CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 6 of 19 - CIA Live

July 14, 2021
google.jpg
1min652

કંપનીના સમાચારનો ઉપયોગ કરવા બદલ ફ્રૅન્ચ પ્રકાશકે ગૂગલ પાસે રૂપિયાની કરેલી માગણી અંગેના વિવાદને મામલે ગૂગલને ૫૯.૨ કરોડ ડૉલરનો દંડ કર્યો હોવાની ફ્રાન્સના કમ્પિટિશન રૅગ્યુલેટરે મંગળવારે જાહેરાત કરી હતી. 

France Fines Google 500 Million Euros Over News Copyright Row

પ્રકાશકને કઈ રીતે વળતર આપશે તેનો પ્રસ્તાવ જો ગૂગલ બે મહિનામાં રજૂ નહીં કરે તો તેને પ્રતિદિન વધુ ૧૦ લાખ ડૉલરનો દંડ કરવાની રૅગ્યુલેટર એજન્સીએ ધમકી આપી હતી. 
ગૂગલ ફ્રાન્સે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયથી અમે નિરાશ થયા છીએ. દંડની રકમ સમાચારની સામગ્રીના અમે કરેલા વાસ્તવિક ઉપયોગનું પ્રતિબિંબ નથી પાડતી, એમ ગૂગલે કહ્યું હતું. આ મામલાનો અમે વાટાઘાટ મારફતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અમુક પ્રકાશકો સાથે સમાધાન સુધી પહોંચવાની તૈયારીમાં જ હતા. અગાઉ આ વર્ષના આરંભમાં ફ્રાન્સની ઍન્ટીટ્રસ્ટ એજન્સીએ ગૂગલને પ્રકાશકો સાથે ત્રણ મહિનાની અંદર વાટાઘાટ શરૂ કરવાનો કામચલાઉ આદેશ આપ્યો હતો. આ આદેશનો ભંગ કરવા બદલ એજન્સીએ મંગળવારે ગૂગલને દંડ ફટકાર્યો હતો.

July 8, 2021
amazon-digital-kendra-in-su.jpg
1min661

आठ जुलाई (भाषा) अमेजन इंडिया ने गुरुवार को गुजरात के सूरत में अपना पहला डिजिटल केंद्र शुरू किया, जो कंपनी द्वारा 2025 तक भारत के एक करोड़ छोटे और मझोले उद्योगों को डिजिटल बनाने की पहल का हिस्सा है।

कंपनी द्वारा जारी विज्ञप्ति के मुताबिक गुजरात के मुख्यमंत्री विजय रूपानी ने आभासी रूप से इस डिजिटल केंद्र का उद्घाटन किया।

सूरत शहर में सक्रिय लगभग 41,000 एमएसएमई के लिए फायदेमंद साबित होगा।

अमेजन डिजिटल केंद्र एमएसएमई को ई-कॉमर्स से होने वाले फायदों की जानकारी देगा और उन्हें माल भेजने, डिजिटल मार्केटिंग सेवाओं, जीएसटी और कराधान जैसी सेवाओं के लिए भी सहायता देगा।

इस मौके पर अमेजन इंडिया के वरिष्ठ उपाध्यक्ष और कंट्री हेड अमित अग्रवाल ने कहा कि कंपनी ने जब 2013 में देश में अपना परिचालन शुरू किया था, तब ई-कॉमर्स आमतौर पर शहरों से संबंधित था।

उन्होंने आगे कहा कि कंपनी ने विक्रेताओं को पूरे भारत और विश्व स्तर पर ग्राहकों तक पहुंचने में सक्षम बनाने पर ध्यान केंद्रित किया है, और इसके लिए प्रौद्योगिकी, लॉजिस्टिक्स, वितरण बुनियादी ढांचे और डिजिटल भुगतान में उल्लेखनीय निवेश किया है।

अमेज़न इंडिया पर कुल 8,50,000 विक्रेता मौजूद है, जिनमें से इस ई-कॉमर्स दिग्गज़ ने अकेले जनवरी 2020 से अब तक क़रीब 3,00,000 से अधिक विक्रेताओं को प्लेटफ़ॉर्म पर ऑनबोर्ड किया है। फ़िलहाल Amazon पर अकेले गुजरात से ही 1,00,000 से अधिक विक्रेता जुड़े हुए हैं।

कंपनी ने साफ़ किया है कि सूरत में खुले अपने पहले ‘डिजिटल केंद्र’ (Digital Kendra) पर मिलने वाली प्रतिक्रिया को देखते हुए Amazon India जल्द ही देश के अन्य शहरों में भी इनका विस्तार करती नज़र आएगी।

इस बीच गुजरात के सूरत में इस डिजिटल केंद्र के उद्घाटन के दौरान मुख्यमंत्री विजय रूपानी ने अपने वर्चूअल संबोधन में कहा;

“ये काफ़ी अहम क़दम है क्योंकि इसके ज़रिए MSMEs को हालिया चुनौतियों से निपटनें, अपने व्यवसायों को पुनर्जीवित करने और उनके पुनर्निर्माण को लेकर मदद मिलेगी। इस तरह की पहल का के ज़रिए देश का MSME क्षेत्र भारत को $5 ट्रिलियन की अर्थव्यवस्था बनाने के लक्ष्य में अहम योगदान दे सकता है।”

इस मौक़े पर Amazon India के कंट्री हेड अमित अग्रवाल ने बताया कि कंपनी पहले से ही देश में क़रीब 25 लाख MSMEs यूनिट को डिजिटाइज़ कर चुकी है और अब तक भारत में लगभग 10 लाख रोजगार के अवसर पैदा करने में सहयोग प्रदान कर चुकी है।

July 6, 2021
supreme.jpg
1min340

ઈન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની કલમ-66(એ) વર્ષ 2015માં શ્રેયા સિંઘલનાં કેસમાં રદ કરી નાખવામાં આવી હોવા છતાં હજી પણ આખા દેશની પોલીસ આ કાયદાની આ જોગવાઈ હેઠળ કેસ નોંધી રહી હોવાનું જાણીને સુપ્રીમ કોર્ટ તા.5મી જુલાઇ 2021ના રોજ હાથ ધરાયેલી સુનવણી દરમિયાન અચરજ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રદ થઇ ચૂકેલા આઇ.ટી. કાયદા હેઠળ હજુ પણ કેસો દર્જ કરવાની બાબત ચોંકાવનારી, પરેશાન કરનારી, ભયાનક અને આશ્ચર્યજનક છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ પણ માગવામાં આવ્યો છે. અરજદારે કહ્યું હતું કે, વર્ષ 2015માં જે કાનૂની જોગવાઈ રદ થઈ ગઈ છે તેનાં હેઠળ જ દેશભરમાં હજારોની સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે અને પેન્ડિંગ છે.

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માગણી કરવામાં આવી હતી કે દેશનાં તમામ પોલીસ સ્ટેશનોમાં કલમ 66-એ હેઠળ કેસ નહીં નોંધવાની સૂચના આપવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે.

તા.5મી જુલાઇ 2021ના રોજ આ કેસની સુનાવણીમાં જસ્ટિસ રોહિંટન એફ નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલો જાણીને કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે 2015માં શ્રેયા સિંઘલ સંબંધિત વિવાદમાં સર્વોચ્ચ અદાલતે કલમને નાબૂદ કરી નાખી હોવા છતાં હજી પણ તેનાં હેઠળ કેસ નોંધાઈ રહ્યા છે. આ તો ભયંકર સ્થિતિ છે.

સુનાવણીમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સરકાર અને પોલીસનાં બચાવમાં એવું કહ્યું હતું કે, આ જોગવાઈ રદ કરવામાં આવી છે પણ બેયર એક્ટમાં હજી પણ કલમ 66-એનો ઉલ્લેખ છે અને તેમાં નીચે લખવામાં આવેલું છે કે સુપ્રીમ કોર્ટે તેને રદ કરી છે. જેને પગલે ગુસ્સે થયેલી અદાલતે કહ્યું હતું કે, શું પોલીસ તેમાં નીચે જોઈ નથી શકતી? આ મામલે કેન્દ્ર સરકાર બે સપ્તાહમાં જ પોતાની જવાબ દાખલ કરે. કારણ કે આ તો સ્તબ્ધકારી છે.

ઉલ્લેખનીય છે કે આઈટી એક્ટની કલમ 66-એનો ઉપયોગ નાગરિકો ખિલાફ વાંધાજનક ઓનલાઈન પોસ્ટ માટે કરવામાં આવતો હતો. જેને શ્રેયા સિંઘલનાં કેસમાં ગેરબંધારણીય કાનૂની જોગવાઈ ઠરાવીને રદ કરી નાખવામાં આવી હતી. તેમ છતાં 11 રાજ્યોની જિલ્લા અદાલતો સમક્ષ આ કાયદા હેઠળ હજી પણ એક હજારથી વધુ કેસ પેન્ડિંગ કે ચાલી રહ્યાં છે. આ કાયદામાં વાંધાજનક પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝરની ધરપકડ કરવાની સત્તા પોલીસને મળેલી હતી. સુપ્રીમ કોર્ટે તેને અભિવ્યક્તિની આઝાદીનો ભંગ કરતી કાનૂની વ્યવસ્થા ગણાવીને ખારિજ કરી હતી.

July 1, 2021
pm_modi1.jpg
1min1091

Jayesh Brahmbhatt 98253 44944

ઐતિહાસિક મૂલ્યો ધરાવતું સુરત જિલ્લામાં આવેલું હરીપુરા ગામ આજે ટ્વીટર પર ભારે ટ્રેન્ડ થયું હતું. આજે સવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ સુરત જિલ્લાના હરીપુરા ગામના ઉલ્લેખ સાથે ટ્વીટ કર્યું તે તેના રિપ્લાયમાં બપોરે વડાપ્રધાન શ્રી મોદીએ પણ હરીપુરા ગામના નામનો ઉલ્લેખ કરીને તેની ઐતિહાસિક મહત્વતા અંગે ટ્વીટ કર્યું હતું. સુરત જિલ્લાના હરીપુરા ગામ અંગે પી.એમ. મોદીએ ટ્વીટ કર્યાના 15 મિનિટમાં જ 575થી વધુ લોકોએ તેને રીટ્વીટ તથા દોઢ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું હતું.

ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામૂન્દઝઇએ આજે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનું નામ લખતા સમગ્ર ભારતમાં આ ટ્વીટ વાઇરલ થઇ હતી.

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દઝઇએ આજે સવારે એક ટ્વીટ કરીને એક તબીબને સવાલ કર્યો હતો કે તમે ગુજરાતના સુરતના હરીપુરા ગામનો ઉલ્લેખ કરો છો?

PM મોદી પણ ટ્વીટર રિપ્લાયમાં જોડાયા

વડાપ્રધાન શ્રી મોદીએ આજરોજ તા.1 જુલાઇ 2021ના રોજ બપોરે કરેલા એક ટ્વીટમાં સુરત જિલ્લામાં આવેલા હરીપુરા ગામનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ગુજરાતમાં આવેલું હરીપુરા ગામ પણ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. વાસ્તવમાં પી.એમ. શ્રી મોદીએ અફઘાનિસ્તાનના ભારતમાં રાજદૂત ફરીદ મામૂન્દઝઇની એક ટ્વીટના રિપ્લાયમાં સુરત જિલ્લાના હરીપુરા ગામનો ઉલ્લેખ કર્યો હતો.

શું છે હરીપુરા ગામની હિસ્ટ્રી

આપને જણાવી દઇએ કે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં કડોદ નજીક આવેલુ હરીપુરા ગામ ઐતિહાસિક મૂલ્યો ધરાવે છે, અહીં 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ચાર દિવસિય અધિવેશન મળ્યું હતું જેમાં આઝાદીની લડત અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. આ અધિવેશન માટે હરીપુરા ગામની પસંદગી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી.

June 29, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min354

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટ્વિટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા બાદ ભારતમાં ટ્વિટરને ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાતે ટ્વિટરે વિવાદિત નકશો વેબસાઈટ પરથી હટાવી લીધો છે.

સોમવારની સવારે ટ્વિટરની વેબસાઈટ પર આ વિવાદિત નકશો સામે આવ્યો હતો. વેબસાઈટ પર કરિયર સેક્શનમાં ટ્વીટર લાઈફ શીર્ષક હેઠળ આ વિવાદિત નકશો દર્શાવવામાં આવ્યો હતો. નવા આઈટી રૂલ્સને લઈને ટ્વિટરનો ભારત સરકાર સાથે તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિવાદિત નકશો સામે આવ્યા બાદ ટ્વિટરની મંશા પર અનેક સવાલો ઊભા થયા હતા. જેના કારણે ટ્વિટરને લોકોની ભારે ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતવાસીઓએ પણ આ વિવાદિત નકશોને લઈને ભારે વિરોધ દર્શાવ્યો હતો અને માઈક્રોબ્લોગિંગ મંચની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એ પછી તો ટ્વિટર પર #TwitterBan ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

આવું પહેલીવાર નથી બન્યું કે ટ્વિટરે ભારતના નકશોને ખોટી રીતે દર્શાવ્યો હોય. આ પહેલાં ટ્વિટરે લેહને ચીનનો ભાગ દર્શાવ્યો હતો. વાત એમ છે કે, ભારત સરકાર સતત દેશના નવા આઈટી રૂલ્સની જાણી જોઈને આંખ આડા કાન કરવાનો આરોપ ટ્વિટર પર લગાવી ચૂકી છે.

નવા નિયમો હેઠળ આ માઈક્રોબ્લોગિંગ મંચને મધ્યસ્થી તરીકેની મળેલી કાયદાકીય રાહત સમાપ્ત થઈ ચૂકી છે અને એવામાં ઉપયોગકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં કોઈ પણ ગેરકાયદેસરની પોસ્ટ માટે ટ્વિટર જવાબદાર રહેશે. રવિવારે જ ભારતમાં ટ્વિટરના વચગાળાના ફરિયાદી અધિકારી ધર્મેન્દ્ર ચતુરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. ધર્મેન્દ્ર ચતુરની તાજેતરમાં જ નિયુક્તિ થઈ હતી.

June 17, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min389

ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ સરકારનું પગલું

ટ્વિટર પર કોઈ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવે તો તેને જવાબદાર ગણવામાં આવશે. જાણીબૂઝીને સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરની બુધવારે ઝાટકણી કાઢી હતી.

કાયદાનો અમલ કરાવનારી સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધવા ઓફિસરની નિમણૂક કરવી ઈન્ટર મીડિયરી ગાઈડલાઈન્સ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) હેઠળ જરૂરી છે. આ ગાઈડલાઈન્સનું ટ્વિટરે સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ભારતમાં ઈન્ટરમીડિયરી સ્ટેટસ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) ગુમાવવું એટલે કોઈ યુઝર ગેરકાયદે સામગ્રી અપલોડ કરે તો પણ તે પ્લેટફોર્મને પબ્લિશર તરીકે ગણી લઈ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કેટલીક વાંધાજનક પોસ્ટ હટાવવા અને તેવી ‘પોસ્ટ’ પ્રથમ કરનારાની માહિતી સોશિયલ મીડિયાએ સરકારી એજન્સીને આપવી પડે તેવા આઈટી નિયમો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. ફેસબુક, વૉટ્સઍપ, ટ્વિટર વિગેરે પર ‘પોસ્ટ’ થતી સામગ્રી પર નિયંત્રણ મેળવવા સરકારનું લક્ષ્ય છે.

પાંચમી જૂને આઈટી મંત્રાલયે ટ્વિટરને પત્ર લખી નિયમોનું પાલન કરવા કહ્યું હતું. ટ્વિટરે મંગળવારે કહ્યું હતું કે ‘વચગાળાના ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને થોડા સમયમાં મંત્રાલયને વિગતવાર માહિતી આપીશું.

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ‘તાવિજ’ના વેચાણ બાબતમાં થયેલા વિવાદના સંદર્ભમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ફેક ન્યૂઝને ઉઘાડા પાડવામાં ટ્વિટરે રસ લીધો નથી. આ તેના ‘મનમાની’ અભિગમનું ઉદાહરણ કહી શકાય.

તેમણે કહ્યું કે ‘ફેક્ટ ચેકિંગ મિકેનિઝમ બાબતમાં ટ્વિટર અતિ ઉત્સાહી હોય છે, પણ ઉત્તર પ્રદેશના તાજેતરના કેસમાં ફેક્ટ ચેકિંગ કરવામાં ટ્વિટર નિષ્ફળ ગયું છે.

ભારતની ફાર્મા અથવા આઈટી અથવા અન્ય કંપની અમેરિકા અથવા અન્ય દેશમાં બિઝનેસ કરે ત્યારે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે તેવું તેમણે કહ્યું હતું.

ખોટા વિવાદનો ભોગ બનેલાઓને વાચા આપવા તૈયાર કરાયેલા ભારતીય કાયદાઓનું પાલન કરવામાં ટ્વિટર જેવા પ્લેટફોર્મ કેમ તૈયાર થતા નથી? તેવો પ્રશ્ર્ન તેમણે પૂછયો હતો.

ભારતની સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે અને ફેક ન્યૂઝની ચિનગારી સોશિયલ મીડિયા પર અનેકગણી ફેલાઈને આગ લાગવાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા ‘ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ’ તૈયાર કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની માહિતી નહીં આપવા બદલ આઈટી મંત્રાલયે ટ્વિટરને પ્રશ્ર્ન કર્યો હતો. કંપની દ્વારા નિમાયેલો ‘રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારી’ અને ‘નોડલ કોન્ટેક્ટ પર્સન’ નિયમ અનુસાર ટ્વિટર કંપનીનો કર્મચારી હોવો જોઈએ પણ તે નિયમનું પાલન થયું નથી તેવું મંત્રાલયે જણાવ્યું હતું.

દરમિયાન આઈટી ઉદ્યોગના અગ્રણી ટી. વી. મોહનદાસ પાઈએ આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર વિચારધારાયુક્ત પક્ષપાતી બની ગયું છે અને નિષ્પક્ષ રહ્યું નથી. સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ ટ્વિટર સામે પગલાં લેવા તેમણે સરકારને વિનંતી કરી હતી. લગભગ દરેક કંપનીએ ગાઈડલાઈન્સનું પાલન કર્યું છે અને ટ્વિટર અથવા અન્ય કોઈ કંપનીને વિશેષ ગણવાની આવશ્યકતા નથી.

વૈશ્ર્વિક ટેક્નિકલ કંપનીઓના એકપક્ષી વલણ સામે આજે બધા નાગરિકોએ સહન કરવું પડે છે.

June 6, 2021
Twitter_bird_logo_2012.svg_.png
1min324

ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી દીધી છે. કેન્દ્ર સરકારે ટ્વિટરને જણાવ્યું છે કે નવા ડિજિટલ નિયમોનું પાલન કરે નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. શનિવારે ટ્વિટર દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી વેરિફાઈ બ્લુ ટિક દૂર કરી દેવાયું હતું અને બાદમાં તેને રિસ્ટોર કરાયું હતું.

આ ઉપરાંત ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનવેરિફાઈડ કર્યા હતા. કન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ગ્રુપ કો-ઓર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જૂનના ટ્વિટરને લખેલા પત્રમાં ન તો ડિજિટલ નિયમો લાગુ કરવા અંગે સ્પષ્ટિકરણ છે ન તો તેને અમલમાં લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય મંત્રાલયે નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021ના લખેલા પત્રના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે કે ટ્વિટરે આજદિન સુધી કમ્પ્લાયન્સ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી તેમજ નોડલ અધિકારીની વિગતો આપી નથી. ટ્વિટરનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમ મુજબ નથી.

May 27, 2021
whatsapp.jpg
1min337

વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.

વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.

અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.

વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.

સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.

દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.

May 22, 2021
air-india.jpg
1min430

સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.

એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.

એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’

એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.

સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી

May 20, 2021
CIA_Live_Logo_New2.jpg
8min712

આ વિડીયો જુઓ અને એ પ્રમાણે ઘરે ટેસ્ટ કરી શકશો

આ વિડીયો અમે અહીં તા.20 મે 2021ના રોજ સાંજે 5 કલાકે પોસ્ટ કર્યો હતો, એ પછી પ્રકાશકોએ યુ ટ્યુબ પર તેને પ્રાઇવેટ કરી દીધો હતો.

એકાદ અઠવાડીયાના સમયગાળામાં હોમ બેઝ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ બજારમાં મળતી થઇ જશે

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.19મી મે 2021ના રોજ મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટીંગને વધુ વ્યાપક અને છેવાડા સુધી પહોંચાડવા માટે ટૂંક સમયમાં ભારતમાં હોમ (ગૃહ) બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટ શક્ય બનશે. કોરોનાના કોઇપણ લક્ષણ ધરાવતી વ્યક્તિ મેડીકલ સ્ટોર પરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદીને પોતાનો ટેસ્ટ જાતે કરી શકશે અને તેનું રિપોર્ટિંગ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન મારફતે થઇ શકશે. ગ્રામિણ વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી કોરોના ટેસ્ટિંગની સુવિધા નથી અગર તો વિલંબથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં આ પદ્ધતિ મારફતે ઘનિષ્ટ ટેસ્ટીંગ થઇ શકે તેમ હોવાથી આઇ.સી.એમ.આર.એ ભારતમાં હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

Now, test for Covid-19 at home and get result in 15 minutes: 10 things to  know

ફક્ત કોરોનાના નિર્ધારિત લક્ષણો પૈકી કોઇ એક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી શકશે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો માટે આ ટેસ્ટ આશીર્વાદ રૂપ બની શકે છે.

ઘરે કોરોનાની ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviSelfTM)- પેથોકેચ બનાવવામાં આવી છે. આને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સૉલ્યૂશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગને લઈને એક એપ પણ બનાવવામાં આવી છે, જેના પ્રયોગની રીત જાણી શકાય. જો કે, આઇસીએમઆરે આના અંધાધુંધ ઉપયોગને લઈને ચેતવણી આપી છે.

આઇસીએમઆરે કહ્યું કે ટેસ્ટ કિટ સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી આપે છે. આના દરેક યૂઝરને સલાહ છે કે તે ટેસ્ટ પૂરી કર્યા પછી આવેલા પરિણામનો એક ફોટો મોબાઇલ પર લેવો અને એપ પર અપલોડ કરવો. જેથી ફોનમાં રહેલ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકઠો થશે અને આઇસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. આઇસીએમઆરે કહ્યું કે તેમની પાસે દર્દીઓની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.

ICMRએ કહ્યું – જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવે, તે પોતાને સંક્રમિત માને- ICMRએ ટેસ્ટ કિટ્સના દુરુપયોગને અટકાવવા માટે કહ્યું કે તે આનો ઉપયોગ એવા લોકો કરે, જેમને કોવિડ-19ના લક્ષણ છે અથવા તે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ કોરોના સંક્રમિત છે. આના અંધાધુંધ ટેસ્ટિંગની સલાહ આપવામાં આવતી નથી. જેટલા પણ લોકોનો ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે ખરેખર પૉઝિટીવ માનવામાં આવે અને વારંવાર ટેસ્ટિંગની કોઇ જરૂર નથી.

કેટલી હશે ટેસ્ટની કિંમત
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આ ટેસ્ટ કિટ બનાવનારી કંપની માઇલેબે પણ આની કિંમત નક્કી કરી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લૉન્ચિંગના સમયે આના લોકોને 250 રૂપિયા પ્રતિ કિટ પ્રમાણે ચૂકવવાના રહેશે. કંપનીના એમડી પ્રમાણે, આ ટેસ્ટ કિટ આવતા અઠવાડિયે માર્કેટમાં આવી શકે છે.

15 મિનિટમાં આવશે પરિણામ
કહેવામાં આવ્યું છે કે આની મદદથી ટેસ્ટ રિઝલ્ટ જાણવામાં વધારેથી વધારે 15 મિનિટનો સમય લાગશે. પૉઝિટીવ પરિણામ ફક્ત પાંચથી 7 મિનિટમાં જ ખબર પડી જશે, જ્યારે નેગેટિવ રિઝલ્ટ વિશ વધુમા વધુ 15 મિનિટ લાગશે. આ સિવાય ટેસ્ટ કરનાર વ્યક્તિએ પોતાના ફોનમાં માયલેબ કોવેસેલ્ફ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

News In English

Here is all you need to know about the home-based rapid antigen testing kit for Covid-19:

1) The home-based rapid antigen testing kit manufactured by Mylab Discovery Solutions Ltd, Pune, has been validated and approved by the ICMR.

2) Only a nasal swab will be required for this rapid antigen testing.

3) The name of the kit is CoviSelfTM(PathoCatch) COVID-19 OTC Antigen LF device.

4) The kit comes with a pre-filled extraction tube, a sterile nasal swab, one test card, and a biohazard bag. The person undertaking the test will have to download the Mylab coviself app on their mobile phone.

5) The home testing mobile app is available in Google play store and Apple store and must be downloaded by all users.

6) The mobile app is a comprehensive guide of the testing procedure and will provide a positive or negative test result to the patient.

7) There will be two sections on the test card—the control section and the test section.

8) If the bar shows up only at the control section ‘C’, the result is negative, and if the bar appears on both the control section and test (T) section, the test is positive.

9) According to a report in Hindustan Times, the test kit will be priced at ₹250 per kit.

10) It takes 2 minutes to conduct test & 15 minutes to get a result. It will be available by end of next week in more than 7 lakh pharmacies & our online pharmacy partners across India

The Indian Council of Medical Research (ICMR) has approved a home-based rapid antigen testing (RAT) kit for Covid-19, which will be soon available in the market and can be used for detecting positive cases in home setting.

“Home testing by RAT is advised only in symptomatic individuals and immediate contacts of laboratory confirmed positive cases,” ICMR said in an advisory issued on Wednesday.

The move is expected to make testing widely available and accessible, particularly in rural areas. Besides, home-based RAT would also mean symptomatic people will not necessarily have to step out for testing, lowering the risk of transmission.

The Council also advised against indiscriminate testing. It also said that all test positive individuals are advised to follow home isolation and care as per the ICMR protocol.

Currently, the approved kit is manufactured by Mylab Discovery Solutions and home testing should be conducted as per the procedure described by the manufacturer in the user manual. The home testing mobile App is available in Google play store and Apple store and must be downloaded by all users.

All users are advised to click a picture of the test strip after completing the test procedure with the same mobile phone which has been used for downloading the mobile app and user registration.

Data in the App of mobile phone will be centrally captured in a secure server which is connected with the ICMR Covid-19 testing portal, where all data will be eventually stored.

Manufacturer’s instructions must be strictly followed for disposal of the test kit, swab and other materials.

All individuals who test positive may be considered as true positives and no repeat testing is required, ICMR said.