CIA ALERT

બારડોલી લોકસભા વિસ્તારમાં મોદીની હાજરી સમયે જ 500 કાર્યકર્તાઓએ ભાજપા છોડી

Share On :

ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં 500થી વધુ ભાજપીઓ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

સુરત જિલ્લામાં આવતી બારડોલી અનુસૂચિત જનજાતિ માટેની રિઝર્વ લોકસભા બેઠક પર આ વખતે ભાજપા માટે આકરાં ચઢાણ હોવાનું ખુદ ભાજપીઓના આંતરિક રિપોર્ટમાં બહાર આવ્યું છે અને એટલે જ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજરોજ તા.10મીએ જાહેરસભા યોજવી પડી છે. નરેન્દ્ર મોદી આજે તા.10મી એપ્રિલે બારડોલી લોકસભા વિસ્તારમાં રેલી કરી રહ્યા છે એ જ સમયે કોંગ્રેસે કેટલાક ભાજપી આગેવાનો સમેત 500થી વધુ લોકો પાસે ભાજપા છોડાવીને કોંગ્રેસની કંઠી બંધાવી લીધી છે.

ભાજપીઓ પોતાના પાયાના કાર્યકર્તાઓને બચાવી ન શક્યા

સુરત જિલ્લામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ થવાની હોય ત્યારે જ કોંગ્રેસે ભાજપના પાયાના મનાતા નેતાઓ અને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો. ભાજપના રહીને આ નેતાઓ તેમની અવગણના સહી ન શક્યા હતા. છેલ્લી ઘડી સુધી ભાજપના કેટલાક નેતાઓએ આજનો કોંગ્રેસ પ્રવેશનો પ્રોગ્રામ વિફળ બનાવવાની કોશિસ કરી હતી પરંતુ, તમામ પ્રયાસો વિફળ રહ્યા હતા.

કોણ કોણ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના ચાણક્ય સમા જિલ્લા કોંગ્રેસના અગ્રણી દર્શનભાઇ નાયકે સી.આઇ.એ. સાથે વાતચીતરમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજ રોજ તા. 10-4-19ના રોજ ડોલવણ કોગ્રેસ વિજય વિશ્વાસ સંમેલનમાં ડૉ. તુષારભાઈ ચૌધરી તાપી-સુરત જિલ્લા પ્રમુખની હાજરીમાં સુરત જીલ્લા પંચાયત સભ્ય રેખાબેન ચૌધરી (હળપતિ ગૃહ નિર્માણના અધ્યક્ષ) માંડવી તાલુકાના ભાજપના મહામંત્રી શ્રી અજુઁનભાઈ માલાભાઈ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી (માજી સરપંચ વાંકલ) હરેશભાઈ વસાવા (માજી સરપંચ વાડી ગામ, મંત્રી ગણપત વસાવા PA) બારડોલી તાલુકાના ભાજપના માજી તાલુકા પંચાયત સભ્ય અેવા જયેશભાઈ મણીલાલભાઈ હળપતિ, લાલુભાઈ શંકરભાઈ રાઠોડ,મહુવા તાલુકાના વાંસકુઈ ગામના સરપંચ શ્રી જિજ્ઞેશભાઈ નાયકા,500 આગેવાનો સાથે ભાજપને રામ રામ કરી કોગ્રેસમાં જોડાઇ ગયા છે.

બારડોલી લોકસભા અને જિલ્લા ભાજપ સંગઠન ભાજપા માટે બળતું ઘર

બારડોલી લોકસભા સીટ પર પહેલેથી જ ભાજપમાં આંતરિક ડખાં જોવાય રહ્યા છે. ગણપત વસાવા એક સમયે પરભુભાઇ વસાવાની બ્રિફ પકડીને ચાલતા હતા, હવે તેમના વિરોધી બની ચૂક્યા છે. એથી વિશેષ કેટલાક આદિવાસી નેતાઓ, વ્યારા-માંડવીના અગ્રગણ્ય લોકો પણ ભાજપની નીતિ રીતીથી કંટાળી ચૂક્યા છે. સુરત જિલ્લા ભાજપાના વર્તમાન હોદ્દેદારોની પાયાના કાર્યકરો પર કોઇ પકડ નથી. આવી સ્થિતિમાં બારડોલી લોકસભા સીટ કહો કે સુરત જિલ્લા ભાજપ સંગઠન, ભાજપીઓ માટે બળતું ઘર બની ગયું છે. સુગર ફેક્ટરીઓના પ્રશ્ન હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય, સિંચાઇના મુદ્દાઓ પર ભાજપ સરકારે કોઇ સહયોગ આપ્યો ન હોઇ, સુરત જિલ્લામાં ભાજપા માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જુના જોગી ડો. તુષાર ચૌધરી આ બેઠક પર ભાજપાના કાંગરા ખેરવી જાય તો નવાઇ નહીં.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :