CIA ALERT

રમત જગત Archives - Page 7 of 42 - CIA Live

October 28, 2022
zim-beat-pak.png
1min445

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં બુધવારે date 27/10/22 મોટો અપસેટ સર્જાયો છે. ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાન સામે રોમાંચક વિજય નોંધાવ્યો છે. ઝિમ્બાબ્વેએ લાજવાબ પ્રદર્શન કરતાં પાકિસ્તાન સામે એક રને વિજય નોંધાવ્યો છે.

પર્થ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત બાદ અંતિમ ઓવર્સમાં ઝિમ્બાબ્વેનો ધબડકો થયો હતો. તેમ છતાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ નોંધાવી શકી હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ સળંગ બીજો પરાજય છે. પાકિસ્તાનને અગાઉ ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.

ઝિમ્બાબ્વેની બેટિંગ થોડી પ્રભાવશાળી રહી હતી. તેની શરૂઆત સારી રહી હતી. માધેવેરે અને સુકાની ક્રેગ ઈરવિનની ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં 42 રનનો સ્કોર નોંધાવ્યો હતો. માધેવેરેએ 17 અને ઈરવિને 19 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલ્ટન શુમ્બાએ 8 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન સીન વિલિયમ્સે નોંધાવ્યા હતા. સીન વિલિયમ્સે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવર્સમાં બ્રાડ ઈવાન્સે 15 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે મોહમ્મદ વસિમે ચાર તથા શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હેરિસ રૌફને એક સફળતા મળી હતી.

131 રનના સ્કોર સામે પાકિસ્તાનના બેટર્સ વધારે કમાલ કરી શક્યા ન હતા. ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. જેના પરિણામે અંતિમ બોલ સુધી મેચ રોમાંચક રહી હતી. પાકિસ્તાનના સ્ટાર બેટર્સ મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ નિષ્ફળ રહ્યા હતા. રિઝવાન 14 અને બાબર આઝમ ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. પાકિસ્તાન માટે શાન મસૂદે 38 બોલમાં 44 રન ફટકાર્યા હતા પરંતુ તેની ઈનિંગ્સ એળે ગઈ હતી. મોહમ્મદ નવાઝે 22 રન ફટકાર્યા હતા પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ ત્રણ તથા બ્રાડ ઈવાન્સે બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેસિંગ મુઝારાબાની અને લ્યુક જોંગ્વેને એક-એક સફળતા મળી હતી.

October 28, 2022
bcci_logo.jpg
1min367

મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.

આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.

ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.

પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.

October 23, 2022
babar_kohli-1280x843.jpg
1min405

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-૨૦ વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧-૩૦ થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે. જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે.

ભારતને ડેથ ઓવરમાં ૧૫ થી ૨૫ રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા તે કોયડો છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે. મેલબોર્નમાં વરસાદની આગાહી પણ છે. ચાહકો એવી પ્રાર્થના કરે છે કે વરસાદ ન પડે અને વિઘ્ન પડે તો પણ અમુક ઓવરોની મેચ પણ યોજાય. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવરની મેચ રમાડી શકાય.

કેપ્ટન રોહિત શર્મા અને કોહલી જેવા અનુભવી પણ ઈનિંગને બિલ્ટ અપ કરી શકવા સક્ષમ છે.

પાકિસ્તાને ભારતને એશિયા કપમાં હરાવ્યું હોઈ તેઓ આત્મવિશ્વાસ સાથે ઉતરશે.

October 19, 2022
engpak.jpg
1min400

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેવા નહીં જાય એ તેના કારણે એશિયા કપ પણ પાકિસ્તાનની જગ્યાએ તટસ્થ દેશમાં ખસેડાશે તેવા સંજોગો નિર્માણ પામ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડની એ.જી.એમ.માં આજે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ભલે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હોય તો પણ પાકિસ્તાનમાં રમવા માટે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના આવા નિર્ણયથી ક્રિકેટ જગતમાં અને વિશેષ કરીને પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાએ ભારે રોષ સાથે ધમકી આપી છે કે જો ભારત એશિયા કપ રમવા નહીં આવે તો અમે આવતા વર્ષે ભારતમાં યોજનારા વનડેના વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જઈએ.

આમ તો ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે દ્વીપક્ષિય ક્રિકેટ રમવાનાં સંબંધ રાજકીય તનાવ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ હજુ પણ પ્રવર્તતો હોઈ દોઢ દાયકાથી નથી. ભારત પાકિસ્તાનમાં છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ રમ્યું હતું.

આમ છતાં આઇસીસી આયોજિત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારત રમશે તેવું ઠરાવવામાં આવ્યું હોઈ એશિયા કપ, ચેમ્પિયન્સ ટ્રોફી કે ટી-૨૦ અને વન ડેના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલાઓ થતા જ રહ્યા છે. પાકિસ્તાન ભારતમાં આવીને પણ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમ્યું છે. જોકે ભારત માટે આટલા વર્ષોમાં નિર્ણાયક સમય નહોતો આવ્યો તેનું કારણ એ હતું કે સલામતિના કારણોસર પાકિસ્તાનને ભોગે કોઈ ટુર્નામેન્ટ આઇસીસી દ્વારા અપાતી જ નહોતી. અન્ય દેશો પણ પાકિસ્તાન રમવા જવા તૈયાર નહોતા.

પણ છેલ્લા દોઢેક વર્ષથી ક્રમશઃ અન્ય ટીમો પાકિસ્તાન જતી થઇ છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં પણ ભાગ લે છે. આવતા વર્ષ સુધીમાં પણ પાકિસ્તાનનું ક્રિકેટ પુનઃ સ્થાપિત વધુ થઈ ગયું હશે અને એશિયા કપ રમવા જવા માટે વિદેશી ટીમોને વાંધો નહીં હોય.

રોટેશન પ્રમાણે એશિયા કપનો વારો ૨૦૨૩માં  પાકિસ્તાનનો છે.

ભારત અને અન્ય દેશોથી પાકિસ્તાનમાં રમવાના સંદર્ભમાં સ્થિતિ જુદી છે. અગાઉની પાકિસ્તાનના ભાગની ટુર્નામેન્ટ યુ.એ.ઇ.માં યોજવી પડી છે. પણ પાકિસ્તાન હવે ઘરઆંગણે યજમાન માટે સજ્જ છે. ભારત સિવાય કોઇ દેશને વાંધો નથી. ભારતના પાકિસ્તાન જોડેના સંબંધો તો વણસ્યા જ છે પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ કાશ્મીરમાં જારી જ છે.

પાકિસ્તાન બોર્ડને આર્થિક રીતે પગભર થવા ભારત સામે રમવું અત્યંત જરૂરી છે. આઇસીસીની આવકનો હિસ્સો પાકિસ્તાન બોર્ડને મળે.

October 3, 2022
india-vs-sa.png
1min399

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 સીરિઝની બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. હવે ત્રીજી મેચ માત્ર ઔપચારિકતા જ બની રહેશે. ભારતે સાઉથ આફ્રિકાને બીજી ટી-20 મેચમાં 16 રને હરાવી ત્રણ મેચોની સીરિઝ પર 2-0થી કબજો કરી લીધો છે. ભારતે જીત માટે આપેલા 238 રનના લક્ષ્ય સામે સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.

ડેવિડ મિલરે 47 બોલમાં 106 રન ફટકાર્યા હતા અને તે છેક સુધી સાઉથ આફ્રિકાને જીતાડવા માટે ઝઝૂમ્યો હતો અને અણનમ રહ્યો હતો. જ્યારે ક્વિન્ટન ડિ કોક પણ ઓપનિંગથી અંત સુધી ઝઝૂમ્યો હતો, પરંતુ સાઉથ આફ્રિકા માત્ર 16 રન માટે મેચ હારી ગયું હતું. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતીય ટીમે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ જીતી છે.

સાઉથ આફ્રિકાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને 1 રને જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ્બા બાવુમા ખાતું ખોલાવ્યા વિના જ અર્શદીપનો શિકાર બન્યો હતો. તે પછી ક્વિન્ટન ડિ કોકને સાથ આપવા ક્રિઝ પર ઉતરેલો રિલી રોશૉ પણ શૂન્ય રને અર્શદીપનો શિકાર બન્યો હતો. જોકે, તે પછી એડન માર્કરમે ડિ કોકનો સાથ આપતા 33 રન બનાવ્યા હતા. જોકે, આ જોડીને અક્ષર પટેલે તોડી નાખી હતી. તે પછી ડી કોક સાથે ડેવિડ મિલર જોડાયો હતો. તે ધૂંઆધાર સદી ફટકારી અણનમ રહ્યો હતો. પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ભારત તરફથી અર્શદીપે 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટની ભાગીદારીમાં 96 રન જોડ્યા હતા. કેએલ રાહુલે 28 દડામાં 57 રન અને રોહિત શર્માએ 37 દડામાં 43 રન ફટકાર્યા હતા. રોહિતના આઉટ થયા પછી બેટિંગમાં આવેલા વિરાટ કોહલીએ પણ સાઉથ આફ્રિકાના બોલરોની ધોલાઈ ચાલુ રાખી હતી. 107 રનના સ્કોરે કોહલી અને રાહુલની ભાગીદારી તૂટી હતી. રાહુલના આઉટ થયા પછી કોહલી સાથે સૂર્યકુમાર યાદવ જોડાયો હતો. જોરદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર તો આવતાની સાથે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે જોતજોતમાં 22 દડામાં 61 રન ફટકારી દીધા હતા. કમનસીબે તે 61 રનના અંગત સ્કોરે રનઆઉટ થઈ ગયો હતો. તે પછી વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 237 રને પહોંચાડ્યો હતો. દિનેશ કાર્તિકે 7 દડામાં બે છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 17 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કોહલી 28 દડામાં સાત ચોગ્ગા અને એક છગ્ગા સાથે 49 રન બનાવી અણનમ રહ્યો હતો.

સાઉથ આફ્રિકા તરફથી એકમાત્ર કેશવ મહારાજને જ વિકેટ મળી હતી. તેણે બે વિકેટ ઝડપી હતી. એ સિવાય સાઉથ આફ્રિકાનો કોઈ બોલર ભારતીય બેટ્સમેનો પર પ્રભાવ જમાવી શક્યો ન હતો.

October 2, 2022
india-vs-sa.png
1min378

ભારતની ક્રિકેટ ટીમ આજે રવિવાર તા.2 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજય અભિયાન જારી રાખીને શ્રેણીમાં અજેય બઢત મેળવવાની કોશિશ કરવામાં આવશે.

બુમરાહની ભૂમિકા ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વિશ્વકપમાં મહત્ત્વની હતી. જો કે ઝડપી બોલર પીઠની પરેશાનીના કારણે વિશ્વકપમાં રમી શકશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ છે.

દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનું આયોજન વિશ્વકપ પહેલા ટીમની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે છે. જો કે બુમરાહની ગેરહાજરીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઘણા સવાલ ઉભા કરી દીધા છે. મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પણ બન્ને વિશ્વકપની ટીમમાં સામેલ નથી. સૌથી મોટો સવાલ એ છે કે બુમરાહના સ્થાને અન્ય બોલરને અજમાવવાનો પર્યાપ્ત સમય મળી રહેશે કે નહીં.

વિશ્વકપના સ્ટેન્ડબાયમાં સામેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનાથી બહાર આવી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનો હિસ્સો નથી. તેને ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે તેને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ભારત પાસે દીપક ચાહર છે. જે વિશ્વકપ માટે સ્ટેન્ડબાય છે. બીજી તરફ અર્શદીપ સિંહ પણ ફોર્મમાં છે. ભારતીય ટીમ માટે મહત્ત્વની વાત એ છે કે સ્પીન વિભાગમાં અત્યારે કોઈ પરેશાની જોવા મળી રહી નથી. જાડેજા બહાર થયા બાદ ટીમમાં સામેલ થયેલા અક્ષર પટેલે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં કોહલી સહિતના ખેલાડીઓ સારા ફોર્મમાં છે.’ કેએલ રાહુલ પણ રન બનાવી રહ્યો છે. પહેલા મેચમાં તેણે અર્ધસદી પણ કરી છે.

મધ્યક્રમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકને પૂરતી તક મળી નથી. પંતને એશિયા કપમાંથી પરત ફર્યા બાદ બેટિંગની તક નથી મળી. જ્યારે કાર્તિકે છેલ્લા સાત મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો છે. જ્યાં સુધી શ્રેણીની વાત છે તો ભારત દક્ષિણ આફિકા સામે દેશમાં જ પહેલી શ્રેણી જીતવાની કોશિશ કરશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ટી20 વિશ્વકપમાં હજી સુધી અપેક્ષિત રમત બતાવી શકી નથી. તેણે અંતિમ વખત 2016મા સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ગયા વર્ષે નોકઆઉટમાં પણ પ્રવેશ કરી શકી નહોતી. કગિસો રબાડા અને એનરિક નોર્કિયાના રૂપમાં આફ્રિકા પાસે બે સારા બોલર છે. જો કે તેમાં સટીકતા જોવા મળી રહી નથી. આ ઉપરાંત આફ્રિકાના બેટરોએ પણ સારુ પ્રદર્શન કરવું પડશે. જે ગયા મેચમાં નિષ્ફળ રહ્યા હતા.

September 28, 2022
india-vs-sa.png
1min493

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીનો આજે તા.28મી સપ્ટેમ્બર 2022ને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવૂમાએ કહ્યંy કે ટીમ સામે સૌથી મોટો પડકાર શરૂઆતી ઓવરોમાં સ્વિંગ થતી ઝડપી બોલનો સામનો કરવાનો હશે. આ તકે બાવુમાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવનાર ભારતીય ટીમની પ્રશંસા કરી હતી અને વિશ્વસ્તરીય ગણાવી હતી.

મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં આફ્રિકી કેપ્ટન બાવુમાએ કહ્યું કે વર્લ્ડ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ભારતમાં નવા દડાથી બોલરોનો સામનો કરવો ચુનૌતિપૂર્ણ બની રહેશે. શરૂઆતમાં બોલ ઘણા સ્વિંગ થાય છે. અમે આફ્રિકાની જે પરિસ્થિતિમાં ટેવાયેલા છીએ એથી ભારતીય બોલરો વધુ સ્વિંગ કરે છે.

જો કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ઝડપી બોલરો બહુ પ્રભાવિત કરી શકયા નથી. આમ છતાં બાવુમા કહે છે કે સફળતા માટે અમારે શરૂઆતી ઓવરમાં વિકેટ ગુમાવતા બચવું પડશે. બુમરાહ અને ભુવનેશ્વર જેવા બોલરો હંમેશા શરૂમાં પડકાર આપે છે. જો કે આ શ્રેણીમાં ભુવનેશ્વરને વિશ્રામ અપાયો છે. બાવુમા કહે છે કે રોહિત અને વિરાટ મોટા નામ છે. તેની સાથે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમના દેખાવથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમે ભારત સામે ખુલીને રમશું. અમે બેસ્ટ ટીમ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શનની કોશિશ કરશું.

September 25, 2022
india_vs-aus.png
1min420

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્તમાન સમયે ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતના પ્રવાસે છે. આપ્રવાસનો પહેલો મેચ મોહાલીમાં રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે જીત મેળવી હતી. નાગપુરમાં થયેલા બીજા મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે છ વિકેટે જીત નોંધાવીને શ્રેણીમા 1-1થી બરાબરી કરી હતી. હવે ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રવિવારે સાંજે’ સાત વાગ્યે હૈદરાબાદમાં રમાશે. આ મુકાબલો જે ટીમ જીતશે તે શ્રેણી ઉપર કબજો કરી લેશે. રોહિત શર્મા પાસે મેચ સાથે સતત નવમી શ્રેણી જીતવાની તક રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયા ભારતને ઘરમાં જ બીજી વખત શ્રેણીમાં હરાવનારી પહેલી ટીમ બનવાની કગારે છે.

નિર્ણાયક મેચમાં રોહિત શર્મા અને આરોન ફિંચને ટોસની સાથે કિસ્મતનો સાથ જોઈએ. કારણ કે ટોસ હારનારી ટીમ ઉપર બોજ વધી જશે. ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક જ મેચ રમ્યો છે. 2019મા રમાયેલા મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મેચ બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે હતા. જેમાં ત્રણેય મેચમા અફઘાનિસ્તાનને જીત મળી હતી. અફઘાનિસ્તાનની ટીમે બે વખત પહેલા બેટિંગ કરતા અને એક વખત પહેલા બોલિંગ કરતા જીત નોંધાવી હતી.

હૈદરાબાદની પીચ બાટિંગ માટે સારી છે. ઝડપી બોલર કરતા સ્પિન બોલરોને મદદ મળે છે. જો કે ટોસ પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. કારણ કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરનારી ટીમ માનસીક રીતે મજબુત બનશે અને ટોસ હારનારી ટીમ કમજોર. રવીન્દ્ર જાડેજા બહાર થયા બાદ પ્લઈંગ ઈલેવનમાં સામેલ અક્ષર પટેલ પોતાની ઉપયોગીતા’ ધીરે ધીરે વધારી રહ્યો છે. મુખ્ય રૂપથી પાવર પ્લેમાં શિકાર કરીને તેણે શ્રેણીમાં વાજબી બોંિલંગ કરી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ વિશ્વભરની લીગમાં પોતાની આક્રમક બેટિંગથી જાણિતો છે પણ 2020થી તેનું પ્રદર્શન નબળું પડી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં તેની સરેરાશ 20થી નીચની રહી છે. જે ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય છે.

September 20, 2022
india_vs-aus.png
1min445

ટીમ ઇન્ડિયા મંગળવારથી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ શરૂ થનાર ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં વિશ્વ કપના ઉચિત સંયોજનની શોધના ઇરાદા સાથે મેદાને પડશે. કપ્તાન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડનું આ સિરીઝ દરમિયાન વિશેષ કરીને મધ્યક્રમના બેટિંગ પર વધુ ફોકસ રહેશે. ટી-20 વિશ્વ કપ પૂર્વે ભારતીય ટીમ 6 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયા પછી આફ્રિકા સામે ટકકર થશે. આથી કેટલાક સ્ટાર ખેલાડીઓને એકાદ-બે મેચમાં વિશ્રામ મળી શકે છે. કપ્તાન રોહિત શર્મા કહી ચૂકયો છે કે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટૂર્નામેન્ટ પૂર્વે તેના ખેલાડીઓ તમામ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ કરશે. મેચ મંગળવારે સાંજે 7-30થી શરૂ થશે.

એશિયા કપ દરમિયાન ભારતીય ટીમની બેટિંગ-બોલિંગ નબળાઇઓ ખુલીને સામે આવી હતી. હવે ટીમમાં જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલનું આગમન થયું છે. આથી બોલિંગ મજબૂત બની છે. કપ્તાન રોહિત શર્મા સ્પષ્ટ કરી ચૂકયો છે કે વિશ્વ કપમાં તેની સાથે દાવનો પ્રારંભ કેએલ રાહુલ કરશે. આમ છતાં ઘરઆંગણે કેટલાક મેચમાં વિરાટ કોહલી ઓપનિંગમાં જોવા મળી શકે છે. તેણે છેલ્લે યૂએઇમાં ઓપનિંગમાં આવીને સદી ફટકારી હતી.

ભારતની ઇલેવનમાં બેટિંગ ક્રમ નકકી છે, પણ પહેલા મેચમાં વિકેટકીપર ઋષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને તક મળશે તે નકકી નથી.’ રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત હોવાથી પંતને ડાબોડી બેટધર હોવાથી મોકો મળી શકે તેવી વકી છે. જો કે એશિયા કપમાં મળેલ મોકાનો લાભ ઉઠાવી શકયો ન હતો. ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની શ્રેણીમાં ભારતની નજર રવીન્દ્રનો વિકલ્પ શોધવા પર પણ રહેશે. તેની ગેરહાજરીમાં એશિયા કપમાં ભારતીય ટીમનું સંતુલન બગડયું હતું. જાડેજાના સ્થાને અક્ષર પટેલ પ્રમુખ દાવેદાર છે. અનુભવી અશ્વિન પણ રેસમાં છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર વિના ભારત આવ્યું છે. તેને વિશ્રામ અપાયો છે. જયારે મિચેલ સ્ટાર્ક, મિશેલ માર્શ અને માર્કસ સ્ટોઇનિસ ઇજાને લીધે શ્રેણીની બહાર થયા છે. જો કે બધાની નજર કાંગારૂ કપ્તાન એરોન ફિંચના દેખાવ પર રહેશે. તેણે ખરાબ દેખાવને લીધે તાજેતરમાં વન ડેમાંથી સંન્યાસ લીધો છે. અન્ય એક ખેલાડી ટિમ ડેવિસ પર પણ નજર રહેશે. સિંગાપોર તરફથી રમનાર આ બેટર હવે ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરશે.

September 14, 2022
Ind-vs-Aus_Playing.jpg
1min383

-20મીથી ત્રણ મેચની ઝ-20 શ્રેણીનો પ્રારંભ
નવી દિલ્હી, તા.13: ટી-20 વર્લ્ડ કપ પૂર્વે ટીમ ઇન્ડિયા ઘરઆંગણે પહેલા ઓસ્ટ્રેલિયા અને બાદમાં દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ત્રણ-ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરૂઆત મોહાલીમાં તા. 20 સપ્ટેમ્બરથી થશે. આ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમ આવતીકાલ બુધવારે ભારત પહોંચશે. કાંગારૂ ખેલાડીઓ તા. 14મીએ મોહાલી પહોંચશે અને એ જ દિવસથી નેટ પ્રેકટીસનો પ્રારંભ કરશે. ભારત પ્રવાસની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટાર બેટર ડેવિડ વોર્નરને વિશ્રામ અપાયો છે. તેના સ્થાને ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને તક અપાઇ છે. ટીમનો કપ્તાન એરોન ફિંચ છે.
જયારે ભારતીય ટીમ તા. 16મીએ મોહાલીમાં એકત્ર થશે. ટીમ ઇન્ડિયા પણ 16મીથી જ અભ્યાસનો પ્રારંભ કરશે તેવા રિપોર્ટ છે. વિશ્વ કપની ટીમમાં સામેલ ન થયેલ ઝડપી બોલર મોહમ્મદ શમી આ શ્રેણીમાં સામેલ છે. જયારે વિશ્વ કપની ટીમમાં સામેલ યુવા બોલર અર્શદિપને આ શ્રેણીમાં વિશ્રામ અપાયો છે. જયારે આ પછીની આફ્રિકા વિરૂધ્ધની શ્રેણીમાં હાર્દિક પંડયા અને ભુવનેશ્વર કુમારને વિશ્રામ અપાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં શમી ઉપરાંત દીપક ચહરનો પણ સમાવેશ થયો છે. તે પણ વિશ્વ કપ ટીમનો હિસ્સો નથી.’ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો પહેલો મેચ મોહાલીમાં 20મીથી રમાશે. જયારે બીજો અને ત્રીજો મેચ અનુક્રમે 23 અને 2પમીએ નાગપુર તથા હૈદરાબાદમાં રમાશે.