લાંબી ઇંતેજારીનો છેવટે અંત આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું લગભગ ત્રણ મહિના બાદ આજે પુનરાગમન થઈ રહ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને લીધે માર્ચથી ક્રિકેટ સદંતર રમાવાની બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે સાઉધમ્પટન ખાતે ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મૅચવાળી સિરીઝની પહેલી ટેસ્ટ શરૂ થઈ રહી છે. બીજી અને ત્રીજી ટેસ્ટ મૅન્ચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.
યજમાન ઇંગ્લૅન્ડની ટીમનું સુકાન કાર્યવાહક સુકાની બેન સ્ટૉક્સ સંભાળશે, જ્યારે જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો કૅપ્ટન છે. આ સિરીઝ પર સમગ્ર ક્રિકેટવિશ્ર્વની નજર રહેશે, કારણકે કોરોના વાઇરસના ફેલાવાને લીધે પ્લેયરો નવા નિયંત્રણો મુજબ રમશે, રમતી વખતે તેઓ બૉલ પર થૂંક નહીં લગાડી શકે, સ્ટેડિયમમાં પ્રેક્ષકો નહીં હોય અને ખેલાડીઓ વચ્ચે સેલિબ્રેશન પણ ખૂબ મર્યાદિત રહેશે. કોઈ પ્લેયરો એકમેક સાથે હાથ નહીં મિલાવે, ભેટશે પણ નહીં અને એકમેક સાથે મુઠ્ઠી અથવા કોણી ટકરાવીને ખુશી વ્યક્ત કરશે.
ભારત જેટલા ક્રિકેટ લવર્સ દુનિયામાં ક્યાંય નથી, Home Stay ટાઇમ કેવી રીતે પાસ કરવો ? એ પ્રશ્ન
Jayesh Brahmbhatt 98253 44944
સ્ટે હોમ કહો કે હોમ સ્ટે કહો, હાલમાં ભારત સમેત દુનિયાભરમાં લોકોના એ રીત અનુસરવાની સોનેરી સલાહ કોરોનાના વ્યાપને વધતા અટકાવવા માટે આપવામાં આવી રહી છે. ઘરે બેસીને કરવું શું, ભારતની વાત કરીએ તો ક્રિકેટ ચાહકો કરોડોની સંખ્યામાં છે અને હાલમાં ક્રિકેટની એક પણ મેચ ચાલતી નથી. ક્રિકેટ લવર્સને ફિલ્મો કે સિરીયલોમાં રસ નથી એટલે ટાઇમ પાસ કરવા માટે શું કરવું એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.
સી.આઇ.એ.એ જાંચ પડતાલ કરી તો જાણવા મળ્યું કે વિશ્વમાં સૌથી વધુ કોરોનાની અસર રમતગમત પ્રેમીઓ પર પડી છે કેમકે ક્યાંકને ક્યાંક કોઇ ટુર્નામેન્ટ રમાતી હોય અને લાઇવ ટીવી પ્રસારણમાં સમય નીકળી જતો હોય. ભારતમાં કરોડો ચાહકોના મનમાં પણ આ જ દ્વિધા છે. કેમકે વિશ્વમાં ક્યાંયે હાલમાં ક્રિકેટની કોઇ મેચ રમાતી નથી. અમે વધુ તપાસ કરી તો આશ્ચર્ય પમાડે એવી વાત જાણવા મળી.
વિશ્વમાં રોજેરોજ ઇન્ટરનેશનલ કે નેશનલ (ડોમેસ્ટિક) કોઇપણ પ્રકારની રમતો રમાતી હતી અને તેના લાઇવ પ્રસારણ સતત ટીવી ચેનલ્સ કે હોટસ્ટાર, જીઓ ટીવી જેવી એપ પર થતાં એટલે ભારતના કરોડો ક્રિકેટ લવર્સને ટાઇમ પાસ કરવામાં કોઇ તકલીફ પડી ન હતી. પરંતુ, હાલમાં કોરોનાને કારણે ક્યાંયે કોઇ ક્રિકેટ ઇવેન્ટ કે મેચ રમાતી નથી. તપાસ કરતા જાણવા મળ્યું કે છેલ્લે 75 વર્ષ પહેલા આવી સ્થિતિ સર્જાઇ હતી કે આંતર રાષ્ટ્રીય કે ડોમેસ્ટિક ક્રિકેટની કોઇ મેચ રમાતી ન હોય.
1877ની સાલથી (143 વર્ષથી) ટેસ્ટ-ક્રિકેટ રમાય છે અને ત્યારથી ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ બાદ વારાફરતી અનેક દેશોને ક્રિકેટનો ચસકો લાગ્યો હતો અને 1970ના દાયકામાં વન-ડે ક્રિકેટ તથા 2000ના દાયકામાં ટી-ટ્વેન્ટી ક્રિકેટના આગમન સાથે હવે તો અસંખ્ય દેશોમાં ‘જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી આ રમત રમાય છે તથા એમની વચ્ચે આંતરરાષ્ટ્રીય સિરીઝો તથા ટુર્નામેન્ટો રમાય છે.
જોકે, હાલમાં ક્રિકેટ માટે એવો કપરો સમય ચાલી રહ્યો છે જે અગાઉ માત્ર બે જ વખત નોંધાયો હતો. હાલમાં કોરોના વાઇરસના ફેલાવાને કારણે સમગ્ર વિશ્ર્વમાં ક્રિકેટ મૅચો રમાવાની બંધ થઈ ગઈ છે. અગાઉ આવું માત્ર બે વાર બન્યું હતું. 1914થી 1918 સુધી પ્રથમ વિશ્ર્વયુદ્ધ ચાલ્યું હતું ત્યારે ક્યાંય ક્રિકેટ મૅચો નહોતી રમાઈ. જોકે, ત્યારે ભારત ક્રિકેટની રમતમાં નહોતું પ્રવેશ્યું.
ભારતની સૌપ્રથમ ટેસ્ટ ૧૯૩૨ની સાલમાં રમાઈ હતી. બીજું વિશ્ર્વયુદ્ધ 1939થી 1945 સુધી થયું હતું અને એ વખતે પણ ક્યાંય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતી રમાઈ. તે સમયગાળામાં ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ ચાલુ હતી. જોકે, એ પછી 75 વર્ષ બાદ પહેલી વાર ફરી એકવાર ઈન્ટરનેશનલ ક્રિકેટે સદંતર વિરામ લીધો છે. આઇપીએલ સહિત અનેક શ્રેણીઓ અને ટુર્નામેન્ટો મુલતવી રાખવામાં આવી છે.
ભારતની સૌથી મોટી સ્પોર્ટસ ઇવેન્ટ ગણાતી ઇન્ડીયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ. 2020 કોરોના વાઇરસને કારણે 29 માર્ચ 2020ના રોજથી શરૂ થવાની હતી એ હવે મીડ એપ્રિલ, ઘણું ખરું 15 એપ્રિલ 2020થી શરૂ કરવા અંગે સત્તાવાર એલાન કરવામાં આવ્યું છે.
હાલ તા.13મી માર્ચ શુક્રવારે જ્યારે આ લખાઇ રહ્યું હતું બપોરે અઢી વાગ્યે બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી શાહની મુંબઇમાં મિટીંગ યોજાઇ હતી. શનિવાર તા.14મી માર્ચે મુંબઇમાં જ મળનારી આઇ.પી.એલ. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આઇ.પી.એલ.ના આરંભને લંબાવવા અંગે નિર્ણય કરીને સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
અગાઉ એવું નક્કી થયું હતું કે આઇપીએલ બંધ બારણે, પ્રેક્ષકો વગર રમાડીને તેનું ટીવી પર પ્રસારણ કરવામાં આવશે. પરંતુ, કેટલાક સ્ટેક હોલ્ડર્સે પ્રેક્ષકો વગર ટિકીટ વેચાણની રકમની મોટી નુકસાની થાય તેવી રજૂઆતો કરી હતી. પરીણામે તા.15મી એપ્રિલ 2020 સુધી કોરોનાની સ્થિતિ ભારતમાં સુધરી શકે તેમ હોવાથી આઇ.પી.એલ. 2020ના આરંભને પખવાડીયા જેટલું પાછળ ઠેલવવા અંગે બીસીસીઆઇમાં મિટીંગોનો દૌર શરૂ થયો છે.
મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.
યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.
સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને ૧૬મી માર્ચના રોજ વિશ્ર્વાસનો મત લેવા નિર્દેશ આપ્યા હતા.
શનિવારે મધ્ય રાત્રિએ ગવર્નરનો એક પત્ર મુખ્ય પ્રધાનને મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્ર્વાસનો મત લેવાનું કાર્ય પૂરું થવું જોઇએ અને તેમાં વિલંબ અથવા મોકૂફ રાખવાનું થવું જોઇએ નહીં. ગવર્નરના પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ૨૨ વિધાનસભ્યાએેે તેમના રાજીનામા સ્પીકરને મોકલી આપ્યા છે અને આ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બંનેમાં જાણ કરી છે. બંને મીડિયા પર આ અંગેનું કવરેજ મેં ધ્યાનપૂર્વક વાંચ્યું છે અને જોયું છે.
૧૦મી માર્ચે તેમણે મને પત્ર પણ લખ્યો છે અને સ્પીકરને રાજીનામું આપતી વખતે વિધાનસભ્યોએ સુરક્ષાની પણ માગ કરી છે. આર્ટિકલ ૧૭૪ અને ૧૭૫ (૨) હેઠળ હું નિર્દેશ આપું છું કે વિધાનસભાનું સત્ર ૧૬ માર્ચે ૧૧ કલાકે મારા અભિભાષણથી ચાલુ કરવામાં આવશે અને તે પછી એકમાત્ર કામ વિશ્ર્વાસના મત પર મતદાન કરવાનું રહેશે. ડિવિઝન પ્રક્રિયા દ્વારા વિશ્ર્વાસનો મત લેવાનો રહેશે અને વિધાનસભાએ સ્વાયત્ત પ્રક્રિયા દ્વારા સમગ્ર કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે. કમલનાથની ભલામણને આધારે અને સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા હોવાના આધારે છ પ્રધાનોની હાકલપટ્ટી કરી હતી જેનો ગવર્નરે ઉલ્લેખ કર્યો હતો. તમે તમારા ૧૩ માર્ચના પત્રમાં લખ્યું હતું કે ફ્લોર ટેસ્ટ માટે તમે તૈયાર છો અને ભાજપ પાસેથી પણ આ અંગે મને પત્ર મળ્યો છે. ઉપર જણાવેલી હકીકતોને આધારે પ્રથમદર્શી નજરે હું માનું છું કે તમારી સરકારે વિશ્ર્વાસનો મત ગુમાવ્યો છે અને લઘુમતીમાં આવી ગઇ છે. આથી મારા અભિભાષણ પછી તમારે વિધાનસભામાં વિશ્ર્વાસનો મત લેવો જરૂરી છે.
ટોક્યો ઑલિમ્પિક્સની જ્યોત પ્રજવળીત
જાપાનના ટોક્યોમાં ૨૦૨૦માં રમાનારી ઑલિમ્પિક્સની જ્યોત ગુરુવારે ગ્રીસના પ્રાચીન શહેર ઑલિમ્પિયા ખાતે પૌરાણિક પરંપરા અને વિધિસર પ્રગટાવાઇ હતી.
વિશ્ર્વભરમાં કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ટોક્યોમાં ઑલિમ્પિક્સ યોજાશે કે નહિ તે અંગે હજી શંકા સેવાઇ રહી છે. પૌરાણિક ગ્રીક પહેરવેશમાં સજ્જ એક અભિનેત્રીએ સૂર્યકિરણોનું અંત:ગોળ કાચથી ઝીલીને ઑલિમ્પિક્સની જ્યોત પ્રગટાવી હતી. આ પ્રસંગે દર્શકો પર પ્રતિબંધ મુકાયો હતો.
ટોક્યોમાંની ઑલિમ્પિક્સના આયોજકોને ૧૯મી માર્ચે આ જ્યોત સોંપાશે, પરંતુ તેની પહેલાં ગ્રીસમાં એક અઠવાડિયા સુધી ઑલિમ્પિક્સની મશાલને ફેરવવામાં આવશે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બાચે જણાવ્યું હતું કે ઑલિમ્પિક્સ જ્યોતની જાપાન સુધીની સફર શરૂ થઇ છે. જાપાનના ટોક્યોમાં ઑલિમ્પિક્સનું આયોજન ૨૪મી જુલાઇથી ૯મી ઑગસ્ટ સુધી થવાનું છે. આયોજનના દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં તેને નિર્ધારિત સમયે જ યોજવી કે થોડા મહિના પાછળ મુલતવી રાખવી તે અંગે શંકા સેવાઇ રહી છે. ચીન, જાપાન, ઇટલી, ઇરાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં કોરોના વાઇરસનો ચેપ મોટા પાયે ફેલાયો છે અને તેના દુનિયાભરમાં કુલ એક લાખથી વધુ દરદી છે.
એશિયન ચૅમ્પિયન પૂજા રાની (૭૫ કિલોગ્રામ)એ થાઈલૅન્ડની પૉર્નિપાને હરાવી કૉન્ટિનેન્ટલ ક્વાલિફાયરની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને એ સાથે જ તે આ વરસે યોજાનારી ટોક્યો ઑલિમ્પિક્સ માટે ક્વાલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.
ચૌથી ક્રમાંકિત ૨૯ વર્ષની પૂજા રાનીએ ૧૮ વર્ષની પ્રતિસ્પર્ધીને ૫-૦થી પરાજય આપ્યો હતો અને ચંદ્રક મેળવવાની સાથેસાથે ટૉકિયો ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી.
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ એમાં અજેય રહીને સેમિફાઈનમાં પ્રવેશનારી ભારતીય ટીમને જેકપોટ મળ્યો છે. વરસાદને પગલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીડની ખાતેની સેમિફાઈનલ મેચ ધોવાઈ જતા ભારતને એડવાન્ટેજ મળ્યો છે અને તે ફાઈનલમાં પહોંચ્યું છે.
વરસાદને પગલે ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ઓફિશિયલ્સે એકપણ બોલ ફેંક્યા વગર મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈસીસી દ્વારા રિઝર્વ ડે નહીં રાખવામાં આવતા ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાયો હતો. ઈંગ્લેન્ડની ટીમ રમ્યા વગર સેમિફાઈનલમાંથી બહાર થઈ જતા ખેલાડીઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.
છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા ધોનીએ મેદાન પર આવવાની તૈયારીઓ કરી દીધી છે. આ વખતે મહેન્દ્રસિંહ ધોની નવી હેરસ્ટાઈલ સાથે આવી ગયો છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પણ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. એટલે કે હવે મહેન્દ્ર સિંહ ધોની IPL-2020માં ધૂમ મચાવવા માટે તૈયાર છે.
ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી
તેમણે સ્વાગતનો વીડિયો પણ અપલોડ કર્યો છે. ધોનીની કેપ્ટનસીમાં CKSએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી છે. ગત વખતે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સથી હાર મળી હતી.
ધોનીનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં ચેન્નીની તરફથી 160 મેચોમાં 44.34નાં સ્ટ્રાઈક રેટથી 3858 રન બનાવ્યા છે.
ધોનીની આગળ ફ્કત સુરેશ રૈના છે, જેમણે 164 મેચોમાં 33.28નાં સ્ટ્રાઈક રેટથી 4527 રન બનાવ્યા છે.
ગત વર્ષે જૂન-જુલાઈમાં ICC વર્લ્ડ કપ પછી 38 વર્ષનાં ધોનીનાં રમતનાં ભવિષ્યને લઈને સતત અટકળોનો સમય હતો.
CSK vs MI વચ્ચે 29મી માર્ચે મેચ
હવે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આગમી IPL માટે એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં અભ્યાસ સત્રનો ભાગ હશે.
આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચનાં રોજ મુંબઈમાં ટક્કર થશે.
સીએસકેનાં સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે ધોની તમામ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે, જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચે શરૂ થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.