ત્રાસવાદીઓ કરતા બિસ્માર રસ્તાઓ ભારતીયોની વધુ જાનહાની કરી રહ્યા છે
દેશમાં જમ્મુ કાશ્મીર સમેત અન્ય રાજ્યોમાં ત્રાસવાદી હુમલાઓ થતાં રહે છે અને તેમાં જાનહાનિ થતી રહે છે. પણ એવું લાગે છે કે દેશમાંના રસ્તાઓ વધુ જોખમી છે. ખાડાને લીધે થતા અકસ્માતમાં જાનહાનિની સંખ્યાના સંદર્ભમાં સરકારની આંકડાકીય માહિતીમાં જણાવાયા પ્રમાણે સમગ્ર દેશમાં ૨૦૧૭માં ત્રાસવાદી હુમલામાં ૮૦૩ જણ માર્યા ગયા હતાં એની સરખામણીમાં રસ્તા પરના ખાડાને લીધે થયેલા અકસ્માતમાં ૩,૫૯૭ જણનાં મોત નીપજ્યા હતાં.
મોટા ભાગના મેટ્રો શહેર ખરાબ માળખાકીય વ્યવસ્થા અને માર્ગોની મરામત અને જાળવણીમાં બેરદકાર રહેતી હોવાના સમાચાર હોવાથી અધિકારીઓને તેની નોંધ લેવાની ફરજ પડશે. ગયા વર્ષે મોતની સંખ્યા દિવસ દીઠ સરેરાશ ૧૦ હતી જે ૨૦૧૬ની સંખ્યાના ૫૦ ટકા કરતાં વધુ થવા જાય છે. આટલી મોટી સંખ્યા આઘાતજનક છે. પગલાં લેવાની જરૂર છે ખાસ કરીને નકસલવાદી સહિત ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલાની સંખ્યા ૮૦૩ હોય ત્યારે ખાડાને લીધે થતાં મોતની સંખ્યા પર ધ્યાન આપીને પગલાં લેવાની જરૂર છે.
યોગી આદિત્યનાથની આગેવાની વાળા ઉત્તર પ્રદેશ આગળ છે. રાજ્યના રસ્તાઓ પરના ખાડાના સંદર્ભમાં ૯૮૭ જણે જાન ગુમાવ્યા હોવાનું નોંધવામાં આવ્યું છે. બીજો નંબર મહારાષ્ટ્રનો છે મહારાષ્ટ્રમાં મોતની સંખ્યા ૭૨૬ છે. એમાં જો આ વર્ષના પૂરને લીધે થયેલાં મોતની સંખ્યા ફડણવીસ સરકારની આંખ ખોલનારી છે.સરકારી યંત્રણા લોકો માટે સારા રસ્તાની મૂળભૂત સગવડ આપતી વખતે કરદાતાના નાણાંના વપરાશ માટે સરકારે અપનાવેલા અભિગમ છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં હરિયાણા અને ગુજરાતનું નામ ટોચ પર છે. હરિયાણામાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલાં મોતની સંખ્યા ૫૨૨ હતી. દરમિયાન, દિલ્હીમાં ૨૦૧૭માં રસ્તા પરના ખાડાને લીધે થયેલી જાનહાનિની સંખ્યા આઠ હતી. રસ્તાના બાંધકામ દરમિયાન માર્યા ગયેલા લોકોની સંખ્યા ૨૦૧૬માં ૩,૮૭૮ પરથી વધીને ગયા વર્ષે ૪,૨૫૦ જેટલી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
