CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 10 of 19 - CIA Live

September 19, 2020
paytm.jpg
1min4890

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પર તા.18મીએ રિમુવ કરી દેવામાં આવી હતી. પરંતુ, એ બેન ફક્ત ચાર કલાકનો જ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી એપ ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે. તા.18મી સપ્ટેમ્બરે સાંજે ફરીથી ગુગલ પ્લે સ્ટોર પર પેટીએમ ગોઠવાઇ ગઇ હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણકે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.

પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

September 14, 2020
amitabh-bachchan-on-alexa-887240-1600061937.jpg
1min8180

અમેઝોન ઇન્ડિયાના હેડ અમિત અગરવાલે ટ્વીટ કરીને એક એવી હિન્ટ આપી છે કે વિશ્વભરમાં પ્રચલિત બનેલા એમોઝોનના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ડિવાઇઝ એલેક્ઝા કે જે યુઝરને કોઇપણ પ્રશ્નનો ઉત્તર આપીને તેનું પાલન કરે છે તેના પર એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચન હિન્દીમાં જવાબો આપવા માંડશે.

અમેઝોન સાથે એલેક્ઝા ડિવાઇસમાં અમિતાભ બચ્ચને વોઇશ શેરીંગ અંગેની પાર્ટનરશીપ રચી છે અને હવે અમિતાભ બચ્ચનના વોઇસ ઇનપુટ્સ એલેક્ઝાના પ્રોગ્રામિંગ માટે લેવામાં આવશે. એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચનના સ્વરમાં ભારતીય ભાષા હિન્દીમાં એલેક્ઝા પરથી યુઝરને જવાબો મળશે.

बॉलीवुड ऐक्टर अमिताभ बच्चन ने Amazon के साथ पार्टनरशिप की है. इस पार्टनरशिप के तहत भारत में पहली बार Alexa सेलिब्रिटी वॉयस में उपलब्ध होगा.

Amazon India के मुताबिक़ कस्टमर्स भारत में अमिताभ बच्चन की आवाज़ Alexa में पा सकेंगे. इसके लिए अमिताभ बच्चन वॉयस एक्सपीरिएंस ख़रीदना होगा. हालांकि ये फ़ीचर अगले साल से उपलब्ध होगा.

Amazon India ने कहा है कि Amazon Alexa की टीम अमिताभ बच्चन के साथ मिल कर काम करेगी ताकि उनकी वॉयस को Alexa के लिए बेहतर तरीक़े से कैप्चर किया जा सके.

अमिताभ बच्चन की वॉयस में Alexa के पॉपुलर वॉयस कमांड्स मिलेंगे. जैसे जोक्स, वेदर, शायरी, मोटिवेशनल कोट्स और ऐडवाइस अमिताभ बच्चन की वॉयस में उपलब्ध होंगे.

Alexa वॉयस एक्सपीरिएंस के लिए इस पार्टनरशिप पर अमिताभ बच्चन ने कहा है कि ये इसे लेकर उत्साहित हैं. उन्होंने यह भी कहा है कि वॉयस टेक्नोलॉजी से से कुछ ऐसा बनाया जिससे बेहतर तरीक़े से वो अपने ऑडिएंस और वेल विशर्स के साथ एंगेज कर पाएंगे.

September 7, 2020
dead-afp.jpg
1min5320

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.

કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.

જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.

કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

September 3, 2020
modigovt.jpg
1min4320

Tweeter એ સ્વીકારી પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના હેન્ડલને હેક થયાની વાત તપાસ ચાલી રહી છે

બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને  આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ. 

બુધવારે મોડી રાત્રે આશરે 3 કલાકે @narendramodi_in એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અડધી કલાકમાં એકાઉન્ટ યથાવત થઈ ગયું હતું. 

August 24, 2020
pmmodi_jately.jpg
1min4300

અરુણ જેટલીની પૂણ્યતિથીએ PMની ભાવુક પોસ્ટ

આજરોજ તા.21મી ઓગસ્ટ 2020એ સવારે વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટર પર પોતાના અંગત મિત્ર અને ભારતના ભૂતપૂર્વ નાણાં પ્રધાન શ્રી અરુણ જેટલી માટે લખ્યું હતું કે હું તેમને ઘણું મીસ કરી રહ્યો છું. સ્વ.અરુણ જેટલીની પહેલી પૂણ્યતિથીએ પીએમ મોદી ભાવુક બન્યા હતા. તેમણે એક વિડીયો શેર કરીને લાગણી વ્યક્ત કરી હતી કે સ્વ.અરુણ જેટલી સાથે તેમની મિત્રતા કેટલી ગાઢ હતી.

August 14, 2020
faceless.jpg
1min7020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.

આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.

આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.

ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.

August 11, 2020
undersea_cable.jpg
1min5490

વડા પ્રધાન મોદીએ સોમવારે ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી અંડરસી ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેની લંબાઈ ૨,૩૧૨ કિમી છે અને તેનો ખર્ચ ૧૨૨૪ કરોડ રૂપિયા આવ્યો છે. ૨૦૧૮માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો, જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.

આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે.

‘ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્ત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાર્પણની પણ તક મળી’, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

સ્વતંત્રતા દિવસ પહેલા આને હું આંદામાનના લોકોને પ્રેમથી આપવામાં આવેલી ભેટ તરીકે જોઉં છું. સમુદ્રની અંદર લગભગ ૨૩૦૦ કિમી કેબલ લગાવવાનું કામ સમય પહેલા પૂરું કરવું પ્રશંસનીય છે. ઊંડા સમુદ્રમાં સર્વે કેબલની ક્વોલિટી મેઈન્ટેન કરવી અને વિશેષ જહાજો દ્વારા કેબલ લગાવવો સરળ નહોતું. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ મોટા પડકારો હતા. આ પણ એક કારણ હતું કે વર્ષોથી આની પર કામ નહોતું થઈ શકતું, પણ ખુશી છે કે તમામ અવરોધો છતા આ કામને પાર પાડવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

દેશના દરેક વ્યક્તિ, વિસ્તાર સુધી આધુનિક સુવિધાઓ પહોંચે અને દરેક નાગરિકનું જીવન સરળ બને એ અમારો ધ્યેય

છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર વિસ્તાર અને સમુદ્રના સરહદ વિસ્તાર પર આવેલા વિસ્તારોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આંદામાન નિકોબારના બાકીના દેશ અને દુનિયાને જોડનારા આ પ્રોજેક્ટ ‘ઈઝ ઓફ લિવિંગ’ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું પ્રતીક છે. હવે અહીંયાના લોકોને મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે’, એમ તેમણે વધુમાં કહ્યું હતું. આંદામાનને જે સુવિધા મળી છે, તેનો મોટો લાભ ત્યાં જનારા પર્યટકોને પણ મળશે. સારી ઈન્ટરનેટ ક્નેક્ટિવિટી કોઈ પણ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની પહેલી પ્રાથમિકતા હોય છે. મને પુરો વિશ્વાસ છે કે પર્યટક ત્યાં જાય છે તો લાંબા સમય સુધી રોકાવાનું પસંદ કરે છે. લોકો વધારે રોકાશે તો તેનો પ્રભાવ રોજગાર પર પણ પડશે. હિન્દ મહાસાગર હજારો વર્ષોથી ભારતના વેપાર અને સામરિક સામર્થ્યનું કેન્દ્ર રહ્યું છે, એમ મોદીએ જણાવ્યું હતું.

આંદામાનના ૧૨ આઈલેન્ડ્સમાં હાઈએન્ડ પ્રોજેક્ટનો વિસ્તાર કરાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામનની રોડ ક્નેક્ટિવિટીને મજબૂત કરવા માટે બે મોટા બ્રિજ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. પોર્ટ બ્લેયર એરપોર્ટમાં એક સાથે ૧૨૦૦ યાત્રિઓને હેન્ડલ કરવાની ક્ષમતા થોડા મહિનામાં તૈયાર કરાશે. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ અને લોન્ગ આઈલેન્ડમાં વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ થોડા સમયમાં બનીને તૈયાર થઈ જશે. આનાથી આઈલેન્ડ્સ વચ્ચે ક્નેક્ટિવિટી સારી થઈ જશે. કોચ્ચિ શિપયાર્ડમાં જે ચાર જહાજ બનાવવામાં આવી રહ્યા છે તેની ડિલેવરી પણ ઝડપથી થઈ જશે.

આવા અનેક પ્રયાસના કારણે દેશના પોર્ટ નેટવર્કની કેપેસિટી અને કેપેબિલિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. ગ્રેટ નિકોબારમાં લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ છે. આ પોર્ટ-બંદર બનીને તૈયાર થઈ જશે તો સમુદ્ર વેપારમાં ભારતની ભાગીદારી વધશે, યુવાનોને નવી તક મળશે, એમ તેમણે કહ્યું હતું.

August 4, 2020
health_card.jpg
1min5220

વડા પ્રધાન નરેન્દ્ર મોદી’ સ્વાતંત્ર્ય દિન’ 15 ઓગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એમ મનાય છે. વિકસિત દેશોમાં ખુબ જ સફળ રહેલી હેલ્થ કાર્ડની યોજનાનો હવે ભારતમાં અમલ થવા જઇ રહ્યો છે.

આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ’ હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે.

‘આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
15 ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે.

પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે.’વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.

July 29, 2020
virat.jpg
1min5090

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન અને વર્લ્ડ નંબર વન બેટસમેન વિરાટ કોહલી ઇંસ્ટાગ્રામ પર સાત કરોડ ફોલોઅર્સ ધરાવતો પહેલો ભારતીય બન્યો છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં વિશ્વમાં ચોથા ક્રમે છે. તેનાથી આગળ ફકત ત્રણ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, લિયોનલ મેસ્સી અને નેમાર છે.

કોહલીએ આ સૂચિમાં 6.9 કરોડ ફોલોઅર્સ ધરાવતા અમેરિકી બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સને પાછળ રાખી દીધો છે.’ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોના ઇંસ્ટાગ્રામ પર કુલ 23.2 કરોડ ફોલોઅર્સ છે. બીજા નંબર પર મેસ્સી છે. તેના 16.1 કરોડ ચાહકો છે. જ્યારે બ્રાઝિલના નેમારના ફોલોઅર્સની સંખ્યા 14 કરોડ છે.

‘ભારતમાં વિરાટ કોહલી (6 કરોડ ફોલોઅર્સ) બાદ બીજા નંબરે બોલિવૂડ-હોલિવૂડ હિરોઇન પ્રિયંકા ચોપરા છે. તેણીના પ.પ કરોડ ફોલોઅર્સ છે. આશ્ચર્યની વાત એ છે કે બોલિવૂડમાં બહુ સફળતા ન મેળવી શકનાર શ્રધ્ધા કપૂરના ઇંસ્ટાગ્રામ પર પ.1 કરોડ ફોલોઅર્સ છે અને ત્રીજા નંબર પર છે. ઇંસ્ટાગ્રામના ટોપ ટેન ભારતીયમાં એકમાત્ર ખેલાડી તરીકે વિરાટ કોહલી છે અને તે પણ પહેલા નંબર પર. ઇંસ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટની કમાણીના મામલે પણ કોહલી ભારતમાં પહેલા અને વિશ્વના ખેલાડીઓની લીસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.

July 26, 2020
mobile-data-icon-2.png
1min4490

કોરોનાને કાબુમાં લેવા લાગેલા લોકડાઉનના કારણે ગુજરાતમાં મોબાઈલ ડેટાના વપરાશમાં ૨૧ ટકા વધારો થયો છે. દેશની અગ્રણી ટેલીકોમ કંપનીએ આપેલા ડેટા મુજબ માર્ચ મહિનામાં દૈનિક સરેરાશ ૧૯,૦૦૦ ટેરા બાઈટ (ટીબી) મોબાઈલ ફોર-જી ડેટાનો વપરાશ થતો હતો. લોકડાઉન બાદ એપ્રિલ મહિનામાં વપરાશનો આંકડો ૪૦૦૦ ટીબી વધીને ૨૩,૦૦૦ ટીબી (૨.૩૦ કરોડ જીબી) પર પહોચી ગયો હતો. આ એવરેજ મે અને જૂનમાં પણ જળવાઈ રહી હતી.

વોડાફોન આઈડિયાના ચીફ ટેકનોલોજી ઓફિસર વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, મોબાઈલ ડેટાના વપરાશમાં આખા વર્ષમાં જેટલી વૃદ્ધિ થાય છે તેના કરતા પણ વધારે ગ્રોથ લોકડાઉન લાગ્યાના એક સપ્તાહમાં જોવા મળ્યો હતો.

વિશાંત વોરાએ જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારત સહિત દેશના દરેક ભાગમાંથી ઇન્ટરનેટ માંગમાં વધારો જોયો છે. અગાઉ દિવસ દરમિયાન કમર્શિયલ અથવા તો ઓફિસ વિસ્તારમાં ડેટા ક્ધઝમ્પશન વધારે રહેતું હતું, પરંતુ પરિસ્થિતિ બદલાતા રહેણાંકમાંથી ટ્રાફિક વધુ રહે છે, કારણ કે લોકો ઘરની અંદર રહે છે અને વધુ ડેટાનો ઉપયોગ કરે છે.

ટેલીકોમ ક્ષેત્રના જાણકારોના મતે, આ સમય દરમિયાન મોટાભાગના લોકો ઘરે હતા. વર્કિંગ ક્લાસ લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા તેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ અચાનક વધી ગયો છે. ઓફિસનું કામ, મિટિંગ જેવી બાબતો આમાં મુખ્ય છે.

ટેલીકોમ એક્સપર્ટ જણાવે છે કે, ટીવીમાં મનોરંજન ચેનલોમાં સિરીયલો બંધ થઇ જવાથી ઘણી મહિલાઓ, મોટા ભાગે હાઉસ વાઈફ અને યુવાનો ઓવર ધી ટોપ પ્લેટફોર્મ તરફ વળ્યા છે જેના કારણે મોબાઈલ ડેટાનો વપરાશ એપ્રિલ-જુન દરમિયાન સરેરાશ રોજનો ૨૨,૮૦૦-૨૩,૦૦૦ ટીબી પર પહોચી ગયો હતો. પરિવાર સાથે જોડવા માટે વિડીયો કોલિંગનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે ડેટાનો વપરાશ વધ્યો છે.