CIA ALERT

બોલીવુડ Archives - Page 13 of 14 - CIA Live

July 4, 2018
sonali2.jpg
1min11940

બોલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતે હાઇગ્રેડ કેન્સરથી પીડીત હોવાનો ખુલાસો કરતા તેના પ્રશંસકોમાં ઘેરા દુખની લાગણીઓ સોશ્યલ મિડીયામાં વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં સોનાલી બેન્દ્રે અમેરિકામાં સારવાર લઇ રહી છે. બોલીવુડમાં ઇરફાન ખાનની બિમારીના ન્યુઝ બાદ સોનાલી બેન્દ્રેએ પોતાની બિમારી અંગે સોશ્યલ મિડીયા, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને સૌને આંચકાજનક સમાચાર આપ્યા છે.

સોનાલી બેન્દ્રેએ ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું એ અક્ષરસઃ અહીં પ્રસ્તુત છે.

” Sometimes, when you least expect it, life throws you a curveball. I have recently been diagnosed with a high grade cancer that has metastised, which we frankly did not see coming. A niggling pain led to some tests, which led to this unexpected diagnosis. My family and close friends have rallied around me, providing the best support system that anyone can ask for. I am very blessed and thankful for each of them. There is no better way to tackle this, than to take swift and immediate action. And so, as advised by my doctors, I am currently undergoing a course of treatment in New York. We remain optimistic and I am determined to fight every step of the way. What has helped has been the immense outpouring of love and support I’ve received over the past few days, for which I am very grateful. I’m taking this battle head on, knowing I have the strength of my family and friends behind me. 

July 3, 2018
1min14220

બોલીવુડના એક સમયના સુપરસ્ટાર, પોસ્ટર બોય અને એ પછી એંગ્રીયંગમેન બનેલા સંજયદતની બાયોપિક ફિલ્મ સંજુએ કમાણીના બધા રેકોર્ડ તોડી પાડ્યા છે. સંજુએ બાહુબલી-2નો ઓપનિંગ વીક એન્ડ બિઝનેસ પણ રેકોર્ડ બ્રેક કરી દીધો છે.

‘સંજુ’એ બોલિવૂડની મૂવી દ્વારા એક દિવસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેલુગુ ડ્રામા ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’ના હિન્દી વર્ઝનને પણ એણે પછાડી છે. ‘બાહુબલી: ધ કન્ક્લુઝન’એ એક દિવસમાં 46.50 કરોડની કમાણી કરી હતી.

બોલિવૂડમાં ખાન્સ (શાહરુખ, સલમાન અને આમિર) બોક્સ-ઓફિસના કિંગ ગણાય છે. કેમ કે, તેમની અનેક ફિલ્મ્સે પહેલાં વીકેન્ડમાં જ શાનદાર કમાણી કરાવી આપી છે. શાહિદ કપૂર અને રણવીર સિંઘની ‘પદ્માવત’એ પહેલાં વીકેન્ડમાં સદી ફટકાર્યા બાદ હવે રણબીર કપૂરે પણ આ અચિવમેન્ટ મેળવી છે.

જોકે, રણબીરની લેટેસ્ટ ફિલ્મ ‘સંજુ’એ સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘પદ્માવત’ને પાછળ છોડી દીધી હતી. ‘સંજુ’ ફિલ્મે પહેલાં બે દિવસમાં 73 કરોડથી વધુ કમાણી કરી હતી. જોકે, રવિવારે તો એણે 46.71 કરોડની કમાણી કરી હતી.

‘‘સંજુ’એ ઇતિહાસ રચી દીધો. કોઈ પણ હિન્દી ફિલ્મ દ્વારા એક દિવસમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ રચ્યો. ‘બાહુબલી 2′ દ્વારા સર્જવામાં આવેલો રેકોર્ડ તોડ્યો. ‘બાહુબલી 2’એ ત્રીજા દિવસે 46.50 કરોડની કમાણી કરી હતી. જોકે, ‘સંજુ’એ એનાથી વધારે ત્રીજા દિવસે 46.71 કરોડની કમાણી કરી હતી. ‘સંજૂ’ ફિલ્મને માઉથ પબ્લિસિટીથી ખાસ લાભ થઈ રહ્યો છે.

June 27, 2018
oscar_feature.jpg
1min15690

તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં

એકેડેમી ઓફ મોશન પીક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા વિક્રમસર્જક 928 નવા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહ રૂખ ખાન, તબ્બુ તેમ જ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહનો પણ સમાવેશ થાય છે. જગપ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ સંલગ્ન સંસ્થા વૈવિધ્ય વિસ્તારવા ઈચ્છતી હોવાથી અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે.

અકાદમીએ એક જાહેરાતમાં કહ્યું હતું કે નવા સભ્યોને લીધે મોટા પાયે વૈવિધ્યમાં વધારો થશે. કારણ કે 49 ટકા આમંત્રિત મેમ્બર્સ મહિલા છે તથા 38 ટકા લોકો ત્વચાના વિવિધ રંગ ધરાવે છે. સભ્યો તરીકે 59 દેશના કલાકારોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. 59 દેશના કલાકારોને સભ્યો તરીકે નોતરાં દેવામાં આવ્યાં છે.

ઓસ્કાર એકેડેમીના નવા આમંત્રિતોમાં ભારતનો દબદબો છે. તબુ, માધુરી દીક્ષિત, અનીલ કપૂર તેમ જ અભિનેતા અલી ફઝલને નિમંત્રણ દેવાયા છે. બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જી (બ્રીજ) તથા માધબી મુખરજી (ચારુલતા)નું નામ પણ આમંત્રણ મેળવનાર સભ્યોમાં છે.

યશરાજ ફિલ્મના આદિત્ય ચોપરા તથા નિર્માતા ગુણીત મોન્ગાને પણ આ નામાવલિમાં સ્થાન મળ્યું છે.

ઈમ્તીયાઝ અલીના રોકસ્ટારમાં કામ કરવા બદલ જાણીતા સિનેમાટોગ્રાફર અનિલ મહેતાને, કોસ્ચ્યુમ ડિઝાઈનર ડોલી અહલુવાલિયા તેમ જ મનીષ મલ્હોત્રાને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

June 25, 2018
gold2.jpg
1min11530

ગયા વર્ષે પહેલી જુલાઈથી જીએસટી અમલમાં આવ્યો ત્યારથી સોનાનો ગેરકાયદે વ્યાપાર ઘણો વધી ગયો છે. બુલિયન ડીલર્સ અને જ્વેલર્સનું કહેવું છે કે તેમના બિઝનેસને ફટકો પડ્યો છે.

નવી ટેક્સ સિસ્ટમ અમલમાં આવી ત્યારથી સરકારે વેચાણના જુદા જુદા પોઇન્ટ પર ટેક્સ ચોરીની તપાસ અટકાવી દીધી છે. સંગઠિત ગોલ્ડ ઇન્ડસ્ટ્રીને અપેક્ષા હતી કે જીએસટી લાગુ થવાથી ગેરકાયદે વેપાર અટકી જશે અને ટેક્સના નિયમોનું પાલન થશે. પરંતુ એમ થયું નથી તેવું ડીલર્સનો દાવો છે. તેમણે કહ્યું કે દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે જે દેશમાં સોનાનું સૌથી મોટું બજાર છે.

અગ્રણી બુલિયન સંચાલકે જણાવ્યું કે “જીએસટી લાગુ થયો ત્યારથી સોનામાં ગેરકાયદે બિઝનેસ વધ્યો છે. તેનું કારણ એ છે કે સરકારે ટેક્સ ચોરીની ફરજિયાત ચકાસણી અટકાવી દીધી છે.”

કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો
ગોલ્ડ પર ત્રણ ટકા જીએસટી અને 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે. કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારનાં કેન્દ્રો છે. જોકે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના આગેવાને કહ્યું કે ગેરકાયદે ટ્રેડ માત્ર દક્ષિણ ભારત પૂરતું મર્યાદિત નથી. પડોશી દેશોની સરહદ પરથી પણ ગેરકાયદે માલ લાવવામાં આવે છે. તેથી બુલિયન અને જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા પેદા થાય છે. આવી પદ્ધતિના કારણે પારદર્શક વેપાર થઈ શકતો નથી.”

ભારતમાં વર્ષે 800થી 850 ટન સોનાનો વપરાશ થાય છે. કુલ સ્થાનિક વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો 40 ટકા છે. ત્યાર બાદ 25 ટકા હિસ્સો પશ્ચિમ ભારત, 20 ટકા હિસ્સો ઉત્તર અને 15 ટકા હિસ્સો પૂર્વ ભારતનો છે.

કેટલાક ટ્રેડર્સ કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર રાજ્યોમાં દાણચોરીથી બુલિયન ઘુસાડે છે. તેને તેઓ ઘરેણાંમાં રૂપાંતરિત કરીને ડાયરેક્ટ સેલિંગ એજન્ટ મારફત વેચે છે. કેરળમાં 40 ટકા જ્વેલરી ઉત્પાદકો જ જીએસટી મુજબ કામ કરે છે.

June 22, 2018
deepika-padukon.jpg
1min12640

તા.22, જૂન 2018

આજે સવારથી જ સોશ્યલ મિડીયામાં એ વાત જોરશોરથી ચગી છે કે બોલીવુડમાં હાલમાં દબદબો ધરાવતા રણવીરસિંહ અને દિપીકા પાદૂકોણ મોટા ભાગે નવેમ્બર અથવા ડિસેમ્બર 2018 સુધીમાં પરણી જશે. જોકે, સત્તાવાર રીતે આ બન્ને હીરો હીરોઇનના કેમ્પમાંથી હજુ સુધી કોઇ વાત જાહેર થઇ નથી. પરંતુ, તેમના અંગત કર્મચારીઓના વર્તુળમાંથી વાત બહાર આવી છે અને આ બન્નેએ પોતાના લગ્ન અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

એક સમાચાર માધ્યમે તો ત્યાં સુધી લખ્યું છે કે તા.10મી નવેમ્બરના દિવસે દિપીકા પાદૂકોણ અને રણવીરસિંહ પ્રભુતામાં પગલાં માંડશે. આજે વહેલી સવારથી જ વિવિધ સોશ્યલ મિડીયામાં દિપીકા અને રણવીરના લગ્નની વાતોએ ધૂમ મચાવી દીધી છે. યુઝર્સ આ બન્નેના લગ્નની વાતોને ટ્રોલ કરી રહ્યાનું પણ જણાય આવે છે.

May 27, 2018
deepika-padukone-10-1280x800.jpg
1min12650

‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે

લગ્નની વાતો તો ક્યારની થયા કરે છે, કારકિર્દીને પ્રાથમિકતા આપી રહેલી બૉલીવૂડની સફળ અભિનેત્રી દીપિકા પદુકોણ હવે સુપર વુમન બનવા જઇ રહી છે. સંજય લીલા ભણસાળી નિર્મિત ‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મને સાઇન કરી છે. દીપિકાની કિસ્મત તેનો પૂરતો સાથ દઇ રહી છે.

એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રણવીર સિંહે દીપિકા સાથેના લગ્ન વિશે જણાવ્યું હતું કે ‘અમે બંને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા ઇચ્છીએ છીએ. લગ્ન વિશે અમારો હજુ કોઇ વિચાર નથી. દીપિકા પણ હવે લાંબા સમય બાદ કામે ચઢી જશે.’

સુપર વુમન પર બની રહેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મકારો હૉલીવૂડની ‘વંડર વુમન’થી પ્રભાવિત થઇને ભારતમાં ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જો દીપિકા સુપર વુમન બનશે તો તેને પણ સુપરહીરોની જેમ સારો અને આકર્ષક કોસ્ચ્યુમ જોઇશે. ફિલ્મી કાનાફૂસી અનુસાર આ વિશે જાણવા મળ્યું છે કે તેનો પોષાક એકદમ સેક્સી અને આકર્ષક હશે. હજુ ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી નથી. આ પોષાકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે, જેથી એક્શન સીન્સ કરતી વખતે દીપિકાને મુશ્કેલીઓેનો સામનો ન કરવો પડે! ફિલ્મ માટે દીપિકાને ભારે મહેનત કરવી પડશે. તેને માર્શલ આર્ટસની સાથે કપરા એક્શન દ્રષ્યો ભજવવાની તાલીમ મેળવવી પડશે. આવતા વર્ષે ફિલ્મના શૂટિંગને શરૂ કરી દેવામાં આવશે.

May 27, 2018
geeta-kapoor-759.jpg
1min12050

ફિલ્મ ‘પાકીઝા’માં અભિનય કરનાર અભિનેત્રી ગીતા કપૂરનું શનિવારે ૫૭ વર્ષની ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થયું હતું. આ અંગેની જાણકારી ફિલ્મમેકર અશોક પંડિતે ટ્વીટ કરીને આપી હતી.

ગયા વર્ષે અભિનેત્રીનો પુત્ર રાજા તેને ગોરેગાંવમાં આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં બ્લડપ્રેશરની સારવાર માટે લઇ ગયો હતો. એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને તે ગીતાને છોડીને હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો. રાજા કૉરિયોગ્રાફર છે, જ્યારે ગીતાની પુત્રી પૂજા ઍર હોસ્ટેસ છે.

‘પાકિઝા’ અને ‘રઝિયા સુલતાન’ સહિત ગીતાએ ૧૦૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

ગીતા કપૂરના નિધન અંગે દુ:ખ વ્યકત કરતા અશોક પંડિતે ટ્વીટ કર્યું હતું કે ‘ગીતા કપૂરના પાર્થિવ શરીર પાસે ઊભો છું. જેને તેના બાળકો એક વર્ષ પહેલા એસઆરવી હૉસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા. આજે સવારે તેમણે વૃદ્ધાશ્રમમાં અંતિમશ્ર્વાસ લીધા. અમે તેની સંભાળ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે પુત્ર અને પુત્રીની રાહમાં દિવસેને દિવસે કમજોર થતી ગઇ’.

પંડિતે જણાવ્યું હતું કે ‘વૃદ્ધાશ્રમમાં સવારે નવ વાગ્યેે તેનું કુદરતી રીતે મૃત્યુ થયું હતું, જ્યાં તે છેલ્લા એક વર્ષથી હતી. તે કમજોર થતી જતી હતી અને પ્રવાહી પદાર્થ ખાઇને જ જીવી રહી હતી.

એક દિવસ પુત્ર રાજા તેને લેવા માટે જરૂર આવશે અને તેને વૃદ્ધાશ્રમમાંથી લઇ જશે એ જ આશાએ તે જીવતી હતી, એમ પંડિતે જણાવ્યું હતું.

પંડિત અને ફિલ્મમેકર રમેશ તોરાણીએ જ ગીતાનું હૉસ્પિટલનું બિલ ભર્યું હતું અને તેની સંભાળ પણ લીધી હતી.

પંડિતના જણાવ્યા અનુસાર તેના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં બે દિવસ માટે રાખવામાં આવશે, જેથી કરીને તેને લઇ જઇ અંતિમ સંસ્કાર કરે.

જો તેઓ માતાના શબને લેવા નહીં આવે તો સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરાશે, એમ પંડિતે જણાવ્યું હતું.

May 26, 2018
tiger.jpg
1min19650

‘બાગી ટુ’ ફિલ્મની સફળતા પછી ટાઇગર શ્રોફ બહુ ફોર્મમાં આવી ગયો છે. તેની સરખામણી રિતિક રોશન અને સલમાન ખાન સાથે થવા લાગી છે. તેને નવી નવી ફિલ્મો પણ મળવા લાગી છે. તેના પિતા જેકી શ્રોફ અને માતા આયેશા પણ તેની સફળતાથી ખુશ છે. ટાઇગર તેની સખત મહેનતથી આગળ આવી રહ્યો છે અને હજુ પોતાને નવોદિત જ માને છે. ટાઇગર તેની નવી ફિલ્મો અને કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરે છે.

બાગી ટુ’ની સફળતા. કપરો સમય પણ આવ્યો હતો.

કોઇને અપેક્ષા ન હતી કે ‘બાગી ટુ’ ફિલ્મને આટલી બધી સફળતા મળશે. મારો કહેવાનો અર્થ કે તેમાં સલમાન જેવો કોઇ સ્ટાર ન હતો. મારા નિર્માતા સાજિદ નડિયાદવાલા પણ આશ્ર્ચર્યમાં પડી ગયા હતા. તેમણે મને કહ્યું કે તેમણે નિર્માતા તરીકે તેમની કોઇ ફિલ્મને આટલી સફળતા મેળવતા જોઇ નથી. હું તો ખુશ થઇ ગયો કે મારું ટેન્શન ઉતરી ગયું. ‘હીરોપંતી’થી ડેબ્યુ કર્યા પછી મારે નિષ્ફળતાનો દોર પણ જોવો પડ્યો હતો. ફિલ્મો નહોતી મળતી. તેની અસર મારા માતા-પિતા પર પણ પડી હતી, પણ ‘બાગી ટુ’ની સફળતા પછી તેમના ચહેરા પર પણ ખુશી આવી ગઇ છે. મારા પિતાએ તો મારી માતાને ભેટીને કહ્યું કે હું મારા પુત્ર માટે ગર્વ અનુભવું છું.

રૂ. ૧૦૦ કરોડની ફિલ્મનો હીરો બની ગયો.

અંગત રીતે મારા પર એની કોઇ અસર નથી થઇ. મારી ફિલ્મને સફળતા મળી તેનાથી જ હું ખુશ છું. મને ફિલ્મ રૂ. ૧૦૦ કરોડની ક્લબમાં આવે તેવી કોઇ ખેવના નથી. તેના પછી મને બીજી ફિલ્મ મળી તેની મને ચોક્કસ ખુશી છે. હવે હું ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’નું શૂટિંગ કરી રહ્યો છું. ઉપરાંત યશરાજની રિતિક રોશન સાથેની ફિલ્મ પણ અત્યારે ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. આથી મને ‘બાગી ટુ’ની સફળતાની અસર દેખાય છે.

રિતિક રોશન સાથે કામ કરવા માટેનો રોમાંચ.

રિતિક રોશન તો મારા બાળપણના આઇડલ અને પ્રેરણા છે. મારી કારકિર્દીમાં આટલી જલદી તેમની સાથે કામ કરવાનું મળતા મારું સપનું સાકાર થયેલું લાગે છે. ફિલ્મમાં અમારા બંનેના સાથે ઘણાબધા એકશન સીન્સ છે. રિતિક સર હંમેશાંથી ગ્રેટેસ્ટ સુપરહીરો છે. હું તેમનો ચાહક છું. તેમની ‘ક્રિષ’ ફિલ્મ જોઇને મને ઇર્ષ્યા પણ થાય છે કે આવી ફિલ્મ મને કરવા મળે તો! મેં તેમની આ ફિલ્મ અગણિત વખત જોઇ છે અને તેમની બૉડી લૅંગ્વેજ અને કશ્ચ્યુમ્સ પર બહુ ધ્યાન આપતો હોઉં છું.

‘ફ્લાઇંગ જાટ’ પછી તારી સરખામણી પણ રિતિક સાથે થાય છે.

મારી સરખામણી રિતિક સર સાથે થઇ શકે નહીં. તે બહુ શ્રેષ્ઠ કલાકાર છે. મારી ફિલ્મ ‘ફ્લાઇંગ જાટ’ તો રેમો ડિસૌઝા સરનો પ્રયાસ હતો, જેમાં મને સુપર હીરો બનાવવામાં આવ્યો હતો.

પિતા જેકી શ્રોફે પણ ૩૦ વર્ષ પહેલા સુપરહીરો ફિલ્મ ‘શિવા કા ઇન્સાફ’ કરી હતી.

મારા પિતાની તે ફિલ્મ મારી હંમેશની મનપસંદ ફિલ્મ છે. બાળક તરીકે હું તે ફિલ્મ બહુ જોતો. દરેક બાળકનો પહેલો હીરો તેના પિતા હોય છે. મારા પિતા મારા પ્રથમ સુપરહીરો હતા. મારા માટે તે સુપરમેન અને બેટમેન બંને છે. મને મારા પિતાને દેસી સુપરહીરો બનતા જોવાની બહુ મઝા આવે છે. મારા પિતાએ ક્યારેય જોકે, સુપરહીરો બનવાના પ્રયત્ન નથી કર્યા. તે તેમનામાં કુદરતી શક્તિ છે. તેમની ઊંચાઇ બહુ છે, તેમનો શારીરિક બાંધો સુસજ્જ છે અને તેમની બોડી લૅંગ્વેજ બહુ સારી છે. આથી તે સુપરહીરો જેવા જ લાગે છે. મારે તેમના સુધી પહોંચવા માટે બહુ મહેનત કરવાની જરૂર છે.

તને નવી પેઢીને સલમાન ખાન કહેવામાં આવે છે.

મારા માટે તે બહુ વધારે પડતું છે. તે બહુ સીનિયર કલાકાર છે અને બહુ ઉમદા સ્ટાર પણ. મારી તો હજુ પાંચ જ ફિલ્મો આવી છે. આથી તેમની સાથે સરખામણી કરવી યોગ્ય ન કહેવાય. મારા પિતા સાથે મારી સરખામણી કરવા જેવું તે છે.

દિશા સાથેના તારા સંબંધો.

અમે અંગત રીતે એકબીજા સાથે જે સંબંધો ધરાવીએ તે મારે જાહેરમાં શું કામ કહેવા જોઇએ? અમારી વચ્ચે જે છે તે છે.

May 24, 2018
D-1.jpg
1min13270
65મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મનીષ સૈનીની ‘ઢ’ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ બની છે. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીનું દિગ્દર્શન છે. મૂળ હરિયાણા અને હાલ અમદાવાદના પાલડીમાં રહેતા મનીષ સૈની એનઆઈડીના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આ ફિલ્મનું બજેટ બે કરોડ જેટલું હતું. અભ્યાસ દરમિયાન જ તેમણે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ માટે જ્યારે નસીરુદ્દીન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે ફિલ્મ માટે સારી સ્ટોરી હોવાનું કહ્યું હતું, ત્યાર બાદ તેમણે ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ફિલ્મમાં સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે. જોકે ફિલ્મ હજી થિયેટરમાં રિલીઝ થવાની બાકી છે. આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઊભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી,  આ ફિલ્મમાં નસિરુદ્દીન શાહ એક જાદુગરની ભૂમિકામાં છે. આ પહેલાં 2017માં ‘રોંગ સાઇડ રાજુ’ને પણ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
આ સિવાય હિન્દી ફિલ્મ ‘ન્યૂટન’માં ઉમદા અભિનય બદલ પંકજ ત્રિપાઠીને સ્પેશિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ઉપરાંત દિવંગત અભિનેત્રી શ્રીદેવીને ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ‘બાહુબલી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મ, બેસ્ટ એક્શન ડિરેક્શન અને બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ મૂવીનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ કોરિયોગ્રાફીનો એવોર્ડ ‘ટોઇલેટ – એક પ્રેમ કથા’ને આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ગણેશ આચાર્યે કોરિયોગ્રાફી કરી છે. ‘ગાઝી’ને બેસ્ટ તેલુગુ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.
May 24, 2018
racc3.jpg
1min12850

સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ઈદ પર રીલિઝ થઈ રહેલી ફિલ્મ રેસ-3 સાથે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનના બિઝનેસમાં પણ ઝંપલાવશે.

સલમાને ફિલ્મ બજરંગી ભાઈજાન સાથે ફિલ્મ પ્રોડક્શન પણ શરૂ કર્યું હતું અને સલમાન ખાન ફિલ્મનું બેનર બનાવ્યું છે. રેસ-3માં સલમાનખાન સહ નિર્માતા તો છે જ અને હવે સલિમ ખાનના નામે તે આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન કાર્ય પણ સંભાળશે. સલમાનના પિતા સલિમ ખાન પોતે પણ આ બિઝનેસ પર નજર રાખી રહ્યા છે.

સલમાનની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ માટે બે ડિસ્ટ્રીબ્યૂટર મેદાનમાં હતા પણ આ ફિલ્મનું ડિસ્ટ્રીબ્યુશન સલમાને પોતે જ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું ટ્રેઈલર અને એક સોંગ રીલિઝ થઈ ગયું છે અને તેને ખુબ જ સારો પ્રતિસાદ પણ સાંપડ્યો છે તે જોતા ઈદના તહેવારે રીલિઝ થનારી આ થ્રિલર ફિલ્મને સારો પ્રતિસાદ મળવાની સંભાવના છે.

આ ફિલ્મ રેમો ડિસુઝાએ ડિરેક્ટ કરી છે અને રમેશ તોરાની આ ફિલ્મના સહ નિર્માતા છે.