CIA ALERT

Alert Archives - Page 476 of 519 - CIA Live

September 8, 2018
prafuldoshi.jpg
1min10490

સંતાન પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે આવેલી શહેરની એક પરણિતા સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરીયાદ જેની સામે નોંધાયેલી છે એ સુરતના નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી આજે ત્રીજા દિવસે પણ પોલીસની પહોંચની બહાર છે. પોલીસ કાર્યવાહીથી સંતાતા ફરતા ડો.પ્રફુલ દોશીને શોધવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. ડો. પ્રફુલ દોશી દંપતિ સાથે ઘરોબો ધરાવતા લોકો સુધી પોલીસે પહોંચીને કોઇપણ સંજોગોમાં તેમને હાજર કરાવવા માટે ચીમકીઓ આપી દીધી છે. અલબત્ત હજુ સુધી ડો.પ્રફુલ દોશીએ પોલીસમાં હાજર થવા અંગે કોઇ હરકત કરી નથી. ડો.નિરવ શાહ અને ડો.રૂપલ શાહે ડો. દોશીને કારણે મુશ્કેલીમા મૂકાવું પડ્યું છે. બે દિવસથી પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરી છે અને હજુ પણ તેમના પર પ્રેશર છે કે તાત્કાલિક ડો. પ્રફુલને હાજર કરાવે અન્યથા આકરી પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ડો.પ્રફુલ દોશી સામેના પોલીસ કેસ અંગે શહેરના તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તબીબોમાં મોરલ એથિક્સના મુદ્દે ડો.પ્રફુલ દોશીના મુદ્દે બે ફાડચા પડી ગયા છે. તબીબો માને છે કે જો ડો. પ્રફુલ દોશી નિદોર્ષ હોત તો તેમણે પોલીસ કાર્યવાહીથી સંતાવાને બદલે તેનો સામનો કરવો જોઇતો હતો. તેની જગ્યાએ ત્રણ દિવસથી લાપતા બનીને ડો.પ્રફુલ દોશીએ એ શંકાને બળવતર બનાવી છેકે તેઓ કસૂરવાર છે.

ગઇકાલ તા.7મી સપ્ટેમ્બરે પોલીસે ડો.નિરવ શાહની પૂછપરછ કરી હતી આજે સૂત્રોએ આપેલી માહિતી મુજબ ડો.નિરવ શાહના પત્ની ડો.રૂપલ શાહની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હોવાની વિગતો જાણવા મળી છે. ડો.રૂપલ શાહ અને ડો.દોશી દંપતિ એક જ પ્રીમાઇસીસમાં કન્સલ્ટીંગ ધરાવવા સાથે અમૂક બિઝનેસમાં પાર્ટનર હોવાનું જાણવા મળે છે.

ડો.રૂપલ શાહ કે ડો.નિરવ શાહ જાણે છે કે ડો.પ્રફુલ દોશી ભૂગર્ભમાં કયા સ્થળે છૂપાયા હોઇ શકે. મિડીયા રિપોર્ટ પ્રમાણે ડો.દોશી મુંબઇ કે ઉત્તર ગુજરાત તરફ હોવાની શંકા છે, અલબત્ત તેમના વિષે પોલીસ કોઇ ચોક્કસ માહિતી મેળવી શકી નથી.

બીજી તરફ ભોગ બનેલી પરણિતાને ન્યાય અપાવવા માટે પ્રજાપતિ સમાજ સામે આવ્યો છે. તા.7મી સપ્ટેમ્બરે પોલીસ તંત્રમાં રજૂઆતો કર્યા બાદ પ્રજાપતિ સમાજના આગેવાનોએ સમાજની એક મિટીંગ અમરોલીમાં બોલાવી છે. જે અંગે મિડીયામાં આ પ્રમાણે મેસેજ વાઇરલ થયા છે.

September 8, 2018
suratairport1.jpg
1min23270

cialive@yahoo.com

સુરત એરપોર્ટ હવે 24 કલાક ધમધમતુ અને દેશનું મહત્વનું એરપોર્ટ બન્યું છે. થોડા મહિના અગાઉ ફક્ત એક જ ફ્લાઇટ સુરત આવતી અને સુરતથી ઉપડતી હતી. હવે 21 જેટલી ફ્લાઇટ્સ રોજેરોજ સુરત આવે છે અને સુરતથી ઉપડે છે.

ધંધાકીય શહેર હોવાથી સુરતમાં રોજેરોજ હજારો મુલાકાતીઓ સમગ્ર દેશ દુનિયામાંથી આવે છે એવી જ રીતે સ્થાનિક સુરતીઓ પણ રોજેરોજ હજારોની સંખ્યામાં સુરતથી દેશના અન્ય શહેરો, વિદેશોમાં જાય છે. આવી સ્થિતિમાં મુલાકાતીઓને સુરત એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટ્સની માહિતી માટે અત્રે ટાઇમ ટેબલ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં રજૂ કરી રહ્યા છીએ.

 

September 8, 2018
gst.jpg
1min13080

ગોંડલની 26 પેઢી, જામનગરની-2, ઉંઝા-2 મહેસાણા-2, ખેડબ્રહ્મા, પાટણ, સિધ્ધપુર, સુરત, ડીસાની 1-1 પેઢી મળી કુલ 46 સ્થળોએ તપાસ

સુરતની કુંભટ એડ પ્રા.લી.માંથી 540 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયાં છે. જ્યાં સર્વિસ ટેકસ ન ભરી કૌભાંડ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું છે. આ પેઢીના કર્મચારીઓને ત્યાં પણ વ્યાપક દરોડા પાડી તપાસ કરવામાં આવી છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં મળી 46 સ્થળોએ સ્ટેટ જીએસટી દ્વારા પાડવામાં આવેલાં દરોડામાં એક હજારથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. આ દરોડામાં 26 પૈકી તો એકલાં ગોંડલની છે. જામનગરની બે મળી સૌરાષ્ટ્રની 28 અને ડીસા-ઉંઝા, પાટણની 15 પેઢીઓ પર તવાઇ ઉતારવામાં આવી છે.

જાણવા મળ્યાં મુજબ સુરતની કુંભટ એક કંપનીનું જ 500 કરોડનું બેનામી વ્યવહારોનું ષડયંત્ર ખુલ્યું છે. આમ સુરતનો હિસ્સો આ કૌભાંડમાં એક જ પેઢી હોવા છતાં 50 ટકા થયો છે.

સ્ટેટ જીએસટીની અન્વેષણ વિંગે જુન-2018માં કેસ્ટર અને મસ્ટર્ડ ઓઇલ સંદર્ભે દરોડાની કાર્યવાહી કરેલ હતી. જે સંદર્ભે તાજેતરમાં ર્ગેંડલ ખાતેના 26 તથા ડીસા-ઉંઝા-પાટણના 15 સહિતના કુલ 46 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં બ્રોકર અને હિસાબનીશના સ્થળોનો પણ સમાવેશ થાય છે. દરોડાની કામગીરી સંખ્યાબંધ દસ્તાવેજો કબજે કરાયા છે. હિસાબનીશના ગોંડલ ખાતેના સ્થળેથી પણ સંખ્યાબંધ હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.

આ સમગ્ર પ્રકરણે અંદાજે રૂ.1000 કરોડથી વધુનું બોગસ બિલીંગ ઝડપાયું છે, જેમાં વેરાની મોટી રકમ સંડોવાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉની તપાસમાં મે.ખુશીયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.રસાણા, ડીસાના કેસમાં રૂ.20 કરોડની ખોટી ટેક્સ ક્રેડિટ મળી આવી હતી. જેના અનુસંધાને કંપનીની મિલકતો ઉપર ટાંચ મુકી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોગસ બિલીંની મોડસ ઓપરંડી મુજબ, એડીબલ અને નોન-એડીબલ ઓઇલના બિલ વિના થયેલાં વેંચાણો સામે બિલો મેળવી તેની સકામે વેપારીઓની જરૂરિયાત મુજબ બિલો ઇસ્યુ કરવામાં આવે છે. આમ, જે વેપારીને માલનું ખરેખર વેચાણ કરવામાં આવેલ હોય તેણે બિલ મેળવવું ન હોય એને તે અન્વયેનું બિલ, બિલીંગ ઓપરેટરો એટલે કે બોગસ પેઢીઓને વેચી દઇ, બિલીંગ ઓપરેટરો દ્વારા અન્ય જે વેપારીને બિલની જરૂર હોય તેને બિલનું વેચાણ કરવામાં આવે છે.

આ ઉપરાંત રાઇસ બ્રાન્ડ ઓઇલની ગુજરાત બહારથી ખરીદી કરી તેને બિલ વિના વેચી ટેક્સ ક્રેડિટ લઇ તેની સામે વેચાણ ઇનવોઇસ ઇસ્યુ’ કરવામાં આવતા હોવાનું પણ પકડાયું છે.

ઉંઝા ખાતેના બ્રોકર હાર્દિક કોર્પોરેશન તથા ડીસા ખાતેના ગણેશ કેન્વાસીંગને પણ તપાસમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કર્ણાટક સ્ટેટ જીએસટી સાથેના સંયુક્ત ઓપરેશનમાં મોહન ઢાબા, મુ.બસાવાકલ્યાણ, જી.બિદરના સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવેલી.

September 8, 2018
shades.jpg
1min5240

મનમોહન સિંઘે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના પુસ્તક ‘શેડ્સ ઓફ ટ્રુથ’ના વિમોચન સમયે સમારોહ સંબોધિત કરતા જણાવ્યું કે સરકાર બધા જ મોરચે નિષ્ફળ રહી છે અને તે 2014માં કરેલા વાયદાઓને પુરા કરી શકી નથી.

મનમોહન સિંઘે પુસ્તકની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પુસ્તક ઘણી શોધ બાદ લખવામાં આવ્યું છે. આ પુસ્તક મોદી સરકારનું સમગ્ર વિશ્લેષણ છે. આ સરકારની નિષ્ફળતાને બતાવે છે. પુસ્તક દર્શાવે છે કે સરકારે જે વાયદાઓ કર્યા હતા તે પૂરા નથી થઇ શક્યા.
આ પ્રસંગે કપિલ સિબ્બલે જણાવ્યું કે જીએસટી ઉતાવળમાં લાગુ કરી દેવાયો અને તેનાથી વેપારીઓને નુકસાન થયું છે. મહાન નેતાએ 2014 પછી આપણને નોટબંધી આપી જેનાથી 1.5 ટકા જીડીપીનું નુકશાન થયું હતું. જો કોઈ અન્ય દેશમાં આવું બન્યું હોત તો તેમણે રાજીનામું આપવું પડ્યું હોત.
તેમણે જણાવ્યું કે હવે દેશમાં વૈકલ્પિક વિમર્શ પર વિચાર કરવાની અને તેને અપનાવવાની જરૂર છે. આ સરકારમાં ખેડૂતો અને યુવાન પરેશાન છે. દલિતો અને અલ્પસંખ્યકોમાં અસુરક્ષાનો માહોલ છે. દેશમાં કૃષિ સંકટ છે. ખેડૂતો પરેશાન છે અને આંદોલન કરી રહ્યા છે. બે કરોડ યુવાનો નોકરીઓની રાહ જોઈ રહ્યા છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદન અને પ્રગતિ અટકી ગઇ છે.
September 8, 2018
saur-1280x720.jpg
1min6340

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી પી.એચડી. કરી રહેલી એક રિસર્ચ સ્કોલરની તેના ગાઇડ દ્વારા જાતીય સતામણી થતી હોવાની ગંભીર ફરીયાદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિને કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રિસર્ચ સ્કોલરે ફરીયાદ કરી હતી કે તેના પી.એચડી.ના ગાઇડ દ્વારા તેની જાતીય સતામણી કરવાના ઇરાદે પોતાની કેબિનમાં વારેઘડીયે બોલાવતા અને તેને અણછાજતા પ્રયોગ કરીને પોતાની જાતિય માગણી સંતોષવા માટે મજબૂર કરી રહ્યા હતા. જ્યારે રિસર્ચ સ્કોલરે ગાઇડની ઓફિસમાં જવાનું બંધ કરી દીધું ત્યારે ગાઇડે તેની પી.એચડી.ની થીસીસ પૂરી નહીં કરવા દેવા સબબની ધમકી આપી હોવાની ફરીયાદ પણ રિસર્ચ સ્કોલરે કરી છે.

પી.એચડી. ગાઇડ દ્વારા આ પ્રકારે થતી જાતીય સતામણી અંગે રિસર્ચ સ્કોલર દ્વારા પ્રથમ તેના પરિવારજનોને ફરીયાદ કરવામાં આવી હતી. પરિવારજનોએ હિંમત આપીને લંપટ ગાઇડને સબક શીખવવા માટે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નિલંબરી દવેને ફરીયાદ કરવા જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ટિંગ વીસી નિલંબરી દવેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની રિસર્ચ સ્કોલર તરફથી ફરીયાદ મળી છે અને તેના પર તપાસ ચાલી રહી છે. તપાસના અંતે કસૂરવાર સામે પગલાં ભરવામાં આવશે.

September 8, 2018
hardik1.jpg
1min37950

cialive@yahoo.com

પાસ નેતા હાર્દિક પટેલની માગણીઓ પરત્વે છેલ્લા 14 દિવસથી ચાલી આવેલા શ્રેણીબદ્ધ ઘટનાક્રમો બાદ છેવટે રાજ્ય સરકાર તેના સ્ટેન્ડ પર અટલ રહી હતી અને આમરણાંત ઉપવાસ જેવા આત્યાંતિક અને અંતિમ શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીના ફાળે કશું જ આવ્યું નહીં. કોઇએ પારણા કરાવ્યા નહીં અને પોતાની મરજીથી હોસ્પિટલ ભેગા થવું પડ્યું છે. ગુજરાત સરકારની આ મોરલ વિક્ટરી છે. રાજ્ય સરકારનું સ્ટેન્ડ પહેલેથી જ એવું રહ્યું હાર્દિક પટેલને સહેજ પણ ભાવ આપવો નહીં અને છેલ્લે સુધી હાર્દિક પટેલને સરકારે ભાવ આપ્યો જ નહીં.

અગાઉ મહારાષ્ટ્રમાં અણ્ણા હજારેએ આમરણાંત ઉપવાસ કરીને અનેક વખત રાજ્ય સરકારને ઝુકાવી હતી પરંતુ, ગુજરાતમાં હાર્દિક પટેલનું આમરણાંત ઉપવાસનું મોડ્યુલ કહો કે બ્રહ્માસ્ત્ર નિષ્ફળ નિવડ્યું છે. કોઇપણ અહિંસક લડતમાં આરણાંત ઉપવાસને અંતિમ શસ્ત્ર માનવામાં આવે છે પરંતુ, હાર્દિક પટેલ માટે આ શસ્ત્ર ફળદાયી નિવડ્યું નથી. બબ્બે વખત જળત્યાગ કર્યા પછી પણ હાર્દિક પટેલની ચીમકીને સરકારે રાબેતા મુજબ સિરીયસલી લીધી નહીં. છેલ્લે 24 કલાકનું અલ્ટીમેટમ આપવું પડ્યું. અલ્ટીમેટમ આપ્યા પછી પણ રાજ્ય સરકાર પોતાના સ્ટેન્ડ પર અફર રહી હતી. છેલ્લે ખોડલ ટ્રસ્ટના નરેશ પટેલને મળવાની ઔપચારિકતાઓ પછી હાર્દિક પટેલને હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. રાજ્ય સરકારે આમાં પણ કોઇ જબરદસ્તી કરી નહીં. ઉલ્ટાનું પોલીસ અધિકારીએ હાર્દિક પટેલને હોસ્પિટલ દાખલ કરવા માટે પહેલા સામેથી લેખિત સંમતિ અને મરજી પત્ર માંગ્યો. રાજ્ય સરકાર માટે આ મોરલ વિક્ટરી એટલા માટે છે કે જો અહીં રાજ્ય સરકાર ઝુકી ગઇ હોત તો સામી ચૂંટણીએ ગુજરાતમાં ભાજપા માટે આકરાં ચઢાણો ચઢવાનો વારો આવ્યો હોત. હાર્દિક પટેલ એન્ડ કંપનીને જો આવો નૈતિક વિજય મળ્યો હોત તો પાટીદાર આંદોલનની સિકલ આજથી જ બદલાઇ જવા પામી હોત.

ઉપવાસના ૧૪મા દિવસે પણ, પોતાની તબિયત લથડી રહી હોવા છતાં સરકારના પેટનું પાણી જરાસરખું પણ હલ્યું નહીં એટલે હાર્દિક પટેલ કોઈ વિરોધ વગર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ જવું પડ્યું હતું.

hardik1

હાર્દિક પટેલની આડકતરી પીછેહઠ

સાથીઓ હૉસ્પિટલમાં લઈ ગયા એનો વિરોધ ન કર્યો : ઉપવાસના ૧૪મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ અને અર્ધબેહોશી જેવી હાલત પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માગણી સાથે ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત તા.7મી સપ્ટેમ્બરએ બપોરે લથડતાં તેના સાથીદારો તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને એનો વિરોધ પણ હાર્દિક પટેલે કર્યો નહોતો. આમ તબિયત ખરાબ થતાં તેમ જ સરકાર તરફથી કોઈ હિલચાલ ન થતાં હાર્દિક પટેલે આમરણ ઉપવાસમાં આડકતરી પીછેહઠ કરી હોવાનો સૂર ઊઠ્યો હતો. સોલા હૉસ્પિટલ સરકારી હોવાથી મોડી રાતે તેને પાટીદાર નેતાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેને બૅન્ગલોરની જિંદલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે.

સામાજિક લડાઇ રાજકીયમાં પરિવર્તીત થઇ હોવાથી પરિણામ મળતા નથી

હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું ત્યારે તેની લડાઇ સામાજિક હતી. સમાજના ઉત્થાન માટે શરૂ થયેલી લડાઇ તબક્કાવાર રાજકીય મોડ પર આવી ગઇ. પોલિટીકલ નેતાઓને મળવાનું શરુ કર્યું, કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો. પરીણામે બૌદ્ધિક વર્ગમાં આવતા પાટીદારોએ રાજકીય આંદોલનને સહકાર આપવાનું બંધ કરી દીધું, છેલ્લે નોબત એ આવી કે આમરણાંત ઉપવાસ જેવું કારગત શસ્ત્ર ઉગામ્યા પછી પણ હાર્દીક પટેલે જ પીછેહઠ કરવી પડી છે. હવે રાજ્ય સરકાર સંભવ છે કે પાટીદારો માટે પોતાની રીતે પેકેજ જાહેર કરી શકે પણ હાર્દિક પટેલ એન્ડ કંપનીની માગણીઓ પરત્વે હરગીઝ ઝુકશે નહીં એમ જણાય રહ્યું છે.

 

Google Play store

September 7, 2018
doctors-1280x1349.jpg
1min10690

Jayesh Brahmbhatt.   98253 44944

Me and Mummyવાળા ડો. પ્રફુલ દોશી પર થયેલી પોલીસ ફરીયાદ બાદ શહેરના તબીબો પેનિકની સ્થિતિમાં હોવાની કેફિયત સાથે આજે વીસથી વધુ તબીબોએ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી શર્માને મળીને કેટલીક રજૂઆતો કરી હતી.

ડો.અનિતા શાહ, ડો. આશા ભટ્ટ, ડો. પ્રફુલ છાશટીયા, ડો.પ્રશાંત નાયક, ડો.સમીર દેસાઇ, ડો.અનિલ પટેલ, ડો.ઇન્દ્રવદન શાહ, ડો. ભૂપેશ ચાવડા, ડો. વિનોદ શાહ, ડો.અનિલ ગોસ્વામી, ડો.પ્રકાશ ભટ્ટ, ડો.મનિષા ઝવર, ડો. તોરાવાલા, ડો.અનિલ શાહ, ડો.હિરલ શાહ વગેરેનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માને મળવા પહોંચ્યું હતું.

પોલીસ કમિશનરને મળ્યા બાદ તેમની મુલાકાત અંગે પ્રતિનિધિમંડળ દ્વારા મિડીયાને જણાવાયું હતું કે તેઓ ડો. પ્રફુલ દોશી સામેના પોલીસ પ્રકરણ પછી ભયની સ્થિતિમાં આવી ગયા છે. તબીબ સામે આક્ષેપો સરળતાથી થઇ શકે તેવી સ્થિતિમાં તબીબોએ કેવી રીતે કામ કરવું એ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું પ્રતિનિધિ મંડળના કેટલાક તબીબોએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર શ્રી શર્માએ આ મુદ્દા પર તેમના ગાઇડન્સ આપ્યું હોવાનું જણાવતા પ્રતિનિધિ મંડળે કહ્યું કે પોલીસ કમિશનરે તેઓને કન્સલ્ટીંગ રૂમમાં વિડીયો કેમેરા રાખવા તેમજ દર્દીની તપાસ થાય ત્યારે તેના પરિવારજનો પૈકી કોઇકને સાથે રાખવાની સલાહ આપી હતી.

તબીબોનું પ્રતિનિધિ મંડળ પોલીસ કમિશનર ને મળવા પહોંચ્યું ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે તેઓ ડો. પ્રફુલ દોશીની તરફેણમાં મળવા પહોંચ્યા હતા. જો કે, પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમણે આવી કોઇ રજૂઆત કરી ન હતી.

September 7, 2018
dental.jpg
1min7020

જયેશ બ્રહ્મભટ્ટ

રાજ્યમાં પહેલી વખત એવું બન્યું છે કે બી.ડી.એસ. બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં આ વર્ષે પ્રવેશ કાર્યવાહીના ત્રણ-ત્રણ રાઉન્ડ પછી પણ 288 બેઠકો ખાલી પડી છે. પ્રવેશ માટે એડમિશન કમિટીએ બૂમો પાડી પાડીને વિદ્યાર્થીઓ અને વાલીઓને બોલાવ્યા હતા. છેલ્લે મોપ અપ રાઉન્ડ યોજ્યો હતો, આમ છતાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે આવ્યા ન હતા. પરીણામે હવે એડમિશન કમિટીએ ખાલી પડેલી 288 બેઠકો જે તે કોલેજોને સોંપી દેવામાં આવી છે. એડમિશન કમિટીએ આ મુજબની સૂચના જારી કરી દીધી છે.

જે બેઠકો ખાલી પડી છે તેમાંથી 99 ટકા બેઠકો ઓપન કેટેગરીમાં ખાલી પડી છે. જાણકારો જણાવે છે કે ગુજરાતમાં પહેલી વખત એવું બન્યું કે ડેન્ટલ જેવી મહત્વની બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેવાલ નથી. ઓપન કેટેગરીમાં કુલ 286 બેઠકો ખાલી પડી છે જ્યારે કુલ 288 બેઠકો ખાલી છે.

રાજ્યમાં ડેન્ટલ કોલેજોમાં કેટલી બેઠકો ક્યાં ખાલી પડી તેની વિગતો અત્રે પ્રસ્તુત છે.

September 7, 2018
1min5260

એક પરણિત મહિલા દર્દી સાથે ટ્રીટમેન્ટની આડમાં દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસ ફરીયાદ બાદ પોલીસ કાર્યવાહીથી છેલ્લા ત્રણ દિવસથી ભાગતા ફરતા મી એન્ડ મમ્મીવાળા ડો. પ્રફુલ દોશીને અઠવાલાઇન્સ પોલીસ સેફ પેસેજ આપી રહી હોવાના મિડીયા રિપોર્ટ બાદ અઠવાલાઇન્સ પોલીસ હવે ખરેખર હરકતમાં આવી છે અને ડો. પ્રફુલ દોશીને શોધવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.

ડો. પ્રફુલ દોશી સાથે સંબંધો ધરાવતા અન્ય એક તબીબની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે ડો.પ્રફુલ દોશી કોઇક ફાર્મ હાઉસ પર સંતાયા છે અને આ સમગ્ર પ્રકરણમાં લિગલી કેવી રીતે બચી શકાય તે માટેનો તખ્તો ઘડી રહ્યા છે.

ડો.પ્રફુલ દોશીની હરકતોનો ભોગ બનેલી મહિલાએ અઠવા લાઇન્સ પોલીસની તપાસ સામે શંકા સેવતા લખેલા પત્ર બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફને આ પ્રકરણમાં ગમે તે ભોગે ડો.પ્રફુલ દોશીને હાજર કરાવવા માટેની સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે.

તબીબોના બે ગ્રુપો વચ્ચે ડો.દોશીના મુદ્દે મતમતાંતર

બીજી તરફ શહેરમાં કેટલાક તબીબોએ ડો. પ્રફુલ દોશીને આ કેસમાં બચાવવાની બ્રીફ પકડી હોય તેવું જણાય આવે છે. હકીકતમાં ડો.પ્રફુલ દોશીની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું પણ કેટલીક તબીબો ઇચ્છી રહ્યા છે. ડો. પ્રફુલ દોશી એવા તબીબ છે જેની સામે ભૂતકાળમાં પણ આંગળીઓ ઉઠી છે આવી સ્થિતિમાં હવે ડો. પ્રફુલ દોશીને મુદ્દે તબીબોના બે ગ્રુપ પડી રહ્યા છે. એક ગ્રુપ એવું માને છે કે ડો. પ્રફુલ દોશી જો ખરેખર કસૂરવાર હોય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જ જોઇએ જેથી સમગ્ર તબીબ આલમ બદનામ થતી બંધ થાય. બીજી તરફ શહેરના કેટલાક તબીબો તેમને ગમે તે ભોગે આ કેસમાંથી બચાવી લેવા માટે સક્રિય હોવાનું જાણવા મળે છે.

September 7, 2018
rekhamodi.jpg
1min4120

બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીના સંબંધીઓના ઘેર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આઈટીની ટીમ ગુરુવારે રેખા મોદીના પટના સ્થિત ઘરમાં દરોડા પાડ્યા. જોકે, સુશીલ મોદીએ કહ્યું કે, રેખા મોદી મારી સગી બહેન નથી.

બીજી તરફ ઈન્ટકટેક્સ દ્વારા પાડવામાં આવેલા દરોડા સંદર્ભે કોઈ કશુંય બોલાવ તૈયાર નથી. મીડિયા અહેવાલ અનુસાર રેખા મોદીની અન્ય મિલકતો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સ્થાનિક ચર્ચા અનુસાર ઈન્કમટેક્સ એ સૃજન ઘોટાલા મામલે કાર્યવાહી હાથ ધરી છે. રેખા મોદી પર આરોપ છે કે સૃજન સંસ્થાના સંચાલિક થકી આભૂષણોની ખરીદી કરી હતી.

બિહારના બહુચર્ચિત સૃજન ઘોટાળામાં ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની બહેન રેખા મોદીનું નામ બહાર આવતાં ની સાથે રાજકીય હંગામો શરુ થઈ ગયો છે. સાથે વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો કે સુશીલ મોદી પોતાના સંબંધીઓને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારના ભાગલપુર જિલ્લામાં સૃજન નામની એનજીઓ મહિલાઓને રોજગાર આપવા શરુ કરાઈ હતી. જેમાં ૧૦ કરોડ રુપિયાના સરકારી ચેક બાઉન્સ થાય બાદ એનજીઓમાં ઘોટાળા થયો હોવાની ઘટના બહાર આવી હતી. તપાસમાં ખબર પડી કે ડીએમની બોગસ સહીથી બેંકમાંથી સરકાર પૈસાને એનજીઓના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. આ ઘોટાળાની તપાસ હજુ ચાલું છે.