દેશના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો એ સરકારી યોજનાઓ કે નીતિઓ અંગે કેટલાક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક રીતે ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ સામે કાર્યવાહી કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં નાગરીકોને જણાવવામાં આવ્યું છે કે જો સરકારી યોજના કે નીતિ અંગે કોઇ ફેકન્યુઝ કે લિંક મળે તો તેને વ્હોટ્સએપ નં. 87997 11259 અથવા તો મેઇલ પર મોકલવા માટે જણાવવામાં આવ્યું છે.
પીઆઇબી ખાતું એ ફેકન્યુઝનો ભાંડો ફોડશે એમ જણાવાયું છે.
ફેકન્યુઝ અંગેના ફોટા કે લિંક આ નંબર 87997 11259 પર વ્હોટ્સએપ કરો
હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના નામે અનેક લોકો પોતાની ખીચડી પકાવી રહ્યા છે. શિક્ષણથી લઇને સબસિડી, આવાસથી લઇને લોન સુધીની કામગીરીમાં સરકારી યોજનાનું નામ વટાવીને કેટલાક લોકોએ છેતરપીંડીની દુકાનો શરૂ કરી દીધી છે. ત્યારે આવી જો કોઇ માહિતી મળે તો તુરંત જ તે અંગેનું રિપોર્ટિંગ કરવા જણાવાયું છે.
ચીન અને પાકિસ્તાન તરફથી ઉભા થયેલા પડકારો વચ્ચે નોંધનીય સિદ્ધિ હાંસલ કરી લેતા ભારત મિસાઈલો મામલે આત્મનિર્ભર બન્યું છે. વિદેશથી મિસાઈલો ખરીદવી નહીં પડે. ડીઆડીઓના ચીફે જણાવ્યું કે સૈન્ય જે પ્રકારની મિસાઈલો માગશે આપણે બનાવવામાં સક્ષમ છીએ. રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના પ્રમુખ જી. સતીષ રેડ્ડીએ દેશને આશ્વાસન આપ્યું કે હવે સંગઠનની ક્ષમતા એટલી છે કે સૈન્ય જે પ્રકારની મિસાઈલો ઈચ્છશે તેમને બનાવીને આપી દેવાશે.
દેશપાસે કોઈપણ પ્રકારની મિસાઈલ તૈયાર કરવાની ક્ષમતા છે. છેલ્લા 40 દિવસમાં શાર્ય, બ્રહ્મોસ, પૃથ્વી, રૂદ્રમ ઉપરાંત હાઈપરસોનિક ડેવલોપમેન્ટ વીઈકલ્સ, સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ટૉરપિડો સહિત એક પછી એક 10 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસમાં હવે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રેડ્ડીએ વધુમાં કહ્યું કે ભારત છેલ્લા પ-6 વર્ષમાં મિસાઈલ સિસ્ટમ ક્ષેત્રે જેટલું આગળ વધ્યુ છે, તેથી મિસાઈલો મામલે આપણે આત્મનિર્ભર બની ગયા છીએ. સૈન્યની જેવી જરૂરીયાત હશે તે મુજબ મિસાઈલો બનાવી આપવામાં આવશે. આ ક્ષેત્રમાં હવે ખાનગી કંપનીઓ પણ ઉચ્ચસ્તરીય બની છે. તે હવે ભાગીદારી કરવા સક્ષમ બની છે. તે અમારી સાથે મિસાઈલો બનાવી શકે છે અને જરૂરીયાત મુજબ બનાવી શકે છે.
વિશ્વપ્રસિદ્ધ એપલ કંપનીએ તા.13મી ઓક્ટોબર 2020ના રોજ iPhone 12 શ્રેણીના ચાર મોબાઇલ મોડેલ્સનું ઇ-લૉંચિંગ કર્યું હતું. જબરદસ્ત નવા ફિચર હોવાનો દાવો કરતા કંપનીએ કહ્યું કે આ ફોન વિશ્વનો સૌથી વધુ સ્માર્ટ ફોન બન્યો છે. વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
iPhone 12ના બેઝિક મોડેલ iPhone 12 મિનીની અમેરિકામાં બજાર કિંમત રૂ.58,000 છે, જ્યારે ભારતમાં આ જ મોડેલ માટે ગ્રાહકોએ રૂ.79,900 ચૂકવવા પડશે. એપલ કંપની ભારતમાં તેમના ડિવાઇશ બનાવતી નથી અને તેના તૈયાર પાર્ટસ, યુનિટ્સ ઇમ્પોર્ટ કરીને ભારતમાં એનું વેચાણ કરે છે. તેના કારણે ભારતની સિસ્ટમમાં ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યુટીનું ભારણ દરેક યુનિટ પર લાગૂ થાય છે. એ સિવાય પણ કેટલાક અન્ય ખર્ચાઓ, ચાર્જિસ લાગૂ થતા હોઇ, ભારતમાં એપલ કંપનીના ફોનની કિંમત અમેરિકાની કિંમત કરતા વધુ હોય છે.
અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જ એપલ કંપનીએ ભારતમાં કેટલાક ડિવાઇસનું પ્રોડકશન શરૂ કર્યું છે. પરંતુ, આ ડિવાઇસની શ્રેણીમાં iPhone 12 આવતા નથી.
Know iPhone 12 Models & Prices in India
iPhone 12 Mini
सबसे छोटो 5G आईफोन के 64GB मॉडल की कीमत 69,900 रुपये और 128GB मॉडल की कीमत 74,900 रुपये रखी गई है। इसका 256GB मॉडल 84,900 रुपये में खरीदा जा सकेगा। डिवाइस वाइट, ब्लैक, ब्लू, ग्रीन और PRODUCT रेड कलर्स में उतारा गया है। वहीं, US में iPhone 12 Mini की शुरुआती कीमत 699 डॉलर (करीब 51,300 रुपये) रखी गई है।
iPhone 12
स्टैंडर्ड iPhone 12 के 64GB स्टोरेज मॉडल की कीमत 79,900 रुपये और 128GB मॉडल की कीमत 84,900 रुपये रखी गई है। इसका टॉप-ऑफ-द-लाइन 256GB मॉडल 94,900 रुपये का मिलेगा। iPhone 12 को ब्लैक, ब्लू, ग्रीन, वाइट और PRODUCT रेड कलर में उतारा गया है। बात US मार्केट की करें तो यहां iPhone 12 को 799 डॉलर (करीब 58,600 रुपये) की शुरुआती कीमत पर उतारा गया है।
iPhone 12 Pro
नए iPhone 12 Pro के 128GB मॉडल को भारत में 1,19,900 रुपये में और 256GB मॉडल को 1,29,900 रुपये में खरीदा जा सकेगा। iPhone 12 Pro का 512GB मॉडल 1,49,900 रुपये में खरीदा जा सकेगा। यह डिवाइस ग्रेफाइट, सिल्वर, गोल्ड और पैसिफिक ब्लू कलर्स में मिलेगा। यही डिवाइस US मार्केट में 999 डॉलर (करीब 73,300 रुपये) की शुरुआती कीमत पर मिलेगा।
iPhone 12 Pro Max
भारत में iPhone 12 Pro Max के 128GB मॉडल की कीमत 1,29,900 रुपये और 256GB मॉडल की कीमत 1,39,000 रुपये रखी गई है। वहीं, 512GB मॉडल को बायर्स 1,59,000 रुपये में खरीद पाएंगे। सबसे पावरफुल iPhone 12 Pro Max को US में कंपनी 1,099 डॉलर (करीब 80,600 रुपये) की शुरुआती कीमत पर लेकर आई है।
નિવૃત્તિ ફંડ માટેની સંસ્થા ઇપીએફઓએ પોતાના સબસ્ક્રાઇબર્સની ફરિયાદોના ઝડપી નિવારણ માટે વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા શરૂ કરી હોવાની જાહેરાત શ્રમ મંત્રાલયે મંગળવારે કરી હતી.
વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા ઇપીએફઓની ફરિયાદ નિવારણ માટેની અન્ય ઇપીએફઆઇજીએમસ પોર્ટલ, સીપીગ્રામ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેશબુક અને ટ્વિટર) અને ૨૪ બાય ૭ કૉલ સેન્ટરની સેવા ઉપરાંતની આ સેવા છે.
મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે સભ્યોના અનુભવમાં સુધારો અને સરળતા લાવવા માટે ઇપીએફઓએ હવે વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન પોતાના સભ્યોને વણથોભી સેવા આપવાના ઉદ્દેશથી આ વધારાની સેવા શરૂ કરવામાં આવી છે.
એમણે વધુમાં જણાવ્યું હતું કે હવે જ્યારે વૉટ્સઍપ ભારતનું સંદેશ વ્યવહાર માટેનું મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે ત્યારે દરેક સભ્ય સુધી વ્યક્તિગત રીતે સીધો સંપર્ક કરવા માટે ઇપીએફઓએ આ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.
ઇપીએફઓ વિશે કોઇપણ ફરિયાદ, સમસ્યાના સમાધાન અથવા કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે સભ્યએ ઇપીએફઓના જે સ્થાનિક કાર્યાલયમાં પીએફ ખાતું ચાલતું હોય એના વૉટ્સઍપ નંબર પર પોતાની ફરિયાદ અથવા વાત જણાવવાની રહેશે.
બધા જ ૧૩૮ રિજનલ કાર્યાલય માટે ખાસ વૉટ્સઍપ નંબર રાખવામાં આવ્યા છે અને એની માહિતી ઇપીએફઓની સત્તાવાર વૅબસાઇટ પરથી મેળવી શકાશે.
સભ્યોની સમસ્યાનું સમાધાન કરવા માટે દરેક રિજનલ કાર્યાલયમાં નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે અને તેઓ સભ્યને વ્યક્તિગત રીતે જવાબ આપશે.
Here are the dedicated WhatsApp Helpline numbers of all regional EPF offices:
ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોના વાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ માત્ર એક ફૂંક મારીને વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવ છે કે કેમ તે જાણી શકશે. આ રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે ફાઈનલ સ્ટેજમાં છે અને કેટલાક દિવસોમાં આ ટેકનોલોજી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. આ ટેકનોલોજીથી એક મિનિટથી ઓછા સમયમાં ટેસ્ટના રિઝલ્ટ સામે આવી જશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ જણાવ્યું કે આવનારા સમયમાં ભારત અને ઈઝરાયેલની વચ્ચે તાલમેલ માટે હેલ્થકેર એક મહત્વનું ક્ષેત્ર સાબિત થઈ શકે છે.
ભારત અને ઈઝરાયેલની તરફથી એક સાથે મળીને તૈયાર કરાયેલી આ રેપિડ ટેસ્ટ ટેકનોલોજી ફક્ત એક મિનિટમાં જણાવી દેશે કે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે કે નહીં. આ માટે ટેસ્ટ કરાવનાર વ્યક્તિએ એક ટ્યૂબમાં મોંથી બસ હવા મારવાની જરુરત રહેશે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોન માલ્કોએ કહ્યું કે આનાથી 30 થી 50 સેકન્ડમાં પરિણામ ઉપલબ્ધ થઈ જશે. માલ્કોએ કહ્યું કે આના પર ખર્ચ પણ ખૂબ ઓછો આવશે, કારણ કે રિઝલ્ટ માટે સેમ્પલને લેબમાં મોકલવાની જરુરત રહેશે નહીં. ત્યાં જ ક્ષણભરમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવી જશે.
ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ લોકસભામાં પસાર કરાયું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે. આ ઉપરાંત રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સીટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃત્તિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને ૧૦૦% ગ્રાન્ટ આપવામાં આવશે.
ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પર તા.18મીએ રિમુવ કરી દેવામાં આવી હતી. પરંતુ, એ બેન ફક્ત ચાર કલાકનો જ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી એપ ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે. તા.18મી સપ્ટેમ્બરે સાંજે ફરીથી ગુગલ પ્લે સ્ટોર પર પેટીએમ ગોઠવાઇ ગઇ હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણકે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.
પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.
અમેઝોન ઇન્ડિયાના હેડ અમિત અગરવાલે ટ્વીટ કરીને એક એવી હિન્ટ આપી છે કે વિશ્વભરમાં પ્રચલિત બનેલા એમોઝોનના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ડિવાઇઝ એલેક્ઝા કે જે યુઝરને કોઇપણ પ્રશ્નનો ઉત્તર આપીને તેનું પાલન કરે છે તેના પર એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચન હિન્દીમાં જવાબો આપવા માંડશે.
અમેઝોન સાથે એલેક્ઝા ડિવાઇસમાં અમિતાભ બચ્ચને વોઇશ શેરીંગ અંગેની પાર્ટનરશીપ રચી છે અને હવે અમિતાભ બચ્ચનના વોઇસ ઇનપુટ્સ એલેક્ઝાના પ્રોગ્રામિંગ માટે લેવામાં આવશે. એકાદ વર્ષમાં અમિતાભ બચ્ચનના સ્વરમાં ભારતીય ભાષા હિન્દીમાં એલેક્ઝા પરથી યુઝરને જવાબો મળશે.
Alexa will have first ever celebrity voice experience in India. Hint: “Rishte mein toh hum tumhare baap lagte hai, naam hai _” Any guesses? pic.twitter.com/bJonYB1Kli
बॉलीवुड ऐक्टर अमिताभ बच्चन ने Amazon के साथ पार्टनरशिप की है. इस पार्टनरशिप के तहत भारत में पहली बार Alexa सेलिब्रिटी वॉयस में उपलब्ध होगा.
Amazon India के मुताबिक़ कस्टमर्स भारत में अमिताभ बच्चन की आवाज़ Alexa में पा सकेंगे. इसके लिए अमिताभ बच्चन वॉयस एक्सपीरिएंस ख़रीदना होगा. हालांकि ये फ़ीचर अगले साल से उपलब्ध होगा.
Amazon India ने कहा है कि Amazon Alexa की टीम अमिताभ बच्चन के साथ मिल कर काम करेगी ताकि उनकी वॉयस को Alexa के लिए बेहतर तरीक़े से कैप्चर किया जा सके.
अमिताभ बच्चन की वॉयस में Alexa के पॉपुलर वॉयस कमांड्स मिलेंगे. जैसे जोक्स, वेदर, शायरी, मोटिवेशनल कोट्स और ऐडवाइस अमिताभ बच्चन की वॉयस में उपलब्ध होंगे.
Alexa वॉयस एक्सपीरिएंस के लिए इस पार्टनरशिप पर अमिताभ बच्चन ने कहा है कि ये इसे लेकर उत्साहित हैं. उन्होंने यह भी कहा है कि वॉयस टेक्नोलॉजी से से कुछ ऐसा बनाया जिससे बेहतर तरीक़े से वो अपने ऑडिएंस और वेल विशर्स के साथ एंगेज कर पाएंगे.
સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ થયો છે. આ રિસર્ચ દ્વારા કોરોના વાયરસ માનવ શરીરમાં કેટલા પ્રમાણમાં અને ક્યા-ક્યાં આંતરીક અવયવો ઉપર કેવા પ્રકારની અસર કરે છે ? તે જાણી શકાશે. જેના આધારે કોરોના સંક્રમિત વ્યક્તિને કેવા પ્રકારની સારવાર જરૂરી છે તે મુજબ તેની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરીને કોરોના સામેની લડાઈમાં વિજ્ય હાંસલ કરી શકાશે.
કોરોના સંક્રમણ અટકાવવા ભારત અને ગુજરાતમાં સંશોધનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજકોટને મળેલી પેથોલોજીકલ ઓટોપ્સી રિસર્ચની મંજુરીની’ વિગતો આપતાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ફોરેન્સિક મેડીસીન ડિપાર્ટમેન્ટના હેડ તથા કોવિડ હોસ્પિટલના એડી. સુપ્રીટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા જણાવે છે કે, કોવિડ- 19 એક નવા પ્રકારની બિમારી છે. જેની માનવ શરીર પર શું અસર થાય છે ? તેના વિસ્તૃત જ્ઞાન અને તેના સંશોધનના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેન્સિક મેડીસિન વિભાગ દ્વારા આ ચેપીરોગના વાયરસ દ્વારા જેનું મૃત્યુ થાય છે, તેનું શબ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરવામાં આવશે.
જેના દ્વારા માનવ શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાના ઉપાયો જાણી શકાશે. આ ઉપાયો વડે અન્ય દર્દીની સારવાર માટેના પગલાં વધુ સુદૃઢ બનાવી શકાશે. કોરોના મહામારીને રોકવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તેના માટે આ મંજુરી માઈલસ્ટોન સાબિત થશે.
કોવિડ – 19 મહામારીના કારણે જેનું મૃત્યુ થયુ છે, તેના સગા સબંધીઓની સંમતી વિના આ કાર્ય શક્ય નથી તેમ જણાવતાં ડો. હેતલ ક્યાડા ઉમેરે છે કે, જે પરિવાર આ માટે આગળ આવશે તેમના સ્વજનના કોરોનાગ્રસ્ત મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈ તેના પરિક્ષણ બાદ તે મૃતકના સગા તથા બીજા કોઈને ચેપ ફેલાય નહી તે માટે સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર તેની અંતિમવિધિ સંસ્થાની ડેડ બોડી મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવશે. આ માટે મૃતકના સગાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Tweeter એ સ્વીકારી પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના હેન્ડલને હેક થયાની વાત તપાસ ચાલી રહી છે
બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી.
પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ.
બુધવારે મોડી રાત્રે આશરે 3 કલાકે @narendramodi_in એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વિક એ હેક કરી લીધુ છે. અડધી કલાકમાં એકાઉન્ટ યથાવત થઈ ગયું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.