CIA ALERT

બિહારમાં ભાજપનું અભિયાન, શત્રુઘ્ન હવે ભાજપના શત્રુ, ગિરીરાજની બેઠક બદલાઇ

Share On :

NDAના બિહારના 39 ઉમેદવારો જાહેર

બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે આજે 40 સીટો પૈકી 39 સીટો પર તેમના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથેસાથે શાહનવાઝ હુસૈનની ટિકિટ પણ કપાઈ ગઈ છે. બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખઘડિયા બેઠક પરથી હજુ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જે રામવિલાસ પાસવાનના ખાતામાં હોવાના હેવાલ છે. બીજી બાજુ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઇને તમામ બાબતો ફાઈનલ થઈ ગઈ હોવા છતાં ખેંચતાણ જારી છે. પટણામાં એનડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે તમામની નજર ગિરિરાજ અને શત્રુઘ્ન સિંહાની સીટ પર લાગેલી હતી. ગિરિરાજને નવાદાના બદલે બેગુસરાય બેઠક પરથી ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટિકિટ જેમને મળી નથી તેમાં શત્રુઘ્ન સિંહા સામેલ છે. પટણા સાહિબમાંથી સાંસદ તરીકે રહેલા સિંહાને પાર્ટીની સામે બળવો કરવા બદલ સજા તરીકે ટિકિટ આપવામાં આવી નથી. તેમની જગ્યાએ આ સીટ પરથી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન રામકૃપાલ યાદવને પાટલીપુત્રમાંથી ફરી ટિકિટ આપવામાં આવી છે. તેઓ વર્ષ 2014માં આરજેડી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ 17-17 સીટો પણ ચૂંટણી લડી રહી છે. શત્રુઘ્ન સિંહા અને શાહનવાઝ હુસૈનને ટિકિટ આપવામાં આવી નથી. ચંપારણમાંથી ભાજપના કેન્દ્રીયમંત્રી રાધામોહનાસિંહ ઉમેદરવાર છે. સારનમાંથી રાજીવ પ્રતાપ રૂડી મેદાનમાં ઉતરી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ ઉજિયારપુરમાંથી મેદાનમાંથી ઉતરી રહ્યા છે. કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબે બકસર સીટ પર મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપની આ ત્રીજી યાદી છે.

શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાશે ?

2019 લોકસભા ચૂંટણીના એલાન પહેલાથી જ ચર્ચા’ ચાલી રહી કે બિહારમાં ભાજપ શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપશે નહી. શનિવારે પક્ષે ટિકિટનું એલાન કર્યું હતું. જેમાં આ અટકળ સાચી પડી હતી. પક્ષે શત્રુધ્ન સિન્હાથી દુરી બનાવી લીધી છે અને તેની જગ્યાએ પટના સાહિબની બેઠકથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેવામાં હવે શત્રુઘ્ન સિન્હા શું પગલું ભરે છે તે જોવાનું રહ્યું . તેમજ શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાશે તેવી પણ અટકળો શરૂ થઈ છે.શત્રુઘ્ન સિન્હા ભાજપની સતત નિંદા કરતા આવ્યા છે. ક્યારેક મંચ ઉપરથી તો ક્યારેક સોશિયલ મિડિયા ઉપર ભાજપની નીતિ અને વરિષ્ઠ નેતાઓ ઉપર શાબ્દિક પ્રહાર કરી ચૂક્યા છે. જેને લઈને શત્રુઘ્નને ભાજપ ટિકિટ નહી આપે તે નિશ્ચિત લાગતું હતું. તેમજ આગામી 24-25 માર્ચના શત્રુઘ્ન કોંગ્રેસમાં જોડાશે તેવા પણ અહેવાલ મળ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :