CIA ALERT

બ્લોગ Archives - Page 8 of 10 - CIA Live

August 26, 2019
Senior-Citizen.jpg
3min21340

આપણા દેશમાં સોશ્યલ સિકયુરિટી જેવી સુવિધા નથી, એટલે નિવૃતિ બાદના જીવન માટે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. ખાસ કરીને જેઓ બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય. અન્યથા મોટી ઉંમરે પણ માણસે કામ કરતા રહેવું પડે છે. બદલાતા સંજોગોમાં ભારત સરકારે હજી વધુ રાહત માટે વિચારવાની જરૂર જણાય છે. સાઈઠની ઉંમરે ભારતીય નાગરિક વરિષ્ઠ નાગરિક બની જાય છે. અમુક કેસોમાં તો મહિલાઓને ૫૮ની ઉંમરે જ વરિષ્ઠ નાગરિકનો દરજજો અપાયો છે. આ તબક્કે સરકાર તરફથી વિવિધ લાભ અને સુવિધામાં પ્રાધાન્ય મળવાનો આરંભ થાય. 

વરિષ્ઠ નાગરિકોની વસતિ

સેન્સસ ૨૦૧૧ મુજબ ભારતનાં ૬૦ થી વધુ વયના લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે. વરસ ૨૦૨૬ સુધીમાં આ સંખ્યા વધીને ૧૭ કરોડ ઉપર જવાનો અંદાજ મુકાયો છે. ચોકકસ દસ્તાવેજ (જેમાં ઉંમરનું પ્રુફ આવી જાય અને રેસિડન્સનું પ્રુફ પણ આવી જાય) સાથે સરકારી ફૉર્મ ભરીને સિનિયર સિટિઝન કાર્ડ મેળવી શકાય છે, જે તેના લાભ મેળવતી વખતે બતાવવું જરૂરી હોય છે.

પ્રધાનમંત્રી વયવંદના યોજના

બીજી સ્કીમ છે, પ્રધાનમંત્રી વયવંદના યોજના. આ સ્કીમમાં અગાઉ વ્યક્તિદીઠ સાડા સાત લાખના રોકાણની છૂટ હતી, જે હવે પંદર લાખ કરાઈ છે. સ્કીમનો સમયગાળો દસ વરસનો છે. આમાં પણ સરકારની ગેરન્ટી હોવાથી સંપૂર્ણ સલામતી ગણાય. સરકાર તરફથી ૮ ટકાનું વાર્ષિક વ્યાજ પણ નિશ્ર્ચિત. આ વ્યાજ દર મહિને પણ મળી શકે, જો વર્ષેે લેવાનું રાખો તો તે ૮.૩ ટકા મળે. જો કે આ વ્યાજ પર ટૅકસ લાગે છે. આ રોકાણમાં કલમ ૮૦ સીનો લાભ મળતો નથી. આ સ્કીમમાં પણ વચ્ચેથી ચોકકસ શરતો-ધોરણોને આધિન નાણાં ઉપાડવા મળે છે. 

આટલું યાદ રાખો: સિનિયર સિટિઝન સ્કીમ જાહેર ક્ષેત્રની બૅન્કો અને પોસ્ટ ઑફિસોમાં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રી વયવંદના યોજનાનું માત્ર એલઆઈસી (લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન) માર્કેટિંગ-ડિસ્ટ્રીબ્યુશન કરે છે. 

અડધો ટકો વધુ વ્યાજ

બૅન્ક એફડી-રિકરિંગ ડિપોઝિટ, પોસ્ટ ઑફિસ ડિપોઝિટમાં સિનિયર સિટિઝનને અન્ય કરતાં અડધો ટકા વધુ વ્યાજ મળે છે તેમ જ તેમની ૫૦૦૦૦ રૂપિયા સુધીની વ્યાજની આવક સેકશન ૮૦ટીટીબી હેઠળ ટૅક્સ ફ્રી રહે છે જે અન્ય માટે માત્ર ૧૦૦૦૦ રૂપિયા છે.

આર્થિક સ્વતંત્રતાનું મહત્ત્વ

કમાણી શરૂ થાય ત્યારથી જ બચત પણ શરૂ કરી દેવી જોઈએ. એ પછી પચાસ, પાંચસો કે પાંચ હજાર રૂપિયા હોઇ શકે છે. નિવૃત્તિ પછીની આત્મનિર્ભરતા માટે આ પાયાની જરૂર છે. સંતાનોના કે અન્ય કોઈના પણ ભરોસે રહેવાના દિવસોે ગયા. રિટાયરમેન્ટ પછી મળેલા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટીના પૈસા બૅન્ક એફડીમાં મુકાતા હોય છે. વ્યાજની રકમ ઘર વપરાશ માટે વાપરી શકાય. રોકાણ આયોજનની સમજ ન હોય તો નિષ્ણાત અને વિશ્ર્વસનિય વ્યક્તિની સલાહ લેવી. સરકારી યોજના-સુવિધા: સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકોને જે લાભ મળે છે યા તેમની માટે જે ખાસ યોજના કે સુવિધા છે તેને જાણીએ-સમજીએ.

પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના

આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી શ્રમ માનધન યોજના હેઠળ પેન્શન સ્કીમ લોન્ચ કરી, જેમાં બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ૬૦ વરસની ઉંંમર બાદ મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળે છે. આ પેન્શનનો લાભ મહિલાઓને પણ અપાયો છે. આમાં નોકરીના સમય દરમિયાન કામદારે મહિને ૧૦૦ રૂપિયા જમા કરવાના રહે છે. વધુમાં બૅન્કો તથા પોસ્ટ ઑફિસ ડિપોઝિટ સ્કીમમાં અગાઉ વ્યાજ પર ટીડીએસ માટેની મર્યાદા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦,૦૦૦ કરાઈ છે. હવે ૪૦ હજાર રૂપિયા સુધી ટીડીએસ લાગુ થતો નથી. ઉપરાંત ટૅકસ સ્લૅબ માટે સુપર સિનિયર સિટિઝન માટેની વયમર્યાદા પણ ઘટાડીને ૭૦-૭૫ કરી છે. 

વરિષ્ઠો માટે સરકારની બે ખાસ રોકાણ યોજના

સિનિયર સિટિઝન બન્યા બાદ નાણાં કયાં રોકવા એ મુંઝવણ હોય અને તેમને નિયમિત આવકની સાથે પૂર્ણ સલામતીની પણ અપેક્ષા હોય તો સૌપ્રથમ તેમણે સરકારની બે યોજના જાણી લેવી જોઈએ. જેમાં એક છે, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, જેમાં રોકાણકારને વાર્ષિક ૮.૭ ટકાના દરે (દર ત્રિમાસિક ગાળામાં) વ્યાજ મળી શકે છે. આ વ્યાજ કરપાત્ર હોય છે, આમાં એક વ્યક્તિ મહત્તમ ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ એક સાથે કરવાને બદલે ગમે ત્યારે કરી શકાય છે. આ સ્કીમમાં નાણાં રોકયા બાદ પાંચ વરસ રાખી મુકવા પડે છે. પાંચ વરસ બાદ એ નાણાં પરત મળી જાય તેની ગૅરન્ટી સરકાર આપે છે. આ સ્કીમ સંપૂર્ણ સલામત ગણાય. સ્કીમમાં પાંચ વરસ બાદ વધુ ત્રણ વરસનું એકસટેન્શન થઈ શકે એવી જોગવાઈ પણ છે. આમાં વચ્ચેના સમયમાં નાણાં ઉપાડી લેવા હોય તો સરકારના ચોકકસ નિયમો મુજબ અમુક સમયગાળા બાદ એમ થઈ શકે. સિનિયર સિટિઝન પતિ-પત્ની બંને મળીને આ સ્કીમમાં ૩૦ લાખ સુધીની રકમ રોકી શકે છે જેમાં વાર્ષિક ૮.૭ ટકા ના વ્યાજને ગણતરીમાં લઈએ તો મહિને અંદાજે ૨૦ થી ૨૨ હજાર જેવી રકમ તેમને મળી શકે. વધુમાં આ રોકાણમાં દોઢ લાખ સુધીની રકમને કલમ ૮૦ સી હેઠળ કરરાહત પણ મળે છે. 

એર અને રેલ્વે ટ્રાવેલમાં રાહત

વરિષ્ઠ નાગરિકોને ઍર ઈન્ડિયા તરફથી ઍર ટ્રાવેલમાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટ ઑફર થાય છે, જયારે રેલ્વે ભાડાંમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અપાય છે. આમાં રાજધાની અને શતાબ્દી સહિતની દરેક ટ્રેન સામેલ થાય છે. રેલવેમાં ભાડાની સવલત માટે પુરુષ ૬૦ વર્ષની ઉંમરે જ્યારે મહિલા ૫૮ વર્ષની ઉંમરે સિનિયર સિટિઝન ગણાય છે. મહિલાઓને એર ઈન્ડિયા તરફથી એર ટ્રાવેલમાં પણ ૫૮ની ઉંમરે ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. હવે તો ટ્રેન અને બસોની બેઠકમાં પણ સિનિયર સિટિઝન માટે રિઝર્વ બેઠકો રખાય છે. ઘણી જગ્યાએ વરિષ્ઠ નાગરિક માટે અલગ લાઈન રખાય છે. 

આવકવેરાના લાભ

૬૦થી ૮૦ વરસના સિનિયર સિટિઝને ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅકસ ભરવાનો આવતો નથી, ત્રણથી પાંચ લાખ સુધીની આવક પર પાંચ ટકા, પાંચથી વધુ અને દસ લાખ સુધીની આવક પર ૨૦ ટકા અને દસ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટૅકસ ભરવાનો થાય છે. ૮૦ વરસથી મોટા સિનિયર સિટિઝન માટે પાંચ લાખ સુધીની આવક કરમુકત છે. બાકી ઉપર મુજબ ટૅકસ લાગે છે. સ્ટાન્ડર્ડ ડિડકશન સિંગલ વ્યક્તિ માટે

રૂપિયા ૧૮,૩૫૦ છે, જયારે કપલ સંયુકત રીતે રિટર્ન ફાઈલ કરે તો ૨૪,૪૦૦ છે. 

૮૦ વરસથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટિઝનને પચાસ લાખથી વધુ અને એક કરોડ સુધીની આવક પર ચાર ટકા વધારાનો એજયુકેશન અને હેલ્થ સેસ લાગે છે. દસ ટકા સરચાર્જ લાગે છે. છેલ્લા બજેટમાં સરકારે પાંચ લાખ સુધીની વાર્ષિક આવક કરમુક્ત કરી છે જેમાં વરિષ્ઠ નાગરિક પણ આવી જાય છે. જોકે, પાંચ લાખની ઉપર આવક જાય તો તેને વર્તમાન સ્લૅબ મુજબ ટૅક્સ લાગુ થાય છે.

બચત – રોકાણનાં સલામતી અને જોખમ

રોકાણ અને બચત કઇ રીતે કરવા? આ સવાલ મોંઘવારીના માહોલમાં તેમ જ સંતાનો વિના એકલા રહેતા લગભગ દરેક વરિષ્ઠ નાગરિકને મુંઝવે છે. સરકારી બચતના સાધનોમાં અને બૅન્કોની ફિકસ્ડ ડિપોઝિટના વ્યાજદર ઘટતા રહયા છે. લોકોનું આયુષ્ય વધી રહયું છે એ પરિસ્થિતિમાં મુળભુત જરૂરિયાતો સાથે મેડિકલ ખર્ચ માટેની જોગવાઈ પણ રાખવી પડે છે. મોટાભાગના લોકો તો બચત અને રોકાણ બાબતે સતત મુંઝવણમાં રહે છે. શેરબજાર મોટી ઉંમરે જોખમી લાગે છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે ઝાઝું સમજાતું નથી, સરકારી બચત યોજનાઓ કે બૅન્કોની ડિપોઝીટ પૂરતું વળતર નથી આપી શકતા. 

મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમ

જો તમારી પાસે મોટું કોરપસ ફંડ હોય અને તમારે નિવૃત્તિ બાદ નિયમિત આવકની ઈચ્છા હોય તો આ બે સ્કીમ શ્રેષ્ઠ ગણાય. આ પછી તમારું રોકાણ પ્રવાહિતાની સુવિધા ખાતર બૅન્કની એફડીમાં રાખવું જોઈએ. ત્યારબાદ ત્રીજું રોકાણ મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં કરી શકાય. આ સ્કીમમાં પ્રવાહિતા સારી હોવાથી ૨૪ કલાકમાં પણ તમને નાણાં પરત મળી જાય છે. આ સ્કીમમાં રોકાણ કરી ત્રણ વરસ બાદ ઉપાડો તો તેના કેપિટલ ગેઈન પર ઈન્ડેકસેશન સાથે ૨૦ ટકાના દરનો લાભ મળે છે. ડેટ સ્કીમની પસંદગી સમજીને કરવી જોઈએ. 

કૉર્પોરેટ એફડી પણ અજમાવી શકાય

આ ઉપરાંત સારા ટ્રૅક રેકૉર્ડવાળી કંપનીઓની એફડીમાં પણ રોકાણ કરી શકાય, આમાં ૧૦ થી ૧૫ ટકા કરતા વધુ નાણાં રોકવા નહીં અને માત્ર ટ્રિપલ એ રેટિંગવાળી જ એફડી પસંદ કરવી. જોખમ લઈ શકવાની ક્ષમતા હોય તો સારા ફંડામેન્ટલ્સવાળા શેરમાં રોકાણ કરી શકાય અથવા મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ પસંદ કરી શકાય. અલબત્ત આની પસંદગી સમજી-વિચારીને યા સાચી સલાહ મેળવીને જ કરવી. સિનિયર સિટિઝન બન્યા બાદ કુલ રોકાણપાત્ર ફંડના ૭૫ થી ૮૦ ટકા રોકાણ સિકયોર્ડ સાધનોમાં રાખવું અને બાકીનું ૧૫ થી ૨૦ ટકા ઇક્વિટીમાં કરી શકાય. 

ઈપીએફ મહત્તમ જમા થવા દો

સેલરી કલાસ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગને ધ્યાનમા ંરાખતા તેમની નોકરી ચાલુ હોય ત્યારે એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)માં હિસ્સો કપાવીને મહત્તમ રોકાણનો પ્રયાસ કરવો જોઈએ. આ સાધનમાં ૮.૬૫ ટકા વળતર ટૅક્સ ફ્રી મળે છે. અલબત્ત આમાં સરકાર તરફથી સમયાંતરે ફેરફાર થઈ શકવાની શકયતા હોય છે.

હેલ્થ ઈન્શ્યુરન્સ ખાસ રાખો

જીવન વીમા જેવા સાધનને ઈન્વેસ્ટમેન્ટ ગણવું નહીં. જયારે કે હેલ્થ વીમો પહેલેથી યોગ્ય રકમનો રાખવો અને અમુક ઉમંર બાદ તે ન મળે તો હેલ્થ ખર્ચ માટે અલગથી ફંડ બૅન્ક એફડીમાં જમા કરતા જવામાં શાણપણ ગણાય. સરકારે વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય સંદર્ભે કંઇક અલગ વિચાર કરીને નવી યોજના લાવવી જોઇએ. અત્યારનું માળખું ઘણાં સિનિયર સિટિઝનની પહોંચ બહાર છે.

ટીડીએસના લાભ

હવે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવનાર વરિષ્ઠ નાગરિક બૅન્ક અને પોસ્ટ ઑફિસ ડિપોઝિટના વ્યાજ પરના ટીડીએસમાંથી ફોર્મ ૧૫ એચ ભરીને કરમુક્તિ મેળવી શકે છે. અગાઉ આ મર્યાદા અઢી લાખની હતી.

વરિષ્ઠ પેન્શન બીમા યોજના

એલઆઈસી (લાઈફ ઈન્શ્યુરન્સ કૉર્પોરેશન) એક વરિષ્ઠ પેન્શન બીમા યોજના ચલાવે છે. આ યોજનામાં દસ વર્ષ સુધી આઠ ટકા વ્યાજની ખાતરી હોય છે. અગાઉ આમાં સાડા સાત લાખનું જ રોકાણ થઈ શકતું હતું, જે હવે ૧૫ લાખ રૂપિયા સુધી થઈ શકે છે. આ સાથે આ યોજનામાં મહિને દસ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. પેન્શનરૂપે મળતું વ્યાજ મહિને, ત્રણ મહિને, છ મહિને કે વરસે મેળવવાનો વિકલ્પ અપાય છે. આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં મેડિકલ ચેકઅપની ફરજ પડાતી નથી. પાકતી મુદત પહેલાં ધારક કોઈ ગંભીર બિમારીનો શિકાર બને તો તેને નાણાં ઉપાડવાની સવલત અપાય છે. આમાં ચોકકસ શરતોને આધિન લોન પણ મળે છે.

વરિષ્ઠ મેડિક્લેઈમ પૉલિસી

નૅશનલ ઈન્શ્યુરન્સ કંપની ૬૦થી ૮૦ની ઉંમરના વરિષ્ઠો માટે વરિષ્ઠ મેડિકલેઈમ પૉલિસી સાથે હેલ્થ ઈન્શ્યુરન્સ પણ ઑફર કરે છે. એમાં એક લાખ રૂપિયા સુધીનું હૉસ્પિટલ કવરેજ મળે છે અને ગંભીર બિમારીમાં બે લાખ સુધીનું કવરેજ મળે છે. આ પૉલિસીને ૯૦ વરસની ઉંમર સુધી પણ લંબાવી શકાય છે. આમાં દવા, બ્લડ, ઑક્સિજન વગેરે ચાર્જ કવર થાય છે. રૂપિયા ૧૦૦૦ સુધીનો સ્પેશ્યલ એમ્બ્યુલન્સ ચાર્જ પણ અપાય છે. બે લાખ સુધીના કવર સામે કૅન્સર, બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર બિમારીમાં હૉસ્પિટલાઈઝેશન વિના પણ કલેમ પાસ કરાય છે.

August 8, 2019
jain-chaturmas.jpg
2min20230

જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે. ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.

ચાતુર્માસના ચાર મહિનામાં વરસાદના કારણે અનેક જીવ-જંતુઓ ઉતપન્ન થતાં હોવાથી આ જીવોની હિંસા ન થાય, તેમની જયણા જળવાય, તેમની રક્ષા થઈ શકે એ માટે ચાતુર્માસના ચાર મહિના જૈન સાધુ-સાધ્વીઓને એક જ સ્થાને સ્થિર રહેવાનો આપણાં ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ આદેશ અપાયો છે.

ભારતની શ્રમણ સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. એમાંય જૈન શ્રમણોની ચાતુર્માસ ચર્ચા લોકો માટે ઉપકારક બની રહી છે. જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસના આ ચાર મહિના સવિશેષ તપ-જપ-ધ્યાન-ધર્માભ્યાસમાં ગાળે છે. અન્યોને પણ ધર્મોપદેશ આપી ધર્મ માર્ગે જોડે છે, ધર્મમાં સ્થિર કરે છે.

જૈનોમાં ચાતુર્માસનો આ સમય અષાઢ સુદ-૧૪થી કારતક સુદ-૧૫ સુધીનો હોય

જૈનોમાં ચાતુર્માસનો આ સમય અષાઢ સુદ-૧૪થી કારતક સુદ-૧૫ સુધીનો હોય છે. આ ચાતુર્માસમાં શ્રાવક-શ્રાવિકાઓને સંયમ, આચાર અને અનુશાસનનું પાલન કરવાનું હોય છે. શ્રમણ ભગવંતોનો ઉપદેશ શ્રવણ કરવાનો હોય છે. આ સમયે તપશ્ચર્યાનો મહિમા પણ અધિક જોવા મળે છે. અઠ્ઠાઈથી માંડીને માસક્ષમણ અને એથી પણ અધિક તપસાધના આ ચાતુર્માસમાં જૈનો કરતા હોય છે.

અઠ્ઠાઈથી માંડીને માસક્ષમણ અને એથી પણ અધિક તપસાધના આ ચાતુર્માસમાં જૈનો કરતા હોય

આ ચાતુર્માસમાં ચાર મહિના જૈનોએ ગુરુ ભગવંતની આજ્ઞાથી

  • (૧) જ્ઞાનાચાર
  • (૨) દર્શનાચાર
  • (૩) ચારિત્રાચાર
  • (૪) તપાચાર અને
  • (૫) વીર્યાચાર

એમ પાંચ પ્રકારના નિયમોનું પાલન કરવાનું હોય છે. આજના યુગમાં આ ઉપકારક પાંચ નિયમોનું પાલન થઈ શકે તો ચાતુર્માસના ચાર મહિના પણ આ નિયમોનું પાલન થઈ શકે તો જીવોનું અવશ્ય કલ્યાણ થઈ શકે.

આ પાંચે નિયમોમાં જ્ઞાનાચારમાં ગુરુ ભગવંતોના વ્યાખ્યાનાદિ શ્રવણ કરવું, ધર્મસૂત્રો, ગાથાઓ વગેરે કંઠસ્થ કરવી, નવકાર મંત્રનો જાપ કરવો, એઠા મુખે બોલવું નહીં વગેરે નિયમોનો સમાવેશ થાય છે.

જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.

દર્શનાચારમાં પરમાત્માનાં નિત્ય દર્શન, સેવાપૂજા-સ્તવના કરવી, પરમાત્માની આંગી કરવી-કરાવવી, પરમાત્માનો જાપ કરવો, ગુરુ વંદન કરવું વગેરે નિયમો આવી જાય છે.

ચારિત્રાચારમાં દરરોજ અથવા પર્વ તિથિએ સામાયિક, પ્રતિક્રમણ કરવું, દરરોજ અથવા પર્વતિથિએ પૌષધ કરવો, વાહન, ચંપલ, ગાદીનો ત્યાગ કરવો. સિનેમા, ટીવી, વિડિયો વગેરેનો ત્યાગ કરવો એ નિયમોનો સમાવેશ થાય છે.

તપાચારમાં નવકારશી, પોરસી, તિવિહાર, ચોવિહારનું પાલન કરવું. લીલોતરી, ફ્રૂટ, મીઠાઈનો ત્યાગ કરવો, પર્વતિથિએ ઉપવાસ, આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરે તપ કરવું, તપસ્વીઓની ભક્તિ કરવી વગેરે નિયમોનું પાલન કરવાનું છે.

વીર્યાચારમાં સામૂહિક અનુષ્ઠાનોમાં ભાગ લેવો, સંઘની પ્રવૃત્તિઓમાં જોડાવું, સંપતિ, વસ્ત્ર, ભોજન આદિનું દાન કરવું, શક્તિ ગોપાવ્યા વિના આરાધના કરવી, નિયમિત પણે ધર્મપાલન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

જૈન ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ

જૈન ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ કરવાનું કહેવાયું છે. ચાતુર્માસમાં એનો સવિશેષ અમલ જોવા મળે છે. પરંતુ આખું જીવન આ ચારે ભાવનાનું પાલન થાય તો એ જીવને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થયા વિના રહે નહીં.

આ ચાર ભાવનામાં દાનવૃત્તિથી ધનની મમતા-લાલસા દૂર કરવાની છે. શીલ દ્વારા ભોગ-વિલાસ, વિષય-વાસના દૂર કરવાની છે, તપ-આહારની ઇચ્છા અવરોધી કર્મની નિર્જરા કરવાની છે. ભાવના દ્વારા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની ભયંકરતા ટાળવાની છે. દાન-ધર્મથી ધન્ના, શાલિભદ્ર વગેરે અતુલ સુખ-સમૃદ્ધિ પામ્યા હતા. શીલ ધર્મથી સુદર્શન શેઠ, સતી કલાવતી વગેરે સ્વર્ગસુખ પામ્યાં હતાં. તપધર્મથી મહાત્મા દૃઢ પ્રહારી, ઢંઢણકુમાર વગેરે ઋષિઓ મોક્ષપદને પામ્યા હતા. ભાવધર્મથી મહર્ષિ પ્રસન્નચંદ્ર, ઇલાશીકુમાર, મટુદેવી માતા વગેરે સિદ્ધિપદને પામ્યાં હતાં.

માત્ર ચાતુર્માસમાં જ નહીં, પૂરા વર્ષમાં તિથિઓનું ભારે મહત્વ અંકાયું છે. એમાં બે બીજને દર્શન તિથિ કહેવાય છે અને એ સમ્યક આરાધના માટે છે. બે પાંચમ અને બે અગિયારસ આ ચાર પર્વતિથિઓ જ્ઞાનતિથિઓ છે. એનાથી ચૌદપૂર્વના જ્ઞાનની આરાધના થાય છે. બે આઠમ, બે ચૌદશ, એક પૂર્ણિમા અને એક અમાસ આ છ પર્વતિથિઓને ચારિત્રતિથિઓ કહેવાય છે. આ ચારિત્રની આરાધના માટે છે.

ચાતુર્માસમાં ઉકાળેલું પાણી વાપરવાનું કહેવાયું છે. માત્ર ચાતુર્માસમાં જ નહીં, પૂરા જીવનમાં ઉકાળેલું પાણી વાપરવાથી જીવરક્ષાનું મહાપુણ્ય તમે કમાઈ શકો. ત્રણ ઊભરા આવેલું ઉકાળેલું પાણી નિર્જીવ એટલે કે જીવ વિનાનું બને છે. એમાં શિયાળામાં ચાર પ્રહર, ઉનાળામાં પાંચ પ્રહર અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી જીવો ઉત્પન્ન થતા નથી. જ્યારે કાચા પાણીમાં સમયે-સમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આથી ઉકાળેલું પાણી પીવાથી સર્વ જીવોનું રક્ષણ થઈ શકે છે.

ચાતુર્માસના શ્રાવણ મહિનાના ચાર દિવસોમાં અને ભાદરવા મહિનાના ચાર દિવસોમાં પર્વોનો રાજા કહેવાય એવા પર્યુષણ મહાપર્વનું આગમન થાય છે.

ચાતુર્માસના શ્રાવણ મહિનાના ચાર દિવસોમાં અને ભાદરવા મહિનાના ચાર દિવસોમાં પર્વોનો રાજા કહેવાય એવા પર્યુષણ મહાપર્વનું આગમન થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં આઠ દિવસનું પર્યુષણ પર્વ હોય છે તો દિગમ્બર સંપ્રદાયમાં દસ દિવસનું દશ લક્ષણી પર્વ હોય છે. આ મહાપર્વના દિવસોમાં લોકો પરમાત્માની પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાનાદિ શ્રવણ અને યશાશક્ય તપસાધના કરે છે.

પર્યુષણ પર્વનો અંતિમ દિવસ સંવત્સરી પર્વ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ બદલ, વૈર-વિરોધ બદલ લોકો આ દિવસે પરસ્પરને હૃદયથી ક્ષમા કરે છે, એકબીજાને ખમાવે છે.

ચાતુર્માસના આ દિવસોમાં અષાઢ મહિનામાં ગુરુનો મહિમા કરતું પર્વ ગુરુપૂર્ણિમા અને આસો મહિનામાં શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક-દિવાળી પર્વ તેમ જ કારતક મહિનામાં બેસતા વર્ષે પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન કલ્યાણક આવે છે. કારતક શુક્લ પક્ષની પંચમી એ જ્ઞાનપંચમી છે. જૈનો આ દિવસે જ્ઞાનની ભાવપૂર્વક આરાધના કરે છે. આમ આ પર્વો જૈનો ખૂબ જ આનંદ  અને ઉલ્લાસપૂર્વક ઊજવી પરમાત્માએ પ્રરૂપેલા આચારધર્મનું યથાશક્ય પાલન કરી પોતાનું શ્રેય સાધે છે.

August 7, 2019
LRB-lokrakshak-constable-2018.jpg
4min5190
Book about Consumer Protection and gavel in a court.
  1. RIGHT TO FILE A COMPLAINT FROM ANYWHERE

” The new law empowers you to file a complaint with the District Consumer Commission or State Consumer Commission from your place of residence or work instead of the present practice of consumer filing case at place of purchase or where the seller has its registered office. This will reduce harassment of consumers. A complaint can also be filed at the district commission by a recognised consumer body or by multiple consumers with the same interest. Consumer affairs ministry will frame rules for filing of complaints electronically and will also specify norms for paying the required fee digitally.

  • RIGHT TO SEEK COMPENSATION UNDER PRODUCT LIABILITY

A complainant can file a case against a product manufacturer or seller for any loss caused to him or her on account of a defective product. This applies to all services as well. The manufacturer shall be held liable if there is a manufacturing defect or if there is deviation from the manufacturing specifications or the product does not conform to the express warranty The new law recognises “sharing personal information of consumers” as an unfair trade practice. The provision brings e-commerce under its ambit.

  • RIGHT TO PROTECT CONSUMERS AS A CLASS

A complaint relating to violation of consumer rights or unfair trade practices or misleading advertisements, which are prejudicial to the interests of consumers as a class, may be forwarded either in writing or in electronic mode, to any one of these authorities — the district collector or the commissioner of regional office or the Central Consumer Protection Authority (CCPA) for class action.

  • RIGHT TO SEEK A HEARING THROUGH VIDEO CONFERENCING

The law says every complaint shall be heard by district commission on the basis of an affidavit and documentary evidence placed before it. If an application is made for hearing or for examination of parties through video conference, the commission can allow this.

  • RIGHT TO KNOW WHY A COMPLAINT WAS REJECTED

The commission cannot reject a complaint without hearing the complainant. The commission has to decide about admitting or rejecting a complaint within 21 days. If the commission doesn’t decide within the time limit, it shall be deemed to have been admitted. If the consumer commission finds that a settlement is possible, it can direct both the parties to give their consent to have the dispute settled through mediation.

August 5, 2019
eid-1280x720.jpg
2min12290

રબતઆલાના ફઝલો કરમથી મુસ્લિમ બંધુઓના આંગણે એક ઈદ પછી બીજી ઈદની ખુશ આમદીદ થઈ રહી છે. આ બંને ઈદમાં અમલ અને અમનનો સંદેશો સમાયેલો છે. 

પહેલી ઈદ આખો મહિનો રોજા રાખી નમાઝ અને કુરાને મજિદની ઈતાઅત કરી ઈલાહી આજ્ઞા ઉપર સાબિત કદમ રહીને તેઓએ ઉજવી અને આ બીજી ઈદ તે 

ઈદુઝ – ઝોહા – જે સબક આપે છે તે એ છે, કે અલ્લાહ પાકને ખુશ કરવા માટે પોતાની પ્રાણપ્યારી વસ્તુને કુરબાન કરો; જેવી રીતે પયગંબર હઝરત ઈબ્રાહિમ અલૈયહિ સલ્લામ પોતાના પ્રાણથી પણ વધારે પ્યારા પુત્ર હઝરત ઈસ્માઈલ અલૈયહિસલ્લામની કુરબાની આપવા કટિબદ્ધ બની ગયા અને એ કસોટીમાંથી પાર ઊતરતા તેમની જગ્યાએ જાનવરની કુરબાની અપાઈ ગઈ અને એ સમસ્ત ઈસ્લામી જગત માટે જાએઝ ગણાઈ ગઈ. 

આ ત્યાગની ભાવનાને સ્પષ્ટ કરતો પ્રસંગ નામે મુસલમાન પૂરી અદબ સાથે ઉજવશે, ઈદ નમાઝ અને ઈદ પૂર્વેના નવ દિવસ રોજા (ઉપવાસ) રાખવાનો અવસર ચૂકશે નહીં. 

બૂરાં આમાલો અને બદ્ફેઈલીઓથી શક્ય દૂર રહેવાનો પ્રયત્ન કરશે તે સાથે કોમ-પરકોમની દુ:ખી બાંધવાનો સુખાકારી માટે પોતાના મોજશોખને કુરબાન કરવા બનતું બધું કરશે પણ આ બધું થોડા દિવસ માટે જ કર્યા પછી ‘જૈસે થે વૈસે’ જેવી સ્થિતિ નિર્માણ થવા પામે નહીં તે માટે સતત જાગૃત રહેવા સજાગ બનવું પડશે. જો એવું બનવા નહીં પામે તો કુરબાનીની અસલ ભાવના, ધગશ, ફરજના રંગની ઝલકમાં જરૂર ઝાંખપ જણાયા વિના નહીં જ રહે. 

દીને ઈસ્લામના છેલ્લા પયગંબર હઝરત મોહંમદ સલ્લાલ્લાહો અલૈયહિ સલ્લામે ‘અલ્લાહતઆલાને જે નાપસંદ હોય તેનો ત્યાગ કરવો’ એને સર્વોત્તમ હિજરત કહી છે. 

રબતઆલાને અસત્ય, બુરાઈ, મતલબપરસ્તી પસંદ નથી, એ તો ધાર્મિક પુસ્તકો દ્વારા સૌ મુસ્લિમો જાણે છે. આલિમ (જ્ઞાની, વિદ્વાનો)ના પ્રવચનો દ્વારા અવારનવાર ઈલ્મ હાંસલ પ્રાપ્ત થાય છે અને તેઓ તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહે છે. 

દીને ઈસ્લામ ઉપદેશ – બોધ આપે છે કે, નાનો હોય કે મોટો! સ્વાર્થને ત્યાગો અને આપી દેવાનો ગુણ એટલે જ કુરબાની – ત્યાગવૃત્તિ. 

માલો-દૌલતનો મોહ નહીં રાખનાર એવા એક જ્ઞાની હકીમનો એક ઐતિહાસિક પ્રસંગ બોધ આપનારો બની રહેવા પામશે : આપનું નામ હકીમ અબુઅલી બીન હાશિમ. 

આપના ઈલ્મોજ્ઞાનથી આકર્ષાઈ ઈસ્ફાહાન શહેરના એક શ્રીમંતે એકસો દીનાર (તે સમયના નાણાં)નો મુશારો (મહેનતાણું) આપવાની શરતે શિષ્યપદ સ્વીકાર્યું અને આ અમીરે દર મહિને મોટી રકમ આપતા રહેવાનું જારી રાખ્યું. 

ત્રણ વર્ષ પછી અમીરે સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી લઈ પોતાના વતન જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે હકીમ સાહેબે તેની પાસેથી મુશારા તરીકે મેળવેલી બધી રકમ તેને પરત કરી દેતાં કહ્યું – ‘મને પૈસાનો કોઈ મોહ નથી, હું તો તને અજમાવતો હતો કે તમે માયા પ્રત્યે મોહિની છે કે નહીં? મેં તારામાં જબરી ત્યાગવૃત્તિ જોઈ તને જરૂરી શિક્ષણ આપવા પ્રત્યે સતત કાળજી સેવી અને હવે તું જ્યારે તારે દેશ જાય છે, ત્યારે તને નાણાંની જરૂર પડશે, કે જેની મને જરા પણ દરકાર નથી. વળી, ભલાઈના કામનું મહેનતાણું લેવું એ નેક કાર્યમાં રૂશ્વત ખાવા બરાબર હું ગણું છું.’

ઈસ્લામી શાસન સમયનો આ કિસ્સો આજના આ યુગમાં પણ બંધબેસતો જોવા મળે છે. કોમ-પરકોમના એવા અનેક આલિમો-વિદ્વાનો-શિક્ષકો છે, જેઓ આવાં કાર્યોને પ્રચારની પરવા કર્યા વગર નિભાવતા હોય છે, પરવરદિગારનો રાજીપો હાંસલ કરતા હોય છે. આવા વાટના પથ્થરોને સલામ. 

કુરબાનીની ઈદનો સંદેશ એ પણ મળે છે, કે ઈદના દિવસે મોજ-શોખ જેવી બાબતોનો ત્યાગ કરવામાં આવે, નિરાધારો, ગરીબ ગુરબાંઓને મદદ કરવામાં આવે, પૈસાના અભાવે જેઓ મહેનતની રોટી મેળવી શકતા નથી તેમને નાનો-મોટો ધંધો કરી શકે તે માટે આર્થિક મદદ કરવામાં આવે.

જો એક-બે વ્યક્તિ આ કાર્ય કરવામાં અસમર્થ હોય તો મોહલ્લાના પાંચ-દસ લોકો ટીમ બનાવી તેને રોજીરોટી કમાતો કરી શકે. આવી ટીમ દરેક મોહલ્લામાં બનાવી શકાય. આ માટે તેનું આખું કુટુંબ જે દુઆ દેશે તે બેડો પાર કરી દેશે. 

ટૂંકમાં, કુરબાનીનો તકાજો એટલો જ છે, કે પોતાની મનેચ્છાની કુરબાની કરો અને જેણે નફસને કુરબાન કરી તેમાં ત્યાગવૃત્તિ આપોઆપ પ્રવેશશે, દાખલ થઈ જશે. 

મહાન ગુજરાતી કવિ શ્રી બરકત વિરાણી ‘બેફામ’ની ચાર પંક્તિઓ પ્રેરણા આપનારી બની રહેવા પામશે:

પરસ્પરના હૃદયનો પ્યાર લઈને ઈદ આવી છે, 

મનુષ્યોના જીવનનો સાર લઈને ઈદ આવી છે. 

સબક દે છે બધા ઈન્સાનને એ ભાઈચારાનો, 

બધાનો સંપ ને સહકાર લઈને ઈદ આવી છે.

July 29, 2019
jalabhishek.jpg
2min12900

શ્રાવણ મહિનો આવતા જ વરસાદની રિમઝિમ વાછટની વચ્ચે ઉત્તર ભારતમાં ચારે તરફ બોલ બમ, બોલ બમની ગૂંજ વહેતી થઇ જાય છે. તે કાવડ યાત્રાના ભક્તોના ઉલ્લાસ સ્વરની ગૂંજ હોય છે. આમ તો સામાન્ય રીતે શિવ ભક્ત શ્રાવણનો મહિનો શરૂ થતાં જ ગંગા નદી તરફ જવા નીકળી પડે છે અને તેનું પવિત્ર જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે. પણ જે ક્ષેત્રોમાંથી ગંગા નદી બહુ દૂર હોય છે ત્યાં 

બીજી પવિત્ર નદીનું જળ લાવીને ભગવાન શિવ પર ચડાવાય છે. 

પશ્ર્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ હવે કાવડનીપરંપરા શરૂથઇ ગઇ છે. નાસિક પાસે આવેલા ત્ર્યંબકેશ્ર્વરમાં ભગવાન ત્ર્યંબકેશ્ર્વર એટલે કે શિવનો ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં 

આવે છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં કૃષ્ણા, કાવેરી નદીઓના જળથી પણ ભગવાન શિવનો જળાભિષેક થાય છે. 

પણ મૂળ તો કાવડની ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા ઉત્તર ભારતની જીવંત પરંપરાનો હિસ્સો છે. હરિદ્વાર અને ઋષિકેશથી અત્યારના દિવસોમાં જળ લાવીને શિવ ભક્તો પૂરા દેશમાં શિવ મંદિરોમાં જાય છે, જેના 

કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાંચલનો એક મોટો હિસ્સો શ્રાવણમાં કાવડ યાત્રાથી તરબોળ થઇ જાય છે. 

જો પૌરાણિક દૃષ્ટિએ જોઇએ તો એવું માનવામાં આવે છે કે રાવણ, પરશુરામ અને ભગવાન રામ દુનિયાના પહેલા કાવડિયા હતા, જેમણે નદીઓમાંથી પવિત્ર જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. તેની પાછળ ધાર્મિક વાર્તાનીદૃષ્ટિએજોઇએ તો પૌરાણિક કાળમાં દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ૧૪ રત્ન નીકળ્યા હતા. આ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું, જે બીજા દેવતાઓની વિનવણીથી ભગવાન શિવે પી લીધું હતું. 

કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે તે ઝેર પી લીધું તો તે એટલું બધું કડવું હતું કે તેને પીતા જ તેમનું પૂરું ગળું નીલા રંગનું થઇ ગયું. આથી જ તેમનું એક નામ નીલકંઠ પણ છે. તેનાથી ભગવાન શિવનું શરીર એકદમ ગરમીથી બળવા લાગ્યું. આથી તેમની દાહક ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ તેમના શરીર પર જળનો વરસાદ વરસાવ્યો. 

આ રીતે તેમના ભક્તોએ પણ તેમનો જળાભિષેક કર્યો. ત્યારથી જ આખા શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જળાભિષેક થાય છે. આખા દેશની પવિત્ર નદીઓમાંથી જળ લાવીને તેમના પર ચડાવવામાં આવે છે. જેથી પ્રતીકરૂપે પણ તેમના શરીરની ગર્મી ખતમ થઇ જાય. આ જળાભિષેક આખો શ્રાવણ માસ થાય છે. પણ સૌથી વધારે મંદિરોમાં ભીડ તેરસ અને ચૌદશે થાય છે. આ દિવસોમાં તો લાખો, કરોડો ભક્તો શિવની જળ આરાધના કરે છે. 

જોકે, તેનું ફક્ત ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ કાવડનું કારણ એક જબરજસ્ત સામાજિક અને સાંસ્કૃતિક કારણ પણ છે. વાસ્તવમાં કાવડ જળની મહત્તાને સ્થાપિત કરવા માટેનું કાર્ય પણ છે. 

લોકો સેંકડો હજારો માઇલ પગે ચાલીને પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે તો એક તરફ જળ એ મહત્ત્વની સંસ્કૃતિ છે તેની જાણ થાય છે તો બીજી બાજુ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોનું એક સામાજિક મિલન પણ થઇ જાય છે. જ્યાં સુધી આ કાવડ યાત્રાના કાયદા કાનૂનની વાત છે તો તે બહુ સ્થાયી પ્રકારના નથી. 

આથી ક્યાંક તો કાવડિયા પોતાના ઘરેથી ગંગા કે 

કોઇ બીજી પવિત્ર નદી સુધી પગપાળા જાય છે. પછી ત્યાંથી કાવડ લઇને ચાલે છે. પછી જ્યાં સુધી ભગવાન શિવ પર જળ નથી ચડાવી દેવાતું ત્યાં સુધી તે ના તો ક્યાંય અટકી શકે છે કે ના તો અન્ન, જળ ગ્રહણ કરી શકે છે. 

પણકાવડ યાત્રીઓનો કોઇ એક નિયમ નથી. જુદી જુદી જગ્યાએ અને એક જ જગ્યાએપણ જુદા જુદા કાવડ યાત્રીઓ જુદા જુદા પ્રકારના નિયમોનું પાલન કરે છે. કેટલાક કાવડ યાત્રી હરિદ્વાર કે ઋષિકેશથી જળ લાવીને કેટલાંક પગલાં પગપાળા ચાલે છે અને તેના પછી કોઇ વાહનમાં પોતાની કાવડ રાખીને પોતાના ગંતવ્ય સ્થાન કે તે મંદિર સુધી પહોંચે છે જ્યાં તેમને ભગવાન શિવનો જળાભિષેક કરવાનો હોય છે. 

અત્યારેહિન્દુ ધર્મની તમામ બીજી ધાર્મિક, સાંસ્કૃતિક ગતિવિધિયોની જેમ અહીં પણ કોઇ કટ્ટર નિયમ નથી. જેમને જેટલી શ્રદ્ધા હોય છે એ પરંપરાને તે તેટલી જ મહેનતથી સંપન્ન કરે છે. 

આ પ્રકારની ધાર્મિક ગતિવિધિયો ફક્ત આપણને અપ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ સાથે આત્મસાત કરવાની શીખ આપે છે એટલું જ નહીં પણ માણસની ભાવનાઓ, આસ્થા અને તેના સદીઓ જૂના વિચારોનું નિરંતર પ્રદાન કરે છે.આથી શ્રાવણ મહિનામાં બોલ બમ, બોલ બમની ગૂંજ ફક્ત ધાર્મિક સંદેશ જ નથી આપતી, પણ પ્રકૃતિ અને માનવીની સામંજસ્યતાનો મૂળ સંદેશ પણ આપે છે.

July 23, 2019
aronyateshganguly.jpg
1min5970
aronyatesh ganguly

એક પાંચ વર્ષનું બાળક બ્લડ કેન્સર(લ્યુકેમિયા)નો ભોગ બને છે. તેની સારવાર ચાલે છે અને આઠમાં વર્ષે તો છેક રશિયા જઇ ટેબલટેનિસ રમીને દેશ માટે ગોલ્ડ મેડલ લઇ આવે એ ખરેખર આઠમી અજાયબીથી વિશેષ બીજું શું હોઇ શકે, ભલા? 

જી હા, વાત છે પશ્ર્ચિમ બંગાળમાં જન્મેલા અરોણ્યાતેષ ગાંગુલીની. ૨૦૧૬માં પાંચ વર્ષની ઉંમરે અરોણ્યાતેષને લ્યુકેમિયા થયું છે તેવું નિદાન થયું. આ લોહીના કેન્સરને નાથવા તેણે મુંબઇની ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં અગિયાર મહિના સુધી રહેવું પડ્યું. આટલી નાની ઉમરમાં કેમોથેરપીના અનેક રાઉન્ડ સહન કર્યા, કેટલીયે દવા-ગોળીઓના કોર્સ કર્યા ત્યારે ૨૦૧૮ના ડિસેમ્બરમાં તેને ડૉક્ટરો દ્વારા કેન્સરમુક્ત જાહેર કરવામાં આવ્યો. જોકે તેણે રેગ્યુલર તપાસ અને સારવાર તો લેતા જ રહેવી પડશે જેથી કરીને આ બીમારી પાછી દેખા ન દે. 

એક વાત તો નક્કી છે કે માણસ પાસેથી ભગવાન કંઇક છીનવતો હોય છે તો તેને કંઇક આપતો પણ હોય છે. કોઇ અંધજનને ભગવાને ભલે આંખો ન આપી હોય પણ કંઠ સારો આપ્યો હોય છે. તેઓ સારુ ગાઇ શકતા હોય છે. અરોણ્યાતેષને ભલે કેન્સર જેવી બીમારી આપી પણ સાથે સાથે તે એક નહીં પણ અનેક રમતગમતો સારી રીતે રમી શકે એવી ટેલન્ટ પણ આપી છે. ટાટા હોસ્પિટલના આ લાંબા વસવાટ દરમ્યાન અહીંના ડૉક્ટરો અને સ્ટાફને અરોણ્યાતેષમાં સ્પોર્ટ્સ પ્રત્યે જે લગાવ અને પ્રેમ હતો તેની ખબર પડી. હવે રશિયામાં બે રશિયન કલાકારો ચુલ્પન ખામાટોવા અને ડીના કોર્ઝુને એક ગીફ્ટ ઓફ લાઇફ નામનું એવું ફાઉન્ડેશન ઊભું કર્યું છે જે દર વર્ષે દુનિયાભરના કેન્સર પીડિત બાળકો માટે સ્પર્ધાઓનું આયોજન કરે છે. વર્ષ ૨૦૧૦થી આ સ્પર્ધાઓ દર વર્ષે જુલાઇ મહિનામાં નિયમિતપણે યોજાય છે. વર્લ્ડ ચિલ્ડ્રન્સ વિનર્સ ગેમ તરીકે ઓળખાતી આ સ્પર્ધામાં મુખ્યત્વે દોડવાની, તરવાની , રાઇફલ શૂટિંગની, ચેસ, ટેબલ ટેનિસ અને ફૂટબોલની સ્પર્ધાઓ યોજાતી હોય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દર વર્ષે ટાટા હૉસ્પિટલ તેને ત્યાં સારવાર લેતા પ્રતિભાશાળી કેન્સરપીડિત બાળકોને રશિયાના મોસ્કો શહેરમાં મોકલતી હોય છે. અ હોસ્પિટલના પીડિયાટ્રીક ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી પ્રમાણે અરોણ્યાતેષમાં ઉપરોકત છ એ છ રમતગમતો સારી રીતે રમી શકવાની આવડત છે. 

જુલાઇ,૨૦૧૯ ના પ્રથમ સપ્તાહ દરમ્યાન ટાટા હોસ્પિટલે આવા દસ કેન્સર પીડિત બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા માટે રશિયા મોકલ્યા હતાં. આ દસ બાળકોમાંથી એક માત્ર અરોણ્યાતેષ જ એવો હતો જે સૌથી નાની ઉમરનો અને એક માત્ર બંગાળનો વતની હતો. બાકીના નવ જણા મુંબઇના હતાં. અન્ય દેશોમાંથી પણ ઘણા કેન્સર પીડિત બાળકો અહીં આવ્યા હતા. અરોણ્યાતેષે ઉપરોકત છયે સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ ટેબલટેનિસમાં તો પ્રથમ સ્થાન પર આવીને ભારત માટે સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો. જોકે, કરૂણતા એ વાતની છે કે અરોણ્યાતેષ દેશ માટે ભલે સુવર્ણ ચંદ્રક લાવ્યો, પરંતુ કેન્સરની સારવાર માટે તેની માતાએ સોનાના દાગીના પણ વેચી દેવા પડ્યા હતાં. નસીબજોગે તેમને પાછળથી ખાનગી મદદ મળી ગઇ. ડિસેમ્બર ૨૦૧૮માં જ્યારે અરોણ્યાતેષ કેન્સરના ભયાનક મુખમાંથી સાજો થઇને બહાર આવ્યો ત્યારે પરગજુ લોકોએ સારવારનો ખર્ચો ચૂકવી દઇ અરોણ્યાતેષના માબાપ માથેથી ભાર હળવો કરી દીધો હતો. 

આ નાનકડો દદીર્ર ખરેખર ગોલ્ડ મેડલ માટે લાયક હતો. તેણે મહેનત પણ સખત કરી હતી. તેણે જે દિવસોમાં આ બધી રમતગમતોમાં ભાગ લેવા માટે તાલીમ લીધી, તે સમયનું ટાઇમ ટેબલ જુઓ તો સમજાઇ જાય કે તેણે કેટલો પુરુષાર્થ કર્યો હશે. 

અરોણ્યાતેષે સ્પર્ધા શરૂ થઇ એના બે મહિના પહેલાં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે તેનો દિવસ રોજ સવારે સાડા પાંચે ઊગી જતો હતો. નિત્ય ક્રમ પતાવીને સવારે ૬ થી ૭.૩૦ દરમ્યાન દોડવાની તાલીમ માટે ટ્રેક પર જવાનું અને સાથે ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની. ત્યાર બાદ તરવાની તાલીમ અને તેના પછી ચેસ તેમ જ ટેબલટેનિસની પ્રેક્ટિસ કરવાની. બાકી રહી ગયુ રાઇફલ શૂટિંગ. હવે શૂટિંંગની પ્રેક્ટિસ માટે તો સાંજનો સમય જ બચતો હતો, અને એ માટે પણ એણે ઘરથી દૂર દૂરના વિસ્તાર સુધી લાંબા થવું પડતું હતું તેમ તેની મમ્મી કાવેરી ગાંગુલી જણાવે છે. આટલું ઓછું હોય તેમ વચ્ચે વચ્ચે હૉસ્પિટલ જઇને શરીરનું રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ પડતું હતું. જોકે, તેના અદમ્ય ઉત્સાહની વાત કરીએ તો ૪થી ૭ જુલાઇ સુધી મોસ્કોમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેની સાથે ગયેલી માતા કાવેરી કહે છે કે તેને આ સ્પર્ધાઓમાં ભાગ લેવાનો એટલો આનંદ હતો કે એ ભૂલી જ ગયો હતો કે પોતે બીમાર છે. એ કોઇ પણ રમત ગમત શીખવા માટે તૈયાર હોય છે અને તેના માટે તેને દૂર દૂર જવું પડે તોય થાકતો કે કંટાળતો નથી. 

અરોણ્યાતેષ પાસે આ દરેક રમતો રમવાની કુશળતા હતી એમ તો તેના દરેક કોચ પણ કહે છે. રાઇફલ શૂટિંંગના કોચ પંકજ પોદાર તો કહે છે કે અરોણ્યાતેષ ખરેખર પ્રતિભાથી ભરપૂર બાળક છે. તાલીમના બીજા જ દિવસે તેણે ધાર્યું નિશાન પાર પાડીને બતાવ્યું હતું. તે ખરેખર કુદરતી બક્ષિસ ધરાવે છે. આટલી નાની ઉંમરે તેનામાં જે શાંત મન અને એકાગ્રતા જોવા મળે છે એ ખરેખર આશ્ર્ચર્યજનક છે. 

ઉલ્ લેખનીય છે કે આ કોચ તેની પાસેથી એક રૂપિયો પણ ફી લેતા નથી, ઉલટાનું અરોણ્યાતેષ જે સંસ્થામાં આ તાલીમ લઇ રહ્યો છે એ લોકો કોઇ એવા સ્પોન્સરરની શોધમાં છે જે અરોણ્યાતેષની તાલીમ આગળ જતા પણ ચાલુ રખાવે. માત્ર પોદાર જ નહીં, અરોણ્યાતેષને જેણે ટેબલટેનિસની તાલીમ આપી એ સૌમેન મુખરજી હોય કે ચેસ શીખવ્યું એ શરદ વઝે હોય કે પછી તરવાની પ્રેક્ટિસ કરાવતા કોયેલ નિયોગી હોય. બધા જ તેની પ્રતિભા અને ઊર્જાના બેમોઢે વખાણ કરે છે. દરેક જણ તેની લડાયક વૃત્તિ પર આફરીન છે. 

વાત તો સાચી છે. કોઇ વ્યક્તિ એક કે બહુ બહુ તો બે રમતમાં પ્રભુત્વ ધરાવતી હોય, પરંતુ અડઘો ડઝન જેટલી રમતોમાં સારો દેખાવ કરવો, દરેક રમતની તાલીમ માટે પૂરતો સમય આપવો અને તે પણ કેન્સરના જોખમમાં થી હમણા બહાર આવી હોય તેવી બાળ વય ધરાવતી વ્યક્તિ આ બધુ એકાગ્રતાપૂર્વક કરી શકે, ગોલ્ડ મેડલ પણ લાવી શકે એ સાનંદાશ્ર્ચર્ય છે. 

કોલકતાના જ એક સૌરવ નામના ગાંગુલીએ ક્રિકેટમાં નામ રોશન કરીને ભારતનું નામ ઉજાળ્યું છે, હવે અરોણ્યાતેષ નામનો આ ગાંગુલી અડધો ડઝન રમતમાં પ્રભુત્વ ધરાવે છે તે આગળ જતા ભારતનુ નામ ઉજાળશે તેમાં કોઇ બેમત નથી. એક સાથે આટલી બધી રમતો શીખવી. તેમાં ભાગ લેવો અને ઉપલા ક્રમે પણ રહેવું ,આવો ઓલરાઉન્ડર બાળ દર્દી ભારતમાં બીજો કોઇ શોધ્યો જડે ખરો? 

પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સેરામપુરનો રહેવાસી અરોણ્યાતેષ ખરેખર આઠમી અજાયબી જેવો નથી લાગતો?

June 7, 2019
abhyas.jpg
1min17120

જોતમારી મોંઘી કે કિંમતી વસ્તુ ચોરાઈ હોય તો તે તમે મુંબઈમાં જ આવેલી ચોર બજારમાંથી પાછી મેળવી શકો છો, એવો મત મુંબઈને ખૂબ જ નજીકથી ઓળખવાનો દાવો કરનારા નિષ્ણાતો દ્વારા કરાય છે, પણ શું તમને ખબર છે કે આ બજારનું મૂળ નામ તો ‘શોર’ બજાર હતું. શોર બજાર એટલે એક એવી બજાર કે જ્યાં સતત ઘોંઘાટ જ તમારા કાન પર પડે. પણ બ્રિટિશરોના ખોટા ઉચ્ચારને કારણે આ બજારનું નામ ‘શોર’માંથી ચોર થઈ ગયું. સાંભળવામાં ભલે ગમે એટલું રમૂજી લાગે, પણ આજે આ બજાર જાણે એના નામને સાર્થક કરી રહ્યું હોય એવું લાગે છે. ૧૫૦ વર્ષથી વધુ જૂના આ ચોર બજાર આજે મુંબઈના ટૂરિસ્ટ સ્પૉટમાં પોતાની અનોખી જ જગ્યા બનાવી ચૂકી છે. ખૅર એની વાત પછી ક્યારેક વિસ્તારથી કરીશું, પણ તમને થયું ને આજે અચાનક કેમ મુંબઈની ગલીઓ, બજાર અને રસ્તાઓ વિશેની વાત થઈ રહી છે? પણ બૉસ આપણે કોઈ વાત કરીએ તો તેની પાછળ ચોક્કસ જ કોઈક કારણ તો હોય છે અને આજે પણ આવું જ કંઈક છે. આજની આપણી સ્ટોરીની મેઈન હીરોઈન ઉપ્સ સૉરી મેઈન એલિમેન્ટ છે મુંબઈની અભ્યાસ ગલી ઉર્ફે પઢાઈ ગલી.

માયાવી નગરી મુંબઈમાં આવી તો કંઈ કેટલીય બજારો છે અને રસ્તાઓ છે કે જે તેનાં વિચિત્ર નામોને કારણે જ પ્રસિદ્ધિ પામ્યા છે. પણ આજે આપણે વાત કરવાના છીએ એક એવી ગલી વિશે કે જે લગભગ વિદ્યાર્થીઓની બેથી ત્રણ પેઢીઓ માટે સ્વર્ગથી જરાય ઓછી નથી ઊતરી. હવે તમને થશે કે આખરે એવી તે કઈ ગલી છે આ અને તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે? અહીં વાત થઈ રહી છે વરલીની પોદ્દાર હૉસ્પિટલની પાછળ આવેલી અભ્યાસ ગલી ઉર્ફે પઢાઈ ગલીની. મૂળ તો આ ગલી સુદામ કાલી આહિરે માર્ગનો જ એક ભાગ છે. પણ રાત પડ્યે આસપાસની ચાલીનાં નાનાં-નાનાં ઘરોમાં, મોટા-મોટા પરિવારો સાથે રહેનારા વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોવાને કારણે આ ગલી અનઓફિશિયલી અભ્યાસ ગલી તરીકે ઓળખાતી. પણ થોડાક સમય બાદ સ્થાનિક રહેવાસીઓએ નગરસેવક સમક્ષ આ રસ્તાનું નામ બદલીને અભ્યાસ ગલી રાખવાનો પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો અને બસ ત્યારથી જ ઓફિશિયલી આ લૅન અભ્યાસ ગલીના નામે ઓળખાય છે.

મુંબઈ માટે એવું કહેવાય છે કે આ શહેર ક્યારેય ઊંઘતું નથી પણ મધરાતના જે ગણતરીના કલાકોમાં આ શહેર મીઠી નિંદર માણતુંં હોય છે ત્યારે આ અભ્યાસ ગલી વિદ્યાર્થીઓથી ઉભરાતી હોય છે. બસ સાંજ પડે અને રસ્તા પર લગાવવામાં આવેલી હેલોજનથી અભ્યાસ ગલી ચમકી ઊઠે અને એની સાથે પોત-પોતાના પુસ્તકો અને બૅગ્સ લઈને વિદ્યાર્થીઓ પણ જગ્યા શોધીને મોડી રાત સુધી કોઈ પણ પ્રકારની ખલેલ વિના ભણવાનું શરૂ કરી દે છે. સાંભળવામાં એકદમ કોઈ ફિલ્મી સ્ટોરી જેવું લાગે, પણ આ કોઈ ફિલ્મની સ્ટોરી નહીં રિયલ લાઈફની હકીકત છે.

અહીં વિદ્યાર્થીઓ માત્ર સેલ્ફ સ્ટડી જ નહીં પણ ગ્રુપ સ્ટડીઝ કરવા પણ આવે છે અને વિદ્યાર્થીઓનું એવું માનવું છે કે એકલા ભણવાને બદલે ગ્રુપમાં બેસીને ભણવાથી વધુ સારી રીતે ભણી શકાય છે. અહીં આવનારા મોટાભાગના વિદ્યાર્થીઓ બીડીડી ચાલના છે. આઠ બાય દસની નાનકડી ઓરડીમાં સાત-આઠ વ્યક્તિનો પરિવાર વસતો હોય ત્યાં અભ્યાસ માટે જોઈતું યોગ્ય વાતાવરણ ક્યાં મળી શકે? શહેરની લાઈબ્રેરીમાં એક તો મર્યાદિત જ જગ્યાઓ હોય છે અને રાતના સમયે તો બધી લાઈબ્રેરી પણ બંધ થઈ જાય છે, એવામાં આ અભ્યાસ ગલી જ વિદ્યાર્થીઓ માટે નાઈટ લાઈબ્રેરી બની જાય છે.

વિદ્યાર્થીઓ અહીં કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વિના જેટલો સમય ઈચ્છે એટલો સમય આરામથી ભણી શકે છે. અહીં ભણવા માટે આવનારા વિદ્યાર્થીઓ એસએસસીના પણ હોય અને એન્જિનિયરિંગ કે એમબીબીએસના પણ હોય. બધા માટે આ અભ્યાસ ગલીના દરવાજા ખુલા છે. મુંબઈની આ અભ્યાસ ગલીમાં વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે એની વાત કરીએ. કેટલાક વિદ્યાથીઓ ઘરેથી કપડું કે નાનકડી ચટાઈ લઈને આવે છે કે પછી જૂના હૉર્ડિંગ્સ કે બૅનર લઈને તે ફૂટપાથ પર પાથરીને અભ્યાસ કરે છે તો કેટલાક પાછા રસ્તાની સાઈડ પર પાર્ક કરેલી બાઈક પર બેસીને ભણવાનું પસંદ કરે છે.

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં જેમ સવારે ૬થી ૧૦ અને સાંજે ૫થી ૮ વાગ્યા સુધીનો સમય જેમ પીક અવર્સ ગણાય છે એ જ રીતે સાંજના ૭ વાગ્યાથી લઈને રાતના ૧૦-૧૨ વાગ્યા સુધીનો સમય એ અભ્યાસ ગલી માટે પીક અવર્સ ગણાય છે. આ ઉપરાંત ઘણી વખત આ જ ગલીમાં ભણીને જિંદગીમાં આગળ વધી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પરીક્ષાના સમયમાં અહીં આવીને તેમના જુનિયર્સ અને અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આવી પહોંચે છે.

વિદ્યાર્થીઓ એકબીજાને નામથી ઓળખે છે, એટલું જ નહીં પણ કોણ કયો કૉર્સ કરી રહ્યો છે એની પણ માહિતી રાખે છે. કેટલાક વિદ્યાર્થીઓ એક જ કૉલેજમાં જતા હોય, એક જ કૉર્સ કરતાં હોય એવા વિદ્યાર્થીઓ પણ અહીં ભટકાઈ જાય છે અને તેઓ રૅફરન્સ બૂક પણ શૅયર કરે છે.

હાલ તો આ અભ્યાસ ગલી થોડી સૂની પડી ગઈ છે, કારણ કે શાળા-કૉલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે. પણ આવતા મહિનાથી એટલે કે જૂનથી શરૂ થનારા નવા શૈક્ષણિક વર્ષની સાથે જ અભ્યાસ ગલીમાં ફરી વિદ્યાર્થીઓના ટોળેના ટોળા ઊમટી પડશે. જોકે અત્યારે પણ અભ્યાસ ગલીમાં ૧૫-૨૦ વિદ્યાર્થીનું એક નાનુું ગ્રુપ એન્જિનિયરિંગ, સેન્ટ્રલ એન્ડ સિવિલ સર્વિસ ઍક્ઝામ કે પછી કમ્પની સેક્રેટરીની પરીક્ષાઓની તૈયારી કરતાં જોવા મળશે જ. પણ ચોમાસાના દિવસોમાં આ અભ્યાસ ગલી સાવ સૂની પડી જાય છે, કારણ કે વિદ્યાર્થીઓ પણ સરકારી લાઈબ્રેરી કે રીડિંગ રૂમમાં જઈને અભ્યાસ કરવાનું પસંદ કરે છે.

વિદ્યાર્થીઓ એટલી એકાગ્રતાથી અભ્યાસ કરતાં હોય છે કે તેમને મચ્છર, અચાનક જ ઝડપથી પસાર થઈ રહેલાં વાહનોનો અવાજ કે બિલાડીના પડછાયા પણ તેમનું ધ્યાન ફંટાવી શકતા નથી. ભણવાની સાથે સાથે વચ્ચે બ્રેક લઈને ચિટ-ચેટ, વૉક લેવાનું કે મ્યુઝિક સાંભળવાનું પણ ચૂકતા નથી. વીતેલાં વર્ષોની સાથે સાથે જ આ અભ્યાસ ગલીએ મુંબઈને કેટલાય ડૉક્ટર, એન્જિનિયર, વેપારી અને પોલીસ ઑફિસર પણ આપ્યા છે, પણ એની નોંધ કોણ લે છે?

જોકે ધીરે ધીરે આ અભ્યાસ ગલી હવે તેનો જૂનો ચાર્મ ગુમાવી રહી છે અને નિર્જન અને ખાલી રસ્તાને કારણે અહીં આસામાજિક તત્ત્વોની હાજરી વધી રહી છે. રાતના સમયે રસ્તા પર બાઈક રેસિંગ કરનારા જૂથને કારણે અહીં શાંતિથી ભણવા આવનારા વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થઈ રહ્યું છે, તો ક્યાંક દૂર કોઈક ખૂણામાં પાંચ-છ જણ ચરસ-ગાંજાનો નશો કરનારાઓનું એક ગ્રુપ બેઠેલું જોવા મળે છે. જોકે મુંબઈ પોલીસ કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય એ માટે આ વિસ્તારમાં રાતના સમયે પેટ્રોલિંગ વધારી દીધું છે, જેથી આ વિદ્યાર્થીઓ કોણ પણ પ્રકારના ભય વિના આરામથી સુરક્ષિત વાતાવરણમાં ભણી શકે.

શહેરમાં જગ્યા નથીની ફરિયાદ કરનારાઓ માટે અભ્યાસ ગલીએ એ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, કે શહેરમાં ક્યારેય જગ્યાની અછત નહીં વર્તાય અને ખાસ કરીને અભ્યાસ માટે તો ક્યારેય નહીં!

May 15, 2019
cricket_1.jpg
1min6300

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સદી ફટકારી હોય, પણ એકેય આંતરરાષ્ટ્રીય મૅચ ન રમવા મળી હોય એવો ખેલાડી રાજસ્થાન રૉયલ્સનો સંજુ સૅમ્સન હોવાની સામાન્ય માન્યતા પ્રવર્તે છે, પરંતુ હકીકત એ છે કે ૨૦૧૧ની આઇપીએલની ચોથી સિઝનમાં સ્ટાર-બૅટ્સમૅન બનેલો કિંગ્સ ઇલેવન પંજાબનો પૉલ વાલ્થટી આ વિક્રમ ધરાવે છે.

કાંદિવલીમાં રહેતા વાલ્થટીએ ૨૦૧૧માં મોહાલીમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે અણનમ ૧૨૦ રન ફટકાર્યા હતા.

એ સમયે ઍડમ ગિલક્રિસ્ટ પંજાબની ટીમનો અને મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈની ટીમનો સુકાની હતો. ઓપનિંગમાં વાલ્થટીએ ચેન્નઈના બોલરો રવિચન્દ્રન અશ્ર્વિન, ટિમ સાઉધી, ઍલ્બી મૉર્કલ, સ્કૉટ સ્ટાઇરિસ જેવા જાણીતા બોલરોનો હિંમતથી સામનો કરીને ૬૩ બૉલમાં બે સિક્સર અને ઓગણીસ ફોરની મદદથી અણનમ ૧૨૦ રન બનાવ્યા હતા. તેની એ સદીની મદદથી પંજાબે ૧૯.૧ ઓવરમાં ૪ ઓવરમાં ૧૯૩ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. તેણે ચેન્નઈની ઇનિંગ્સમાં સુરેશ રૈના (૦)નો શાનદાર કૅચ પણ પકડ્યો હતો. સ્વાભાવિક રીતે એ મુકાબલાનો મૅન ઑફ ધ મૅચ વાલ્થટી જ હતો.

જોકે, ૨૦૦૨ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ઇરફાન પઠાણ તથા પાર્થિવ પટેલ જેવા ખેલાડીઓની સાથે ભારતની ટીમમાં રહી ચૂકેલા વાલ્થટીની કમનસીબી એ છે કે ૨૦૧૧ની પંજાબ વતી ફટકારેલી અણનમ સદી બાદ આઇપીએલમાં તો તે ખાસ કંઈ સફળ રહ્યો જ નથી, મોટા ભાગની ટીમોએ તેનામાં રસ પણ નથી બતાવ્યો. એ ઉપરાંત, તેને ક્યારેય કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ પણ નથી રમવા મળી. તે હવે ૩૫ વર્ષનો થઈ ગયો છે.

ટીનેજર તરીકે રશીદની હાઇએસ્ટ ૧૭૪ વિકેટ

ટી-ટ્વેન્ટી વિશ્ર્વના નંબર વન બોલર અફઘાનિસ્તાનના સ્પિનર રશીદ ખાને ગઈ ૨૦મી સપ્ટેમ્બરે ૨૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. એ પહેલાં ૧૯ (નાઇન્ટીન) વર્ષની ઉંમર સુધી તે ટીનેજર હતો અને ત્યાં સુધીમાં તેણે આંતરરાષ્ટ્રીય વિકેટોની બાબતમાં વિશ્ર્વવિક્રમ કર્યો હતો. ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ રશીદ ખાન ૧૯ વર્ષનો હતો અને ત્યાં સુધીમાં તેણે ૧૭૪ ઇન્ટરનેશનલ વિકેટ લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ પ્લેયરે ટીનેજ વયે આટલી બધી વિકેટો નહોતી લીધી અને એ રેકૉર્ડ બીજા કોઈ નહીં, પણ ક્રિકેટના નવા-સવા અફઘાનિસ્તાનના બોલરે નોંધાવ્યો હતો.

રશીદ ખાન પછી બીજા ક્રમે પાકિસ્તાનનો વકાર યુનુસ આવે છે. તેણે ટીનેજર તરીકે ૧૨૫ આંતરરાષ્ટ્રીય વિકેટ, પાકિસ્તાનના જ મોહંમદ આમિરે ૯૯ વિકેટ, અકીબ જાવેદે ૯૮ વિકેટ, સક્લેન મુશ્તાકે ૯૭ વિકેટ અને ડેનિયલ વેટોરીએ ૭૯ વિકેટ લીધી હતી.

રશીદ ખાનની ૧૭૪ વિકેટમાં ૧૦૮ શિકાર વન-ડે ક્રિકેટના હતા.

પહેલી-છેલ્લી ટેસ્ટમાં સૌથી વધુ રન: પૉન્સફર્ડ મોખરે

કરિયરની પ્રથમ અને આખરી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં તાજેતરના ખેલાડીઓની વાત કરીએ તો ઇંગ્લૅન્ડના ઍલસ્ટર કૂકનું નામ સૌથી આગળ લઈ શકાય, પરંતુ ૧૪૨ વર્ષની સમગ્ર ટેસ્ટ-ક્રિકેટને ધ્યાનમાં લઈએ તો ઑસ્ટ્રેલિયાના બિલ પૉન્સફર્ડનું નામ મોખરે લખવું પડે. ૨૦૦૫માં કૂકે ભારત સામે રમીને ટેસ્ટ-કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એ મૅચમાં તેણે ૬૦ તથા ૧૦૪ રન અને તાજેતરમાં (ભારત સામે જ) પોતાની અંતિમ ટેસ્ટમાં ૭૧ અને ૧૪૭ રન બનાવ્યા હતા. આ બધી ઇનિંગ્સના રનનો સરવાળો ૩૮૨ રન થાય.

જોકે, બિલ પૉન્સફર્ડ એવા હતા જેમની પ્રથમ ટેસ્ટ અને આખરી ટેસ્ટના રનનો સરવાળો ટેસ્ટ-જગતના તમામ ખેલાડીઓની પહેલી-આખરી ટેસ્ટના રનના ટોટલ કરતાં વધુ છે. પૉન્સફર્ડે ૧૯૨૪માં સિડનીમાં ઇંગ્લૅન્ડ સામે રમીને કરિયર શરૂ કરી હતી જેમાં તેમણે ૧૧૦ તથા ૨૭ રન બનાવ્યા હતા તેમ જ ૧૯૩૪માં ઇંગ્લૅન્ડ સામે જ આખરી ટેસ્ટ રમીને ક્રિકેટના મેદાન પરથી વિદાય લીધી હતી. એ અંતિમ ટેસ્ટમાં તેમણે ૨૬૬ તથા ૨૨ રન બનાવ્યા હતા અને તેમના એ ચારેય દાવના રનનો સરવાળો ૪૨૫ હતો. તેમના પછી બીજા સ્થાને ઇંગ્લૅન્ડના ઍન્ડી સૅન્ધમ (કુલ ૩૯૬ રન) અને ત્રીજા સ્થાને રેગિનાલ્ડ ‘ટિપ’ ફૉસ્ટર (કુલ ૩૯૨ રન) છે.

May 10, 2019
joseph_safra.jpg
1min5390

લેબેનીઝ સિરિયન મૂળના જ્યુઈશ પરિવારના જોસેફ સાફરાએ માતા-પિતા બ્રાઝિલ શિફટ થતાં ૧૪ વર્ષની ઉંમરે ભણતર છોડીને આવવું પડ્યું, જોકે અહીં તેમણે બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી.

પરિવારની સુરક્ષા અને સંતોનોના સારા ભાવિ માટે તંગદિલીગ્રસ્ત પ્રદેશમાંથી બીજા દેશમાં સ્થાયી થવું પડ્યું હતું.

સાફરા પરિવાર મૂળ વતનમાં બૅંકિંગ ક્ષેત્રમાં પ્રવૃત્ત હતો તે જ અનુભવ કામે લગાડીને બ્રાઝિલમાં બૅંકિંગ કામકાજ શરૂ કર્યું.

જોસેફે બાપ કરતાં સવાયા થઈને નોંધપાત્ર પ્રગતિ કરી. સાફરા બૅંકિંગ, ઈન્ટરનેશનલ ઈઝરાયલ બૅંકિંગ, નેશનલ બૅંકિંગ ઑફ ન્યૂ યોર્ક સહિત બૅંકિંગ – ઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે મોટું નામ કાઢ્યું.

રિયલ એસ્ટેટ, કૃષિ ક્ષેત્રે ઝંપલાવ્યું અને અહીં પણ સફળતા મેળવી બ્રાઝિલની ટોચની શ્રીમંત વ્યક્તિ પૈકી એકમાં સ્થાન મેળવ્યું. સાફરા ગ્રુપ બ્રાઝિલ ઉપરાંત અમેરિકા, એશિયા અને યુરોપમાં કાર્યરત છે.

બધો કારભાર સંતાનોને સોંપીને જોસેફ પરોપકારી પ્રવૃત્તિમાં સક્રિય થયા હતા. તેમનું ફાઉન્ડેશન જ્થૂઈશ સમાજને સૌથી વધારે મદદ કરે છે, જોકે હિંદુઓનાં મંદિરો માટે પણ સહાય કરે છે. ભાઈના પરિવારે મોટા ભાગની સંપત્તિ ફાઉન્ડેશનને આપી દીધી છે. બૅંકિંગ વિશ્ર્વના ભીષ્મપિતામહ જોસેફ સાફરાની સફર વિગતે જાણીએ.

લેબેનોન-સિરિયાના જ્યૂઈસ પરિવારમાં ૧૯૨૮ના જન્મેલા જોસેફ સાફરાએ નાનપણમાં જ અનેક દેશમાં શિફટ થવું પડ્યું. પ્રારંભના ૧૩,૧૪ વર્ષ લેબેનોન – બૈરુત અને સિરિયામાં રહ્યા બાદ માતા-પિતા ઈટાલી શિફટ થયાં હતાં. અહીં થોડો સમય રહ્યા બાદ બ્રાઝિલમાં સ્થાયી થયા હતા.

લેબેનોન-સિરિયા યુદ્ધગ્રસ્ત અને અશાંત પ્રદેશ રહ્યો છે. રાજકીય મોરચે અસ્થિરતા રહી છે. આ પ્રદેશના અનેક લોકો નોકરી-બિઝનેશની તક માટે અન્ય દેશોમાં શિફટ થતા રહ્યા છે. જોસેફ ૧૪ વર્ષના હતા ત્યારે માતા-પિતાએ બૈરુત છોડ્યું હતું.

પિતા બૅંકિંગ ક્ષેત્રે કાર્યરત હતા. આ જ કામ બ્રાઝિલમાં આવીને ચાલુ કર્યું. પ્રારંભમાં સાઉપાઉલોમાં ફાઈનાન્શિંગનો બિઝનેસ ચાલુ કર્યો.

જોસેફે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી બાદમાં તેમણે પણ બૅંકિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું. આરબ દેશોમાં ઘણી મુશ્કેલી હતી. સિરિયા-લેબેનોન જેવા દેશ હંમેશાં તંગદિલીગ્રસ્ત રહે છે તેથી સુરક્ષા અને સંતાનોના ભણતર અને કારકિર્દી ધ્યાનમાં લઈને સાફરા પરિવારે દીર્ઘદૃષ્ટિ વાપરીને બ્રાઝિલને પસંદ કર્યું.

બૅંકિંગનો અનુભવ લીધા બાદ જોસેફે ૨૭મા વર્ષે બૅંકે સાફરાની સ્થાપના કરી. આ બૅંકે કૂદકે અને ભૂસકે પ્રગતિ કરી. હાલ આ બૅંક બ્રાઝિલની છઠ્ઠી મોટી બૅંક છે. બૅંકે સાફરા ગ્રુપ બ્રાઝિલ જ નહીં, યુરોપના અન્ય દેશો, અમેરિકા, એશિયા, મધ્ય પૂર્વના દેશમાં બૅંકિંગ સર્વિસ પૂરી પાડે છે. પિતા જેકોબ બૅંકર ઉપરાંત ગોલ્ડ ટ્રેડિંગનો વેપાર પણ કરતા હતા, ત્યાં ઓટોમેન સામ્રાજ્ય પડી ભાંગતા જેકોબને લેબેનોનમાં રસ રહ્યો નહોતો.

જોસેફનો ભાઈ એડમન્ડ પરિવારના બિઝનેશમાં ૧૬મા વર્ષે જ જોડાયો હતો. બંને ભાઈએ ૮-૯ વર્ષ સાથે કામ કર્યું હતું. બાદ એડમન્ડ સાફરા જોસેફથી અલગ થઈને અમેરિકા શિફટ થયો હતો. જીનિવામાં રિપબ્લિક નેશનલ બૅંક ઑફ ન્યૂયોર્ક શરૂ કરી હતી જેની બાદમાં ૮૦ શાખા થઈ હતી. રશિયા-પિટરબર્ગમાં નાણાં સંસ્થા ખોલી હતી. સાફરાનો અર્થ અરેબિકમાં સોનું થાય છે. નામ પ્રમાણે જ જોસેફ સાફરાએ જે બિઝનેસમાં હાથ નાખ્યો ત્યાં સોનું થઈ ગયું.

એક દેશમાં ઉછેર બાદ બીજા દેશમાં શિફટ થઈને બૅંકિંગ સહિત અનેક બિઝનેસમાં ઝંંપલાવીને મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. જોસેફના ભાઈએ ન્યૂયોર્કમાં જે બૅંક સ્થાપી હતી તે બાદમાં એચએસબીસીને વેચી નાખીને મોટી રકમ મેળવી. સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો પરોપકારી પ્રવૃત્તિમાં ફાળવી દીધો.

જોસેફ સાફરાએ સાફરા નેશનલ બૅંક, બૅંકો સાફરા, ફાઈબ્રિયા સેલેલોસ, ચીકવીટા, સાફરા સારાસીનમાં ઉચ્ચ હોદ્દો સંભાળ્યો. એગ્રી બિઝનેશમાં સાહસ કર્યું અને તેમાં પણ સફળ થયા. કેળાંના પ્રખ્યાત ઉત્પાદક ચીકવીસ બ્રાન્ડ ઈન્ટરનેશનલ જોસેફ ૫૦ ટકા માલિકી ધરાવે છે. બાકીની ૫૦ ટકા માલિકી બ્રાઝિલના અગ્રણી જ્યુશ ઉત્પાદક ધરાવે છે.

જોસેફ સાફરા બ્રાઝિલના અમીર વ્યક્તિઓની યાદીમાં બીજુ સ્થાન ધરાવે છે. વિશ્ર્વમાં ટોપ ૫૦માં તેમનું સ્થાન છે. જોસેફ બિઝનેશમાં એટલા ગળાડૂબ હતા કે લગ્ન પણ મોડા ૩૯મા વર્ષે કર્યાં હતાં. પત્નીનો સાથ-સહકાર સારો મળ્યો હતો. સાફરા ગ્રુપમાં ૩૦,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. અમેરિકા, યુરોપ, એશિયામાં આ ગ્રુપ સક્રિય છે. આ ગ્રુપની સંપત્તિ ૨૫ અબજ ડૉલર આસપાસ રહી છે. રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ ધરાવે છે. ન્યૂયોર્ક, લંડન, મેનહટ્ટનમાં સારું રોકાણ છે. લંડનની આઈક્રોનિક બિલ્ડિંગ ‘ધરેકીન’ ૭૦ કરોડ ડૉલરમાં ખરીદી હતી. જનરલ મોટર્સનું બિલ્ડિંગ – મેનહટ્ટનમાં છે. તેની માલિકી પણ તેમણે મેળવી હતી. સ્વીત્ઝરલેન્ડના બેઝલમાં બૅંક સારાસીન ૨.૧ અબજ ડૉલરમાં ખરીદી હતી. બૅંકો સાફરાની એસેટ ૪૭.૨ અબજ ડૉલરની છે. જોસેફના ક્વોટ જાણવા જેવા છે. બીજા કરતા આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. તમારી સાથેની વ્યક્તિને પ્રોત્સાહન આપો તો તેના તરફથી યોગદાન ચોક્કસ વધશે. ગોસીપ કોઈને ગમતું નથી, તે પણ તેનો આનંદ બધા લે છે. રોજ ઑફિસેથી ઘરે જવું એટલે દૈનિક હિસાબ આપવા જવું એવું હોવું જોઈએ એમ તેઓ માને છે. માનવીનો જજ તેના વિરોધી-દુશ્મનોના આધારે કરવો જોઈએ. જોસેફ પોતે માને છે કે તમારો ટીકાકાર હોવો જોઈએ તો જ ભૂલ કે ખામી સુધારવાની ખબર પડે.

ઈઝરાયલના કમાન્ડો, સુરક્ષા દળ વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે. બ્રાઝિલના ગાર્ડને ટ્રેઈન કરવા જોસેફ ઈઝરાયલના સિક્યુરિટી એજન્ટને બોલાવે છે. જોસેફના ભત્રીજાનું એક વાર અપહરણ થયું હતું, ત્યાર બાદ સુરક્ષા વધારીને મજબૂત કરવા સાવચેતીરૂપે ઈઝરાયલના સુરક્ષાકર્મીઓની મદદ લીધી હતી.

પિતા-પુત્ર મળીને સર્વપ્રથમ ઈન્ટરનેશનલ બૅંક ઑફ ઈઝરાયલ શરૂ કરી હતી. જોસેફ અને તેમના ભાઈની પરોપકારી પ્રવૃત્તિ મોટી છે. પત્ની સાથે મળીને તેમણે જોસેફ સાફરા ફાઉન્ડેશન ઊભું કર્યું હતું, જે આરોગ્ય સેવામાં મદદ કરે છે. સ્કૂલ-હૉસ્પિટલને ચેરિટી કરે છે. ફાઉન્ડેશન જ્યૂઈસ સમાજના લોકોને વધારે મદદ કરે છે. ઈઝરાયલ બાદ જ્યૂઈશ લોકો અમેરિકામાં સૌથી વધુ છે. પરોપકારી કામ કરતી સંસ્થાને ફાઉન્ડેશન મદદ કરે છે.

બ્રાઝિલમાં વિશાળ સાંસ્કૃતિક-શિક્ષણ સહાયની યોજના છે, જેમાં વિદ્યાર્થીઓને મફત પ્રવેશ અપાશે. ભાઈ એડમન્ડનું મરણ ૧૯૯૯માં થયું હતું. તેમની મોટા ભાગની સંપત્તિ એડમન્ડ સાફરા ફાઉન્ડેશનને આપી દીધી હતી.

જોસેફ જ્યૂઈસ ધર્મના છે. ઘણા અન્ય ધર્મના કામ માટે પણ મદદ કરે છે. બ્રાઝિલમાં હિન્દુઓની વસ્તી છુટ્ટીછવાઈ છે, ત્યાં મંદિર બાંધવા માટે તેમણે મદદ કરી છે.

જોસેફે અમેરિકામાં ડઝનથી વધુ પ્રોપર્ટી ખરીદી છે. જોસેફનાં સંતાનો નેશનલ બૅંક ઑફ ન્યૂયોર્ક, બૅંકો સાફરા, સાફરા સારાસીન બૅંક સંભાળે છે. બૅંકો સાફરા ખાનગી ક્ષેત્રની ઘણી મોટી બૅંક છે.

April 19, 2019
kid_fin.png
1min6900

બાળકોના જીવનમાં આવતા અનેક પડકારો વિશે માતાપિતા તેમને બાળપણથી જ માહિતગાર કરવાનું શરૂ કરી દે છે પરંતુ કેટલીક વખત નાણાં જેવી મહત્ત્વની બાબત ચૂકી જવાય છે. મોટા ભાગના બાળકોને નાણાં સાથે પહેલી વાર પનારો પડે ત્યારે તેઓ બેન્કમાં ખાતું ખોલાવવા જતા હોય છે. તેમાં થોડી બચતના નાણાં મૂકવામાં આવતા હોય છે. પરંતુ સમસ્યા એ છે કે બેન્ક ખાતું એ બાળકની મની લાઈફનો મુખ્ય હિસ્સો નથી. આ સિવાયના તમામ મહત્ત્વના નિર્ણયો તેના વાલીઓ દ્વારા લેવાતા હોય છે.

દરેક વસ્તુનું બજેટ બનાવતા શીખવવું

બાળકને પોકેટ મની સાચવવા માટે બેન્કમાં ખાતું ખોલાવવા માટે કહેવું એ સારી વાત છે પરંતુ તે બોરિંગ છે. માતાપિતા જ્યારે ચોક્કસ બજેટ પ્રમાણે ચાલતા ન હોય અને બેફામ ખર્ચ કરતા હોય ત્યારે બાળકો પાસે નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ છે. બજેટ અને એકાઉન્ટિંગમાં રસ પડવો જોઈએ પરંતુ તેને ઘણા લોકો કંટાળાજનક માને છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ માતા પિતા તેને નાણાકીય સાક્ષરતા આપતા જાત છે જેમાં નાણાં કઇ રીતે કમાવા અને રોકાણ કરવું તેનો સિદ્ધાંત સામેલ છે. આ પ્રવૃત્તિમાં બાળકને રસ પડે તે રીતે સામેલ કરવો જોઈએ. જે રીતે સાયન્સ એ શીખવાનો વિષય છે તે રીતે જ નાણાંનું જ્ઞાન પણ ઉપયોગી છે.

નાણાંની મહત્તા સમજાવવી

વ્યક્તિ પુખ્તવયની થાય ત્યારે નાણાંને લગતા ત્રણ પાયાના સિદ્ધાંતો પ્રેક્ટિકલ મૂલ્ય ધરાવે છે. તેમાં નાણાંની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, નાણા સાથે સંકળાયેલી ભાવનાત્મક સમજદારી અને સમય વીતવાની સાથે નાણાંનું મૂલ્ય બદલાય છે તે સિદ્ધાંતની સમજણ મહત્ત્વની છે. આપણે સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો વિચાર કરીએ. દરેક રૂપિયાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. બાળક તમને એટીએમમાંથી પુષ્કળ નાણાં ઉપાડતા જોશે તો તેને આ વાત નહીં સમજાય. માતાપિતા જ્યારે કઇ ચીજ ખરીદવી અને કઇ ન ખરીદવી તેના નિર્ણયની ચર્ચા કરે ત્યારે બાળકને તેમાંથી ઘણું શીખવા મળે છે. નાના બાળકો રિસાઇ જશે અને તોફાન કરશે, મોટા બાળકો માતાપિતાને ઇમોશનલી પજવવાનો પ્રયાસ કરી શકે. મોટી ઉંમરના બાળકો સીધે સીધી જિદ કરી બેસશે. નાણાં એ મર્યાદિત સ્રોત છે અને મોટા ભાગના બાળકોને શરૂઆતમાં તેના મહત્ત્વનો અંદાજ આવતો નથી.

બાળકોને ચોક્કસ હેતુ માટે ભથ્થા આપવા

બાળકોના હાથમાં જ્યારે ઘરનો આર્થિક વ્યવહાર આવશે ત્યારે તેમને બધું આવડી જશે તેમ માનવું ભૂલભરેલું છે. આ બાબત બહુ જટિલ છે અને તેમાં ઘણી ચીજોને બેલેન્સ કરવી પડે છે જેના પર બાળકોનું કોઇ નિયંત્રણ હોતું નથી. તેમાં સૌથી સરળ રસ્તો બાળકોને ચોક્કસ હેતુ માટેના ભથ્થા આપવાનો છે. ત્યાર પછી બાળકોને નિર્ણય કરવા દો.

ખરીદીમાં પ્રોયોરિટી
બાળકો સમજી શકશે કે રૂપિયા મર્યાદિત હોય અને એક કરતા વધુ ચીજો ખરીદવી હોય ત્યારે કઇ ચીજને પ્રાથમિકતા આપવી અને કોની ખરીદી ટાળવી. તેઓ આવા નિર્ણયો સાથે સંકળાયેલી લાગણીઓને પણ સમજી શકશે. તેઓ કદાચ ગરીબ બાળકને કંઇ આપવા પ્રેરાય, મિત્રો સાથે ખર્ચની વહેંચણી કરવી હોય ત્યારે સમાનતા જાળવે, બિનજરૂરી ખરીદી થઈ જાય તો તેના વિશે ખેદ અનુભવે વગેરે શક્ય છે. નાણાં પ્રત્યે તેના વલણથી આ અનુભવો ઘડાશે.