જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટનનાં વડાં પ્રધાને ઘટનાને ‘શરમજનક દાગ’ ગણાવ્યો
બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બુધવારે કહ્યું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ ઈન્ડિયન ઈતિહાસ પર ‘શરમજનક દાગ’ છે. જો કે તેમણે વિધિવત માફી માગી ન હતી. થેરેસા મેએ એક નિવેદનમાં કહ્યું કે ‘1919ની જલિયાંવાલા બાગ કરુણાંતિકા બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર શરમજનક દાગ છે. 1997માં જલિયાંવાલા બાગની મુલાકાત લેતા અગાઉ હર મેજેસ્ટી ધ ક્વિન (એલિઝાબેથ દ્વિતીય)એ કહ્યું હતું તે પ્રમાણે ભારત સાથેના આપણા ભૂતકાળના ઈતિહાસમાં કરુણ બનાવ છે.’ થેરેસા મેએ રાષ્ટ્રવતી ઔપચારિક માફી ન માગી હતી અને ફક્ત ‘ખેદ’ વ્યક્ત કર્યો હતો. સંસદમાં વિવિધ નેતાઓ દ્વારા વિધિવત માફીની માગ કરવામાં આવી હતી, પણ વડા પ્રધાન મેએ કહ્યું કે ‘જે થયું હતું અને જે યાતના સહન કરવી પડી હતી તેનો અમને ખૂબ જ ખેદ છે.’
મંગળવારે વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્વિને માગ કરી હતી કે ‘જે થયું હતું તેને માટે સંપૂર્ણ, સ્પષ્ટ માફી’ હોવી જોઈએ. 13મી એપ્રિલ 1919ના દિવસે જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો અને આગામી શનિવારે તે કરુણાંતિકાને સદી પૂરી થશે તે ધ્યાનમાં રાખી મંગળવારે બ્રિટિશ સાંસદોએ વિધિવત માફીના મુદ્દા પર વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચા કરી હતી.
ભારતીય મૂળના સાંસદ પ્રીતકૌર ગિલે કહ્યું હતું કે ‘હત્યાકાંડમાં બ્રિટનની ભૂમિકાનો યુકે સરકારે સ્વીકાર કરવો જોઈએ અને ઔપચારિક માફી માગવી જોઈએ.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
