CIA ALERT

Alert Archives - Page 476 of 512 - CIA Live

August 29, 2018
Dirty-Politics.jpg
1min4320

અપરાધી નેતાઓને ચૂંટણી નહીં લડવા દેવાના અને બરતરફ કરવાના મામલે તા.28મી ઓગસ્ટ 2018ના રોજ કરેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો મુલતવી રાખ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે કોર્ટનો ઇરાદો રાજનીતિને સ્વચ્છ કરવાનો છે પરંતુ કાયદાકીય દૃષ્ટિએ સુપ્રીમ કોર્ટને સંસદની રચનામાં દખલગીરીનો અધિકાર નથી.

ચૂંટણી ઉમેદવારોના ગુનાખોરીના ઈતિહાસ કે ભૂતકાળને જાણવાનો મતદારોને અધિકાર છે અને ચૂંટણી પંચને રાજકીય પક્ષોને એવો આદેશ આપવાનું કહી શકાય કે અપરાધીઓને તેમની ચૂંટણી ટિકિટ પર ચૂંટણી લડવા ન દેવાય, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલી પિટિશનમાં ક્રિમીનલ રેકોર્ડ ધરાવતા અપરાધીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે, તદુપરાંત જેની પર રેપ, લાંચ-રુશ્ર્વત, ભ્રષ્ટાચાર તથા હત્યા અંગેના કેસ ચાલી રહ્યા હોય તેવા ધારાસભ્યને બરતરફ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. જોકે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ સુનાવણી દરમિયાન જૂઠી ફરિયાદો અને આરોપનો ઉલ્લેખ કર્યો હતો. એટર્ની જનરલે જણાવ્યું હતું કે મોટા ભાગના કેસમાં રાજકારણીઓ છૂટી જતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે આ નીતિ વિષયક છે જેમાં કોર્ટ દખલગીરી ન કરે.

ચીફ જસ્ટિસે કડક વલણ અપનાવી જણાવ્યું હતું કે કોર્ટ કાયદાની કે રાજકીય પક્ષની માન્યતાની વાત નથી કરી રહી.

અગાઉ કરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે જેની પર કોઈ પણ જાતના કેસ હોય તેવો રેકોર્ડ ધરાવનાર ઉમેદવારને ચૂંટણી નિશાન ન આપી શકાય એવી કોઈ સત્તા ચૂંટણી પંચને છે કે નહીં ?

જોકે સરકારે તેનો વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે ચૂંટાયેલા ઉમેદવાર જ એ અંગેનો નિર્ણય કરી શકે છે.

એટર્ની જનરલે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી અપરાધ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને દોષી કહી શકાતો નથી. તેથી પણ કોર્ટે નિર્ણય કર્યા પહેલા વિચારવું જરૂરી છે. સુનાવણીની સામસામી દલીલો બાદ પાંચ જજની ખંડપીઠે સુનાવણી મુલતવી રાખી હતી.

August 28, 2018
hazareanna-1280x720.jpg
1min5560

અનેક રાજ્ય અને કેન્દ્ર સરકારોને પોતાના આંદોલનથી ધ્રુજાવી મૂકનાર અણ્ણા હજારે ફરીથી લાઇમલાઇટમાં આવ્યા છે. હવે તેમણે મોદી સરકાર સામે તા.2 ઓક્ટોબર 2018થી અહિંસક ચળવળ કરવાનું એલાન કર્યું છે અને તેમની યોજના મુજબ કોઇ એક સ્થળે નહીં પણ સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં આ ચળવળની અસર જોવા મળશે.

પ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી ગાંધી જયંતી તા.2 ઓક્ટોબર 2018થી આંદોલન શરૂ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાળેગણ સિદ્ધિથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માગતા હોય તેઓ રાળેગણ સિદ્ધિ ન આવે પરંતુ પોતાના ગામ, જિલ્લા, તહસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે.

અણ્ણાનું મોદી સરકાર વિરુદ્ધ આ આંદોલન સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા, ખેડૂતોને તેમના ઉત્પાદનથી દોઢ ગણા બજારભાવ આપવા, વરિષ્ઠ ખેડૂતોને પેન્શન આપવા અને કેન્દ્રમાં લોકપાલ પર અને રાજ્યમાં લોકાયુક્ત નિયુક્ત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવાની માગ સાથે શરૂ થવા જઇ રહ્યું છે. અણ્ણાએ કહ્યું હતું કે આ માગો અંગે તેઓ અનેક વખત વડા પ્રધાનને પત્ર લખી ચૂક્યા છે પણ તેમની માગોને લઇને મોદી સરકારનો રવૈયો સકારાત્મક નથી દેખાઇ રહ્યો, એટલે તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.

August 28, 2018
money-laundering-1280x1024.jpg
1min7000

Jayesh Brahmbhatt   98253 44944

સુરત સહિત મુંબઇના કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ દુબઇ અને હોંગકોંગ જેવા કેટલાક અન્ય દેશોમાંથી અત્યંત ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરીને ભારતીય નાણું મોટા પ્રમાણમાં વિદેશ ભેગું કર્યું હોવાની મળેલી વિગતોના આધાર પર ડીઆરઆઇ તેમજ અન્ય ભારતીય એજન્સીઓએ આ પ્રકારે મની લોન્ડરીંગ કરી રહેલા લોકોને ઝડપી પાડવા માટે મિશન હાથ ધર્યું હોવાની વિગતો જાણવા મળી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રીતે 5,000 કરોડથી વધારે નાણાંનું લોન્ડરિંગ કરાયું હોવાની માહિતીથી ખુદ નાણાં મંત્રાલય પણ ચોંકી ઉઠ્યું છે. ભારતીય ચલણના આંતર રાષ્ટ્રીય સ્તરે થઇ રહેલા અવમૂલ્યન પાછળ રહેલા કારણો પૈકી આ પ્રકારે થતું મની લોન્ડરીંગ પણ એક મજબૂત કારણ બનીને સામે આવ્યું છે.

એન્ટિ સ્મગલિંગ એજન્સી ડીઆરઆઇએ 10 જુલાઈ 2018 ના રોજ બીડીબીના 14 કન્સાઇનમેન્ટ પકડ્યાં હતાં. છૂપી બાતમીના આધારે પકડાયેલા આ કન્સાઇનમેન્ટને મુંબઈ અને સુરત સ્થિત ટ્રેડર્સે હોંગકોંગથી આયાત કર્યા હતા. તેના વાસ્તવિક મૂલ્ય કરતાં 100થી 150 ગણું વધારે મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું. તેનું વાસ્તવિક મૂલ્ય ₹એક કરોડ હતું જ્યારે દર્શાવવામાં આવેલું મૂલ્ય ₹156.28 કરોડ હતું. ત્રણ વેલ્યુઅર્સને હાલમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને સેસન્સ કોર્ટે તેની જામીન અરજી પણ તાજેતરમાં ફગાવી દીધી હતી. 14 કન્સાઇનમેન્ટ પકડાયા પછી ડીઆરઆઇએ અન્ય શકમંદ ઇમ્પોર્ટેડ કન્સાઇનમેન્ટ અંગે પણ તપાસ શરૂ કરી છે. આયાત કરનારી કંપનીઓના વડાઓને કથિત હવાલા પાર પાડવા માટે ચાર ટકા સુધી કમિશન ચૂકવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

તાજેતરમાં મુંબઇ સ્થિત ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)ને લગતા એક મની લોન્ડરિંગ કૌભાંડની તપાસ દરમિયાન ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને રફ ડાયમંડની આયાતમાં મોટા કૌભાંડના પુરાવા મળ્યા છે. સાતથી આઠ કંપનીઓ સાથે સંકળાયેલાં બેથી ત્રણ જૂથ આ કૌભાંડમાં સામેલ છે તેવું પ્રથમદર્શી રીતે જણાય આવે છે.

સુરત સમેત મુંબઇની કેટલીક કંપનીઓએ અત્યંત ઊંચા ભાવ દર્શાવીને રફ હીરાની ખરીદી કરી હતી અને આ રીતે વિદેશમાં કાળું નાણું મોકલ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ આયાત મુખ્યત્વે હોંગકોંગ અને દુબઈથી કરવામાં આવી હતી.

જાણકારોના મત મુજબ ડીઆરઆઇના કહેવાથી કસ્ટમ્સે એક રફ હીરાનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું જેમાં જાણવા મળ્યું કે ત્રણથી ચાર કરોડના અસલ મૂલ્યના હીરાને કેટલાક જૂથ 100 કરોડની ડિક્લેર્ડ વેલ્યૂ પર આયાત કરતા હતા. ડીઆરઆઇએ આ જૂથની એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તે કોઈનું મહોરું હોય તેમ લાગે છે. જૂથના બીજા સભ્યો ફરાર છે.

ડીઆરઆઇએ તેની તપાસ વિસ્તારી છે અને કથિત મની લોન્ડરિંગમાં સંકળાયેલા ભેજાબાજ ઉદ્યોગપતિઓના ચહેરા પરનો નકાબ ચિરવાના પ્રયાસો હાથ ધર્યા છે. બહુ આસાનીથી ડીઆરઆઇ ટૂંક જ સમયમાં આવા ઉદ્યોગપતિઓને ઓળખી કાઢશે કેમકે બેન્ક સ્ટેટમેન્ટ અને ફરાર પાર્ટીઓ વચ્ચે થયેલા બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે આસાનીથી કૌભાંડકારી ઉદ્યોગપતિઓ ઓળખાય જશે.0 શકશે. તેના મતે આ કૌભાંડમાં મોટા પાયે ફંડ લેયરિંગ થયું છે અને ગેરકાયદે મેળવાયેલાં નાણાંને સગેવગે કરવાનો પ્રયાસ છે.

ડાયમંડમાં કટિંગ અને પોલિશિંગનું કામ સુરતમાં થાય છે. જ્યારે રફ ડાયમંડની આયાત અને પોલિશ્ડ સ્ટોનની નિકાસ ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)થી થાય છે.

August 28, 2018
sharad.jpeg
1min9540

એનસીપીના ચીફ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જો મહાગઠબંધન થશે તો જે પક્ષ વધારે બેઠકો જીતશે, તે વડા પ્રધાનપદનો હકદાર બનશે. તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ પદ માટે મહત્ત્વાકાંક્ષી નથી. એક વાર ચૂંટણી જીત્યા બાદ સાથે બેસી વડા પ્રધાનપદ અંગે ચર્ચા કરી શકાય, પરંતુ પહેલા ભાજપને સત્તા પરથી ફેંકવાની ઈચ્છા છે. પક્ષના નેતાઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે ૨૦૦૪ની ચૂંટણીમાં યુપીએએ એનડીએને હરાવી હતી. હું દરેક રાજ્યમાં જવાની કોશિશ કરીશ અને બિનભાજપી પ્રાદેશિક પક્ષોને સાથે જોડાવા જણાવીશ.

પવારે સનાતન સંસ્થા અંગે જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થા ખોટા માર્ગે જઈ કામ કરતી હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે બુદ્ધિજીવીઓની હત્યા થઈ હતી તે ધર્મ નિરપેક્ષતા પરનો હુમલો હતો.

August 28, 2018
narmada.jpg
1min4350

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ

 

રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 275018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 49.41 ટકા જેટલો થાય છે.

 

સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે 119.55 મીટર પર નોંધાઈ હતી.

રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં 25.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો છે ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં 20 ઑગસ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.

August 28, 2018
Indian-Railways-Solar-Train-866x487.jpg
1min6740

લાંબી મુસાફરીનો કંટાળો આવે છે? જરાય ગભરાવાની જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથી લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો છો. મધ્ય અને પશ્ર્ચિમ રેલવે તેની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વૉચીસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ઝોનલ રેલવેને ટિકિટ ઉપરાંત ૧૨૦૦ કરોડ રૂપિયાની ઉપજ કરવાનું કહેવામાં આવતાં ઉપરોક્ત ચીજ વસ્તુઓના સેલથી વાર્ષિક આવકમાં વધારો કરવાનું રેલવે વિચારી રહી છે.

સપ્ટેમ્બરમાં પશ્ર્ચિમ રેલવે વેચાણકર્તાઓના ટેન્ડર ખોલશે અને ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં વેચાણ શરૂ કરવાનું તેમનું લક્ષ્ય છે, જ્યારે મધ્ય રેલવે ઓક્ટોબર મહિનાથી કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને એર્નાકુલમ-હઝરત નિઝામુદ્દીન દુરન્તોના એ.સી. કૉચમાં ઓન-બોર્ડ સેલ કરવાનું વિચારે છે.

રેલવેના અધિકારીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે બહારગામની ટ્રેનોમાં ગ્રાહકોની જરૂરિયાતની વસ્તુઓના શોપિંગ પરથી અમને વધુ ખ્યાલ આવશે કે લોકોને શું જોઈએ છે? સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટેન્ડરો આવકાર્ય છે અને સર્વિસ અમે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવાના છીએ. જ્યારે મધ્ય રેલવેમાં ટેન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

વસ્તુઓની ગુણવત્તા પર વિશેેષ ધ્યાન આપવામાં આવશે, અને જો અમને સારો પ્રતિભાવ મળશે તો ગ્રાહકો પ્રીમિયમ કક્ષાની ટ્રેનોમાં આરામથી શોપિંગનો અનુભવ લઈ શકશે. જેવી રીતે ફ્લાઈટમાં શોપિંગ કરી શકો છો એ રીતે હવે ટ્રેનમાં પણ તમે શોપિંગ કરી શકશો.

August 27, 2018
hug-woman.jpg
1min5380
દરેકની જિંદગી વ્યસ્ત છે. દરેકને ટેન્શન છે. સૌ કોઈને હૂંફ અને પ્રેમ જોઈએ, પણ મળતો નથી. એટલે વર્તમાન વિશ્વમાં આલિંગન આપનાર મહિલાઓની ડિમાન્ડ વધી રહી છે. આવી જ એક મહિલાની સ્ટોરી વાયરલ થઈ છે. આ અજનબી લોકોને આલિંગન આપે છે અને આલિંગન આપવું એ જ આ મહિલાનું પ્રોફેશન છે. આલિંગન આપીને આ મહિલા ૪૫ હજાર પાઉંડ એટલે ૪૦ લાખ રૂપિયા કમાઈ લે છે.
ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં રહેનાર જેસિકા ઓ નીલ નામની મહિલાએ આ પ્રોફેશનની શરુઆત ૬ મહિના પહેલા કરી હતી અને સપ્તાહમાં ૮૬૦ પાઉન્ડ કમાતી હતી. જેસિકા ઓ નીલ ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટમાં ૧૦ વર્ષથી મસાજ સેન્ટર ચલાવતી હતી. આ સેન્ટરમાં એણે આલિંગન આપવાની સુવિધાને જોડી દીધી. મીડિયા રિપોર્ટ અનુસાર જેસિકાનું કહેવું છે કે, એક કલાક સુધી આલિંગન આપવાનો ચાર્જ ૪૫ પાઉન્ડ છે.
જેસિકા ઓ નીલના જણાવ્યા અનુસાર આલિંગનની થેરાપીના કારણે અકેલાપન અનુભવનાર લોકો અને ડિપ્રેશનની પીડાતા લોકોને ખૂબ ફાયદો પહોંચ્યો છે. એમને અનુભવાય છે કે કોઈ એમને પ્રેમ-હૂંફ આપી રહ્યું છે અને સન્માન આપી રહ્યું છે. જેસિકાનું કહેવું છે કે હું લાગણીશીલ ઈન્સાન છું અને મને લોકોને આલિંગન આપવું ગમે છે.
મારી મા મને આલિંગન આપતી ત્યારે અનુભવાતું કે બધું જ સારું છે,તેમ જેસિકાએ જણાવ્યું હતું. આ કારણે જ જેસિકા અજનબી લોકોને આલિંગન આપતા અચકાતી નથી. જેસિકાએ વધુમાં કહ્યું કે, હમણાં સુધી લોકોને આલિંગન આપવાનો અનુભવ સારો રહ્યો. લોકો ખૂબ પ્રેમ અને સન્માન આપે છે. જેસિકાના પતિને પણ આ વ્યવસાયથી કોઈ પ્રોબ્લેમ નથી.
અહીંયા એ નોંધવું રહ્યું કે, જેસિકાને ત્રણ સંતાન છે. જેસિકાના મોટા ભાગના ગ્રાહક પુરુષ હોય છે. ફક્ત આલિંગન માટે જેસિકાને ૪૬ પાઉન્ડ, આલિંગન આપવાની સાથે કાઉન્સેલિંગ માટે ૬૩ પાઉન્ડ અને ફ્રેન્ડશીપ સ્ટાઈલમાં કોફી અને આલિંગન આપવા માટે ૮૬ પાઉન્ડનો ચાર્જ લે છે.
August 27, 2018
china.png
1min13270

ચીનને મોટો ઝટકોઃ મલેશિયા નહીં આપે સાથ, 22 અરબ ડોલરની યોજના રદ

CHINA MALASIA

ચીના પ્રવાસ પર આવેલા મલેશિયાના પીએમ મહાતીર મમુહમ્મદે કહ્યું કે ચીન સમર્થિત ત્રણ યોજનાઓ રદ કરી દેવાશે. આ યોજનાઓનો કુલ ખર્ચ 22 અરબ ડૉલર (લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા) છે. મહાતીરે કહ્યું કે તેમની સરકાર દેશની ખખડી ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે આ પગલું ભરી રહી છે.

આ યોજનાઓમાંથી એક ECRL (ઈસ્ટ કોસ્ટ રેલ લિંક) પણ છે. જે અંતર્ગત મલેશિયાની રાજધાની કુઆલાલામ્પુરથી થાઈલેન્ડના દક્ષિણ ભાગને રેલવે નેટવર્ક દ્વારા જોવાનો હતો. બાકીની બે યોજનાઓ ગેસ પાઈપલાઈન અંગેની હતી.

મહાતીરે કહ્યું કે, ‘અમે ECRL યોજના પર આગળ વધવા નથી ઈચ્છતા. મેં ચીનના નેતાઓને આ માહિતી આપી દીધી છે. આ યોજનામાં ઘણો ખર્ચ છે. અમારો દેશ હાલ કોઈ દેવું ઝીરવી શકે તેમ નથી. અમને તેની જરૂરિયાત પણ નથી.’ મલેશિયા પર હાલ 250 અરબ ડૉલર (લગભગ 17.5 લાખ કરોડ રૂપિયા)નું દેવું છે. મહાતીર ઈચ્છે છે કે પહેલા જૂનું દેવુ ઉતારવામાં આવે.

August 27, 2018
socialmedia1-900px.jpg
1min13440

માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રના પ્રધાન રવિશંકર પ્રસાદે આર્જેન્ટિનાના સલાટા ખાતે ‘જી-૨૦ ડિજિટલ ઇકૉનૉમી મિનિસ્ટરિયલ મિટિંગ’માં જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહોંચાડવા નહિ દેવાય.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને માઠી અસર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના ડેટાનો દુરુપયોગ કરવા નહિ દેવાય અને તે કરનારા લોકોને સજા કરાશે.

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ફેસબુક પરની ભારતીયોની અંગત માહિતી ગેરકાયદે મેળવનારી બ્રિટિશ રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે તાજેતરમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રસાદે ‘જી-૨૦’ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફૉર્મ્સ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો અન્ય ઘણી બજારોમાં ફરી રોકવો જરૂરી છે. સરહદ પાર કરાતા વ્યાપાર અને વાણિજ્ય માટે સાયબર વિશ્ર્વ અમર્યાદિત તક પૂરી પાડે છે. સલામત અને સુરક્ષિત સાયબરસ્પેસ વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનના અનેક લાભ પૂરા પાડે છે. ભારત સરકાર સાયબર ક્રાઇમને નાથવા વિવિધ પગલાં લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ૪૫ કરોડ

સ્માર્ટફૉન સહિત ૧.૨૧ અબજ મૉબાઇલ ફૉન છે અને ઇન્ટરનેટ તેમ જ બ્રૉડબેન્ડનો ઉપયોગ અંદાજે પચાસ કરોડ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર ‘આધાર’ અને કૉમન સર્વિસીસ સેન્ટર્સ જેવા કાર્યક્રમથી દેશની ડિજિટલ શક્તિ ઘણી વધી છે.

August 27, 2018
Rough-Diamonds.png
1min9110

નાના કદના રફ હીરાની કિંમતમાં પાછલા એક પખવાડિયા દરમિયાન ચાર ટકાથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. રફ હીરાના અગ્રણી ખરીદદારો પૈકી એક ભારત તેની રફ હીરાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. હીરાના વેપારમાં અત્યારના ટ્રેન્ડનો હેતુ ઇન્વેન્ટરી ઊભી ન થાય તે જોવાનો છે. માંગ ઊભી થાય ત્યારે રફ હીરાની ખરીદી કરવાની નીતિ છે.

આ વ્યાપાર માટે બેન્કધિરાણ મેળવવું અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે તે હીરા ઉદ્યોગની નફાકારકતામાં વધારો કરવામાં પણ મદદ કરે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના માજી ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મહત્ત્વના ગ્રાહક ચીને તેની રફ હીરાની ખરીદી ધીમી કરી દેતાં બજાર ધીમેધીમે આગળ વધી રહ્યું છે.

દૂર પૂર્વના દેશો તરફથી આવતી માંગ પણ ધીમી છે. હીરાના વેપારીઓ હાલમાં સ્ટોકિંગ પણ નથી કરતા કેમ કે નીરવ મોદી કૌભાંડ બાદ બેન્ક ધિરાણ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.

હીરાના અગ્રણી નિકાસકાર વિપુલ શાહે જણાવ્યું હતું કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગ એકમો નાની કેટેગરીના હીરાના ઉત્પાદનની કામગીરીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો કરી રહ્યા છે કેમ કે હીરાના વેપારીઓ હાલની પરિસ્થિતિમાં ઇન્વેન્ટરી ઊભી કરવા માંગતા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટમાં જે લોકો નાના હીરામાં ડીલ કરે છે તેમાં ઘણી બધી ગૂંચવણ છે. ડી બીયર્સે લાઇટબોક્સ નામે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલાં હીરાનાં આભૂષણો લોંચ કર્યા બાદ બજારમાં ઘણી ગૂંચવણ ઊભી થઈ છે. તમામ લોકો હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે તથા નાના હીરાની ખરીદી કરતા નથી. રફ હીરાની કિંમત પર તેની અસર થઈ શકે.

ઉલ્લેખનીય છે કે પાછલા મે મહિનામાં ડી બીયર્સે લાઇટબોક્સ જ્વેલરી નામની નવી કંપની લોંચ કરવાની જાહેરાત કરી હતી જે આગામી સપ્ટેમ્બરમાં લાઇટબોક્સ નામ હેઠળ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલાં હીરાનાં આભૂષણોનું માર્કેટિંગ શરૂ કરશે, તે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે હાલમાં અસ્તિત્વ ધરાવતા લેબ હીરાની સરખામણીએ નીચી કિંમત પર ફેશન જ્વેલરી ડિઝાઇન ઓફર કરી રહી છે.

હીરા ઉદ્યોગ માટે બેન્ક ફાઇનાન્સ એક મોટા પ્રશ્ન તરીકે યથાવત્ જળવાઈ રહ્યો છે જેથી થોડા સમય પૂરતું ઉત્પાદન પણ ઘટાડવામાં આવી રહ્યું છે. નીરવ મોદી-પીએનબી કૌભાંડ ગયા ફેબ્રુઆરીમાં સપાટી પર આવ્યું હતું તે પછી બેન્કોએ હીરાના વેપાર માટેના ધિરાણમાં કાપ મૂકવાની શરૂઆત કરી જ દીધી છે.

બેન્કોએ લોનના વિતરણ માટે વધારે ઊંચા સુરક્ષા કવચની માંગણી શરૂ કરી છે જે ઘણીવાર લોનની રકમના 120 ટકાથી લઈને 150 ટકા જેવી હોય છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે અગાઉ બેન્કો આ વ્યાપાર પાસેથી વિતરીત લોનના 40 ટકાથી લઈને 60 ટકા સુધીની ગેરેન્ટીની માંગણી કરતી હતી.