બાર કાઉન્સિલ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.25મીએ ચૂંટણી યોજાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનના ચેરમેન સહિત હોદ્દેદારોની ચૂંટણી આગામી તા 25મી ઑગસ્ટના રોજ યોજાશે.આ ચૂંટણીમાં વિજ્યી બનવા માટે તાજેતરમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલની ગુપ્ત મિટિંગ મળી હતી.જેમાં 25મી ઑગસ્ટના રોજ યોજાનારા ચેરમેન,વાઇસ ચેરમેન સહિતના હોદ્દા માટેની તમામ સત્તાઓ પૂર્વે ચેરમેન અને ભાજપના ક્ધવીનર જે.જે.પટેલને સોંપવામાં આવી હતી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.25મી ઑગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવી શક્યતા છે. ભાજપ પ્રેરિત સમરથ પેનલના સભ્યો તા.23મી ઑગસ્ટથી ગુજરાત બહાર જઈને વ્યૂહરચના ઘડનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સભ્યને 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટવા ચેરમેન સહતિની ચૂંટણી બાદ નક્કી કરવામાં આવશે.
છેલ્લા 20 વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનેલ ચૂંટાતી હોવાથી આ વખતે પણ ચૂંટાયેલા સભ્યોની ખાનગીમાં મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા 25 પૈકીના 20 સભ્યો હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લા અથવા વિજય પટેલને મોકલી આપવા માટે તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ગત તા.28મી માર્ચના રોજ યોજાઈ હતી. જે બાદ તેની મતગણતરી 13મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. જો કે, આ પરિણામોને 10 જેટલા ઉમેદવારોએ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યું હતું. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આ ચૂંટણીમાં ભારે ગેરરીતિ થઈ હોવાથી પરિણામ રદ કરવા જોઈએ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


