CIA ALERT

Blog - Page 134 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 30, 2022
darshna_jardos.jpg
1min982

Jayesh Brahmbhatt 98253 44944

ટેક્ષટાઇલ ઉધોગમાં મશીનરી અને ટેક્નોલોજીના અપગ્રેડેશન માટેની ટફ (ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ) સ્કીમ અને એ ટફ સ્કીમમાં પેન્ડીંગ રહી ગયેલી એપ્લિકેશનના સેટલમેન્ટ માટે આજથી બે દિવસ માટે રિંગરોડ પર મંત્રા સંકુલ ખાતે વસ્ત્ર મંત્રાલય દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદઘાટન વસ્ત્ર રાજ્યમંત્રી દર્શના જરદોષે કર્યું હતું.કેમ્પના ઉદઘાટન સમયે કપડામંત્રી દર્શના જરદોષે પોતાના આક્રમક મિજાજનો પરચો આપતા કહ્યું કે કેમ્પનું આયોજન ઓન ધ સ્પોટ અરજીનો નિકાલ થઇ શકે તે માટે થયું છે. જ્યાં સુધી જુની અરજીઓનું સેટલમેન્ટ નહીં થાય ત્યાં સુધી નવી સ્કીમ નહીં આવી શકે. આજના કેમ્પમાં જુદી જુદી બેંકના સ્વતંત્રતાથી નિણર્ય લઇ શકે તેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કે નહીં તે અંગે પોતે જ હાજરી લેતા દર્શના જરદોષે કહ્યું કે તમે ઓન ધ સ્પોટ નિર્ણય લઇ શકો તેટલા પાવર ધરાવતા હોય તો જ મિટીંગમાં બેસજો. તેમણે બેંકોના અધિકારીઓને ખાસ પૂછ્યું કે તમારી પાસે ઓન ધ સ્પોટ લોન મંજૂર કરવાની સત્તા છે કે નહીં, તેમણે કલેક્ટર કચેરીના નોડલ અધિકારીની અનુપસ્થિતિની પણ ગંભીર નોંધ લીધી હતી.કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે કહ્યું કે પેન્ડીંગ રહી ગયેલા કેસોમાં અનેક વખત પ્રોસિડિંગ અને મુદતો આપવામાં આવી છે. હવે સુરતના આંગણે આ છેલ્લો કેમ્પ છે, જે અરજદારો અગાઉ ક્યાંય ઉપસ્થિત રહ્યા નથી તેમને પણ તક આપવામાં આવી છે. હવે પછી તેમની અરજીનો નિકાલ થઇ શકશે નહીં.

બેંકોની આડોડાઇને કારણે અરજદારોને ભોગવવું પડ્યું

ટફ સ્કીમ, એ ટફ સ્કીમના કેમ્પમાં આજે રજૂઆત કરવા માટે આવેલા અરજદારોએ રજૂઆત કરી કે કેટલીક બેંકોના અધિકારીઓની આડોડાઇને કારણે તેમણે કરોડો રૂપિયાની મશીનરી અને ટેક્નોલોજી નવી વસાવી હોવા છતાં મહિનાઓ સુધી તેમને ઇન્વેસ્ટમેન્ટ પર મળતી સબસિડીથી વંચિત રહેવું પડ્યું છે. બેંકો દ્વારા કેટલાક કેસોમાં ખોટી રીતે ફાઇલો દબાવી રાખીને પ્રક્રિયામાં જ વિલંબ કરવામાં આવ્યો હોવાનું પણ જણાય આવ્યું હતું. બેંકોની આવી આડાઇ સામે આજે ખુદ કપડા રાજ્યમંત્રી દર્શના જરદોષ પણ ગુસ્સામાં જણાયા હતા.
હેડિંગ બોક્સનવી સબસિડી યોજનામાં અરજદારે ઓનલાઇન પ્રોસિજર કરવાની રહેશેઃ દર્શના જરદોષકપડા રાજ્યમંત્રી દર્શના જરદોષે આજે ટફ સ્કીમની પેન્ડીંગ અરજીના નિકાલ માટેના કેમ્પને સંબોધતા જણાવ્યું કે અત્યાર સુધીની ટફ યોજનાના અમલી કરણમાં જેટલા પણ છીંડાઓ, મુશ્કેલીઓ, સમસ્યાઓ નડી છે તે ભવિષ્યની સબસિડી યોજનામાં નહીં નડે. હવે કેન્દ્ર સરકારે એવી જ યોજના તૈયાર કરી રહી છે જેમાં અરજદારે જાતે ઓનલાઇન એપ્લિકેશન કરવા ઉપરાંત દરેક સ્તરે અરજદાર સ્વયં પોતાની એપ્લિકેશન આગળ ધપાવી શકશે. બેંકો કે અન્ય કોઇ સરકારી અધિકારી ઇચ્છશે તો પણ કોઇ અરજદારની અરજી છુપાવી શકશે નહીં.

ટફ અન્વયે 1577 એપ્લિકેશનો પેન્ડીંગ, મોટા ભાગની અપૂરતા દસ્તાવેજોવાળી અરજીઓ

શહેરના રિંગરોડ પર આવેલા મંત્રા સંકુલમાં આજથી બે દિવસ માટે વસ્ત્ર મંત્રાલયના ટફ સ્કીમમાં પેન્ડીંગ અરજીઓના નિકાલ માટેના કેમ્પને સંબોધતા મુંબઇ ટેક્ષટાઇલ મંત્રાલય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ઉષા પોલે જણાવ્યું હતું કે કુલ 1577 અરજીઓ પેન્ડીંગ છે. તેમાંથી મોટા ભાગની અરજીઓ એવી છેકે જેમણે 6 અલગ અલગ દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે તેમાંથી એક પણ દસ્તાવેજ બાકી હોય તો જે તે અરજદારની મશીનરી કે ટેક્નોલોજીનું ફિઝિકલ વેરિફિકેશન નહીં થઇ શકે. આવા અરજદારોને અનેક વખત લેખિતમાં, મેઇલથી જાણ કરીને પૂર્તતા કરવા માટે જણાવાયું છે છતાં તેમના 70 ટકા લોકોએ કોઇ જ પ્રતિસાદ પાઠવ્યો નથી. આથી હવે છેલ્લા પ્રયાસરૂપે સુરતના મંત્રા સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

May 30, 2022
Cia_business_news-1280x936.jpg
1min649

ડાયમંડ ઉદ્યોગને ઉપયોગમાં આવે એવી ટેક્નોલોજી અને મશીનરીની વૈશ્વિક કંપની સરીન દ્વારા તાજેતરમાં સુરતના 200થી વધુ હીરા પેઢીઓ પર જઇને કોર્ટ કમિશનની કાર્યવાહી કરવામાં આવતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો અને હીરા ઉદ્યોગની આ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક વિદેશી કંપની સામે દેશી ટેક્નોલોજી ઉત્પાદક તથા ઉદ્યોગકારો સાથે મળીને લડત આપશે. સ્થાનિક સ્તરે કોર્ટ કમિશન સામે વાંધો ઉઠાવવાથી લઇને કોર્ટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના નામે લડી લેવાનો મક્કમ નિર્ધાર આજે મળેલી મિટીંગમાં કરવામાં આવ્યો છે.વિશ્વ વિખ્યાત ડાયમંડ ટેક્નોલોજી અને મશીનરી ઉત્પાદક કંપની સરીનના સત્તાધીશોએ સુરતની હીરા પેઢીઓ પર કોપીરાઇટ સંદર્ભની કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને હીરા ઉધોગને છંછેડવામાં આવ્યા હતા. હવે પરીણામ એ આવ્યું છે કે સમગ્ર હીરા ઉદ્યોગ એક થઇને હવે વિદેશી વિરુદ્ધ દેશીનો જંગ ખેલવા માટે તૈયારી કરી ચૂક્યો છે.આજે બપોરે ત્રણ કલાકે મિનિબજાર ખાતે સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ મળેલી મિટીંગમાં હજારોની સંખ્યામાં ટેક્નોલોજી ઉત્પાદક અને વપરાશકર્તા બન્ને ઉપસ્થિત રહ્યા હતા અને મેક ઇન ઇન્ડિયા અને વિદેશી વિરુદ્ધ દેશીના નારા સાથે સરીન કંપનીની દબાવી દેવાની પ્રવૃતિ સામે ત્રણ તબક્કાએથી લડત શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. વિદેશી વિરુદ્ધ દેશીની આ લડાઈ કેવી હોવી જોઇએ એ બાબતે સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા, ડાયમંડ એસોસીએશનના મંત્રી દામજીભાઇ માવાણી, એડવોકેટ પ્રવીણભાઇ દેવમૂરારી વગેરેએ માર્ગદર્શન આપ્યું હતું.

સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએસનની સ્થાપના

સરીન કંપનીની કાર્યવાહીના વિરોધ કરવા માટે સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને તેમના વપરાશકારો અસરકારક રીતે લડત લડી શકે તે માટે એક નવા સંગઠનની રચના અને જાહેરાત આજે કરવામાં આવી હતી. સુરત ડાયમંડ મંશીનરી એન્ડ ટેક્નોલોજી એસોસીએશનના નેજા હેઠળ હવે કોપીરાઇટની તમામ લડત, રજૂઆતો, કાયદાકીય કેસો વગેરે કરવામાં આવશે. આગામી દિવસોમાં આ સંગઠનનું સ્વરૂપ નક્કી કરવામાં આવશે.

સરીન કંપની સામે આ રીતે લડત લડાશે

  • સ્થાનિક ટેક્નોલોજી ઉત્પાદકો અને વપરાશકર્તાઓની એક્ઝિક્યુટિવ કમિટીની રચના
  • સ્થાનિક કોર્ટમાં કેસોના પ્રોસેડિંગ માટે વકીલની પેનલની નિમણૂંક-
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરવા માટે કમિટીની રચના-
  • સ્થાનિક પેઢી પર કોર્ટ કમિશન સામે વાંધા નોંધાવવાનું વ્યક્તિગત અભિયાન

કોર્ટ કમિશન આવે તો ગભરાવ નહીં તેની સામે વાંધો ઉઠાવોઃ વકીલ પ્રવીણ દેવમૂરારી

સુરતના હીરા ઉદ્યોગમાં કેટલીક પેઢીઓ સામે સરીન નામની ઇઝરાયેલની કંપનીએ કોર્ટ કમિશનની કાર્યવાહી કરીને કોપીરાઇટ સંદર્ભનું પ્રોસિડિંગ કરતા હચમચી ઉઠેલા હીરા ઉદ્યોગકારોએ આજે એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. આ જાહેરસભામાં ટેક્નોલોજી અને મશીનરીના સ્થાનિક ઉત્પાદકો અને વપરાશકર્તાઓને માર્ગદર્શન આપતા વકીલ પ્રવીણ દેવમૂરારીએ જણાવ્યું હતું કે કોર્ટ કમિશનની કાર્યવાહીથી ગભરાય જવાની જરૂર નથી. હકીકતમાં આપણી સમસ્યા આપણા કારણે અથવા આપણામાંથી જ કોઇક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા પુરાવાઓને કારણે ઉભી થઇ છે. ઇઝરાયેલની કંપનીએ પોતાની મશીનરીના કોપીરાઇટ અમેરીકામાં રજિસ્ટર્ડ કરાવ્યા છે એટલે ભારતને કોપીરાઇટ લાગૂ પડે છે. કોઇ કંપનીનું સીધેસીધું ડુપ્લિકેટીંગ પકડાય તો એ ગુનો બને પણ તેના જેવી સ્થાનિક ઉત્પાદિત વસ્તુનો વપરાશ કરી શકાય. હાલમાં સરીનની કાર્યવાહી સંભાવનાઓ અને શક્યતાઓ આધારીત છે. હજુ સુધી કંપની તરફથી કોર્ટમાં કશું જ રજૂ કરાયું નથી.વકીલ દેવમૂરારીએ કહ્યું કે કોર્ટ કમિશન આવે તો ગભરાયા વગર તેનો વિરોધ કરો, લેખિતમાં વાંધો નોંધાવો અને જ્યાં સુધી પૂર્તતા ન થાય ત્યાં સુધી તેને કાર્યવાહી ન કરવા દો. કોર્ટ કમિશન એ આધાર પુરાવો નથી પણ સાંયોગિક પુરાવો છે.

May 30, 2022
india_bangladesh.jpg
1min449

ભારત અને બાંગલાદેશ વચ્ચેની પેસેન્જર ટ્રેન સર્વિસિસ બે વર્ષના ગાળા પછી રવિવારે ફરી શરૂ કરવામાં આવી હતી.
 ‘બંધન એક્સપ્રેસ’ની સર્વિસ કોરોના રોગચાળાને કારણે બે વર્ષ બંધ રાખવામાં આવી હતી. રવિવારે ઇસ્ટર્ન રેલવેની કોલકાતા અને ખુલના (બાંગલાદેશ) વચ્ચે દોડતી બંધન એક્સપ્રેસ તથા કોલકાતા અને ઢાકા વચ્ચે દોડતી મૈત્રી એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. 

વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં  આ બે ટ્રેનોના છેલ્લા ફેરા કરાયા હતા. બંધન એક્સપ્રેસ કોલકાતા અને ખુલના વચ્ચે અઠવાડિયાના બે દિવસ અને મૈત્રી એક્સપ્રેસ અઠવાડિયાના પાંચ દિવસ કોલકાતા અને ઢાકા વચ્ચે દોડે છે. તે ઉપરાંત ઇસ્ટર્ન રેલવે ૧ જૂનથી બાંગલાદેશી પર્યટકો માટે ન્યુ જલપાઈગુડી અને દાર્જીલિંગ વચ્ચે ‘મિતાલી એક્સપ્રેસ’ નામે વધુ એક ટ્રેન શરૂ કરશે.             

May 30, 2022
GT.jpg
1min395

ગુજરાત ટાઇટન્સ અહીં 30/5/22 રવિવારે રાતે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફાઇનલ જીતીને ચેમ્પિયન બન્યું હતું.

All-Round Hardik Pandya Leads Gujarat Titans to IPL 2022 Title in Debut  Season

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બૅટિંગ કરીને ૨૦ ઑવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૩૦ રન કર્યા હતા અને તેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે ૧૮.૧ ઑવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૩ રન કર્યા હતા અને તેનો  સાત વિકેટથી વિજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સના વૃદ્ધિમાન સાહા (પાંચ રન) અને મેથ્યુ વેડ (આઠ રન)ની વિકેટ પડ્યા બાદ હાર્દિક પંડ્યા (૩૪ રન) અને શુભમન ગિલ (૪૩ બૉલમાં ૪૫ રન)એ બાજી સંભાળી લીધી હતી. 
ડેવિડ મિલરે ફટકાબાજી કરીને ૧૯ બૉલમાં ૩૨ રન કર્યા હતા. છેલ્લે ૧૧ બૉલ બાકી હતા ત્યારે ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો.

અગાઉ, રાજસ્થાન રોયલ્સની પ્રારંભિક જોડીએ સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલે ૧૬ બૉલમાં ૨૨ અને જોસ બટલરે ૩૫ બૉલમાં ૩૯ રન કર્યા હતા. સંજુ સેમ્સને ૧૪, શિમરન હેટમેયરે ૧૧, રિયાન પરાગે ૧૫ અને ટ્રેન્ટ બોલ્ટે ૧૧ રન કર્યા હતા. 

હાર્દિક પંડ્યાએ ૧૭ રન આપીને રાજસ્થાનની ત્રણ વિકેટ લીધી હતી. સાઇ કિશોરે બે, મહંમદ શમીએ એક, યશ દયાલે એક અને રાશીદ ખાને એક બૅટ્સમેનને આઉટ કર્યા હતા.

ગુજરાત ટાઈટન્સે પોતાની પ્રથમ આઈપીએલ સીઝનમાં જ આ ભવ્ય વિજય મેળવ્યો હતો. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલ જોવા મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા. 

ઘરઆંગણે (અમદાવાદમાં) થયેલા આ વિજયની ગુજરાતીઓએ આખી રાત નાચગાન સાથે ઉજવણી કરી હતી. 

May 29, 2022
government_gujarat_gandhinagar.jpg
1min390

ગુજરાતના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેનો કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવા માટે મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, આગામી તા. 31 મેના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો હતો. ત્યારે હવે સરકારે તેમને 31મી જાન્યુઆરી 2023 સુધીનું એક્સટેન્શન આપ્યું છે. આમ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સમાપ્તિ સુધી ગુજરાત પોલીસના વડા તરીકે કાર્યરત રહેશે.

આ સાથે જ સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી છે જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. તેઓ 1986ની બેંચના IAS અધિકારી છે. 

1985ની બેંચના IPS અધિકારી આશિષ ભાટિયાની તા. 31 જુલાઈ 2020ના રોજ રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું તે કારણે પોલીસ તંત્રમાં તથા તેમના શુભેચ્છકોમાં આનંદ પ્રસર્યો છે. 

ગત તા. 31મી જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકેના પદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી હતી. 

May 29, 2022
rrgt.jpg
1min425
IPL 2022 Live Cricket Scores, News, Stats, Schedules, Results, Highlights,  Photos, Videos – NDTV Sports

આઈપીએલની આજે Dt. 29/5/22 Ahmedabad રમાનારી ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળશે. બે મહિના અગાઉ આઈપીએલ શરૂ થઈ ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે આઈપીએલની ફાઈનલમાં ટોસ ઉછાળવા જનારા બે કૅપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન હશે. 

ગુજરાત ટાઈટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા અને વડા કોચ આશીષ નહેરા માટે ફાઈનલ સુધીની આ સફર અદ્ભુત રહી છે કેમ કે ઑક્શન અગાઉ નિષ્ણાતો સહિત અનેક લોકોએ ગુજરાત ટાઈટન્સની ટીમને આશાવિહોણી લેખાવી હતી. 
પેપર આ ટીમ સારી નહોતી જણાઈ. શારીરિક રીતે ફરી સજ્જ થઈ ગયેલા હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્ત્વ સંભાળી લીધું હતુું અને ભારતીય ક્રિકેટ માટે તે શા માટે ઍસેટ છે તે દર્શાવી દીધું હતું.

સતત પાંચ વર્ષ નિષ્ફળ રહેલા મિલરે પણ આ વખતની આઈપીએલમાં ર્સુંદર પ્રદર્શન કરી તમામ લોકોને આશ્ર્ચર્ય ચકિત કરી દીધા હતા. ટેવટિયાએ પણ પુરવાર કરી દીધું હતું કે શારજાહમાં ફટકારેલી પાંચ સિક્સર એ માત્ર 
જોગાનુજોગ નહોતો. 

ગુજરાત ટાઈટન્સ ઘરઆંગણેના ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિમાં ફાઈનલમાં વિજય મેળવી ઈતિહાસ રચવાના પ્રયાસ કરશે તો રાજસ્થાન રોયલ્સની ટીમ વિજય મેળવીને ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન શૅન વૉર્નને અંજલિ આપશે. 
રવિન્દ્ર જાડેજા, દિનેશ સાલૂંખે, સ્વપ્નીલ અસનોડકર અને નિરજ પટેલ જેવા ખેલાડીઓની મદદથી શૅન વૉર્ન સૌથી નબળી ટીમને ટુર્નામેન્ટમાં વિજય સુધી દોરી ગયો હતો. 

દેશ માટે ૨૦ આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોવા છતાં સંજુ સૅમ્પસન મોટો ચાહક વર્ગ ધરાવે છે. સંજુની બૅટિંગમાં પણ જોઈએ એવું સાતત્ય જોવા નથી મળતું, પરંતુ કૅપ્ટન તરીકેની તેની ક્ષમતા વખાણવા લાયક છે. 
ફાઈનલમાં વિજય મેળવવા બંને કૅપ્ટન કેવો વ્યૂહ અપનાવે છે તે આપણને આવનારાં ૨૪ કલાકમાં જાણવા મળશે. 

ટીમ ગુજરાત ટાઈટન્સ: 

હાર્દિક પંડ્યા (કૅપ્ટન), અભિનવ મનોહર, ડૅવિડ મિલર, ગુરકેરાત સિંહ, બી. સાંઈ સુદર્શન, શુભમન ગીલ, રાહુલ ટેવટિયા, વિજય શંકર, મૅથ્ય વૅડ, રહમાનુલ્લાહ ગુરબાઝ, રિદ્ધિમાન સાહા, અલ્ઝારી જૉસેફ, દર્શન નાલકંડે, લૉકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, નૂર અહમદ, પ્રદીપ સંગવાન, રાશિદ ખાન, રવિ શ્રીનિવાસન સાંઈ કિશોર, વરુણ આરોન, યશ દયાલ.

રાજસ્થાન રોયલ્સ: 

સંજુ સેમસન (કૅપ્ટન), જૉ બટલર, યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્ર્વિન, ટ્રૅન્ટ બૉલ્ટ, શિમરોન હૅટમાયર, દેવદત્ત પકીક્કલ, પ્રસિધ ક્રિષ્ણા, યઝુવેન્દ્ર ચહલ, રિયાન પરાગ, કે. સી. કેરિઅપ્પા, નવદીપ સાઈની, ઑબેદ મૅકોય, અનુનય સિંહ, કુલદીપ સેન, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, તેજસ બારોકા, કુલદીપ યાદવ, શુભમ ગરવાલ, જૅમ્સ નૅશામ, નાથન કાઉલ્ટર-નિલ, રાસિ વૅન ડૅર દસન, ડૅરિલ મિશેલ, કૉર્બિન બૉસ્ચ.

May 29, 2022
handicraft.jpg
1min398

યુરોપ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા વિકસિત દેશોમાં, કોવિડ સમયગાળા દરમિયાન જારી કરવામાં આવેલા વિશેષ ભથ્થાઓએ જોધપુરમાંથી હસ્તકળાની નિકાસમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જોધપુરથી હસ્તકળા નિકાસ લગભગ રૂ. ૫૫૦ કરોડથી ૧૭.૫ ટકા વધીને રૂ. ૩,૭૦૦ કરોડ 
થઈ છે.

૨૦૨૦-૨૧માં રાજસ્થાનના આ શહેરમાંથી રૂ. ૩,૧૫૦ કરોડના હસ્તકળાની નિકાસ કરવામાં આવી હતી. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટ’ના ડેટા અનુસાર, છેલ્લા ૫ાંચ વર્ષમાં જોધપુરમાંથી હેન્ડીક્રાફ્ટની નિકાસમાં રૂ. ૮૦૦ કરોડથી વધુનો વધારો થયો છે. આ દરમિયાન વિદેશ જતા ક્ધટેનરની સંખ્યા દર વર્ષે છ હજાર વધીને ૩૪,૮૯૭ થઈ હતી, જે ૨૦૨૦-૨૧માં ૩૦,૧૫૬ હતી. ૨૦૨૦-૨૧ સિવાય નિકાસમાં સતત વધારો થયો છે, ૨૦૨૦-૨૧માં કોવિડ લોકડાઉનને કારણે નિકાસ એકમો બંધ રહ્યા હતાં.

આગામી વર્ષમાં નિકાસ વધવાનો આશાવાદ હસ્તકળા એસોસિએશને વ્યક્ત કર્યો છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન દેશોમાં કોવિડ ભથ્થુ તેમજ બેરોજગારી ભથ્થુ વધતાં લોકોએ ઘરની સજાવટ પાછળ ખર્ચ વધાર્યો છે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ પ્રતિકૂળ અસર પણ હસ્તકળા ઉદ્યોગને થઈ હતી. તે દરમિયાન ૪૦ ટકા લોકોની રોજગારી છીનવાઈ હોવાનો અંદાજ છે.

હસ્તકળાની નિકાસ વધવા પાછળના ૩ મુખ્ય કારણો જોઇએ તો વર્ક ફ્રોમ હોમ કોવિડમાં બહાર જવા પર પ્રતિબંધ હતો અને બજારો બંધ હતા. આવી સ્થિતિમાં ઘરેથી કામ કરતા લોકોએ ફર્નિચર અને ડેકોરેશન પર વધુ ધ્યાન આપ્યું, કોવિડ ભથ્થું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ઘણા દેશોમાં કોવિડ ભથ્થું આપવામાં આવ્યું હતું. જેના કારણે લોકોએ ઘરની સજાવટ પર ખર્ચો વધાર્યો અને વેપાર યુદ્ધ વેપાર યુદ્ધના કારણે ચીનથી અમેરિકામાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, અમેરિકાના મોટાભાગના ઓર્ડર ભારતમાં શિફ્ટ થયા છે. 

આ કારણોસર હસ્તકલાની નિકાસમાં વધારો થયો છે. ક્ધટેનરની અછત અને મોંઘવારી મોટા પડકારો છે. હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટમાં અચાનક વધારો થયો છે. ચીન-અમેરિકા વેપાર યુદ્ધ પણ તેનું એક કારણ હતું. જો કે, તેમાં વધુ વધારાનો આશાવાદ હતો. પરંતુ ક્ધટેનરની અછતની સમસ્યાઓના કારણે તેમાં વૃદ્ધિ અટકી હતી. 

May 26, 2022
post.jpg
1min419

બચત ખાતેદારો માટે 31 મેથી આરંભ : બેંકથી પોસ્ટ ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે

જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ હોય તો તમારા માટે ખાસ અને જરુરી ખબર છે. 31 મે થી સરકાર પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે.

Post Offices will avail NEFT/RTGS Facility soon | POSB Customers will soon  avail NEFT/RTGS Services - Postalstudy | Post Office Blog | Study Materials  for | Postal Exams | Latest Postal News

આ સુવિધા હેઠળ પોસ્ટ ઓફિસના ગ્રાહક નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો પોતાની ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા દ્વારા અન્ય બેંકોથી પોસ્ટ ઓફિસ ખાતામાં નાણાં પણ મોકલી શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરી પોસ્ટના તમામ બચત ખાતેદારો માટે નવી સુવિધા અંગે માહિતી આપી છે. એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ : 10 હજાર સુધીની લેણદેણ માટે રુ.ર.પ0 + જીએસટી, 10 હજારથી ઉપર રુ.1 લાખ સુધીની લેણદેણમાં રુ.પ + જીએસટી, રુ.1 લાખથી વધુ અને રુ.ર લાખ સુધીની લેણદેણ માટે રુ.1પ +જીએસટી, ર લાખથી વધુ અને મહત્તમ મર્યાદાથી વધુ નહીં માટે રુ.રપ + જીએસટી.

May 26, 2022
sibal.jpg
1min586
congress leader kapil sibal pain burst out said gandhis should step aside  give some other leader chance - કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર,  કહ્યું હટે ગાંધી પરિવાર, બીજાને ...

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના રાજકારણના મહારથી કપિલ સિબલે બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્ય સભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામંકનપત્ર ભર્યું હતું. કપિલ સિબલનું રાજીનામું લાંબા વખતથી વારંવાર ચૂંટણીઓમાં પછડાટ ખાતા પક્ષ કૉંગ્રેસ માટે વધુ એક મોટો આંચકો છે. કપિલ સિબલે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી જે પક્ષમાં સક્રિય રહ્યો છું, એ જ પક્ષની વિચારસરણી સાથે મારો સંબંધ રહેશે. કપિલ સિબલ બુધવારે લખનઊ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિસરમાં રાજ્યસભાની ઉમેદવારી માટે નામાંકનપત્ર ભરવા ગયા ત્યારે તેમની જોડે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ તથા પક્ષના અન્ય નેતા પણ હતા. કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનારા ૨૩ નેતાઓમાં એક કપિલ સિબલના રાજ્યસભાના સભ્યપદની મુદત આવતા જુલાઈ મહિનામાં પૂરી થાય છે. 

નામાંકનપત્ર ભર્યા પછી કપિલ સિબલે જણાવ્યું હતું કે મેં રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ સ્પર્ધક રૂપે ઉમેદવારી કરી છે. મને ટેકો આપવા બદલ હું અખિલેશજીનો આભાર માનું છું. મેં ૧૬ મેએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હું હવે કૉંગ્રેસનો વરિષ્ઠ નેતા નથી. કૉંગ્રેસ સાથે મારો પ્રગાઢ સંબંધ છે. લગભગ ૩૦-૩૧ વર્ષનો સંબંધ છે. આ નાની વાત નથી. હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને કારણે કૉંગ્રેસમાં જોડાયો હતો. લોકોને એવો વિચાર આવશે કે ૩૧ વર્ષે કોઈ કૉંગ્રેસને કેવી રીતે છોડી શકે? પક્ષ છોડવાનું કઈંક તો કારણ હોય ને! મારા મનમાં પણ કઈંક ખટકો છે, દિલમાં કઈંક રંજ છે. ક્યારેક આવા નિર્ણયો પણ લેવા પડે છે.

May 24, 2022
singla.jpg
1min495
Punjab Minister Vijay Singla Sacked By Bhagwant Mann Over Corruption  Charge, Arrested

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને પોતાના પદ પરથી હટાવી દીધા છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.  

મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. હું તેમને કેબિનેટમાંથી હટાવી રહ્યો છું, મુખ્યમંત્રીએ એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે સિંગલાએ પોતે ખોટુ કામ કર્યું હતુ તે સ્વીકાર્યું હતુ. 

વધુમાં કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે સ્વાસ્થય મંત્રી અરજીઓ મંજૂર કરવા 1%ના કમિશનની માંગણી કરી રહ્યાં હતા. 

AAP પાર્ટી અને ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, હવે ભ્રષ્ટાચારના આરોપી મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

તે જ સમયે, AAP પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, તેમની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના આધાર પર પોતાના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રમાણિકતા, હિંમત અને પ્રામાણિકતા ધરાવે છે. અમે આવુ દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ.