CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 9 of 44 - CIA Live

June 9, 2022
nupur-1280x1195.jpg
1min443

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

June 9, 2022
rain_forecast.png
1min404

કેરળમાં નૈર્ઋત્ય મોસમી વાયરાનું આગમન થયા બાદ મોન્સૂન કર્ણાટકના કિનારા પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી ગોવામાં તેનું આગમન થયું હતું. સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં મોન્સૂન દાખલ થશે, એવો હવામાન ખાતાનો અંદાજ જોકે ભૂલભરેલો હતો. હવે ૧૨થી ૧૩મી જૂન દરમિયાન મોન્સૂન દાખલ થશે, એવી નવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. દરમિયાન આગામી દિવસમાં કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ એમ તમામ ઠેકાણે પ્રિ-મોન્સૂન વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તર મહારાષ્ટ્રમાં અમુક જિલ્લાને બાદ કરતાં મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વર્તાવવામાં આવી હતી. મુંબઈ સહિત થાણે, પાલઘર, નંદુરબાર, ધુળે, જળગાંવ, ભંડારા અને ગઢચિરોલીને બાદ કરતાં મહારાષ્ટ્રમાં વરસાદનું મોજું ફરી વળશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. જે ભાગમાં વરસાદ પડવાનો છે ત્યાં હવામાન ખાતાએ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. સંબંધિત જિલ્લામાં બુધવારે સવારથી મોડી સાંજ સુધી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ વરસાદ નહોતો પડ્યો. આથી અહીં ગમે ત્યારે પ્રિ-મોન્સૂન થાય એવો અંદાજ વર્તાઈ રહ્યો હતો. આગામી પાંચ દિવસ આવા જ રહેશે, એવું હવામાન ખાતાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં મોન્સૂનના આગમન માટે પોષક હવામાન તૈયાર થઇ રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ કોંકણમાં અનેક ઠેકાણે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. હવામાનની આ સ્થિતિ મોન્સૂનના આગમન માટે લાભદાયી નીવડશે.

દરમિયાન હવામાન ખાતાએ બુધવારે પુણે સહિત સાંગલી, સાતારા, કોલ્હાપુર, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, બીડ, એહમદનગર, ઔરંગાબાદ, જાલના, નાંદેડ, પરભણી, હિંગોલી, નાશિક, બૂલઢાણા, અકોલા, વાશીમ, યવતમાળ, અમરાવતી, વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લાને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ઠેકાણે મેઘગર્જના સહિત વરસાદ પડવાની શક્યતા છે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

June 1, 2022
kk.jpg
1min489

કોલકાતા ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ ગાયક કેકેનું મંગળવારના રોજ અવસાન થયું છે. 

ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. 

ડોક્ટર્સના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે પરંતુ કેકેના મોઢા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેકેના અપ્રાકૃતિક મૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારની રાહ જોઈ રહી છે. પરિવારની મંજૂરી બાદ અને બોડીની ઓળખવિધિ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કેકેના પત્ની અને દીકરો કોલકાતા પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.તેઓ કોલકાતાના નજરૂલ મંચ પર ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પ્રસ્તુતિ આપી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી. 

કેકે તેમના ‘પલ’ અને ‘યારોં’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. આ ગીતો મોટા ભાગે શાળા અને કોલેજીસના વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે. 

કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ ‘પલ’ની સંગીત સમીક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 2000ના દશકની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિસ્તૃત શૃંખલા રેકોર્ડ કરી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.

June 1, 2022
India-vs-South-Africa.jpg
1min401
India vs SA T20 Series: All you need to know India vs South Africa

ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની પાંચ મેચની ટી-20 શ્રેણી પહેલા નવી દિલ્હી ખાતે તા. પાંચ જૂને એકત્ર થશે. પહેલો મેચ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર તા. 9 જૂને રમાશે.’ દ. આફ્રિકાની ટીમ તા. 2 જૂને ભારત પહોંચશે. આ શ્રેણીમાં દર્શકો માટે સ્ટેડિયમ પ્રવેશનો કોઈ પ્રતિબંધ હશે નહીં. 100 ટકા દર્શકોને પ્રવેશ મળશે. બન્ને ટીમના ખેલાડીઓ માટે બાયો બબલ પણ નહીં હોય, જો કે દરેક ખેલાડીનો નિયમિત કોરોના ટેસ્ટ થશે.

ભારત-આફ્રિકા વચ્ચેની શ્રેણીના બાકીના ચાર મેચ કટક (12 જૂન), વિશાખાપટ્ટનમ (14 જૂન), રાજકોટ (17 જૂન) અને બેંગ્લુરુ (19 જૂન)ના રમાશે. આફ્રિકા સામેની શ્રેણીમાં નિયમિત કપ્તાન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવીન્દ્ર જાડેજા સહિતના કેટલાક સિનિયર ખેલાડીઓને વિશ્રામ અપાયો છે. ટીમનું સુકાન કેએલ રાહુલને સોંપાયું છે.

June 1, 2022
rain_forecast.png
1min413

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.

ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન  વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે.
અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.

દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.

May 31, 2022
Indian-Defence.jpg
1min399

દુનિયાએ વર્ષ 2021માં સેના પાછળ થતાં ખર્ચમાં 0.7 ટકાનો વધારો કર્યો છે. જે હવે વધીને 2113 અબજ ડોલર એટલે કે આશરે 163 લાખ કરોડ રૂપિયા થાય છે. જે પાંચ દેશે પોતાની સેના ઉપર સૌથી વધુ ખર્ચ કર્યો છે તેમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનો સમાવેશ થાય છે.

આ પાંચ દેશે મળીને દુનિયાના કુલ સૈન્ય ખર્ચના 62 ટકા જેટલો ખર્ચ કર્યો છે. વિદેશી નાણાં અને પોતાનાં શત્રોનાં જોરે હાકલા કરનારા કંગાળ પાકિસ્તાનને આમાં ક્યાંય જગ્યા મળી નથી. પાકિસ્તાને ગત વર્ષે પોતાનાં રક્ષા બજેટમાં 6 ટકાનો વધારો કર્યો હતો. જે વધીને 8.8 અબજ ડોલર એટલે કે 68,227 કરોડ રૂપિયા થાય છે. ભારતની તુલનામાં આ ખૂબ જ ઓછી રકમ છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયુટ(સિપ્રી) દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં જાણવા મળે છે કે, કોરોનાકાળનાં બીજા વર્ષે પણ વિભિન્ન દેશોએ પોતાનાં સંરક્ષણ ખર્ચ વધાર્યા છે. છેલ્લાં સાત વર્ષથી સતત દુનિયાનો સંરક્ષણ ખર્ચ વધી રહ્યો છે.

વર્ષ 2021માં અમેરિકાએ પોતાની સેના પાછળ 801 અબજ ડોલર એટલે કે 62.13 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરેલો. ત્યારબાદ ચીને 293 અબજ ડોલર એટલે કે 22.72 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ત્રીજાં સ્થાને રહેલા ભારતે 76.6 અબજ ડોલર એટલે કે આશરે પ.94 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. રશિયાએ 6પ.9 અબજ ડોલર-આશરે પ.11 લાખ કરોડ રૂપિયા જેટલો રક્ષા ખર્ચ કર્યો છે.

May 29, 2022
government_gujarat_gandhinagar.jpg
1min329

ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવા માટે મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, આગામી તા. 31 મેના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હતો. ત્યારે હવે સરકારે તેમને 31મી જાન્યુઆરી 2023 સુધીનું એક્સટેન્શન આપ્યું છે. આમ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સમાપ્તિ સુધી ગુજરાત પોલીસના વડા તરીકે કાર્યરત રહેશે.

આ સાથે જ સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી છે જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. તેઓ 1986ની બેંચના IAS અધિકારી છે. 

1985ની બેંચના IPS અધિકારી આશિષ ભાટિયાની તા. 31 જુલાઈ 2020ના રોજ રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું તે કારણે પોલીસ તંત્રમાં તથા તેમના શુભેચ્છકોમાં આનંદ પ્રસર્યો છે. 

ગત તા. 31મી જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકેના પદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી હતી. 

May 29, 2022
rrgt.jpg
1min362
IPL 2022 Live Cricket Scores, News, Stats, Schedules, Results, Highlights,  Photos, Videos – NDTV Sports

આઈપીએલની આજે Dt. 29/5/22 Ahmedabad રમાનારી ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. બે મહિના અગાઉ આઈપીએલ શરૂ થઈ ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે આઈપીએલની ફાઈનલમાં ટોસ ઉછાળવા જનારા બે કૅપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન હશે. 

ગુજરાત ટાઈટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને વડા કોચ આશીષ નહેરા માટે ફાઈનલ સુધીની આ સફર અદ્ભુત રહી છે કેમ કે ઑક્શન અગાઉ નિષ્ણાતો સહિત અનેક લોકોએ ગુજરાત ટાઈટન્સની ટીમને આશાવિહોણી લેખાવી હતી. 
પેપર આ ટીમ સારી નહોતી જણાઈ. શારીરિક રીતે ફરી સજ્જ થઈ ગયેલા હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્ત્વ સંભાળી લીધું હતુું અને ભારતીય ક્રિકેટ માટે તે શા માટે ઍસેટ છે તે દર્શાવી દીધું હતું.

સતત પાંચ વર્ષ નિષ્ફળ રહેલા મિલરે પણ આ વખતની આઈપીએલમાં ર્સુંદર પ્રદર્શન કરી તમામ લોકોને આશ્ર્ચર્ય ચકિત કરી દીધા હતા. ટેવટિયાએ પણ પુરવાર કરી દીધું હતું કે શારજાહમાં ફટકારેલી પાંચ સિક્સર એ માત્ર 
જોગાનુજોગ નહોતો. 

ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણેના ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિમાં ફાઈનલમાં વિજય મેળવી ઈતિહાસ રચવાના પ્રયાસ કરશે તો રાજસ્થાન રોયલ્સની ટીમ વિજય મેળવીને ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શૅન વૉર્નને અંજલિ આપશે. 
રવિન્દ્ર જાડેજા, દિનેશ સાલૂંખે, સ્વપ્નીલ અસનોડકર અને નિરજ પટેલ જેવા ખેલાડીઓની મદદથી શૅન વૉર્ન સૌથી નબળી ટીમને ટુર્નામેન્ટમાં વિજય સુધી દોરી ગયો હતો. 

દેશ માટે ૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોવા છતાં સંજુ સૅમ્પસન મોટો ચાહક વર્ગ ધરાવે છે. સંજુની બૅટિંગમાં પણ જોઈએ એવું સાતત્ય જોવા નથી મળતું, પરંતુ કૅપ્ટન તરીકેની તેની ક્ષમતા વખાણવા લાયક છે. 
ફાઈનલમાં વિજય મેળવવા બંને કૅપ્ટન કેવો વ્યૂહ અપનાવે છે તે આપણને આવનારાં ૨૪ કલાકમાં જાણવા મળશે. 

ટીમ ગુજરાત ટાઈટન્સ: 

હાર્દિક પંડ્યા (કૅપ્ટન), અભિનવ મનોહર, ડૅવિડ મિલર, ગુરકેરાત સિંહ, બી. સાંઈ સુદર્શન, શુભમન ગીલ, રાહુલ ટેવટિયા, વિજય શંકર, મૅથ્ય વૅડ, રહમાનુલ્લાહ ગુરબાઝ, રિદ્ધિમાન સાહા, અલ્ઝારી જૉસેફ, દર્શન નાલકંડે, લૉકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, નૂર અહમદ, પ્રદીપ સંગવાન, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર, વરુણ આરોન, યશ દયાલ.

રાજસ્થાન રોયલ્સ: 

સંજુ સેમસન (કૅપ્ટન), જૉ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્ર્વિન, ટ્રૅન્ટ બૉલ્ટ, શિમરોન હૅટમાયર, દેવદત્ત પકીક્કલ, પ્રસિધ ક્રિષ્ણા, યઝુવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કે. સી. કેરિઅપ્પા, નવદીપ સાઈની, ઑબેદ મૅકોય, અનુનય સિંહ, કુલદીપ સેન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બારોકા, કુલદીપ યાદવ, શુભમ ગરવાલ, જૅમ્સ નૅશામ, નાથન કાઉલ્ટર-નિલ, રાસિ વૅન ડૅર દસન, ડૅરિલ મિશેલ, કૉર્બિન બૉસ્ચ.

May 29, 2022
handicraft.jpg
1min333

યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા વિકસિત દેશોમાં, કોવિડ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા વિશેષ ભથ્થાઓએ જોધપુરમાંથી હસ્તકળાની નિકાસમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જોધપુરથી હસ્તકળા નિકાસ લગભગ રૂ. ૫૫૦ કરોડથી ૧૭.૫ ટકા વધીને રૂ. ૩,૭૦૦ કરોડ 
થઈ છે.

૨૦૨૦-૨૧માં રાજસ્થાનના આ શહેરમાંથી રૂ. ૩,૧૫૦ કરોડના હસ્તકળાની નિકાસ કરવામાં આવી હતી. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ’ના ડેટા અનુસાર, છેલ્લા ૫ાંચ વર્ષમાં જોધપુરમાંથી હેન્ડીક્રાફ્ટની નિકાસમાં રૂ. ૮૦૦ કરોડથી વધુનો વધારો થયો છે. આ દરમિયાન વિદેશ જતા ક્ધટેનરની સંખ્યા દર વર્ષે છ હજાર વધીને ૩૪,૮૯૭ થઈ હતી, જે ૨૦૨૦-૨૧માં ૩૦,૧૫૬ હતી. ૨૦૨૦-૨૧ સિવાય નિકાસમાં સતત વધારો થયો છે, ૨૦૨૦-૨૧માં કોવિડ લોકડાઉનને કારણે નિકાસ એકમો બંધ રહ્યા હતાં.

આગામી વર્ષમાં નિકાસ વધવાનો આશાવાદ હસ્તકળા એસોસિએશને વ્યક્ત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન દેશોમાં કોવિડ ભથ્થુ તેમજ બેરોજગારી ભથ્થુ વધતાં લોકોએ ઘરની સજાવટ પાછળ ખર્ચ વધાર્યો છે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ હસ્તકળા ઉદ્યોગને થઈ હતી. તે દરમિયાન ૪૦ ટકા લોકોની રોજગારી છીનવાઈ હોવાનો અંદાજ છે.

હસ્તકળાની નિકાસ વધવા પાછળના ૩ મુખ્ય કારણો જોઇએ તો વર્ક ફ્રોમ હોમ કોવિડમાં બહાર જવા પર પ્રતિબંધ હતો અને બજારો બંધ હતા. આવી સ્થિતિમાં ઘરેથી કામ કરતા લોકોએ ફર્નિચર અને ડેકોરેશન પર વધુ ધ્યાન આપ્યું, કોવિડ ભથ્થું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં કોવિડ ભથ્થું આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ ઘરની સજાવટ પર ખર્ચો વધાર્યો અને વેપાર યુદ્ધ વેપાર યુદ્ધના કારણે ચીનથી અમેરિકામાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, અમેરિકાના મોટાભાગના ઓર્ડર ભારતમાં શિફ્ટ થયા છે. 

આ કારણોસર હસ્તકલાની નિકાસમાં વધારો થયો છે. ક્ધટેનરની અછત અને મોંઘવારી મોટા પડકારો છે. હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટમાં અચાનક વધારો થયો છે. ચીન-અમેરિકા વેપાર યુદ્ધ પણ તેનું એક કારણ હતું. જો કે, તેમાં વધુ વધારાનો આશાવાદ હતો. પરંતુ ક્ધટેનરની અછતની સમસ્યાઓના કારણે તેમાં વૃદ્ધિ અટકી હતી. 

May 26, 2022
post.jpg
1min331

બચત ખાતેદારો માટે 31 મેથી આરંભ : બેંકથી પોસ્ટ ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે

જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ હોય તો તમારા માટે ખાસ અને જરુરી ખબર છે. 31 મે થી સરકાર પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે.

Post Offices will avail NEFT/RTGS Facility soon | POSB Customers will soon  avail NEFT/RTGS Services - Postalstudy | Post Office Blog | Study Materials  for | Postal Exams | Latest Postal News

આ સુવિધા હેઠળ પોસ્ટ ઓફિસના ગ્રાહક નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો પોતાની ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા દ્વારા અન્ય બેંકોથી પોસ્ટ ઓફિસ ખાતામાં નાણાં પણ મોકલી શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરી પોસ્ટના તમામ બચત ખાતેદારો માટે નવી સુવિધા અંગે માહિતી આપી છે. એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ : 10 હજાર સુધીની લેણદેણ માટે રુ.ર.પ0 + જીએસટી, 10 હજારથી ઉપર રુ.1 લાખ સુધીની લેણદેણમાં રુ.પ + જીએસટી, રુ.1 લાખથી વધુ અને રુ.ર લાખ સુધીની લેણદેણ માટે રુ.1પ +જીએસટી, ર લાખથી વધુ અને મહત્તમ મર્યાદાથી વધુ નહીં માટે રુ.રપ + જીએસટી.