂડી આવશે. આ સ્થાનિક સ્તરે જ્વેલરીની વધેલી માંગને કારણે ઉત્પાદનના વિકાસમાં મદદ કરશે અને વધુ કાર્યકારી મૂડી (2 વર્ષના મધ્યમ ગાળામાં US$11 બિલિયનમાંથી ઓછામાં ઓછા US$2 બિલિયન) સાથે સોનાના આભૂષણોની અણઉપયોગી નિકાસ સંભવિતતાનો અહેસાસ થશે.

એફએમએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે કર માળખાને તર્કસંગત બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. જન વિશ્વાસ બિલનું સંસ્કરણ 2.0 વ્યવસાય કરવાની સરળતાને વધારશે.

જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં MSME અને કારીગરો/કારીગરો ઈ-કોમર્સ નિકાસ હબનો લાભ મેળવશે, જે એક છત નીચે વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓની સુવિધા માટે જાહેર ખાનગી ભાગીદારીમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે, આ હબ, સીમલેસ રેગ્યુલેટરી અને લોજિસ્ટિક માળખા હેઠળ, એક છત હેઠળ વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓને સુવિધા આપશે. કારીગરો અને કારીગરોને PM વિશ્વકર્મા, PM સ્વનિધિ, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવી યોજનાઓને આગળ વધારવાનો લાભ મળશે.

રાજ્ય સરકાર સાથે મળીને ઔદ્યોગિક પાર્કની સ્થાપના કાઉન્સિલ દ્વારા નવી મુંબઈમાં વિકસાવવામાં આવી રહેલા પાર્ક ઉપરાંત દેશભરમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કના વિકાસને પ્રોત્સાહન આપશે. ઔદ્યોગિક કામદારો માટે રહેઠાણ જેવા ડોર્મ સાથેના ભાડાના આવાસના સંદર્ભમાં એફએમની દરખાસ્ત PPP મોડમાં આવકાર્ય છે.

એફએમએ જણાવ્યું હતું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણો (FDIs) માટે નિયમો અને માન્યતા તેમના પ્રવાહને સરળ બનાવવા માટે સરળ બનાવવામાં આવશે. આ પગલાનો હેતુ વિદેશી રોકાણ માટે રૂપિયાના ઉપયોગને પ્રાથમિકતા આપવા અને પ્રોત્સાહન આપવાનો છે. એફએમના કેન્દ્રીય બજેટે દર્શાવ્યું હતું કે સરકાર ભારતીય રૂપિયાને વિશ્વની વૈકલ્પિક અનામત ચલણ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

MSMEs દ્વારા શ્રમ-સઘન ઉત્પાદન પર બજેટનો ભાર – જે રત્ન અને ઝવેરાત ઉદ્યોગનો 80% ભાગ ધરાવે છે – તેમને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ અને સ્પર્ધા કરવામાં મદદ કરશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ MSMEsને મશીનરી અને સાધનોના આધુનિકીકરણ માટે પ્રોત્સાહન આપશે.

સરકારે રોજગાર સાથે જોડાયેલ કૌશલ્ય પર મોટો દબાણ આપ્યું છે અને તેનાથી સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગના 5 મિલિયનથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રથમ વખતના કર્મચારીઓની રોજગાર સાથે જોડાયેલી સ્કીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે કર્મચારીઓમાં વધુ મહિલાઓ માટે સરકારનું પગલું અને મહિલા કામદારો માટે જાહેર કરાયેલ પહેલો વધુ મહિલાઓને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રેરણા આપશે.

ખાસ કરીને પૂર્વ ભારતમાં હાલના અને નવા ઔદ્યોગિક કોરિડોર પર સરકારનું ધ્યાન GJEPCને નિકાસ માટે નવા જેમ અને જ્વેલરી ક્લસ્ટરોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

રૂ.ની ફાળવણી 5 વર્ષના સમયગાળા માટે 4.1 કરોડ યુવાનો માટે રોજગાર અને કૌશલ્યની સુવિધા માટે 2 લાખ કરોડ રૂપિયા ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગના 5 મિલિયનથી વધુ શ્રમ દળમાં નવા કામદારોને લાભ થશે. નવા પ્રવેશકારો માટે ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ વધુ યુવાનોને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.

નાણાપ્રધાનનું બજેટ મુખ્યત્વે ભૂમિ, શ્રમ, મૂડી અને ઉદ્યોગસાહસિકતા માટેના આર્થિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી રોજગારમાં વધારો થાય, ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી જેવા ભારતમાં શ્રમ સઘન ક્ષેત્રો માટે. આ કામદારો અને કારીગરોના કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને રોકાણ સાથે મળીને ખરેખર આપણા ક્ષેત્રને પુષ્કળ પ્રોત્સાહન આપશે.

ઉત્પાદન અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતની 9 પ્રાથમિકતાઓ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મદદ કરશે.