હવે લાંચ આપનાર પણ ભેરવાશે ને પણ થશે સજા, સજાની જોગવાઇ
લાંચ આપનારને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરતો નવો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો રાજ્યસભામાં પસાર કરાયો હતો. ૩૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં પ્રિવેન્શન ઑફ કરપ્શન (સુધારો) ખરડાએ કેટલીક કલમોમાં ફેરફાર કર્યા છે. આ ખરડો મૌખિક મતદાન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના પર્સોનેલ ખાતાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનો આ ઐતિહાસિક ખરડો છે. ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અને નિવૃત્તિ બાદ પણ અમલદારો સામે ખોટી ફરિયાદો ન થાય એ માટે ખરડામાં અનેક કલમ ઉમેરવામાં આવી છે.
એક તરફ કાયદાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, તો બીજી તરફ એનો અમલ કરતા અમલદારોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ખરડો હવે લોકસભામાં મંજૂરી માટે જશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
