CIA ALERT

કર્ણાટકમાં CM યેદિયુરપ્પાનું રાજીનામું

Share On :

કર્ણાટકમાં મુખ્યમંત્રીની બીજી ટર્મના બે વર્ષ પૂર્ણ થતાં જ આખરે યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યાની જાહેરાત કરતાં જ ઘણા સમયથી ચાલી રહેલી તેમની વિદાયની અટકળો આખરે સાચી પડી છે. છેલ્લા બે દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બની રહેલા યેદિયુરપ્પાને સ્થાને હવે કોને સીએમની ખુરશી સોંપવી તે ભાજપ માટે કોઈ ચેલેન્જથી કમ નહીં હોય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યેદિયુરપ્પાએ નવી દિલ્હીનો અચાનક પ્રવાસ કરીને પક્ષના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તે સાથે જ હવે તેમની વિદાયનો સમય આવી ગયો છે તેવી જોરદાર ચર્ચા શરુ થઈ હતી.

ભાજપ માટે બીએસ યેદિયુરપ્પાનો વિકલ્પ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે. યેદિયુરપ્પા પાસે 4 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાના અનુભવ સાથે પ્રભાવશાળી લિંગાયત સમુદાયનું સમર્થન પણ પ્રાપ્ત છે. એવામાં કર્ણાટકની કમાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહ્યા છી. જે નામોની ચર્ચા ચાલી રહી છે તેને અફવા ગણાવવામાં આવી રહી છે. આમ છતાં કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે. તેણે સરકારના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ જાહેરાત કરી છે. તેમણે રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ બનવાની ઈચ્છા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, “મારો રાજ્ય છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. હું કર્ણાટકના લોકોના કલ્યાણ માટે કામ કરતો રહીશ.” તેણે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી તે અંગે આનંદ વ્યક્ત કરતા એક ટ્વિટ પણ કર્યું હતું. હવે તેમના પછી રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી કોના હાથમાં આવશે તેને લઈને કેટલાક નામો ચર્ચામાં તેના પર એક નજર કરી લઈએ..

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :