CIA ALERT

ભાવનગર મહુવામાં તોફાનોને પગલે 5 દિવસ ઇન્ટરનેટ બંધ કરાયું

Share On :
  • ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ મામલો બિચક્યો
  • આગજની, તોડફોડના બનાવો
  • તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા
  • મહુવામાં પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ
  • મોરારી બાપુની તલગાજરડા કથા પૂર્વે પૂર્વવત સ્થિતિ સ્થાપવા પોલીસના પ્રયાસો

ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યાનો મામલે તા.26મીની રાતથી આગજની, તોડફોડના બનાવ બન્યા હતાં. તેના પગલે તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં.રાત દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવા અંગે 45 શખસની અટકાયત કરાઇ હતી. તા.26મી ઓક્ટોબર 2018ના રોજ આખો દિવસ મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું કલેકટર દ્વારા પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં હુકમ થયો છે.

ત્રણ દિવસ પહેલા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ચાર શખસે હત્યા કરી હતી. આ ખૂનના બનાવના પગલે મહુવામાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન 26મીએ રાત્રે લોકોનું ટોળુ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને’ હોસ્પિટલ રોડ પર સાજન સજની નામની દુકાનમાં આગ લગાડી હતી. નેસવડ ચોકડી પાસે તોડફોડ કરી હતી. આ ઉપરાંત એક વાહન સળગાવવામાં આવ્યું હતું અને રેંકડી, લારીઓ અને કેબીન, દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસના કહેવાતા ચાંપતા બંદોબસ્તની પરવા કર્યા વગર ટોળાએ શરૂ કરેલી તોડફોડ અને આગજનીના પગલે પોલીસે તોફાની ટોળા પર કાબુ લેવા માટે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં. એ પછી તોફાન કાબુમાં આવ્યા હતાં.

રાતના દસ વાગ્યાથી શરૂ થયેલા તોફાન સવારે ચાર વાગ્યાની આસપાસ કાબુમાં આવ્યા હતાં. આ છ કલાક દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. જેમાં મોબાઇલ ફોન, કપડા, કરિયાણા વગેરેની દુકાનોનો સમાવેશ થાય છે. આ તોફાનના પગલે આજે શુક્રવારે મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.’ હાલમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ છે. એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તોફાનના પગલે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડીને મહુવામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે.

શાંતિ માટે અપીલ: મહુવામાં ફરી ફેલાયેલી તંગદિલીના પગલે જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો અને રાજકીય આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આવતીકાલથી તલગાજરડામાં મોરારીબાપુની કથા શરૂ થઇ રહી છે ત્યારે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકમાગણી ઉઠી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :