CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 10 of 21 - CIA Live

November 19, 2020
Twitter_bird_logo_2012.svg_.png
1min590
Circle Twitter Logo Photo PNG Transparent Background, Free Download #47460  - FreeIconsPNG

ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરે સમિતિ સમક્ષ લેખિતમાં માફીનામું રજુ કર્યું છે અને આ મહિનાના અંત સુધીમાં પોતાની ભૂલ સુધારવાનું વચન આપ્યું છે.

આ માફીપત્ર પર અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના ચીફ પ્રાઇવસી ઑફિસર ડેમીયન કેરીયને સહી કરી છે. લેખીએ જણાવ્યું હતું કે એમણે પોતાના માફીપત્રમાં જણાવ્યું છે કે ભારતના લોકોની ભાવના દુભવવા બદલ તેઓ દિલગીર છે અને ૩૦મી નવેમ્બર સુધીમાં પોતાની ભૂલ સુધારી લેશે.

લદાખને ચીનનો ભાગ બતાડવા બદલ અમેરિકાસ્થિત ટ્વિટરની મુખ્ય કંપનીના સીઇઓ જેક ડોરસીને મંત્રાલય તરફથી લખવામાં આવેલા પત્રમાં ટ્વિટરને ઠપકારતા જણાવાયું હતું કે આવા કૃત્યને દેશદ્રોહનો ગુનો ગણવામાં આવે છે અને એમની પાસેથી માફી માગતો જવાબ શપથપત્રના રૂપમાં જવાબ તરીકે રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

લદાખ મામલે ભાજપના સાંસદ મિનાક્ષી લેખીની અધ્યક્ષતાવાળી ડૅટા પ્રૉટેક્શન બિલ માટેની સંસદની સંયુક્ત સમિતિ સમક્ષ હાજર થયેલા ટ્વિટર ઇન્ડિયાના પ્રતિનિધિએ માફી માગી હતી, પણ એમને સભ્યોએ જણાવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય પર સવાલ કરતો આ ક્રિમિનલ ગુનો છે અને આ મામલે એની માર્કેટિંગ કંપની ટ્વિટર ઇન્ડિયા પાસેથી નહીં, પણ ટ્વિટર ઇન્ક.એ પોતાની ભૂલ શપથપત્ર પર લખીને આપવી પડશે. ભારતનો નકશો અયોગ્ય અને ખોટી રીતે દર્શાવવો એ રાજદ્રોહ છે અને એ માટે સાત વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે.

તાજેતરમાં ૯ નવેમ્બરના રોજ લેહને લદાખને બદલે જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો બતાડવા બદલ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટ્વિટરને નૉટિસ ફટકારી હતી.

November 13, 2020
pubg.jpg
1min5450
PUBG Mobile Is Coming Back to India, Co Confirms in Future Plans

પબજી એક નવા અવતારમાં ભારતમાં પરત આવશે. સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરશને ગુરુવારે આ જાહેરાત કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે ભારતીય માર્કેટમાં નવી ગેમ લઈને આવી રહી છે, જેને માત્ર ભારત માટે બનાવાઈ છે. આ વખતે ચીનની કંપની સાથે કંપનીની કોઈ ભાગીદારી કરશે નહીં.

પબજી કોર્પોરેશનની પેરેન્ટ કંપની ક્રાફ્ટન ઇન્કોર્પોરેશને ભારતમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ રોકાણ કોઈ કોરિયન કંપની દ્વારા કરવામાં આવનારું સૌથી મોટું રોકાણ હશે. કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ સમયે પબજી કોર્પોરેશને જાહેરાત કરી હતી કે તેઓ ભારતમાં પરત આવશે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પબજી ભારતમાં પબજી મોબાઇલ ઈન્ડિયા લોન્ચ કરશે. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે નવી ગેમ ક્યારે લોન્ચ થશે. કંપનીના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આની સાથે જોડાયેલી જાણકારી ટૂંક સમયમાં જ જણાવાશે. કંપનીએ ભારતીય યુઝર્સને સિક્યોરિટી અને સારી ગેમ પ્લેનું સારું ઓપ્શન આપવાનો દાવો કર્યો છે.

પબજી કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે કંપની આ રોકાણ લોકલ વીડિયો ગેમ, ઈ-સ્પોર્ટ્સ મનોરંજન અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં કરશે, સાથે કંપની ૧૦૦થી વધારે કર્મચારીઓની ભરતી કરશે. લોકલ ઓફિસ પણ તૈયાર કરાશે.

પબજી વિશ્ર્વમાં ડાઉનલોડ થનારી ગેમ્સના લિસ્ટમાં ટોપ-ફાઇવમાં છે. સેન્સર ટાવરના રિપોર્ટ મુજબ વિશ્ર્વમાં ૭૩ કરોડથી વધારે વાર ડાઉનલોડ કરાઈ છે. એમાંથી ૧૭.૫ કરોડ એટલે કે ૨૪ ટકા વાર ભારતીયોએ ડાઉનલોડ કરી છે. આ હિસાબે પબજી રમનાર દરેક ચારમાંથી એક ભારતીય છે. એટલું જ નહીં, ગેમિંગની દુનિયામાં તે સૌથી વધારે રેવન્યુ કમાનારી ગેમ છે.રિપોર્ટ મુજબ અત્યાર સુધી પબજી ત્રણ અબજ ડોલર એટલે કે ૨૩ હજાર ૭૪૫ કરોડ રૂપિયાની રેવન્યુ કમાઈ ચૂકી છે.

November 6, 2020
whasapppay.jpg
4min8100

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ગઇકાલ તા. 5 નવેમ્બર 2020ના રોજ ભારતમાં ફેસબુકને ઓનલાઇન મની ટ્રાન્સફરની સુવિધા શરૂ કરવા સંદર્ભે મંજૂરી આપી છે. ફેસબુકની માલિકીની એપ્લિકેશન WhatsAppPay ટૂંક સમયમાં યુઝર્સને નાણાંકીય લેવડદેવડની સુવિધા આપશે. નાણાંકીય લેવડ-દેવડ માટે Unified Payments Interface (UPI) methodનો ઉપયોગ કરવાનો રહેશે.

NPCI દ્વારા થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ પર 30 ટકાની કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. જેનો અસરકારક અર્થ એ છે કે યુપીઆઈએ નવા ગ્રાહકોને સ્વીકારવાનું બંધ કરવું પડશે અને તે સરળતા રહેલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાને પ્રતિબંધિત કરવી પડશે.

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ પે એપને નાણાંકીય લેવડદેવડની મંજૂરી મળતા જ પેટીએમ, ગૂગલ એપ, ફોન પે, જિયો એપ, એમેઝોન પે વગેરેમાં ફફડાટ મચી ગયો છે કેમકે હાલમાં વ્હોટ્સ એપ જેટલો વ્યાપ વિસ્તાર કોઇ અન્ય સોશ્યલ મેસેજિંગ સાઇટનો નથી. વ્હોટ્સએપનો વિશાળ યુઝર બેઝ જોતા તેની પેમેન્ટ એપને પણ જબરદસ્ત પ્રતિસાદ સાંપડે એમ છે.

જેમને હજુ સુધી UPI એટલે શું એ ખબર ન હોય તેમના માટે

National Payments Corporation of India NPCI

National Payments Corporation of India (NPCI), an initiative of the Reserve Bank of India (RBI) and Indian Banks‘ Association (IBA), is an umbrella organisation for operating retail payments and settlement systems in India.

How to Make a Payment Using WhatsApp In-Chat Payment?

To transfer funds using the WhatsApp In-Chat Payment system, click on the ‘Rupee’ symbol under the ‘Attachment’ option. After this step, money transfers can be made in a single step by entering the transaction amount and the UPI PIN. The main advantage of this type of payment system is that users will not have to navigate out of the chat window to make a payment.

Let us now understand the step-by-step process involved in making payments via Whatsapp (for Android users):

Step 1: Go to the chat window of the person to whom you want to make a payment and click on the attachment icon

Step 2: Proceed to click on the ‘Payment’ option in the chat window and accept terms and conditions

Step 3: Enter the amount you want to transfer, UPI PIN and send the money For those with iOS phones, click on the plus symbol in the chat window and follow the procedure from step 2.

Features and Benefits of WhatsApp In-Chat Payment

  • Make payment to anyone on WhatsApp contact list from anywhere and at anytime
  • User-friendly ‘pay’ feature that makes transferring funds as simple as sending a photo or a message
  • The payee/beneficiary will receive a payment notification on their chat window once the fund transfer has been made
  • There is no need to ask the payee for account details such as account number or IFSC Code. All you need is a virtual address to make payment
  • The WhatsApp In-Chat Payment application is a one-of-a-kind payment feature

October 24, 2020
Data-Protection-Bill-of-India-2018.jpg
1min4880

ઍમેઝોન, ગૂગલ, પૅટીએમ, ફેસબુકના ઉચ્ચ અધિકારીઓને ડેટા પ્રૉટેક્શન બિલને લગતી જૉઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) સમક્ષ હાજર થવાનો આદેશ અપાયા બાદ ઍમેઝોને ૨૮મી ઑક્ટોબરે હાજર થવાનો ઇનકાર કર્યો હતો.

ગૂગલ અને પૅટીએમના ઉચ્ચ અધિકારીઓને ૨૯મી ઑક્ટોબરે તેમ જ ટ્વિટરના અધિકારીઓને ૨૮મીએ બોલાવાયા છે, જ્યારે ફેસબુકના અધિકારી શુક્રવારે આ સમિતિ સમક્ષ હાજર થયા હતા. ઇ-કૉમર્સ ક્ષેત્રની માતબર કંપની ઍમેઝોને સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાની ના પાડીને વિશેષાધિકારનો ભંગ કર્યો હોવાનું પૅનલનાં અધ્યક્ષા અને ભાજપનાં સંસદસભ્ય મિનાક્ષી લેખીએ શુક્રવારે કહ્યું હતું.

તેમણે પીટીઆઇને કહ્યું હતું કે ‘ઍમેઝોન વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને સૂચન થઈ શકે એવું કમિટીનો સર્વાનુમત અભિપ્રાય છે.’

દરમિયાન, ફેસબુકના પૉલિસી-હેડ અંખી દાસ શુક્રવારે ડેટા સિક્યૉરિટીના મુદ્દે કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમને પૅનલના મેમ્બરો દ્વારા ડેટા સુરક્ષાના મુદ્દે કેટલાક આકરા અને તપાસમાં કડીરૂપ સાબિત થઈ શકે એવા સવાલો પૂછવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંખી દાસની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને એવું પણ પૂછાયું હતું કે તેમની કંપની કેટલો હિસ્સો યુઝર્સના ડેટા પ્રૉટેક્શન માટે ખર્ચ કરે છે અને કેટલો કરવેરો ભરે છે?

મિટિંગ દરમિયાન એક મેમ્બરે ફેસબુકના મુદ્દે સૂચવ્યું હતું કે ‘સોશિયલ મીડિયાની આ માતબર કંપની પોતાના ઍડવર્ટાઇઝરોના વ્યાપારલક્ષી ફાયદા માટે પોતાના વપરાશકારોના ડેટામાંથી અનુમાનો મેળવી ન શકે.

પૅનલે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓને ૨૮મી ઑક્ટોબરે બોલાવ્યા છે, જ્યારે ગૂગલ તથા પૅટીએમના અધિકારીઓએ ૨૯મી ઑક્ટોબરે આવવાનું રહેશે.

દરમિયાન, વૉશિંગ્ટનથી મળતા એપીના અહેવાલ મુજબ અમેરિકામાં રિપબ્લિકન સેનેટરોના અંકુશ હેઠળની સેનેટ જ્યુડિશિયરી કમિટીએ ફેસબુક તથા ટ્વિટરના સીઇઓને જીઓપી (ગ્રૅન્ડ ઑલ્ડ પાર્ટી) સમક્ષ આક્ષેપો ખોટા હોવાના પુરાવા આપવા બોલાવ્યા છે.

October 22, 2020
google.jpg
1min4770

અમેરિકાના ન્યાય વિભાગે ગૂગલ સામે ઑનલાઇન સર્ચ અને જાહેરાત મામલે વિશ્ર્વાસભંગનો કેસ દાખલ કર્યો હતો.

આ તો ફક્ત શરૂઆત છે અને ન્યાય વિભાગ તથા ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા ઍપલ, ઍમેઝોન અને ફેસબુક જેવી મોટી ટૅક કંપનીઓની તપાસ પણ ચાલી રહી છે. યુએસના નાયબ ઍટર્ની જનરલ જેફ રોસેને પત્રકારોને જણાવ્યું હતું કે ગૂગલ ઇન્ટરનેટનું અને જાહેરાત શોધવા માટેનું પ્રવેશદ્વાર છે. એણે પોતાની ઇજારાશાહી જાળવી રાખવા માટે અયોગ્ય માર્ગ અપનાવ્યો જે સ્પર્ધાત્મકતા માટે હાનિકારક છે.

ગૂગલની ઑનલાઇન સર્ચ અને જાહેરાત વિશેની ઇજારાશાહી બદલ સાંસદો અને ગ્રાહકોના વકીલો લાંબા સમયથી આક્ષેપ કરી રહ્યા છે.

વોશિંગ્ટન ડી. સી.ની ફેડરલ અદાલતમાં દાખલ કરવામાં આવેલા કેસમાં એવો આરોપ કરવામાં આવ્યો છે કે જાહેરાત કરનારા પાસેથી મેળવેલા અબજો ડૉલરની રકમ ગૂગલ ફોન ઉત્પાદકોને આપીને એમનાં ફોનમાં બ્રાઉઝર પર ગૂગલ જ ડિફોલ્ટ સર્ચ એન્જિન હોય એવી વ્યવસ્થા કરાવે છે.

આ બાબત નાને પાયે શરૂ કરનારા અને નવી શોધ કરનારા પ્રતિસ્પર્ધીઓ માટે મુશ્કેલી ઊભી કરે છે તથા સર્ચની ગુણવત્તા ઘટાડે છે, પ્રાઇવેસીની સુરક્ષાને અને વૈકલ્પિક સર્ચના પર્યાયને સીમિત બનાવે છે જે ગ્રાહકોને નુકસાન પહોંચાડે છે.

તાજેતરના કાળમાં યુરોપના નિયામકોએ ગૂગલ પર લાદેલા અબજો ડૉલરના દંડ અને ગૂગલની કામ કરવાની પદ્ધતિમાં કરાવેલા ફેરફાર પર્યાપ્ત નથી અને ગૂગલે પોતાની કાર્યપ્રણાલીમાં સ્ટ્રક્ચરલ ફેરફાર કરવાની જરૂર છે. 

October 19, 2020
ATMindia.jpg
1min5210

નાણાં ઉપાડવા માટે એટીએમનો બહોળો ઉપયોગ કરનારાઓને ટૂંક સમયમાં જોરદાર ઝટકો લાગી શકે છે. આગામી સમયમાં એટીએમમાંથી પ000થી વધુ રકમ ઉપાડવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. જે નિ:શુલ્ક પ ટ્રાન્ઝેકશનમાં સામેલ નહીં હોય. તે માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે.

અહેવાલ મુજબ એકવારમાં પ000થી વધુ રકમ ઉપાડવા પર ગ્રાહકે રૂ.ર4 સુધીનો ચાંદલો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં એટીએમના ઉપયોગમાં પ ટ્રાન્ઝેકશન નિ:શુલ્ક છે. ત્યાર બાદ જો એક મહિનાના સમયગાળામાં પથી વધુ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તો પ્રત્યેક ટ્રાન્ઝેકશન દીઠ રૂ.ર0 ચૂકવવા પડે છે.

એટીએમ શુલ્કની સમીક્ષા માટે ઘડવામાં આવેલી આરબીઆઈની સમિતિએ પોતાની ભલામણો સોંપી દીધી છે. જેના આધારે 8 વર્ષ બાદ એટીએમ ટ્રાન્ઝેકશનના શુલ્કમાં બદલાવ કરવામાં આવી શકે છે. મધ્યપ્રદેશના એસએલબીસી સમન્વયક એસડી માહુરકરના મતે 10 લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં એટીએમથી લેણદેણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં મોટાભાગના લોકો નાની રકમ ઉપાડે છે. એટલે સમિતિએ નાના ટ્રાન્ઝેકશનને ફ્રી રાખ્યા છે. નાના શહેરોમાં ગ્રાહકેને દર મહિને એટીએમમાંથી 6 વખત નાણાં ઉપાડવાની છૂટ આપવામાં આવશે જે હાલ પ વખત છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લુરૂ જેવા મહાનગરોમાં એક માસમાં 3 વખત છૂટ છે ત્યાર બાદ ટ્રાન્ઝેકશન પર ચાર્જ વસૂલવામાં આવે છે.’

October 16, 2020
barc.png
1min5700
BARC TRP Report Week 52, 2018: KumKum Bhagya hit again but this show  remained a flop; see the full list | Catch News

બોગસ ટેલિવિઝન રૅટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી) કૌભાંડ બહાર આવ્યા બાદ બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી)એ ગુરુવારે બધી જ ભાષાની સમાચાર ચેનલોની સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી હતી.

ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોશિયેશન (એનબીએ)એ બીએઆરસીના સાહસી પગલાંને વધાવતા આખી સિસ્ટમ બદલવાની જરૂર હોવાની વાત જણાવી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કાઉન્સિલ હાલની પ્રણાલીને બદલવા અને એમાં સકારાત્મક સુધારા કરવા માગે છે અને એ કારણે સાપ્તાહિક રૅટિંગ હંગામી ધોરણે ૧૨ સપ્તાહ સુધી બંધ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં મુંબઇની પોલીસે આ કૌભાંડને મામલે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.

પકડાયેલી વ્યક્તિઓમાં ન્યૂઝ ચેનલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે, આ મામલે પોલીસે અરનબ ગોસ્વામીની આગેવાનીવાળી રિપબ્લિક મીડિયા જૂથના અધિકારીઓની પણ પૂછતાછ કરી હતી. રિપબ્લિક મીડિયા જૂથે પોતે કંઇપણ ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ મામલે રિપબ્લિક ટીવી અને અરનબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ વિરુદ્ધ દાખલ કરેલી અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કેસ મુંબઇની વડી અદાલતમાં દાખલ કરવાની સલાહ આપી હતી.

બીએઆરસી દ્વારા જાહેર કરાતા ઑડિયન્સનો અંદાજ જાહેરાતના ખર્ચને અસર કરતો હોય છે. પોલીસના જણાવ્યા અનુસાર વાર્ષિક કુલ રૂ. ૩૨૦૦૦ કરોડનો ખર્ચ જાહેરાતો પાછળ કરાયો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે અમુક ઘરોમાં મોનિટરો મૂકીને રૅટિંગમાં વધારો કરાતો હતો.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે તાજેતરની ઘટનાને ધ્યાનમાં લઇને બીએઆરસી બૉર્ડે એવો નિર્ણય લીધો છે કે પોતાની ટૅક્નિકલ સમિતિ હાલની રૅટિંગ પદ્ધતિની સમીક્ષા કરીને એમાં યોગ્ય સુધારો કરીને આ રીતે મોનિટરો દ્વારા વધારવામાં આવતા રૅટિંગને રોકવા માટે યોગ્ય પગલાં દર્શાવે.

તાત્કાલિક ધોરણે આ કવાયતમાં બધી જ હિંદી, સ્થાનિક ભાષાઓ તથા અંગ્રેજી સમાચાર અને વ્યાપાર ચૅનલોને કવર કરવામાં આવશે.

આ કવાયત પૂરી ન થાય ત્યાર સુધી બીએઆરસી બધી જ ભાષાની સમાચાર અને વ્યાપાર ચૅનલો માટેની સાપ્તાહિક વ્યક્તિ રૅટિંગ જાહેર નહીં કરે. આ કવાયત ૮થી ૧૨ સપ્તાહ સુધી ચાલશે અને એમાં વૅલિડેશન તથા ટેસ્ટિંગનો સમાવેશ થાય છે.

આ સિવાય બીએઆરસી સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવાનો અને ગેરકાયદે રૅટિંગમાં ફેરફાર ન થાય એવો પ્રયાસ કરશે.

દરમિયાન, એનબીએએ જણાવ્યું હતું કે એમના મતે ટીઆરપીને સસ્પેન્ડ કરવાનું મહત્ત્વનું પગલું બીએઆરસીએ લીધું છે. એમણે આ ૧૨ સપ્તાહનો ઉપયોગ આખી સિસ્ટમને બદલવા માટે અને સશક્ત બનાવવા માટે કરવો જોઇએ.

ઘણાં વર્ષોથી એનબીએ ટીવી વ્યુવરશીપ ડેટામાં વધઘટ વિશે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.

એનબીએના પ્રમુખ રજત શર્માએ જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલા કૌભાંડને કારણે મૅઝરમેન્ટ ઍજન્સીની બદનામી થઇ છે અને એ સાથે ન્યૂઝ મીડિયાની પણ બદનામી થઇ છે.

ભ્રષ્ટાચાર કરીને ટીઆરપી વધારવાની બાબતે ભારત શું જુએ છે એ વિશે ખોટ્ટા અભિપ્રાય જાહેર થાય છે અને બીએઆરસીએ આવું ભવિષ્યમાં ન થાય એ માટે નક્કર પ્રણાલી બનાવવી જરૂરી છે.

October 15, 2020
fake.jpg
1min8500
Fake News Alert! – FEIC

દેશના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો એ સરકારી યોજનાઓ કે નીતિઓ અંગે કેટલાક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક રીતે ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ સામે કાર્યવાહી કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં નાગરીકોને જણાવવામાં આવ્યું છે કે જો સરકારી યોજના કે નીતિ અંગે કોઇ ફેકન્યુઝ કે લિંક મળે તો તેને વ્હોટ્સએપ નં. 87997 11259 અથવા તો મેઇલ પર મોકલવા માટે જણાવવામાં આવ્યું છે.

પીઆઇબી ખાતું એ ફેકન્યુઝનો ભાંડો ફોડશે એમ જણાવાયું છે.

ફેકન્યુઝ અંગેના ફોટા કે લિંક આ નંબર 87997 11259 પર વ્હોટ્સએપ કરો

હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાના નામે અનેક લોકો પોતાની ખીચડી પકાવી રહ્યા છે. શિક્ષણથી લઇને સબસિડી, આવાસથી લઇને લોન સુધીની કામગીરીમાં સરકારી યોજનાનું નામ વટાવીને કેટલાક લોકોએ છેતરપીંડીની દુકાનો શરૂ કરી દીધી છે. ત્યારે આવી જો કોઇ માહિતી મળે તો તુરંત જ તે અંગેનું રિપોર્ટિંગ કરવા જણાવાયું છે.

October 15, 2020
misile_drdo.jpg
1min5310

ચીન અને પાકિસ્તાન તરફથી ઉભા થયેલા પડકારો વચ્ચે નોંધનીય સિદ્ધિ હાંસલ કરી લેતા ભારત મિસાઈલો મામલે આત્મનિર્ભર બન્યું છે. વિદેશથી મિસાઈલો ખરીદવી નહીં પડે. ડીઆડીઓના ચીફે જણાવ્યું કે સૈન્ય જે પ્રકારની મિસાઈલો માગશે આપણે બનાવવામાં સક્ષમ છીએ.
રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ) ના પ્રમુખ જી. સતીષ રેડ્ડીએ દેશને આશ્વાસન આપ્યું કે હવે સંગઠનની ક્ષમતા એટલી છે કે સૈન્ય જે પ્રકારની મિસાઈલો ઈચ્છશે તેમને બનાવીને આપી દેવાશે.

દેશપાસે કોઈપણ પ્રકારની મિસાઈલ તૈયાર કરવાની ક્ષમતા છે. છેલ્લા 40 દિવસમાં શાર્ય, બ્રહ્મોસ, પૃથ્વી, રૂદ્રમ ઉપરાંત હાઈપરસોનિક ડેવલોપમેન્ટ વીઈકલ્સ, સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ટૉરપિડો સહિત એક પછી એક 10 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસમાં હવે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રેડ્ડીએ વધુમાં કહ્યું કે ભારત છેલ્લા પ-6 વર્ષમાં મિસાઈલ સિસ્ટમ ક્ષેત્રે જેટલું આગળ વધ્યુ છે, તેથી મિસાઈલો મામલે આપણે આત્મનિર્ભર બની ગયા છીએ. સૈન્યની જેવી જરૂરીયાત હશે તે મુજબ મિસાઈલો બનાવી આપવામાં આવશે. આ ક્ષેત્રમાં હવે ખાનગી કંપનીઓ પણ ઉચ્ચસ્તરીય બની છે. તે હવે ભાગીદારી કરવા સક્ષમ બની છે. તે અમારી સાથે મિસાઈલો બનાવી શકે છે અને જરૂરીયાત મુજબ બનાવી શકે છે.

October 14, 2020
iphone12.jpg
2min5340
iPhone 12 mini, iPhone 12, iPhone 12 Professional, iPhone 12 Professional  Max Launched: Value in India, Specs - NewsRaiser

વિશ્વપ્રસિદ્ધ એપલ કંપનીએ તા.13મી ઓક્ટોબર 2020ના રોજ iPhone 12 શ્રેણીના ચાર મોબાઇલ મોડેલ્સનું ઇ-લૉંચિંગ કર્યું હતું. જબરદસ્ત નવા ફિચર હોવાનો દાવો કરતા કંપનીએ કહ્યું કે આ ફોન વિશ્વનો સૌથી વધુ સ્માર્ટ ફોન બન્યો છે. વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

iPhone 12ના બેઝિક મોડેલ iPhone 12 મિનીની અમેરિકામાં બજાર કિંમત રૂ.58,000 છે, જ્યારે ભારતમાં આ જ મોડેલ માટે ગ્રાહકોએ રૂ.79,900 ચૂકવવા પડશે. એપલ કંપની ભારતમાં તેમના ડિવાઇશ બનાવતી નથી અને તેના તૈયાર પાર્ટસ, યુનિટ્સ ઇમ્પોર્ટ કરીને ભારતમાં એનું વેચાણ કરે છે. તેના કારણે ભારતની સિસ્ટમમાં ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યુટીનું ભારણ દરેક યુનિટ પર લાગૂ થાય છે. એ સિવાય પણ કેટલાક અન્ય ખર્ચાઓ, ચાર્જિસ લાગૂ થતા હોઇ, ભારતમાં એપલ કંપનીના ફોનની કિંમત અમેરિકાની કિંમત કરતા વધુ હોય છે.

અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જ એપલ કંપનીએ ભારતમાં કેટલાક ડિવાઇસનું પ્રોડકશન શરૂ કર્યું છે. પરંતુ, આ ડિવાઇસની શ્રેણીમાં iPhone 12 આવતા નથી.

Know iPhone 12 Models & Prices in India

iPhone 12 Mini

सबसे छोटो 5G आईफोन के 64GB मॉडल की कीमत 69,900 रुपये और 128GB मॉडल की कीमत 74,900 रुपये रखी गई है। इसका 256GB मॉडल 84,900 रुपये में खरीदा जा सकेगा। डिवाइस वाइट, ब्लैक, ब्लू, ग्रीन और PRODUCT रेड कलर्स में उतारा गया है। वहीं, US में iPhone 12 Mini की शुरुआती कीमत 699 डॉलर (करीब 51,300 रुपये) रखी गई है।

iPhone 12

स्टैंडर्ड iPhone 12 के 64GB स्टोरेज मॉडल की कीमत 79,900 रुपये और 128GB मॉडल की कीमत 84,900 रुपये रखी गई है। इसका टॉप-ऑफ-द-लाइन 256GB मॉडल 94,900 रुपये का मिलेगा। iPhone 12 को ब्लैक, ब्लू, ग्रीन, वाइट और PRODUCT रेड कलर में उतारा गया है। बात US मार्केट की करें तो यहां iPhone 12 को 799 डॉलर (करीब 58,600 रुपये) की शुरुआती कीमत पर उतारा गया है।

iPhone 12 Pro

नए iPhone 12 Pro के 128GB मॉडल को भारत में 1,19,900 रुपये में और 256GB मॉडल को 1,29,900 रुपये में खरीदा जा सकेगा। iPhone 12 Pro का 512GB मॉडल 1,49,900 रुपये में खरीदा जा सकेगा। यह डिवाइस ग्रेफाइट, सिल्वर, गोल्ड और पैसिफिक ब्लू कलर्स में मिलेगा। यही डिवाइस US मार्केट में 999 डॉलर (करीब 73,300 रुपये) की शुरुआती कीमत पर मिलेगा।

iPhone 12 Pro Max

भारत में iPhone 12 Pro Max के 128GB मॉडल की कीमत 1,29,900 रुपये और 256GB मॉडल की कीमत 1,39,000 रुपये रखी गई है। वहीं, 512GB मॉडल को बायर्स 1,59,000 रुपये में खरीद पाएंगे। सबसे पावरफुल iPhone 12 Pro Max को US में कंपनी 1,099 डॉलर (करीब 80,600 रुपये) की शुरुआती कीमत पर लेकर आई है।