બિઝનેસ Archives - Page 22 of 87 - CIA Live

March 7, 2022
indian-rupee-vs-us-dollar-symbols-HY0EN3-1280x993.jpg
1min424

વિદેશી બજારોના નબળા સંકેતો અને ક્રૂડની ક્રૂર ચાલને પગલે Dt.07/03/2022ના સત્રમાં ભારતીય શેરમાર્કેટમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ડોલરમાં મક્કમ ચાલ જોવા મળી રહી છે.

શરૂઆતી સત્રમાં એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 52,542નું તળિયું બનાવીને સેન્સેકસ 12 કલાકે 1166 અંકોના કડાકે કારોબાર કરી રહ્યો છે. 

યુક્રેન રશિયા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો જોવા મળતા ભારતનું ઈમ્પોર્ટ બિલ વધવાની ભીતિ છે. આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસરની આશંકાએ રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. ડોલરની સામે રૂપિયો આજે 77 તરફ આગળ વધ્યો છે. 

શેરબજારના કડાકાને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હતું અને 77ને સ્પર્શ્યા બાદ સવારે 10:00 કલાક આસપાસ 76.95 પર વેપાર કરી રહ્યો હતો જે અમેરિકી ડોલર સામે ભારતીય કરન્સીનું નીચલું સ્તર છે. અગાઉનો ઘટાડો એપ્રિલ 2020માં લોકડાઉન દરમિયાન કોરોનાના પીક વખતે 76.87 રૂપિયા નોંધાયો હતો. 

January 24, 2022
sensex_down.jpg
1min731

શેરબજારનો ઘટાડો સતત આગળ વધી રહ્યો છે અને તેનું તળિયું દેખાતું નથી. આજે સતત પાંચમા સત્રમાં શેરમાર્કેટમાં ઘડાડો થયો હતો. પાંચ સેશનની અંદર સેન્સેક્સ (Sensex) 3500 પોઇન્ટ જેટલો ઘટી ગયો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 1850 પોઇન્ટ ઘટીને 57186 પર હતો. અગાઉ લગભગ 1.40 વાગ્યે સેન્સેક્સ 2000 પોઇન્ટ સુધી ઘટી ગયો હતો.

સેન્સેક્સના તમામ 30 શેર રેડ ઝોનમાં હતા જેમાં બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ 6.46 ટકા, ટાટા સ્ટીલમાં 6.32 ટકા અને ટાઇટનના શેરમાં 5.93 ટકાનો ઘટાડો થયો હતો. ટેક મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર 5.63 ટકાથી લઈને 5.52 ટકા સુધી ઘટ્યા હતા.

બજેટ અગાઉના સપ્તાહમાં માર્કેટ નર્વસ જણાય છે. મંગળવારથી યુએસ ફેડ (US Fed)ની બે દિવસની મિટિંગ શરૂ થાય છે તે અગાઉ ચિંતા પ્રવર્તે છે. આ ઉપરાંત આ સપ્તાહમાં માસિક ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ (Derivative Contract) ની એક્સપાયરી છે.

માર્કેટ ખુલ્યાના એક કલાક પછીની સ્થિતિની વાત કરીએ તો વોડાફોન આઇડિયા (Vodafone Idea) ત્રણ ટકા ઘટ્યો હતો જ્યારે યસ બેન્કનો શેર ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટના રિએક્શનથી બે ટકા ઊંચકાયો હતો.

રેલિગેર બ્રોકરેજના વીપી, રિસર્ચ અજિત મિશ્રાએ જણાવ્યું કે, યુએસ ફેડ દ્વારા રેટમાં વધારાને લગતી અનિશ્ચિતતાથી બજારમાં ભયનો માહોલ છે. રોકાણકારો હવે 26 જાન્યુઆરીએ FOMCની બેઠકના તારણો અંગે સ્પષ્ટતા માંગે છે.

માર્કેટમાં સળંગ પાંચ દિવસના ઘટાડાના કારણે રોકાણકારોએ રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. આ સપ્તાહમાં 26મી જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. આ ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવશે તો ભૂરાજકીય ચિંતામાં વધારો થશે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું કે અત્યારે FPI મોટી વેચવાલી કરી રહ્યા છે જે બજાર માટે મુશ્કેલી પેદા કરે છે. રોકાણકારોએ અત્યાર વધુ સાવધ રહેવાની જરૂર છે.

સેન્સેક્સના શેરોમાં એશિયન પેઇન્ટ્સ (Asian Paints) 2.16 ટકા ઘટીને રૂ. 3203 હતો જ્યારે ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.19 ટકા ઘટીને રૂ. 1563 હતો. બજાજ ફિનસર્વ, વિપ્રો (Wipro), ઇન્ફોસિસ (Infosys), HCL ટેક્નોલોજી અને બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)ના શેર પણ 1.8 ટકા સુધી ઘટ્યા હતા. એક્સિસ બેન્ક (Axis Bank) અને ટાઇટન (Titan)ના શેરમાં એક ટકાનો ઘટાડો થયો હતો.

આજે મારુતિ સુઝુકી 1.2 ટકા વધીને રૂ. 8287 પર હતો. પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો વધારો થયો હતો.

January 22, 2022
one_hand_bag.jpg
1min693

મેસ્ટિક પ્રવાસીઓને હવેથી માત્ર એક જ હેન્ડ બેગ લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, ડોમેસ્ટિક મુસાફરોને માત્ર એક જ હેન્ડ બેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.

‘વન હેન્ડ બેગ નિયમ’ તમામ એરપોર્ટ પર લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભીડ અને સુરક્ષાની અન્ય મુશ્કેલીઓને દૂર કરવા તેમજ એરપોર્ટ સ્ક્રીનિંગ પોઈન્ટ પરના ભારણને ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.

19મી જાન્યુઆરીના રોજ બીસીએએસ સાથે વાતચીત કરતાં એક વરિષ્ઠ સીઆઈએસએફના અધિકારીએ પત્રમાં લખ્યું હતું કે, ‘બીસીએએસ ‘એવીએસઈસી’ પરિપત્ર પ્રમાણે, કોઈપણ મુસાફર મહિલાના પર્સ સહિત પરિપત્રમાં અગાઉથી સૂચિત વસ્તુઓ સિવાયની એકપણ હેન્ડબેગ નહીં લઈ જઈ શકે.’

‘જો કે, તેવું જોવામાં આવ્યું હતું કે, સ્ક્રીનિંગ પોઈન્ટ પર મુસાફરો પોતાની પાસે સરેરાશ બેથી ત્રણ હેન્ડ બેગ રાખે છે. તેના કારણે ક્લિયરન્સના સમયની સાથે-સાથે વિલંબ તેમજ ભીડ પણ થાય છે’, તેવો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે, તમામ એરલાઈન્સને ભીડને હળવી કરવા માટે ‘વન હેન્ડ બેગ’ નિયમ લાગુ કરવા માટે જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું હતું કે, એરલાઈન્સને કર્મચારીઓને જ્યારે જરૂરી હોય ત્યારે મુસાફરોને માર્ગદર્શન આપવા અને તેમના હાથનના સામાનની સ્થિતિ ચકાસવા માટે સ્ટાફની નિયુક્તિ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

એરલાઈન્સને તેમની ટિકિટ તેમજ બોર્ડિંગ પાસ પર ‘વન હેન્ડ બેગ નિયમ’ દર્શાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

January 21, 2022
Cia_business_news-1280x936.jpg
2min478

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના એરપોર્ટ નજીક આકાર પામી રહેલા સુરત હિરા બુર્સનો હજુ તો આરંભ થયો નથી એ પહેલા જ કારભારીઓની અણઆવડતને કારણે સુરત ડાયમંડ બુર્સ મોટા વિવાદમાં સપડાય રહી છે. સુરત હિરા બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણીના નામે એક સરક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને સુરત શિફ્ટ થનારા હીરા ઉધોગકારોને કેટલીક લલચામણી ઓફર આપવામાં આવી હતી. મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની એવી પ્રતિષ્ઠા ખરડાઇ છે કે લોકો એવું કહી રહ્યા છે કે હજુ તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું નથી ને આવી હરકતો કરે છે જો આ ડાયમંડ બુર્સ સેટ થઇ જશે પછી તો સુરત ડાયમંડ બુર્સવાળા ઝાલ્યા નહીં ઝલાય.

સુરત ડાયમન્ડ બુર્સ

સુરત હીરા બુર્સના કેટલાક કારભારીઓનો આ મોટો દાવ હતો પણ હવે એટલે આ દાવ ખોટો પડ્યો છે કેમકે મામલો ગુજરાત હિરા બુર્સ અને શિવસેના સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇ સ્થિત ભારત હિરા બુર્સના આગેવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સુરત ડાયમંડ બુર્સને અમે ભાઇ ગણ્યો હતો પણ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટની હરકતો જોતા એ હવે ભારત પાકિસ્તાન જેવો કટ્ટરવાદ ફેલાવી રહી છે. સુરત ડાયમંડ બુર્સના કારભારીઓની અણઆવડતને કારણે આ સમગ્ર વિવાદ હવે રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે.

મુંબઇના હિરા બુર્સનું કામકાજ સંકેલીને કોઇ સુરત જાય એ વાતમાં માલ નથી

મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સના અગ્રણીનું કહેવું છે કે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની સમાન છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત પરંતુ, એ વાત હકીકત છે કે સુરત ડાયમંડ બુર્સનું કામકાજ સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ જાય એ વાતમાં માલ નથી. હા, એવું જરૂર બને કે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં બ્રાન્ચ કે બીજા નામથી ધંધો શરૂ કરે. કેટલાક લોકો જેને મુબઇમાં ફાવટ નથી અથવા નિષ્ફળ નિવડ્યા હોય તેઓ સુરત જાય એ સ્વાભાવિક છે.

સુરત ડાયમંડ બુર્સના સરક્યુલરથી ખોટો મેસેજ ગયો હવે ખુલાસા કરતા થઇ ગયા છે

મુંબઇના હીરા બુર્સમાં કામકાજ કરતા રજનીકાંતભાઇએ જણાવ્યું કે મુંબઇના ભારત હીરા બુર્સ સાથે સરખામણી કરીને જ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે એટલી મોટી ભૂલ કરી દીધી છે કે હવે પોતાની ઇમેજ ક્લીયર કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ખુલાસા કરતા થઇ ગયા છે. ભારત હીરા બુર્સ કેટલા વર્ષથી, કયા લેવલ પર કામ કરે છે, ભારત હીરા બુર્સમાં એક ટેબલ જેટલી જગ્યા લેવામાં સુરત હીરા બુર્સની કેટલી જગ્યા મળી જાય એનો જો ખ્યાલ હોત તો સુરતના હીરા બુર્સવાળાઓએ ખોટો દાવ રમવાની હિંમત ના કરી હોત.

સુરતનાને સુરતના જ ઉધોગપતિઓ હશે સુરત ડાયમંડ બુર્સમાં

ભારત હીરા બુર્સના જાણકારો કહે છે કે સુરતમાં બની રહેલા હીરા બુર્સમાં સુરતના ને સુરતના જ હીરા ઉદ્યોગપતિઓની ઓફિસો હશે. હાલમાં સુરતના ઉદ્યોગપતિઓ મુંબઇ અને વિદેશોમાં પણ ઓફિસ ધરાવે છે એમ હવે તેમની એક બ્રાન્ચ સુરત ડાયમંડ બુર્સમાં હશે. બાકી મુંબઇના ભારત ડાયમંડ બુર્સનું કામકાજ છોડીને કોઇ સફળ વ્યક્તિ સુરત આવે તેવું માનવું ભૂલ ભરેલું છે. સુરત ડાયમંડ બુર્સવાળાએ સમજવું જોઇએ કે એક વખત પ્રોજેક્ટ શરૂ થઇ ગયાના પાંચ સાત વર્ષ બાદ તેમને ખ્યાલ આવશે કે પ્રોજેક્ટ કયા રસ્તે જઇ રહ્યો છે.

મુંબઇ મીડ-ડેના અહેવાલે હીરા ઉદ્યોગમાં ભારે હલચલ મચાવી

મુંબઇથી પ્રસિદ્ધ થતા મીડ-ડે અખબારની તા.20 જાન્યુઆરી 2021ની આવૃતિમાં મુખપુષ્ઠ પર ઉપરોક્ત અહેવાલ છપાયો હતો. જે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ, મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાં કામકાજ કરતા હીરા વ્યવસાયિકોથી લઇને શિવસેના અને ગુજરાતી વર્ગમાં ખૂબ વાઇરલ થયો છે. એ પછી જ સુરત ડાયમંડ બુર્સના સંચાલકોને ખ્યાલ આવ્યો કે તેમનો દાવ ખોટો પડ્યો છે અને હવે સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય એ પહેલા જ મોટા વિવાદમાં પ્રોજેક્ટ સપડાઇ ચૂક્યો છે.

સુરત ડાયમંડ બુર્સવાળાની હરકત અશોભનીય છે

ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ટ્રેઝરર અનુપ ઝવેરીએ સુરત ડાયમન્ડ બુર્સના સરક્યુલર વિશે મુંબઇના ‘મિડ-ડે’ અખબારને કહ્યું હતું કે ‘આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી.’ અહીંના વેપારીઓને રોકવા માટે આપણે કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે કોઈને રોકવાના નથી. જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે. લોકો આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ કરે જ છે. અત્યાર સુધી અમે તો સુરત ડાયમન્ડ બુર્સને અમારો ભાઈ જ માનતા હતા કે ચાલો, અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે.’ આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.’

January 20, 2022
sensex_down.jpg
1min427

ભારતીય શેરબજાર (Share Market)માં Dt. 20/1/22 સળંગ ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે અને બજાર ત્રણ દિવસની અંદર 1600 પોઇન્ટથી વધારે નીચે ગયું છે. આ લખાય છે ત્યારે BSE Sensex 554 પોઇન્ટ અથવા 0.93 ટકા ઘટીને 59544 પર હતો. જ્યારે નિફ્ટી (Nifty 50) ઇન્ડેક્સ 148 પોઇન્ટ ઘટીને 17790 પર હતો. થોડા સમય અગાઉ સેન્સેક્સ 600 પોઇન્ટ સુધી નીચે ઉતર્યો હતો.

BSE પર બ્લૂ ચિપ શેરોમાં HDFC માં 2.17 ટકા, ઇન્ફોસિસ (Infosys)માં 2.10 ટકા અને બજાજ ફિનસર્વ (Bajaj Finserv) માં 2.09 ટકાનો ઘટાડો થયો હતો.

BSE સેન્સેક્સના 30માંથી 20 શેરો ઘટ્યા હતા. વધેલા 10 શેરોમાં પાવરગ્રીડ (3.57 ટકા), અલ્ટ્રાટેક (Ultratech) (0.94 ટકા) સામેલ હતા. આ ઉપરાંત ભારતી (Airtel) એરટેલ, (0.89 ટકા) મારુતિ (Maruti), NTPC, નેસ્લે (Nestle), ટાટા સ્ટીલ (Tata Steel) અને ટાઈટન (Titan)ના શેર ઊંચકાયા હતા.

BSE સેન્સેક્સે 60,000ની મનોસંવેદી સપાટી તોડી હતી જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 17900થી નીચે ગયો હતો.

આ ઘટાડો વધારે મોટો અને વ્યાપક હોત, પરંતુ ઓઇલના ભાવ વધ્યા પછી થોડા ઘટ્યા હોવાથી થોડો ટેકો મળ્યો હતો. આ ઉપરાંત US બોન્ડ યીલ્ડ વધી છે અને ડોલર સ્થિર છે. જાપાનનો નિકાસનો ડેટા પોઝિટિવ છે તથા ચાઈનીઝ સેન્ટ્રલ બેન્કે બે મહિનાની અંદર બીજી વખત લેન્ડિંગ રેટ ઘટાડ્યા છે જેના કારણે એશિયન માર્કેટમાં સેન્ટીમેન્ટ સુધર્યું હતું.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વી કે વિજયકુમારે એક નોટમાં જણાવ્યું કે યુએસમાં નાસ્ડેક તેની નવેમ્બર 2021ની ટોચ પરથી 10 ટકા નીચે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ જોવા મળશે. પરંતુ ભારતીય રોકાણકારોએ વધતા વૈશ્વિક ફુગાવા અને મોનેટરી ટાઇટનિંગના કારણે સાવધ રહેવાની જરૂર છે. કમસે કમ 2022ના પ્રથમ છ મહિના સુધી આવી સ્થિતિ રહેશે.

સેન્સેક્સના ઘટેલા શેરોમાં આઇટી કંપનીઓમાંથી ઇન્ફોસિસ, HCL ટેક અને ટેક મહિન્દ્રા (Tech Mahindra) જેવા હેવીવેઈટ સામેલ છે.

ICIC લોમ્બાર્ડ (ICICI Lombard) ડિસેમ્બર ક્વાર્ટરનના નબળા પરિણામ પછી લગભગ છ ટકા ઘટીને રૂ. 1340 થયો હતો. બજાજ ઓટો (Bajaj Auto)નો શેર 0.7 ટકા ઘટીને 3419.70 થયો હતો. આ ટુ વ્હીલર કંપનીએ સંગઠીત કરબાદ નફામાં 17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આ ઉપરાંત ટાયર ઉત્પાદક સિયેટ (Ceat) નો શેર ચાર ટકા ઘટીને 1086 થયો હતો. સિયેટે નબળી માંગના કારણે રૂ. 20 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે.

January 6, 2022
vibrant.jpg
1min476

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેતાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો રદ કરવામાં આવ્યો છે. તેમજ ટ્રેડ શો સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે પ્રાથમિક સ્કૂલોનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવે એવી શક્યતા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

હવે આ સમિટ નહીં યોજાય ગુજરાતમાં

December 31, 2021
Cia_business_news-1280x936.jpg
1min532

जयेश ब्रह्मभट्ट 98253 44944

कपडा उधोग को केलेन्डर इयर 2021 के अंतिम दिन आज टेक्षटाइल के व्यापार-उत्पादन से जुडे लोगो को बडी राहत मिली है की जीसे 2022 का साल खुशीयो से हरा-भरां बन पाएगा. आज हूई जी.एस.टी. काउन्सिल के मिटींग में कपडा उधोग पर कल दि. 1-1-2022 से लागू की जानेवाले 12 प्रतिशत टेक्स के संदर्भ में जारी किया गया 18 नवम्बर का नोटिफिकेशन स्थगित करने का निर्णय लीया गया है. फिलहाल कपडा उद्योग में इन्वर्टेड टेक्स स्ट्रक्चर जारी रहेगा. कल दि. 1 जनवरी 2022 से कपडा उधोग में 5 प्रतिशत जीएसटी ही लागू रहेगा.

કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટી વસૂલ કરવા સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ તા.18મી નવેમ્બર 2021ના રોજ જારી કરેલા નોટિફિકેશનને આજે જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. કપડા ઉદ્યોગમાં હાલનું ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર જ યથાવત રાખવાનો નિર્ણય આજે તા.31મી ડિસેમ્બરના રોજ મળેલ જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હોવાની માહિતી બિનસત્તાવાર રીતે મળી છે. સત્તાવાર રીતે નાણામંત્રી નિર્મલા સીતારમન બપોરે ત્રણ વાગ્યે મિડીયાને બ્રીફીંગ આપશે.

જીએસટી કાઉન્સિલની હવે પછીની મિટીંગમાં કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં જીએસટીના ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પમાં શું કરી શકાય એ અંગે ચર્ચા વિચારણા કરીને ફાઇનલ રોડ મેપ તૈયાર કરવાનું પણ આજની મિટીંગમાં નક્કી કરવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

આજે તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની મિટીંગના દ્રશ્યો

ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પ શોધવા માટે સ્ટેક હોલ્ડર્સ સાથે મિટીંગોનું આયોજન હવે પછીના સમયમાં કરવામાં આવશે.

December 30, 2021
Cia_business_news-1280x936.jpg
1min792

Jayesh Brahmbhatt 98253 44944

નાણામંત્રાયલે ખુબ જ શોર્ટ નોટિસથી આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ જીએસટી કાઉન્સિલની મિંટીગ યોજી છે. આ મિટીંગનો ઉદેશ કેન્દ્ર સરકાર સામે વિકસી રહેલા વધુ એક દેશવ્યાપી આંદોલનને થાળે પાડવાનો હોવાના સ્પષ્ટ સંકેત સમાન છે. ફક્તને ફક્ત ટેક્ષટાઇલ અને ફૂટવેયરમાં ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના મુદ્દે તા.1લી જાન્યુઆરી 2022 પહેલા કોઇ નિર્ણય લઇ શકાય એ માટે જ જીએસટી કાઉન્સિલની તાકીદની અને શોર્ટ નોટિસથી મિટીંગ યોજવામાં આવી છે.

વિકલ્પ -1

જીએસટી કાઉન્સિલની તા.31મી ડિસેમ્બરે મળનારી મિટીંગમાં ટેક્ષટાઇલ અને ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર દૂર કરીને 12 ટકા ફ્લેટ દરે જીએસટી વસુલ કરવા સંદર્ભે ગઇ તા.18મી નવેમ્બર 2021ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનનો અમલ તા.1લી જાન્યુઆરી 2022થી નહીં પરંતુ, તેને ત્રણેક મહિના એટલે કે તા.31મી માર્ચ 2022 સુધી મુલતવી રાખીને એ સમયગાળા દરમિયાન સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર વિમર્શ કરીને તા.1લી એપ્રિલ 2022થી કપડા ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગૂ કરવાનો નિર્ણય લેવાય શકે છે.

વિકલ્પ -2

જીએસટી કાઉન્સિલ એવો પણ નિર્ણય લઇ શકે કે કપડા અને ફૂટવેર ઉધોગમાં 12 ટકા જીએસટીના અમલ કરવા અંગે તા.18મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનને કાયમી રીતે રદબાતલ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચરનો અમલ યથાવત રાખવામાં આવે.

બે વિકલ્પ સિવાય ત્રીજો વિકલ્પ માટે તાકીદની મિટીંગ યોજાઇ જ ન હોત

જીએસટી કાઉન્સિલ જો 18 નવેમ્બરના નોટિફિકેશનનો અમલ કરાવવા માંગતી જ હોત તો આવતીકાલ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી મિટીંગ યોજવાનો કોઇ મતલબ કે હેતુ જ ના હોત

ટૂંકમાં એ વાત કન્ફર્મ છે કે ક્યાં તો 12 ટકા જીએસટી જાહેરનામાનો અમલ મુલતવી રાખવામાં આવે અથવા તો જાહેરનામું જ રદ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચર યથાવત રાખવામાં આવે. જાણકારો કહે છે કે નોટિફિકેશન રદ કરવા જેવું પગલું કેન્દ્ર સરકાર કે કાઉન્સિલ નહીં ભી શકે. પરંતુ, ત્રણેક મહિના મુલતવી રાખીને સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર મંથન કરીને બાદમાં તેનો અમલ કરવામાં આવે.

ટેક્સટાઇલ માર્કેટોએ આજે 30 સજ્જડ બંધ પાળ્યો

12 ટકા જીએસટીના વિરોધમાં સુરત શહેરની 98 ટકા જેટલી ટેક્ષટાઇલ માર્કેટોના વેપારીઓએ આજે તા.30મી ડિસેમ્બર 2021ના રોજ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે. અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.

થાળી વગાડી, કાળા વાવટી બતાવીને જીએસટીનો વિરોધ

December 21, 2021
food.jpg
1min566

રેસ્ટોરન્ટ્સમાંથી પૂરતું જીએસટી કલેક્શન આવતું ન હોવાની ફરિયાદના આધારે ગત ૧૭મી સપ્ટેમ્બરે જીએસટી પરિષદે નિર્ણય લીધો હતો

જાન્યુઆરી-૨૦૨૨થી ઓનલાઈન ફૂડ ડિલિવરી મોંઘી થઈ જશે. હવે ફૂડ ડિલિવરી એપ્સ ઉપર સીધો પાંચ ટકા જીએસટી લાગશે. તેના કારણે સરવાળે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકોને એ ચાર્જ એક નહીં તો બીજી રીતે આપવો પડશે. ગત ૧૭મી સપ્ટેમ્બરે જીએસટી પરિષદે આ નિર્ણય લીધો હતો.

ઓનલાઈન ફૂડ ડિલિવરી હવે મોંઘી થઈ જશે. જાન્યુઆરી-૨૦૨૨થી ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પાસેથી સરકાર પાંચ ટકા જીએસટી વસૂલશે. એ ચાર્જ ફૂડ ડિલિવરી એપ્સ ગ્રાહકો પાસેથી જ વસૂલશે. તેના કારણે દરેક ઓર્ડર ગ્રાહકો સુધી પહોંચશે ત્યારે સરેરાશ ૧૫-૨૦ જેટલો મોંઘો થઈ જાય એવી શક્યતા છે.

ગત સપ્ટેમ્બર માસમાં જીએસટી કાઉન્સિલે રેસ્ટોરન્ટને બદલે ફૂડ ડિલિવરી એપ્સ પાસેથી જીએસટી વસૂલવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે જે રેસ્ટોરન્સ પાસે જીએસટી રજિસ્ટ્રેશન ન હોય તેનું ફૂડ ઓનલાઈન ડિલિવરી એપ ગ્રાહકો સુધી પહોંચાડે તો તેનો ટેક્સ સરકારને મળતો ન હતો. માત્ર ફૂડ સેફ્ટીના લાઈસન્સના આધારે અસંખ્ય નાના ધંધાર્થીઓ ફૂડનો બિઝનેસ કરતા હોય છે. રેસ્ટોરન્ટ્સમાંથી પૂરતું જીએસટી કલેક્શન આવતું ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. એ પછી જીએસટી કાઉન્સિલે ફૂડ એપ્સ પાસેથી જ દર ઓર્ડરે પાંચ ટકા જીએસટી વસૂલવાની જાહેરાત કરી હતી. આમ તો કાયદાકીય રીતે જે ટેક્સ લાગે છે તેને સીધો ગ્રાહકો પાસેથી વસૂલી શકાશે નહીં, પરંતુ નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે ફૂડ ડિલિવરી એપ્સ ડિલિવરી ચાર્જ કે પેકિંગ ચાર્જ જેવા નામે બીજી કોઈ રીતે એ રકમ સરવાળે તો ગ્રાહકો પાસેથી જ વસૂલશે. તેના કારણે ઓનલાઈન ફૂડ હવે મોંઘું થઈ જશે.

December 21, 2021
bankloan_recovery.jpg
1min627

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓની ઍસેટ્સના વેચાણ મારફતે બૅન્કોએ રૂ. ૧૩,૧૦૦ કરોડ રિકવર કર્યા છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારમને Dated 20/12/21, સોમવારે કહ્યું હતું. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવેલી સૅક્ધડ બૅચ ઑફ સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફૉર ગ્રાન્ટ્સ અંગેની ચર્ચાનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે સપ્લિમેન્ટરી ડિમાન્ડ્સ ફૉર ગ્રાન્ટ્સે સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં વધુ રૂ. ૩.૭૩ લાખ કરોડનો ખર્ચ કરવાની સત્તા આપી છે.


રૅસિડ્યૂઅલ ઍસેટ્સ ધરાવતી કંપની અને ઍર ઈન્ડિયાની લાયાબિલિટીમાં રૂ. ૬૨,૦૦૦ કરોડ ઠાલવવા, ખાતર પર વધારાની સબસિડી પેટે રૂ. ૫૮,૪૩૦ કરોડ, નિકાસના ઈન્સેન્ટિવની બાકી રહેલી ચુકવણી પેટે રૂ. ૫૩,૧૨૩ કરોડ અને નેશનલ રૂરલ ઍમ્પ્લોયમેન્ટ 
ગૅરેન્ટી ફંડમાં ટ્રાન્સફર કરવા ગ્રામીણ વિકાસ ખાતાને રૂ. ૨૨,૦૩૯ કરોડ આપવાનો વધારાના ખર્ચમાં સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું. 

ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા ભાગેડુઓની ઍસેસ્ટના વેચાણમાંથી રૂ. ૧૩,૧૦૯.૧૭ કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. 

વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મોંઘવારીના મુદ્દા અંગે જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ખાદ્યતેલ સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓનાં ભાવ નીચા લાવવા સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે. 

નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) ઘટાડવા અને રિકવરી વધારવા સરકારે વ્યાપક પગલાં લીધા હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કોએ છેલ્લાં સાત વર્ષમાં રૂ. ૫.૪૯ લાખ કરોડ કરતા પણ વધુ રિકવર કર્યા હોવાની માહિતી સરકારે સોમવારે લોકસભામાં આપી હતી. 
લોકસભામાં આપેલા લેખિત ઉત્તરમાં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ભાગવત કરાડે જણાવ્યું હતું કે એનપીએના રિકવરી દરની વિગતો અંગે માહિતી આપતા આરબીઆઈએ કહ્યું હતું કે બૅન્કિંગ ઉદ્યોગમાં એનપીએના પરીપ્રેક્ષ્યમાં રિઝર્વ બૅન્કે રિકવરી રૅટની ઔપચારિક વ્યાખ્યા નથી કરી. 

એનપીએ અસરકારક રીતે ઘટાડવા અને રિકવરી વધારવા સરકારે વ્યાપક પગલાં લીધા હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કો છેલ્લા સાત વર્ષમાં રૂ. ૫.૪૯ લાખ કરોડ કરતા પણ વધુ રિકવર કરી શકી છે, એમ તેમણે કહ્યું હતું.  રિકવર કરવામાં આવેલાં નાણાંમાંથી ૮૬.૪ ટકા રકમ જાહેરક્ષેત્રની બૅન્કોમાં પાછી ઠાલવવામાં આવી હોવાને કારણે જાહેરક્ષેત્રની બૅન્કો હવે ખાતાદારો અને થાપણદારો માટે વધુ સુરક્ષિત બની છે, એમ તેમણે કહ્યું હતું.