Alert Archives - Page 469 of 512 - CIA Live

September 10, 2018
prafuldoshi.jpg
1min5040

દુષ્કર્મ કેસના આરોપી ડો. પ્રફુલ્લ દોશીને સુરત પોલીસે રવિવારે તા.10મી સપ્ટેમ્બર 2018ના રોજ અત્રેની સ્થાનિક કોર્ટના જ્ડ્જ શ્રીના નિવાસે રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, પણ કોર્ટે માત્ર 1 જ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રવિવારની રજા હોવાને કારણે જજના બંગલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ડો. પ્રફુલ્લ દોશી શનિવારે તા.9મી સપ્ટેમ્બરની રાત્રે અઠવા પોલીસમાં હાજર થયા હતા, અઠવા પોલીસે જજ ડી.એમ. ચૌહાણના બંગલે ડો. પ્રફુલ્લ માટે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા કે ડો. પ્રફુલ્લ દોશીના પોટેન્શીયલ, મેડીકલ ટેસ્ટ કરાવવાના બાકી છે. 4 દિવસ કયાં ગયા હતા, કયા રહ્યા હતા અને કોણે સહકાર આપ્યો હતો તેની વિગત જાણવાની છે.આરોપીના ગુનાહીત ઇતિહાસની તપાસ કરવાની છે. આરોપી શિક્ષિત હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપતા નથી.કોર્ટે બનેં પક્ષની દલીલ સાંભળ્યા પછી સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

September 10, 2018
modi-shah.jpg
1min4450

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘અજેય ભારત, અટલ ભાજપ’ એવું નવું સૂત્ર જાહેર કરીને સત્તાવાર રીતે ૨૦૧૯ની સંસદીય ચૂંટણી માટેનો દૃઢતાભર્યો મૂડ વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના શાસન હેઠળ સરકાર સૌથી મહત્ત્વપૂર્ણ મૂલ્યો માટે તેમ જ દેશની પ્રગતિ તથા વિકાસના માર્ગે લઈ જવા દૃઢ છે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. મોદીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકને સંબોધતી વખતે સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને નવા સૂત્ર સાથે હૃદયપૂર્વકની અંજલિ પણ આપી હતી.

‘અજેય ભારત, અટલ ભાજપ’ એ સૂત્રનો અર્થ એવું ભારત જે સદા અપરાજિત રહેશે અને કોઈના પણ વશમાં આવ્યા વગર અડગ અને નિશ્ર્ચયી રહેશે. મોદીએ કહ્યું હતું કે તેમનો પક્ષ આ સિદ્ધાંતો માટે કટિબદ્ધ છે.

ભાજપની વિરુદ્ધમાં મહાગઠબંધન કરનારા વિરોધ પક્ષો વિશે મોદીએ ટકોર કરતા કહ્યું હતું કે ‘જે લોકોને એકમેક સામે જોવાનો વ્યવહાર નથી તેઓ મહાગઠબંધન માટેની મથામણ કરી રહ્યા છે. અમારા કાર્યોનું આ સૌથી મોટું સમર્થન છે. આ લોકોનું એવું મહાગઠબંધન કરવામાં મથ્યા છે જેમાંના નાના પક્ષો સહિત કોઈને પણ કૉન્ગ્રેસની નેતાગીરી સ્વીકાર્ય નથી.’ દરમિયાન, ભાજપના પ્રમુખ અમિત શાહે ૨૦૧૯ની ચૂંટણીમાં પોતાનો પક્ષ ફરી સત્તા પર આવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

‘અમિત શાહે કહ્યું છે કે ભાજપ આવતા ૫૦ વર્ષ સુધી સત્તા પર રહેશે. ભાજપ પોતાના પર્ફોર્મન્સને આધારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતશે અને પછીના ૫૦ વર્ષ સુધી પણ એને કોઈ સત્તાવિમુખ નહીં કરી શકે,’ એવું ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે અહીં પત્રકારોને પક્ષની કારોબારીની બેઠક ખાતે અમિત શાહે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

પ્રસાદે કહ્યું હતું કે ‘આ અંદાજ વિવિધ રાજ્યોમાં ભાજપ-શાસિત સરકારોના તેમ જ કેન્દ્રમાં સરકારનો જે પર્ફોર્મન્સ રહ્યો છે અને કોઈ પણ પ્રકારના અહંકાર વગર જે રીતે કામો થઈ રહ્યા છે એને આધારે વ્યક્ત થયો છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યાર પછી ભાજપે ક્યારેય ચૂંટણીમાં પરાજય નથી જોવો પડ્યો. ભાજપ પોતાના પર્ફોર્મન્સને કારણે જ રાજ્યમાં સત્તા પર રહી છે.’

September 10, 2018
textilemarket.jpg
1min15350

किसी भी प्रकार की जानकारी, न्युज, इवेन्टस

कवरेज के लिए संपर्क करे 98253 44944

सुरत के कपडां व्यापारीओ के संगठन फेडरेशन ओफ टेक्सटाइल ट्रेडर्स एसोसीएशनने सुरत के अपने सभी मेम्बर टेकस्टाइल मार्केट में कामकाज, व्यापार कर रहे सभी व्यापारीओ के लिए पेमेन्ट संबंधी नयी गाइडलाइन्स जारी की है.

जैसे डायमंड इन्डस्ट्रीज में हो रहा है उसी तर्ज पर ट्रेडर्स, एजेंट, ट्रान्सपोर्ट, विवर्स, पार्सल कोन्ट्राक्टर्स व इत्यादि के साथ अगर कोइ विववाद होता है तो उसमें फेडरेशन का निर्णय सबको सर्वमान्य होगा. एक एैसा भी प्रावधान किया गया है कि पेमेन्ट बिल डेट के 45 दिन में करना आवश्यक है, और जीएसटी होने कि वजह से अब बिल टु बिल पेमेन्ट करना आवश्यक होगा.

आडंतिया व एजेंट को 2 प्रतिशत दलाली का भुगतान सिर्फ पूर्ण रूप से पेमेन्ट के मिल जाने के बाद हि व्यापारी करेंगे.

उपर्युक्त इमेज फोस्टाने जो भी मार्गदर्शिका जारी की है वो प्रकाशित किया है. सुरत के सभी टेकस्टाइल मार्केटस में नई गाइडलाइन्स दि. 1 अक्टुबर 2018 से लागू होगी ऐसा फोस्टा के सूत्रोना बताया है.

 

आप गुगल प्ले स्टोर से एप भी डाउनलोड कर सक्ते है.

September 10, 2018
230520-surat.jpg
1min14520

પેટ્રોલ-ડિઝલના ભળકે બળતા ભાવોના વિરોધમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા આજરોજ તા.10મી સપ્ટેમ્બર 2018ના દિવસ એક દિવસ પૂરતા આપવામાં આવેલા બંધના એલાનની આર્થિક નગરી, ટેક્સટાઇલ સિટી, ડાયમંડ સિટી સુરત પર આંશિક અસર પણ જોવા મળી ન હતી. 20થી 25 જગ્યાઓ પર કોંગ્રેસી નેતાઓએ ખાસ કરીને સ્થાનિક નેતાઓએ ભેગા મળીને બંધ પળાવ્યો એ સિવાય સુરત શહેર રાબેતા મુજબ ધમધમતું હતું. ટેક્સટાઇલ માર્કેટ, લિંબાયત, પૂણા જેવા વિસ્તાર સિવાય સુરતમાં બંધમાં કોઇ જોડાયા ન હતા. રિક્ષા હડતાળનો તો ભારે ફિયાસ્કો થયો હતો. રિક્ષા ચાલકોને જ ખબર ન હતી કે શહેરમાં આજે રિક્ષા હડતાળ છે. આમ, સુરત શહેરમાં બંધની આંશિક અસર પણ જોવા મળી ન હતી.

આજે સવારના સેશનમાં અમરોલી, ધારુકાવાળા તેમજ અન્ય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સિવાય બાકીની શાળા કોલેજો રાબેતા મુજબ શરૂ રહી હતી. સવારે સાડા  દસ વાગ્યાથી ટેક્સટાઇલ માર્કેટ પણ રાબેતા મુજબ કાર્યાન્વિત થયેલી જોવા મળી હતી. બેંકો, સરકારી કચેરીઓ, ચૌટાબજાર, રાજમાર્ગ, અઠવાલાઇન્સ, અડાજણ, વરાછા રોડ વગેરે વિસ્તારોમાં સવારથી જ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ શરૂ થઇ હતી. આજના બંધ અંગે કોંગ્રેસી નેતાઓ દ્વારા કોઇ જ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી પરીણામે જ્યાં કોંગ્રેસી નેતાઓનું વર્ચસ્વ હતું ત્યાં પણ બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી. શહેરના રિંગ રોડ પર ટ્રાફીક રાબેતા મુજબ હતો, એવી જ રીતે રાજમાર્ગ, અઠવાલાઇન્સ મેઇન રોડ, ઘોડદોડ રોડ, ઉધના મગદલ્લા રોડ, ઉધના મેઇન રોડ, કતારગામ, વરાછા રોડ, પૂણા રોડ વગેરે વિસ્તારમાં સવારના સેશનમાં બંધની કોઇ જ અસર જોવા મળી ન હતી.

બંધની ક્યાં અસર જોવા મળી

પૂણાના યોગી ચોક, કાપોદ્રા, લિંબાયત વગેરે વિસ્તારોમાં આજે સવારે કોંગ્રેસી કાર્યકરોએ દુકાનો, ઓફિસો બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. જોકે, થોડા સમયમાં પોલીસ પહોંચી જતા બાદમાં આ વિસ્તારોમાં પણ દુકાનો, ઓફિસો રાબેતા મુજબ ધમધમતી થઇ જવા પામી હતી. કોંગ્રેસી કોર્પોરેટર અને વિદ્યાર્થી નેતા ભાવેશ રબારીના જણાવ્યા અનુસાર ધારુકાવાળા કોલેજ કેમ્પસ, અખંડ આનંદ અને અમરોલી કોલેજોને બંધના એલાનના ભાગરૂપે બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. ટેકસટાઇલ માર્કેટ વિસ્તારમાં માર્કેટ ખુલે એ પહેલા કેટલાક નેતાઓએ બંધ રાખવા માટે પ્રયાસો કર્યા હતા જોકે, વેપારીઓએ રાબેતા મુજબ માર્કેટ શરૂ કરી દેતા ટેક્સટાઇલ વ્યાપારી વિસ્તાર રિંગરોડ પર પર પણ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં તારાચંક કાસટ અને તેમના કેટલાક સમર્થકોએ દુકાનો બંધ રાખી હતી એ સિવાય તમામ માર્કેટો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં રવિન્દ્ર પાટીલની આગેવાની હેઠળ સવારે ટાયરો સળગાવીને કેટલીક સ્કુલ બસ તેમજ રીક્ષાઓ રોકીને બંધ પાળવા માટે પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે તેમને વિખેરી નાંખ્યા હતા.

કોંગ્રેસીઓ પોતાના ગઢમાં પણ બંધ કરાવી ન શક્યા

આજના કોંગ્રેસ પ્રેરિત બંધના એલાનમાં સુરતમાં કોંગ્રેસીઓનું પ્રદર્શન સાવ જ નબળું રહ્યું. પેટ્રોલ અને ડિઝલના ભડકે બળતા ભાવોથી સામાન્ય લોકો દુભાયેલા છે જ પરંતુ, કોંગ્રેસના બંધના એલાનમાં સ્થાનિક કોંગ્રેસી નેતાઓ સામાન્ય લોકોને સાંકળવામાં નિષ્ફળ નિવડ્યા. કોંગ્રેસના કોર્પોરેટરો જ્યાંથી ચૂંટણી લડ્યા છે એ વિસ્તારોમાં પણ બંધની અસર વર્તાવી શક્યા નહીં. એકાદ બે કલાક દુકાનો જબરદસ્તી બંધ રખાવી કોંગ્રેસીઓએ ફોટા પડાવી લીધા. એ પછી સવારે 10.30થી બધું ધમધમતું જોવા મળ્યું હતું.

કોંગ્રેસ કાર્યાલયની આસપાસમાં, કોંગ્રેસના પ્રમુખના ઘરની આસપાસ ઉધના દરવાજા વિસ્તારમાં જ બંધની કોઇ અસર જોવા મળી ન હતી. આમ કોંગ્રેસનું પરફોર્મન્સ બિઝનેસ સિટીમાં બંધ કરાવવામાં સાવ નબળું જોવા મળ્યું હતું.

 

Download CIA LIVE app from GOOGLE Play Store

September 9, 2018
prafuldoshi.jpg
1min4210

સંતાન પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે આવેલી પરણિતા સાથે દુષ્કર્મ અંગે થયેલી પોલીસ ફરીયાદ બાદ છેલ્લા ત્રણ દિવસથી નાસતા-ફરી રહેલા મી એન્ડ મમ્મી હોસ્પિટલ વાળા ડો. પ્રફુલ દોશી શનિવારે મોડીરાત્રે અઠવાલાઇન્સ પોલીસમાં હાજર થઇ ગયા હતા. એકા એક તેમના હાજર થવા અંગે પણ અનેક તર્કવિતર્ક સંભળાય રહ્યા છે. જોકે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ કેસમાં તલસ્પર્શી તપાસ હાથ ધરાશે એવી ધરપત આપી ચૂક્યા છે.

એ પૂર્વે સુરત શહેર પોલીસ દ્વારા ડો. પ્રફુલ દોશી અને તેમના મળતીયા ડો.નિરવ, ડો.રૂપલ તેમજ અન્યો પર ધોંસ વધારીને તેમને ગમે તે ભોગે હાજર કરવા માટે ચીમકી આપતા આખરે મોડી રાત્રે ડો. પ્રફુલ દોશીએ હાજર થવું પડ્યું હતું.

મોડી રાત્રે હાજર થયા બાદ મધરાતે જ પોલીસે તેમને મેડીકલ ચેક અપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ જવાયા હતા.

September 9, 2018
fakenews.png
1min5550

ફેસબુક પર બ્રિટિશ પ્રવાસી પર કથિત રીતે થયેલા બળાત્કારની પોસ્ટ શૅર કરનાર 12 વ્યક્તિની થાઇલૅન્ડમાં ધરપકડ કરાયા બાદ એમને જામીન પર મુક્ત કરાયા હતા.

મંગળવારથી દેશભરમાંથી બાર વ્યક્તિની આ બાબતની પોસ્ટ શૅર કરવા બદલ ધરપકડ કરાઇ હતી.

કાહ તાઓ ટાપુ પર ફરવા આવેલી 19 વર્ષની યુકેની યુવતીએ બ્રિટન પાછા ફર્યા બાદ બ્રિટિશ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો, ટાપુ પર કોઇએ ઘેનની દવા પીવડાવીને એના પર બળાત્કાર કર્યો હતો.

જોકે, કોહ તાઓ પોલીસે આ દાવાને નકારતા જણાવ્યું હતું કે આ મામલે બળાત્કારની કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી. આ મામલે બાર વ્યક્તિ પર થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ સાથે મળીને ખોટી માહિતીનો પ્રચાર, પ્રસારણ અને અન્યોને મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એ બધાને ગુરુવારે 60,000 બાહટ (1830 ડૉલર)ના બોન્ડ પર જામીન પર છોડવામાં આવ્યા હતા.

કાયદા પ્રમાણે જો તેઓ દોષી ઠેરવાશે તો એમને પાંચ વર્ષ સુધીની કેદની સજા થવાની શક્યતા છે.

બે પબ્લિક ફેસબુક પેજના એડમિનિસ્ટ્રેટર સામે અરેસ્ટ વૉરન્ટ પણ બહાર પાડવામાં આવ્યા છે, પણ તેઓ બંને વિદેશના હોવાથી હજુ એમની ધરપકડ થઇ શકી નથી.

થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ ઑનલાઇન ખોટ્ટી માહિતી અપલોડ કરવા પર પ્રતિબંધ છે.

ટીકાકારોના જણાવ્યા અનુસાર કાયદાનો ઉપયોગ વિરોધ અને વાણી સ્વાતંત્ર્યને ડામવા માટે કરવામાં આવ્યો છે.

 

 

September 9, 2018
mohan-bhagwat-h_d.jpg
1min5660

હિંદુઓમાં પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. આ સમુદાય જ્યારે સમાજ તરીકે કામ કરશે ત્યારે જ સમૃદ્ધ થશે, એમ જણાવતા આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ સમુદાયના નેતાઓને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે એક થવાની હાકલ કરી હતી.

બીજા વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસમાં ભાગ લેનારા આશરે 2,500 પ્રતિનિધિના સમૂહને સંબોધતા આરએસએસના વડા ભાગવતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્ર્વને એક ટીમમાં લાવવાના મહત્ત્વના મૂલ્યમાં અહમ્ પર નિયંત્રણ મૂકવું અને સર્વસંમતિ સ્વીકારવાનું શીખવું છે.

1893માં શિકાગો ખાતે સર્વ ધર્મની પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલા ઐતિહાસિક ભાષણના 125મા વર્ષે બીજા વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘સિંહ જો એકલો હોય તો જંગલી કૂતરાઓ પણ તેને નિશાન બનાવી તેને મારી નાખી શકે છે. આપણે એ ભૂલવું ના જોઇએ. અમે દુનિયાને બહેતર બનાવવા માગીએ છીએ. અમને પ્રભુત્વ જમાવવાની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી. અમારો પ્રભાવ એ વિજય અને વસાહત સ્થાપવાનું પરિણામ નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.

આદર્શવાદની ભાવના સારી છે એમ જણાવતા ભાગવતે ઉમેર્યું હતું કે તેઓ આધુનિકતાના વિરોધી નથી, પરંતુ ભવિષ્યને આવકારનારા છે.

મહાભારતના વિચારોને ટાંકીને ભાગવતે લોકોને સર્વસંમતિથી એક ટીમ બનીને કામ કરવા અપીલ કરી હતી. હિંન્દુઓ તેમના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતાને ભૂલી ગયા છે, તેથી હેરાન થઇ રહ્યા છે. હિન્દુઓમાં ઘણા વિદ્વાનો છે, ધુરંધરો છે, પરંતુ તેઓ સાથે મળીને કામ કરતા નથી. હિન્દુ કોઇનો વિરોધ કરતા નથી. તેમના વિરોધીઓને પણ તેઓ નુક્સાન નથી પહોંચાડતા, એમ ભાગવતે જણાવ્યું હતું

અધૂરા જ્ઞાન અને અજ્ઞાનતાને કારણે દુનિયાના સૌથી જૂના હિન્દુ ધર્મને ઘણી હાનિ પહોંચી છે એ જોઇને મને ઘણું દુ:ખ થાય છે, એમ અભિનેતા અનુપમ ખેરે જણાવ્યું હતું.

આ કાર્યક્રમને સંબોધન કરનારાઓમાં લેફટ. ગવ. એવલિન સંગુનેટ્ટી, વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વડા એસ. પી. કોઠારી, સુરિનામના ઉપપ્રમુખ અશ્ર્વિન અધિન અને વિશ્ર્વ હિન્દુ કૉંગ્રેસના વાઇસ ચૅરમેન રાજુ રેડ્ડીનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહુએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની અને તાજેતરમાં અવસાન પામેલા લેખક વી. એસ. નાયપોલની સ્મૃતિમાં એક મિનિટ મૌન પાળ્યું હતું.

આ કાર્યક્રમ સમયે કેટલાક વિરોધીઓના જૂથે વિશ્ર્વ હિંદુ કૉંગ્રેસની કાર્યવાહીને ટૂંક સમય માટે ખોરવી નાખી હતી. વિરોધીઓ સ્લોગન ઉચ્ચારી રહ્યા હતા અને ભારતની ધાર્મિક લઘુમતીઓ સામે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાર્મિક નેતાઓને જણાવ્યું હતું. સ્થાનિક પોલીસ દળ દ્વારા બે મહિલા વિરોધીની ધરપકડ કરવામાં આવી હતી.

બનાવટી ઓળખપત્ર બનાવી વિરોધીઓ કાર્યક્રમમાં આવ્યા હતા અને કાર્યક્રમની મધ્યમાં સ્લોગન ઉચ્ચારવા માંડ્યા હતા અને આરએસએસ પાછા જાવની નારેબાજી કરવા માંડ્યા હતા.

 

September 9, 2018
callcenter.jpg
1min8560
અમદાવાદના પાંચ કોલ સેન્ટર લાખો ડૉલરના કૌભાંડ સામેલ: 15 જણ પર દોષારોપણ: સેંકડો અમેરિકન સાથે છેતરપિંડી

અમેરિકાના 2,000 જેટલા નાગરિકની સાથે 55 લાખ ડૉલરથી વધુની છેતરપિંડી કરવા બદલ અમદાવાદના પાંચ કૉલ સૅન્ટર અને સાત સહ-આરોપી સહિત 15 જણ પર તહોમત મુકાયું છે.

ભારતના જે પાંચ કૉલ સૅન્ટર પર આરોપ મુકાયો છે તેમાં ઍક્સલન્ટ સૉલ્યુશન્સ બીપીઓ, એડીએન ઇન્ફૉટેક પ્રાઇવૅટ લિમિટૅડ, ઇન્ફૉએસ બીપીઓ સૉલ્યુશન્સ પ્રાઇવૅટ લિમિટૅડ, એડાઇન્ફૉસૉર્સ, આઇએનસી અને ઝુરિક બીપીઓ સર્વિસીસ પ્રાઇવૅટ લિમિટૅડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જે 15 જણ પર દોષારોપણ કરાયું છે તેમાં નીરવ જનકભાઇ પંચાલ, પલકકુમાર પટેલ, શૈલેશકુમાર શર્મા, દિલીપકુમાર કોડવિની, રાધીશરાજ નટરાજન, શુભમ શર્મા, પરવેઝ મનસૂરી, મહંમદ સમીર મેમણ, રોડ્રિગ્સ લિયોન-કાસ્ટિલો, ડેવિન બ્રેડફૉર્ડ પોપ, નિકોલસ એલેક્ઝાન્ડર ડીન, ડ્રુ કેઇલ રિગીન્સ અને જેન્ટ્ઝ પેરિશ મિલરનો સમાવેશ થાય છે.

અમેરિકાના એટર્ની બિંગ જે. પાકે જણાવ્યું હતું કે આ આરોપી પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસના અધિકારી ગણાવતા હતા અથવા વ્યક્તિગત કરજ (પૅડૅ લૉન)ની ઑફર કરતા હતા. બાદમાં, તેઓ અમેરિકી નાગરિકોને ધરપકડ અને સજાની ધમકી આપીને સરકારને દંડની રકમ આપવા કહેતા હતા, પરંતુ તે રકમ પોતાના ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. ટ્રૅઝરી ઇન્સ્પેક્ટર જનરલ ફૉર ટૅક્સ ઍડમિનિસ્ટ્રૅશન જેય રસેલ જ્યોર્જે જણાવ્યું હતું કે હું આ કૌભાંડ પકડનારી મારી તપાસ ટુકડીને અભિનંદન આપું છું. અમદાવાદના કૉલ સૅન્ટરમાંથી અમેરિકા ખાતે ફૉન કરીને પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રૅશન સર્વિસીસના અધિકારી ગણાવતા હતા. અમુક વખત સામી વ્યક્તિને લૉનની ઑફર પણ કરાતી હતી અને બાદમાં ધરપકડ અને જેલની ધમકી આપીને કહેવાતા સરકારી કરવેરા પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. આ રકમ પડાવવા પ્રીપૅડ ડૅબિટ કાર્ડ ખરીદવા કે મનીગ્રામ અને વેસ્ટર્ન યુનિયન સહિતના વિવિધ માધ્યમથી વાયર ટ્રાન્સફર કરવા સૂચના અપાતી હતી.

અમેરિકામાંથી આ કૌભાંડના સંબંધમાં સાત જણની ગુરુવારે ધરપકડ કરાઇ હતી.

 

September 8, 2018
prafuldoshi.jpg
1min10440

સંતાન પ્રાપ્તિની ટ્રીટમેન્ટ માટે આવેલી શહેરની એક પરણિતા સાથે દુષ્કર્મ કર્યાની પોલીસ ફરીયાદ જેની સામે નોંધાયેલી છે એ સુરતના નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડો. પ્રફુલ દોશી આજે ત્રીજા દિવસે પણ પોલીસની પહોંચની બહાર છે. પોલીસ કાર્યવાહીથી સંતાતા ફરતા ડો.પ્રફુલ દોશીને શોધવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. ડો. પ્રફુલ દોશી દંપતિ સાથે ઘરોબો ધરાવતા લોકો સુધી પોલીસે પહોંચીને કોઇપણ સંજોગોમાં તેમને હાજર કરાવવા માટે ચીમકીઓ આપી દીધી છે. અલબત્ત હજુ સુધી ડો.પ્રફુલ દોશીએ પોલીસમાં હાજર થવા અંગે કોઇ હરકત કરી નથી. ડો.નિરવ શાહ અને ડો.રૂપલ શાહે ડો. દોશીને કારણે મુશ્કેલીમા મૂકાવું પડ્યું છે. બે દિવસથી પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરી છે અને હજુ પણ તેમના પર પ્રેશર છે કે તાત્કાલિક ડો. પ્રફુલને હાજર કરાવે અન્યથા આકરી પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ડો.પ્રફુલ દોશી સામેના પોલીસ કેસ અંગે શહેરના તબીબ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તબીબોમાં મોરલ એથિક્સના મુદ્દે ડો.પ્રફુલ દોશીના મુદ્દે બે ફાડચા પડી ગયા છે. તબીબો માને છે કે જો ડો. પ્રફુલ દોશી નિદોર્ષ હોત તો તેમણે પોલીસ કાર્યવાહીથી સંતાવાને બદલે તેનો સામનો કરવો જોઇતો હતો. તેની જગ્યાએ ત્રણ દિવસથી લાપતા બનીને ડો.પ્રફુલ દોશીએ એ શંકાને બળવતર બનાવી છેકે તેઓ કસૂરવાર છે.

ગઇકાલ તા.7મી સપ્ટેમ્બરે પોલીસે ડો.નિરવ શાહની પૂછપરછ કરી હતી આજે સૂત્રોએ આપેલી માહિતી મુજબ ડો.નિરવ શાહના પત્ની ડો.રૂપલ શાહની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હોવાની વિગતો જાણવા મળી છે. ડો.રૂપલ શાહ અને ડો.દોશી દંપતિ એક જ પ્રીમાઇસીસમાં કન્સલ્ટીંગ ધરાવવા સાથે અમૂક બિઝનેસમાં પાર્ટનર હોવાનું જાણવા મળે છે.

ડો.રૂપલ શાહ કે ડો.નિરવ શાહ જાણે છે કે ડો.પ્રફુલ દોશી ભૂગર્ભમાં કયા સ્થળે છૂપાયા હોઇ શકે. મિડીયા રિપોર્ટ પ્રમાણે ડો.દોશી મુંબઇ કે ઉત્તર ગુજરાત તરફ હોવાની શંકા છે, અલબત્ત તેમના વિષે પોલીસ કોઇ ચોક્કસ માહિતી મેળવી શકી નથી.

બીજી તરફ ભોગ બનેલી પરણિતાને ન્યાય અપાવવા માટે પ્રજાપતિ સમાજ સામે આવ્યો છે. તા.7મી સપ્ટેમ્બરે પોલીસ તંત્રમાં રજૂઆતો કર્યા બાદ પ્રજાપતિ સમાજના આગેવાનોએ સમાજની એક મિટીંગ અમરોલીમાં બોલાવી છે. જે અંગે મિડીયામાં આ પ્રમાણે મેસેજ વાઇરલ થયા છે.

September 8, 2018
suratairport1.jpg
1min23120

cialive@yahoo.com

સુરત એરપોર્ટ હવે 24 કલાક ધમધમતુ અને દેશનું મહત્વનું એરપોર્ટ બન્યું છે. થોડા મહિના અગાઉ ફક્ત એક જ ફ્લાઇટ સુરત આવતી અને સુરતથી ઉપડતી હતી. હવે 21 જેટલી ફ્લાઇટ્સ રોજેરોજ સુરત આવે છે અને સુરતથી ઉપડે છે.

ધંધાકીય શહેર હોવાથી સુરતમાં રોજેરોજ હજારો મુલાકાતીઓ સમગ્ર દેશ દુનિયામાંથી આવે છે એવી જ રીતે સ્થાનિક સુરતીઓ પણ રોજેરોજ હજારોની સંખ્યામાં સુરતથી દેશના અન્ય શહેરો, વિદેશોમાં જાય છે. આવી સ્થિતિમાં મુલાકાતીઓને સુરત એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટ્સની માહિતી માટે અત્રે ટાઇમ ટેબલ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં રજૂ કરી રહ્યા છીએ.