વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મહામારીમાં સારા સ્વાસ્થ્યની આશા સાથે દીપ પ્રગટાવવા કરેલાં આગ્રહનું તા.5મી એપ્રિલ 2020ના રોજ કરવામાં આવેલું Tweet ટ્વીટ ભારતીય રાજકારણમાં સૌથી વધુ વખત રીટ્વીટ થયેલું Retweet ટ્વીટ છે. ટ્વિટર દ્વારા આ અંગે આધિકારીક રીતે ઘોષણા કરવામાં આવી છે.
ટ્વિટર ઈન્ડિયાનાં મેનેજીંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીનાં કહેવા અનુસાર જે પ્રકારનું આ વર્ષ રહ્યું તેમાં ટ્વિટર ઉપર વાર્તાલાપ પણ અદ્દભૂત રહ્યો છે. આ વૈશ્વિક મહામારી વિરુદ્ધથી લઈને ઉત્સવોની ક્ષણોમાં આનંદ, મહામારીથી પ્રભાવિત સમુદાયો માટે ઉભા થવા સહિતની બાબતો ખૂબસૂરતી સાથે બહાર આવી છે.
આ વર્ષ દરમિયાન માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ઉપર અગ્રિમ હરોળનાં કાર્યકરો માટે આભારની ભાવના પણ જોરશોરથી દેખાઈ હતી. તબીબો અને શિક્ષકો માટે કૃતજ્ઞતા દેખાડતા ટ્વીટની સંખ્યામાં આશરે 20 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આવી જ રીતે સુશાંત સિંહ રાજપૂતને અંજલિથી લઈને હાથરસકાંડની નિંદાનાં ટ્વીટ પણ મોટાપાયે થયા હતાં.
આગામી મંગળવાર તા1લી ડિસેમ્બર 2020થી ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં થઇ રહેલા એક નોંધપાત્ર સુધારામાં ભારતમાં ઇ-પેમેન્ટના સૌથી વધુ વ્યવહારો જેમાં થઇ રહ્યા છે એ RTGS (Real time gross settlement) 24 કલાક ઉપલબ્ધ બનશે.
રિઝર્વ બેંકેના સૂત્રોના જણાવ્યા અનુસાર RTGS (Real time gross settlement) આરટીજીએસ ટ્રાંઝેક્શન સુવિધા 1 ડિસેમ્બર 2020થી 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે. કોરોના યુગમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકે આ નિર્ણય લીધો છે. અગાઉ આરબીઆઈએ NEFTના નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. હાલના નિયમો મુજબ બીજા અને ચોથા શનિવાર સિવાય મહિનાના તમામ કામકાજના દિવસોમાં સવારે 7થી સાંજનાં 6 સુધી આરટીજીએસની સહાયથી ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.
NEFT is used for fund transfers of up to ₹2 lakh.
NEFT and Immediate Payment Service (IMPS) are already available 24×7.
RTGS fund transfer happens on a real-time basis. Every transaction is settled individually in case of RTGS.
NEFT was made available 24×7 last year. But these fund transfer modes are generally used by individuals.
આ ડિવાઇસને ચહેરા પર પહેરવામાં આવે છે. ત્યાર બાદ તે શરીરમાં હાડકાઓનાં કંપનની મદદથી મગજમાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી મેળવે છે. કોમ્યુકેશનમાં મુશ્કેલી અનુભવતા લોકો માટે હેડફોનની જેમ પહેરાતું આ ડિવાઇસ વરદાન રૂપ સાબિત થઈ શકે છે. સેરિબલ પાલ્સીના દર્દીઓ તેનાં માધ્યમથી કોઈ શબ્દ વિના જ કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. એવો દાવો કરાયો છે કે આ ડિવાઇસની મદદથી મગજમાં ચાલી રહેલી બાબતોને વાંચી-સાંભળી શકાય છે અને તેને કોમ્પ્યુટર કે મોબાઇલ ફોનનાં માધ્યમથી બતાવી શકાય છે. આ ડિવાઇસ લોકોને સમજવામાં 9ર ટકા કારગર હોવાનું કહેવાય છે.
એમઆઇટીની વેબસાઇટ પર લખવામાં આવેલા આ સંશોધનનો હેતુ બોલી ન શકતા લોકોને સંચારમાં મદદરૂપ થવાનો છે. તેમાં માનવ અને કોમ્પ્યુટરને સાંકળવાની ક્ષમતા છે. ડિવાઇસની મદદથી ચેસ રમી તેના નિષ્ણાત બની શકાય છે. મશીનમાં માનવ નિર્ણય લેવામાં વધારો કરવાની ક્ષમતા છે.
અર્નવ તેનો ભાઈ શ્રેયસ અને એમઆઇટી મીડિયા લેબના સાથી સંશોધકો દ્વારા ડિઝાઇન કરાયેલા હેડસેટ ઓલ્ટરએગોએ પ્રેકિટલ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરે સમિતિ સમક્ષ લેખિતમાં માફીનામું રજુ કર્યું છે અને આ મહિનાના અંત સુધીમાં પોતાની ભૂલ સુધારવાનું વચન આપ્યું છે.
આ માફીપત્ર પર અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના ચીફ પ્રાઇવસી ઑફિસર ડેમીયન કેરીયને સહી કરી છે. લેખીએ જણાવ્યું હતું કે એમણે પોતાના માફીપત્રમાં જણાવ્યું છે કે ભારતના લોકોની ભાવના દુભવવા બદલ તેઓ દિલગીર છે અને ૩૦મી નવેમ્બર સુધીમાં પોતાની ભૂલ સુધારી લેશે.
લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના સીઇઓ જેક ડોરસીને મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં ટ્વિટરને ઠપકારતા જણાવાયું હતું કે આવા કૃત્યને દેશદ્રોહનો ગુનો ગણવામાં આવે છે અને એમની પાસેથી માફી માગતો જવાબ શપથપત્રના રૂપમાં જવાબ તરીકે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
લદાખ મામલે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતાવાળી ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનિધિએ માફી માગી હતી, પણ એમને સભ્યોએ જણાવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય પર સવાલ કરતો આ ક્રિમિનલ ગુનો છે અને આ મામલે એની માર્કેટિંગ કંપની ટ્વિટર ઇન્ડિયા પાસેથી નહીં, પણ ટ્વિટર ઇન્ક.એ પોતાની ભૂલ શપથપત્ર પર લખીને આપવી પડશે. ભારતનો નકશો અયોગ્ય અને ખોટી રીતે દર્શાવવો એ રાજદ્રોહ છે અને એ માટે સાત વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે.
તાજેતરમાં ૯ નવેમ્બરના રોજ લેહને લદાખને બદલે જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો બતાડવા બદલ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વિટરને નૉટિસ ફટકારી હતી.
પબજી એક નવા અવતારમાં ભારતમાં પરત આવશે. સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરશને ગુરુવારે આ જાહેરાત કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય માર્કેટમાં નવી ગેમ લઈને આવી રહી છે, જેને માત્ર ભારત માટે બનાવાઈ છે. આ વખતે ચીનની કંપની સાથે કંપનીની કોઈ ભાગીદારી કરશે નહીં.
પબજી કોર્પોરેશનની પેરેન્ટ કંપની ક્રાફ્ટન ઇન્કોર્પોરેશને ભારતમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રોકાણ કોઈ કોરિયન કંપની દ્વારા કરવામાં આવનારું સૌથી મોટું રોકાણ હશે. કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે પબજી કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં પરત આવશે.
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પબજી ભારતમાં પબજી મોબાઇલ ઈન્ડિયા લોન્ચ કરશે. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે નવી ગેમ ક્યારે લોન્ચ થશે. કંપનીના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આની સાથે જોડાયેલી જાણકારી ટૂંક સમયમાં જ જણાવાશે. કંપનીએ ભારતીય યુઝર્સને સિક્યોરિટી અને સારી ગેમ પ્લેનું સારું ઓપ્શન આપવાનો દાવો કર્યો છે.
પબજી કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે કંપની આ રોકાણ લોકલ વીડિયો ગેમ, ઈ-સ્પોર્ટ્સ મનોરંજન અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં કરશે, સાથે કંપની ૧૦૦થી વધારે કર્મચારીઓની ભરતી કરશે. લોકલ ઓફિસ પણ તૈયાર કરાશે.
પબજી વિશ્ર્વમાં ડાઉનલોડ થનારી ગેમ્સના લિસ્ટમાં ટોપ-ફાઇવમાં છે. સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં ૭૩ કરોડથી વધારે વાર ડાઉનલોડ કરાઈ છે. એમાંથી ૧૭.૫ કરોડ એટલે કે ૨૪ ટકા વાર ભારતીયોએ ડાઉનલોડ કરી છે. આ હિસાબે પબજી રમનાર દરેક ચારમાંથી એક ભારતીય છે. એટલું જ નહીં, ગેમિંગની દુનિયામાં તે સૌથી વધારે રેવન્યુ કમાનારી ગેમ છે.રિપોર્ટ મુજબ અત્યાર સુધી પબજી ત્રણ અબજ ડોલર એટલે કે ૨૩ હજાર ૭૪૫ કરોડ રૂપિયાની રેવન્યુ કમાઈ ચૂકી છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.
NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.
ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.
જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે
National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.
How to Make a Payment Using WhatsApp In-Chat Payment?
To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.
Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):
Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon
Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions
Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.
Features and Benefits of WhatsApp In-Chat Payment
Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature
ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.
તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’
દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?
મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.
પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.
દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.
અમેરિકાના ન્યાય વિભાગે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગનો કેસ દાખલ કર્યો હતો.
આ તો ફક્ત શરૂઆત છે અને ન્યાય વિભાગ તથા ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા ઍપલ, ઍમેઝોન અને ફેસબુક જેવી મોટી ટૅક કંપનીઓની તપાસ પણ ચાલી રહી છે. યુએસના નાયબ ઍટર્ની જનરલ જેફ રોસેને પત્રકારોને જણાવ્યું હતું કે ગૂગલ ઇન્ટરનેટનું અને જાહેરાત શોધવા માટેનું પ્રવેશદ્વાર છે. એણે પોતાની ઇજારાશાહી જાળવી રાખવા માટે અયોગ્ય માર્ગ અપનાવ્યો જે સ્પર્ધાત્મકતા માટે હાનિકારક છે.
ગૂગલની ઑનલાઇન સર્ચ અને જાહેરાત વિશેની ઇજારાશાહી બદલ સાંસદો અને ગ્રાહકોના વકીલો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે.
વોશિંગ્ટન ડી. સી.ની ફેડરલ અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે જાહેરાત કરનારા પાસેથી મેળવેલા અબજો ડૉલરની રકમ ગૂગલ ફોન ઉત્પાદકોને આપીને એમનાં ફોનમાં બ્રાઉઝર પર ગૂગલ જ ડિફોલ્ટ સર્ચ એન્જિન હોય એવી વ્યવસ્થા કરાવે છે.
આ બાબત નાને પાયે શરૂ કરનારા અને નવી શોધ કરનારા પ્રતિસ્પર્ધીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તથા સર્ચની ગુણવત્તા ઘટાડે છે, પ્રાઇવેસીની સુરક્ષાને અને વૈકલ્પિક સર્ચના પર્યાયને સીમિત બનાવે છે જે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે.
તાજેતરના કાળમાં યુરોપના નિયામકોએ ગૂગલ પર લાદેલા અબજો ડૉલરના દંડ અને ગૂગલની કામ કરવાની પદ્ધતિમાં કરાવેલા ફેરફાર પર્યાપ્ત નથી અને ગૂગલે પોતાની કાર્યપ્રણાલીમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવાની જરૂર છે.
નાણાં ઉપાડવા માટે એટીએમનો બહોળો ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં જોરદાર ઝટકો લાગી શકે છે. આગામી સમયમાં એટીએમમાંથી પ000થી વધુ રકમ ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે નિ:શુલ્ક પ ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. તે માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.
અહેવાલ મુજબ એકવારમાં પ000થી વધુ રકમ ઉપાડવા પર ગ્રાહકે રૂ.ર4 સુધીનો ચાંદલો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં એટીએમના ઉપયોગમાં પ ટ્રાન્ઝેકશન નિ:શુલ્ક છે. ત્યાર બાદ જો એક મહિનાના સમયગાળામાં પથી વધુ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 ચૂકવવા પડે છે.
એટીએમ શુલ્કની સમીક્ષા માટે ઘડવામાં આવેલી આરબીઆઈની સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. જેના આધારે 8 વર્ષ બાદ એટીએમ ટ્રાન્ઝેકશનના શુલ્કમાં બદલાવ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના એસએલબીસી સમન્વયક એસડી માહુરકરના મતે 10 લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં એટીએમથી લેણદેણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મોટાભાગના લોકો નાની રકમ ઉપાડે છે. એટલે સમિતિએ નાના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકેને દર મહિને એટીએમમાંથી 6 વખત નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવશે જે હાલ પ વખત છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ જેવા મહાનગરોમાં એક માસમાં 3 વખત છૂટ છે ત્યાર બાદ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવામાં આવે છે.’
બોગસ ટેલિવિઝન રૅટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ બહાર આવ્યા બાદ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)એ ગુરુવારે બધી જ ભાષાની સમાચાર ચેનલોની સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિયેશન (એનબીએ)એ બીએઆરસીના સાહસી પગલાંને વધાવતા આખી સિસ્ટમ બદલવાની જરૂર હોવાની વાત જણાવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કાઉન્સિલ હાલની પ્રણાલીને બદલવા અને એમાં સકારાત્મક સુધારા કરવા માગે છે અને એ કારણે સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે ૧૨ સપ્તાહ સુધી બંધ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઇની પોલીસે આ કૌભાંડને મામલે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
પકડાયેલી વ્યક્તિઓમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, આ મામલે પોલીસે અરનબ ગોસ્વામીની આગેવાનીવાળી રિપબ્લિક મીડિયા જૂથના અધિકારીઓની પણ પૂછતાછ કરી હતી. રિપબ્લિક મીડિયા જૂથે પોતે કંઇપણ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ મામલે રિપબ્લિક ટીવી અને અરનબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ વિરુદ્ધ દાખલ કરેલી અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કેસ મુંબઇની વડી અદાલતમાં દાખલ કરવાની સલાહ આપી હતી.
બીએઆરસી દ્વારા જાહેર કરાતા ઑડિયન્સનો અંદાજ જાહેરાતના ખર્ચને અસર કરતો હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર વાર્ષિક કુલ રૂ. ૩૨૦૦૦ કરોડનો ખર્ચ જાહેરાતો પાછળ કરાયો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે અમુક ઘરોમાં મોનિટરો મૂકીને રૅટિંગમાં વધારો કરાતો હતો.
સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તાજેતરની ઘટનાને ધ્યાનમાં લઇને બીએઆરસી બૉર્ડે એવો નિર્ણય લીધો છે કે પોતાની ટૅક્નિકલ સમિતિ હાલની રૅટિંગ પદ્ધતિની સમીક્ષા કરીને એમાં યોગ્ય સુધારો કરીને આ રીતે મોનિટરો દ્વારા વધારવામાં આવતા રૅટિંગને રોકવા માટે યોગ્ય પગલાં દર્શાવે.
તાત્કાલિક ધોરણે આ કવાયતમાં બધી જ હિંદી, સ્થાનિક ભાષાઓ તથા અંગ્રેજી સમાચાર અને વ્યાપાર ચૅનલોને કવર કરવામાં આવશે.
આ કવાયત પૂરી ન થાય ત્યાર સુધી બીએઆરસી બધી જ ભાષાની સમાચાર અને વ્યાપાર ચૅનલો માટેની સાપ્તાહિક વ્યક્તિ રૅટિંગ જાહેર નહીં કરે. આ કવાયત ૮થી ૧૨ સપ્તાહ સુધી ચાલશે અને એમાં વૅલિડેશન તથા ટેસ્ટિંગનો સમાવેશ થાય છે.
આ સિવાય બીએઆરસી સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવાનો અને ગેરકાયદે રૅટિંગમાં ફેરફાર ન થાય એવો પ્રયાસ કરશે.
દરમિયાન, એનબીએએ જણાવ્યું હતું કે એમના મતે ટીઆરપીને સસ્પેન્ડ કરવાનું મહત્ત્વનું પગલું બીએઆરસીએ લીધું છે. એમણે આ ૧૨ સપ્તાહનો ઉપયોગ આખી સિસ્ટમને બદલવા માટે અને સશક્ત બનાવવા માટે કરવો જોઇએ.
ઘણાં વર્ષોથી એનબીએ ટીવી વ્યુવરશીપ ડેટામાં વધઘટ વિશે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.
એનબીએના પ્રમુખ રજત શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલા કૌભાંડને કારણે મૅઝરમેન્ટ ઍજન્સીની બદનામી થઇ છે અને એ સાથે ન્યૂઝ મીડિયાની પણ બદનામી થઇ છે.
ભ્રષ્ટાચાર કરીને ટીઆરપી વધારવાની બાબતે ભારત શું જુએ છે એ વિશે ખોટ્ટા અભિપ્રાય જાહેર થાય છે અને બીએઆરસીએ આવું ભવિષ્યમાં ન થાય એ માટે નક્કર પ્રણાલી બનાવવી જરૂરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.