ઉત્તર પ્રદેશમાં બાહુબલીની કોઈ અસર રહી નથી: અમિત શાહ
ઉત્તર પ્રદેશમાં વિજય સંકલ્પ રેલીને સંબોધતાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, યુપીમાં યોગીની સરકાર આવ્યા બાદ રાજય બદલાઈ ગયું છે. વિપક્ષોની યુતિએ બાહુબલીને ટિકિટ આપી છે, પરંતુ હવે યોગીની સરકારમાં તેમની કોઈ અસર રહી નથી.
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું હતું કે, દેશમાં ઉષ્ણતામાન વધી જાય ત્યારે તેઓ વિદેશ ઉપડી જાય છે અને તેની માતા સોનિયા ગાંધી પણ શોધી શકતા નથી.
યુપીમાં એસપી અને બીએસપીએ બાહુબલીને ટિકિટ આપી છે, પરંતુ હવે તેઓનું કંઈ ચાલતું નથી. વિપક્ષોની યુતિને મહામિલાવટ ગણાવી છે. ઉત્તર પ્રદેશ બદલાય ગયું છે એ વિપક્ષો સમજી શકતા નથી.
બાહુબલીને પકડીને કડક સજા કરાઈ છે. બાહુબલીના રાજના દિવસો હવે ગયા. દેશભરમાં મોદી-મોદીના નારા એ જનતાના આશીર્વાદ છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને ફરીથી લાવવા જનતાની ઈચ્છા છે.
રાહુલ ગાંધી મહાગઠ બંધન ને મહામિલાવટી નેતા છે. દેશમાં ગરમી વધે ત્યારે રજા પર ઊતરીને દેશ બહાર જતો રહે છે. મોદીએ પાંચ વર્ષમાં એક પણ રજા લીધી નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
