CIA ALERT

બ્લોગ Archives - Page 6 of 10 - CIA Live

March 17, 2020
sensex-l-express-photo.jpg
1min13020

વર્ષ ૨૦૦૮ની સબપ્રાઇમ કટોકટીની સર્કિટ બાદ બાર વર્ષે પાછલા શુક્રવારે સર્કિટ લાગી હતી. સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત નીચલી સર્કિટ લાગી છે.

શેરબજારમાં સપ્તાહના પહેલા દિવસે પણ ધારણાં મુજબ જ કડાકો નોંધાયો છે. જોકે, આ વખતે કડાકો દસ ટકા જેવો ન થયો હોવાથી સર્કિટ લાગુ પડી નહોતી. પાછલા સપ્તાહે શેરબજારમાં બાર વર્ષના વહાણા બાદ સર્કિટ લાગુ થઇ હતી, આ અગાઉ વર્ષ ૨૦૦૮ની સબપ્રાઈમ કટોકટીના સમયે એટલે કે આશરે ૧૨ વર્ષ અગાઉ ભારતીય શેરબજારમાં મંદીની સર્કિટ લાગી હતી. વૈશ્ર્વિક બજારોની જે દશા છે તે જોતાં આગાળના દિવસોમાં ફરી સર્કિટ જોવા મળે તો નવાઇ નહીં.

પાછલા સપ્તાહના અંતિમ સત્રમાં બેન્ચમાર્ક નીચલી સર્કિટને અથડાયા બાદ ઐતિહાસિક રિકવરી જોવા મળી હતી. ભયંકર અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ આ દિવસે ૧૩૨૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં સવારે જ ૩૦૦૦ પોઇન્ટથી મોટા કડાકા સાથે નીચલી સર્કિટ લાગ્યા બાદ ૪૫ મિનિટ પછી ટ્રેડિંગ ફરી શરૂ થતાં જ ઝડપી રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સે સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.

અમેરિકાથી ઓસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બેન્ક દ્વારા પ્રવાહિતા વધારની તૈયારી અને અમેરિકાના સ્ટિમ્યુલસ પેકેજની આશા વચ્ચે વિશ્ર્વબજારના સુધારા સાથે સ્થાનિક બેન્ચમાર્કે પણ ઘટાડો પચાવીને સત્રની ૨૯,૩૮૮.૯૭ પોઇન્ટની નીચી સપાટી સામે ૫૩૮૦ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી હતી.

જોકે, સોમવારે આપણે જોયું કે અમેરિકાની ફેડરલથી માંડીને જાપાન, કેનેડા, ન્યુઝિલેન્ડ, સ્વીસ, ઇંગ્લેન્ડ અને યુરોપની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ ઘટાડવાથી માંડીને સ્ટિમ્યુલસની જાહેરાત કરી હોવા છતાં વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટોની ધ્રુજારી ઓછી થઇ નથી અને મોટાભાગના માર્કેટ

ગબડ્યાં છે.

પાછલા શુક્રવારની સર્કિટ અને રિકવરીની વાત તરફ પાછા વળીએ તો એ દિવસે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં આવેલો ઉછાળો પણ સેન્ટિમેન્ટ સુધારવામાં સહાયક બન્યો હતો. કોરોના વાઈરસના હાહાકારથી ભયભીત બજાર શુક્રવારે ટ્રેડિંગ શરૂ થયાની ૧૫ મિનિટમાં જ આ સ્થળે વ્યકત કરવામાં આવેલી ધારણાં મુજબ જ સેન્સેક્સમાં ૩,૩૦૦ પોઈન્ટ્સ અથવા ૧૦ ટકાનો તોતિંગ કડાકો નોંધાયો હતો અને ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ૪૫ મિનિટ બાદ બજારમાં ફરી ટ્રેડિંગ શરૂ થયું ત્યારે રિવર્સ ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ૫,૦૦૦ પોઈન્ટ્સની ઉથલપાથલ જોવા મળી હતી. શુક્રવારે બજાર ખૂલ્યૂ કે તરત જ શરૂ થયેલા પેનિક સેલિંગમાં બજાર ગગડી ગયું હતું અને નિફ્ટીમાં લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું. પરિણામે બજારમાં સર્કિટના વિરામ બાદ ભારે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. આજે સોમવારે પણ બજારમાં સવારના સત્રમાં ભારે કડાકો જોવા મળ્યો પરંતુ તે દસ ટકાથી ઓછો હોવાથી સર્કિટ પણ ન લાગી અને રિકવરી પણ જોવા મળી નહોતી.

હવે આપણે એ જોઇએ કે સર્કિટ શું છે અને ક્યારે લાગે છે. ભારતીય શેરબજારમાં તેજી કે મંદીની અસાધારણ સ્થિતિને નિયંત્રિત કરવા માટે સર્કિટ ફિલ્ટર અમલી બનાવવામાં આવે છે. સેબીએ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા સર્કિટ નક્કી કરે છે. આ અંતર્ગત શેરબજાર નક્કી મર્યાદાથી વધારે ઘટવા પર લોઅર સર્કિટ લાગે છે.

આ માટે પણ ૧૦ ટકા, ૧૫ ટકા અને ૨૦ ટકા મર્યાદા નક્કી કરવામાં આવી છે. સર્કિટની શરૂઆત જુલાઈ,૨૦૦૧માં સેબીની માર્ગદર્શિકા બાદ થઈ હતી.

સેન્સેક્સના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ચાર વખત લોઅર સર્કિટ લાગી છે. સૌથી પહેલા ૨૧ ડિસેમ્બર, ૧૯૯૦માં આ સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૬.૧૯ ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા બાદ શેરબજાર ૧૦૩૪.૯૬ પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં બીજો સૌથી મોટો ઘટાડો ૨૮ એપ્રિલ, ૧૯૯૨માં થયો હતો. ત્યારે સેન્સેક્સ ૧૨.૭૭ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. તે સમયે શેરબજાર ૩૮૯૬.૯૦ પર બંધ રહ્યો હતો.

ત્રીજી સ્થિતિ ૧૭ મે,૨૦૦૪માં આવી હતી. જ્યારે શેરબજારમાં ૧૧.૧૪ ટકાનો ઘટાડો થયો હતો, તે સમયે શેરબજારમાં ૪૫૦૫.૧૬ સ્તર પર બંધ રહ્યો હતો. ૨૪મી ઓક્ટોબર,૨૦૦૮માં સેન્સેક્સમાં ૧૦.૯૬ ટકાનો ઘટાડો થયો હતો. તે સમયે શેરબજાર ૮૭૦૧.૦૭ પર બંધ રહ્યો હતો.

દરમિયાન શેબજારના પીઢ નિરિક્ષકોએ આ રિકવરી છતાં સાવધ રહેવાની સલાહ આપી છે.

સર્કિટ બાદ ઉછાળો આવ્યો હોવા છતાં બજારના સાધનોએ રોકાણકારોને હાલ તુરત બજારથી સાવધ રહેવાની સૂચના આપી છે, કારણ કે કોરોના મહામારીની નકારાત્મક અસરની તલવાર હજુ પણ લટકી રહી છે.

February 29, 2020
usa_visaprocess_jpg.jpg
9min6740

the number of Indian students in The United States of America has doubled. More and more Indian students prefer to study in the USA for higher education because of the expansive range of subjects conducted in universities of this country. Universities in the USA are open to all international student applications that successfully complete the mentioned prerequisites process. The USA student visa process is often the procedure Indian students have trouble completing. Therefore, this article will conclude everything that one needs to know about The United States of America student visa process.

Before applying for a visa to study in the USA, students must have their university/college acceptance letter. The international student office reviews the financial documents and further sends out an I-20 form to the student after reviewing the application and capability to study in the U.S. In case of exchange students, the international office sends out a DS- 2019 form.

Note – Students must fill out the F1 visa form within 120 days of receiving the I-20 form. 

Refer to the following table to find out the type of student visa application you apply –

Types of Visa

Description

F-1 student visa

Students with an acceptance letter to study in an accredited college in the USA for learning the English language based subjects

J Exchange visa

This visa is issued for students willing to participate in the exchange study program in a high school or a university in the USA

M student visa

For non-academic or vocational study or training in the United States of America THE PROCEDURE –

STEP 1 (I-20 form)

It is mandatory to patiently wait for the I-20 form (you will receive this from the university’s end) as it is not only a proof for admission confirmation but also has important details that you will require while applying for an F-1 student visa.

To apply for an F-1 student visa (DS – 160 form) you will need the following mentioned details – SEVIS ID

  • School/University name and address
  • Program start date and end date
  • School/University code
  • Estimated cost for 1 year

I-20 form consists of many more details, however, the above-mentioned points are considered to be extremely important for F-1 student visa application

STEP 2 (Process to fill DS – 160 form)

Shortly after receiving your I-20 form you can proceed to fill out the DS-160 form, Here’s an overview of the DS-160 form – DS – 160 form must be filled electronically/online

This form requires details of Passport, University, Fees, Basic information of the applicant, documents details and I-20 form

At the beginning of the DS – 160 form – one must select the Embassy/Consulate they are willing to visit for the F-1 visa interview. Locations available for Embassy/Consulate student visa interview are New Delhi, Mumbai, Chennai, Hyderabad, and Kolkata

Questions related to immigration, nationality, and education are asked on DS – 160 form. All the questions are in English

An alpha-numeric code is generated after completing the DS – 160 form. Ensure to print out and also save a PDF format of the DS – 160 receipt. The print-out is a mandatory requirement for visa interview

*To get detailed information visit the official website of Homeland Security Department of USA

STEP 3

(F-1 visa interview application fee + Scheduling an appointment for OFC and Visa interview)

After successfully filling out the DS – 160 form, proceed to pay the F-1 visa interview fee.

The amount required for an F-1 visa interview is $160 i.e. RS 11,132/- (as of June 2019)

The application fee can be paid through internet-banking or mobile-banking services

The F-1 visa interview is scheduled for two days – OFC appointment and Visa Interview

*Note – Students are advised to schedule their F-1 visa interview at least 120 days before the university/college program is scheduled to begin. It is understood that the Embassy/Consulate does not accept students to complete their visa interview before 120 days.

STEP 4 (SEVIS I – 901 form)

The SEVIS I – 901 form fee is the last application step. The I-901 form is a non-immigrant application form. It is applicable for types of student visas i.e. F1, J exchange and M-1 visa. This form requires payment depending on the type of visa.

The amount required to pay for F1 and M1 visas (I-901 form) -$200 i.e. RS 13,949/- (as of June 2019)

The amount required to pay for J- exchange visa (I – 901 form) – $180 i.e. RS 12,555/- (as of June 2019)

Finally, visit the Embassy/Consulate location you scheduled to give you’re the United States of America student visa interview. The key to nailing the visa interview is to stay confident and being as honest as possible. You will be notified if your visa is approved or rejected immediately after the interview. We are sure you will get through your final step to studying in the United States.

Here’s wishing you All the Best for your student visa!

February 20, 2020
uk-visa-1280x720.jpg
1min6640

ઈંગ્લીશ બોલતાં આવડતું હશે તો જ બ્રિટનના વિઝા મળશે. બ્રિટને બુધવારે નવી વિઝા વ્યવસ્થા લોન્ચ કરી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ભારત સહિત દુનિયાની સૌથી પ્રતિભાશાળી અને સૌથી ઉત્કૃષ્ટ લોકોને બ્રિટન આવવા માટે આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો ઉદ્દેશ દેશમાં આવતા સસ્તા ઓછા કુશળ શ્રમિકોની સંખ્યામાં કાપ મૂકવાનો છે. બ્રિટન યુરોપીયન સંઘ (ઈયુ)માંથી ગત મહિને બહાર આવ્યા પછી સંક્રમણ કાળના અંત પછી નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ થશે.

યુકેનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે બહુ સારું કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને બ્રિટનમાં આકર્ષવા અને યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમ જાહેર કરી હતી. તેનો અમલ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી થશે.

યુકેની વિઝા અને ઇમિગ્રૅશન સિસ્ટમનાં વડાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિઝાની નવી જોગવાઇ મુજબ યુકે કામ કરવા આવવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓને અંગ્રેજી આવડવું જોઇશે અને ‘માન્યતાપ્રાપ્ત સ્પૉન્સર’એ તેઓને કૌશલ્ય ધરાવતી નોકરીની ઑફર કરી હોવી જોઇશે. જો તેઓ આ માપદંડને લાયક હશે તો તેઓને પચાસ પૉઇન્ટ અપાશે.

બ્રિટનમાં કામ કરવા ૭૦ પૉઇન્ટ મેળવવા પડશે

નવી પોસ્ટ બ્રેક્ઝિટ પ્રણાલી કે જે ભારત જેવા યુરોપીયન સંઘ અને બીન યુરોપીયન સંઘના દેશો માટે સમાન રીતે લાગુ થશે, તે પ્રણાલી વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા, વેતન અને વ્યવસાયો માટે પોઈન્ટ પ્રદાન કરવા પર આધારિત છે, જેમાં માત્ર પૂરતા પોઈન્ટ પ્રાપ્ત કરનારા લોકોને જ વિઝા મળી શકશે. બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘આજે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. યુકેની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પ્રણાલી શરૂ કરીને લોકોની પ્રાથમિકતાઓ સુધી પહોંચી રહ્યા છીએ, જે સમગ્ર પ્રવાસન સંખ્યાને નીચે લાવશે.’

બ્રિટનના વિઝા અને ઈમિગ્રેશન પ્રણાલીના પ્રભારી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘અમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને આકર્ષિત કરીશું, અર્થવ્યવસ્થા અને આપણા સમુદાયોને પ્રોત્સાહિત કરીશું અને આ દેશની પૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરીશું.’ બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવી વિઝા પ્રણાલી બ્રેક્ઝિટની તરફેણમાં ૨૦૧૬ના જનમત સંગ્રહની સીધી પ્રતિક્રિયા છે, જેને સસ્તા પ્રવાસી શ્રમ પર દેશની નિર્ભરતાને સમાપ્ત કરવા અને સખત સુરક્ષા સાથે પ્રવાસના સમગ્ર સ્તરને ઓછો કરવા માટે એક વોટ તરીકે જોવામાં આવ્યો હતો.

યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમમાં ખાસ કૌશલ્ય, ભણતર કે લાયકાત (ક્વૉલિફિકેશન્સ), પગાર અને વ્યવસાય પર ખાસ ધ્યાન અપાશે.

ગ્લોબલ ટેલેન્ટ સ્કીમની પણ ઘોષણા કરવામાં આવી છે. જેના અનુસાર યુકેમાં ફાસ્ટ ટ્રેક વિઝા, આગામી વર્ષથી યુરોપીયન સંઘના નાગરિકો માટે પણ લાગુ થઈ શકશે, જે વધુમાં વધુ કુશળ વૈજ્ઞાનિકો અને સંશોધકોને નોકરીની ઓફર વિના બ્રિટન આવવાની અનુમતિ આપશે.

પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘નવી વિઝા પ્રણાલી અંતર્ગત કોઈ વ્યક્તિ યુકે આવવા માગે છે તો તેમને અંગ્રેજી બોલતા આવડે એ જરૂરી છે અને તેમની પાસે એપ્રુવ્ડ સ્પોન્સરની સ્કીલ્ડ જોબ માટેની ઓફર હોવી જોઈએ. જેના દ્વારા વ્યક્તિને ૫૦ પોઈન્ટ મળી શકે છે. બધુ મળીને ઈમિગ્રન્ટે ૭૦ પોઈન્ટ મેળવવા જરૂરી છે જેના પછી તે યુકેમાં કામ કરવા સક્ષમ બની શકે છે. અન્ય પોઈન્ટ્સ યોગ્યતા, ઓફર કરાયેલું વેતન અને જ્યાં અછત હોય એવા સેક્ટરમાં કામ જેવા મુદ્દે મળી શકે છે.

યુકે યુરોપિયન યુનિયનમાંથી ૨૦૨૦ની ૩૧મી જાન્યુઆરીએ નીકળી ગયું હતું અને તેનો ૧૧ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ શરૂ થયો હતો. બ્રેક્ઝિટ પછીની નવી સિસ્ટમમાં યુકે દ્વારા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને ભારત સહિતના યુરોપની બહારના અન્ય દેશોના નાગરિકોને સમાન ગણવામાં આવનાર છે. યુકેના પ્રધાનમંડળમાંના વરિષ્ઠ પ્રધાનોમાંનાં એક પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે દેશ માટે આજે ઐતિહાસિક સમય છે. હવે આપણે ત્યાં યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમના અમલથી સારું કૌશલ્ય ધરાવતા વિશ્ર્વભરના નિષ્ણાતો આવવા આકર્ષાશે અને સરેરાશ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટશે.

February 19, 2020
canada.jpeg
1min14580

હાલ ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઈ રહ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ કેનેડા ભણવા જવા માટેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણાં વિદ્યાર્થી ધોરણ 12 બાદ જ્યારે ઘણાં વિદ્યાર્થી ગ્રેજ્યુએશન બાદ માસ્ટર્સનો કોર્સ કરવા માટે કેનેડા તરફ ભણી રહ્યા છે. કેનેડા વિકસતો દેશ છે, ત્યાં હાલ માણસોની ખૂબ જ જરૂર છે. કેનેડા ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ વિશાળ દેશ છે અને ત્યાં ભારતીયો (તેમાં પણ ખાસ કરીને પંજાબી અને ગુજરાતી)ની સંખ્યા સારી એવી છે. કેનેડામાં હાલ એવા વિદ્યાર્થીઓની વધારે જરૂરિયાત છે કે જેમની પાસે ટેક્નિકલ આવડત હોય. જે વિદ્યાર્થીએ સાયન્સ સાથે જોડાયેલ એન્જિનિયરિંગ, ડૉક્ટરનો અભ્યાસ કર્યો હશે તેમના માટે કેનેડામાં ઉજ્જવળ તક છે. પણ, માતા-પિતાને સૌથી સતાવતો પ્રશ્ન એ છે કે કેનેડા ભણવા જવા માટેનો બેસ્ટ ટાઈમ કયો? ધોરણ 12 કે ગ્રેજ્યુએશન પછી?

વિદેશ અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ કેનેડાને પસંદ કરી રહ્યા છે કારણકે ત્યાં એક વર્ષીય ડિપ્લોમાનો અભ્યાસ કરો કે પછી 2 વર્ષના માસ્ટર્સનો કોર્સ, વર્ક પરમિટ ચોક્કસ મળે છે. એટલે કે કેનેડા ભણવા જતો વિદ્યાર્થી તેના અભ્યાસ બાદ વર્ક પરમિટ મળતા કમાતો થઈ જાય છે, ત્યારબાદ તે PR (Permanent residents) માટે પણ એપ્લાય કરી શકે છે. કેનેડામાં PR મેળવવા માટે ચોક્કસ પોઈન્ટ મેળવવાના હોય છે. આ પોઈન્ટમાં વિદ્યાર્થીનો અભ્યાસ, તેની નોકરી, તે કયા પ્રદેશ (રાજ્ય)માં રહે છે તેનો આધાર ગણવામાં આવે છે. PR માટેના પોઈન્ટ હાલ મુજબ 470ની આસપાસ ચાલી રહ્યા છે, તે સતત બદલાતા રહે છે. જો કેનેડા જઈ રહેલો વિદ્યાર્થી અભ્યાસ માટે 1 વર્ષના કોર્સની પસંદગી કરે છે તો તેને 1 વર્ષની વર્ક પરમિટ (1 વર્ષ નોકરી કરવાની પરવાનગી) મળે છે. જો આ વિદ્યાર્થી 2 વર્ષના કોર્સની પસંદગી કરે છે તો તેને 3 વર્ષની વર્ક પરમિટ મળે છે. મોટાભાગના વિદ્યાર્થી 2 વર્ષના કોર્સની પસંદગી કરે છે. બાદમાં ત્યાં નોકરી કરતા-કરતા PR માટે એપ્લાય કરે છે.

જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12 પછી કેનેડા જાય છે તો ત્યાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેના આગળના રસ્તા ખુલશે. જો વિદ્યાર્થી ભારતમાં ગ્રેજ્યુએશન કરીને માસ્ટર્સની ડિગ્રી માટે કેનેડા જાય છે તો ત્યાં તે માસ્ટર્સ ડિગ્રી કરીને વર્ક પરમિટ મેળવીને PR માટે સરળતાથી એપ્લાય કરી શકે છે. ધોરણ 12 કરતા ગ્રેજ્યુએશન બાદ કેનેડા જવા માટેનો વિકલ્પ યોગ્ય છે. જો વિદ્યાર્થી એન્જિનિયર હશે (મિકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રિક વગેરે…) તો નોકરી મેળવવામાં વધારે ફાયદો થશે કારણકે કેનેડામાં હાલ ટેક્નિકલ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ખૂબ જરૂર છે. કોમર્સના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થી પણ પોતપોતાની આવડત મુજબ સારી નોકરી મેળવી શકે છે. આ સિવાય ડૉક્ટર માટે પણ કેનેડા સારો વિકલ્પ છે.

કેનેડા જવા માટે IELTS (International English Language Testing System)ની પરીક્ષા આપવી પડે છે. આ માટે ઓછામાં ઓછા 6.5 બેન્ડ સ્કોર કરવો જરૂરી છે. સમગ્ર પરીક્ષામાં 6.5નો સ્કોર સહિત તેના ચારેય મોડ્યુલ Listening (સાંભળવુ), Reading (વાંચન), Writing (લેખન), Speaking (બોલવું)માં 6 બેન્ડનો સ્કોર કરવો જરૂરી છે. IELTSમાં જેટલો સારો સ્કોર હશે તેટલો વધારે ફાયદો થશે. કેનેડામાં બીજા દેશની સરખામણીમાં ખૂબ જલદી PR મળી રહ્યા છે. જેટલા જલદી કેનેડા જશો તેટલો વધુ ફાયદો થશે. કેનેડા જવા માટે કયો કોર્સ કરવો અને તેની કેટલી ફી અથવા ખર્ચો થશે તે વિવિધ કોલેજ અથવા યુનિવર્સિટી પર આધારિત છે. આ માટેની જાણકારી તમે ઓનલાઈન મેળવી શકો છો.

February 14, 2020
white_hair.jpg
1min7860

આ વાળ તડકામાં સફેદ થયા નથી પણ ડહાપણથી શ્ર્વેત બન્યા છે, તેવું વૃદ્ધો અવારનવાર કહેતા હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાળ તણાવથી સફેદ થતાં હોય છે. આ અંગેનો એક સંશોધનથી જાણી શકાયું છે કે લાંબા સમયથી તણાવનો સામનો કરનારાઓના શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બની જતી હોય છે. જેની આડઅસરથી વાળ ધોળા થઈ જતા હોય છે. જો નર્વસ સિસ્ટમને સક્રિય ન થવા દઈએ તો વાળ ધોળા થવાની સંભાવના ઘટી જાય છે, તેવું ઉંદરો પર થયેલું સંશોધન દર્શાવે છે.

‘નેચર’ સામયિકમાં આ અંગેનો અભ્યાસ પ્રકાશિત થયો છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના થિઆગો મટ્ટર કુન્હાએ કહ્યું કે ‘લાંબા સમયથી માનવામાં આવતું હતું કે તણાવથી વાળ સફેદ થતા હોય છે, પણ આ માન્યતા માટે કોઈ આધાર મળતો ન હતો. અમારા અભ્યાસથી શોધી શકાયું છે કે શરીરમાં શું થવાથી વાળ સફેદ થતા હોય છે અને આ પ્રક્રિયા અટકાવવાનો માર્ગ અમે શોધી શક્યા છે.’ મોરોક્કોમાં થતા કેકટ્સ પ્રકારના પ્લાન્ટમાંથી મેળવેલું રેસિનિફેરાટોક્સીન ઉંદરમાં ઈન્જેક્ટ (દાખલ) કરવામાં આવ્યું હતું. આ ટોક્સીન (ઝેરી પદાર્થ) ઘણાં સપ્તાહ સુધી કાળા ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી અને તે પછી તેના વાળ સફેદ થયા હતા. સીડીકે (સાઈક્લીનડિપેન્ડેન્ટ કિનાસે) નામના પ્રોટીનથી વાળ સફેદ થતાં હોવાની સંંશોધનકારોને જાણ થઈ હતી. તે પછી સીડીકે ઈનહિબિટર (સીડીકેને અટકાવનાર) ઉંદરમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું તો ખબર પડી કે વાળ સફેદ થવાનું અટકી ગયું હતું. હાર્વર્ડના કુન્હાએ કહ્યું કે ‘ઉંદરોમાં રેસિનિફેરાટોક્સીન ઈન્જેક્ટ કરવામાં આવ્યું તે પછી અમે તેમને ગુઆનેથિડિન આપ્યું હતું જે એન્ટી-હાઈપરટેન્સિવ (તાણ ઘટાડે) છે અને અમે અવલોકન કર્યું કે વાળનો રંગ સફેદ થતો અટકાવી શકાયો હતો.

ઉંદરને થતી પીડાથી શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બનતી હોય છે અને એડ્રેનલિન અને કોર્ટિસોલ હોર્મોન ઉત્તેજિત થઈ જતા હોય છે. હૃદય ઝડપભેર ધબકવા લાગે છે. બ્લડપ્રેશર વધી જતું હોય છે. શ્ર્વાસોશ્ર્વાસ ઝડપી બને છે. ડોળા પહોળા થાય છે

અને આ પ્રતિભાવ વાળ સફેદ કરવા જવાબદાર છે.

January 23, 2020
biggest_diamond-1280x720.jpg
3min8340

લૂઈ વિટોંએ વર્ષ ૧૯૦૫ બાદ શોધાયેલો સૌથી મોટો ડાયમંડ ‘સૅવેલો’ ખરીદી લીધો છે. હીરાના ઈતિહાસમાં સૌથી મોટા કદના બીજા નંબરના હીરાને હવે લૂઈ વિટોંના રૂપમાં નવો માલિક મળ્યો છે. લૂઈ વિટોંના હાથમાં આવેલા સૅવેલો નામના હીરાનું વજન ૧૭૫૮ કૅરેટ્સનું છે. આ ડાયમંડ વર્ષ ૧૯૦૫ પછી શોધાયેલો બીજો મોટા કદનો હીરો છે. એપ્રિલ મહિનામાં ખાસ્સી ધામધૂમ સાથે એકદમ જાણે પ્રગટ થયેલા સૅવેલોનું નામકરણ જુલાઈ મહિનામાં થયું અને પછી એ હીરો પાછો લોકોની નજરમાંથી અદૃશ્ય થઈ ગયો હતો. હવે પાછો નવા માલિક સાથે સૅવેલો લોકોની નજરમાં પ્રગટ્યો છે.

જોકે, એના માલિકના નામને તમે ઝડપથી નહીં જ કલ્પી શક્યા હોય! સૅવેલોનો નવો માલિક જાત જાતની મૂલ્યવાન અને મહત્ત્વની જણસો મેળવવા માટે જાણીતો જેફ બેઝોસ નથી કે નથી શોભા માટે કોઈ જણસ શોધનારું શાહી ખાનદાન. ડાયમંડ માર્કેટનું સર્જક ડી બીયર્સ જૂથ પણ નથી. વળી, ડાયમંડના ખાં ગણાતા ‘ગ્રાફ લેસેડી લા રોના’ નામના હીરાના માલિક ગ્રાફ પણ નવા વિશાળ કદના હીરા સૅવેલોના માલિક નથી, પણ લૂઈ વિટોં માલિક છે. આ લૂઈ વિટોં તેની ચામડાંની હૅન્ડબૅગો માટે ખ્યાતનામ બ્રાન્ડ છે. વળી, તે એક દશક કરતાં વધુ સમયથી જ્વેલરી બજારમાં પણ ખાસ્સા આદરથી લેવાતું નામ છે! લૂઈ વિટોંની વિશાળ કદની પિતૃકંપની એલવીએમએચ દ્વારા લક્ઝરી જ્વેલરીની ગિફ્ટ આઈટમો બનાવતી અને વેચતી ટિફની ઍન્ડ કો ૧૬.૨ અબજ યુરોમાં ગયા નવેમ્બર મહિનામાં ખરીદી લેવાઈ ત્યારે જ લૂઈ વિટોં હાઈ એન્ડ જ્વેલરી બજારમાં ધમાકો કરશે એવા સંકેતો ઝવેરાત બજારમાં પહોંચ્યા હતા. એ પછી આ સૅવેલો હીરો ખરીદીને કંપનીએ જાણે બમણો ધમાકો કર્યો છે.

એન્ટવર્પ ડાયમંડ એક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઈકોનોમિક સ્ટે્રટેજી એડવાઈઝરી ફર્મના મૅનેજિંગ ડાયરેક્ટર માર્સેલ પ્રુવરે કહ્યું હતું કે, “જગતમાં ૧૦ કરતાં પણ ઓછી વ્યક્તિ છે જે જાણે છે કે આવા મૂલ્યવાન રત્નું શું કરવું અને તેને કેવી રીતે કટ કરવો કે એનું મૂલ્ય બમણું થઈ જાય અને એ લોકો જ એવા સ્ટોનની ખરીદી કરવા માટે ટેબલ પર નાણાં મૂકી શકે છે. આટલેથી માર્સેલ પ્રુવર અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે,”એવો સ્ટોન ખરીદવો અને પછી એને પાંચ કરોડ યુરોના સ્ટોન તરીકે વેચવા માટે તમારી પાસે ટૅક્નિકલ યોગ્યતા-લાયકાત હોવી જોઈએ અને એ ઉપરાંત મોટી રકમનો ચેક લખવાની અને એ મોટું જોખમ લેવાની હામ હોવી જોઈએ. આવા જોખમ લેનારાઓમાં આ એક કંપની છે, લૂઈ વિટોં એમ માર્સેલ પ્રવરનું કહેવું હતું.

જોકે, લૂઈ વિટોંના ચીફ એક્ઝિક્યૂટિવ માઈકલ બર્કે કંપનીએ આ ખરીદી માટે કેટલો ખર્ચ કર્યો છે એ અંગે કશું કહ્યું નથી, પણ એમણે એટલું કબૂલ કર્યું હતું કે, “આ ખર્ચ ‘મિલિયન્સ’માં છે.

કેનેડાના ખાણમાલિક લુકારા ડાયમંડ કૉર્પની માલિકીની બોટ્સવાના ખાતે કેરોવે ખાણમાંથી એપ્રિલ ૨૦૧૯ના દિવસે આ બૅઝબૉલ કદનો જગતનો બીજા ક્રમનો વિશાળ કાચો-રફ હીરો મળ્યો હતો. સૌથી મોટા કદનો હીરો ૩,૧૦૬ કૅરેટનો કુલીનાન નામનો હીરો હતો. જે વર્ષ ૧૯૦૫માં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. જે હવે બ્રિટિશ તાજમાં છે. વળી, સૅવેલો બોટ્સવાનામાં મળેલા હીરામાંનો સૌથી વિશાળ કદનો કાચો હીરો છે અને કેરોવે ખાણમાંથી મળેલો મોટા કદનો ત્રીજા નંબરનો હીરો છે. લુકારા કંપનીએ આ હીરાનું નામ પાડવાની રાખેલી સ્પર્ધામાં બોટ્સવાનાના ૨૨૦૦૦ લોકોએ ‘સૅવેલો’ નામની હિમાયત કરી હતી. સેટ્સવાના ભાષામાં ‘સૅવેલો’ એટલે ‘વિરલ શોધ’ એવો અર્થ છે. મોટા કદના કોઈપણ મૂલ્યવાન સ્ટોનમાંથી કેટલા કિંમતી અને ચમકદાર સ્ટોન-રત્નો મળે છે તેના પર તેની સફળતાનો આધાર છે અને એ ‘બહુ મોટું જોખમ’ છે, કારણ કે એની ચમકદમક અને મૂલ્યવાનપણા પર જ નફાનો આધાર છે. કટ થયા પછી અને શ્રેષ્ઠ પ્રકારે કટ્સ પડ્યા પછી તેના તેજમાં વધારો થાય તે રીતે તેનું ઉત્પાદન થાય તો જ ખરીદકર્તાનું જોખમ લેખે લાગે નહીં તો તમામ મહેનત અને ખર્ચ કરેલાં નાણાં પરત મેળવવા માટે અન્ય કિંમતી શોધ સુધી રાહ જોવી પડે!

અંધારામાં એક નાનકડી ‘વિન્ડો’ દ્વારા લેસર અને સ્કેનિંગ વગેરેથી ચકાસણી કરનારી ખાણ આવા સ્ટોનને ક્યારેક હાઈ-ક્વોલિટી વ્હાઈટ જૅમના ક્ષેત્રનો ‘નીઅર જૅમ’ ક્વોલિટીનો ગણાવે છે એટલે કે આ સ્ટોન રત્ન કહેવાવાની નજીક છે એમ કહેવાય! ડાયમંડમાં હજારો ગ્રેડેશન છે. જેમાં ‘ડી’થી માંડીને ‘ડી-ફ્લોલેસ’ (અતિ વિરલ જણસ) અને ઔદ્યોગિક સ્ટોન્સ સુધીના ગ્રેડ હોય છે. આ ઈન્ડસ્ટ્રિયલ પથ્થરો કટિંગ અને મેન્યુફેક્ચરિંગમાં વપરાશમાં લેવામાં આવે છે. આ ખરીદી અંગે બર્ક કહે છે કે, આ હીરો ‘ડી’ છે છે કે ‘ડી-ફ્લોલેસ’ છે એની મને ખબર નથી, પણ એની ખરીદીમાં થોડી હિંમત અને અમારા નિષ્ણાતોમાં ભરોસો હોવો જરૂરી છે. જોકે, જાણકારો કહે છેકે, “સાચું કહીએ તો, એલવીએમએચને આ ખરીદી પરવડી શકે એમ છે. વર્ષ ૨૦૧૮ની એની આવક ૪૬.૮ અબજ યુરોની અથવા બાવન અબજ યુરોની હતી.

This is what the second largest diamond in the world looks like

Introducing the world’s second ever biggest rough diamond, which comes in at an impressive 1,758 carats.

To put things into perspective, it is roughly the size of a tennis ball. The diamond was revealed as part of a partnership between Louis Vuitton and Lucara Diamond Corporation and the HB Company of Antwerp, to transform the diamond specimen.

It was discovered in April 2019 (it has since been named Sewelô, meaning Rare Find in the Setswana language) at the Karowe mine, Botswana. Weighing 352 grams, the Sewelô is the second largest rough gem diamond in recorded history, eclipsed only by the Cullinan, at 3,106 carats, discovered in South Africa in 1905, and fashioned into historic diamonds that are now in the British Crown Jewels and royal collection.

Now the next step is to assess the quality of the diamond, and then comes the fun bit: making jewellery. At the moment, the rough crystal is covered in a very thin layer of black carbon, and Louis Vuitton is working with master diamond cutters, HB Company, from Antwerp, to study it by opening a window onto the stone to gain visibility, and plot various permutations of size, colour and shape.

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min8800

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 16, 2020
parade.jpg
1min779

गणतंत्र दिवस (Republic Day) पर हर साल राजपथ पर परेड होती है. 26 जनवरी (26 January) को होने वाली परेड (Republic Day Parade) की तैयारी तेजी से चल रही है. 17, 18, 20 और 21 जनवरी को गणतंत्र दिवस परेड की रिहर्सल होगी. गणतंत्र दिवस की भव्य परेड में भारतीय सेना के विभिन्न रेजिमेंट, वायुसेना, नौसेना आदि सभी भाग लेते हैं. इसके साथ ही परेड में झांकियां निकाली जाती हैं. इस बार जिन 15 विभागों की गणतंत्र दिवस परेड में झांकी निकलेंगी, उनमें कृषि विभाग की दो झांकियां शामिल हैं. इसके साथ ही जेल, स्वास्थ्य एवं परिवार कल्याण, समाज कल्याण, नगरीय प्रशासन, ऊर्जा विभाग, आदिम जाति तथा अनुसूचित जाति, महिला एवं बाल विकास, पंचायत एवं ग्रामीण विकास, लोक निर्माण, वन, जल संसाधन, ग्रामोद्योग, संस्कृति एवं पर्यटन तथा कौशल विकास, तकनीकी शिक्षा एवं रोजगार, विज्ञान और प्रौद्योगिक विभाग की एक-एक झांकी परेड में शामिल होंगी.

  1. गणतंत्र दिवस की भव्य परेड देश की एकता अखंडता सांस्कृतिक विविधता और सैन्य शक्ति का प्रदर्शन करने के लिए आयोजित की जाती है. 
  2. गणतंत्र दिवस की भव्य परेड नई दिल्ली स्थित राजपथ पर आयोजित की जाती है. लेकिन क्या आप जानते हैं 1950 से लेकर 1954 ईस्वी तक परेड का आयोजन स्थल राजपथ नहीं हुआ करता था? इन वर्षों के दौरान 26 जनवरी की परेड का आयोजन क्रमशः इरविन स्टेडियम (अब नेशनल स्टेडियम), किंग्सवे, लाल किला और रामलीला मैदान में किया गया था. 
  3. 26 जनवरी की परेड की शुरुआत राष्ट्रपति के आगमन के साथ होती है. सबसे पहले राष्ट्रपति के घुड़सवार अंगरक्षकों के द्वारा तिरंगे को सलामी दी जाती है, उसी समय राष्ट्रगान बजाया जाता है और 21 तोपों की सलामी दी जाती है. हालांकि वास्तव में 21 तोपों से फायरिंग नहीं होती है, बल्कि भारतीय सेना के 7 तोपों, जिन्हें “25 पौन्डर्स” कहा जाता है, के द्वारा तीन-तीन राउंड की फायरिंग की जाती है.
  4. 26 जनवरी 1955 में राजपथ पर आयोजित पहले गणतंत्र दिवस समारोह में पाकिस्तान के गवर्नर जनरल मलिक गुलाम मोहम्मद विशेष अतिथि बने थे,
  5. हर साल गणतंत्र दिवस की परेड में गीत “Abide with Me” निश्चित रूप से बजाया जाता है क्योंकि यह महात्मा गांधी का पसंदीदा गीत था. हालांकि अब इस गीत को हटाकर इसके स्थान पर भारत के राष्ट्रीय गीत वंदे मातरम को बजाया जाएगा. 
December 26, 2019
iceberg.jpg
1min6060

યુએઇ તરીકે ઓળખ ધરાવતો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ આર્થિક સમૃદ્ધિમાં અળોટતા પ્રદેશ તરીકે વિખ્યાત છે. ક્રૂડ ઑઇલને કારણે વીસમી સદીમાં આ પ્રદેશે ઘણાં સારા દિવસો જોયા. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અસંખ્ય ભારતીયો મુખ્યત્વે અબુ ધાબી, દુબઇ અને શારજાહ અમિરાતમાં જઇને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં ખાસ્સા સફળ રહ્યા. આ વિસ્તારને કોઇ સમસ્યા નથી એવું નથી, પણ પૈસાનું જોર અને એની સગવડને કારણે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.

યુએઇની સાત અમિરાતોને જો કોઇ સૌથી વધુ સમસ્યા સતાવતી હોય તો એ પાણીની છે. સમસ્યા સામે તાકીને બેસી રહેવાને બદલે એને સુલઝાવવાનો પ્રયાસ જ એ તકલીફનું નિરાકારણ લાવી શકે છે. યુએઇના ૪૦ વર્ષના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ અબ્દુલ્લા અલ શેહીએ ઍન્ટાર્કટિકામાં રહેલા આઇસબર્ગ-હિમખંડને ખસેડીને ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સુધી લાવવાની યોજના તૈયાર કરી છે. ત્યાં પરીક્ષણ થશે અને જો એમાં સફળતા મળશે તો એ આઇસબર્ગને યુએઇના સાત અમિરાતમાંના એક ફ્યુજેરાહ સુધી ખસેડીને લાવવામાં આવશે.

પ્રથમ નજરે આ વિચાર તુઘલખી લાગી શકે છે. ૧૪મી સદીમાં દિલ્હીના શાસક મોહમ્મદ-બિન-તુઘલખે રાજધાની દિલ્હીથી ખસેડીને દૌલતાબાદ લઇ જવાનો કરેલો પ્રયત્ન હાસ્યાસ્પદ અને વિચિત્ર હોવાને કારણે તુઘલખી વિચાર તરીકે જાણીતો થયો હતો. ત્યાર બાદ જો કોઇ આવા વિચિત્ર કે અસંભવ આઇડિયા રજૂ કરે તો એ તુઘલખી વિચાર ગણાતો. અલબત્ત અબ્દુલ્લા અલ શેહીનો આઇડિયા આજે ભલે અસંભવ લાગતો હોય, પણ આ બિઝનેસમૅનને હૈયૈ વિશ્ર્વાસ છે કે એ આઇડિયા સફળ સાબિત થશે.

યુએઇ પાણીની અછતથી પીડાય છે એ વાત તો જગજાહેર છે. આજની તારીખમાં આ વિસ્તારમાં પાણીનો વપરાશ જોતા આગામી ૨૫ વર્ષમાં યુએઇનો સમગ્ર વિસ્તાર તીવ્ર દુકાળમાં સપડાઇ જશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યાથી વાકેફ અને એનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ અબ્દુલ્લા અલ શેહીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ‘આખી પ્રક્રિયાનો અમે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. અમારા સંશોધન અનુસાર પાણીનું ડિસેલિનેશન (ખારા પાણીને ગરમ કરી એની બાષ્પને મીઠા પાણીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે ગુજરાતીમાં નિસ્યંદનની પદ્ધતિ તરીકે ઓળખાય છે)ની સરખામણીમાં આઇસબર્ગ ખસેડીને લાવવામાં ઓછો ખર્ચ થશે. ડિસેલિનેશનની પ્રક્રિયા કરવા માટેના ઉદ્યોગમાં જંગી મૂડીરોકાણ કરવું પડે છે.

આ ઉપરાંત મોટા પાયે દરિયાનું પાણી ગલ્ફ દેશોમાં લઇ આવવું પડશે અને એમ કરવાને કારણે માછલીઓ અને અનેક દરિયાઇ જીવો નાશ પામશે. અમારું દૃઢપણે માનવું છે કે આઇસબર્ગ ખસેડવા આર્થિક રીતે પોસાય એવી યોજના તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણને અનુકૂળ પણ છે.’ આટલું કહ્યા પછી તેઓ વાતમાં એક ખૂબ મહત્ત્વનો ઉમેરો કરે છે. તેમની દલીલ છે કે ‘પીવાના પાણીનો આ ઉકેલ કેવળ યુનાઇટેડ આરબ અમિરાત માટે જ નહીં બલકે સમગ્ર વિશ્ર્વ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’ આ વાત અત્યંત મહત્ત્વની છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર છે.

બિઝનેસમૅન અબ્દુલ્લા અલ શેહીનો આ રજૂઆતવાળો ઇન્ટરવ્યૂ રજૂ થયા પછી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન યુએઇની આ વિશિષ્ટ યોજના તરફ ખેંચાયું છે. તેમણે પ્રોજેક્ટ રજૂ કરીને એના માટે લાખો ડૉલરના રોકાણની જરૂર પડશે એવી માંડણી કરી છે. આ અનોખો આઇડિયા અને એમાં વ્યક્ત કરવામાં આવેલા અંદાજો આશાસ્પદ હોવાની ચણભણ થઇ છે. તેમની યોજના અનુસાર ૨૦૨૧ના પ્રારંભમાં ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકામાં આ પ્રયોગનું પ્રાથમિક સ્તરે પરીક્ષણ કરવામાં આવશે. તેમને વિશ્ર્વાસ છે કે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે કેટલીક અડચણો આવે એમ હોવા છતો તેમ જ નાણાભીડનો પણ કદાચ સામનો કરવો પડે એમ હોવા છતાં આ અનોખો પાણીદાર વિચાર અમલમાં મુકાઇ જશે. અત્યારે યુએઇ પીવાલાયક પાણી મહદ્અંશે અત્યંત ખર્ચાળ એવી ડિસેલિનેશન પદ્ધતિથી મેળવે છે. જો નવી પદ્ધતિ અમલમાં આવી તો પીવાનું પાણી મેળવવાના ખર્ચમાં ખાસ્સો ઘટાડો થઇ જશે.

લાંબા અંતરે આઇસબર્ગ ખસેડવાનો અને એને પાણીના સ્રોત માટે વાપરવા વિશે ઘણાં દાયકાઓથી વિચાર થઇ રહ્યો છે, પણ એને ક્યારેય સફળતા નથી મળી. અલબત્ત મિસ્ટર અલ શેહીની વિચાર કરવાની પદ્ધતિ જરા જુદી છે. તેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને યુએઇની પાણીની સમસ્યાના નિરાકરણ વિશે તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. અન્ય લોકો જેમાં નિષ્ફળ ગયા એમાં પોતાને સફળતા મળશે જ એવો વિશ્ર્વાસ એમના હૈયે છે.

આ આઇડિયા તઘલખી છે એવા આક્ષેપનો જવાબ શું આપશો એવા સવાલના જવાબમાં અલશેહી કહે છે કે ‘આકાશમાં ઉડી શકાય એ વિશે અગાઉ લોકોના મનમાં શંકા હતી, પણ આજની તારીખમાં એ વાત વાસ્તવિકતા બની ગઇ છે ને. લોકો વિમાનમાં ઉડતા જોવા મળે છે ને. આ જે વિજ્ઞાને ગજબની હરણફાળ ભરી છે અને સર્વાંગી વિકાસ પણ થયો છે.

આ માત્ર વિજ્ઞાનની કાલ્પનિક વાર્તા નથી, એક દિવસ હકીકત બનીને નજર સામે આવી જશે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે હવામાં ઉડવા કરતાં આઇસબર્ગ ખસેડવો સરખામણીમાં સહેલો છે. હું જાણું છું કે કોઇ પણ નવતર પ્રોજેક્ટ આવે ત્યારે લોકોના ભવાં ઊંચકાય, એનો વિરોધ થાય અને એની સામે શંકાની નજરે પણ જોવામાં આવે.’ પોતાની યોજના વિશે વિગતવાર માહિતી આપતા અલ શેહી જણાવે છે કે એક ખાસ પ્રકારની નૌકાની અને દરિયાના પાણીના પ્રવાહની મદદથી આઇસબર્ગને ખસેડવામાં આવશે.

આજની તારીખમાં કેટલાક આઇસબર્ગ છૂટા પડીને દરિયાના પ્રવાહને કારણે ઍન્ટાર્કટિકાના ઉત્તરીય વિસ્તાર તરફ ખસવા લાગ્યા છે. પ્રોજેક્ટની દરખાસ્ત પ્રમાણે ઉપગ્રહની મદદથી એક યોગ્ય આઇસબર્ગની પસંદગી કરવામાં આવશે અને એની વિશિષ્ટ પદ્ધતિથી સાચવણી કરવામાં આવશે. આર્કટિક નજીક બરફને ઓગાળીને પાણીને મોકલવાનો વિચાર ટ્રાન્સપોર્ટનો તોતિંગ ખર્ચ જોતા વ્યવહારુ નથી.

પાઇલટ પ્રોજેક્ટ માટે ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરની કે પછી સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાની પસંદગી વિશે ચોખવટ કરતા અલશેહી સ્પષ્ટતા કરે છે કે ‘આ શહેરો પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે અને બીજું યુએઇથી આ શહેરો ત્રણથી ચાર હજાર કિલોમીટરના અંતરે આવેલા છે. સમગ્ર પ્રોજેક્ટ બરાબર કામ કરે છે એની તકેદારી લઇને તેમ જ સલામતીના મુદ્દે ચોકસાઇ રાખીને તેમ જ પર્યાવરણને નુકસાન નથી પહોંચતું એનું ધ્યાન રાખવામાં આવશે. જો બધું અમારી યોજના અનુસાર સાંગોપાંગ પાર ઉતરશે તો ૨૦૨૧ના પ્રારંભમાં આઇસબર્ગ ગલ્ફના કિનારે પહોંચી જશે.

પ્રાથમિક ગણતરી પ્રમાણે આ આઇસબર્ગ બે કિલોમીટર લાંબો, ૫૦૦ મીટર પહોળો ૨૦૦ મીટર ઊંડો હશે. એને લાવવાનો ખર્ચ ૨૦ કરોડ ડૉલરની આસપાસ થશે. યુએઇના ફ્યુજેરાહના કિનારે પહોંચતા આઇસબર્ગને આશરે નવ મહિનાનો સમય લાગશે. સફળ પરીક્ષણના એક વર્ષ પછી આ પ્રોજેક્ટ અમલમાં આવશે. એક અંદાજ પ્રમાણે મુસાફરી દરમિયાન ૩૦ ટકા આઇસબર્ગ પીગળી જશે અને તેમ છતાં ૭૦ ટકા આઇસબર્ગ બહુ મોટો કહેવાય કારણ કે એમાંથી અબજો ગૅલન (એક ગૅલન એટલે પોણા ચાર લિટર) પાણી મળશે. આ એક ફેરાને કારણે એક લાખ લોકોને

પાંચ વર્ષ સુધી પીવાલાયક ફ્રેશ વૉટર મળી રહેશે એવી ગણતરી છે.

સમગ્ર પ્રક્રિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આઇસબર્ગ યુએઇના દરિયાકિનારેથી ૧૨ નૉટિકલ માઇલ્સ દૂર હશે ત્યારે બરફને ક્રશ કરી એને કારણે થનારા પાણીને સાચવવાની શરૂઆત થઇ જશે. અલ શેહીના અંદાજ પ્રમાણે ડિસેલિનેશન પ્લાન્ટથી એક વર્ષમાં જેટલું પાણી મળી શકે છે એટલું પાણી એક આઇસબર્ગમાંથી મળી શકશે. આ આઇડિયા સાવ નવો છે એવું નથી. અગાઉ ૧૯૭૫માં સાઉદી અરેબિયાએ આવો પ્રયાસ કરેલો જે સરિયામ નિષ્ફળ રહ્યો હતો. ટેક્નિકલ કારણોસર એ પ્રોજેક્ટ બે વર્ષ પછી પડતો મૂકવો પડ્યો હતો. જોકે, અલ શેહીની દલીલ છે કે એ વાતને ૪૫ વર્ષ વીતી ગયા છે. આજે ટેક્નોલૉજી ઘણી આગળ વધી ગઇ છે અને ૧૯૭૫માં જે સમસ્યાઓ આવી હતી એ આજની તારીખમાં ન આવે એની તકેદારી પણ રાખવામાં આવશે.

આ પ્રોજેક્ટના આડકતરા ફાયદા પણ છે. ડિસેલિનેશનનો પર્યાય ઊભો કરવાને કારણે પર્યાવરણની પણ જાળવણી થઇ શકશે. ડિસેલિનેશન માટે ગલ્ફમાં ખારું પાણી મોટા જથ્થામાં લાવવું પડે છે. એને કારણે દરિયાની ખારાશ ખાસ્સી વધી જાય છે અને માછલીઓ તથા સમુદ્રી જીવો મરણ પામે છે. આઇસબર્ગને કારણે આ બધું અટકી જશે. એક એવી પણ દલીલ કરવામાં આવી છે કે યુએઇના દરિયાકિનારે આઇસબર્ગ ખસેડવાને કારણે આજુબાજુના રણવિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જશે. એનો સીધો ફાયદો સ્થાનિક ખેતીને થશે.

વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. એને કેવી અને કેટલી સફળતા મળે છે એ તો આવનારો સમય જ કહેશે.

December 23, 2019
christmas.jpg
1min6310

સામાન્યત: ૨૫ ડિસેમ્બરે ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને એ જ રૂપમાં ક્રિસમસનું આયોજન થાય છે. પરંતુ વર્ષો પહેલાં આવું ન હતું. એ સમયના ધર્માધિકારીઓ ક્રિસમસના રૂપમાં આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતા. એ વાસ્તવમાં રોમન લોકો માટે તહેવારનો દિવસ હતો જેમાં સૂર્યની ઉપાસના કરવામાં આવતી હતી. ત્યારે એવું માનવામાં આવતું કે આ દિવસે સૂર્યનો જન્મ થયો હતો.

એ દિવસોમાં સૂર્ય-ઉપાસના રોમન સમ્રાટો માટે એક રાજકીય ધર્મ બની ગયેલો. બાદમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો કેટલાક લોકો ઇસુને સૂર્યનો અવતાર માનીને આ દિવસે તેમની પણ ઉપાસના કરવા લાગ્યા. જોકે, તેને અધિકૃત માન્યના મળી ન શકી.

ચોથી સદીમાં ઉપાસના પદ્ધતિ પર ચર્ચા શરૂ થઇ અને જૂના સમયમાં લખાયેલ સામગ્રી અનુસાર તે તૈયાર કરવામાં આવી. ઇ.સ. ૩૬૦ની આસપાસ રોમના એક ચર્ચમાં ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ પર પ્રથમ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. જેમાં તે સમયના પોપે પણ ભાગ લીધો, પરંતુ ત્યાર બાદ પણ સમારંભની તારીખ માટે મતભેદ તો રહ્યા જ હતા.

યદૂદી ધર્મ પર પાળતા ભરવાડોમાં પ્રાચીન કાળથી વસંતોત્સવ મનાવવાની પરંપરા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર બાદ ભરવાડો પોતાના જાનવરોના પહેલા બચ્ચાની બલિ ઇસુના નામ પર ચઢાવવા લાગ્યા અને તેમના નામ પર ભોજન સમારંભ પણ યોજવા લાગ્યા. જોકે, આ સમારંભ ભરવાડો પૂરતો જ મર્યાદિત હતો.

જોેકે એ જ અરસામાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓમાં ઇસુના જન્મદિવસની ઉજવણી માટે ગંભીરતાથી વિચાર વિમર્શ થવા લાગ્યો. તે સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વસંતઋતુના જ કોઇ દિને આ જન્મદિવસ ઉજવવો.

તે અનુસાર પહેલા ૨૮ માર્ચ અને બાદમાં ૧૯ એપ્રિલ પણ નક્કી કરવામાં આવી હતી. બાદમાં એ પણ બદલીને ૨૦ મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો. કેટલાક પ્રસ્તાવો એવા પણ આવ્યા હતા જેમાં આ દિવસને ૮ કે ૧૮ નવેમ્બરે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

જોકે, લાંબા સમયની ચર્ચા વિચારણા પછી રોમન ચર્ચ અને સરકારે ૨૫ ડિસેમ્બરને જ ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ જાહેર કર્યો. તે છતાંય તેનો અમલ કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો.

ભૂતકાળમાં અન્ય જાતિઓ દ્વારા ઉજવવામાં આવતા તહેવારો પણ આ આ જન્મદિવસ સાથે હળી ભળી ગયા હતા. આ તહેવારો કેટલેક અંશે આજે પણ ક્રિસમસ પર્વ સાથે સ્થાયી રૂપથી જોડાયેલા જોવા મળે છે. ઇસુની જન્મભૂમિ જેરૂસલેમમાં પણ આ તારીખને પાંચમી સદીના મધ્યમાં સ્વીકારી લેવામાં આવી. જોકે, ત્યાર બાદ પણ ક્રિસમસ દિવસની આ યાત્રા સરળ ન રહી. વિરોધ અને અંતર્વિરોધ ચાલતા રહ્યા.

૧૩મી સદીમાં જ્યારે પ્રોટેસ્ટન્ટ આંદોલન શરૂ થયું તો આ પર્વને ફરીથી આલોચનાત્મક દૃષ્ટિથી જોવામાં આવ્યો. આંદોલનકર્તાઓને એવું લાગતું હતું કે આ તહેવાર પર જૂના ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ છે. તે સમયમાં ગવાતા ક્રિસમસ કેરોલ જેવા ભક્તિગીતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૨૫ ડિસેમ્બર ૧૬૪૪ના દિવસે તો ઇંગ્લેન્ડમાં એક નવો કાયદો બન્યો જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરને ઉપવાસ દિવસ જાહેર કરવામાં આવ્યો. ક્રિસમસ વિરોધી આ આંદોલન અન્ય દેશોમાં પણ ફેલાયું. અમેરિકામાં પણ તેનો પ્રભાવ પડ્યો. બોસ્ટનમાં તો ૧૬૯૦માં ક્રિસમસના તહેવાર પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. છેક ૧૮૬૦માં અમેરિકામાં ક્રિસમસને માન્યતા મળી. તે સમયે ૨૫ ડિસેમ્બરને દિવસે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી. ત્યાર બાદ બીજા ખ્રિસ્તી દેશોમાં પણ આનું અનુકરણ થવા લાગ્યું. આમ ઇસુના જન્મ થયેને ભલે ૨૦૧૯ વર્ષ થયા હોય, પણ તેમના જન્મદિવસને ૨૫ ડિસેમ્બરે ઉજવવાનું અધિકૃત રીતે શરૂ થયું માત્ર દોઢસો વર્ષ પહેલાં.

ક્રિસમસ ટ્રી અને સાંતાકલોઝ

યુરોપના ઘણા ભાગોમાં વિવિધ પ્રસંગે વૃક્ષોની સજાવટ કરવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં ૨૪ ડિસેમ્બરે એક તહેવાર મનાવવામાં આવતો તેમાં એક નાટક પણ ભજવવામાં આવતું જેનું નામ હતું ‘ અદનનું વૃક્ષ’. શક્ય છે આવી પરંપરાઓએ ક્રિસમસ ટ્રીની વિચારધારાને જન્મ આપ્યો હોય. આવી વિચારધારા સાથે બાદમાં અનેક દંતકથાઓ પણ જોડાઇ ગઇ. ૧૮૨૧માં ઇંગ્લેન્ડની મહારાણીએ ક્રિસમસ ટ્રી બનાવડાવીને બાળકો સાથે એક સમારંભ યોજી આનંદોત્સવ મનાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષમાં એક દેવ પ્રતિમા રાખવાની પરંપરાને જન્મ આપ્યો હતો. વધાઇ માટેનું પહેલું ક્રિસમસ કાર્ડ લંડનમાં ૧૮૪૪માં તૈયાર થયું. ત્યાર બાદ ૧૮૭૦ સુધીમાં ક્રિસમસ કાર્ડ આપવાની આ પ્રથા પૂરા વિશ્ર્વમાં ફેલાઇ ગઇ.

સાન્તાક્લોઝની પરંપરા પણ ક્રિસમસ સાથે ઘણા સમય બાદ જોડાઇ. મધ્ય યુગમાં સંત નિકોલસ (જન્મ ઇ.સ. ૩૪૦)નો જન્મદિવસ ૬ ડિસેમ્બરે મનાવવામાં આવતો અને એક માન્યતા હતી કે આ રાત્રિએ સંત નિકોલસ બાળકો માટે જાતજાતના ઉપહાર લઇને આવતા. આ જ સંત અમેરિકી બાળકો માટે ‘ સાંતાક્લોઝ’ બની ગયા અને આ નામ સંપૂર્ણ વિશ્ર્વમાં લોકપ્રિય બની ગયું. આજે વિશ્ર્વમાં ૧૦૦થી અધિક દેશોમાં ક્રિસમસનો તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે.