CIA ALERT

Gujaratમાં તમામ દવાખાનાઓ કોરોનાની સારવાર કરી શકશે

Share On :

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૨૦મી એપ્રિલ ૨૦૨૧ના રોજ રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મહત્વની જાહેરાત કરતા રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને ૧૫મી જુન સુધી કૉવિડના દર્દીઓની કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. અત્યાર સુધી દવાખાનાઓ કે હોસ્પિટલોએ કોવીડ ૧૯ની સારવાર માટે મંજૂરી લેવી પડતી હતી. હવે મંજૂરી નહીં લેવી પડે ફક્ત દવાખાનાઓએ પાલિકા કે કલેક્ટરને જાણ કરવાની રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા રાજ્યની તમામ હોસ્પિટલો, દવાખાના, નર્સિંગ હોમ્સને આગામી 15 જૂન સુધી કોરોનાની સારવાર કરવાની છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોનાની સારવાર માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં, માત્ર જે-તે હોસ્પિટલ-દવાખાનાએ કોરોનાની સારવાર શરૂ કર્યાની કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે.

સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડિકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવાની નિર્ણય પણ લેવાયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ખુબ કામ કરી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા વિવિધ સંવર્ગના કર્મચારીઓ દર્દીની સેવામાં રોકાયેલા છે તેઓની સાથે નવા લોકો જોડાય તે માટે અપીલ કરૂ છું.’ તેમને પ્રોત્સાહન આપવા માટે તજજ્ઞ ડોક્ટરોને માસિક રૂપિયા 2.50 લાખ રાજ્ય સરકાર આપશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી.

આ ઉપરાંત મેડિકલ ઓફિસરને માસિક 1.25 લાખ, ડેન્ટલ ડોક્ટરને માસિક 40 હજાર, આયુષ તથા હોમિયોપેથીના ડોક્ટરને 35 હજાર, લેબ ટેક્નિશિયન, ઈસીજી, ટેક્નિશિયનને માસિક 18 હજાર, વર્ગ 4ના કર્મચારીઓને માસિક 15 હજાર માનદ વેતન આગામી ત્રણ મહિના માટે આપવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમણે આઉટ સોર્સિંગથી કામ કરતી નર્સોને આગામી 3 મહિના 13 હજારને બદલે 20 હજાર પગાર આપવાની જાહેરાત કરી છે. તેમજ નવી જોડાનારી નર્સોને પણ આગામી ત્રણ મહિના સુધી 20 હજાર લેખે પગાર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 30મી જુલાઈ સુધી આ વધારાનું માનદ વેતન ચૂકવાશે. તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

રૂપાણીએ કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરા સહિતમાં જ્યાં મિલિટ્રી હોસ્પિટલો છે ત્યાં કોવિડની સારવાર શરૂ કરવા અપીલ કરી છે. આ સંદર્ભે બુધવારે મુખ્યમંત્રી આર્મીના અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :