ચોર્યાસીના જૂનાગામ ખાતે અદાણી ફાઉન્ડેશન, હજીરા નિર્મિત કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ
Contact number for any more news 98253 44944
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ચોર્યાસી તાલુકાના જૂનાગામ (શિવરામપુરા) ખાતે અદાણી ફાઉન્ડેશન- હજીરા દ્વારા નવનિર્મિત કૉમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અદાણી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૭-૧૮ માં કંપનીના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રૂ. ૩૦ લાખના ખર્ચે કૉમ્યુનિટી હોલ બાંધવામાં આવ્યો છે. જુના ગામના ગ્રામજનોને સામૂહિક તેમજ સામાજિક પ્રસંગો માટે અતિ ઉપયોગી બની રહેશે. આ વેળાએ મંત્રીશ્રીએ અદાણી ફાઉન્ડેશનની સામાજિક ભાવનાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
લોકાપર્ણ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ, ચોર્યાસી ડેરીના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ, જૂનાગામના સરપંચશ્રી ભગુભાઈ પટેલ તથા હજીરા વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
