BNI ચાણક્યના લોન્ચ સાથે BNI સુરતે 15મું ચેપ્ટર ઉમેર્યું

સુરત, 31ઓગસ્ટ, 2018 – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) સુરતે 29મી જુલાઇ 2016ના રોજ સ્થાપના બાદ રેફરલ માર્કેટિંગ તરીકે ઓળખાતા સુપરલેટિવ ટેક્નો-નેટવર્કિંગ (ટેક્નોલોજી આધારિત નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન)ના 15માં ચેપ્ટર બીએનઆઇ ચાણક્યના લોન્ચની જાહેરાત કરી છે.શહેરના ડુમસ રોડ ખાતે ટીજીબી હોટલમાં આયોજિત બીએનઆઇ ચાણક્યના ભવ્ય લોન્ચ પ્રસંગે સુરતના 200થી વધુ અગ્રણી કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બીએનઆઇ ચાણક્યચેપ્ટરમાં 51સ્થાપક સભ્યો સામેલ છે, જેઓ ચેપ્ટર્સમાં વિવિધ બિઝનેસ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિવિધ ક્ષેત્રોમાં કામગીરી ધરાવે છે.
મહત્વપૂર્ણ છે કે બીએનઆઇ સુરતે માત્ર બે વર્ષમાં જ કુલ 15ચેપ્ટર્સ લોન્ચ કર્યાં છે તથા 1,050થી વધુ સભ્યો ધરાવે છે. આગામી મહિનાઓમાં બીએનઆઇ સુરત વધુ 7 ચેપ્ટર્સ લોન્ચ કરીને 350થી વધુ સભ્યોને ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે. બીએનઆઇ સુરતે નોલેજ સિરિઝ, એક્ઝિમ ફોરમ અને બી2બી ટેક્સટાઇલ ફોરમ જેવી પ્રાદેશિક સ્તરે પહેલ પણ કરી છે, જેને ખુબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ) વિશ્વનું સૌથી મોટું અને 33 વર્ષ જૂનું રેફરલ ઓર્ગેનાઇઝેશન છે. સુરતના જાણીતા સીએ ગૌરવ વી. સંઘવી અને ડો. નીધિ સંઘવીએ જુલાઇ 2016માં સુરતમાં તેની સ્થાપના કરી હતી અને તેઓ બીએનઆઇ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે.બીએનઆઇ સુરત વિવિધ ક્ષેત્રના હજારો કારોબારીઓને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને કારોબારમાં વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બન્યું છે. બીએનઆઇ સકારાત્મક અભિગમ સાથે સભ્યોને સહયોગ આપે છે, જેની મદદથી તેઓને કારોબાર વિસ્તારવામાં મદદ મળે છે. બીએનઆઇની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રોફેશનના એક સભ્યને જ બીએનઆઇ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ કરવા મળે છે.
-x-x-x-
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


