દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે SITEX – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.
SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.
ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.
આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટરજેટ મશીન, મેક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરીનું પ્રથમ વખત સુરતના સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે. સોના–ચાંદીના તારના ઉપયોગથી પ્યોર સિલ્ક અને સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી હાલ દક્ષિણ ભારત તથા બનારસ ખાતે જ ઉપલબ્ધ છે. સુરતમાં પ્રથમ વખત આ મશીનરીને સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યારબાદ સુરતના વિવર્સ આ મશીનરીના ઉપયોગથી વેલ્યુ એડેડ ફેબ્રિક બનાવી શકશે.
ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. અત્યારે કોરિયાથી હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે, જેનું આ મશીનરી પર પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજી પધારશે અને તેમના વરદ્ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
SGCCI દ્વારા સુરત – ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે, જેથી સુરત ઉપરાંત બહારના રાજ્યોના વિવર્સ મોટી સંખ્યામાં સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે.
સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં તથા બહાર બનાવવામાં આવેલા ડોમમાં ૮૯ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.
વધુમાં, સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા અને શ્રી રિતેશ બોડાવાલાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.
એનસીડીઆરસીની 30 ટકાની ટોચમર્યાદાનો 16 વર્ષ જૂનો આદેશ સુપ્રીમ કોર્ટે ફગાવતા બેન્કોને રાહત મળી સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો માટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા મુજબ ક્રેડિટ કાર્ડ આપતી બેન્કો ગ્રાહકો પાસેથી ૩૦ ટકા કરતાં વધુ ચાર્જ વસૂલી શકે છે. આમ તેણે ૧૬ વર્ષ જૂનો નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનનનો આદેશ રદ કર્યો છે, જેણે ક્રેડિટ કાર્ડ કંપનીઓ પર ૩૦ ટકાની ટોચમર્યાદા લાદી હતી. હવે બેન્કો કાર્ડના બાકી લેણા પર ૫૦ ટકા સુધીનું વ્યાજ વસૂલી શકે છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સીધો અર્થ એવો થાય કે જો તમે બિલ પેમેન્ટ કરો છો કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ ખરીદદારી કરો છો. તેમા જો તમે બિલ ભરવાનું ભૂલી ગયા તો બેન્ક પોતાની મનમરજી મુજબ આ ભૂલ માટે પેનલ્ટી લગાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે એનસીઆરડીસીએ ૩૦ ટકાની ટોચમર્યાદા લગાવ્યા પછી બેન્કોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બેન્કોના તરફથી દલીલ કરવામાં આવી હતી કે ૩૦ ટકાની ટોચમર્યાદા નક્કી કરવામાં આવ્યા પછી તેઓ ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટરને અસરકારક રીતે પહોંચી વળી શકતા નથી. કોર્ટ તરફથી બેન્કોની તરફેણમાં આવેલો આ ચુકાદો ક્રેડિટ કાર્ડધારકોની આંખ ખોલી નાખનારો ચુકાદો છે.
ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ શર્માની બેન્ચે જણાવ્યું હતું કે એનસીડીઆરસીનું નિરીક્ષણ છે કે ૩૦ ટકાથી ઊંચો વ્યાજદર અયોગ્ય ધંધાકીય રીતરસમ છે તો તેને અયોગ્ય ઠેરવવી જોઈએ. આ સ્પષ્ટપણે રિઝર્વ બેન્કના આદેશનો રીતસરનો ભંગ છે. કોર્ટે જણાવ્યું હતું કે આ આદેશ બેન્કિંગ નિયંત્રણ ધારા ૧૯૪૯ના આદેશનો ભંગ છે.
કોર્ટે તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે એનસીડીઆરસીને કોઈ અધિકાર જ નથી કે તે બેન્કો અને ગ્રાહક વચ્ચે થતાં કરારને લઈને કોઈ આદેશ આપે. આ તેના અધિકાર ક્ષેત્ર બહારની વાત છે. બેન્ચે તેના ૨૦મી ડિસેમ્બરના ચુકાદામાં જણાવ્યું હતું કે અમે અહીં રિઝર્વ બેન્કની તે રજૂઆત સાથે સંમત છીએ કે વર્તમાન કિસ્સામાં રિઝર્વ બેન્કને બેન્કો સામે, બેન્કને કે બેન્કિંગ સેક્ટર સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાનો આદેશ આપવાની જરૂર અહીં વર્તાતી નથી.
આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન
હાલમાં એક તરફ મંદીનો માહોલ છે, બીજી તરફ સોનાના ભાવ રૂ.80 હજાર પ્રતિ તોલાની વિક્રમી સપાટીએ છે, હીરા ઉદ્યોગમાં ઘરાકીનો અભાવ છે, આવી તમામ પ્રતિકૂળતા વચ્ચે આગામી તા.20 ડિસેમ્બરથી શહેરના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા ઝવેરાત એક્ષ્પો સ્પાર્કલ સમગ્ર ઝવેરાત ઉદ્યોગમાં ઘરાકી ખેંચી લાવશે એમ ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ આજે જણાવ્યું હતું.
સ્પાર્કલ અંગે વધુ વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, વીપી નિખિલ મદ્રાસી, સેક્રેટરી નિરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, મૃણાલ શુક્લ, બિજલ જરીવાલા અને સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા એક્ઝિબિટર્સ તરીકે ભાગ લઇ રહ્યા છે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ર૦, ર૧ અને રર ડિસેમ્બર, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલના હસ્તે કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે જ સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત ઉપરાંત મુંબઇ, જયપુર, બિકાનેગર અને નાગપુરના ૩૦થી વધુ જ્વેલર્સ દ્વારા ભાગ લેવામાં આવશે. આ તમામ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવતો હોય છે.
B2C ધોરણે એકઝીબીશનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે. સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં NRI તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેકશન જોવા મળશે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે, લગ્નસરા ચાલી રહયા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સ્પાર્કલ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહના ઉદ્ઘાટક તરીકે લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઇશા દેઓલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે સ્પાર્કલ એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સમારોહમાં સુરતના માનનીય સાંસદ શ્રી મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે શ્રીમતી ગંગાબેન સી. પાટીલ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચેમ્બર દ્વારા શહેરના તમામ મહિલા સંગઠનોમાં રૂબરૂ જઇને સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત માટે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવ યુગલો કે જેઓ થોડા દિવસોમાં લગ્નના તાંતણે બંધાનાર છે તેઓ તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસીય સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનારા વિઝીટર્સ માટે દર કલાકે લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં વિજેતાઓને ચાંદીના સિકકા આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન પ્રથમ વખત લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં એકઝીબીશન દરમ્યાન સવારે ૧૧ઃ૦૦થી રાત્રે ૮ઃ૦૦ કલાક દરમ્યાન દર કલાકે લકી ડ્રો યોજાશે.
સ્પાર્કલ એકઝીબીશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩.૭પ કિલો પ્યોર ચાંદીમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવશે. શહેરના એક જ્વેલર્સ દ્વારા વડાપ્રધાનશ્રીની ચાંદીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આઠ જેટલા કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી છે, જે પણ સ્પાર્કલ એકઝીબીશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન શ્રી તુષાર ચોકસી અને કો–ચેરમેન શ્રી સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં ચાલી રહેલી તમામ પ્રકારની જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને પોલ્કી કોમ્બીનેશન સાથેની જ્વેલરી, હેરીટેજ અને એન્ટીક જ્વેલરી, મીના કારીગરીવાળી જ્વેલરી, નવા પ્રકારની એલીફન્ટ અને પીકોક સાથેની જ્વેલરી સ્પાર્કલમાં પ્રદર્શિત કરવામાં આવશે.
NRI તથા મહિલાઓ દ્વારા ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. લગ્નના આનુસાંગિક પ્રસંગો જેવા કે હલ્દી, મહેંદી, સંગિત અને રિસેપ્શનને અનુરૂપ જ્વેલરીની વિશાળ શ્રેણી આ એકઝીબીશનનું વિશેષ આકર્ષણ રહેશે.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે
સુરત : SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા 14, 15 અને 16 ડિસેમ્બર 2024ના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે રૂટ્ઝ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ B2B જ્વેલરી પ્રદર્શનની આ ચોથી આવૃત્તિ છે, જેમાં સુરત અને અન્ય શહેરોના 150 રિયલ મેન્યુફેક્ચરર્સ અને અને શહરોના મેન્યુફેક્ચરર્સ ડિસ્પ્લે કરશે. ડિસ્પ્લેમાં 5 હજારથી વધુ ડિઝાઇન જોવા મળશે. જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ B2B ખરીદદારો ભાગ લેશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 14 ડિસેમ્બરને શનિવારે સવારે 10 કલાકે મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનો વિકાસ હશે અને તે હીરા ઉદ્યોગ, લેબ ગ્રોન ઈન્ડસ્ટ્રી અને અન્ય ઈન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ કરશે. જો આપણે સમગ્ર ભારત તરફ નજર કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે. SJMA એક બિન-લાભકારી સંગઠન છે, જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનના વિકાસ માટે સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગ માટે કામ કરે છે. તે ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે. હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં વૈશ્વિક વલણોને પ્રતિબિંબિત કરે છે. રુટ્ઝ નેટવર્કિંગ, નવા વલણોની શોધ અને નવીનતમ તકનીક અને મશીનરીની શોધ માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે.
નવેમ્બર મહિનામાં દિવાળી, ભાઈબીજ સહિતના અનેક તહેવારોને કારણે અનેક રજાઓ આવી હતી. હવે ચાર દિવસ બાદ 2024નો છેલ્લો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જેમ જ ડિસેમ્બરમાં પણ બેન્ક હોલિડેઝની ભરમાર રહેશે. જોકે, નવેમ્બરની જેમ ભલે ડિસેમ્બરમાં તહેવારોની ભરમાર નહીં હોય પણ કેટલાક સ્પેશિયલ દિવસ ચોક્કસ હશે કે જેને કારણે સ્કુલ, કોલેજ અને બેંકોમાં રજા રહેશે. આજે અમે અહીં તમને ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે. મળી રહેલી માહિતી પ્રમાણે ડિસેમ્બરમાં સાત-આઠ નહીં પૂરા 15 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. આ 15 રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમ જ રવિવારની રજાનો સમાવેશ થાય છે. આવો જોઈએ ક્યારે ક્યારે દેશના કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.
કેન્દ્ર સરકારે સોનાના દાગીના બનાવવામાં સોનાના થતાં બગાડના ધોરણો એટલી હદે મર્યાદિત કરી દીધા હતા કે જેને કારણે ઝવેરાત ઉત્પાદકો, ઝવેરીઓને નફાની વાત તો દૂર પણ નુકસાની વહોરવી પડતી હતી. સમગ્ર દેશના ઝવેરાત ઉત્પાદકોમાં આ અન્યાયી નિયમો સામે સખત નારાજગી હતી જેને લઇને જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી કે સોનામાંથી દાગીના બનાવનારા ઉત્પાદકોને દાગીના બનાવતી વખતે 5 ટકા સુધીના સોનાનો બગાડ સહન કરવો પડે છે. આ રીતે બગડતું સોનું ક્યાં તો ગોલ્ડ ડસ્ટ, ક્યાંતો ઓગળીને, ક્યાં તો કચરા ભેગું થઇ જતું હોવાથી અગાઉના ધોરણો અનુસાર 5 ટકા બગાડને મંજૂર રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
જીજેઇપીસીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ઝવેરાત ઉત્પાદનમાં થતા સોનાના બગાડ અંગેની માગણીને સ્વીકારી છે. વિદેશી વેપારના મહાનિદેશાલય (ડીજીએફટી) એ આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવે એ રીતે દાગીનાઓના ઉત્પાદનમાં થતાં સોનાના બગાડના નવા ધોરણો અને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ (SIONs)માં સુધારો કરતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.
અગાઉ DGFTએ 27મી મે 2024ના રોજ જાહેર સૂચના નંબર 05/2024-25 દ્વારા તમામ દાગીનાઓની તમામ શ્રેણીઓના બગાડના ધોરણોમાં ભારે ઘટાડો કર્યો હતો. આ ઘટાડાઓની ગંભીર અસર પર ધ્યાન આપતા, જીજેઇપીસીએ એ જ દિવસે DGFT અધિકારીઓ સાથે સ્ટેક હોલ્ડર્સની મીટીંગ યોજી હતી. જીજેઇપીસી અને ઝવેરાત ઉત્પાદકોએ દાગીના બનાવવાની પ્રક્રિયા દરમિયાન કઇ રીતે કેટલા પ્રમાણમાં સોનું બગડે છે તે પ્રકારે ઉત્પાદન ડેટા રજૂ કર્યો હતો. પરિણામે, અગાઉ આપવામાં આવેલી સૂચનાનો અમલ સમયાંતરે સ્થગિત કરવામાં આવ્યો હતો.
જીજેઇપીસીએ ઝવેરાત ઉત્પાદકોના હિતમાં કેન્દ્ર સરકાર પાસે બે મુખ્ય રજૂઆતો કરી હતી જેમાં (એ) દાગીનાઓના ઉત્પાદની પ્રક્રિયા સાથે વાસ્તવિક રીતે સંરેખિત થતા બગાડના ધોરણો નિર્ધારિત કરવા અને (બી) નવા નિયમો અપનાવવા માટે ફેરફાર અપનાવવાની પર્યાપ્ત અવધિની મંજૂરી આપવી.
GJEPC ના સંશોધન અને ડીજીએફટી અધિકારીઓ સાથેની વિવિધ ચર્ચાઓ બાદ, બગાડના અગાઉના ધોરણો સાથે વ્યવહારુ ફેરફારો કરવામાં આવ્યા છે જે આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. વચગાળાના સમયગાળા દરમિયાન, અગાઉના ધોરણો 31મી ડિસેમ્બર 2024 સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામામાં SIONs માટેના સુધારણાની પણ વિગતો આપવામાં આવી છે, જે ફિનિશ્ડ જ્વેલરીના ચોક્કસ જથ્થા માટે મંજૂર કાચા માલની માત્રાનો ઉલ્લેખ કરે છે. સુધારેલા ધોરણોનો ઉદ્દેશ્ય ધાતુના અસરકારક ઉપયોગને દાગીનાઓની ઉત્પાદનની પ્રક્રિયાઓની વાસ્તવિકતાઓ સાથે સંતુલિત કરવાનો છે, જેનાથી વધારે ફાયદો પરંપરાગત કારીગરોને થશે.
, ભારત સરકારના ઔદ્યોગિક સાહસ NTPC લિમિટેડનો 50મો સ્થાપના દિવસ ગઇ તા.07 નવેમ્બર, 2024ના રોજ NTPC કવાસ ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. NTPC ધ્વજ લહેરાવ્યા પછી, મુખ્ય અતિથિ શ્રીસુરેશ જોન ડેવિડ, પ્રોજેક્ટ હેડ (KAWAS)એ સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત કર્મચારીઓને 76,476 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતાની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સભાને સંબોધતા તેમણે કહ્યું કે NTPC એ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એનટીપીસી હાલમાં કોલસો, ગેસ, નેપ્થા, હાઇડ્રો, પવન અને સૌર સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન કરીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વધુમાં, એનટીપીસી પરમાણુ વીજ ઉત્પાદન માટેની યોજનાનો અમલ કરી રહી છે.
વીજ ઉત્પાદનની સાથે, NTPC કોલસાની ખાણકામ, ગ્રીન હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનોલ ઉત્પાદન, હાઇડ્રોજન મિશ્રણ, FCEV મોબિલિટી પ્રોજેક્ટ વગેરે ક્ષેત્રોમાં પણ રોકાયેલ છે.
તેમણે કહ્યું કે માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં પણ અમે અમારી સંસ્થામાં ‘પીપલ બિફોર પીએલએફ’ની ફિલસૂફીને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે અને તે મુજબ લોકો મૈત્રીપૂર્ણ નીતિઓ લાગુ કરી છે. NTPC એ નિવૃત્તિ પછી કર્મચારીઓની સારી સંભાળ માટે પેલિએટીવ કેર સેન્ટર અને વૃદ્ધાશ્રમ જેવી નીતિઓ પર અભિન્ન પહેલ કરી છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ કર્મચારીઓને આહવાન કર્યું હતું કે આપણે દરેક કાર્ય ઉચ્ચ ગુણવત્તા અને નીતિમત્તાથી કરવાની જરૂર છે. મલ્ટિ-ટાસ્કિંગ દ્વારા અમારી ક્ષમતાઓને વધુ વધારવા માટે આપણે હંમેશા લવચીક રહેવું પડશે. તેમના સંબોધનમાં, મુખ્ય અતિથિએ NTPC કવાસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમના અંતે, સિમ્યુલેટર ભવન ઓડિટોરિયમમાં NTPC સ્થાપના દિવસ નિમિત્તે NTPC ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર માનનીય શ્રી ગુરદીપ સિંહના સંબોધનનું જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમને યાદગાર બનાવવા પ્રોજેક્ટ હેડની અધ્યક્ષતામાં સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સાંજે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ચૂંટણી પ્રચારમાં ખાતરી આપી છે કમલા હેરિસ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસ માટે વધુ પોઝિટિવ હોવાનો ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે. ટ્રમ્પના આવવાથી અમેરિકાના સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના ક્રિપ્ટોકરન્સીસ તરફના વલણમાં બદલાવ આવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ક્રિપ્ટો માર્કેટ તરફી વલણ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની અસર અમેરિકાના પ્રમુખપદે ક્રિપ્ટોકરન્સી તરફી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતાં છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનની આગેવાની હેઠળ વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં મોટી રેલી જોવા મળી હતી. દસ ટકાના ઉછાળા સાથે બિટકોઈને ૭૫૩૬૩ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૮૬૫૪ ડોલર જોવાયો હતો અને મોડી સાંજે ૭૩૮૬૦ ડોલર કવોટ કરાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આજથી શરૂ થયેલી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પર બજારની નજર રહેશે.
બિટકોઈનમાં જંગી ઉછાળા પાછળ સંસ્થાકીય માગ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના બિટકોઈન ઈટીએફ હોલ્ડિંગ્સ ગયા મહિને વધી ૬૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.
જોખમ લેવા માગતા ખેલાડીઓ માટે બિટકોઈન એક પસંદગીની એસેટસ છે. બિટકોઈનમાં ઉછાળાનો અર્થ સંસ્થાકીય રોકાણકારો તેમાં નાણાં ઠાલવી રહ્યા છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ટ્રમ્પના વિજયથી ડિજિટલ કરન્સીને બળ મળશે. પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ખાતરી આપી હતી.
બાઈડન વહીવટીતંત્ર હેઠળ જપ્તિના પગલાંઓ બાદ ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ હવે નિયમનકારી માળખાની આશા રાખી રહ્યો છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ વધી ૨૬૨૨ ડોલર, સોલાના ૧૮૫ ડોલર, બીએનબી ૫૮૨ ડોલર બોલાતા હતા.
એલન મસ્કના પીઠબળ સાથેની ક્રિપ્ટો ડોજકોઈન ૨૫ ટકા ઉછળી ૦.૨૦ ડોલર પહોંચી ગઈ હતી. એલન મસ્કે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૫૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.
નીચા વ્યાજ દરોને બિટકોઈન માટે તેજીની સ્થિતિ તરીકે જોવામાં આવે છે, કારણ કે રોકાણકારો વધુ નાણાં ઉછીના લઈ જોખમી એસેટસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે વર્તમાન સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની ૬-૭ મીએ મળનારી બેઠકમાં વ્યાજ દરમાં જો વધુ ઘટાડોઆવશે તો બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીસમાં ઉછાળો જોવા મળવાની ખેલાડીઓને અપેક્ષા છે.
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ હવે છઠ્ઠી ડિસેમ્બરને બદલે પાંચમી ડિસેમ્બરે રીલિઝ થશે. તેના કારણે વિકી કૌશલનું ટેન્શન વધ્યું છે. વિકી કૌશલની ‘છાવા’ તા. છઠ્ઠી ડિસેમ્બરે જ ‘પુષ્પા ટૂ’ સામે ટકરાવાની હતી પરંતુ હવે આગલા દિવસથી જ ‘પુષ્પા ટૂ’ છવાઈ જશે તો ‘છાવા’ને મોટો ફટકો પડશે. ‘પુષ્પા ટૂ’ ફિલ્મની રિલીઝની તારીખમાં વાંરવાર ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આ ફિલ્મને ગત એપ્રિલ મહિનામાં રીલિઝ કરવાની યોજના હતી. આ પછી તેને ૧૫ ઓગસ્ટના રોજ રીલિઝ કરવાનું જાહેર કરાયું હતું. પરંતુ શૂટિંગ લંબાઇ જવાના કારણ તારીખ ઠેલાઈ ગઈ હતી. બંને ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે રશ્મિકા મંદાના કોમન છે.
આમ રશ્મિકાની જ એક ફિલ્મનો મુકાબલો રશ્મિકાની બીજી ફિલ્મ સામે થશે.
‘પુષ્પા ટૂ’ને તેના પહેલા ભાગની ગુડવિલનો લાભ મળી રહ્યો હોવાથી તે રેસમાં અત્યારથી આગળ છે. બીજી તરફ વિકી કૌશલ એક સારો કલાકાર હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર કમર્શિઅલ સકસેસની ગેરન્ટી મનાતો નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.