વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.
Symbolic photo of recovery
દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.
અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
વિશ્વમાં કુલ 155,965
ભારતમાં કુલ 1000
ગુજરાતમાં કુલ 02
કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ
વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.
હાલના એક્ટીવ કેસ
હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.
ગર્ભાવસ્થાના અંતિમ દિવસ સુધી કોરોનાની ઇન્ડીયન ટેસ્ટીંગ કીટ વિકસાવવા કામ કર્યું : કીટને મંજૂરી મળીને બીજા દિવસે પુત્રીને જન્મ આપ્યો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
પૂણા ખાતે સ્થિત ભારતની સૌથી મહત્વની લેબોરેટરીમાં ફરજ બજાવતા મિનલ દાખવે ભોંસલે નામની મહિલાએ પોતે ગર્ભાવસ્થામાં હોવા છતાં કોરોના વાયરસની તપાસ માટેની એવી કિટ તૈયાર કરી છે જે વિદેશી કિટની સરખામણીમાં ખૂબ જ સસ્તી છે.
देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
ખાસ વાત એ છે કે મીનલ દાખવે ભોંસલે નામની મહિલાએ તેની પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ જઇ રહ્યા હોવા છતાં દેશ માટે આ કિટ પર કામ કર્યું અને એનું પરીણામ લાવીને રહ્યા.
દેશની આ પહેલી કોરોના વાયરસ ટેસ્ટિંગ કિટ છે જે કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવશે.
વાયરોલોજિસ્ટ મીનલે પૂનાની એક ડાયગ્નોસ્ટિક ફર્મ માઈલેબ ડિસ્કવરી સોલ્યુશન્સના પ્રોજેક્ટ પર ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રેગ્નેન્ટ હતા અને ગત અઠવાડિયે જ બાળકીને જન્મ આપ્યો છે. મીનલે જણાવ્યું કે આ જરૂરી હતું, મેં એક પડકારના ભાગરૂપે આ કિટ તૈયાર કરી છે.
મિનલ દાખવે તેમની ટીમના તમામ 10 સભ્યોએ કઠિન પરિશ્રમ કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. તેમણે તૈયાર કરેલી ટેસ્ટિંગ કિટને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ને તારીખ 18 માર્ચના દિવસે સોંપવામાં આવી હતી. અને તેના એક દિવસ પછી મીનલ દાખવેએ બાળકીને જન્મ આપ્યો હતો.
દેશી ટેસ્ટિંગ કીટ કેમ વિદેશી કીટથી બહેતર છે વાંચો અહીં
મિનલ દાખવે અને તેમની ટીમે તૈયાર કરેલી કોવીડ-19 ટેસ્ટીંગ કીટ ફક્ત અઢી કલાકમાં ટેસ્ટિંગનું રિઝલ્ટ આપે છે જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગ માટે 6થી 7 કલાકનો સમય લાગે છે. દરેક માઈલેબ કિટથી 100 સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે અને તપાસ માટેનો ખર્ચ 1200 રૂપિયા થાય છે. જ્યારે વિદેશી કિટમાં ટેસ્ટિંગનો ખર્ચો 4500 રૂપિયા થાય છે. માઈલેબ ડિસ્કવરી સૉલ્યુશન્સની પાસે દરરોજ 15 હજાર ટેસ્ટિંગ કિટ તૈયાર કરવાની ક્ષમતા છે.
देश का पहला कोरोना टेस्टिंग किट बनाने वाली महिला जिन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में भी किया काम
देश का पहला कोरोना टेस्टिंग किट मार्केट में आ चुका है
पुणे की वायरॉलजिस्ट मीनल दाखवे भोंसले ने कमाल कर दिखाया
उन्होंने प्रेग्नेंसी के आखिरी दिनों में प्रॉजेक्ट पर काम किया और डेडलाइन मीट की
अब हर दिन 15 हजार किट तैयार हो रहे हैं जो विदेशी किट के मुकाबले किफायती हैं
कुछ करने का जज्बा हो तो मुश्किलें हल हो जाती हैं। मिनल दाखवे भोंसले ने जो कर दिखाया है, उसे जानकर तो यह फिर से साबित हो रहा है। उन्होंने कोरोना वायरस की जांच के लिए ऐसा किट तैयार किया जो विदेशी किट के मुकाबले बेहद सस्ता है। खास बात यह है कि मीनल ने अपनी प्रेग्नेंसी के आखिरी महीनों में इस किट पर काम किया। देश का यह पहला टेस्टिंग किट कोरोना के खिलाफ लड़ाई में बड़ी भूमिका अदा कर सकता है।
वायरॉलजिस्ट मीनल ने पुणे के एक डायग्नोस्टिक फर्म माइलेब डिस्कवरी सोल्युशन्स के प्रॉजेक्ट पर फरवरी में काम शुरू किया था। वह प्रेग्नेंट थीं। पिछले हफ्ते ही उन्हें बच्ची हुई। उन्होंने कहा, ‘यह जरूरी था, इसलिए मैंने इसे चुनौती के रूप में लिया। मुझे अपने देश की सेवा करनी है।’ उन्होंने बताया कि उनकी टीम के सभी 10 सदस्यों ने कठिन परिश्रम किया है। प्रॉजेक्ट पूरा होने पर टेस्टिंग किट नैशनल इंस्टिट्यूट ऑफ वायरॉलजी (NIV) को 18 मार्च को सौंप दिया गया और अगले दिन ही मीनल को बेटी हुई।
ગુજરાતમાં કોરોના 58 કેસો બાદ એક રાહતના સમાચાર એ મળ્યા છે કે અમદાવાદની એક મહિલા પેશન્ટ કોરોનાથી સંપૂર્ણ મુક્ત થઇને અમદાવાદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમદાવાદમાં સામે આવેલા કોરોના વાયરસની પહેલી દર્દીને SVP હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ફિનલેન્ડથી આવેલી યુવતીને 18મી માર્ચે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.
સૂરત માટે પણ રાહતના સમાચાર એ છે કે લંડનથી આવેલી સૂરતની યુવતિ કે જેનો ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ હતો એનો પણ પહેલો નેગેટીવ ટેસ્ટ આવી ચૂક્યો છે. હવે સૂરતની આ યુવતિનો 24 કલાકમાં દ્વિતીય ટેસ્ટ નેગેટિવ આવશે એટલે તેને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો નિયમ છે કે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દીના ચોવીસ કલાકમાં બે ટેસ્ટ નેગેટીવ આવે તો તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાનો રહેશે.
અમદાવાદની હોસ્પિટલે ફેસબુક વોલ પર આપી માહિતી, ક્લીક કરો લિંક
હાલમાં સમગ્ર દુનિયા જ્યારે કોરોના વાઇરસ સામે એક થઇને લડી રહી છે ત્યારે ભારતમાં કેટલાક લોકો રાજનીતિ કરી રહ્યા છે. મોદી સરકારની ટીકાઓ કરવાવાળા આ સમયમાં પણ ઓછા નથી. અહીં એ હકીકત દર્શાવી રહ્યા છે કે ભારત સરકારે છેક જાન્યુઆરીથી નોવેલ કોવીડ-19 વાઇરસને ભારતમાં અટકાવવા માટે પગલાંઓ ભરવાના શરૂ કરી દીધા હતા. જેમ જેમ સમય આવ્યો તેમ તેમ ભારતે આંતર રાષ્ટ્રીય સીમાઓ પર પ્રવેશ રિસ્ટ્રીક્ટ કર્યા હતા. વાંચો અહીં તારીખવાર ભારતે કોવીડ19ને અટકાવવા ભરેલા શ્રેણીબદ્ધ પગલાઓની તવારીખ
નીચે પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં તલોદના પૂંસરી ગામ ખાતે દરજી પરિવારમાં યોજાયેલા બેસણાંની છે. દરજી પરિવારના મોભીનું નિધન થતાં પરિવારજનોએ બેસણાની વિધી માટે ડિજિટલ બેસણું રાખ્યું હતું. ખુદ મૃતકના મુંબઇ રહેતા પુત્રએ પણ પિતાને ડિજીટલ શ્રદ્ધાંજલિ આપી હતી. પુત્ર પાસે કોઇ છુટકો ન હતો કે એ લૉકડાઉન વચ્ચે ગામમાં પહોંચી શકે. બનાસકાંઠાના ભીલોડાના પૂંસરી ગામના દરજી પરિવારના આ પગલાંને વિશ્વભરમાં બિરદાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતની પહેલું ડિજિટલ વિલેજ ગણાય છે બનાસકાંઠાના તલોદનું પૂંસરી ગામ
કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખ્યું હતું.
દેશમાં સૌ પ્રથમ સ્માર્ટ વિલેજ પુંસરીમાં કોરોનાની મહામારી વચ્ચે બુધવારે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી બેસણું રાખવામાં આવે તો દુ:ખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી.આઈ.ડીનો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વિડીયો કોન્ફરન્સથી યોજ્યું હતું, જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી. ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુ:ખદ પરિસ્થિતિમાં લોક ડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જો ભાઇ લૉકડાઉનથી તકલીફ તો રે’વાની, પણ સૌથી મોટો ફાયદો સૂરતીઓને મળી રહ્યો છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સૂરત શહેર અને જિલ્લાને લૉકડાઉનથી સૌથી મોટો ફાયદો એ મળી રહ્યો છે કે ગઇ તા.22મીથી લગભગ મોટા ભાગે વ્હીકલ મૂવમેન્ટ બંધ થઇ ગઇ છે. 72 કલાક દરમિયાન વાહનોની અવરજવર સૂરતના માર્ગો પર 90 ટકા જેટલી ઘટી છે અને તેનો સીધો ફાયદો સૂરતના વાતાવરણને થયો છે. એક સમયે દિવાળીના દિવસોમાં સૂરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) 400ને પાર પહોંચી ગયો હતો ત્યાં આજે તા.26મી માર્ચ 2020ની સવારે 10.10 કલાકે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ કરાયેલી સૂરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની માહિતી મુજબ સૂરતના વરાછા વિસ્તારમાં મૂકાયેલા પ્રદૂષણ માપક યંત્રમાં 96 એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) દર્શાવી રહ્યો છે. જે સૂરતનું વાતાવરણ સંતોષકારક હોવાનું જણાવે છે.
છેલ્લા 24 કલાકના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) નો ગ્રાફ
સૂરત મહાનગરપાલિકાએ વરાછા અને લિંબાયત વિસ્તારમાં હવા માપક યંત્રો મૂક્યા છે. જે સતત ચોવીસે કલાક સૂરતની એર ક્વોલિટીને મેઝર કરે છે.
લૉકડાઉનથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પણ સિક્કાની બીજી બાજુ સકારાત્મક ફેરફારો પણ આપણા સ્વાસ્થયને ફાયદો થાય એવા છે
લોકડાઉનથી કેટલાક લોકોને મુશ્કેલીઓનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે, પરંતુ કહેવાઈ છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. લોકડાઉનની પણ બીજી બાજુ છે, જે સકારાત્મક છે. ફેક્ટરીઓ, વાહનોની અવર-જવર તેમજ કંસ્ટ્રક્શન કામ વગેરે બંધ થવાના કારણે હવાનું પ્રદૂષણ ઘટ્યું છે. આખો દેશ લોકડાઉન છે તેથી હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે.
દેશના અન્ય મહાનગરોના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની સ્થિતિ
મુંબઈનું AQI લેવલ 53, ચેન્નઈનું 59 અને કોલકાતાનું 50 છે. દેશના અન્ય શહેરોમાં પટનાનું AQI લેવલ 130, રાંચીનું 68, ભોપાલનું 226, જયપુરનું 101, લખનઉનું 116 જ્યારે દહેરાદુનનું AQI લેવલ 126 છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે અને દૈનિક ધોરણે કમાઈને ખાતા પરિવારોની ચિંતા કરતા સંવેદનશિલ સરકાર દ્વારા જેમની પાસે રાશનકાર્ડ છે તેવા મજૂરોને અને ગરીબ કુટુંબોને 1લી એપ્રિલે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, કુટુંબ દીઠ એક કિલો ખાંડ, દાળ તેમજ મીઠું મફત આપવાનો નિર્ણય કરાયો હોવાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
એપ્રિલમાં રેશનિંગની દુકાનોમાં આ 60 લાખ કુટુંબોને તમામ અનાજ તેમજ ખાવા-પિવાની વસ્તુઓનું એક મહિના સુધી મફતમાં વિતરણ કરાશે. રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આશરે 60 લાખ કુટુંબ, સવા ત્રણ કરોડ લોકોને તકલીફ ના પડે તે માટે આ નિર્ણય કરાયો છે તેમ બેઠક બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. 21 દિવસ કામધંધા બંધ થવાથી નાના માણસો અને ગરીબ લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. આ સરકાર આવા લોકોની સમસ્યાને સમજે છે અને અન્ય સહાયતા આપવા પણ વિચારણા કરી રહી છે. જેમ જેમ સરકાર વિચારણા કરી રહી છે તેમ તેમ રાજ્યના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખશે અને ભવિષ્યમાં વધુ સહાયતા અંગે સમયાંતરે જાહેરાત કરાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મોદી સાહેબની કોરોના સામે લડવાની યુદ્ધ જેવી વ્યૂહરચના
Jayesh Brahmbhatt 98253 44944
ભારતમાં કોરોનાને આગળ વધતો અટકાવવા માટે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે યુદ્ધ જેવી જ વ્યૂહરચના ઘડી કાઢી છે. યુદ્ધમાં સૈનિકો લડતા હોય છે, કોરોના સામેના યુધ્ધમાં સિટિઝન્સે લડવાનું છે. સૈનિક જેમ શિસ્તબદ્ધ હોય છે, નિષ્ઠાવાન હોય છે એમ હવે સિટીઝન્સે રવિવારે બતાવવાનું છે કે તેઓ પણ શિસ્તબદ્ધ સૈનિકથી કમ નથી.
ભારતે કોરોના માટે જે પગલાં અત્યાર સુધી ભર્યા છે તેને કારણે જ કોરોના હાલમાં મર્યાદિત બની શક્યો છે
ભારતમાં કોરોના જે ગતિએ આગળ વધી રહ્યો છે જો તેને અટકાવવો હોય તો લોકોની સામૂહિક મૂવમેન્ટ સ્ટોપ કરવી પડે. જો ભારત ને એક દિવસ અટકાવવામાં આવે તો પારાવાર નુકસાન થાય, એટલે મોદી સાહેબ અને તેમની સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો. રવિવારે આમેય બધું બંધ હોય, ફક્ત લોકોની મૂવમેન્ટ અટકે તો પણ કોરોના માટે સ્પીડબ્રેકર સમાન બની રહે રવિવાર. એટલે રવિવારને જનતા કરર્ફ્યુ માટે પસંદ કરવામાં આવ્યો.
આ સિવાય પણ મોદી સાહેબની વ્યૂહાત્મક નીતિ જોઇએ તો તા.22મી માર્ચથી ભારતમાં કોરોના થર્ડ સ્ટેજમાં દેખા દે તેવું પ્રોજેક્શન હતું, એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ 22મીથી એક સપ્તાહ સુધી બેન કરી દીધી છે. એવા તમામ ભયસ્થાનો માનવવિહોણા કરી દીધા છે જ્યાંથી કોરોનાની ચેઇન ભારતમાં આગળ વધી શકે. હવે સિટીઝન્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરવાનું છે કે કોરોનાને સ્ટોપ કરવો છે કે આગળ વધવા દેવો છે. જો કોરોનાને સ્ટોપ કરવો હોય તો આપણે રવિવારે સ્ટોપ થવું પડશે.
જનતા કરફ્યુ છે કે નહીં એ જોવા પણ બહાર નહીં નીકળતા
વિશ્વભરના દેશોમાં જે રીતે કોરોનાએ કહેર મચાવ્યો છે એ જોતા ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સમયસર ભરેલા પગલાં અને ભરવામાં આવી રહેલા પગલાને કારણે કોરોનાને હજુ સુધી અંકુશમાં રાખી શકાયો છે. 130 કરોડથી વધુની વસતિ ધરાવતા ભારતમાં કોરોનાના કેસ 206 સુધી પહોંચી શક્યા છે. આનું કારણ કેન્દ્ર સરકારની વ્યૂહાત્મક નીતિ રહી છે. કેન્દ્રએ એક પછી એક નક્કર પગલાંભર્યા છે. હવે રવિવારે જનતા કરફ્યું પણ વ્યૂહાત્મક યોજનાનો ભાગ છે.
જનતા કર્ફ્યુનું પાલન કરો, સંકલ્પ કરો અને સંયમ રાખો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ માર્ચ, રવિવારે સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી દેશભરમાં ‘જનતા કર્ફ્યુ’ (લોકોએ જાતે રાખેલી સંચારબંધી)ની ગુરુવારે જાહેરાત કરી હતી.તેમણે રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે બે દિવસ પછી એટલે કે રવિવારે દેશભરમાં સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી કોઇએ બહુ જ જરૂરિયાત વિના ઘરની બહાર ન નીકળવું અને ‘જનતા કર્ફ્યુ’નું પાલન કરવું. તેમણે સંકલ્પ અને સંયમની વાત કહી હતી. આપણે સંકલ્પ કરીએ કે આપણે સંક્રમિત થવાથી બચીએ અને અન્યોને પણ બચાવીએ. ભારત અને માનવતા આ યુદ્ધ જીતશે જ એમ મોદી જણાવ્યુંં હતું.
સંયમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે ભીડથી બચવું અને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવું.
વડા પ્રધાને જણાવ્યું હતું કે લોકોએ નિશ્ર્ચિંત બનવાને બદલે સજાગ બનવું જોઇએ. આપણે બધા સંકટનો સાથે મળીને સામનો કરીશું.મોદીએ દેશસેવા કરનારા ડૉક્ટરો, પ્રસારમાધ્યમના લોકો, સરકારી કર્મચારીઓ સહિત લોકોનો આભાર માનવા માટે જનતાને રવિવારે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરના દરવાજા, અગાશી, બારી પાસે ઊભા રહીને તાળી પાડવા તેમ જ થાળી અને ઘંટડી વગાડવા અનુરોધ કર્યો હતો.વડા પ્રધાને સ્થાનિક પ્રશાસનને રવિવારે સાંજે પાંચ વાગ્યે આ માટે સાયરન વગાડવાની સૂચના પણ આપી હતી. મોદીએ ખાનગી કંપનીઓને
કર્મચારીઓ પોતાની કે સગાંની બીમારીના સંબંધમાં હાલમાં ગેરહાજર રહે તો માનવતાને ધ્યાનમાં રાખીને પોતાના કર્મચારીઓનો પગાર નહિ કાપવા સૂચના આપી હતી.
મોદીએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં વિશ્ર્વયુદ્ધની સરખામણીમાં કોરોના વાઇરસના રોગચાળાથી વધુ દેશો પ્રભાવિત થયા છે. અમુક દેશમાં પ્રારંભિક દિવસો બાદ રોગચાળાનો વિસ્ફોટ થયો હતો અને દરદીઓની સંખ્યા અનેક ગણી વધી ગઇ છે.
તેમણે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે ફેલાયેલા રોગચાળાને લીધે દેશની અર્થવ્યવસ્થાને માઠી અસર થઇ છે. અમારી સરકારે કેન્દ્રનાં નાણાં પ્રધાનના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફૉર્સ રચ્યું છે અને તે આર્થિક મુશ્કેલી ઘટાડવા પગલાં લેશે.
મોદીએ જણાવ્યું હતું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. આપણે સ્વસ્થ રહીશું, તો જગત સ્વસ્થ રહેશે. કોઇએ પોતાનું અને અન્ય કોઇનું જીવન જોખમમાં ન મૂકવું. જાહેરમાં ટોળે નહિ વળવું અને કાર્યક્રમો નહિ યોજવા.
તેમણે જનતાને, ખાસ કરીને ૬૦ વર્ષથી મોટી વયની વ્યક્તિને જરૂરિયાત વિના ઘરની બહાર નહિ નીકળવાની વિનંતિ કરી હતી.
મોદીએ જીવનાવશ્યક ચીજોની સંગ્રહખોરી ન કરવા ચેતવણી આપી હતી. આમ છતાં, દેશમાં કેટલાક ઠેકાણે સંગ્રહખોરી થતી અથવા વધુ ભાવ વસૂલ કરવામાં આવતા હોવાનું જોવા મળી રહ્યું છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે યુદ્ધના સમયે ‘બ્લૅક આઉટ’ જેવી સ્થિતિ હોય છે એવી જ વ્યવસ્થા દેશભરમાં ઊભી કરવી જોઇએ અને લોકોએ જરૂરી ન હોય તો ઘરમાં જ રહીને તબિયતનું ધ્યાન રાખવું જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે જનતાને સંકલ્પ સાથે સંયમ જાળવીને પોતાના, આસપાસ રહેતા લોકોના અને સમગ્ર દેશના લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું જોઇએ. ડૉક્ટરોની સલાહ ફૉન પર લેવી અને બિનજરૂરી સર્જરી પણ મુલતવી રાખવી જોઇએ.
મોદીએ જણાવ્યું હતું કે દુનિયામાં હજી સુધી કોરોના વાઇરસની દવા કે રસી શોધાઇ નહિ હોવાથી આપણે બધાએ સતર્ક રહેવાની જરૂર વધુ છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્ર્વની મહાસત્તા ગણાતા દેશો સહિતના અનેક વિકસેલા રાષ્ટ્રમાં રોગચાળો ફેલાયો છે. આગામી થોડા દિવસ દેશની જનતાના આરોગ્ય માટે મહત્ત્વના છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, પરંતુ તેમાં નાગરિકોની ભૂમિકા મહત્ત્વની છે. નાગરિકોએ પોતાની ફરજ અને કર્તવ્યનું પાલન કરવું જોઇએ.
તેમણે એનસીસી, એનએસએસ સહિતના સામાજિક સંગઠનોને આ રોગચાળા અંગે જનતામાં જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ ‘સેવા પરમ ધર્મ’માં માને છે. દુનિયામાં હાલમાં એક દેશ બીજાને મદદ કરી નથી શકતો. આગામી થોડા દિવસમાં નવરાત્રિ શરૂ થવાની હોવાથી આશા રાખીએ કે શક્તિના આ તહેવારમાં આપણો દેશ પૂરી શક્તિ, સંયમ, સંકલ્પ દ્વારા આ રોગચાળાથી બચી જશે અને અન્યને બચાવી લેશે.
કોરોના વાઇરસને ભારતમાં ફેલાતો રોકવા માટ કેન્દ્ર સરકાર રોજેરોજ શ્રેણીબદ્ધ પગલાંઓ ભરી રહી છે. હાલમાં કોરોના વાઇરસ માટેનો ટેસ્ટ કોવીડ-19 દેશમાં 52 લેબોરેટરીમાં કરવામાં આવી રહ્યો છે. આ તમામે તમામ લેબોરેટરી મોટા ભાગે સરકારી મેડીકલ કોલેજોમાં છે. પરંતુ, હવે કેન્દ્ર સરકારે કોવીડ-19 ટેસ્ટ પ્રાઇવેટ એક્રિડીટેડ લેબોરેટરીને કરવા માટે મંજૂરી આપવાની યોજના બનાવી છે અને ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર મંજૂરી આપવામાં આવશે.
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચના ડો.બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર થોડા દિવસોમાં ભારતમાં 52થી વધીને 125 જેટલા સ્થળોએ કોરોના વાઇરસ માટેનો કોવીડ-19 ટેસ્ટ થાય તેવી સગવડ ઉભી થઇ જશે.
તેમણે ઉમેર્યું કે ભારમાં અંદાજે 60 જેટલી પ્રાઇવેટ લેબોરેટરીઝ છે જે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ સાથે એફિલિએટેડ છે. આ લેબોરેટરીઝ કોવીડ-19 ટેસ્ટ કરવા માટે સક્ષમ છે અને તે બાબતનો ઉપયોગ કરવાનું કેન્દ્ર સરકારે વિચારી લીધું છે.
હાલમાં ભારતમાં દૈનિક 5000 સેમ્પલ્સ ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને ભારત હાલ રોજ ફક્ત 50થી 60 સેમ્પલ પર પ્રોસેસિંગ કરી રહ્યું છે. આગામી દિવસમાં જો કોવીડ-19 પ્રોસેસિંગ વધે તો ક્ષમતા વધારવા માટે અત્યારથી જ એડવાન્સમાં પગલાં વિચારી લેવામાં આવ્યા છે.
In English
In keeping with the demand for more testing, the Centre has decided to allow accredited private labs to test for Covid-19. Dr Balram Bhargava, director general of Indian Council of Medical Research – the country’s apex body for health research – confirmed this.
There are 50 to 60 private labs, accredited by the National Accreditation Board for Laboratories, that can do the test, Bhargava said.
At present, only government labs are permitted to do the test. Though their capacity is around 5,000 samples per day, only 60 to 70 samples are being processed daily. This is because current guidelines allow testing only for symptomatic individuals with travel history to affected countries or those in direct contact with an infected individual.
ICMR has a network of 106 Virus Research and Diagnostic Laboratories (VRDLs) across the country. These labs get samples of influenza like illnesses (ILIs) and severe acute respiratory infection (SARI) regularly.
Scientists said 13 of these labs have been testing 20 random samples for Covid-19 periodically since February to see if the novel coronavirus had spread to the community. The experts said all samples have so far tested negative.
મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.
યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.
સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.